ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં નીચેનામાંથી કોનો ભાગ રહેતો નહિ?
Hide | Showજવાબ :
ઉજ્જડ જમીનમાં પાકતાં ધાનમાં સરપંચોનો હિસ્સો રહેતો નહિ.
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો?
Hide | Showજવાબ :
ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ લાલ હતો.
લેણદાર અને દેણદારના અવકાશમાં રહેલો વિરોધાભાસ જણાવો?
Hide | Showજવાબ :
લેણદારને ત્યાં દેણદાર ગરીબ જીવલો જતો ત્યારે પોતાની ઓઢવાની પછેડીમાં બાંધેલો નાગલીનો રોટલો, તેમના ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાતો હતો. લેખકના બા તેને અથાણું અને થોડી દાળ પણ આપતા હતા. પરંતુ જયારે લેણદારનો દીકરો ઉઘરાણીએ જતો ત્યારે દેણદાર જીવલાને ઘરે એને શીરો જમવાનો હક રહેતો. લેણદાર તથા દેણદારના અવકાશમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી બતાવ્યો છે.
દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ વસ્તુઓ આપવા જતો?
Hide | Showજવાબ :
દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, કેરી, શાકભાજી, ઘાસ, લાકડાં, ગોળ જેવી વસ્તુઓ આપવા જતો હતો.
ચોપડાની ઈન્દ્રજાળ પાઠના લેખક વિશે માહિતી આપો?
Hide | Showજવાબ :
ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યા ચોપડાની ઈન્દ્રજાળના લેખક છે. તેમનો જન્મ વલસાડ જીલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી. તેઓએ સંગીતમાં પણ નિપૂણતા મેળવી હતી. તેમણે હાલોલ અને નવસારીમાં શિક્ષક તરીકે કામગીરી કરી છે. સામાજિક અને સેવાક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1-2, સુદામે દીઠી દ્વારમતી (યુરોપ પ્રવાસ), ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ) અને વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ) વગેરે તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે.
ચોપડાની ઇન્દ્રજાળમાં લેખક શું દર્શાવવા માંગે છે?
Hide | Showજવાબ :
લેખકે આ આત્મકથા ખંડમાં ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને દારૂણ ગરીબી રજૂ કરી છે. આ પાઠમાં શાહુકારો દ્વારા ગરીબ, અભણ, લોકોનું કેવું શોષણ થતું હતું. તેનું તાદ્દશ્ય ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં આવી પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચઢાવતા નિર્દયી શાહુકારો તો બીજી તરફ તે જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્યભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાનું યુવાનીમાં થઇ ગયેલું કૃશ શરીર તથા અર્ધનગ્ન તેના દીકરાની પરિસ્થિતિ જોઇને કિશોર ભીખુમાં અંદરથી પરિવર્તન જાગે છે. જેથી તે પોતાના ચોપડામાંથી જીવલાના લેણાં પૈસાના ખાતા લખેલા પાના ફાડી નાખે છે અને તેને કરજમાંથી કાયમને માટે મુક્ત કરે છે. પોતાના માતાપિતા જ વ્યાજના ચક્કરમાં, ચોપડાની ઈન્દ્રજાળમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હ્રદયસ્પર્શી આલેખન આ પાઠમાં કરવામાં આવ્યું છે.
"ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાનીપરજ ખેડૂતોનું શોષણ કરતા." આવું બનવાના કારણો આપો?
Hide | Showજવાબ :
તે સમયમાં ઋણરાહતનો કોઈ કાયદો ન હતો, માટે દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી-કેળાં હતા. શાહુકારો અમલદારોના જુલ્મને પણ ટપી જાય તેવું વર્તન કરતા હતા. આ શાહુકારો શરીફ ડાકુ પ્રકારના હતા તથા ગરીબ અને અભણ પ્રજાના હાડમાંસ ચૂંથતા હતા.
ચોપડાની ઇન્દ્રજાળમાં શાહુકારોનું ગણિત કેવું હતું?
Hide | Showજવાબ :
શાહુકારો ત્યારે વ્યાજની ગણતરી કરવામાં સત્તર પંચા પંચાણું (ખરેખર પંચાસી) તે પ્રમાણે ગણત્રી કરતા હતા.
લેખકના પિતા શાહુકારીનો ધંધો કેવી રીતે શીખ્યા હતા?
