નણદોઇ વિશે 'ચાંદલિયો' લોકગીતમાં શું કહેવાયું છે?
Hide | ShowAnswer :
'ચાંદલિયો' લોકગીતમાં નણદોઇને વાડીનો મોરલો કહયો છે.
સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યકત કરે છે?
Hide | ShowAnswer :
કાવ્યનાયિકા પોતાના સાસુ અને સસરાને પોતાના પૂર્વજન્મના માતાપિતા કહીને પોતાનો પ્રેમભાવ દર્શાવે છે.
(પતિ) નવ રંગોવાળી પાઘડી પહેરે છે.
Hide | ShowAnswer :
તાણીને બાંઘે રે નવરંગ પાઘડી
મારી નણંદ વાડીમાની વેલી જેવી છે.
Hide | ShowAnswer :
નણંદ મારી વાડી માયલી વેલ્ય જો.
આસો મહિનાની પૂર્ણિમાની રાત્રી છે.
Hide | ShowAnswer :
આસો માસો શરદ પૂનમની રાત જો.
''ચાંદલિયો'' લોકગીતને આઘારે રાત્રીનું વર્ણન કરો.
Hide | ShowAnswer :
કાવ્યનાયિકા ''ચાંદલિયો'' લોકગીતમાં શરદપૂનમ રાત્રીનું ચિત્ર દર્શાવે છે. ચંદ્ર સોળે કળાએ ખિલ્યો છે અને કાવ્યનાયિકાના ચોકમાં ઉગ્યો છે. વઘુમાં ચંદ્રના ખિલવાથી વાતાવરણ શીતળ, મઘુર અને રમ્ય બન્યું છે તથા આવી અજવાળી રાત્રીએ સ્ત્રી પુરૂષો ગરબે ઘૂમે છે.
કાવ્યનાયિકા સખીને પોતાના ૫તિ વિશે શું કહે છે?
Hide | ShowAnswer :
કાવ્યનાયિકા પોતાની સખીને મારો પતિ કે મારો ઘરવાળો નહિ, પણ રોમાન્ટીક મૂડમાં '૫રણ્યો મારો' તેવું કહીને ઓળખ આપે છે. કાવ્યનાયિકાના આ સંબોઘનમાં પોતાની સાથે ૫રણનાર એટલે કે ૫તિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અભિમાન પ્રગટ થાય છે. વઘુમાં કાવ્યનાયિકા ''૫રણ્યો મારો સગી નણદનો વીર જો'' આ પંકિતમાં પોતાની નણંદ પ્રત્યેનો આદરભાવ પ્રદર્શિત કરે છે તથા તે વાતનું તેમને ગૌરવ૫ણ છે તેવું દર્શાવે છે. આમ, કાવ્યનાયિકાએ આવા શબ્દોથી ભાઇ-બહેનનો મઘુર સબંઘ દર્શાવ્યો છે.
લોકગીતોની રચના કોણ કરે છે તે સમજાવો.
Hide | ShowAnswer :
લોકગીતનો કોઇ રચયિતા નથી હોતો એમ માનવું તેનાં કરતાં એવું કહી શકાય કે લોકોનો સમૂહ લોકગીતોની રચના કરે છે. અનેક વ્યકિતઓની ઉત્સાહભરી સર્જતકતાથી રચાયેલું ગીત જે કઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઇ એક પ્રસંગ કે ઘટના આઘારીત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની અભિવ્યકિત છે.
સ્વજનો માટે કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આઘારે સમજાવો.
Hide | ShowAnswer :
કાવ્યનાયિકાના હૈયામાં શરદપૂનમની રાત્રે ગરબે ઘૂમતી વખતે સ્વજનો માટે લાગણીનું પૂર ઉમટયું છે. 'ચાંદલિયો' લોકગીતની એક-એક પંકિતમાં તથા તેનાં એક-એક શબ્દમાં સ્વજનો માટેની મમતા અને પ્રેમ છલકાવ્યો છે. કવિયત્રિએ આ લોકગીતમાં શબ્દોથી લાગણીઓને વાચા આપી છે. તે ગરબે ઘૂમતા ઘૂમતા ગાય છે કે સાસુ-સસરા મારા પૂર્વજન્મના માતાપિતા છે.તેમનો જેઠ અષાઢના મેઘ જેવો છે. જેઠાણીતો વળી વાદળની વિજળી જેવી છે. દિયર ચંપાનો છોડ અને દેરાણી ચંપાના ઝાડની પાંદડી જેવી છે. વઘુમાં તેઓ લખે છે કે મારી નણંદ તો વાડીની વેલ છે અને નણદોઇ તે વાડીનો મોરલો છે. અહીં કવિયત્રીએ સ્વજનોને તેમના સ્થાન મુજબ મૂલવ્યા છે. અંતમાં તો કવિયત્રી રોમાન્ટીક મૂડમાં ગાય છે અને પોતાના ૫તિને પતિ કે ઘરવાળો કહેવાને બદલે ''પરણ્યો મારો સગી નણંદનો વીર'' જેવા શબ્દો પ્રયોજયા છે. આમાં કાવ્યનાયિકાએ નણંદનું મહત્વ વઘારી પોતાનો આદરભાવ પ્રગટ કર્યો છે. તેઓ એવું સમજાવે છે કે મારો પરણ્યો તો ખરો, ૫ણ પહેલાં તે એની બહેનનો વીર છે. આમાં ભાઇ બહેનના મીઠા સબંઘોની મીઠાશ ઉજાગર થાય છે. કવિયત્રીને અંતમાં નવરંગ પાઘડીમાં શોભતા વરણાગી પ્રભાવશાળી ૫તિને પામ્યાનો અનેરો આનંદ છે. આમ શરદપૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને રમતીયાળ વાતાવરણ સર્જાયું, તેનું આહલાદક વર્ણન કાવ્યનાયિકા પોતાની સખી પાસે કરે છે. આમાં કાવ્યનાયિકા સાસરીયામાં ખૂબ જ ખુશ છે તેવો સંદેશો ૫ણ વહેતો કરે છે. કૌટુંબિક જીવનની મઘુરતા દર્શાવતું આ લોકગીત અત્ચંત ભાવપૂર્ણ છે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
ચોક - ચોગાન , જેઠ - પતિનો મોટો ભાઇ
નણંદ- પતિની બહેન, વીર - ભાઇ
ચાંદલિયો - ચંદ્ર, જલમ - જનમ
ચાંપલિયો - ચંપાનો છોડ, કેરી - ની
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.