જવાબ : 10 જાન્યુઆરી, 1920ના દિવસે રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સંસ્થાની સ્થાપના થઈ હતી.
જવાબ : અમેરિકાના વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું.
જવાબ : લેનિને કરેલી ક્રાંતિ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ છે.
જવાબ : નવેમ્બર, 1917માં રશિયામાં લેનિને ક્રાંતિ કરી હતી.
જવાબ : લેનિને કાર્લ માર્કસની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.
જવાબ : લેનિન કાર્લ માર્કસની વિચારસરણીમાં માનતો હતો.
જવાબ : ઝારશાહીના પતન બાદ રશિયામાં મેન્શેવિક પક્ષ (લઘુમતી) ના હાથમાં સત્તા આવી.
જવાબ : ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળા મેન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી હતી.
જવાબ : રશિયાની ધારાસભા ડુમા (DUMA) નામે ઓળખાતી હતી.
જવાબ : નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ.
જવાબ : ઇ.સ. 1904 – 05માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં રશિયાની હાર થઈ.
જવાબ : રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ઇતિહાસમાં લોહિયાળ રવિવાર નામે ઓળખાય છે.
જવાબ : ફાધર ગેપોન પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પહોંચ્યું.
જવાબ : રશિયાની રાજાશાહી અનિયંત્રિત અને અત્યાચારી હતી.
જવાબ : રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવવા હતા.
જવાબ : બોલ્શેવિક ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્વની ઘટના ગણાય છે.
જવાબ : અમેરિકા મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું.
જવાબ : જર્મનીએ તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ કરવામાં આવી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્રરાષ્ટ્રોએ પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ સ્ત્રીમતાધિકારની માગણી કરી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં સમાનતાની લાગણી જન્મી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ લ્યુસિટાનિયાને અમેરિકન સ્ટીમર ડુબાડી દીધો હતી.
જવાબ : બોલ્શેવિક ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા.
જવાબ : ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની બ્લેક હેન્ડ સંસ્થાના સભ્યે કરી હતી.
જવાબ : નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું.
જવાબ : યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું.
જવાબ : જર્મન સમ્રાટ વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો.
જવાબ : જર્મન સમ્રાટ વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
જવાબ : યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું.
જવાબ : ઔધોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી હતી.
જવાબ : ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેલ્સ નામના પ્રદેશો ગુમાવ્યા હતા.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયાં હતા.
જવાબ : આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે.
જવાબ : રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો ઈટાલીએ કબજે કર્યા હતા.
જવાબ : ઉત્તર આફ્રિકાના આલ્જિરિયામાં ફ્રાન્સે વેપારી મથક સ્થાપ્યું.
જવાબ : પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું.
જવાબ : પશ્ચિમ એશિયાના રણવિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે ખનીજ તેલ બાબતે આકર્ષી.
જવાબ : અફીણના વેપારને કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં.
જવાબ : છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો સ્પેન પાસે રહ્યો હતો.
જવાબ : એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો મુખ્ય હતા.
જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે નીકળેલા એક વિશાળ નિ:શસ્ત્ર લોકોના સરઘસ પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા, જેથી સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી ગઈ. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું.
જવાબ : 19 મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા.
જવાબ : જર્મનીએ અમેરિકાની ક્યુસિટાનિયા નામની સ્ટીમરને ડુબાડી દીધી હતી. તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા.
જવાબ : ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી વડે શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ હતી.
જવાબ : જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની હાર થઈ.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં દરમિયાન રશિયામાં ક્રાંતિ શરૂ થઈ.
જવાબ : સેડાનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો.
જવાબ : ઔધોગિક ક્રાંતિને કારણે કાચા માલની અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાયો હતો.
જવાબ : ઈંગ્લેન્ડે ચીનમાં અફીણનો વેપાર શરૂ કર્યો હતો.
જવાબ : પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.
