GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વન સંરક્ષણનો મુખ્ય હેતુ કયો છે?

Hide | Show

જવાબ : વન સંરક્ષણના કારણે જંગલોમાં રહેતા વન્ય જીવોને આશાર્ય મળે છે.અને તેમના કુદરતી આવાસો સલામત રહે છે.
જંગલોમાં વૃક્ષોના આચ્છાદનને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે.
વનમાં રહેલી વૃક્ષોની હારમાળાને કારણે રણ વિસ્તારનું વિસ્તરણ માર્યાદિત રહે છે. આ ઉપરાંત વન્ય પેદાશો વિપુલ પ્રમાણમાં મળે છે.


કુદરતી વનસ્પતિ એટલે શું? ભારતમાં તે ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : માનવીની મદદ વગર કુદરતી રીતે જે વનસ્પતિનો ઉછેર થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહે છે. 
ભારતમાં કુદરતી વનસ્પતિ હિમાલયના જંગલો, સુંદરવન અને ઠારના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે.


બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે કયો વિકલ્પ છે?

Hide | Show

જવાબ : બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ, પવન ઉર્જા વગેરે વિકલ્પો છે.


હાથીઓની સંખ્યામાં વધારો થાય તેવી કઈ પરિયોજના કરવામાં આવી છે?

Hide | Show

જવાબ : ભારતમાં હાથીઓની સંખ્યા વધે તે માટે હાથીઓના કુદરતી આવાસોનું રક્ષણ કરવું,તેમના નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું, એ માટે ખાસ હાથી પરિયોજના અમલમાં મુકવામાં આવી છે.


વાઘ પરિયોજના ક્યારે અને કેમ શરુ કરવામાં આવી?

Hide | Show

જવાબ : જંગલોમાં થતા ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ પર બહુ મોટો ખતરો ઉભો થયો. તે માટે 1971 માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરુ કરવામાં આવી.


જળ બિલાડી ગુજરાતની કઈ નદીઓમાં હતી? અને અત્યારે તેની પરિસ્થિતિ કેવી છે?

Hide | Show

જવાબ : ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી.આજે આ જળબિલાડી લુપ્ત થવાના આરે છે.


હિમદીપડા પરિયોજનાનો મુખ્ય હેતુ કયો છે?
 

Hide | Show

જવાબ : હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.


વાઘોનું અસ્તિત્વ ટકાવી રાખવા સરકારે કયા પ્રયત્નો કાર્ય છે?

Hide | Show

જવાબ : ગેરકાયદેસર થતા વાઘોના શિકારને કારણે તેનું અસ્તિત્વ જોખમમાં આવ્યું હતું.તેને બચાવવા માટે સરકારે વાઘના કુદારતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા છે.


ભારતમાં કયા સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે?

Hide | Show

જવાબ : ભારતમાં ઓડીસા,ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે.


ભારતમાં વિવિધ પશુ પક્ષીઓ ક્યાં છે? અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે?
 

Hide | Show

જવાબ : ભારતમાં કાળા રંગના રીંછ,એક શીંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ તથા મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ,કલકલિયો, સુરખાબ,અને સરસ જોવા મળે છે.
     હિમાલયમાં ઉંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાજ શીત વનોમાં જોવા મળતું લાલપાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે.


વિવિધ પ્રકારની પશુ પક્ષીઓની કેટલી જાતિ ભારતમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : વિવિધ પ્રકારની પશુ પક્ષીઓની ૮૧૨૫૧ જાતિ ભારતમાં જોવા મળે છે.


ભારતની કઈ નદીઓમાં ડોલ્ફિન જોવા મળે છે?

Hide | Show

જવાબ : ભારતની ગંગા, બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળતી ગાંગેય ડોલ્ફિન મિઠા પાણીની પ્રજાતિ છે.તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણ વાળા નદી પ્રવાહના ક્ષેત્ર્મ વસે છે. આ સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે.


વિશ્વમાં જંગલો નષ્ટ થવાની સમસ્યા માટે કયા પરિબળો જવાબદાર છે?

