GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

મિશ્રણ એટલે શું ? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : બે અથવા વધારે પ્રકારનાં શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થ ને મિશ્રણ કહે છે. દા.. દૂધ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દરિયાનું પાણી ખનિજો અને માટીનું મિશ્રણ છે. મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત જરૂરી નથી. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે.


મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.

Hide | Show

જવાબ : મિશ્રણમાં રહેલા ઘટક કણોને ના સ્વભાવના આધારે મિશ્રણ નું વર્ગીકરણ કરવામાં આવે છે. મિશ્રણના બે પ્રકાર છે : (1) સમાંગ મિશ્રણ (દ્રાવણ (અને (2) વિષમાંગ મિશ્રણ.


શુદ્ધ પદાર્થો નો અર્થ શું થાય છે ?

Hide | Show

જવાબ : જે પદાર્થમાં રહેલા તમામ કણો ના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય.


સમાંગ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દાની યાદી બનાવો.

Hide | Show

જવાબ :


મિશ્રધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્રધાતુ કહે છે. મિશ્રધાતુ એ એક પ્રકારનુ સમાંગ મિશ્રણ છે. કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ-અલગ સંઘટન ધરાવી શકે છે. મિશ્રધાતુમાંના મૂળભૂત ઘટકોને  કોઈપણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. દા.ત. 1. પિત્ત = જસત (Zn) 30% + તાંબું (Cu) 70%          2. નિક્રોમ = નિકલ (Ni) 60% + ક્રોમિયમ (Cr) 40%          3. કાંસુ = કૉપર (Cu) 90% + ટિન (Sn) 10%


દ્રાવ્યતા એટલે શું ?

Hide | Show

જવાબ : નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ મિશ્રને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની દ્રાવ્યતા ભિન્ન ભિન્ન હોય શકે છે.


સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે ?

Hide | Show

જવાબ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ દ્રાવણમાં દ્રાવ્ય ઓગડેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

અથવા

  • ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
  • આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી, દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડું પડતા સંતૃપ્ત દ્રાવણ મળે.


ટૂંક નોંધ લખો : નિલંબન અથવા નિલંબિત દ્રાવણ

Hide | Show

જવાબ : જે દ્રાવણમાં ઘન દ્રવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે.

  • નિલંબિત દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે.
  • નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે.
  • દા.ત., અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ  નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કાણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે.
  • બેરિયમ સલ્ફેટના નાના કદના કાણો પાણીમાં અદ્રાવ્ય સ્વરુપે તરતા દેખાય છે, એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને નરી આંખે જોઈ શકાય છે.
  • ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે.


કલિલ દ્રાવણ કોને કહે છે ?

Hide | Show

જવાબ : જે દ્રાવણમાં, દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, તેવા દ્રાવણને કલિલમય દ્રાવણ અથવા સોલ કહે છે.

  • કલિલ એક વિષમાંગ પ્રણાલી હોય છે.
  • કલિલમય દ્રાવણના ઘટક કાણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે.
  • દા. ત. દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે.


વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એટલે શું ?

Hide | Show

જવાબ : કલિલ દ્રાવણ માં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે, તેને વિક્ષેપિત કલા કહે છે. કલિલ દ્રાવણ માં દ્રાવ્ય જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના લીધે નિલંબિત થયેલા હોય છે, તેને વિક્ષેપન માધ્યમ કહે છે.  ટૂંકમાં કલિલ = વિક્ષેપિત કલા (દ્રાવ્ય) + વિક્ષેપન માધ્યમ (દ્રાવણ)


સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 30g સોડિયમ ક્લોરાઇડને 293k તાપમાને 100g પાણીમાં ઓગાડેલ છે, તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો.

Hide | Show

જવાબ : દ્રાવ્ય(સોડિયમ ક્લોરાઇડ)નું વજન = 36g દ્રાવક(પાણી) નું વજન = 100g દ્રાવણનું વજન = દ્રાવ્યનું વજન + દ્રાવક નું વજન                      =36 +100 = 136g દ્રાવણની સાંદ્રતા (%w/w) =                                      =                                      = 26.47%


અલગીકરણ એટલે શું ? તેનું મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય છે.

  • મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.
  • અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
મહત્વ : અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે.


અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો.

Hide | Show

જવાબ : અલગીકરણ માટેની પદ્ધતિઓ નીચે મુજબ છે : (1) હાથથી ચૂંટવું (2) ગાળણ (3) સેન્ટ્રિફ્યૂગેશન (4) બાષ્પીભવન (5) સ્ફટિકિકરણ (6) સાદું નિસ્યંદન (7) વિમાગીય નિસ્યંદન (8) અલગીકરણ ગળણી (9) ઉધ્વપાતન (10) ક્રોમેટોગ્રાફી (11) ચુંબકીય અલગીકરણ


સેન્ટ્રિફ્યૂગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો.

Hide | Show

જવાબ : જ્યારે મિશ્રણ ભારે અને હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટ્રિફ્યૂજિંગ યંત્રમાં મૂકી ઝડપથી ગોળ ઘુમાવતાં ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે.


સેન્ટ્રિફ્યૂગેશન પદ્ધતિ (કેન્દ્રત્યાગી પદ્ધતિ) નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : જ્યારે પ્રવાહીમાં રહેલા ઘણો અતિસૂક્ષ્મ હોય ત્યારે તે ગાળણપત્રમાંથી સહેલાઇથી પસાર થઈ જાય છે. તેથી ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ કરવા માટે સેન્ટ્રિફ્યૂગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે.


ભિન્નકારી ગળણી નો સિદ્ધાંત જણાવો.

Hide | Show

જવાબ : એકબીજામાં મિશ્ર ન થઇ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ-અલગ સ્તરોમાં અલગીકરણ કરવું, એ ભિન્નકારી ગળણી નો સિદ્ધાંત છે.