જવાબ : ઇ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પેરિસ શાંતિ સંમેલન’ તરીકે જાણીતી બની. તેમાં 58 જેટલાં કમિશનો રચાયા હતા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ (મિરર પેલેસ) માં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખાઈ હતી.
જવાબ : લેનિન માર્કસવાદી વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્શેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિક (બહુમતી) ને મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી ‘બોલ્શેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી થઈ હતી.
જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિ:શસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં ‘ અફીણ વિગ્રહો’ તરીકે ઓળખાય છે. તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઈંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો.
જવાબ : ‘બ્લેક હેન્ડ’ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરેલી હતી. આ બનાવ પાછળ સર્બિયાનો હાથ હોવાથી ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું.
જવાબ : રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વશાંતિની જરૂર જણાઈ. તેથી જગતમાં વિશ્વશાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વનાં રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા ‘રાષ્ટ્રસંઘ’ (The League of Nations – લીગ ઓફ નેશન્સ) ની સ્થાપના કરી.
જવાબ : સંધિ એટલે સુલેહ. વિશ્વના બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય. યુદ્ધને અંતે એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય. પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલેહ કરવી પડે તેને ‘સંધિ’ કહેવામાં આવે છે. સંધિમાં પરાજિત દેશને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે.
જવાબ : રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને ‘સામ્રાજ્યવાદ’ કહેવાય. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃધ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે. તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે.
જવાબ : એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ; અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે જર્મનીના જુદાજુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. એટલે કે જર્મનીનું એકીકરણ કર્યું હતું.
જવાબ : રશિયન ક્રાંતિને ઇ.સ. 1917ની સમાજવાદી ‘બોલ્શેવિક ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સ્થાપના 10 જાન્યુઆરી, 1920ના દિવસે કરવામાં આવી હતી.
જવાબ : રાષ્ટ્રસંઘની સ્થાપવામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું.
જવાબ : લેનિન કાર્લ માર્કસની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.
જવાબ : રશિયામાં ઝારશાહીના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્શેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી.
જવાબ : જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે વર્ષોથી નહિ બોલાવેલી ડુમા (DUMA – ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી.
જવાબ : ઇ.સ. 1904 - 05માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ.
જવાબ : 22 જાન્યુઆરી, 1905નો દિવસ રશિયામાં ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખાય છે.
જવાબ : રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે, જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતો અથવા તેને સાઇબીરિયાના કાતિલ ઠંડા પ્રદેશમાં મોકલવાની સજા કરવામાં આવી.
જવાબ : રશિયાના ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા.
જવાબ : દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાંથી સર્જાયું એમ કહી શકાય.
જવાબ : વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાનો રૂહર પ્રાંત ફ્રાન્સને આપવો પડ્યો.
જવાબ : વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું.
જવાબ : વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટનના વડા પ્રધાન લોર્ડ જ્યોર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી બજાવી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન – જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ.
જવાબ : 11 નવેમ્બર, 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય થયો.
જવાબ : 11 નવેમ્બર, 1918ના રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
જવાબ : અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે રાષ્ટ્રો મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરીરાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો.
જવાબ : સર્બિયા ‘બ્લેક હેન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી.
જવાબ : નીત્સે નામના લેખકે યુદ્ધને ‘પવિત્ર કાર્ય’ ગણાવ્યું હતું.
જવાબ : ટ્રિટસ્કે નામના જર્મન લેખકે આ સિધ્ધાંતો પ્રચલિત કર્યા હતા : ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ અને ‘યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’
જવાબ : યુરોપમાં ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ની નીતિ પ્રબળ બની હતી.
જવાબ : જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી હતો. તે ‘વિશ્વપ્રભુત્વ’ ની નીતિમાં માનતો હતો.
જવાબ : જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
જવાબ : યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું : (1) જર્મની પ્રેરિત જૂથ : આમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કી વગેરે રાષ્ટ્રો હતાં. (2) ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ : આમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતાં.
જવાબ : 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા.
