GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

આપણી ચારેય બાજુએ કેટલા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે ? તેઓ શું ધરાવે છે ?

Hide | Show

જવાબ : આપણી ચારેય બાજુએ ઘણા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે. તેઓ એકબીજા સાથે ઓછા કે વધવા અંશે અલગતા ધરાવે છે.


સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો.

Hide | Show

જવાબ : સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતા નીચે મુજબ છે : (1) કદ : બેક્ટેરિયા જેવા માઈક્રોમીટર  કદ ધરાવતા સજીવ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. જ્યારે વિશાળ કદ ધરાવતા સજીવો જેવા કે 30 મીટર લંબાઇ ધરાવતી વાદળી વ્હેલ (Blue whale) અને કેલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતાં રેડવુડ (Redwood) વૃક્ષો છે. (2) જીવનકાળ : કેટલાક પાઈનના વૃક્ષ હજારો હર્ષ સુધી જીવિત રહે છે, જ્યારે મચ્છર જેવા કીટકો કેટલાક દિવસનો જીવનકાળ ધરાવે છે.         આ ઉપરાંત રંગહીન જીવો, પારદર્શી કીટકો, વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ વિવિધતા જોવા મળે છે.


આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ ?

Hide | Show

જવાબ : પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવજાતિઓ આવેલી છે અને તેમાં અમાપ અલગતા આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહિ. આથી સજીવોના સરળ અને સગવડ ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ.


આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો.

Hide | Show

જવાબ : આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ઉદાહરણ નીચે મુજબ છે : (1) નાની બિલાડી અને મોટી ગાય (2) ઘાસ અને વડનું વૃક્ષ (3) કાળો કાગડો અને લીલો પોપટ


નિવાસસ્થાનને આધારે સજીવોની સમૂહમાં વહેંચણી શા માટે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી ? અથવા સમજાવો : એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે, પરંતુ સાચું નથી.

Hide | Show

જવાબ : ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના  નિવાસસ્થાનને આધારે સ્થળજ, જલજ અને ખેચર સમૂહોમાં કર્યું હતું. સજીવોને ઓળખવાનો આ સરળ, પરંતુ સાચો રસ્તો નથી.         ઉદાહરણ તરીકે પ્રવાળ, ઓક્ટોપસ, તારામાછલી (સ્ટારફિશ), શાર્ક અને વ્હેલ આ બધા સજીવો સમુદ્વમાં વસવાટ કરે છે. આ બધામાં માત્ર તેમના નિવાસસ્થાનની સમાનતા છે. અન્ય લક્ષણોમાં ખૂબ જ ભિન્નતાઓ છે. ટાટામાછલી માછલી નથી. શાર્ક માછલી છે અને વ્હેલ પણ માછલી નથી.         આથી નિવાસસ્થાન આધારે સજીવોની સમૂહમાં વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.


સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે ?

Hide | Show

જવાબ : સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને લક્ષમાં લેવા જરૂરી છે.         ખાસ કરીને મોટા વર્ગ કે સમૂહના નિર્માણ માટેનો આધાર ચોક્કસ વિશિષ્ટ લક્ષણો અને ત્યારબાદ અન્ય લક્ષણોને આધારે કોઈ વર્ગને ઉપસમૂહો કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. સજીવોને ચોક્કસ વર્ગ કે સમૂહમાં વર્ગીકૃત કરતી વખતે જે – તે સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે કે જેના આધારે ચોક્કસ કેટલાક સજીવોને તે સમૂહમાં સાથે રાખી શકાય. આમ, સજીવના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે.


સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય ?

Hide | Show

જવાબ : સજીવોના વર્ગીકરણ માટે નીચલા (પાયાના) સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. તેના પછીના દ્વિતીય સ્તરનાં લક્ષણ પહેલા સ્તરનાં લક્ષણ પર નિર્ભર હોય અને તેમના તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે છે.         આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય.


સમજાવો : કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે.

Hide | Show

જવાબ : કોષની સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો વર્ગીકરણ કરવામાં આવે છે.         આદિકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગીકાઓની ગેરહાજરી છે. તેમાં જૈવરસાયણિક પથ અલગ હોય છે. તેની અસર કોષની સંરચનામાં બધાં જ પાસાઓ પર પડે છે.         સુકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગીકાઓની હાજરી છે. તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર પણે ક્ષમતાપૂર્વક થાય છે. આ ઉપરાંત સુકોષકેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે.         આથી કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે.


સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ ક્યું હોઈ શકે છે ? શા માટે (a) તેમનાં નિવાસસ્થાન (b) તેમની કોષીય સંરચના.

Hide | Show

જવાબ : (b) તેમની કોષીય સંરચના. કારણ કે કોષીય સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે.


સજીવોના પ્રારંભિક વિભાજન માટે ક્યા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે ?

Hide | Show

જવાબ : સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચનાના મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવે છે.


ક્યા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે ?

