GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પરિવહન એટલે શું? તે સમજાવો.

Hide | Show

જવાબ : એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહે છે. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય. દેશ અને પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવારનો મહત્વનો ફાળો હોય છે. પરિવહન થી વસ્તુઓ અને માનવની આવન-જાવન પ્રવૃત્તિ થઇ શકે છે. પરિવહન થી દૂરના પ્રદેશોને એકબીજાથી સાંકળી શકાય છે. રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથીજ શક્ય બને છે.


સંદેશા વ્યવહારની ઉપયોગીતા સમજાવો.

Hide | Show

જવાબ : આજના ડીજીટલ યુગ કરતા પહેલા ના સમયમા સંદેશા વ્યવહારના માધ્યમો નબળા અને થોડાક હતા. પરિણામે લોકો લોકો વચ્ચેનો સંપર્ક બહુ ઓછો રહેતો. આજે તો લોકો સંદેશાની આપ-લે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ટપાલ, ટેલીફોન, મોબાઇલ, ફોન, અને ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ સંદેશાવ્યવહારમાં વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે. વધુમાં ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે ઉપગ્રહ તરતા મૂક્યા છે. પરિણામે દૂરસંચાર સેવા માં ખૂબ સુધારો થઈ ગયો છે. સંદેશાની વ્યવહારમાં ખૂબ અગત્યતા છે.


વ્યાપાર પ્રવૃત્તિની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : વ્યાપાર પ્રવૃત્તિને ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. વ્યાપાર દ્વારા ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળતો હોય છે. વિશ્વમાં કોઇપણ રાષ્ટ્રીય સંપૂર્ણપણે સ્વાવલંબી હોતો નથી. તેને બીજા રાષ્ટ્રો સાથે અદલા બદલીને વ્યવહાર કરવો પડે છે જે વ્યાપાર નો એક પ્રકાર છેજેવી રીતે આપણા દેશની કૃષિ પેદાશો આપણે મધ્ય પૂર્વના દેશોમાં આપીએ છીએ અને ત્યાંથી ખજૂર તથા ખનિજતેલ આયાત કરીએ છીએ વગેરેને વેપાર કહી શકાય છે.


દેશમાં થી લેન વાળા વિના અવરોધે વાહનો ચલાવી શકાય તેવા માર્ગોને કયા નામથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : એક્સપ્રેસ હાઈવે


દેશ નું સંરક્ષણ પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ કામ અને બરફ હટાવવા ના કામો દેશમાં કોણ કરે છે?

Hide | Show

જવાબ : સરહદ માર્ગ સંસ્થાન.


કઈ યોજના અન્વયે ગ્રામીણ બાળકો નું નિર્માણ કામગીરી થાય છે?

Hide | Show

જવાબ : પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના.


ગામડાઓ અને નાના શહેરોને જિલ્લા મથક સાથે જોડવામાં કયો માર્ગ મહત્વનો છે?

Hide | Show

જવાબ : જિલ્લા માર્ગ.


દેશમાં વેપાર અને ઉદ્યોગ માટે કયા માર્ગો નું મહત્વ વધુ છે?

Hide | Show

જવાબ : રાજ્ય ધોરી માર્ગ


વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ-બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં કેવા માર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે?

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય ધોરીમાર્ગો.


જન સંખ્યા ના આધારે ચંદીગઢ, પોંડિચેરી, દિલ્હી, ગોવા, વગેરે રાજ્યોમાં કેવી પ્રકારના માર્ગોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે?

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ.


ગુજરાતમાંથી પસાર થતા ૨૭, ૪૧, ૪૭, ૪૮, ૧૪૧, ૧૪૭નંબરના કયા માર્ગો પસાર થાય છે?

Hide | Show

જવાબ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ.


ભારતના નિકાસ વ્યાપારની સમજ આપો.

Hide | Show

જવાબ : ભારત આપણે ત્યાં બનતી વસ્તુઓ મોંઘી ના પડે તે માટે ઉત્પાદનના અમુક ભાગના નિકાસની છૂટ આપે છે. આપણે કાચા માલની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓને આપણે પુનઃવિકાસ પણ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચુ લોખંડ અને ખનીજ ઇજનેરી સમાજ જેવા કે સાયકલ, પંખા, સિલાઈ-મશીન, રેલવેના ડબ્બા, તથા કોમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં ભારત રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ રત્ન આભૂષણો, ચામડું અને ચામડા નો સમાન, માછલી, સુતરાઉ કાપડ, તથા તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા-કોફી, શણની ચીજવસ્તુઓ તથા સિવેલા કપડાંઓની પણ નિકાસ કરે છે.


ભારતના આયાત વ્યાપાર ની સમજ આપો.

Hide | Show

જવાબ : ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ અને પોલાદ ઉત્પન્ન થતું નથી માટે ભારત તેની આયાત કરે છે. ભારત તાંબાની પણ વિદેશમાંથી આયાત કરે છે. વધુમાં ભારત પેટ્રોલિયમ, ખનીજ તેલ, અને લુબ્રિકન્ટ પદાર્થોની આયાત કરે છે. કારણકે પરિવહન અને ઔદ્યોગિક મશીનો માટે તે ઉપયોગી અને આવશ્યક છે. ભારત મશીનો, મોતી, કીમતી પથ્થરો, અને ખાદ્ય તેલોની પણ આયાત કરે છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપાર યુ.એસ.., જર્મની, રશિયા, મ્યાનમાર, ઇરાન, સાથે આયાત માટેનો છે.


ભારતની આંતરિક વ્યાપાર વ્યવસ્થાની સમજ આપો.

Hide | Show

જવાબ : ભારત ફળદ્રુપ મેદાની પ્રદેશો કિનારાના મેદાની પ્રદેશો તથા રણપ્રદેશો  જેવો વિવિધ ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે. પરિણામે દરેક પ્રદેશોમાં કૃષિપેદાશો તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતની આંતરિક વ્યાપાર વ્યવસ્થા ઉપરોક્ત પરિબળોને કારણે નીચે પ્રમાણે સમજી શકાય.

  • એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. તથા બીજા રાજ્યના ઉત્પાદનોનું આયાત કરવામાં આવે છે.
  • પંજાબમાં ઘઉં વધારે પાકે છે માટે તે ઘઉંને બીજા રાજ્યોમાં મોકલે છે. તથા પંજાબમાં દરિયાકિનારો હોવાથી મીઠા જેવા ઉત્પાદનો ગુજરાત માંથી મંગાવે છે.
  • પ્રમાણે દરેક રાજ્ય પોતાના ઉત્પાદનો બીજા રાજ્યોમાં આપે છે અને ત્યાંથી જરૂરી ઉત્પાદનોની આયાત કરે છે. આને આંતરિક વ્યાપાર કહેવાય છે. જેનો ભારતમાં ખૂબ પ્રમાણમાં વિકાસ થયો છે.


ભારતની ઉપગ્રહ સંચાર ની માહિતી આપો.

Hide | Show

જવાબ : કૃત્રિમ ઉપગ્રહ પોતાની સંચાર આવડતો હોય છે. પરંતુ તે સાથે સાથે અન્ય સંચાર સાધનોનું  નિયમન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ  ( INSA ) પ્રણાલી બહુહેતુક પ્રણાલી ધરાવે છે. તથા તે દૂર સંચાર, હવામાન, તથા ચક્રવાત, વાવાઝોડા, જેવી આફતો ની ચેતવણી આપવામાં અને બચાવ કામગીરી તથા બીજી ઉપયોગી પ્રસારણમાં મહત્વની સાબિત થઇ રહી છે.       ઉપરાંત ભારતીય દુરસ્ત સંવેદન ( IRS ) પદ્ધતિ ના ઉપગ્રહ પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ( PSLV ) પણ વિકાસ કર્યો છે. આમ ભારત પણ ઉપગ્રહ સેવા સંસારમાં દુનિયા સાથે કદમ મિલાવી ચાલી રહ્યું છે.


ભારતના રજ્જુમાર્ગ ની વિગતો આપો.

Hide | Show

જવાબ : પહાડી વિસ્તારોમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વતના શિખરો સાથે રજ્જુમાર્ગ ( રોપ વે ) થી એકબીજાને જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે ૧૦૦ જેટલા રજ્જુમાર્ગો આવેલા છે. ઉત્તર ભારતમાં દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતમાં ચેન્નઈ, મલાઇના પર્વતીય વિસ્તારોમાં આવેલા છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રોપ વે સેવાઓ ઉપલબ્ધ છે. જૂનાગઢમાં ગિરનાર માં પણ રજ્જુમાર્ગ આવેલો છે.


પાઇપલાઇન દ્વારા થતા પરિવહનની સમજ આપો.

Hide | Show

જવાબ : પાણી, ખનીજતેલ, કુદરતી વાયુ, અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન મારફતે પરિવહન કરવામાં આવે છે.

  • અસમના નાહર - કોટીયાથી નૂનમતી - બરૌની સુધી ખનિજતેલની પાઇપલાઇન આવેલી છે.
  • ગુજરાતમાં કલોલ થી કોયલી અને સલાયા થી મથુરા સુધી વગેરે મુખ્ય પાઈપ લાઈન છે.
  • ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનીજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાંખવામાં આવી છે.
  • ગુજરાતમાં ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઈન મારફતે પરિવર્તન થાય છે.
  • સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી ,જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર, વગેરે શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. વગેરે પાઇપલાઇન મારફતે થતાં પરિવહન ગણી શકાય છે.


પરિવહન માટે જળમાર્ગના વિકલ્પો જણાવો.

Hide | Show

જવાબ : ભારતમાં પ્રાચીન સમયથી જળમાર્ગો પરિવહન થાય છેરેલવે અને સડક માર્ગો જ્યારે અસ્તિત્વમાં હતા ત્યારે જળ માર્ગ પરિવહનનો અગત્યનો વિકલ્પ હતો. જળમાર્ગના પરિવહનમાં તેના નિર્માણ અને સમારકામમાં ખર્ચ થતો નથી તેથી તેની ઉપયોગીતા મહત્વની બની જાય છે. ભારતમાં બે પ્રકારના જળમાર્ગો છે. આંતરિક જળમાર્ગ અને સમુદ્રી જળ માર્ગ તે પૈકી આંતરિક્ષ જળ માર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતના અસમ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાઓ માટે ઉપયોગમાં લેવાય છે.


ભારતના રેલ માર્ગ ની મહત્તા સમજાવો.

Hide | Show

જવાબ : ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ભારતીય રેલવે આપણી અર્થવ્યવસ્થાના ક્ષેત્રે જેવા કે ખેતી ઉદ્યોગ, વ્યાપાર, સેવા, વગેરેના વિકાસમાં અગત્યનો ભાગ ભજવનાર મુખ્ય પરિવહન માધ્યમ છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, દેશમાં સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા, સ્થાપિત કરવા અને તેને જાળવી રાખવામાં તે મુખ્ય ફાળો આપે છે. રેલ માર્ગ માં ભારત નું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે.


મોટા શહેરોની ટ્રાફિક સમસ્યા સમજાવો.

