GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કિલ્લેબંધી શબ્દની સંકલ્પના શું થશે ?

Hide | Show

જવાબ : દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દીવાલને કિલ્લેબંધી કહેવામાં આવે છે.


સંકલ્પના આપો : દ્વિમુખી શાસનપદ્વતિ

Hide | Show

જવાબ : કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસનપદ્વતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસનપદ્વતિ કહેવામાં આવે છે.


સહાયકારી યોજના શબ્દની સંકલ્પના શું થશે ?

Hide | Show

જવાબ : ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુન:સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી યોજનાએ ઇતિહાસમાં સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે.


સંકલ્પના આપો : ખાલસાનીતિ

Hide | Show

જવાબ : ખાલસાનીતિ એટલે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસાનીતિ એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી.


પ્રાચીન સમયથી ભારત સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે, કારણ કે .....

Hide | Show

જવાબ : ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો અત્યંત સમૃદ્ધ છે.


યુરોપના લોકો માટે કોન્સ્ટેનોપલ થઈ ભારત આવવાનો માર્ગ બંધ થઈ ગયો, કારણ કે ....

Hide | Show

જવાબ : ઇ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું.


ઇ. સ. 1498માં વાસ્કો – દ – ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની કરેલી શોધ વિશ્વમાં એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે, કારણ કે ...... 

Hide | Show

જવાબ : તેનાથી યુરોપના લોકો માટે ભારત આવવાનાં દ્વાર ખૂલી ગયા.


ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી, કારણ કે ....

Hide | Show

જવાબ : તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઇચ્છતો હતો.


વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી, કારણ કે ....

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શોરે અપનાવેલી તટસ્થતાની નીતિને લીધે આઇએસટી ઈન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા તેમજ રાજ્ય વિસ્તાર અટકી ગયાં હતા. આથી વેલેસ્લી કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવા ઈચ્છતો હતો.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મીરકાસીમને ઊથલાવી ફરીથી મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો, કારણ કે ......

Hide | Show

જવાબ : મીરકાસીમ મીરજાફર કરતાં વધારે મહત્વકાંક્ષી સાબિત થયો હતો. તેથી કંપનીને મીરકાસીમનો ડર લાગ્યો હતો.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા (ઓરિસ્સા) ની દીવાની સત્તા મળી, કારણ કે ....

Hide | Show

જવાબ : ઇ. સ. 1764ના બક્સરના યુદ્વમાં મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમની સંયુક્ત સેના સામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વિજય થયો હતો.


વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, કારણ કે ....

Hide | Show

જવાબ : ઇ. સ. 1773ના નિયામક ધારાની જોગવાઈ પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો.


સહાયકારી સૈન્યની યોજના મીઠા ઝેર સમાન હતી, કારણ કે ....

Hide | Show

જવાબ : આ યોજનાનો અમલ કારી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા.


ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો, કારણ કે ....

Hide | Show

જવાબ : તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે (ઇ. સ. 1853 – મુંબઇથી થાણા), ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે તાર – વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વેગેરેની શરૂઆત તાહિ તેમજ પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીની શાસન દરમિયાન ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો, કારણ કે ....

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મહેસૂલનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો, કારણ કે ....

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જકાતનીતિ અન્યાયી અને ભેદભાવભરી હતી તેમજ કંપનીએ ભારતના હુન્નર ઉધોગોને કચડી નાખવા અયોગ્ય રીતરસમો અપનાવી હતી.


બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતીય પ્રજામાં વિચાર અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી હતી, કારણ કે ....

Hide | Show

જવાબ : બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતમાં વર્તમાનપત્રોનો વિકાસ થયો હતો.


અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવભરી જકાતનીતિનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ઉધોગ – ધંધા પડી ભાંગ્યા. કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા.


કંપની શાસનકાળમાં ભારતમાં ક્યાં ક્યાં મહાબંદરોનો વિકાસ થયો ?

Hide | Show

જવાબ : કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઇ, ચેન્નઈ અને કોલકત્તા જેવાં મહાબંદરોનો વિકાસ થયો.


ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન ક્યા ક્યા સામાજિક કુરિવાજો નાબૂદ કરવા માટે કાયદા બન્યા ?

Hide | Show

જવાબ : ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહિવટ દરમિયાન સતીપ્રથા, જ્ન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજો નાબૂદ કરવા કાયદા બન્યા.


ભારતમાં અંગ્રેજોના સંપર્કથી ક્યા ક્યા સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા ?