Hide | Show

જવાબ : જંગલો નષ્ટ થવાનું મુખ્ય કારણ દેશમાં થતો વસ્તી વધારો, ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, નવી વસાહતોનું નિર્માણ, ઉદ્યોગીકરણ, રેલ્વે, સડકો તથા હવાઈ મથકોનું નિર્માણ, નહેરોનું નિર્માણ,જંગલોમાં અચાનક ભભૂકતો દાવાનળ, તથા જંગલવાસીઓની ગરીબી કારણભૂત છે.


‘અક્ષત’ વનસ્પતિ કોને કહેવાય?

Hide | Show

જવાબ : માનવીની સહાય વગર જે વનસ્પતિનો ઉછેર કુદરતી રીતે થતો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે.


સામુદાયિક જંગલો ઉપર કોનું નિયંત્રણ હોય છે?

Hide | Show

જવાબ : સામુદાયિક જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.


નિર્વનિકરણ એટલે શું?

Hide | Show

જવાબ : નિર્વનિકરણ એટલે જંગલોનો વિનાશ થવો અથવા જંગલોનું નષ્ટ થવું.


ભારતમાં કયા રાજ્યમાં વાઘ લુપ્ત થઇ ગયા છે?

Hide | Show

જવાબ : ભારતમાં ગુજરાતના જંગલો માંથી વાઘ લુપ્ત થઇ ગયા છે.


ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે?

Hide | Show

જવાબ : ભારતમાં કુલ 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે.


ભારતમાં કુલ કેટલા અભયારણ્યો છે?

Hide | Show

જવાબ : ભારતમાં કુલ ૩૩ અભયારણ્યો છે.


ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરુ થઇ હતી?

Hide | Show

જવાબ : ભારતમાં હાથી પરિયોજના ઈ.સ. 1992માં શરુ થઇ હતી.


ગુજરાતમાંથી કયા વન્યજીવો સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા છે?

Locked Answer

જવાબ : ગુજરાતના જંગલો માંથી વાઘ સંપૂર્ણ પણે નષ્ટ થઇ ગયા છે.


કાર્બનડાયોક્સાઈડની માત્રા વાતાવરણમાં શાને કારણે વધે છે?

Locked Answer

જવાબ : નિર્વનિકરણને કારણે વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડની માત્રા વધે છે.


કયા જંગલની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે?

Locked Answer

જવાબ : સંરક્ષિત જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.


પાલતું પશુઓને ચરાવવાનો પ્રતિબંધ ક્યાં હોય છે?

Locked Answer

જવાબ : રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતું પશુઓને ચરાવવાનો પ્રતિબંધ હોય છે.


ગીધની કુલ કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે?

Locked Answer

જવાબ : ગીધની કુલ 7 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.


જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કેટલો હોય છે?

Hide | Show

જવાબ : જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર એકંદરે ૫૦૦૦ ચો.કિમી થી મોટો  હોય છે.


મિઠા જળની ગાંગેય ડોલ્ફિન ભારતની કઈ નદીઓમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : મિઠા જળની ગાંગેય ડોલ્ફિન ભારતની ગંગા-બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળે છે.


શિયાળા દરમિયાન રાજસ્થાનના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પક્ષીઓ આવે છે?

Hide | Show

જવાબ : શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાનમાં પક્ષીઓ આવે છે.


ભારતમાં વાઘ પરિયોજના કેટલા ક્ષેત્રમાં કાર્યરત છે?

Hide | Show

જવાબ : ભારતમાં વાઘ પરિયોજના 55 જેટલા ક્ષેત્રમાં કાર્યરત છે.


વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિ છે?

Hide | Show

જવાબ : વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ 15 લાખ  પ્રજાતિ છે.


ઓડિશા, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં કેવા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે ?

Locked Answer

જવાબ : ખાનગી જંગલો


કેવા પ્રકારનાં જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લાપંચાયત) નું નિયંત્રણ હોય છે ?