Hide | Show

જવાબ : મોટા શહેરમાં ટ્રાફિક સમસ્યાથી બચવા માટે ઓવરબ્રિજ, બાયપાસ  રોડ, અને શહેરની ફરતે રિંગરોડ બનાવીને રસ્તો કાઢવાના પ્રયાસો થયા છે છતાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. વસતીના પ્રમાણમાં રસ્તાઓ પહોળા થઇ શકતા નથી, વધુમાં રસ્તા પરના દબાણો મોટી સમસ્યા છે. પીકઅવર્સમાં શહેરમાં ટ્રાફિક જામ થઈ જાય છે. વરઘોડા, શોભાયાત્રા, અને સરઘસોના કારણે ટ્રાફિક જામ થાય છે. દિલ્હી જેવા મોટા શહેરોમાં કલાકો સુધી ટ્રાફિક હળવો થતો નથી. પરિણામે પરીક્ષાર્થીઓ, અગત્યના કામે જતા લોકો, વિમાન, રેલવે સ્ટેશનને જતા મુસાફરો, અને તાત્કાલિક સારવાર વાળા દર્દીઓ, મુશ્કેલીમાં મુકાય છે. આમ મોટા શહેરોમાં વધતી વસ્તી અને ટ્રાફિક બંને વિકરાળ સમસ્યા છે.


કંડલા, મુંબઈ, ન્હાવાશેવા, માર્મગોવા, ન્યુમેંગલોર, તથા કોંચી બંદરો ભારતનાં કયા કિનારે આવેલા છે?

Locked Answer

જવાબ : પશ્ચિમ કિનારે


ભારતના દરિયા કિનારા પર નાના બંદરો લગભગ કેટલા આવેલા છે?

Locked Answer

જવાબ : ૨૦૦


ભારતના દરિયા કિનારા પર કેટલા મુખ્ય બંદરો આવેલા છે?

Locked Answer

જવાબ : ૧૩ બંદરો


ભારત દેશને કુલ કેટલો દરિયાકિનારો આવેલો છે?

Locked Answer

જવાબ : ૭૫૧૬ કિ.મી.


રાષ્ટ્રીય જળમાર્ગ જે બ્રહ્માણી નદી પર આવેલો છે તે ગોએનખલી - તાલ્ચેર ની લંબાઈ કેટલી છે?

Locked Answer

જવાબ : ૫૮૮કિ.મી.


રાષ્ટ્રીય જળમાર્ગ જે ગોદાવરી - કૃષ્ણા નદી પર કીકીનાડા -પૉંડિચેરી બચ્ચે આવેલો છે તેની લંબાઈ કેટલી છે?

Locked Answer

જવાબ : ૧૦૭૮ કિ.મી.


ભારતના પશ્ચિમ કિનારાની નહેરનો કોલ્લમ - કટ્ટા પુરમ રાષ્ટ્રીય જળમાર્ગ ની લંબાઈ કેટલા કી.મી. છે?

Locked Answer

જવાબ : ૨૫૦ કિ.મી.


બ્રહ્મપુત્ર નદી પર આવેલા ધુબરી સાદીયા રાષ્ટ્રીય જળમાર્ગ ની લંબાઈ કેટલા કી.મી. છે?

Locked Answer

જવાબ : ૮૯૧કિ.મી.


ગંગા નદી પર આવેલા રાષ્ટ્રીય જળમાર્ગ હલ્દિયા અલ્હાબાદ ની લંબાઈ કેટલી કિ.મી.ની છે?

Locked Answer

જવાબ : ૧૬૨૦ કિ.મી


પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યમાં કયો જળ માર્ગ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે?

Locked Answer

જવાબ : નદી માર્ગ


ઉત્તર પૂર્વ ભારતના અસમ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં કેવા પ્રકારનો જળમાર્ગ વધુ વપરાય છે

Locked Answer

જવાબ : આંતરિક જળમાર્ગ.


હવાઈ માર્ગ રેલ્વે માર્ગને તુલનામાં કયો માર્ગ સસ્તો પડે છે?

Locked Answer

જવાબ : જળ માર્ગ


ભારતમાં પ્રાચીન સમયમાં સડક અને રેલ માર્ગો ન હતા ત્યારે કયા માર્ગ પરિવહન કરવામાં આવતું હતું.

Locked Answer

જવાબ : જળ માર્ગ


ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?

Locked Answer

જવાબ : અમદાવાદ


ભારતના સૌથી લાંબો રેલ માર્ગ પર કયા નામે ટ્રેન દોડે છે?

Locked Answer

જવાબ : વિવેક એક્સપ્રેસ


દિબ્રુગઢ થી કન્યાકુમારી ને જોડતો કયો માર્ગ ભારત દેશનો સૌથી લાંબો માર્ગ છે?

Locked Answer

જવાબ : રેલમાર્ગ.


દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગોનુ નિર્માણ કરી કઈ રાજ્યની રેલવે કામગીરી એ શ્રેષ્ઠ કૌશલ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે?

Locked Answer

જવાબ : કોંકણ રેલવે


ગંગાના મેદાની પ્રદેશોમાં ખેતપેદાશો અને વસતીની ગીચતાને કારણે  કયા પ્રકારના માર્ગો મોટા પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે?

Locked Answer

જવાબ : રેલ માર્ગો.


કોલકાતા દિલ્હી અને જયપુર જેવા મોટા શહેરોમાં કેવા પ્રકારની આધુનિક રેલસેવા ઉપયોગમાં લેવાઇ રહી છે?

Locked Answer

જવાબ : મેટ્રો રેલ.


મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં કયા શહેરોમાં ચાલી રહી છે?

Locked Answer

જવાબ : અમદાવાદ, ગાંધીનગર.


બ્રોડગેજ મીટરગેજ અને નેરોગેજ શેના માધ્યમો છે?

Locked Answer

જવાબ : રેલમાર્ગ.


ભારતમાં કેવા પ્રદેશોમાં રેલ માર્ગો વધુ પથરાયેલા જોવા મળે છે?

Locked Answer

જવાબ : મેદાની પ્રદેશ.


ભારતમાં સૌ પ્રથમ રેલવે દેશમાં કયા વિસ્તારમાં શરૂ થઈ હતી?

Locked Answer

જવાબ : મુંબઈ થી થાણા.


ભારતમાં સૌ પ્રથમ રેલવે કયા વર્ષમાં શરૂ થઈ હતી?

