GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વાહકતાનો SI એકમ શું છે ?

Hide | Show

જવાબ : S


 ના જલીય દ્રાવણમાંથી IF વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કેથોડ પર Mgના કેટલા મોલ પ્રાપ્ત થશે ?

Hide | Show

જવાબ : 0


કયો પદાર્થ નિર્બળ વિદ્યુતવિભાજ્ય નથી?

Hide | Show

જવાબ :


ફેરાડેના વિદ્યુતવિભાજ્યનના પ્રથમ નિયમ અનુસાર ઇલેક્ટ્રૉડ પર જમા થતો અથવા દૂર થતો પદાર્થનો જથ્થો.

Hide | Show

જવાબ : વિદ્યુતવિભાજ્યમાં પસાર કરેલ વિદ્યુતપ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં પ્રમાણમાં હોય છે.


વિદ્યુતવિભાજ્યને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેનું આયનોમાં વિયોજન થાય છે, કારણ કે.....

Hide | Show

જવાબ : પાણી વડે ઈલેક્ટ્રોસ્ટેટિક બળ તૂટી જાય છે.


વિદ્યુતવિભાજ્યમાં કોષ પ્રવાહનું વહન ...

Hide | Show

જવાબ : બાહ્ય પરિપથમાં કેથોડથી એનોડ તરફ થાય છે.


વિદ્યુતવિભાજ્યનની પ્રક્રિયા દરમિયાન એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ ખરેખર ....

Hide | Show

જવાબ : ઓક્સિડેશન અને રિડક્શન છે.


કઈ ઘટના ડેનિયલ કોષમાં શક્ય નથી.

Hide | Show

જવાબ : Cu ની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે.


શા માટે વિદ્યુતરાસાયણિક કોષ અમુક સમય બાદ કાર્ય કરતો અટકી જાય છે?

Hide | Show

જવાબ : બંને ધ્રુવના કોષ પોર્ટેશિયલનો તફાવત શૂન્ય થવાથી.


વિદ્યુતરાસાયણિક કોષના ચોક્કસ કોષ પોટૅશિયલ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?

Hide | Show

જવાબ : પોટેયોન્શિયો મીટર


કોના દ્વારા ગેલ્વેનિક કોષના બાહ્ય પરિપથમાં વિદ્યુતવહન થાય છે ?

Hide | Show

જવાબ : ઈલેક્ટ્રોન દ્વારા કોપરના પાતળા તાર મારફતે.


વિદ્યુત રસાયણિક કૉષના દ્રાવણમાં વિદ્યુત વહન કોના દ્રારા થાય છે.

Hide | Show

જવાબ : આયનો દ્વારા ક્ષારસેતુ મારફતે.


A, B, C, D અને E પ્રમાણિત અર્ધ કોષના, પ્રમાણિતમાં, પ્રમાણિત પોટૅન્શિયલમાં, પ્રમાણિત્ત પોટૅન્શિયલના ચઠતા ક્રમમાં હોય તો કયા બે અર્ધ કોષોના જોડાણ કરવાથી મળતા કોષનો કોષ પોટૅન્શિયલ મહતમ હશે?

Hide | Show

જવાબ : A અને E


ક્ષારસેતુમાં કયું દ્રાવણ ભરવામાં આવતું નથી.

Hide | Show

જવાબ :


ડેનિયલકોષમાં ક્ષારસેતુનું કાર્ય કયું છે.

Hide | Show

જવાબ : દ્રાવણોની વિદ્યુત તટસ્થતા જાળવવાનું.


નીચે આપેલી કોષ-પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરુપણ શું થશે ? Fe(s)+Cd2+(aq) Fe2+(aq)+Cd(s)

Hide | Show

જવાબ : Fe(s)|Fe2+(IM)||Cd2+(IM)|Cd(s)


કઈ પ્રક્રિયા વિદ્યુતરાસાયણિક કોષમાં થાય છે.

Hide | Show

જવાબ : રિડક્શન, ઓક્સિડેશન અને રેડૉક્ષ


વિદ્યુતરાસાયણિક કોષમાં કઇ પ્રક્રિયા થાય છે ?

Hide | Show

જવાબ : રૅડોક્ષ, ઓક્સિડેશન અને રિડકશન


ડેનિયલ કોષ માટેની પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : Cu2+(aq)+Zn(s) Zn2+(aq)+Cu(s)


ડેનિયલકોષમાં કઈ પ્રક્રિયા થાય છે.

Hide | Show

જવાબ :


કઈ પ્રક્રિયા વોલ્ટેઈક કોષમાં થતી નથી.

Hide | Show

જવાબ : તટસ્થીકરણ


કયો કોષ સિધ્ધાંતથી જુદો પડે છે ?

Hide | Show

જવાબ : વિદ્યુતવિભાજન કોષ


કઇ ઘટના ડૅનિયલ કોષમાં બનતી નથી ?

Hide | Show

જવાબ : Zn ની પટ્ટીના વજનમાં વધારો થાય છે.


કઈ પ્રક્રિયા ડેનિયલકોષમાં શક્ય છે.

Hide | Show

જવાબ : , અને


સિલ્વરનાઇટ્રેટ્ના દ્રાવણમાં નિકલના ટુકડા નાખવાથી દ્રાવણ રંગીન બને છે, કારણ કે ......

Hide | Show

જવાબ : નિકલનું ઑક્સિડેશન થાય છે.


કયો સક્રિય વિદ્યુતધ્રુવ નથી.

Hide | Show

જવાબ : Pt


કયુ સાધન કોષનો સાચો પોટેન્શિયલ માપવા ઉપયોગી નથી.

Hide | Show

જવાબ : પોટેન્શિયોમીટર


X, Y અને Z ધાતુના પ્રમાણિત રિડક્શન પોટૅંશિયલનાં મૂલ્યો અનુક્રમે 0.34 V, 0.80 V અને -0.45 V છે. તો તેમનો રિડક્શનકર્તાનો પ્રબળતા ક્રમ જણાવો :

Hide | Show

જવાબ : Z>X>Y


,  અને ના દ્રાવણમાથી 1 મોલ ઇલેક્ટ્રૉન પસાર કરતાં ધ્રુવો આગળ Mg, Ag અને Al કયા મોલ ગુણોત્તરમાં જમા થશે?

Hide | Show

જવાબ :


પાણીમાં  નાં થોડાં ટીપાં ઉમેરી તેમાં Pt ધ્રુવો મૂકી વિદ્યુતવિભાજન કરતાં મૂકી વિદ્યુતવિભાજન કરતાં એનોડ પર કયો વાયુ મળશે ?

Hide | Show

જવાબ :


વિદ્યુતરાસાયણિક કોષમાં રાસાયણિક પ્રક્રિયા કેટલા પાત્રમાં થાય છે ?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા એક જ પાત્રમાં થાય છે.


કયા સંજોગોમાં વિદ્યુતકોષ કાર્ય કરતો અટકી જાય છે.

Hide | Show

જવાબ : બન્ને વિદ્યુતધ્રુવોના પોટેન્શિયલ સમાન બનવાથી.


સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું ગ્રૅફાઇટના ધ્રુવો વચ્ચે વિદ્યુતવિભાજન કરતાં કૅથોડ અને એનોડ ઉપર અનુક્રમે શું ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ :


કોઇ પણ એકસરખા વાહકનો ................... હોય છે.

Hide | Show

જવાબ : તેની લંબાઇના સમપ્રમાણમાં.


કયો કોષ ભિન્ન છે.

Hide | Show

જવાબ : વિદ્યુતવિભાજન કોષ


ક્ષાર સેતુનું કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : તે બે અર્ધકોષના દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે.


સ્ટીમરની લોખંડની પ્લેટો સાથે Zn ધાતુના ચોસલા જોડી, દરિયાના પાણીના સંપર્કમાં રાખવાથી કોનું ક્ષારણ વધારે થાય છે ?

Hide | Show

જવાબ : ઝિંક


વિદ્યુતીય અવરોધ માપવા માટેનું સાધન કયુ છે ?

Hide | Show

જવાબ : વ્હીસ્ટન બ્રિજ


તાંબાની પટ્ટીને મોરથૂથૂના દ્રાવણમાં મૂક્તા બનતી રચનાને શું કહેવાય.