Hide | Show

જવાબ : ભારતમાં અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા.


કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા વડે શિક્ષણ આપવાનું નક્કી કર્યું ?

Hide | Show

જવાબ : અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા વડે શિક્ષણ આપવાનું નક્કી કર્યું.


મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી ?

Hide | Show

જવાબ : મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના ચાલર્સ વુડની ભલામણથી કરવામાં આવી.


યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ કેમ બંધ થઈ ?

Hide | Show

જવાબ : ઇ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી – મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ.


બકસરનું યુદ્વ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું ? તેનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : બક્સરનું યુદ્વ ઇ. સ. 1746માં બંગાળના પૂર્વનવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું હતું.         બકસરના યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ. મીરકાસીમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહઆલમે અંગેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી.


નિયામક ધારાની મુખ્ય જોગવાઈ શું હતી ?

Hide | Show

જવાબ : ઇ. સ. 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઇઓ નીચે પ્રમાણે હતી :         (1) બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ નું પદ આપવામાં આવ્યું. (2) અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃતિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યાં. (3) મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સીલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા.


વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. કારણ આપો.

Hide | Show

જવાબ : (1) ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. (2) તેના કારણે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. (3) તેના સમયમાં અંગેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. (4) આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. (5) આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી.


કારણ આપો : ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.

Hide | Show

જવાબ : (1) ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. (2) તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઇચ્છતો હતો. આ હેતુ સિદ્વ કરવા માટે ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.


યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી હતી ?

Hide | Show

જવાબ : યુરોપના દેશોમાં ભારતના મરી – મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી.


ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્વ ક્યુ હતું ?

Hide | Show

જવાબ : તુર્કસ્થાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ (ઇસ્તુંબૂલ) ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્વ હતું.


‘કેપ ઓફ ગુડ હોપ’ ભૂશિરની શોધ કોણે કરી હતી ?

Hide | Show

જવાબ : બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ની શોધ કરી હતી.


ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી હતી ?

Hide | Show

જવાબ : અમેરિગો વેસ્પૂચી નામના નકશા – આલેખકે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ આપી.


ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો ?

Hide | Show

જવાબ : ભારત આવવાનો નવો જળમાર્ગ ઇ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો – સ – ગામાએ શોધ્યો.


ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી ?

Hide | Show

જવાબ : ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી.


પોર્ટુગીઝને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ કઈ યુરોપિન પ્રજા વેપાર કરવા આવી ?

Hide | Show

જવાબ : પોર્ટુગીઝને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં નેધરલેન્ડ્ઝ (હોલેન્ડ) ની ડચ પ્રજા, ડેન્માર્કની ડેનિશ પ્રજા, ગ્રેટ બ્રિટનના અંગેજો, ફ્રાન્સની ફ્રેંચ પ્રજા વગેરે યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી.


ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રથમ વેપારીમથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં પ્રથમ વેપારીમથક ઇ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારીમથકો (કોઠીઓ) સ્થાપ્યા ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરુચ, માછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ), ફોર્ટ વિલિયમ (હુગલી, કોલકત્તા) વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યા.


ભારતમાં ફ્રેંચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી હતી ? તેમણે ક્યાં ક્યાં વેપારીમથકો સ્થાપ્યા ?

Hide | Show

જવાબ : ભારતમાં ફેંચ પ્રજા વેપાર કરવા ઇ. સ. 1668માં આવી. તેમણે ભારતમાં કલિકલ, પુડુચેરી, માહે, ચંદ્વનગર, માછલીપટ્ટમ વગેરે સ્થળોએ વેપારીમથકો સ્થાપ્યા.


ભારતમાં ચાલેલા સત્તાસંઘર્ષના અંતે ફિરંગીઓ (પોર્ટુગીઝો) અને ફ્રેંચો પાસે ક્યા ક્યા પ્રદેશો રહ્યા ?

Hide | Show

જવાબ : ભારતમાં ચાલેલા સત્તાસંઘર્ષના અંતે ફિરંગીઓ (પોર્ટુગીઝો) પાસે દીવ, દમણ તથા ગોવા રહ્યાં અને ફ્રેંચો પાસે માહે, ચંદ્વનગર, કારીગલ, પુડુચેરી વગેરે પ્રદેશો રહ્યા.


પ્લાસીનું યુદ્વ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : પ્લાસીનું યુદ્વ ઇ. સ. 1757માં બંગાળના નવાબ સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ.