Locked Answer

જવાબ : ઈ.સ. ૧૮૫૩.


રેલ માર્ગ માં વિશ્વભરમાં ભારતનું સ્થાન કેટલામું છે?

Locked Answer

જવાબ : બીજું.


સમગ્ર એશિયા ખંડમાં રેલમાર્ગ ના વિકાસમાં ભારત નું સ્થાન કેટલામું છે?

Hide | Show

જવાબ : પ્રથમ.


ખેતી ઉદ્યોગ વ્યાપાર સેવા વગેરે અર્થવ્યવસ્થાના ઉપયોગી માધ્યમોના વિકાસમાં કયા પ્રકારના પરિવહનનો અધિકતર હિસ્સો છે?

Hide | Show

જવાબ : રેલમાર્ગો  ( ભારતીય રેલવે )


ભારત દેશનું સૌથી મોટું રાષ્ટ્રયુક્ત સંસ્થાન કયું છે?

Hide | Show

જવાબ : રેલસેવા


મોટા શહેરોની ફરતા આસપાસ બાયપાસ રોડ અને રીંગરોડ શાં માટે બનાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : ટ્રાફિક સમસ્યા નિવારણ.


કેવી પ્રકારના માર્ગોના નિર્માણમાં રેલવે ક્રોસિંગ અને ક્રોસ રોડ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : દુત ગતિ માર્ગ માર્ગ ( એક્સપ્રેસ હાઈવે )


ભારતમાં પરીવહનની પદ્ધતિઓને  મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : માનવી ખેતીની શોધ પછી ભટકતું જીવન છોડીને સ્થાયી થવા લાગ્યો. ત્યારે તે જાતેજ વહન કરતો હતો.

  • સમયાંતરે ખેતીમાં ઉપયોગી જાનવરોનો તે બોજવાહક તરીકે ઉપયોગ કરવા લાગ્યો.
  • વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન માટે યાંત્રિક વિવિધ પ્રકારનાં સાધનો વપરાય છે.
  • પરિવહન પ્રવૃત્તિ અને પદ્ધતિમાં સ્થળ, આબોહવા, અને ભૂપૃષ્ઠ, માનવ વસ્તી નું પ્રમાણ, વગેરે બાબતોની અસર થાય છે.
  • મેદાન વાળા વિસ્તારોમાં સડક માર્ગ અને રેલવે દ્વારા પરિવહન થાય છે.
  •  પરિવહનમાં તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, રાજકીય નિર્ણય, વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.
  • હિમાલય જેવા દુર્ગમ અને પર્વતીય વિસ્તારોમાં આજે પણ પશુ અને માનવી નો બોજવાહક તરીકે ઉપયોગ કરાય છે
  • એવરેસ્ટ આરોહણ માં ભોટીયા લોકો જે પર્વતારોહકો છે તેઓ સામાન ઊંચકવાનું કામ કરે છે.
  • પહાડી પ્રદેશોમાં અને જંગલ વિસ્તારોમાં હાથી, ખચ્ચર, ઘોડાનો ઉપયોગ થાય છે.
  •  રણ પ્રદેશોમાં માલવાહક અને અવરજવર માટે ઊંટને શ્રેષ્ઠ બોજવાહક મનાય છે.
  • કઠિયારોઓ  લાકડાનો ભારો ઉચકે તે તથા રેલવે સ્ટેશનના કુલીઓ પણ બોજવાહક છે.
  •  દરિયાકિનારે કે ઊંડી નદીઓમાં જ્યાં બારે માસ પાણી રહે ત્યાં જહાજો અને હોડીઓથી પરિવહન કરવામાં આવે છે. વગેરે વિવિધ પ્રકારો  ગણી શકાય.


ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કરી વિસ્તૃત માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારત દેશમાં કુલ પરિવહનના ૮૩% સાડકો દ્વારા પરિવહન થાય છે. સડકોનું વર્ગીકરણ કરતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય રાજમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ, અને સરહદી માર્ગ ગણી શકાય છે, જે વિગતવાર નીચે પ્રમાણે છે.

  1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ  (National Highway ) :- રાષ્ટ્રીય ધોરીમાર્ગો આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. કેન્દ્ર સરકાર માર્ગ બનાવે છે . માર્ગો રાજ્યની રાજધાનીને મોટા ઔદ્યોગિક તથા વ્યાપારિક શહેરોથી જોડે છેમુખ્ય બંદરોને એકબીજાથી જોડવામાં આવ્યા છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન, જેવા પાડોશી દેશો સાથે પણ સડકો જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે દેશોમાં સૌથી લાંબો છે. તથા વારાણસી થી કન્યાકુમારી સુધી જાય છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના પ્રમાણે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, તથા કોલકાતા, જેવા ચાર મહાનગરોને જોડનારી યોજના છે.

                       ગુજરાતમાંથી ૨૭, ૪૧, ૪૭, ૪૮, ૧૪૧, ૧૪૭ વગેરે નંબરના ધોરીમાર્ગો પસાર થાય છે કેન્દ્ર સરકારે ૨૦૧૧માં માર્ગોને  રાષ્ટ્રીય   ધોરી માર્ગના નંબરમાં મૂક્યા છે. જનસંખ્યા મુજબ ચંદીગઢ, પોંડિચેરી, દિલ્હી, ગોવા, વગેરે રાજ્યોમાં ધોરીમાર્ગોની સંખ્યા વધુ છે. મિજોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, જેવા રાજ્યો તે પછીના ક્રમે આવે છે. વધુ વસ્તીવાળા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ પ્રમાણમાં ઓછી છે.