ભિન્નકારી ગળણીના અનુપ્રયોગો જણાવો.

Hide | Show

જવાબ : ભિન્નકારી ગળણીના અનુપ્રયોગો નીચે મુજબ છે: તેલ અને પાણીના મિશ્રણ ને અલગ કરવા માટે ઉપયોગી છે. લોખંડ ની કાચી ધાતુ માંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન  હલકું સ્લેગ  ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે અને પીગળેલ લોખંડ ભટ્ઠીના તળિયે રહી જાય છે.


ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી) પદ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે મિશ્રણમાં(દ્રાવણ) બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવત ના આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે.

  • ગ્રીક ભાષામાં ક્રોમા નો અર્થ રંગ થાય છે.
  • આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે થયો હતો. તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે.
  • એક દ્રાવક માં ઓગાળેલાં જુદાં જુદાં દ્રવયોના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે.


ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો જણાવો.

Hide | Show

જવાબ : ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • રંગકના દ્રાવણ માં રહેલા રંગોને અલગ કરવા માટે ઉપયોગી છે.
  • કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે ઉપયોગી છે.
  • રુધિર(લોહી) માંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે ઉપયોગી છે.


હવા એક કેવું મિશ્રણ છે? તેને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય ?

Hide | Show

જવાબ : હવા એ એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે. વિભાગીય નિસ્યંદન દ્વારા તેને તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે.


હવામાં હજાર રહેલા વાયુઓને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.

Hide | Show

જવાબ : નાઇટ્રોજન < આર્ગોન < ઑક્સિજન


જયારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે ?

Hide | Show

જવાબ : જયારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે ઑક્સિજન વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે.


સ્ફટિકીકરણ એટલે શું? આ પદ્ધતિ શાના માટે વપરાય છે ?

Hide | Show

જવાબ : દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટેની પદ્ધતિ ને સ્ફટિકીકરણ કહે છે. આ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધીકરણ માટે વપરાય છે.


સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. કારણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે કારણ કે (1) બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. (2) કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય છે. (3) ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે રહી જાય છે, જે બાષ્પીભવન થી ઘન પદાર્થ અને અશુદ્ધ કરે છે. જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી.


સ્ફટિકીકરણના અનુપ્રયોગો જણાવો.

Hide | Show

જવાબ : સ્ફટિકીકરણના અનુપ્રયોગો નીચે મુજબ છે :

  • દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધીકરણ કરવા માટે ઉપયોગી છે.
  • ફટકડી (પોટાશ એલમ) ના અશુદ્ધ નમૂનામાંથી તેના અલગીકરણ કરવા માટે ઉપયોગી છે.


પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે. તેના બનાવેલા મિશ્રણને (તેમના ઉત્કલનબિંદુનો તફાવત 25 કરતાં વધુ છે.) કેવી રીતે અલગ કરશો ?

Hide | Show

જવાબ : પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે. તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.


નીચેના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિનાં નામ દર્શાવો :

  1. દહીંમાંથી માખણ
  2. દરિયાના પાણીમાંથી મીઠું
  3. મીઠામાંથી કપૂર
Hide | Show

જવાબ :

  1. દહીંમાંથી માખણ : સેન્ટ્રિફ્યૂગેશન
  2. દરિયાના પાણીમાંથી મીઠું : બાષ્પીભવન
  3. મીઠામાંથી કપૂર : ઊધ્વપાતન


કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય ?

Hide | Show

જવાબ : દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે.


તફાવત આપો : ભૌતિક અને રાસાયણિક ફેરફાર.

Hide | Show

જવાબ :

ભૌતિક ફેરફાર

રાસાયણિક ફેરફાર

1. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. 1. જે ફેરફાર દરમિયાન પદાર્થ નું રાસાયણિક સંઘટન(બંધારણ) બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે.
2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. 2.    આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો માં ફેરફાર થાય છે
3. આ ફેરફાર કાયમી નથી. 3.   આ ફેરફાર કાયમી છે
4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. 4.    આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી


અર્ધધાતુ તત્ત્વો એટલે શું? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્ત્વો ની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તે તત્ત્વો ને અર્ધધાતુ તત્વો કહે છે. દા.ત., બોરોન, સિલિકોન, જર્મેનિયમ.


સંયોજન એટલે શું? સમજાવો.

Hide | Show

જવાબ : બે અથવા વધારે તત્ત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થ અને સંયોજન કહે છે.

  • સંયોજન બનતી વખતે તત્ત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે.
  • દા.ત., પાણી એ હાઈડ્રોજન અને ઑક્સિજન એમ બે તત્ત્વો નું 1: 8 દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે.
  • સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્ત્વોના ગુણધર્મો કરતાં અલગ પડે છે.
  • દા.ત., પાણી હાઈડ્રોજન અને ઑક્સિજનના ગુણધર્મો ધરાવતું નથી.
  • સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી.


દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું ? ત્રણ ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે. (1) બરફનું પાણીમાં રૂપાંતર, (2) ખાંડ પાણીમાં ઓગળવી અને (3) કપૂરની ઊર્ધ્વપાતન


દ્રવ્યનો રાસાયણિક ફેરફાર એટલે શું ? ત્રણ ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે, તેને દ્રવ્યનો રાસાયણિક ફેરફાર કહે છે. (1) લોખંડને કાટ લાગવો, (2) ચૂનાના પથ્થરને ગરમ કરવાથી તેનું વિઘટન થવું અને (3) દૂધનું દહીમાં રૂપાંતર થવું.


તત્વની વ્યાખ્યા આપો. પ્રવાહી ધાતુ અને પ્રવાહી અધાતુ તત્વનું એક – એક ઉદાહરણ લખો.