Hide | Showજવાબ :
તેમના પિતાજીને કોઈ ખાસ ભાઈબંધ પાસેથી ધીરધાર ધંધાની માહિતી મળી હતી. એટલે લોભેલોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા હતા.
લેખકના વિધવા બાને માથે કેવડી મોટી જવાબદારી આવી હતી?
Hide | Showજવાબ :
વિધવા બાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની જવાબદારી આવી પડી હતી.
જીવલાનું પાત્રલેખન તમારા શબ્દોમાં કરો?
Hide | Showજવાબ :
લેખકના પિતા પાસેથી જીવલાએ પોતાના માટે ખેતર વેચાતું લેવા માટે કર્જ તરીકે ત્રણસો રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજનું વ્યાજ મળીને આ ત્રણસોના પંદરસો રૂપિયા જીવલા પાસે લેણાં નિકળતા હતા. જીવલો અભણ હતો તેથી ચોપડાની આવી ઈન્દ્રજાળ સમજતો ન હતો. તેને વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. જીવલો પ્રમાણિક અને શુધ્ધ દાનત ધરાવતો હતો. ખેતપેદાશના ગમે તેવા માઠા વર્ષોમાં જીવલાના ખેતરનો પાક સારો ઉતર્યો હોય કે ન ઉતર્યો હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ તેવું એ માનતો હતો. માટે જેટલા પૈસા મળે તેટલાં ત્યાં ચૂકવતો હતો. ઉપરાંત વધુમાં દર વર્ષે લાકડાં, ડાંગર, કેરી, ગોળ, કઠોળ, શાકભાજી, જાંબુ, શેરડી, બોર વગેરે પણ શાહુકારને આપતો હતો. આમ, જીવલો આર્થિક રીતે સાવ કંગાળ અને નિર્બળ બની ગયો હતો. જીવલાના પત્નીના મૃત્યુ બાદ તેની કારજ ક્રિયા કરવા તેણે બીજા શાહુકાર પાસેથી પણ કરજ લીધું હતું. લેખક જયારે જીવલાને ત્યાં ઉઘરાણીએ જતા તો જીવલો તેમને ઋતુઋતુના ફળો, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો તથા ઘરે લઇ જવા પણ બાંધી આપતો હતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો ગરમ ગરમ શીરો કરીને જમાડતો હતો. તે લેખકને ભૂખ્યા જવા દેતો નહિ. જીવલાની ગરીબાઈ એવી હતી કે લેખકને ઘરે લઇ જવા વાલોર અને રીંગણ બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જીવલો દેવાના ભારથી જવાનીમાં જ સાવ કૃશ થઇ ગયેલો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. જીવલો શાહુકારનો જન્મોજનમનો ઋણી બની ગયો હતો. જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો જેથી લેણદારના પૈસા દુધે ધોઈને પાછા આપી શકાય. આમ શુધ્ધ દાનત રંગ લાવી, લેખકે તેની ઈમાનદારીથી ખુશ થઈને તેના કુટુંબની અત્યંત દારૂણ ગરીબી જોઇને તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
દાયકો - દસકો, દસ વર્ષનો સમયગાળો
ઋણ - દેવું, કરજ
ઉજ્જડ જમીન - વેરણ જમીન
વેઠ કરવી - આર્થિક બદલો મળ્યા વિનાની કરાતી મજૂરી કે કામ
ધીરધાર - વ્યાજે નાણાની આપલે કરવી
પુષ્કળ - ખૂબ, અતિશય
શાહુકાર - ધનવાન, પૈસાદાર
મુક્ત - આઝાદ, સ્વતંત્ર
મુદ્દલ - મૂળ રકમ
તળપદા શબ્દો
Hide | Showજવાબ :
હાઉકાર - શાહુકાર
સોંઘારત - સસ્તાપણું
આપદા - આપત્તિ
પોયરાં - છોકરાં
કોથે ગેયલો ઓહે - ક્યાંય ગયો હશે
ડોહાડી - ડોસી
આલ્યું - આપ્યું
ની - નહીં
પૈહા - પૈસા
ભૂયખો - ભૂખ્યો
હાવ - સાવ
ચુહાઈ - ચુસાઈ
ગીયો - ગયો
હેર - શહેર
કાઠું - કઠણ, મુશ્કેલ
વિરુધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
શાહુકાર - ગરીબ
અજ્ઞાની - જ્ઞાની
પ્રમાણિક - અપ્રમાણિક
ઉદાર - કંજૂસ
લેણદાર - દેણદાર
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.