Hide | Show

જવાબ : અર્ધકોષ


કોઈ એક વિદ્યુતધ્રુવની ઈલેકટ્રોન મુક્ત કરવાની વૃતિની તિવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી કારણ કે.....

Hide | Show

જવાબ : ક્ષારસેતુ કાર્ય કરી શકતું નથી, એક અર્ધકોષથી રેડોક્ષ પ્રક્રિયા પૂરી થતી નથી અને તે વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરી શક્તો નથી.


કયા તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિસુવાહક તરીકે જાણીતા છે ?

Hide | Show

જવાબ : 150 K


l = લંબાઇ, R = અવરોધ અને A = આડછેદનું ક્ષેત્રફળ હોય તો

Hide | Show

જવાબ : R I/A


વિદ્યુતરાસાયણિક કોષમાં ક્ષારસેતુમાં KCl નો ઉપયોગ થઈ શકતો નથી કારણ કે………..

Hide | Show

જવાબ : AgCl અવક્ષેપિત થાય છે.


A, B, C, D અને E પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શીયલ ચડતા ક્રમમાં હોય તો કયા બે અર્ધકોષોનું જોડાણ કરવાથી મળતા કોષોનો પોટિન્શિયલ મહતમ મળશે.

Hide | Show

જવાબ : A, E


વૈજ્ઞાનિક વ્યવહારમાં કયાં તાપમાનને પ્રમાણિત ગણવામાં આવે છે.

Hide | Show

જવાબ : 298 K


વિદ્યુતરાસાયણિક કોષમાં ક્ષારસેતુની મદદથી બન્ને અર્ધકોષમાં ધન અને ઋણ આયનની સંખ્યા કેવી હોય છે.

Hide | Show

જવાબ : ઋણ આયન ધન આયન કરતા વધુ.


તાંબાના તારને  ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે દ્રાવણ ભૂરા રંગનું બને છે કારણ કે

Hide | Show

જવાબ : તાંબાનું ઓક્સિડેશન થાય છે.


કઈ પ્રકિયા વાયુ વિદ્યુતધ્રુવ પર થતી પ્રક્રિયા છે.

Hide | Show

જવાબ :


પ્રમાણિત વાયુ ધ્રુવમાં ધાતુની કઈ પટ્ટી દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે.

Hide | Show

જવાબ : Pt


એલ્યુમિનયમ નાઈટ્રેટના દ્રાવણને તાંબાની પટ્ટીથી હલાવતા શું થશે.

Hide | Show

જવાબ : કોઈ જ પ્રક્રિયા નહીં થાય.


પ્રક્રિયામાં અને ના પ્રમાણિત રિડક્શન પોટૅશિયલ અનુક્રમે -0.34 V, -૩.05 V અને -1.66 V હોય તો તેમની રિડક્શનકર્તા પ્રબળતાનો ક્રમ ........થાય.

Hide | Show

જવાબ :


પાણીમાં નાં ટીપાં ઉમેરી તેમાં Pt વિદ્યુતધ્રુવો ડુબાડી વિદ્યુતવિભાજન કરતાં કેથોડ પર કયો વાયુ મળશે ?

Hide | Show

જવાબ :


1 ફેરોડે = ............ કુલંબ

Hide | Show

જવાબ : 96487


1 કુલોમ્બ =........

Hide | Show

જવાબ : ઈલેક્ટ્રોન


તત્વનો એક ગ્રામ તુલ્યભાર પ્રાપ્ત કરવા માટે વપરાતા વિદ્યુતપ્રવાહના જથ્થાને શું કહેવાય ?

Hide | Show

જવાબ : ફેરાડે


અને ના દ્રાવણમાં જો સરખો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે અને ધ્રુવો જમા થતા Ag અને Zn ના પરમાણુઓની સંખ્યા અનુક્રમે x અને y હોય તો ......

Hide | Show

જવાબ : x=2y


ગ્રેફાઇડ ધ્રુવોવક વચ્ચે  ના જલીય દ્રાવણના વિદ્યુત-વિભાજન દરમિયાન......

Hide | Show

જવાબ : નું સાંદ્રણ વધે.


ગ્રેફાઇડના ધ્રુવો વચ્ચે સાંદ્ર NaCl ના વિદ્યુતવિભાજન દરમિયાન ફિનોલ્ફથેલિન ઉમેરતા શું થશે ?

Hide | Show

જવાબ : માત્ર કેથોડ આગળ ગુલાબી રંગ દેખાય.


ના જલીય દ્રાવણમાં 1 ફેરાડે વિદ્યુતજથ્થો પસાર કરતાં કેથોડ પર કેટલા મોલ K મળશે ?

Hide | Show

જવાબ : 1


કયા સંયોજનના વિદ્યુતવિભાજનથી એનોડ પર વાયુ તથા કેથોડ પર Na ધાતુ મળે છે.

Hide | Show

જવાબ : પીગાળેલ NaCl


1 મોલ યનનું માં રુપાંતર કરવા માટે જરુરી વિદ્યુતજથ્થો કેટલો હશે ?

Hide | Show

જવાબ :


ના જલીય દ્રાવણમાંથી 63.5 ગ્રામ Cu મેળવવા કેટલો વિદ્યુતજથ્થો પસાર કરવો પડે ? (Cu=નો પરમાણુભાર = 63.5 ગ્રામ/મોલ)

Hide | Show

જવાબ : 2 ફેરાડે


 નિર્જળ HFમાં વિદ્યુતવિભાજનથી એનોડ અને કેથોડ પર મળતી નીપજો અનુક્રમે કઇ થશે?

Hide | Show

જવાબ :  અને


કયુ જલીય દ્રાવણ વિદ્યુતવિભાજનને અંતે એસિડિક રહે છે?

Hide | Show

જવાબ :


વિદ્યુતવિભાજનનો ઉપયોગ શામાં થાય છે?

Hide | Show

જવાબ : Al ના ઉત્પાદનમાં


પ્રમાણિત કોષ માટેનું સૂત્ર જણાવો.

Hide | Show

જવાબ :


કૉપરના ધાતુકર્મમાં કઇ ધાતુ એનોડ પંક તરીકે મળે છે ?

Hide | Show

જવાબ : Au, Pt


કોઇપણ એકસરખા વાહકનો અવરોધ એ.....

Hide | Show

જવાબ : તેની લંબાઇના સમપ્રમાણમાં હોય છે.


વિદ્યુતવિભાજ્ય દ્રાવણનું મંદન કરતાં તેની વાહકતા ....

Hide | Show

જવાબ : વધે છે.


કયું સંયોજન તેની પિગલિત અવસ્થામાં સૌથી વધુ તુલ્યવાહકતા દર્શાવે છે?

Hide | Show

જવાબ :


વિશિષ્ટ વાહકતાનો Sl એકમ જણાવો.

Hide | Show

જવાબ :


કયા તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિ સુવાહક બને છે ?

Hide | Show

જવાબ : 150 K


વિદ્યુતકીય અવરોધ કયા સાધન વડે માપવામાં આવે છે ?

Hide | Show

જવાબ : વ્હિસ્ટનબ્રીજ


વિશિષ્ટ વાહકતાનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ?

Hide | Show

જવાબ :


મોલર વાહકતાનો એકમ નીચેના પૈકી કયો?

Hide | Show

જવાબ :


કયા તાપમાને મિશ્ર ધાતુઓ અતિ સુવાહક તરીકે ગણાતી હતી ?

Hide | Show

જવાબ : 0 થી 15 K


આયનોની વાહકતાનો આધાર કયા પરિબળો પર રહેલો નથી ?

Hide | Show

જવાબ : દબાણ


કોહ્લ્રરોશનો નિયમ કયા વિદ્યુતવિભાજ્યને લાગુ પડતો નથી ?

Hide | Show

જવાબ : HCl


કોહ્લ્રરોશના નિયમનો ઉપયોગ કરી કોની તુલ્યવાહકતા શોધી શકાય છે ?

Hide | Show

જવાબ :


કયો કોષ સેકંડરી કોષ છે ?

Hide | Show

જવાબ : લેડ સંગ્રાહક કોષ અને Ni-Cd સંગ્રાહક કોષ


સૂકા કોષમાં કેથોડિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી મેગેનીઝ યુક્ત નીપજમાં Mn ની સંયોજકતા કેટલી?