Hide | Show

જવાબ : એક જ પ્રકારના પરમાણુઓના બનેલા જથ્થાને (પદાર્થને) તત્વ કહે છે. પ્રવાહી ધાતુ : પારો અને પ્રવાહી અધાતુ : બ્રોમિન


મિશ્રણ એટલે શું ? મિશ્રણના પ્રકાર જણાવી, દરેકનું એક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : બે અથવા વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. મિશ્રણના બે પ્રકાર છે : (1) સમાંગ મિશ્રણ : મીઠાનું પાણીમાં મિશ્રણ (2) વિષમાંગ મિશ્રણ : NaCl અને Fe નું મિશ્રણ


નીચેનાં મિશ્રણોના પ્રકાર જણાવો :

(1) ખાંડમાં ભેળવેલ સ્ટાર્ચ (2) દૂધમાં ભેળવેલું પાણી (3) ચામાં ભેળવેલ લોખંડનો ભૂકો (4) પેટ્રોલમાં ભેળવેલું પાણી

Hide | Show

જવાબ : (1) ખાંડમાં ભેળવેલ સ્ટાર્ચ - વિષમાંગ મિશ્રણ (2) દૂધમાં ભેળવેલું પાણી – સમાંગ મિશ્રણ (3) ચામાં ભેળવેલ લોખંડનો ભૂકો - વિષમાંગ મિશ્રણ (4) પેટ્રોલમાં ભેળવેલું પાણી – સમાંગ મિશ્રણ


પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ આપો.

Hide | Show

જવાબ : પિત્તળમાં 30 % જસત અને 70 % તાંબુ હોય છે.


‘ટિંચર આયોડિન’ એટલે શું ? તેનો ઉપયોગ લખો.

Hide | Show

જવાબ : આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્વાવણને ટિંચર આયોડિન કહે છે. તે એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી) તરીકે ઉપયોગી છે.


અસંતૃપ્ત દ્રાવણ કોને કહે છે ?

Hide | Show

જવાબ : જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય, તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.


તાપમાન વધતાં દ્રાવ્યતામાં શું ફેરફાર થાય છે ?

Hide | Show

જવાબ : તાપમાન વધતાં દ્રાવ્યતામાં વધારો થાય છે.


વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ કોને કહે છે ?

Hide | Show

જવાબ : કલિલમાં જે કલાનું વિતરણ થાય તેને વિક્ષેપિત કલા અને જે કલામાં વિતરણ થાય તેને વિક્ષેપન માધ્યમ કહે છે.


વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કલિલ પ્રણાલી (દ્રાવણ) ના કેટલા પ્રકાર છે ?

Hide | Show

જવાબ : વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કલિલ પ્રણાલી (દ્રાવણ) ના આઠ પ્રકાર છે.


ધુમ્મસ અને ધુમાડો બંને એરોસોલ પ્રકારના કલિલ હોવા છતાં તેમાં શેનો તફાવત છે ?

Hide | Show

જવાબ : ધુમ્મસ અને ધુમાડો બંને એરોસોલ પ્રકારના કલિલ હોવા છતાં બંનેમાં વિક્ષેપિત કલા જુદી જુદી છે. - ધુમ્મસ અને ધુમાડામાં વિક્ષેપન માધ્યમ વાયુ છે, જ્યારે વિક્ષેપિત કલા અનુક્રમે પ્રવાહી અને ઘન છે.


મિલ્ક ઓફ મેગ્નેશિયા અને શેવિંગ ક્રીમના કલિલનો પ્રકાર, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જણાવો.

Hide | Show

જવાબ : મિલ્ક ઓફ મેગ્નેશિયા એ સોલ છે, જેમાં વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે. - શેવિંગ ક્રીમ એ ફીણ પ્રકારનું કલિલ છે, જેમાં વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે.


બાષ્પીભવન દ્વારા ક્યા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે ?

Hide | Show

જવાબ : બાષ્પીભવન દ્વારા બાષ્પશીલ ઘટક (દ્રાવક) અને અબાષ્પશીલ ઘટક (દ્રાવ્ય) નું મિશ્રણમાંથી અલગીકરણ કરી શકાય છે.


ભિન્નકારી ગળણી ક્યા સિદ્વાંત પર કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું તેમની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ થઈ શકે છે.


ક્રોમેટોગ્રાફી પદ્વતિથી ક્યા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે ?

Hide | Show

જવાબ : એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્ય ઘટકો કે જેમની દ્રાવ્યતા ભિન્ન હોય તેવા ઘટકોનું મિશ્રણમાંથી અલગીકરણ કરવા વપરાય છે.


રુધિરમાંથી નાશકારક દ્રવ્યોને અલગ કરવા કઈ પદ્વતિ ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા ક્રોમેટોગ્રાફી પદ્વતિ ઉપયોગી છે.


નિસ્યંદન પદ્વતિથી ક્યા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે ?

Hide | Show

જવાબ : વિઘટન પામ્યા વગર ઊકળતા અને સરળતાથી મિશ્ર થઈ શકે તેવાં બે પ્રવાહી કે જેમનાં ઉત્કલનબિંદુ વચ્ચે વધુ તફાવત (25 C) હોય તેવા ઘટકોનું અલગીકરણ કરવા માટે વપરાય છે.


વિભાગીય નિસ્યંદનમાં વિભાગીય સ્તંભોનો ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે આ વિભાગીય સ્તંભમાં નાના નાના કાચના ટુકડા ભરવામાં આવે છે. કાચના ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંઘનીત થવા માટે જરૂરી સપાટી પૂરી પડે છે.


ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું ઉત્કલનબિંદુ અને હવામાં કદથી ટકાવાર પ્રમાણ જણાવો.

Hide | Show

જવાબ : ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું ઉત્કલનબિંદુ અનુક્રમે  અને   - ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજનનું હવામાં કદથી ટકાવાર પ્રમાણ અનુક્રમે 20.9, 0.9 અને 78.1 છે.