Locked Answer

જવાબ : સામુદાયિક વન


ભારત દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો ક્યા પ્રકારમાં આવે છે ?

Locked Answer

જવાબ : રાજ્યની માલિકીના


ક્યા પ્રકારના જંગલ વિસ્તારમાં વૃક્ષોના કાપવા અને પશુઓને ચરાવવા પર કોઇ પ્રતિબંધ નથી ?

Locked Answer

જવાબ : અવર્ગીકૃત જંગલ


ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઇ રહ્યાં છે ?

Locked Answer

જવાબ : ગુલામી, ગરદનવાળી બતક, સારસ


ક્યા પ્રકારના જંગલ વિસ્તારમાં લાકડાં કાપવાં કે વીણવાં અને પશુઓને ચરાવવાની મનાઇ હોય છે ?

Locked Answer

જવાબ : અનામત જંગલ


જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને કેવી વનસ્પતિ કહેવાય છે ?

Locked Answer

જવાબ : અક્ષત


ભારતનાં જંગલોમાંથી ક્યું પ્રાણી નષ્ટ થઇ ગયું છે ?

Locked Answer

જવાબ : ચિત્તો


શિયાળા દરમિયાન ગુજરાતના ક્યા સરોવરમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે ?

Locked Answer

જવાબ : નળ સરોવરમાં


શિયાળા દરમિયાન રાજસ્થાનના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે ?

Locked Answer

જવાબ : કેવલાદેવમાં


દુનિયામાં વર્તમાન સમયમાં એવો ક્યો દેશ છે, જેમાં વાધ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે ?

Locked Answer

જવાબ : ભારત


હિમાલયની ઊંચાઇ પર બરફમાં રહેતું પ્રાણી ક્યું છે ?

Locked Answer

જવાબ : હિમ દીપડો


ભારતમાં ક્યા ખંડોના વન્‍ય જીવો જોવા મળે છે ?

Locked Answer

જવાબ : એશિયા, યુરોપ અને આફ્રિકા


જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ?

Locked Answer

જવાબ : જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં બારમું સ્થાન છે.


વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે ?

Locked Answer

જવાબ : વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે.


ભારતમાં પશુ-પક્ષીઓની લગભગ કેટલી જાતની પ્રજાતિઓ જોવા મળે છે ?

Locked Answer

જવાબ : ભારતમાં પશુ-પક્ષીઓની લગભગ 81,251 જાતની પ્રજાતિઓ જોવા મળે છે.


દેશમાં હાથીઓ માટે કુલ કેટલા સંરક્ષિત વિસ્તારો છે?

Locked Answer

જવાબ : દેશમાં હાથીઓ માટે કુલ 36 સંરક્ષિત વિસ્તારો છે.


ઉર્જા મેળવવા લાકડાનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

Locked Answer

જવાબ : ઉર્જા મેળવવા લાકડાને સ્થાને વિકલ્પ તરીકે સૌરઉર્જા, પવનઉર્જા, કુદરતી વાયુ વગેરે અપનાવી શકાય.


ભારતના જંગલો માંથી કયો વન્ય જીવ સંપૂર્ણ પણે નામશેષ થયેલો છે?

Locked Answer

જવાબ : ભારતના જંગલો માંથી ચિત્તો  સંપૂર્ણ પણે નામશેષ થયેલો છે.


જૈવ આરક્ષિત વિસ્તાર તરીકે ગુજરાતનો કયો વિસ્તાર ઘોષિત કરાયો છે?

Locked Answer

જવાબ : ગુજરાતમાં કચ્છના રણને જૈવ આરક્ષિત વિસ્તાર તરીકે ઘોષિત કરાયો છે.


જંગલોના પ્રકાર વિષે સવિસ્તાર નોંધ લખો

Hide | Show

જવાબ : વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.

  1. વહીવટી દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:
  1. અનામત જંગલ: આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં પેદા થતા કિંમતી ઈમારતી લાકડા તેમજ અન્ય પેદાસો મેળવવા હંમેશા સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે.