Hide | Show

જવાબ : +3


લેડ સંગ્રાહક કોષમાં પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો  કયા ધ્રુવ પર ચોટેંલો રહે છે ?

Hide | Show

જવાબ : એનોડ અને કેથોડ


લેડ સંગ્રાહક કોષમાં વપરાતા ની સાંદ્રતા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 38 % W/W


હાઇડ્રોજન બળતણ કોષમાં કેથોડ ધ્રુવ ઉપર કઇ ધાતુનો પાઉડર વપરાય છે ?

Hide | Show

જવાબ :


હાઇડ્રોજન બળતણ કોષનો પોટૅશિયલ લગભગ કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : 1.23 વૉલ્ટ


ફેરાડેના બીજા નિયમ પ્રમાણે કેથોડ પર પ્રાપ્ત થતી ધાતુઓના મોલ (Cu: Ni: Ag) નું પ્રમાણ દર્શાવો.

Hide | Show

જવાબ :


વિદ્યુતવિભાજ્યનનો ઉપયોગ શામાં થતો નથી ?

Hide | Show

જવાબ :  ના ઉત્પાદનમાં


સૂકા કોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે ?

Hide | Show

જવાબ :


વિદ્યુતરાસાયણિક કોષની કોષ-પ્રક્રિયા દરમિયાન

Hide | Show

જવાબ : ગીબ્સ મુક્ત-ઊર્જા ઘટે છે.


n-ફેરાડે વચ્ચે ઉત્પન્ન થતાં આયનના તુલ્યભારની સંખ્યા ...

Hide | Show

જવાબ : n


નિષ્ક્રિય ધ્રુવો વડે ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં કેથોડ અને એનોડ પર અનુક્રમે કઇ નીપજ મળે છે?

Hide | Show

જવાબ :


કયા વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણની વાહકતાને આધારે વાહકતા કોષ-અચળાંક નક્કી કરવામાં આવે છે?

Hide | Show

જવાબ :


કયા એસિડિક દ્રાવણમાંથી 1F વિદ્યુતપ્રવાહ પસાર કરતાં મહતમ કૉપર છૂટું પડશે ?

Hide | Show

જવાબ :


વીજરાસાયણિક કોષમાં એનોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1M કરતાં વધારવામાં આવે અને કેથોડના સંપર્કમાં રહેલા ક્ષારમાંથી સાંદ્રણ 1M રાખવામાં આવે તો વીજરાસાયણિક કોષનો વૉલ્ટેજ .....

Hide | Show

જવાબ : ઘટવાનું વલણ દર્શાવે.


25 C તાપમાને મળતું નું મૂલ્ય જણાવો.

Hide | Show

જવાબ : 0.0592


ધાતુક્ષારણમાં કોનું રિડક્શન થાય છે?

Hide | Show

જવાબ :


નર્નસ્ટ સમીકરણમાં 0.0592 મૂલ્ય 2.303 RT/F દ્વારા પ્રાપ્ત થયેલ મૂલ્ય છે, જેમાં R=...... થાય.

Hide | Show

જવાબ :


NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી દ્રાવણની pHમાં શો ફેરફાર થશે?

Hide | Show

જવાબ : વધે છે.


1 ગ્રામ તુલ્ય પદાર્થના વિદ્યુતવિભાજન માટે કેટલો વિદ્યુત-પ્રવાહ જોઇએ ?

Hide | Show

જવાબ : 1 એમ્પિયર પ્રતિ કલાક


વિદ્યુતરાસાયણિક તુલ્યાંક કોનો વધુ હોય છે?

Hide | Show

જવાબ : સિલ્વર


વિદ્યુતવિભાજન દરમિયાન ઓક્સિડેશન અને બીજી કઇ ક્રિયા એનોડ ઉપર થશે?

Hide | Show

જવાબ : ડી-ઇલેક્ટ્રૉનેશન


0.1 એમ્પિયર વીજપ્રવાહ 10 સેક્ન્ડ માટે કૉપર અને સિલ્વર વૉલ્ટમીટરમાંથી પસાર કરવામાં આવે છે. વધુ જમા થતી ધાતુ કઇ હશે ?

Hide | Show

જવાબ : Ag


ડેનિયલ કોષનો Ecell કેવી રીતે વધારી શકાય?

Hide | Show

જવાબ : ઓક્સિડેશન અર્ધકોષમાંથી આયનો દૂર કરીને અને તાપમાન ઘટાડીને.


ગેલ્વેનોમીટર કોષમાં શેનાં પર રિડક્શન પ્રક્રિયા થાય છે?

Hide | Show

જવાબ : કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય છે.


 તથા 2M  નું જલીય દ્રાવણ ભરેલ છે, જ્યારે બીજા ડેનિયલ કોષમાં એનૉડ તથા અર્ધકોષમાં અનુક્રમે 3M  તથા 3M નું જલીય દ્રાવણ ભરેલ છે, જો તેમના પ્રમાણિત કોષ પોટૅશિયલ અનુક્રમે  અને  હોય, તો .... થાય.

Hide | Show

જવાબ :


વિદ્યુતરાસાયણિક કોષનો પોટૅંશિયલ કઇ બાબત ઉપર આધાર રાખતો નથી ?

Hide | Show

જવાબ : વિદ્યુત દબાણ


નર્નસ્ટ સમીકરણની તારવણી કયા સિધ્ધાંતને આધારે થઇ શકે છે ?

Hide | Show

જવાબ : ઉષ્ણાગતિશાસ્ત્રના નિયમ


નર્નસ્ટ સમીકરણમાં 25 C તાપમાને 0.059 એ શાનું મૂલ્ય દર્શાવે છે ?

Hide | Show

જવાબ : 2.303 RT/F


સાંદ્રતા કોષમાં પ્રક્રિયા થાય ત્યારે ....

Hide | Show

જવાબ : સાંદ્ર દ્રાવણનાં આયનો સાંદ્ર દ્રાવણ તરફ જાય છે.


Pt| (1, વાતા.) |HCl (pH=4) || HCl (pH=6) | (1 વાતા) | Pt માં કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તશે ?

Hide | Show

જવાબ : જમણી બાજુનો અર્ધકોષ


સાંદ્રતા કોષનો પોટૅશિયલ કેવા સંજોગોમાં શૂન્ય બને ?

Hide | Show

જવાબ : બંને અર્ધકોષની સાંદ્રતા સમાન થાય ત્યારે


સાંદ્રતા કોષ માટે કયારે થાય?

Hide | Show

જવાબ : તેમાં બંન્ને વિદ્યુતધ્રુવો સમાન હોય છે.


વીજરાસાયણિક કોષમાં એનોડના સંપર્કમાં થયેલા ક્ષારનું સાંદ્રણ 1M કરતા ઘટાડવામાં આવે અને કેથોડના સંપર્કમાં રહેલા ક્ષારનું સાંદ્રણ 1M રાખવામાં આવે તો વીજરાસાયણિક કોષનો વૉલ્ટેજ.

Hide | Show

જવાબ : વધવાનું વલણ દર્શાવે.


Zn ધાતુની અને HCl સાથે પ્રક્રિયા કરવાથી વાયુ મુક્ત થાય છે. પરંતુ  સાથે પ્રક્રિયા કરવાથી વાયુ મુક્ત થતો નથી, કારણ કે ....

Hide | Show

જવાબ :  ની સરખામણીમાં નું રિડક્શન પહેલા થાય છે.


ક્ષારની જલીય દ્રાવણોના વિદ્યુતવિભાજનથી કઇ નીપજો પ્રાપ્ત થશે તેનો આધાર કોના પર રહેલો છે?

Hide | Show

જવાબ : વિદ્યુત દબાણ પર, દ્રાવણની સાંદ્રતા પર અને વિદ્યુતધ્રુવોની પ્રકૃતિ પર.


1 મોલ ઇલેક્ટ્રૉન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને શું કહે છે ?

Hide | Show

જવાબ : 1 ફેરાડે


વિદ્યુતવિભાજન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે?

Hide | Show

જવાબ : રેડોક્ષ


ડેનિયલ કોષ કાર્યરત હોય ત્યારે કયું વિધાન સાચું થશે ?

Hide | Show

જવાબ : કેથોડના વજનમાં વધારો થાય છે.


શેમાંથી વીજપ્રવાહ પસાર કરવાથી વિદ્યુતવિભાજન પસાર થાય છે ?