હાલના સમયમાં તત્વોની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : હાલના સમયમાં તત્વોની સંખ્યા 100થી વધુ (118) છે, જે પૈકી 92 તત્વો કુદરતી અને બાકીના તત્વો માનવનિર્મિત છે.


સિલિકોન અને જર્મેનિયમ શા માટે અર્ધધાતુ તત્વો છે ?

Hide | Show

જવાબ : સિલિકોન અને જર્મેનિયમ બંને તત્વોના ગુણધર્મો ધાતુ અને અધાતુ તત્વો જેવા હોવાથી અર્ધધાતુ તત્વો છે.


શુદ્વ પદાર્થ એટલે શું ?

Hide | Show

જવાબ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્વ પદાર્થ કહે છે.


મિશ્રણની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : એક કરતાં વધુ પ્રકારનાં તત્વોમાંથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે.


સંયોજનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કારી બનતા નવા પદાર્થને સંયોજન કહે છે.


સમાંગ મિશ્રણ એટલે શું ?

Hide | Show

જવાબ : એક સમાન સંઘટન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે.


મિશ્રધાતુ એટલે શું ?

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુના મિશ્રણને મિશ્રધાતુ કહે છે.


દ્રાવકની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.


દ્રાવકની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : દ્રાવણનો જે ઘટક કણ અન્ય ઘટક કણોને પોતાનામાં ઓગાળે (દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે માત્રામાં હોય) તેને દ્રાવક કહે છે.


દ્રાવ્યની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે (દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય) તેને દ્રાવ્ય કહે છે.


દ્રાવ્યતાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : ચોક્કસ (નિયત) તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.


સંતૃપ્ત દ્રાવણ એટલે શું ?

Hide | Show

જવાબ : નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.


અસંતૃપ્ત દ્રાવણ એટલે શું ?

Hide | Show

જવાબ : જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે.


દ્રાવણની સાંદ્રતા ને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે. અથવા નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ દળના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.


નિલંબન એટલે શું ?

Hide | Show

જવાબ : વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે.


કલિલ એટલે શું ?

Hide | Show

જવાબ : જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય, તો તે દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે.


ટિંડલ અસર સમજાવો.

Hide | Show

જવાબ : કલિલ (સોલ) માંથી પ્રકાશનું કિરણ પસાર કરતાં કલિલ કણો વડે પ્રકાશકિરણોનું પ્રકીર્ણન થવાથી તેનો માર્ગ પ્રકાશિત થાય છે. આ ઘટનાને ટિંડલ અસર કહે છે.


ઈમલ્શન એટલે શું ?

Hide | Show

જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય, તેને ઈમલ્શન કહે છે.


ઘન સોલની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને ઘન હોય, તેને ઘન સોલ કહે છે.


એરોસોલની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : જે કલિલમાં વિક્ષેપિત કલા પ્રવાહી કે વાયુ પરંતુ વિક્ષેપન માધ્યમ વાયુ હોય, તેને એરોસોલ કહે છે.


સ્ફટિકીકરણ એટલે શું ?

Hide | Show

જવાબ : દ્રાવણમાંથી શુદ્ર ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્રતિને સ્ફટિકીકરણ કહે છે.


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?

સોડિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડના પાણીમાં બનાવેલા દ્રાવણોમાંથી (સ્વા_1(a))

Hide | Show

જવાબ : બાષ્પીભવન


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?

એમોનિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડ અને એમોનિયમ ક્લોરાઈડનાં મિશ્રણમાંથી (સ્વા_1(b))

Hide | Show

જવાબ : ઊધર્વપાતન


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

ધાતુનાં નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન - ઓઈલમાંથી (સ્વા_1(c))

Hide | Show

જવાબ : ગાળણ


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

જુદા – જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓનાં અર્કમાંથી (સ્વા_1(d))

Hide | Show

જવાબ : ક્રોમેટોગ્રાફી


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

માખણને દહીમાંથી (સ્વા_1(e))

Hide | Show

જવાબ : સેન્ટ્રિફ્યુગેશન


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

તેલને પાણીમાંથી (સ્વા_1(f))

Hide | Show

જવાબ : ભિન્નગાળણ ગળણીના ઉપયોગ દ્વારા


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી (સ્વા_1(g))

Hide | Show

જવાબ : ગાળણ


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

રેતીમાંથી લોખંડની ટાંકણીઓને (સ્વા_1(h))

Hide | Show

જવાબ : ચુંબકીય અલગીકરણ


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

ઘઉંનાં દાણાને ભૂંસાં (છોતરાં) માંથી (સ્વા_1(i))

Hide | Show

જવાબ : હવાના ઉપયોગ (winnowing)


નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો ?

માટી (કાદવ)ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી (સ્વા_1(j))

Hide | Show

જવાબ : ડિકેન્ટેશન (Decantation) અને ગાળણ


નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો : સંતૃપ્ત દ્રાવણ (સ્વા_4(a))

Hide | Show

જવાબ : જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ણ શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે.”


નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો : શુધ્ધ પદાર્થ (સ્વા_4(b))

Hide | Show

જવાબ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુધ્ધ પદાર્થ કહે છે.” દા.ત., સોનું, ચાંદી


નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો : કલિલ (સ્વા_4(c))

Hide | Show

જવાબ : કલિલ એક વિષમાંગ પ્રણાલી છે કે જેમાં વિક્ષેપન માધ્યમમાં ખૂબ ઝીણા – ઝીણા કણો રહેલા હોય છે.” દા.ત., દૂધ, માખણ, ડહોળું પાણી, સ્ટાર્ચનું દ્રાવણ


નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો : નિલંબન (સ્વા_4(d))

Hide | Show

જવાબ : વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે.”