  1. રાજ્ય ધોરી માર્ગ (State Highway ) :- વ્યાપાર અને ઉદ્યોગો માટે રાજ્યના ધોરીમાર્ગો ખૂબ મહત્વના છે. સડકો રાજ્ય માર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલા છે. માર્ગોની નિર્માણની અને સારસંભાળની જવાબદારી જે તે રાજ્ય સરકારોની છે.
  2. જિલ્લા માર્ગ ( District Roads ) :- માર્ગ ગામડા તથા શહેરને જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે અને તાલુકા મથકોને જિલ્લા સાથે જોડે છે. પહેલાના સડકો કાચી હતી. હવે બધી સડકો પાકી થઈ ગઈ છે. તેની જાળવણી જિલ્લા પંચાયત કરે છે.
  3. ગ્રામીણ માર્ગ ( Village Roads ) :-  સડકોને ગ્રામ પંચાયત સાચવે છે. સડકો ગામડા પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં ખાસ ઉપયોગી નથી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામીણ પરિવહન સુધારવા પ્રયાસો થાય છે. મોટા પાયે કામ શરૂ કરી કાચી સડકો પાકી બનવાની છે.
  4. સરહદી  માર્ગ ( Border Road ) :- સરહદ માર્ગ સંસ્થાન ( Border Road Organization ) ની ૧૯૬૦માં સ્થાપના થઇ છે. દેશના સંરક્ષણ માટે વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ સંસ્થા દ્વારા થાય છે. દુર્ગમ ક્ષેત્રોમાં સડકો નિર્માણનું કામ તેનો નિભાવ અને બરફ હટાવવા જેવા કામો પણ તે કરે છે.
  5. એક્સપ્રેસ ધોરીમાર્ગ ( Express Highway ) :- એક્સપ્રેસ હાઇવેને  દ્રુતગતી માર્ગ કહેવાય છે. ચાર થી લેન વાળા આવા રસ્તા ઉપર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે. આવા રસ્તાઓ પર જ્યાં રેલવે ક્રોસિંગ કે ક્રોસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવેલા છે. અમદાવાદ, વડોદરા, એક્સપ્રેસ હાઈવેનું ઉદાહરણ છે. દેશના બંદરોને પણ રસ્તાઓ જોડે છે. વગેરે...


ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાય મુદ્દાસર જણાવો.

Hide | Show

જવાબ : ટ્રાફિક સમસ્યા દૂર કરવા નીચે મુજબના પ્રયાસો કરી શકાય.

  • વિદ્યાર્થીઓ વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા હોય તો વાહન ચલાવીને પોતાનું યોગદાન આપી શકે છે.
  • અનિવાર્ય સંજોગો સિવાય બિનજરૂરી ઓવરટેક કરો.
  • સાયકલ, સ્કૂટર, જેવા દ્વિચક્રી વાહનો રસ્તાની ડાબી બાજુએજ ચલાવો.
  • ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ અને વાત કરવાનું હંમેશા ટાળો.
  • ૧૦૮ તથા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ ના વાહનોને પહેલાં પસાર થવાદો.
  • બીનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ કરો. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો.
  • સાવ નજીકના સ્થળોએ ચાલીને કે સાયકલથી જાવ. વગેરે પ્રયાસો કરી શકાય.


ભારતમાં રેલવેતંત્રની વિકાસગાથા અંગે જણાવો. અથવા ભારતીય રેલવે વિશે વિસ્તૃત માહિતી આપો.

Hide | Show

જવાબ : ભારતમાં સૌ પ્રથમ રેલવે ૧૮૫૩માં મુંબઈ થી થાણા વચ્ચે શરૂ થઈ હતી.

  • ભારતમાં બ્રોડગેજ મીટરગેજ અને નેરોગેજ એવા ત્રણ પ્રકારના રેલમાર્ગ જોવા મળે છે.
  • વર્તમાન સમયમાં મીટરગેજ અને નેરોગેજ લાઈનોને બ્રોડગેજમાં મોટે ભાગે પરિવર્તિત કરવામાં આવી છે.
  •  જુદા જુદા ગેજના રેલમાર્ગોને કારણે મુસાફરીમાં અને માલની હેરાફેરીમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. લગભગ બધી લાઈનો બ્રોડગેજમાં રૂપાંતરીત કરીને ભારતીય રેલવેતંત્ર   મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
  • ભારતીના જે રાજ્યોમાં મેદાની પ્રદેશો, વસ્તી, ઉદ્યોગિક વિકાસ, સઘન ખેતી, ખનીજ સમૃદ્ધ ક્ષેત્રો, છે ત્યાં રેલ માર્ગો વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે.
  • ગંગાના મેદાની પ્રદેશોમાં ખેતપેદાશો અને વસ્તી ગીચતા ના કારણે રેલ માર્ગ મોટા પ્રમાણમાં વિસ્તરેલો જોવા મળે છે.
  • કલકત્તા, જયપુર, દિલ્હી, જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ જેવી વૈભવી રેલવે સર્વિસ જોવા મળે છે.
  • ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે જે અમદાવાદ શહેરને સંપૂર્ણપણે આવરી લેવાની છે.
  • રેલવે માલસામાન અને મુસાફરો માટે તથા દુકાળના સમયે અનાજ તથા ઘાસચારાના ઝડપી હેરફેર માટે પણ ખુબ ઉપયોગી બને છે. સંરક્ષણની દ્રષ્ટિએ રેલવે સૈનિકો અને હથિયારોની હેરાફેરીનું મોટું અને ઝડપી પરિબળ છે.
  •  કોંકણ પ્રદેશની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું ઉદાહરણ સાબિત કર્યું છે.
  •  સમય, સુરક્ષા, અને સુવિધા માટે ભારતીય રેલ  સેવા ઉત્તમ ગણાય છે. તથા ખૂબજ ઝડપથી તેનું આધુનિકરણ થઈ રહ્યું છે.
  • દિબૃગઢથી  કન્યાકુમારી ને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તેનો વિવેકએક્સપ્રેસ નામે ટ્રેન સેવામાં ઉપયોગમાં થાય છે.
  • ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે.
  • ગુજરાતમાં મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ, વગેરે મહત્વના જકંશન ગણાતા રેલવે સ્ટેશનો  છે. વગેરે ભારતીય રેલવેની યશગાથા ગણી શકાય.