    તેમાં લાકડા વીણવા, ઝાડ કાપવા, અને પશુઓ ચરાવવા માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. આ જંગલો ભારતના જંગલોના કુલ ક્ષેત્રફળના 54.4 %  જેટલો વિસ્તાર રોકે છે.

 

  1. સુરક્ષિત જંગલ: આ પ્રકારના જંગલોમાં વૃક્ષોને હાની પહોચાડ્યા સિવાય લાકડા વિણવાની અને પશુઓને ચરાવવાની તથા ખેતી કરવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
  2. અવર્ગીકૃત જંગલ: જે જંગલો અતિશય ગીચ અથવા દુર્ગમ વનવિસ્તાર છે, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, આવા જંગલોને અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે.
2. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:

           માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ભારતમાં જંગલોના મુખ્ય ત્રણ પ્રકાર છે.

  1. રાજ્ય માલિકીનું જંગલ: આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલોના વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
  2. સામુદાયિક વન: આ પ્રકારના જંગલો પર સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે ગ્રામ પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા,અને જીલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે.
  3. ખાનગી જંગલ: આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના ઘણાખરા જંગલો ઉજ્જડ બની ગયા છે.ઓડીસા,મેઘાલય,પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ પ્રકારે જોવા મળે છે.


વન સંરક્ષણના ઉપાયો જણાવો.

Hide | Show

જવાબ :

વન સંરક્ષણ અંગેના ઉપાયો

  • લાકડા અથવા બળતણના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જેમકે સૌરઉર્જા, પવનઉર્જા, બાયોઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને જાણકરી આપી પ્રોત્સાહિત કરવા.
  • જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે, તેની જગ્યાએ તેજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.
  • જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, તેમને ભવિષ્યની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ.
  • ઇકો-ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયંત્રણો કરવા.
  • સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
  • શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી.
  • ઘાસ ચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજન બધ્ધપ્રોત્સાહક પગલા ભરી વન વિસ્તારવા.
  • વનસંસાધનોનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો.
  • દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર ઉભું કરવું.
  • જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે, તે સમયે થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દુષિત થાય છે.
  • પશુઓને ચરાવવા માટે જંગલોમાં અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.

   આ પ્રમાણેના સામુહિક ઉપાયોનું આયોજન કરી આપણા અમુલ્ય જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ.


વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.

Hide | Show

જવાબ : વન્ય જીવોની સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરુ કરવામાં આવી છે.

  1. વાઘ પરિયોજના: ભારતના જંગલોમાં 20મી સદીની શરૂઆતમાં લગભગ 40 હાજર કરતા પણ વધારે વાઘ હતા. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો હતો. વાઘ બચાવવાના હેતુસર ૧૯૭૧ માં આ પરિયોજના શરુ કરાઈ.

     વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરાત છે.

  1. હાથી પરિયોજના: હાથીઓને તેમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા માટે ૧૯૭૨ માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.

     આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતું હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.

  1. ગેંડા પરિયોજના: આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ મે બનાવાવામાં આવી છે. ભારતમાં આસામ રાજ્યમાં સૌથી વધારે ગેંડા જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જુજ સંખ્યામાં મળી આવે છે.

     ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ૩૦૦૦ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.

  1. ઘડિયાળ પરિયોજના: મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ ૧૯૭૦ના દાયકામાં લુપ્ત થવાને આરે હતી.

ત્યારે ભારત સરકારે આ મગરોની પ્રજાતિને બચાવવા સારૂ સમયસરના પગલા લઇ આ પરિયોજના શરુ કરી.

  1. ગીધ પરિયોજના: ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે.તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની ૯ પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે ૨૦૦૪ થી આ પરિયોજના શરુ કરી છે.
  2. હિમ દીપડા પરિયોજના: હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.

     આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણીપુર થાર્મિલ પરિયોજના, ગંગા – બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરાત છે.


જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?