નીચે આપેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :

સોડાવોટર, લાકડું, હવા, જમીન, વિનેગર, ગાળેલી ચા (સ્વા_5)

Hide | Show

જવાબ : સમાંગ મિશ્રણ : સોડાવોટર, વિનેગાર, ગાળેલી ચા, હવા વિષમાંગ મિશ્રણ : લાકડું, જમીન (માટી)


નીચેનામાંથી ક્યા પદાર્થો શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય ? (સ્વા_7)

(a) બરફ (b) દૂધ (c) લોખંડ (d) હાઈડ્રોક્લોરિક એસિડ (e) કેલ્શિયમ ઓકસાઈડ (f) મરકયુરી (g) ઈંટ (h) લાકડું (i) હવા.

Hide | Show

જવાબ : શુદ્ધ પદાર્થો : બરફ, લોખંડ, કેલ્શિયમ ઓકસાઈડ અને મરકયુરી


નીચે આપેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો : (a) માટી (b) દરિયાનું પાણી (c) હવા (d) કોલસો (e) સોડાવોટર (સ્વા_8)

Hide | Show

જવાબ : દ્રાવણો – સમાંગ મિશ્રણ : દરિયાનું પાણી, હવા અને સોડાવોટર


નીચે પૈકી ક્યાં પદાર્થ ટિંડલ અસર દર્શાવશે ? (a) મીઠાનું દ્રાવણ (b) દૂધ (સ્વા_9)

Hide | Show

જવાબ : ટિંડલ અસર દર્શાવી શકે : દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ


દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી જણાવો.

Hide | Show

જવાબ : દ્રાવણ : બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.

દ્રાવક: દ્રાવણ નો જે ઘટક પણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે અથવા દ્રાવણ માં જે ઘટક પણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય, તેને દ્રાવક કહેવામાં આવે છે.

દ્રાવ્ય : દ્રાવણ નો જે ઘટક પણ દ્રાવક માં ઓગળે તેને દ્રાવ્ય કહે છે અથવા દ્રાવણમાં જે ઘટક કણ ની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય કહેવામાં આવે છે.

  • ટૂંકમાં, દ્રાવણ = દ્રાવ્ય + દ્રાવક
  • દા.ત., 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી ખાંડ નું દ્રાવણ બનાવીએ, તો ખાંડને દ્રાવ્ય(ઓછો જથ્થો 10 ગ્રામ), પાણીને દ્રાવક (વધુ જથ્થો 100 ગ્રામ ) અને ઓગાળેલી ખાંડના ગડીયા પ્રવાહીને દ્રાવણ (સમાંગ મિશ્રણ) કહે છે.​​​​​​​
  • દ્રાવણ ના કણોમાં સમાંગતા જોવા મળે છે.


દ્રાવણના ગુણધર્મો લખો.

Hide | Show

જવાબ : દ્રાવણના ગુણધર્મો નીચે આપ્યા મુજબ છે:

  • દ્રાવણ સમાંગ મિશ્રણ છે.
  • દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. આથી તે નરી આંખે જોઇ શકાતા નથી.
  • દ્રાવણના કણોના કદ અતિસૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી. આથી દ્રાવણ કિલ અસર દર્શવાતા નથી. અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ જોવા મળતો નથી.
  • ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણરૂપી મિશ્રણમાંથી અલગ પડી શકતા નથી.
  • દ્રાવણ ને ખલેલ પાડયા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કરો નીચે બેસતા નથી, એટલે કે દ્રાવણ સ્થાયી છે.


દ્રાવણની સાંદ્રતા એટલે શું ? એ કઈ રીતે દર્શાવી શકાય છે ?

Hide | Show

જવાબ : નિયત તાપમાને આપેલા જથ્થા (દળ અથવા કદ) ના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલા જથ્થાના દ્રાવકમાં ઓગડેલ દ્રાવ્યની માત્રાને સાંદ્રતા કહે છે.

અથવા

નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવક માં ઓગળેલા દ્રવ્યના જથ્થાને તે દ્રાવણ ની સાંદ્રતા કહે છે,

દ્રાવણ ની સાંદ્રતા =

  • ટૂંકમાં, દ્રાવણની સાંદ્રતા દ્રાવ્ય પદાર્થોનો જ્ઞાત જથ્થો દ્રાવક ના જ્ઞાત જથ્થામાં કેટલો છે તે દર્શાવે છે.
  • દ્રાવણ ની સાંદ્રતા બે રીતે દર્શાવી શકાય છે :
  1. વજન-વજનથી ટકાવારી : 100 ગ્રામ દ્રાવણ માં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને વજન-વજનથી (%w/w) ટકાવારી કહે છે.
 

  1. વજન-કદથી ટકાવારી : 100 મિલિ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને વજન-કદથી ટકાવારી (%w/v) કહે છે.


નિલંબનના ગુણધર્મો જણાવો. અથવા નિલંબિત દ્રાવણના ગુણધર્મો લખો.

Hide | Show

જવાબ : નિલંબિત દ્રાવણના ગુણધર્મો નીચે જણાવ્યા મુજબ છે :

  1. નિલંબિત દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે.
  2. નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે.
  3. નિલંબિત કણો દ્રાવણ માંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેથી પ્રકાશનાં કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે.
  4. નિલંબિત કણોને ખલેલ પહોંચાડયા સિવાય મૂકી રાખવામાં આવે, તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે. એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી.​​​​​​​
  5. નિલંબિત દ્રાવણને મિશ્રણ માંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી.


ટૂંકમાં નોધ લખો : ટિંડલ અસર

Hide | Show

જવાબ : કલિલ કણોનું કદ નાનું હોવાથી (<1nm) તેને નરી આંખે જોઇ શકાતા નથી.

- કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે આથી પ્રકાશ કિરણપુંજ નો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસર ને ટિંડલ અસર કહેવામાં આવે છે.

- આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ cઅસર કહે છે.

- બંધ ઓરડાની છત્તમાં રહેલા નાના છિદ્રમાંથી જયારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે.

- વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે.

- ગાઢ જંગલોની છાયામાંથી જયારે સૂર્યપ્રકાશનાં કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકડનાં પાણીનાં અતિસૂક્ષ્મો કણો પ્રકાશનાં કિરણોનું પ્રકીર્ણન કરે છે.


કલિલ દ્રાવણના ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : કલિલ દ્રાવણના ગુણધર્મો નીચે આપ્યા મુજબ છે :

  1. કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે, જોકે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે.
  2. દ્રાવ્યનાં કાણો (વિક્ષેપિત કલા) દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે.
  3. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે.
  4. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રાસેન્ટ્રિફ્યુઝ  જેવા સાધનથી અલગ કરવામાં આવે છે.
  5. તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના ઘણો કરતા ના હોય છે(આશરે nm)
  6. પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે જેને ટિંડલ અસર કહે છે. આવીજ ટિંડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ (હવા) માં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે, આમ તે વાયુમય (એરોસોલ) કલિલ છે.
  7. કલિલ દ્રાવણ ને ખલેલ પહોંચાડયા વગર રાખી મુકવામાં આવે, તો નીચે બેસી જતા નથી આથી તે સ્થાયી છે.


સેન્ટ્રિફ્યૂગેસન પદ્ધતિના અનુપ્રયોગ લખો.

Hide | Show

જવાબ : સેન્ટ્રિફ્યૂગેસન પદ્ધતિના અનુપ્રયોગ નીચે પ્રમાણે છે :

- નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે.

- દૂધની ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણ ને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

- વોશિંગ મશીનમાં ભીના કપડાંને નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે ઉપયોગી છે.


અલગીકરણ માટે ઊર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ? સમજાવો.

Hide | Show

જવાબ : મિશ્રણમાં એક ઘટક ઊર્ધ્વપાતન પામી ના શકે તેવો, જ્યારે બીજો ઘટક ઊર્ધ્વપાતન પામી શકે તેવો હોય ત્યારે ઘટકોનું અલગીકરણ કરવા ઊર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે.

  • દા.ત., મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ના મિશ્રણમાં મીઠું ઊર્ધ્વપાતન પામી ના શકે તેવો ઘટક છે, જ્યારે એમોનિયમ ક્લોરાઇડ એ ઊર્ધ્વપાતન પામી શકે તેવો ઘટક (ઊર્ધ્વપાત્તી પદાર્થ) છે. આ મિશ્રણને ચાઇના ડિશમાં લઇ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની ઉપર ગળણી ઊંધી ગોઠવી, ઉંધી ગોઠવીનું નળચું રુના ધુમાડા વડે બંધ કરો, આ મિશ્રણને ગરમ કરતાં, બંને ઘટકોનું અલગીકરણ થાય છે.
  • એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેપ્થેલીન, આયોડિન અને એન્થ્રેસીન ઊર્ધ્વપાતન પામી શકે તેવા ઘન પદાર્થ છે.

​​​​​​​


ટૂંક નોંધ લખો : વિભાગીય નિસ્યંદન.

Hide | Show

જવાબ : એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકતાં બે કે તેથી વધુ પ્રવાહી કે જેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત 25k (25) કરતાં ઓછો હોય, તો તેવાં પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોનું અલગીકારણ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ઉપયોગમાં આવે છે.

  • આ પદ્ધતિ માટે વપરાતું સાધન સાદા નિસ્યંદન સાધન જેવું જ હોય છે. પરંતુ આ પદ્ધતિમાં નિસ્યંદન ફ્લાસ્ક અને જળ સંઘનિત્ર (condenser) વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં આવે છે.
  • વિભાગીય સ્તંભ એક કાચના નાના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે.
  • કાચના ટુકડા બાષ્પને સંઘનિત થવા માટે અને ત્યારબાદ ઠંડી પડવા માટે સપાટી પૂરી પાડે છે.    
  • આ પદ્ધતિ દ્વારા પેટ્રોલિયમ પેદાશો માંથી તેના વિવિધ ઘટકો નું અલગીકરણ કરી શકાય છે.

​​​​​​​


હવામાંથી વિવિધ વાયુઓ અને અલગ કરવા માટેના પક્રમનો ક્રમદર્શી આલેખ જણાવો.

Hide | Show

જવાબ : હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પક્રમનો ક્રમદર્શી આલેખ નીચે પ્રમાણે છે :

જે આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે :

હવા

દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચાવું(Compress)અને ઠંડુ(Cool) કરવું.

પ્રવાહીકૃત હવા

વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો.

વાયુઓ જુદી-જુદી ઊંચાઈએ અલગીકૃત થાય છે.

 

ઑક્સિજન

આર્ગોન

નાઇટ્રોજન

ઉત્કલનબિંદુ()

-183

-186

-196

હવામાં કદથી ટકાવાર પ્રમાણ

20.9

0.9

78.1


હવામાંથી ઑક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ લખો.

Hide | Show

જવાબ : હવામાંથી ઑક્સિજન વાયુ મેળવવા માટે હવામાંના દરેક વાયુ ઘટકોનું અલગીકરણ કરવું જરુરી હોય છે.

  • આ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડી અને દબાણ વધારી સંકોચન થાય છે. આથી હવાનું પ્રવાહીકૃત સ્વરૂપ મળે છે.​​​​​​​
  • આ પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. અહીં ઉત્કલનબિંદુ ના તફાવતના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓનું અલગીકરણ કરી ઑક્સિજન વાયુ મેળવી શકાય છે.


શહેરમાં પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવે છે ? વિસ્તારમાં સમજાવો.