ભારતમાં નદી નહેર પરિવહનની ઉપયોગીતા સમજાવો અથવા ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોનો  મુદ્દાસર પરિચય આપો.

Hide | Show

જવાબ : નદીઓના જળમાર્ગોની ઉપયોગિતામાં પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, તથા બિહાર રાજ્યો મહત્વના છે. કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા મોટા વહાણોનો સમાવેશ થાય છે. આંતરિક જળપરિવહનની મહત્તા જાળવવા અને તેની ઉપયોગીતા જોતા સરકારે તે માર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ નો દરજ્જો આપ્યો છે. તે જળમાર્ગો નીચે મુજબના છે.

  • રાષ્ટ્રીય જળમાર્ગ   ગંગા નદી - હલ્દિયા, અલ્હાબાદ ૧૬૨૦કી.મી.
  • રાષ્ટ્રીય જળમાર્ગ બ્રહ્મપુત્ર નદી - ધુબરી -સાદિયા ૮૯૧ કી.મી.
  • રાષ્ટ્રીય જળમાર્ગ પશ્ચિમ કિનારાની નહેર - કોલ્લમ - કટ્ટાપૂરમ ૨૫૦ કી.મી.
  • રાષ્ટ્રીય જળમાર્ગ ગોદાવરી - કૃષ્ણા નદી, કાડિનાડાપૉંડિચેરી ૧૦૭૮ કી.મી.
  • રાષ્ટ્રીય જળમાર્ગ બ્રહ્માણી નદી, ગોએનખલીતાલ્ચેર ૫૮૮ કી.મી.
     ઉપરોક્ત જળમાર્ગો નદી નહેર પરિવહન માટેના જળમાર્ગો છે.


ભારતમાં પરિવહન માટેના દરિયાઈ માર્ગો ની માહિતી આપો.

Locked Answer

જવાબ : ભારતના દરિયાઈ માર્ગોની વિસ્તૃત જાણકારી નીચે મુજબ છે.

  • ભારતને લગભગ ૭૫૧૬ કીલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે.
  • આટલા લાંબા દરિયાઈ માર્ગ પર મુખ્ય બંદરો અને ૨૦૦ જેટલા નાના બંદરો આવેલા છે. શિપિંગ  કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબજ વિકાસ થયો છે.
  • કંડલા, મુંબઈ, ન્હાવાશેવા, માર્માગોવા, ન્યુમેંગલોર, કોંચી, પશ્ચિમ કિનારે આવેલા બંદરો છે અને કોલકાતા હલ્દીયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચન્નાઈ, તુતીકોરીન, જેવા પૂર્વ કિનારા ના મુખ્ય અને પ્રમુખ બંદરો છે.
  • ગુજરાતને ૧૬૦૦ કી.મી. લાંબો દરિયો કિનારો મળ્યો છે.
  • ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. ભાવનગર ઓટોમેટીક લોક ગેઈટ ધરાવતું એકમાત્ર બંદર છે. જ્યારે પોરબંદર બારેમાસ ખુલ્લુ રહેતુ બંદર છે.
  • ગુજરાતમાં વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખીમુંદ્રા, પોશિત્રા, ઓખા અને હજીરા જેવા મહત્વના બંદરો આવેલા છે. હાલમાં પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કુલ ૪૩ બંદરો છે.


ભારતના પરિવહનના હવાઈ માર્ગોની મુદ્દાસર સમજ આપો.

Locked Answer

જવાબ : પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પદ્ધતિ છે. પરંતુ તે વધુ ખર્ચાળ પરિવહન છે. હવાઈ પરિવહનની માહિતી નીચે મુજબ આપી શકાય.

  • દૂરના સ્થાનો દુર્ગમ અને ગીચ જંગલના વિસ્તારો પર્વતીય વિસ્તારો કે જ્યાં સડક માર્ગે પહોંચી શકાતું હોય ત્યાં મોટેભાગે હવાઇ માર્ગનો ઉપયોગ થાય છે.
  • ભારતમાં લગભગ ૧૨ માસ હવાઈ ઉડયનને અનુકૂળ વાતાવરણ જળવાય છે. માટે વર્તમાન સમયમાં હવાઇ માર્ગનો વપરાશ વધી રહ્યો છે.
  • ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલાહાબાદથી નૈની સુધી શરૂ કરાઈ હતી. પાછળથી સેવા ખાનગી કંપની ચલાવતી હતી.
  • ભારતમાં આજે એરઈન્ડિયા કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહન ની સેવાઓ પૂરી પાડી રહી છે.
  • ભારતમાં "ભારતીય વિમાન મથક સત્તા મંડળ" દ્વારા આંતરરાષ્ટ્રીય, ઘરેલુ હવાઇમથકો, નાગરિક વિમાન ટર્મિનલ હવાઇમથકો નું વ્યવસ્થાપન કરી રહ્યું છે.
  • દેશમાં કોલકાતા, મુંબઇ, ચેન્નાઇ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, તથા અમદાવાદ જેવા ૧૫ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો આવેલા છે.
  • પવન હંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC ને તથા રાજ્ય સરકારને પોતાની હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે. વગેરે ભારતના હવાઈ પરિવારના માધ્યમો છે.


ભારતમાં સંદેશાવ્યવહારની ઉપયોગીતા અને વ્યવસ્થાની સમજ આપો.

Locked Answer

જવાબ : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં તેની ઉપયોગીતા અને વ્યવસ્થા નીચે મુજબ છે.