Hide | Show

જવાબ : વિદ્યુતવિભાજ્યનું જલીય દ્રાવણ કે પિગલિત દ્રાવણમાંથી.


ફેરાડેના વિદ્યુતવિભાજનના બીજા નિયમ માટે કયો સંબંધ સાચો છે ?  અને  = નીપજનો જથ્થો,  અને  = નીપજોના તુલ્યભાર (  > 2 છે.)

Hide | Show

જવાબ :


એસિડિક માધ્યમમાં નો તુલ્યભાર કેટલો થાય ? (M=અણુભાર)

Hide | Show

જવાબ : M/6


ના મિશ્રનનું વિદ્યુતવિભાજન એનોડ પર શું મળશે નહિ?

Hide | Show

જવાબ :


NaCl ના જલીય મંદ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતાં એનોડ પર કયો વાયુ મળશે ?

Hide | Show

જવાબ :


કોષનો emf માપવા માટે કયું સાધન વપરાય છે ?

Hide | Show

જવાબ : ગેલ્વોનોમીટર


પદાર્થની વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે ?

Hide | Show

જવાબ : વાહકતાની માત્રા વિશાળ પ્રમાણમાં ચલિત થાય છે અને તે પદાર્થના સ્વભાવ (પ્રકૃતિ) પર આધાર રાખે છે. વળી તે તાપમાન અને દબાણ કે જ્યારે માપન કરવામાં આવેલ છે તેના પર પણ આધાર રાખે છે.


દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે?

Hide | Show

જવાબ : મંદન કરતા દ્રાવણમાં એકમ કદ દીઠ ઘટક આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે તેથી મંદન સાથે દ્રાવણની વાહકતામાં ઘટાડો થાય છે.


ધાતુઓ જેનું વિધુતવિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો.

Hide | Show

જવાબ : Ca, K, Na, Al જેવી ધાતુઓ વિધુતીય રીતે નિષ્કર્ષિત થાય છે.


બળતણ કોષમાં ઇંઘણ તરીકે હાઈડ્રોજન સિવાયના બે પદાર્થો જે ઇંધણ તરીકે વપરાય છે તે સૂચવો.

Hide | Show

જવાબ : હાઈડ્રોજનને બદલે અને CO વાયુ પણ બળતણ તરીકે વાપરી શકાય છે.


નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો : 

Al, Cu, Fe, Mg અને Zn

Hide | Show

જવાબ : Mg, Cu, Fe, Mg અને Zn


શું વિધુતધ્રુવનું નિરપેક્ષ પોટેન્શિયલ માપી શકાય?

Hide | Show

જવાબ : ના. કારણ કે, હાઈડ્રોજન વિધુતધ્રુવની સાપેક્ષે જ અન્ય વિધુતધ્રુવનું પોટેન્શિયલ માપી શકાય છે. કારણ કે અર્ધકોષ કાર્યરત હોતો નથી. આથી કોઈપણ અર્ધકોષના પોટેન્શિયલનું સાપેક્ષ મૂલ્ય મેળવી શકાય છે.


શું કોષનો પ્રમાણિત પોટેન્શિયલ  અથવા મુક્ત ઊર્જા  કોષ પ્રક્રિયા માટે શૂન્ય હોઈ શકે?

Hide | Show

જવાબ : નહિ. કારણ કે, બે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત શૂન્ય ત્યારે જ થાય અથવા  ત્યારે જ થાય જ્યારે કોષ સંતુલીત અથવા બિનકાર્યરત હોય.


કઈ પરિસ્થિતિ હેઠળ બીન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને મુક્ત ઊર્જા ફેરફાર   નું મૂલ્ય શૂન્ય મળશે?

Hide | Show

જવાબ : જ્યારે કોષ સંતુલન અવસ્થા ધારણ કરે ત્યારે કોષનું કાર્ય પૂર્ણ થાય છે. જે કાર્યરત ન રહેતા થાય તથા થાય છે.


આપેલ સાંકેતીક નિરૂપણમાં ઋણ નિશાની શું સુચવે છે ?

Hide | Show

જવાબ : આપેલ ઋણ નિશાની એવું સૂચવે છે કે Zn ધાતુ હાઈડ્રોજન કરતા વધુ સક્રિય હોવાથી જ્યારે Zn અર્ધકોષને હાઈડ્રોજન અર્ધકોષ (SHE) (સ્ટાન્ડર્ડ હાઈડ્રોજન ઈલેકટ્રોડ) સાથે જોડવામાં આવે ત્યારે Zn ધાતુનું ઓક્સિડેશન થાય છે જ્યારે આયન રિડકશન પામે છે.


વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું ?

Hide | Show

જવાબ : વિધુતધ્રુવ અને વિદ્યુતવિભાજ્ય દ્રાવણ વચ્ચે રચાતા વિધુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે.


વિધુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ માપવા શા માટે A.C. પ્રવાહ (ઉલટ સુલટ પ્રવાહ)નો ઉપયોગ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : A.C. પ્રવાહ વિધુતવિભાજનની પ્રક્રિયા થવા દેતો નથી. આથી A.C. પ્રવાહનો ઉપયોગ કરી વિધુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ માપી શકાય છે.


શુષ્ક કોષથી વિપરીત, મરક્યુરી કોષ પાસે તેના ઉપયોગી જીવનકાળ દરમિયાન અચળ કોષ પોટેન્શિયલ હોય છે શા માટે?

Hide | Show

જવાબ : મરક્યુરી કોષની કોષ પ્રક્રિયામાં વિદ્યુત વિભાજ્ય વપરાઈ જતો નથી આથી સમગ્ર કાર્ય કાળ દરમિયાન અચળ કોષ પોટેન્શિયલ મળે છે.


અજ્ઞાત વિધુતધ્રુવોના વિધુતધ્રુવો પોટેન્શિયલ શોધવા માટે કયા સંદર્ભ વિધુતધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : હાઈડ્રોજન વિધુતધ્રુવનો ઉપયોગ એ અન્ય વિદ્યુતધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ માપવા માટે સંદર્ભધ્રુવ તરીકે ઉપયોગી છે. જેમાં હાઈડ્રોજનનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ લેવામાં આવે છે.


ડેનિયલ કોષના રચના સમજાવો તથા તેમાં થતી કોષ પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : ડેનિયલ કોષ એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરતું ઉપકરણ છે. જેની રચનામાં આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રમાં ઝિંકના ક્ષાર યુક્ત દ્રાવણમાં Zn નો સળિયો ડુબાડી અર્ધકોષની રચના કરવામાં આવે છે. જે એનોડ તરીકે વર્તશે.

​​​​​​​

બીજા પાત્રમાં Cu ના ક્ષારયુક્ત દ્રાવણમાં કૉપરનો સળિયો ડુબાડી બીજા અર્ધકોષની રચના કરવામાં આવે છે. જે કેથોડ તરીકે વર્તશે. બંને અર્ધકોષોને વાહક તાર વડે જોડી કોષની રચના કરવામાં આવે છે.

        બંને અર્ધકોષોમાં વિધુતીય તટસ્થતા જળવાય રહે તે માટે ક્ષારસેતુનો ઉપયોગ કરી U-આકારની ટયુબને બંને પાત્રમાં ડુબાડવામાં આવે છે. કોષમાં થતી પ્રક્રિયા :

એનોડ :

કેથોડ : -----------------------------કુલ કોષ

પ્રક્રિયા :  (રેડોક્ષ)

        આ કોષનો વિધુતીય પોટેન્શિયલ 1.1 V જેટલો છે. આ કોષને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઈક કોષ પણ કહે છે.


ગેલ્વેનિક કોષ પર બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલની અસર સવિસ્તાર વર્ણવો.

Hide | Show

જવાબ : (a) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા ઓછો હોય તો આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ અને તેને ધીમે ધીમે વધારતા જવાથી જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V નહિં થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. આથી પ્રક્રિયા સંપૂર્ણ બંધ થશે નર્હિ તથા કોષમાં પ્રવાહી વહેવાનો બંધ થશે નહિ.

​​​​​​​

(b) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V થાય તો જો બાહ્ય પરિપથ દ્વારા વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V થાય ત્યારે પરિણામી કોષ સંતુલિત થવાથી કોષ માટે Gનું મૂલ્ય શુન્ય થશે અને કોષ કાર્ય કરતો બંધ થશે.