જવાબ : ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.
જવાબ : ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું.
જવાબ : જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી.
જવાબ : 1 ઓગસ્ટ, 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
જવાબ : જર્મની અને ઈટાલીનું એકીકરણ થવાથી જર્મનીએ ઔધોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાની કરણની હરીફાઈમાં ઝંપલાવ્યું.
જવાબ : યુરોપના જર્મની અને ઈટાલીએ એકીકરણ સાધ્યું.
જવાબ : ઇ.સ. 1884 – 85માં જર્મનીમાં બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી. એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લીધા.
જવાબ : ઈટાલીએ આફ્રિકામાં રાતા સમૃદ્વની આસપાસના પ્રદેશો કબજે કર્યા.
જવાબ : ફ્રાન્સે આફ્રિકામાં ટ્યૂનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી.
જવાબ : ઇંગ્લેન્ડે આફ્રિકામાં ઈજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો, દક્ષિણ આફ્રિકાના દેશો, નાતાલ અને ટ્રાન્સવાલમાં પોતાનાં મથકો સ્થાપ્યા.
જવાબ : 15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાના કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં પોતાનાં વેપારીમથકો સ્થાપ્યા હતાં.
જવાબ : કૉંગોમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે સત્તા સ્થાપી.
જવાબ : 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ દક્ષિણ આફ્રિકામાં સંસ્થાન સ્થાપ્યું હતું.
જવાબ : પશ્ચિમ એશિયાના ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો છે.
જવાબ : ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં, એ યુદ્ધો ઇતિહાસમાં ‘અફીણ વિગ્રહો’ તરીકે જાણીતાં થયાં.
જવાબ : સ્પેને નેધરન્લેડ્સ, બેલ્જિયમ, લકઝરમર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી.
જવાબ : એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો મુખ્ય હતાં.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપતિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વશાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝગડાઓ વાટાઘાટો કે લવાદી વડે શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ, 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી, 1920ના રોજ રાષ્ટ્રસંઘ (લોગ ઓફ નેશન્સ) ની સ્થાપના કરવામાં આવી.
જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિ:શસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રીમતાધિકાર માટેનાં આંદોલનો થયાં. આમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની.
જવાબ : 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.
જવાબ : જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઇ. સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાદી સંઘિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેનાં સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. ફ્રાન્સની સીમાએ આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી.
જવાબ : આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાઓ : 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ્સ (હોલેન્ડ) નાં ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.
જવાબ : રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો (હેતુઓ) નીચે આપ્યા મુજબ હતા :
(1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. (2) દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. (3) દરેક રાષ્ટ્રે યુદ્ધનીતિનો ત્યાગ કરવો. (4) આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. (5) આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો વડે કે મધ્યસ્થી વડે શાંતિથી ઉકેલ લાવવો. (6) જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને ‘બળવાખોર’ રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘનાં બધાં રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. (7) ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધનાં મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધાં સભ્યરાષ્ટ્રોએ પ્રયત્નો કરવા.જવાબ : ઇ.સ. 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે.
જવાબ : દૂરગામી પરિણામો : યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં.
જવાબ : જૂન, 1919ની વર્સેલ્સની સંધિ : ઇ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પેરિસ શાંતિ’ તરીકે પ્રસિદ્ધ બની.
જવાબ : 1 ઓગસ્ટ, 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.
જવાબ : 1 ઓગસ્ટ, 1914નાં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બરે, 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરીરાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.
પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો નીચે મુજબ હતાં : 1. જાનમાલની હાનિ : ઇતિહાસવિદ લેગસમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. 2. સામાજિક પરીવર્તન : વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીયન દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી.જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતા :
1. આર્થિક પરિબળ : ઔધોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપથી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી.જવાબ : 1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલાં સંસ્થાનો : પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રે સામ્રાજ્યવાદી ભાવના ધરાવતાં હતાં. તેમણે તેમનાં પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી.
ઈતિહાસ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.