  • દેશમાં પુર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, ત્સુનામી, જેવી  કુદરતી આપતી સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચારતંત્ર ખૂબ ઉપયોગી છે.
  • દેશના આર્થિક સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા જાળવવામાં સંચારતંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે.
  • પ્રાચીન સમયમાં ભારતમાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારાકબુતર દ્વારા, તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા હતા.
  • આધુનિક સમયમાં ટપાલ સેવા, તાર, ટેલિફોન અને આજે મોબાઇલ ટેલિફોન, સ્માર્ટફોન, તથા ઉપગ્રહની શોધ થી સંચાર સેવા ખૂબ ઝડપી અને સરળ બની છે.
  • વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે સંસાર સેવામાં ખૂબ વિકાસ થયો છે. આજે આપણે મહત્વની ઘટનાઓ કે કાર્યક્રમોના જીવંત પ્રસારણો જોઈ શકીએ છીએ.
  • સંચાર સાધનો ને બે વિભાગમાં વહેચી શકાય છે. વ્યક્તિગત સંચારતંત્ર અને સામૂહિક સંચારતંત્ર. આને નીચે મુજબ સમજી શકાય.
  1. વ્યક્તિગત સંચારતંત્ર :- વ્યક્તિગત સંચાર તંત્રમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે. -મેલ -કોમર્સ મુદ્રાની લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટ ના પ્રતાપે ઝડપી અને ઉપયોગી બન્યા છે. વધુમાં સોશિયલ મીડિયામાં કેટલી એપ્લિકેશન મારફતે સંદેશાવ્યવહારમાં ક્રાંતિ આવી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આનાથી દેશ-વિદેશના લોકો સાથે જીવંત સંપર્ક માં રહે છે.
  2. સામૂહિક સંચારતંત્ર :- સમૂહ સંચાર માં પણ બે મધ્યમાં રહેલા છે.

             (1) મુદ્રિત માધ્યમ જેમાં અખબારો તથા પત્રિકાઓ ને ગણી શકાય.

                               ( 2) ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શન નો સમાવેશ થાય છે. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન તેના મુખ્ય વિભાગો છે. દેશમાં આજે આકાશવાણીના ૪૧૫ સ્ટેશનો છે. તેના દ્વારા પ્રાદેશિક ૨૩ ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરાય છેદૂરસ્થ વિસ્તારોમાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. પ્રાકૃતિક આફતોમાં માધ્યમ મહત્વનું સંપર્ક સાધન બની રહે છે. દુરદર્શન ઉપગ્રહની ઉપયોગીતા થી સમાચાર, હવામાનની વિગતો, શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. આજે તો ખાનગી ચેનલો પણ દૂરદર્શન ની માફક મહત્ત્વના અને ઉપયોગી કાર્યક્રમો પ્રસારિત કરે છે.


ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની મુદ્દાસર સમજ આપો.

Locked Answer

જવાબ : વિશ્વના જુદા જુદા દેશો પોતાની આયાત અને નિકાસ ની કામગીરી પોતાની જરૂરિયાતો પ્રમાણે કરે છેઆને આંતરરાષ્ટ્રીય વેપાર પદ્ધતિ કહેવામાં આવે છે.

  • આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે. નહીંતર દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે.
  • કોઈ દેશ ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે ત્યારે તે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે તેમ કહી શકાય.
  • ભારતની આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ વિદેશી હૂંડિયામણમાં વધારો કરે તેવી છે.
  • જો દેશમાં નિકાસ કરતા આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. માટે જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે  અને જે દેશની આયાત વધે છે  તેવા દેશો નું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે.
  • .. ૧૯૯૧ પછી ઉદારીકરણની પ્રક્રિયા પછી ભારતના આંતરરાષ્ટ્રીય  વેપારમાં ઘણા બદલાવ આવ્યા છે. છેલ્લા ઘણાં વર્ષોના અભ્યાસ મુજબ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે.
  • ભારત સરકારે આપણી વ્યાપારતુલા ને હકારાત્મક બનાવવા માટે "મેક ઇન ઇન્ડિયા" પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આનાથી ઘણી બધી વિદેશી કંપનીઓ ભારતમાં  પોતાના માલનું ઉત્પાદન કરી તેને વિદેશમાં નિકાસ કરશે. પરિણામે ભારતમાં વિદેશી હૂંડિયામણ અને રોજગારનો વધારો થશે. આપણી આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિ છે.


ભારતમાં સંચારતંત્રનો વિકાસ જણાવો.

Locked Answer

જવાબ : વિજ્ઞાન અને ટેક્‌નોલૉજી એ સંચારક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કહે છે. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, ત્સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે અને રોજિંદા જીવનમાં સંચારતંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.

દેશના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા જાળવવામાં પણ સંચારતંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે. પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટૅલિફોન અને આજે મોબાઈલ ટૅલિફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે.

વિજ્ઞાન અને ટૅક્નોલૉજીએ સંચારક્ષેત્રમાં વિકાસ લાવવામાંઅગત્યનો ફાળો આપ્યો છે. આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટની મેચ જીવંત જોઈ શકીએ છીએ. સંચાર સાધનોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ : (1) વ્યક્તિગત સંચારતંત્ર (2) સામૂહિક સંચારતંત્ર

(1) વ્યક્તિગત સંચારતંત્ર : વ્યક્તિગત સંચારતંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઇ-મેલ, ઇ-કોમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યાં છે. આ ઉપરાંત સોશ્યલમીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ-વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે.

(2) સામૂહિક સંચારતંત્ર : સમૂહ સંચારમાં પણ બે માધ્યમો છે :

1. મુદ્રિત માધ્યમ જેમાં અખબાર, પત્રિકાઓ 2. ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય બે વિભાગો છે. દેશમાં આજે આકાશવાણીનાં 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે. દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધન બની રહે છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે. આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવા માંડ્યા છે.