​​​​​​​

 

(c) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા વધી જાય તો, જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા વધી જાય તો કોષ પુનઃકાર્યરત થાય છે પરંતુ વિરૂદ્ધ દિશામાં થશે. આથી આ કોષ વિદ્યુત રાસાયણિક કોષને બદલે વિદ્યુત વિભાજન કોષ તરોકે કાર્ય કરે છે.

આથી આ કોષમાં વિદ્યુત ઊર્જા અસ્વયંસ્કુરીત (આપમેળે ને થતી હોય તેવી) રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે વપરાશે.

​​​​​​​


ગેલ્વેનિક કોષ ક્યારે વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુતવિભાજન કોષ તરીકે વર્તે છે? તે વર્ણવો.

Hide | Show

જવાબ : (a) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા ઓછો હોય તો આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ અને તેને ધીમે ધીમે વધારતા જવાથી જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V નહિં થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે. આથી પ્રક્રિયા સંપૂર્ણ બંધ થશે નર્હિ તથા કોષમાં પ્રવાહી વહેવાનો બંધ થશે નહિ.

​​​​​​​

(b) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V થાય તો જો બાહ્ય પરિપથ દ્વારા વિરૂદ્ધ પોટેન્શિયલ 1.1 V થાય ત્યારે પરિણામી કોષ સંતુલિત થવાથી કોષ માટે Gનું મૂલ્ય શુન્ય થશે અને કોષ કાર્ય કરતો બંધ થશે.

(c) જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા વધી જાય તો, જો બાહ્ય પોટેન્શિયલ 1.1 V કરતા વધી જાય તો કોષ પુનઃકાર્યરત થાય છે પરંતુ વિરૂદ્ધ દિશામાં થશે. આથી આ કોષ વિદ્યુત રાસાયણિક કોષને બદલે વિદ્યુત વિભાજન કોષ તરોકે કાર્ય કરે છે.

આથી આ કોષમાં વિદ્યુત ઊર્જા અસ્વયંસ્કુરીત (આપમેળે ને થતી હોય તેવી) રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે વપરાશે.


પ્રમાણિત હાઈડ્રોજન વિદ્યુતધ્રુવની રચના અને તેની કાર્યપદ્ધતિ જણાવો.

Hide | Show

જવાબ : વિવિધ વિદ્યુતધ્રુવની ઈલેકટ્રૉન મેળવવાની કે ઈલેક્ટ્રૉન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાની સરખામણી પ્રમાણિત હાઈડ્રોજન અર્ધકોષનો ઉપયોગ કરીને થાય છે. કારણ કે, પ્રમાણિત હાઈડ્રોજન ધ્રુવ બીજા ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે તેથી હાઈડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ શકાય. પ્રમાણિત હાઈડ્રોજન વાયુ ધ્રુવના અર્ધ કોષની રચના નીચે પ્રમાણે કરવામાં આવે છે.

​​​​​​​

આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રમાં 298 K તાપમાને નું દ્રાવણ લેવામાં આવે છે. આ દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચઢાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ પટ્ટી એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી હોય છે. આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે પારો ઉમેરી કૉપરના તાર મારફત બાહ્ય જોડાણ કરવામાં આવે છે. આ પટ્ટી પરથી 298 K તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઈડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. આ અર્ધકોષને સંદર્ભ તરીકે જ્યારે અન્ય અર્ધ કોષ સાથે જોડી સંપૂર્ણ કોષ રચવામાં આવે છે ત્યારે તે એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. જો કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી પર નીચેની રિડકશન પ્રક્રિયા થાય છે:

પરંતુ જો પ્રમાણિત હાઈડ્રોજન વાયુ એનોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી પર નીચે મુજબ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે :

આથી, પ્રમાણિત હાઈડ્રોજન વિદ્યુતધ્રુવ ઈલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અથવા ઈલેક્ટ્રૉન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તેમ છતાં તેની આ વૃત્તિની તીવ્રતા દરેક તોપમાને શૂન્ય વોલ્ટ સ્વીકારવામાં આવેલ છે. આથી અન્ય વિદ્યુતધ્રુવોની ઈલેક્ટ્રૉન સ્વીકારવાની વૃત્તિઓની અથવા ઈલેક્ટ્રૉન મુક્ત કરવાની વૃત્તિઓની તીવ્રતાનાં સાપેક્ષ મૂલ્યો મેળવવામાં સરળતા રહે છે.

        વિદ્યુતધ્રુવોની ઈલેક્ટ્રૉન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડકશન પોટેન્શિયલ  અથવા કહે છે. વિદ્યુતધ્રુવોની ઈલેક્ટ્રૉન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા  કહે છે.

        પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવ બીજા અર્ધ કોષ માટે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે કાર્ય કરે છે. બીજા અર્ધકોષની ઈલેક્ટ્રૉન મેળવવાની વૃત્તિ વધારે હોય તો પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવ એનોડ તરીકે વર્તે છે. પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવ ઈલેક્ટ્રૉન મેળવવાની વૃત્તિ વધારે ધરાવે તો પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. એટલે કે બીજા ધ્રુવના એનોડ અને કેથોડનો આધાર પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવના સંદર્ભમાં હોય છે તેથી તેને સંદર્ભ ધ્રુવ કહે છે. ઉદાહરણ તરીકે, પ્રમાણિત હાઈડ્રોજન વાયુધ્રુવના સંદર્ભમાં Zn વિદ્યુતધ્રુવ ધરાવતો અર્ધકોષ એનોડ તરીકે અને Cu વિદ્યુતધ્રુવ ધરાવતા અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે.


emf શ્રેણીની વ્યાખ્યા આપી emf શ્રેણી લખો.

Hide | Show

જવાબ : વિવિધ પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમાંથી રચાતી વિધુધ્રુવોની શ્રેણીને emf શ્રેણી કહે છે. કોષ્ટકમાં દર્શાવેલ માહિતી પ્રમાણે 298 K તાપમાને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આયનો જલીય સ્પિસીઝ તરીકે હાજર છે અને O પ્રવાહી તરીકે, વાયુઓ અને ઘનને અનુક્રમે g અને s તરીકે દર્શાવ્યા છે.

        ઋણ  નો અર્થ થાય છે કે રેડોક્ષ યુગલ (couple)  યુગલ કરતાં વધારે પ્રબળ રિડકશનકર્તા છે. ધન  ના અર્થ એમ થાય છે કે રેડોક્ષ યુગલ  યુગલ કરતાં વધારે નિર્બળ રિડકશનકર્તા છે.


સમજાવો : વાહકતા (G) અને વિશિષ્ટ વાહકતા.

Hide | Show

જવાબ : વાહકતા (G) : અવરોધના વ્યસ્ત (inverse) ને વાહકતા G કહે છે આથી,   વાહકતાનો SI એકમ સીમેન્સ (siemens) છે. જે સંજ્ઞા S આ વડે દર્શાવાય છે અને તે બરાબર થાય છે તે mho અથવા Ω-1વડે પણ ઓળખાય છે.

વિશિષ્ટ વાહકતા : પ્રતિરોધકતાના વ્યસ્તને વાહકતા (વિશિષ્ટ વાહકતા) કહે છે જેને સંજ્ઞા K (ગ્રીક કાપ્પા-kappa) કહે છે. IUPAC વિશિષ્ટ વાહકતાને બદલે વાહકતા પર્યાયની ભલામણ કરેલ છે.

વાહકતાનો SI એકમ છે પણ ઘણી વાર k ને  તરીકે અભિવ્યક્ત કરે છે. કોઈ પદાર્થની વાહકતા  માં ત્યારે હોય છે જ્યારે તેની લંબાઈ 1 m અને તેના આડછેદનું ક્ષેત્રફળ હોય છે. એ નોંધવું જોઈએ કે તાપમાને પસંદ કરેલા કેટલાક પદાર્થોની વાહકતાના મૂલ્યો.


વાહકતા કોષની આકૃતિ દોરી અને KCl ના દ્રાવણનો ઉપયોગ કરીને કોષ અચળાંકના સૂત્રની તારવણી કરો.