ક્યા યુદ્વથી ભારતમાં અંગેજ સત્તાનો પાયો નંખાયો હતો ?

Hide | Show

જવાબ : ઇ. સ. 1757ના પ્લાસીના યુદ્વથી ભારતમાં અંગેજ સત્તાનો પાયો નંખાયો.


બકસરનું યુદ્વ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : બકસરનું યુદ્વ ઇ. સ. 1764માં બંગાળના પૂર્વ નવાબ મીરકાસીમ, મુઘલ શહેનશાહ શાહઆલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્વમાં અંગેજોની જીત થઈ.


બકસરના યુદ્વથી અંગેજોને ક્યા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી ?

Hide | Show

જવાબ : બકસરના યુદ્વથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી.


અંગેજોને દીવાની સત્તા મળતાં બંગાળમાં કઈ શાસનપદ્વતિની શરૂઆત થઈ ?

Hide | Show

જવાબ : અંગેજોને દીવાની સત્તા મળતાં બંગાળમાં દ્વિમુખી શાસનપદ્વતિ ની શરૂઆત થઈ.


ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ, ક્યારે બન્યો ?

Hide | Show

જવાબ : નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઇ. સ. 1773માં વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો.


ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો ? તેનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયો. આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો.


ગવર્નર જનરલ સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી હતી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી.


ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી ? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. એ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી.


કોને ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : વિલિયમ બેન્ટિંકને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે.


કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી.


ક્યા ગવર્નર જનરલે ખાલસાનીતિ અમલમાં મૂકી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલે ડેલહાઉસીએ ખાલસાનીતિ અમલમાં મૂકી.


ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો ?

Hide | Show

જવાબ : ગવર્નર જલારાલ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસાનીતિ વડે અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો.


શીખોને પરાજિત કરી પંજાબ કોણે ખાલસા કર્યું ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ ડેલહાઉસી એ શીખોને પરાજિત કરી પંજાબ ખાલસા કર્યું.


ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી ?

Hide | Show

જવાબ : ભારતમાં રેલવેની શરૂઆત ઇ. સ. 1853માં મુંબઇ અને થાણા વચ્ચે થઈ.


અંગેજોની અન્યાયી મહેસૂલનીતિનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : અંગેજોની અન્યાયી મહેસૂલનીતિએ કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.


ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્વસ્થાને ક્યું સ્થળ હતું ?

Hide | Show

જવાબ : ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્વસ્થાને ઇસ્તંબૂલ (કોન્સ્ટેન્ટિનોપલ) સ્થળ હતું.


ઇ. સ. 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું હતું ?

Hide | Show

જવાબ : ઇ. સ. 1453માં કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું હતું.


પ્રિન્સ હેનરી કોણ હતો ?

Hide | Show

જવાબ : પ્રિન્સ હેનરી પોર્ટુગલનો રાજા હતો.


કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ કોણે કરી ?

Hide | Show

જવાબ : કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કરી હતી.


સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસિકતા કોણે આરંભી ?

Hide | Show

જવાબ : સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસિકતા ક્રિસ્ટોફર કોલંબસે આરંભી હતી.


કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા કોણે કરી ?

Hide | Show

જવાબ : કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા અમેરિગો વેસ્પૂદીએ કરી હતી.


ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો

Hide | Show

જવાબ : ભારત આવવાનો નવો જળમાર્ગ વાસ્કો – દ – ગામાએ શોધ્યો.


વાસ્કો – દ – ગામા ભારતના ક્યા બંદરે આવી પહોંચ્યો ?

Hide | Show

જવાબ : વાસ્કો – દ – ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો.


કાલિકટ રાજાનું નામ શું હતું ?

Hide | Show

જવાબ : કાલિકટ રાજાનું નામ સમુદ્વિક (ઝામોરિન) હતું.


ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી ?

Hide | Show

જવાબ : ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ (ફિરંગી) પ્રજા આવી.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કોણે કરી હતી ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈંગ્લેન્ડના વેપારીઓએ કરી હતી.


ઈંગ્લેન્ડના ક્યા શાસકે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો ?

Hide | Show

જવાબ : ઈંગ્લેન્ડના રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સની કપ્તાની હેઠળ સુરત આવ્યું.


ક્યા મુઘલ બાદશાહે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો ?

Hide | Show

જવાબ : જહાંગીર મુઘલ બાદશાહે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો.


બંગાળના નવાબનું નામ શું હતું ?

