GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કારણ આપો : નરસિંહ મહેતા હરખી રહ્યા છે.

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાના હૃદયમાં શામળિયાનું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણએ એમને વહાલથી આલિંગન આપ્યું અને તેઓ તનમનથી શ્રીકૃષ્ણના મુખ પર વારી ગયા. તેમનું રૂપ અતિ કલ્યાણકારી છે. તેથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નીરખીને હરખાય છે.


સાંજ સમે શામળિયો કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય વિશે લખો.

Hide | Show

જવાબ : સાંજના સમયે શ્રીકૃષ્ણે વૃંદાવનથી આવી રહ્યા છે. તેમની આગળ ગાયોનું ધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રીકૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ચુઆ – ચંદનની સુગંધથી મહેંકતી ફૂલની પછેડી પહેર્યા છે.


ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે ?

Hide | Show

જવાબ : જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે એમ ગોવાળોમાં ગિરધર શોભે છે.


સાંજ સમે શામળિયો કાવ્યના લેખકનું નામ લખો.

Hide | Show

જવાબ : સાંજ સમે શામળિયો કાવ્યના લેખક નરસિંહ મહેતા છે.


સાંજ સમે શામળિયો કાવ્યનો સાહિત્યપ્રકાર ક્યો છે ?

Hide | Show

જવાબ : સાંજ સમે શામળિયો ભક્તિગીત છે.


નરસિંહ મહેતાનાં ક્યાં પદો લોકકંઠે ગવાય છે ?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં લોકકંઠે ગવાય છે.


ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?

Hide | Show

જવાબ : ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે.


હરિ હળધરનો વીરો એટલે શું ?

Hide | Show

જવાબ : હરિ હળધરનો વીરો એટલે લરામનો વીરો.


ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગનાં વસ્ત્રો પહેર્યા છે ?

Hide | Show

જવાબ : ભગવાન શ્રીકૃષ્ણે પીળા રંગનાં વસ્ત્રો પહેર્યા છે.


સાંજનું ક્યું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે ?

Hide | Show

જવાબ : સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન (ગોવાળો) છે, તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે.


શ્રીકૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે ?

Hide | Show

જવાબ : શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે.


કાવ્યપંક્તિ પૂર્તિ કરો:

સાંજ સમે શામળિયો ............

..................... મહેકે, - સાંજ.

Hide | Show

જવાબ : સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે; આગળ ગોધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે, - સાંજ. મોર મુગટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે; પહેર્યા પીતાંબર, ફૂલની પછેડી, ચુઆ – ચંદન મહેકે, - સાંજ.


કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ કેમ કહે છે ?

Hide | Show

જવાબ : સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રીકૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પીતાંબર અને ચુઆ – ચંદનની સુગંધથી મહેંકતી ફૂલની પછેડી પહેર્યા છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના આભૂષણમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે શામળિયાજી શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. શ્રીકૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન શ્રીકૃષ્ણના મુખસૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે શ્રીકૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.


કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે ?

Hide | Show

જવાબ : સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુઆ – ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના આભૂષણમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે શામળિયાજી શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

સાંજ સમે શામળિયો

ગુજરાતી

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.