Hide | Show

જવાબ : શહેરમાં પીવાલાયક પાણી પાણી નું શુદ્ધીકરણ કરી પૂરું પાડવામાં આવે છે.

  • આ માટેનો એક ક્રમદર્શી આલેખ નીચે આપેલો છે.
​​​​​​​

 

  • સૌપ્રથમ સંગ્રાહક માંથી પાણીનો જથ્થો અવસાદન ટાંકીમાં પસાર કરવામાં આવે છે જેથી પાણીમાંના ઘન સ્વરૂપના ઘટકો નીચે (તળિયે) બેસી જાય છે.
  • ત્યારબાદ આલંબિત અશુદ્ધિઓ દૂર કરવા માટે ભારણ ટાંકીમાં પાણી ને પસાર કરવામાં આવે છે.
  • ભારણ ટાંકીમાંથી પાણીનો પ્રવાહ ગાળણ ટાંકીમાં લઈ જવામાં આવે છે.
  • આ પાણીના જથ્થામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે તેનું ક્લોરિનેશન કરવામાં આવે છે.​​​​​​​
  • આ રીતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે.


નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરી લખો :

  • ઝાડનું કાપવું.
  • તવીમાં માખણનું પીગળવું.
  • તિજોરીને કાટ લાગવો.
  • પાણી ઉકાળીને વરાળ બનાવવી.
  • પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી, પાણીનું હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું.
  • પાણીમાં સામાન્ય ક્ષાર(મીઠું) ઓગાડવું.
  • કાચાં ફળો વડે ફ્રુટસલાડ બનાવવું.​​​​​​​
  • કાગળ અને લાકડાનું સળગવું.
Hide | Show

જવાબ : આપેલ ફેરફારોનું  ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ નીચે આપ્યા મુજબ છે :

ભૌતિક ફેરફાર

રાસાયણિક ફેરફાર

  • ઝાડનું કાપવું.
  • તવીમાં માખણનું પીગળવું.
  • પાણી ઉકાળીને વરાળ બનાવવી.
  • પાણીમાં સામાન્ય ક્ષાર(મીઠું) ઓગાડવું.
  • કાચાં ફળો વડે ફ્રુટસલાડ બનાવવું.
 

  • તિજોરીને કાટ લાગવો.
  • પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી, પાણીનું હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું.
  • કાગળ અને લાકડાનું સળગવું.

 


અધાતુ તત્ત્વોના ગુણધર્મો લખો.

Hide | Show

જવાબ : અધાતુ તત્ત્વો નીચેનામાંથી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે :

  • અધાતુ તત્ત્વો વિવિધ રંગ ધરાવે છે.
  • અધાતુ તત્ત્વો વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે.
  • અધાતુ તત્ત્વો ટીપાઉપણું, તણાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મોં ધરાવતા નથી.
  • કેટલાક અધાતુ તત્ત્વો અપરરૂપ હોય છે.​​​​​​​
  • આયોડિન, કાર્બન, બ્રોમિન, હાઈડ્રોજન, ઑક્સિજન, ક્લૉરીન અધાતુ તત્ત્વો છે.


ચા બનાવવા માટે તમે ક્યાં – ક્યાં પગલાં લેશો ? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય,દ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો ? (સ્વા_2)

Hide | Show

જવાબ :

ચા બનાવવા માટે આપણે નીચે મુજબનાં પગલાં લેવા જરૂરી છે :

  • (1) સૌ પ્રથમ એક પાત્રમાં થોડુંક પાણી લેવામાં આવે છે. અહી પાણી એ દ્રાવક તરીકે વર્તે છે.
  • (2) હવે આ પાણીમાં કેટલીક ખાંડ ઉમેરવામાં આવે છે, જે દ્રાવ્ય તરીકે ઓળખાશે.
  • (3) આ પાત્રને ગરમ કરવાથી દ્વાવક પાણીમાં દ્વાવ્ય ખાંડ સંપૂર્ણપણે ઓગળી જઈને સમાંગ મિશ્રણ બનાવે છે.
  • (4) ત્યારબાદ તેમાં ચા પત્તી અથવા ચા ઉમેરી આ મિશ્રણને વધુ ગરમ કરવામાં આવે છે, પરંતુ મિશ્રણમાં ચા પત્તી એ અદ્રાવ્ય રહે છે.
  • (5) હવે, મિશ્રણમાં દૂધ ઉમેરી થોડા સમય માટે ઉકાળો.​​​​​​​
  • (6) આ તૈયાર થયેલ મિશ્રણને હવે ગાળી લેવામાં આવે છે તેના ગાળણથી કપમાં દ્રાવ્ય પદાર્થો લીલી ચા (પીવાની ચા) તરીકે મળી આવે છે, જ્યારે અદ્રાવ્ય પદાર્થ તરીકે ચા (ચા પત્તી) એ અવશેષ તરીકે મળે છે.


પ્રજ્ઞા ત્રણ જુદા – જુદા પદાર્થોની જુદાં – જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે આપેલ આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્વાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે) : (સ્વા_3(a))

ઓગળેલ પદાર્થ

તાપમાન (K)

283

293

313

333

353

પોટેશિયમ નાઈટ્રેટ

સોડિયમ ક્લોરાઈડ

પોટેશિયમ ક્લોરાઈડ

એમોનિયમ ક્લોરાઈડ

21

36

35

24

32

36

35

37

62

36

40

41

106

37

46

55

167

37

54

66

313 K તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઈટ્રેટનું સંતૃપ્ત દ્વાવણ બનાવવા માટે પોટેશિયમ નાઈટ્રેટનું કેટલું દળ જોઈશે ?