Hide | Show

જવાબ : બંગાળના નવાબનું નામ સિરાજ – ઉદ્દ – દૌલા હતું.


કોની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું ?

Hide | Show

જવાબ : રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું.


નવાબ સિરાજ – ઉદ્દ – દૌલાનો સેનાપતિ કોણ હતો ?

Hide | Show

જવાબ : નવાબ સિરાજ – ઉદ્દ – દૌલાનો સેનાપતિ મીરજાફર હતો.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડીને મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો હતો.


ઇ. સ. 1773માં અંગ્રેજ સરકારે ક્યો ધારો પસાર કર્યો ?

Hide | Show

જવાબ : ઇ. સ. 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો.


નિયામક ધારા મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું ?

Hide | Show

જવાબ : નિયામક ધારા મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો.


મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું ?

Hide | Show

જવાબ : મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતો હતો.


ગવર્નર જનરલ સર જ્હોન શારે કઈ નીતિ અપનાવી હતી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ સર જ્હોન શારે તટસ્થતાની નીતિ અપનાવી હતી.


ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી હતી ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કારી હતી.


કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી ?

Hide | Show

જવાબ : સહાયકારી સૈન્યની યોજના મીઠા ઝેર સમાન હતી.


ક્યા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્વ કર્યું હતું ?

Hide | Show

જવાબ : વોરન હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્વ કર્યું હતું.


ક્યો ગવર્નર જનરલ ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : વિલિયમ બેન્ટિંગ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે.


ક્યો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો ?

Hide | Show

જવાબ : ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો.


ક્યો ગવર્નર જનરલે ‘જીત, જપ્તી અને ખાલસા’ નીતિ અપનાવી હતી ?

Hide | Show

જવાબ : ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી.


ક્યો ગવર્નર જનરલના સમયમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાર – વ્યવહાર શરૂ થયો ?

Hide | Show

જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાર – વ્યવહાર શરૂ થયો.


ક્યો ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ ?

Hide | Show

જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ.


ક્યો ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ ?

Hide | Show

જવાબ : ડેલહાઉસીના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ.


કઈ શાસનપદ્વતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ ?

Hide | Show

જવાબ : દ્વિમુખી શાસનપદ્વતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.


કંપનીની કઈ નીતિના પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો ?

Hide | Show

જવાબ : કંપનીની અન્યાયી મહેસૂલનીતિના પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો.


અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ કોની સાથે કર્યો ?

Hide | Show

જવાબ : અંગ્રેજોએ ત્રીજો મહેસૂલ વિગ્રહ ટીપુ સુલતાનની સાથે કર્યો.


કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ?

Hide | Show

જવાબ : મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો.


કોની ભલામણથી મુંબઇ, મદ્વાસ (ચેન્નઈ) અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ?

Hide | Show

જવાબ : ચાલર્સ વુડની ભલામણથી મુંબઇ, મદ્વાસ (ચેન્નઈ) અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.


ભારતમાં અંગેજી જાણનાર વર્ગે કંપની સરકાર સમક્ષ શી માંગણીઓ કરી ?

Hide | Show

જવાબ : ભારતમાં અંગેજી જાણનાર વર્ગે કંપની સરકાર સમક્ષ સુધારાવાદીની માંગણીઓ કરી.


કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો લખો. અથવા કંપનીના શાસનની ભારત પર કઈ કઈ આર્થિક અસરો થઈ હતી ?

Hide | Show

જવાબ : કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે મુજબ છે :

  • ભારતદેશ છેલ્લાં 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો.
  • બ્રિટિશ કંપનીનાં 100 વર્ષના શાસનકાળમાં ભારતદેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો.
  • ઇ.સ. 1708થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઈવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસનપદ્વતિ ને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો.
  • પ્રાચીન સમયમાં ભારતનાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં. અંગેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યાં.
  • અંગેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલનીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા.
  • ખેતી પડી ભાંગતાં તેની માઠી અસર દેશના વેપાર – વાણિજ્ય પર થઈ.
  • અંગ્રેજ સરકારે ઈંગ્લેન્ડના કાપડ ઉધોગને વિકસાવવા ભારતના કાપડ ઉધોગ પર અન્યાયી જકાત આપી.
  • ભારતના હુન્નર ઉધોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીતરસમો અપનાવી. પરિણામે ભારતના ઉધોગ – ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા.
  • કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇન્કાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા.
  • કંપનીની જોહુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉધોગ નાશ પામ્યો.
  • આમ, કંપની શાસનની ભારતની ખેતી, ગૃહઉધોગો અને વેપાર – ધંધા પર વિનાશક અસર થઈ.


કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો લખો. અથવા કંપનીના શાસનની ભારતીય સમાજ પર કઈ કઈ અસરો થઈ હતી ?

Hide | Show

જવાબ : કંપની શાસનની ભારત પર પડેલી સામાજિક અસરો નીચે મુજબ છે:

  • અંગેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચારસ્વાતંત્રની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન – પ્રદાન શક્ય બન્યું.
  • 18મી – 19મી સદી દરમિયાન ભારતમાં સતીપ્રથા, જન્મતાંવેંત દીકરીને દૂધ પીતી કરવી (મારી નાખવી), બાળલગ્ન, વિધવાવિવાહની મનાઈ, દહેજપ્રથા વગેરે સામાજિક કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજસુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા.
  • ભારતમાં શિક્ષણક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઇ.સ. 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ હતી.
  • ચાલર્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
  • ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહનરાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજસુધારકો થયા. એ સમાજસુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો.
આમ, કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી.


યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતનાં મરી – મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઇ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી – મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની શોધવાની ફરજ પડી.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ક્યા ક્યા વેપારીમથકો સ્થાપ્યા (કોઠીઓ સ્થાપી) ?

Hide | Show

જવાબ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારીમથક ઇ.સ. 1613માં સુરતમાં સ્થાપ્યું. ઇ.સ. 1613થી ઇ.સ. 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરુચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારીમથકની શાખાઓ સ્થાયી. ત્યારપછી તેમણે માછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ), ફોર્ટ વિલિયમ (હુગલી, કોલકત્તા) વગેરે સ્થળોએ પોતાનાં વેપારીમથકો સ્થાપ્યા તેમજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું.


પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી લખો. અથવા પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ? શા માટે ? આ યુદ્ધનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : પ્લાસીનું યુદ્ધ ઇ.સ. 1775માં બંગાળના નવાબ સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું.

        ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારીમથક ફોર્ટ વિલિયમ (કોલકત્તા)ની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ – ઉદ્દ – દૌલા અંગેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતાં ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ – ઉદ્દ – દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ – ઉદ્દ – દૌલાને હરાવવા કાવતરું પડ્યું. રોબર્ટ ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યારપછી રોબર્ટ ક્લાઈવે, બંગાળનો નવાબ અંગેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઇ.સ. 1757માં યુદ્વ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ – ઉદ્દ – દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્વમાં અંગ્રેજોની જીત થઈ.

        મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ, ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.


વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી ? અથવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી ? તેની મુખ્ય શરતો શી હતી ?

Hide | Show

જવાબ : ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી.

આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી :

        (1) આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. (2) તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઊપજને પ્રદેશ અંગ્રેજોને આપવો. (3) તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહિ. (4) તેણે સહકારી યોજનાના અમલ માટે રાજ્યદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ (રેસિડન્ટ) રાખવો પડશે. (5) તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહિ.


ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત ક્યા ક્યા રાજ્યો ખાલસા કર્યા ? અથવા ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર શી રીતે કર્યો ?

Hide | Show

જવાબ : ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા :

  • તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું.
  • તેણે મ્યાનમાર (બર્મા) ના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો.
  • તેણે સાતારા, જેતપુર, સંબલપુર, ઉદેપુર (મધ્ય પ્રદેશ), ઝાંસી, બધાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમનાં રાજ્યો ખાલસા કર્યા.
  • રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું.
  • નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો.
  • નામમાત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યા.
       આમ, ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા વડે ભારતનાં અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો.


ડેલહાઉસીએ ક્યા ક્યા સુધારાવાદી કાર્યો કર્યા ? અથવા કારણો આપો : ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. અથવા ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે.

Hide | Show

જવાબ : ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે આપેલ મુજબ છે :

  • ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી.
  • તેના સમયમાં ઇ.સ. 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો.
  • તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી હતી. તેના સમયમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે તારવ્યવહાર શરૂ થયો.
  • તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી.
  • તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા – પુન:લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો.
  • તેણે જાહેર બંધકામ ખાતાની શરૂઆત કરી.
  • તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા.​​​​​​​
  • ડેલહાઉસીએ કરેલા ઉપરના સુધારાઓ પરથી એમ કહી શકાય કે, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

ઈતિહાસ

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.