ઉપગ્રહ સંચાર :

કુત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે, પરંતુ સાથે-સાથે તે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. ભારતે છોડેલા ઈન્ડિયન નેશનલ સેટેલાઈટ” (INSA) પ્રણાલિ બહુહેતુક પ્રણાલિ છે; જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડાં જેવી આફતની ચેતવણી, સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન (IRS) પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલનો (PSLV) વિકાસ કર્યો છે.


There are No Content Availble For this Chapter

1) માલ-સમાન કે માનવીની હેરફેર                                             A મધ્યમ પૂર્વના દેશો
2) અવકાશી સંશોધનમાં ઉપયોગી                                         B ઉપગ્રહ
3)  ખજૂરની આયાત                                                         C પરિવહન
4)   એવરેસ્ટ આરોહણ                                                       D ભોટિયા લોકો

 

Hide | Show

જવાબ :

1) – C
2) -  B
૩) -  A
4) - D
 

1) દેશના આર્થિક, સંસ્કૃતિક વિકાસમાં યોગદાન                 A સંદેશા વ્યવહાર
2)   મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ                                     B મેદાની પ્રદેશો
3) સડક અને રેલમાર્ગોથી પરિવહન                                           C પશુઓ, માનવીઓનો બોજવાહક તરીકે ઉપયોગ
4) હિમાલયના દુર્ગમ સ્થળો                           D પરિવહન

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  A
૩) -  B
4) - C
 

1)  ઔદ્યોગીકરણની શક્યતાઓ માટે જરૂરી                                       A  મધ્ય પૂર્વના દેશો
2) ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ                                         B  રણપ્રદેશ
3) ખનીજ તેલની આયાત                                         C વ્યાપાર
4)ઊંટ શ્રેષ્ઠ બોજવાહક                                           D પરિવહન

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  C
૩) -  A
4) - B
 

1)  ઉત્પાદન પ્રવ્રીત્તિમાં વધારો                                       A મધ્ય પૂર્વના દેશો
2)  ભારતની કૃષિ પેદાશોની નિકાસ                                         B વ્યાપાર
3) કઠિયારો, કુલીના કામનો પ્રકાર                                         C ભોટિયા લોકો
4) સારા પર્વતારોહકો                                           D પરિવહન

 

Hide | Show

જવાબ :

1) – B
2) -  A
૩) -  D
4) - C
 

1)   સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય                                           A રેલ્વે ક્રોસિંગ, ક્રોસરોડ માટે ઓવરબ્રીજ 
2)  એક્ષપ્રેસ હાઈવે                                         B રાજમાર્ગનું નિર્માણ 
3) એક્ષપ્રેસ ધોરીમાર્ગ                                         C દ્રુત ગતિ માર્ગ 
4) સાયકલ, સ્કૂટર અને દ્વિચક્રી વાહનો માટે    D રસ્તાની ડાબી સાઈડ


 

Hide | Show

જવાબ :

1) – B
2) -  C
૩) -  A
4) - D
 

1)  સડક માર્ગોનું સૌથી વધુ મહત્વ           A રેલ્વેતંત્ર 
2) રસ્તાના ઉપયોગ બદલ ટોલટેક્ષ                                           B વકરતી જાતિ ટ્રાફિક સમસ્યાઓ
3) શહેરોની ફરતે રીંગ રોડનું આયોજન    C પરિવહન
4)    ધેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન      D એક્ષપ્રેસ ધોરીમાર્ગ

 

Hide | Show

જવાબ :

1) – C
2) -  D
૩) -  B
4) - A
 

1)   સેવાઓનું વ્યાપકક્ષેત્ર, માલની સુરક્ષા, સમયની બચત  A ભારતીય રેલ્વેતંત્ર
2) રસ્તાઓ પરના ગેરકાયદેસર દબાણો           B પ્રથમ નંબરનું સ્થાન 
3)  ખેતી, વ્યાપાર, ઉદ્યોગ, સેવાનું મુખ્ય પરિવહન.                                         C ટ્રાફિક સમસ્યાના કર્તા
4) એશિયાખંડમાં રેલ્વેમાર્ગોની વિકાસગાથા                                           D પરિવહનનો અગત્યનો ગુણધર્મ

 

Hide | Show

જવાબ :

1) – D
2) -  C
૩) -  A
4) - B
 

1) વિશ્વની ત્રીજી સૌથી મોટી પ્રણાલિકા   A પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 
2) આ માર્ગની જાળવણી જિલ્લા પંચાયત કરે છે.   B સડક માર્ગોની રચના 
3) ગ્રામીણ સડકોને પાકી કરવાનું કામ   C સરહદી માર્ગ સંસ્થાન 
4)  ૧૯૬૦માં સ્થાપના થઇ છે.       D જિલ્લામાર્ગ



 

Hide | Show

જવાબ :

1) – B
2) -  D
૩) -  B
4) - C

1)    માલ, માનવી, સમાનને સાંકળવાનો રસ્તો.   A પરિવહનમાં રેલ્વે
2)  9 ટકાનું યોગદાન                                         B પરિવહનમાં હવાઈમાર્ગ
3) 6 ટકાનું યોગદાન                                         C  સડકમાર્ગ
4)  2 ટકાનું યોગદાન                                         D પરિવહનમાં


 

Hide | Show

જવાબ :

1) – C
2) -  A
૩) -   B
4) - D
 

1)   83 ટકા સડક વ્યવસ્થા      A રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પરિવર્તીત
2) ગુજરાતના 27,41,47,48,141,147 માર્      B પરિવહનમાં યોગદાન 
3) ગ્રામીણ માર્ગોનું નિર્માણ અને જાળવણી     C સરહદી માર્ગ સંસ્થાન 
4)    દેશનું સંરક્ષણ અને બરફ હટાવવાના કર્યો.     D ગ્રામ પંચાયત


 

Hide | Show

જવાબ :

1) – B
2) -  A
૩) -  D
4) - C
 

Download PDF

Take a Test

Choose your Test :

પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

gseb textbook std 10 social science
પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.