Hide | Show

જવાબ :


પ્રજ્ઞા ત્રણ જુદા – જુદા પદાર્થોની જુદાં – જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે આપેલ આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે) : (સ્વા_3(b))

ઓગળેલ પદાર્થ

તાપમાન (K)

283

293

313

333

353

પોટેશિયમ નાઈટ્રેટ

સોડિયમ ક્લોરાઈડ

પોટેશિયમ ક્લોરાઈડ

એમોનિયમ ક્લોરાઈડ

21

36

35

24

32

36

35

37

62

36

40

41

106

37

46

55

167

37

54

66

પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં તાપમાને ઠંડુ પાડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન કેવું હશે ? સમજાવો.

Hide | Show

જવાબ : અવલોકન : જેમ, પોટેશિયમ ક્લોરાઈડનું દ્રાવણ ઠંડુ પડશે તેમ દ્રાવણમાં પોટેશિયમ ક્લોરાઈડ ઉત્પન્ન થશે (અવક્ષેપિત થશે) કારણ કે સંતૃપ્ત દ્રાવણ બનાવતા જો તાપમાનમાં વધારો થાય તો દ્રાવકમાં દ્રાવ્યની ક્ષમતા વધે છે, પરંતુ અહી ઠંડુ પડતાં તાપમાન ઘટવાથી દ્રાવ્ય પાછો ઘન સ્વરૂપે (અવક્ષેપ) જોવા મળે છે.


પ્રજ્ઞા ત્રણ જુદા – જુદા પદાર્થોની જુદાં – જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે આપેલ આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે) : (સ્વા_3(c))

ઓગળેલ પદાર્થ

તાપમાન (K)

283

293

313

333

353

પોટેશિયમ નાઈટ્રેટ

સોડિયમ ક્લોરાઈડ

પોટેશિયમ ક્લોરાઈડ

એમોનિયમ ક્લોરાઈડ

21

36

35

24

32

36

35

37

62

36

40

41

106

37

46

55

167

37

54

66

293 K તાપમાને આપેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને ક્યાં ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?

Hide | Show

જવાબ : 293 K તાપમાને આપેલ દરેક ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે.

  • પોટેશિયમ નાઈટ્રેટ   :  : 32
  • પોટેશિયમ ક્લોરાઈડ :    : 35
  • સોડિયમ ક્લોરાઈડ   :  : 36
  • એમોનિયમ ક્લોરાઈડ :  : 37​​​​​​​
  • અહી, 293 K તાપમાને એમોનિયમ ક્લોરાઈડ  ક્ષારની દ્રાવ્યતા (37) સૌથી વધુ છે.


પ્રજ્ઞા ત્રણ જુદા – જુદા પદાર્થોની જુદાં – જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે આપેલ આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ છે) : (સ્વા_3(d))

ઓગળેલ પદાર્થ

તાપમાન (K)

283

293

313

333

353

પોટેશિયમ નાઈટ્રેટ

સોડિયમ ક્લોરાઈડ

પોટેશિયમ ક્લોરાઈડ

એમોનિયમ ક્લોરાઈડ

21

36

35

24

32

36

35

37

62

36

40

41

106

37

46

55

167

37

54

66

ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની અસર શું થશે ?

Hide | Show

જવાબ : જેમ, તાપમાન વધે તેમ દ્રાવણમાં ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય છે.

  • ટૂંકમાં, તાપમાન વધતાં ક્ષારની દ્રાવ્યતા વધે છે.


તમને આપેલ રંગહીન શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ? (સ્વા_6)

Hide | Show

જવાબ : શુદ્વ પાણીનું ઉત્કલન બિંદુ 100 C છે.

  • આથી, આપેલ રંગવિહીન પ્રવાહી પાણી છે કે નહીં તેની ચકાસણી નીચે મુજબ પ્રયોગ દ્વારા કરી શકાય છે.
  • સૌ પ્રથમ આપેલ રંગવિહીન પ્રવાહીને એક બીકરમાં લઈ તેમાં થરમોમિટર મૂકો. ત્યારબાદ બીકરને તારની ઝાળી દ્વારા સ્ટેન્ડ પર મૂકી બર્નરની મદદથી ગરમ કરો.
  • આથી જેમ – જેમ તાપમાન વધતું જશે તેમ બીકરમાનું પ્રવાહી ઉકળશે. જો આપેલ પ્રવાહી 100 C તાપમાને ઉકળતું હોય તો તે પાણી છે એવું નક્કી કરી શકાય છે.


નીચેનાંને તત્વ, સંયોજક અને મિશ્રણમાં વર્ગીકૃત કરો : (a) સોડિયમ (b) માટી (c) ખાંડનું દ્રાવણ (d) સિલ્વર (e) કેલ્શિયમ કાર્બોનેટ (f) ટીન (g) સિલિકોન (h) કોલસો (i) હવા (j) સાબુ (k) મિથેન (l) કાર્બન ડાયોક્સાઈડ (m) રુધિર (સ્વા_10)

Hide | Show

જવાબ :

તત્વો

સંયોજનો

મિશ્રણ

સોડિયમ

સિલ્વર

ટિન

સિલિકોન

કેલ્શિયમ કાર્બોનેટ

મિથેન

કાર્બન સયોકસાઈડ

સાબુ

માટી

ખાંડનું દ્રાવણ

કોલસો

હવા

રુધિર


નીચેનામાંથી ક્યા રસાયણિક ફેરફારો છે ? (સ્વા_11)

(a) છોડની વૃદ્ધિ (b) લોખંડનું કટાવું (c) લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા (d) ખોરાકનું રાંધવું (e) ખોરાકનું પાચન (f) પાણીનું ઠરવું (g) મીણબત્તીનું સળગવું

Hide | Show

જવાબ : રસાયણિક ફેરફારો :

  •  છોડની વૃદ્ધિ
  •  લોખંડનું કટાવું
  •  ખોરાકનું રાંધવું
  •  ખોરાકનું પાચન
  •  મીણબત્તીનું સળગવું​​​​​​​
  •  બાકીના ભૌતિક ફેરફારો છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

આપણી આસપાસનાં દ્રવ્ય શુદ્ધ છે?

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.