Hide | Show

જવાબ : જૈવ આરક્ષણ ક્ષેત્ર્નિ રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

  • જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
  • તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું સંરક્ષણ કરાય છે.
  • ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંસોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરાય છે.
  • આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણ પણે પ્રતિબંધિત હોય છે.
  • આ ક્ષેત્રનો સરેરાસ વિસ્તાર એકદરે ૫૦૦૦ ચો. કિમીથી વધારે હોય છે.
  • નીલગીરી મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે.

     આ ઉપરાંત કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ૨૦૦૮ની સાલમાં તેનેજૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું.


નિર્વનીકરણની અસરો જણાવો.

Locked Answer

જવાબ : નિર્વનીકરણ એટકે જંગલોનું નષ્ટ થવું. માનવીના વિકાસ કરવાના પ્રયત્નોના પરિણામે આપણા જંગલો નષ્ટ થયા છે.

     નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દુર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યાઓ વધે છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. પરિણામે વરસાદનું પ્રમાણ ઓછું થયું છે અને દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે.

     વળી અનેક વન્ય સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેથી તેઓ નિરાધાર થયા છે. તેના પરિણામે વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવવસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંશાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમ વસતા પશુપાલકોના પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે.


લુપ્ત થતા વન્યજીવન વિષે નોંધ લખો.

Locked Answer

જવાબ : પ્રાણી જીવનના જે સજીવનો છેલ્લો અંશ પણ અસ્તિત્વમાં ન હોય તેવી પ્રાણી જાતિ ‘લુપ્ત વન્ય જીવો’ કહેવાય છે.

     આજે વિશ્વના અસંખ્ય જીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં ભારતમાં સર્વત્ર વાઘ જોવા મળતા હતા. તે સમય ગાળામાં ગુજરાતમાં ઇડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ  જોવા મળતા હતા.

     ગુજરાતમાં આજે વાઘ સંપુર્ણપણે  નષ્ટ થયા છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઇ ચુક્યો છે.

     અગાઉ ભારતમાં જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની  જાતિઓ હવે ભાગ્યેજ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવળી  બતક , સારસ અને ધુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે.

    પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ માં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોરા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી.

     નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ (મગરની પ્રજાતી) અને ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે.

    ઓડીસા , ગુજરાત વગેરે રાજયોના સમુદ્ર કિનારે ઈંડા મુકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી લગભગ લુપ્ત થવાને આરે છે.


અભયારણ્ય એટલે શું?

Locked Answer

જવાબ : જે પ્રાણીઓના વિનાશ થવાની સંપૂર્ણ શક્યતાઓ હોય તેવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે આરક્ષિત ક્ષેત્રોનિ સ્થાપના કરવામાં આવે છે, તેને અભયારણ્ય કહેવામાં આવે છે.

  • વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે.
  • ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
  • સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતું પશુઓને ચરાવે શકાય છે.
  • પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે.


રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?

Locked Answer

જવાબ :

  • દેશના કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો, વન્ય જીવો, અમુલ્ય વનસ્પતિ, તેમજ મહત્વના સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે.
  • અભયારણ્યની તુલનામાં આ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે.
  • પાલતું પશુઓને ચરવાવા પર અહી સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
  • અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિપર કેન્દ્રિત હોતું નથી.
  • તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે.
  • કાઝીરંગા, કોર્બેટ,વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન,ગીર વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.


ભારતમાં કયા કયા જલપ્લાવિત ક્ષેત્રમાં પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?

Hide | Show

જવાબ : શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય પક્ષીઓ દુર દુરથી શિયાળો ગાળવા આવે છે.


ભારતમાં કયા કયા જલપ્લાવિત ક્ષેત્રમાં પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?

Locked Answer

જવાબ : શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય પક્ષીઓ દુર દુરથી શિયાળો ગાળવા આવે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વન અને વન્યજીવ સંસાધન

gseb textbook std 10 social science
વન અને વન્યજીવન સંસાધન

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.