Hide | Show

જવાબ : મૂળભૂત રીતે તે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ હોય છે (સૂક્ષ્મ વિભાજિત ધાત્વીય Pt પર વિદ્યુતરાસાયણિક રીતે વિદ્યુતધ્રુવ પર નિક્ષેપિત કરેલ હોય છે.) તે આડછેદનું ક્ષેત્રફળ 'A' જેટલું અને વિદ્યુતધ્રુવો અંતર  થી અલગ રાખેલ હોય છે. તેથી આ બંને વિદ્યુતધ્રુવો તેમની વચ્ચે રહેલું દ્રાવણ લંબાઈ  અને આડછેદ ક્ષેત્રફળ ‘A’ ધરાવતા હોય છે. આવા કૉલમમાં લંબાઈ  અને આડછેદ ક્ષેત્રફળ A થાય છે. દ્રાવણના આવા કૉલમનો અવરોધ નીચેના સમીકરણથી આપી શકાય :

         રાશિને કોષ અચળાંક કહે છે. અને તેને સંજ્ઞા G* વડે દર્શાવાય છે. તેનો આધાર બંને ધ્રુવો વચ્ચેના અંતર અને તેમના આડછેદ ક્ષેત્રફળ પર રહે છે. તેના પરિમાણ લંબાઈ  હોય છે અને જો અને A જાણતા હોઈએ તો ગણી શકાય.  અને A ના માપન સગવડ ભરેલા નથી એટલું જ નહિ પરંતુ અવિશ્વસનીય હોય છે. કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે જેની વાહકતા જાણતા હોઈએ તેવું દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. આ હેતુ માટે સામાન્ય રીતે આપણે KClનું દ્રાવણ વાપરીએ છીએ જેની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને ચોકસાઈપૂર્વક જાણીતી હોય છે. કોષ અચળાંક G* નીચેના સમીકરણથી દર્શાવી શકાય :

        એક વાર કોષ અચળાંક નક્કી થઈ જાય પછી આપણે કોષ અચળાંકના ઉપયોગથી કોઈપણ દ્રાવણની વાહકતા તથા અવરોધ અથવા વાહકતા નક્કી કરવામાં કરી શકીએ. અવરોધના માપન માટેની ગોઠવણી નીચેની આકૃત્તિમાં દર્શાવેલ છે.

​​​​​​​

 

તે બે અવરોધ અને ધરાવે છે, ચલ(variable) અવરોધ અને વાહકતા કોષ જેનો અજ્ઞાત અવરોધ છે. વ્હીટસ્ટોન બ્રિજને આંદોલક 0 વડે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. (આંદોલક ઉલટસુલટ પ્રવાહ શક્તિ 550 થી 5000 સાયકલ્સ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત.) P યોગ્ય સંસૂચક (હેડફોન અથવા ઈલેકટ્રૉનીય ઉપકરણ) છે અને જ્યારે પ્રવાહ સંસૂચકમાંથી વહેતો હોતો નથી. બ્રિજને સમતોલિત કરવામાં આવે છે. ત્યારે આ પરિસ્થિતિમાં,

        અજ્ઞાત અવરોધ

        હાલના સમયમાં બહુ ખર્ચાળ નહિ તેવા વાહકતામીટર પ્રાપ્ય જે સીધા જ વાહકતા કોષમાંના દ્રાવણની વાહકતા અથવા અવરોધ વાંચે છે. એકવાર વાહકતા અચળાંક અને કોષમાંના દ્રાવણનો અવરોધ નક્કી કરવામાં આવે, તો દ્રાવણની વાહકતા નીચેના સમીકરણથી આપી શકાય.

​​​​​​​


સમજાવો : દ્રાવણની મોલર વાહકતા

Hide | Show

જવાબ : એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુતવિભાજ્યોના દ્રાવણો અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા પડે છે. તેનું દ્રાવણ આયનના ભાર અને કદ જેમાં તે વિયોજિત થાય છે. આયનની સાંદ્રતા અથવા આપેલ પોટેન્શિયલ દ્રવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ઘૂમે છે તે છે. આથી એ જરૂરી બને છે કે એક ભૌતિક દ્રષ્ટિએ વધુ અર્થપૂર્ણ રાશિ જેને મોલર વાહકતા કહે છે અને સંજ્ઞા  વડે દર્શાવાય છે તેને વ્યાખ્યાયિત કરીએ. તે દ્રાવણની વાહકતા સાથે નીચેના સમીકરણથી સંબંધિત છે.

મોલર વાહકતા

        ઉપરના સમીકરણ ને માં દર્શાવાય છે અને સાંદ્રતા c ને mol  માં દર્શાવાય છે. આથી  ના એકમ  થશે. એ નોંધવું જોઈએ કે

 અને તેથી

 

        જો આપણે k માટે એકમ S  અને સાંદ્રતાને માટે એકમ વાપરીએ, તો નો એકમ 

        સાહિત્યમાં બંને પ્રકારના એકમ વપરાય છે અને તેઓ એકબીજા સાથે નીચેના સમીકરણોથી સંબંધિત છે.

અથવા


ઓસવાલ્ડનો મંદનનો નિયમ લખો તથા નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે વિયોજન અંશ અને વિયોજન અચળાંકનું સૂત્ર મેળવો.

Hide | Show

જવાબ : મંદન સાથે વાહકતાના ફેરફારનો અભ્યાસ વૈજ્ઞાનિક ઓસવાલ્વે કર્યો હતો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાનાં ઘટાડા સાથે વાહકતામાં વધારો વિશેષ જણાય છે. આ પ્રકારના અભ્યાસને ઓસવાલ્ડનો મંદનનો નિયમ કહે છે.

        એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુતવિભાજ્યને ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ નીચાં હોય છે અને તેથી આવા વિદ્યુતવિભાજ્ય માટે માં મંદન સાથે ફેરફાર વિયોજન અંશના વધારાને કારણે હોય છે. આને પરિણામરૂપે દ્રાવણમાં રહેલા કુલ જે 1 mol વિદ્યુતવિભાજ્ય ધરાવે છે. આવા કિસ્સામાં તીવ્ર રીતે (steeply) મંદન સાથે વધે છે (નીચેની આકૃતિ)

​​​​​​​

તે પણ ખાસ કરીને નીચી સાંદ્રતાએ, આથી નું મૂલ્ય નાં મૂલ્યોને શૂન્ય સાંદ્રતાએ આંતરછેદ કરીને મેળવી શકાય નહિ. અનંત મંદને (એટલે કે સાંદ્રતા ) વિદ્યુતવિભાજ્ય સંપૂર્ણપણે () વિયોજિત થાય છે પરંતુ આટલી નીચે સાંદ્રતાએ આવા દ્રાવણોની વાહકતા એટલી ઓછી હોય છે કે ચોકસાઈપૂર્વક માપી શકાતી નથી. આથી, નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે નું મૂલ્ય કોહલરોશના આયનોના સ્વતંત્ર અભિગમન નિયમથી મેળવી શકાય છે. કોઈપણ સાંદ્રતા c એ જો  વિયોજન અંશ હોય તો તેને તેની c સાંદ્રતાએ મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા  ની ગુણોત્તર તરીકે સન્નિકટન કરી શકાય. આથી આપણને મળશે,

        પરંતુ આપણે જાણીએ છીએ કે એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે,


ટૂંકનોંધ લખો : લેડ સંગ્રાહક કોષ (લેડ સંગ્રાહક બૅટરી)

Hide | Show

જવાબ : દ્વિતીયક કોષનો ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને ફરી પુનર્જિવિત (Recharge) કરી શકાય છે. જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે. સારો દ્વિતીયક કોષ ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે. સૌથી અગત્યનો દ્વિતીયક કોષ લેડ સંગ્રાહક બેટરી ઓટોમોબાઈલ અને ઈન્વર્ટસ (પરિવર્તકો) માં સામાન્ય રીતે વપરાય છે.

​​​​​​​

તે લેડ એનોડ અને લેડની ગ્રીડ (grid) જેના પર લેડ ડાયૉક્સાઈડ () ચોંટાડેલો હોય છે તે કેથોડ તરીકે વર્તે છે. 38% સલ્ફયુરિક એસિડનું દ્રાવણ વિદ્યુતવિભાજ્ય તરીકે વપરાય છે.

        કોષ જ્યારે ઉપયોગમાં હોય ત્યારે થતી કોષ પ્રક્રિયાઓ નીચે આપેલ છે.

એનોડ :

કેથોડ: +

એટલે કે કેથોડ અને એનોડ પ્રક્રિયા ધરાવતી એકંદર પ્રક્રિયા છે.

        ચાર્જિંગ કરતા પ્રક્રિયા પ્રતિગામી બને છે અને એનોડ પરનો અને કેથોડ પરનો અનુક્રમે Pb અને માં પરિવર્તિત થાય છે.


ટૂંકનોંધ લખો : બળતણ કોષ

Hide | Show

જવાબ : તાપીય (thermal) પ્લાન્ટમાં વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન વધુ અસરકારક નથી. જેમાં થતી રાસાયણિક ઊર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થતું નથી. આથી કોઈ એવા ગેલ્વેનીક કોષોની રચના કરવામાં આવી કે જેથી તે રાસાયણિક ઊર્જાનું સંપૂર્ણપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે. બળતણ કોષ :- હાઈડ્રોજન, મિથેન, મિથેનોલ વગેરે જેવા ઇંધણોની રાસાયણિક ઊર્જા સીધી જ વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત થાય આવા કોષને બળતણ કોષ કહે છે.

        સૌથી વધુ સફળ એક બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુતીય શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો. પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતી પાણીની બાષ્પને સંઘનિત કરીને અવકાશયાત્રીને પીવાના પાણીના પુરવઠામાં ઉમેરવામાં આવતો હતો. આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છિદ્રાળુ કાર્બન વિદ્યુતધ્રુવ મારફતે સાંદ્ર જલીય સોડિયમ હાઈડ્રૉક્સાઈડના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. ખૂબ જ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા ઉદ્દીપકો ? વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓના વેગ વધે તે માટે વપરાય છે. વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ નીચે આપેલી છે :

        કેથોડ:

        એનોડઃ

        એકંદર પ્રક્રિયા :  હોય છે.

        આ કોષ જ્યાં સુધી પ્રક્રિયકો પૂરા પાડવામાં આવે છે ત્યાં સુધી સતત કાર્ય કરે છે. બળતણ કોષ તાપીય પ્લાન્ટની સરખામણીમાં જેની ક્ષમતા 40% હોય છે તેને સ્થાને 70% જેટલી ક્ષમતાથી કાર્ય કરે છે. બળતણ કોષની ક્ષમતા વધારવા માટે, નવા વિદ્યુતધ્રુવના પદાર્થો, વધુ સારા ઉદ્દીપકો અને વિદ્યુત વિભાજ્યોના વિકાસમાં પ્રભાવશાળી (પ્રચંડ-tremedous) પ્રગતિ સધાઈ છે. તેમનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થઈ રહ્યો છે. બળતણ કોષ પ્રદૂષણ -મુક્ત છે અને તેમના ભવિષ્યની અગત્યના સંદર્ભમાં ઘણા પ્રકારના બળતણ કોષ બનાવવામાં આવ્યા છે અને ઉપયોગ માટે પ્રયત્ન કરાયા છે.


સમજાવો : લોખંડનું ક્ષારણ

Hide | Show

જવાબ : ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઆંની સપાટીને તેમના ઑક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારથી પડ રચે છે. લોખંડને કાટ લાગવો, ચાંદીનું ઝાંખુ પડવું, કાંસાના અને તાંબા પર લીલા રંગનું પડ થવું વગેરે કેટલાક ક્ષારણના ઉદાહરણ છે. તે મકાનો, પૂલો, વહાણો અને ધાતુમાંથી ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ (enormous) નુકસાન પહોચાડે છે. ક્ષારણને કારણે આપણે દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ.

        ક્ષારણમાં ધાતુ ઑક્સિજનને ઇલેકટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ (સામાન્ય રીતે કાટ લાગવો - તે રીતે જાણીતું) પાણી અને હવાની હાજરીમાં થાય છે. ક્ષારણનું રસાયણવિજ્ઞાન ઘણું જ જટિલ છે છતાં પણ અનિવાર્ય રીતે વિદ્યુતરાસાયણિક પરિઘટના તરીકે ગણી શકીએ. લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ (particular) બિંદુ (spot) પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ.

        એનોડ:

        એનોડ બિંદુ પર મુક્ત થયેલા ઈલેકટ્રૉન ધાતુ મારફતે ખસે છે અને ધાતુના બીજા બિંદુ પર જાય છે અને ની હાજરીમાં ઓક્સિજનનું રિડકશન કરે છે. (એમ માનવામાં આવે છે કે  હવામાંના કાર્બન ડાયૉક્સાઈડનું પાણીમાં વિલયન થવાથી અને પાણીમાંના હાઈડ્રોજન આયન પણ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે). આ બિંદુ નીચેની પ્રક્રિયા સાથે કેથોડ તરોકે વર્તે છે.

        કેથોડ:

એકંદર પ્રક્રિયા સમીકરણ :                ફેરસ આયન આગળ ઉપર વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ () સ્વરૂપે કાટ તરીકે બને છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે.


લોખંડમાં થતું ક્ષારણ વિસ્તૃતમાં સમજાવો.

Hide | Show

જવાબ : ક્ષારણ ધીમે ધીમે ધાત્વીય વસ્તુઆંની સપાટીને તેમના ઑક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારથી પડ રચે છે. લોખંડને કાટ લાગવો, ચાંદીનું ઝાંખુ પડવું, કાંસાના અને તાંબા પર લીલા રંગનું પડ થવું વગેરે કેટલાક ક્ષારણના ઉદાહરણ છે. તે મકાનો, પૂલો, વહાણો અને ધાતુમાંથી ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને વિશાળ (enormous) નુકસાન પહોચાડે છે. ક્ષારણને કારણે આપણે દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવીએ છીએ.

        ક્ષારણમાં ધાતુ ઑક્સિજનને ઇલેકટ્રોન આપીને ઓક્સિડેશન પામીને ઓક્સાઇડની રચના કરે છે. લોખંડનું ક્ષારણ (સામાન્ય રીતે કાટ લાગવો - તે રીતે જાણીતું) પાણી અને હવાની હાજરીમાં થાય છે. ક્ષારણનું રસાયણવિજ્ઞાન ઘણું જ જટિલ છે છતાં પણ અનિવાર્ય રીતે વિદ્યુતરાસાયણિક પરિઘટના તરીકે ગણી શકીએ. લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ (particular) બિંદુ (spot) પર ઓક્સિડેશન થાય છે અને તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ.

        એનોડ:

        એનોડ બિંદુ પર મુક્ત થયેલા ઈલેકટ્રૉન ધાતુ મારફતે ખસે છે અને ધાતુના બીજા બિંદુ પર જાય છે અને ની હાજરીમાં ઓક્સિજનનું રિડકશન કરે છે. (એમ માનવામાં આવે છે કે  હવામાંના કાર્બન ડાયૉક્સાઈડનું પાણીમાં વિલયન થવાથી અને પાણીમાંના હાઈડ્રોજન આયન પણ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે). આ બિંદુ નીચેની પ્રક્રિયા સાથે કેથોડ તરોકે વર્તે છે.

કેથોડ:

એકંદર પ્રક્રિયા સમીકરણ :

         

        ફેરસ આયન આગળ ઉપર વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ () સ્વરૂપે કાટ તરીકે બને છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે.


આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં પડતી મુશ્કેલીઓ જણાવો તથા તેનું નિવારણ પણ જણાવો.

Hide | Show

જવાબ : આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપને વ્હીટસ્ટોન બ્રિજની મદદથી કરી શકીએ છીએ. તેમ છતાં પણ, આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યાનો સામનો કરવો પડે છે.

(i) સીધો પ્રવાહ (DC) પસાર કરવાથી દ્રાવણનું સંઘઠન બદલાય છે.

(ii) દ્રાવણને વ્હીટસ્ટોન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધન વાહકથી, જોડી શકાતું નથી.

નિવારણ - પ્રથમ સમસ્યાનું નિરાકરણ શક્તિનો ઉલટસુલટ પ્રવાહ (AC) સ્ત્રોત વાપરીને દૂર કરી શકાય છે. બીજી સમસ્યા ખાસ ડિઝાઈન કરેલું પાત્ર જેને વાહકતા કોષ કહે છે તેનો ઉપયોગ કરી ઉકેલી શકાય. તે ઘણી ડિઝાઈનમાં મળે છે અને બે સાદી ડિઝાઈન આકૃત્તિમાં દર્શાવેલ છે.

​​​​​​​


વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તેના વિશે સમજાવો.

Hide | Show

જવાબ : દરેક વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર ક્રિયાથી વિદ્યુતધ્રુવ પર ધાતુ આયન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી નિક્ષેપીત (જમા) થાય છે અને વિદ્યુતધ્રુવને ધન વિજભારીત બનાવવા પ્રયત્ન કરે છે. તે જ સમયે અન્ય વિદ્યુતધ્રુવ પરથી ધાતુ પરમાણુઓ આયન સ્વરૂપ દ્રાવણમાં જવાનુ વલણ ધરાવે છે અને વિદ્યુત પર ઈલેકટ્રૉન છોડી તેને ત્રણ વિજભારીત બનાવે છે.

        આ બંને પરસ્પર વિરૂદ્ધ પ્રક્રિયાઓને કારણે વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે અને તેને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે. દ્રાવણમાં રહેલ વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા 1M હોય તો ત્યારે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને પ્રમાણીત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે.

        IUPAC અનુસાર પ્રમાણિત રિડકશન પોટેન્શિયલને હવે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે.


એનોડ અને કેથોડ શું છે? તથા જણાવો કે વિદ્યુતપ્રવાહની દિશા કોષમાં કઈ હશે ?

Hide | Show

જવાબ : ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહે છે અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ ઋણ હોય છે.

        બીજા અર્ધકોષમાં જેમાં રિડકશન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહે છે અને તેને દ્રાવણની સાપેક્ષમાં ધન પોટેન્શિયલ હોય છે.

        આથી બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે અને જેવી સ્વિચને ચાલુ (ON) સ્થિતિ પર મૂકવામાં આવે છે ત્યારે ઋણ વિદ્યુતધ્રુવથી ધન વિદ્યુતધ્રુવ તરફ ઈલેકટ્રોનનો પ્રવાહ જાય છે. વિદ્યુતપ્રવાહ (current) નું વહન (flow) ઈલેકટ્રૉનનાં પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય છે.


emf શ્રેણી પરથી ફલીત થતી માહિતી જણાવો.

Hide | Show

જવાબ : જો વિદ્યુતધ્રુવનાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટૅન્શિયલ શૂન્ય કરતાં વધારે હોય તો તેનું રિડકશન પામેલું સ્વરૂપ હાઈડ્રોજન વાયુ કરતાં વધારે સ્થાયી છે. એ જ પ્રમાણે જો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય તો હાઈડ્રોજન સ્પિસીઝના રિડકશન પામેલા સ્વરૂપ કરતાં ઓછું સ્થાયી છે. ફલોરિનનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે જે સૂચવે છે કે, ફલોરિન વાયુ ()ને ફલોરાઈડ આયન () માં રિડકશન પામવાનું મહત્તમ વલણ છે. તેથી જ ફલોરિન વાયુ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે અને ફલોરાઈડ આયન સૌથી નિર્બળ રિડકશનકર્તા છે.

        લિથિયમને સૌથી ઓછો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે જે સૂચવે છે કે લિથિયમ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશનકર્તા છે, જ્યારે લિથિયમ ધાતુ જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી રિડકશનકર્તા છે.

        ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઘટે છે. આની સાથે પ્રક્રિયાની ડાબી બાજુની સ્પિસીઝની ઓક્સિડેશનકર્તા શક્તિ ઘટે છે. પ્રક્રિયાની જમણી બાજુની સ્પિસીઝની રિડકશનકર્તા શક્તિ વધે છે.


વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલની ઉપયોગીતાઓ જણાવો.

Hide | Show

જવાબ : વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલના ઉપયોગો નીચે મુજબ છે :

(i) દ્રાવણની pH નક્કી કરવા માટે.

(ii) દ્રાવ્યતા ગુણાકાર અને સંતુલન અચળાંકની ગણતરી માટે.

(iii) અન્ય ઉષ્માગતીકીય ગુણધર્મો અને પોટેન્શિયો-મેટ્રિક અનુમાપનોમાં ઉપયોગી છે.


પદાર્થની વાહકતાના આધારે વાહક પદાર્થો, અવાહક પદાર્થો, અર્ધવાહક પદાર્થો અને અતિવાહક પદાર્થોનું વર્ગીકરણ સમજાવો.

Hide | Show

જવાબ : વાહક પદાર્થો :

        ધાતુઓ અને તેમની મિશ્રધાતુઓની વાહકતા ઘણી જ વધારે હોય છે અને તેઓ વાહક તરીકે ઓળખાય છે. કેટલીક અધાતુઓ જેવી કે કાર્બન બ્લેક, ગ્રેફાઈટ અને કેટલાક કાર્બનિક પોલિમર પણ ઈલેક્ટ્રૉનીય વાહક છે.

અવાહક પદાર્થો :

        કાચ, સિરેમિક વગેરે પદાર્થો જેમને ઘણી ઓછી વાહકતા હોય છે તે અવાહકો તરીકે ઓળખાય છે.

અર્ધવાહક પદાર્થો :

        સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઈડ જેમની વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય છે તેમને અર્ધવાહકો કહે છે અને તે ઉપયોગી ઈલેકટ્રોનીય પદાર્થો છે.

અતિવાહક પદાર્થો :

        કેટલાંક પદાર્થો જેમને વ્યાખ્યા પ્રમાણે અતિવાહકો કહે છે તેમની પ્રતિરોધકતા શૂન્ય હોય છે અથવા અનંત વાહકતા હોય છે.

        અગાઉ ધાતુઓ અને તેમની મિશ્રધાતુઓ ઘણાં નીચા તાપમાને (0 થી 15 K) અતિવાહકો તરીકે જાણીતા હતા પરંતુ હવે અસંખ્ય સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઈડ 150 K જેટલા ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે છે.


ધાત્વીય વાહકતા એટલે શું ? તે સમજાવી તે કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.

Hide | Show

જવાબ : ધાતુઓ દ્વારા વિધુતીય વાહકતાને ઘાત્વીય અથવા ઈલેક્ટ્રૉનીય વાહકતા કહે છે અને તે ઈલેકટ્રોનના સંચલન (movement) ને લીધે હોય છે.

        ઈલેકટ્રોનીય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે છેઃ

(i) ધાતુનો સ્વભાવ (પ્રકૃતિ) અને બંધારણ

(ii) સંયોજક્તા ઈલેકટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ

(iii) તાપમાન (તાપમાનના વધારા સાથે ઘટે છે.)

        ઈલેક્ટ્રોન એક છેડેથી દાખલ થઈને બીજા છેડેથી બહાર નીકળી જાય છે તેથી ધાત્વીય વાહકતાનું સંઘટન બદલાયા વગરનું રહે છે. અર્ધવાહકમાંથી વાહકતાની ક્રિયાવિધિ ઘણી જ જટિલ છે.


આયનીય વાહકતા એટલે શું? તે સમજાવી આયનીય વાહકતા કયાં પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.

Hide | Show

જવાબ : આપણે એ જાણીએ જ છીએ કે અતિશુદ્ધ પાણીમાં પણ ઓછા પ્રમાણમાં હાઈડ્રોજન અને હાઈડ્રોક્સિલ આયન () હોય છે જે તેને ઘણી ઓછી વાહકતા આપે છે (), જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ તેમના પોતાના આયનો દ્રાવણને પૂરા પાડે છે અને તેથી તેની વાહકતા વધે છે.

        દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતનો વહનને વિદ્યુત વિભાજનીય અથવા આયનીય વાહકતા કહેવામાં આવે છે. વિદ્યુતવિભાજ્ય (આયનીય) વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે છે :

(i) ઉમેરેલા વિદ્યુતવિભાજ્યનો સ્વભાવ (પ્રકૃતિ)

(ii) નીપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવકયોજન (solvation)

(iii) દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા

(iv) વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા

(v) તાપમાન (તે તાપમાનના વધારા સાથે વધે છે.)


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

વિદ્યુતરસાયણવિજ્ઞાન

રસાયણ વિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.