Hide | Show

જવાબ : પ્રકાશસંશ્લેષણ વડે ખોરાક બનાવવાની ક્ષમતા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે.


સજીવોનો ઉદ્દવિકાસ શું છે ? ઉદ્દવિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો ?

Hide | Show

જવાબ : સજીવોનો ઉદ્દવિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. ઉદ્દવિકાસ વડે સાદા અને સરળ સ્વરૂપનાં સજીવોમાંથી ક્રમશ : જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું. ઉદ્દવિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ‘The Origin of Species by Means of Natural Selection’ (જાતિનો ઉદ્દભવ) માં આપ્યો.


સજીવોમાં ઉદ્દવિકાસીય સંબંધ સમજાવો.

Hide | Show

જવાબ : ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ‘The Origin of Species by Means of Natural Selection’ માં ઉદ્દવિકાસનો સિદ્વાંત રજૂ કર્યો.         ડાર્વિનની સમજૂતી મુજબ બધા સજીવો એકકોષી સજીવમાંથી ઉદ્દવિકાસમાંથી પામ્યા છે. ઉદ્દવિકાસના ઈતિહાસમાં પ્રાથમિક સ્વરૂપની શરીર રચના પ્રથમ અસ્તિત્વમાં આવી, જે વધુ જટિલ રચના તરફ ક્રમશ: આગળ વિકસિત થઈ. આ બાબત સજીવસ્વરૂપોમાં અમાપ વિવિધતા તરફ દોરી ગઈ.         બધા સજીવો પરસ્પર સંબંધ ધરાવે છે, કારણ કે તેઓના પૂર્વજ સામાન્ય છે. બે સજીવો વચ્ચેનો નજીકનો ઉદ્દવિકાસીય સંબંધ એ સજીવોના વર્ગીકરણનો પાયો છે.


આદિસજીવ કોને કહે છે ? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે ?

Hide | Show

જવાબ : જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય અને તેમાં  શ્રમવિભાજનનો અભાવ હોય તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી તે સજીવને આદિસજીવ કહે છે.         જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતે આદિસજીવ ઉચ્ચ સજીવથી ભિન્નતા ધરાવે છે.


શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે. શા માટે ?

Hide | Show

જવાબ : હા, ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્દવિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્દવિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે.


ક્યા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું ? પાંચ સૃષ્ટિનાં નામ અને તે શાના આધારે રચી તે જણાવો.

Hide | Show

જવાબ : રોબર્ટ એચ. વ્હીટેકરે (1959) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું. પાંચ સૃષ્ટિ : મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ.         આ સૃષ્ટિઓ કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત, શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્વતી આધારે રચી.


મોનેરા સૃષ્ટિનાં લક્ષણો અને સમાવેશિત સજીવો જણાવો. અથવા આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ સમજાવો.

Hide | Show

જવાબ : આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે. લક્ષણો : (1) કોષકેન્દ્ર : સુયોજિત કોષકેન્દ્રનો અભાવ છે. (2) અંગીકાઓ : પટલમય અંગીકાઓની ગેરહાજરી છે. (3) શરીર : એકકોષી, કેટલાક કોષોની વસાહત (સમૂહ) દર્શાવે છે. (4) કોષદીવાલ : કેટલાક કોષદીવાલ ધરાવે છે, કેટલાકમાં કોષદીવાલ નથી. (5) પોષણ : સ્વયંપોષી (જાતે ખોરાક બનાવે) અથવા પરપોષી (અન્ય સજીવ પાસેથી ખોરાક મેળવે). ઉદાહરણ : બેક્ટેરિયા, નીલહરિત લીલ (સાયેનોબેક્ટેરિયા), માયકોપ્લાઝમા.


ટૂંક નોંધ લખો : પ્રોટીસ્ટા સૃષ્ટિ

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. લક્ષણો : (1) શરીરરચના : એકકોષી (2) શ્રમવિભાજન : અભાવ (3) પ્રચલન : ખોટા પગ (ફૂટપાદ), પક્ષ્મો કે કશા વડે (4) પોષણ : સ્વયંપોષી કે વિષપોષી ઉદાહરણ : ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામિશિયમ), યુગ્લિના.


ફૂગ સૃષ્ટિનાં લક્ષણો અને ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી સુકોષકેન્દ્રી હોય છે. લક્ષણો : (1) પોષણ : મૃતોપજીવી પોષણ દર્શાવે છે. તેઓ સડતા કાર્બનિક દ્વવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે છે. (2) કોષદીવાલ : કોષદીવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઈટિન જોવા મળે છે. (3) શરીરરચના : યીસ્ટ એકકોષી છે. યીસ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. (4) આંતરસંબંધ : ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ (સાયેનોબેક્ટેરિયા) સાથે સ્થાયી સહજીવી આંતરસંબંધ ધરાવે છે. તેને લાઈકેન કહે છે. ઉદાહરણ : યીસ્ટ, એસ્પરજીલસ, પેનિસિલિયસ, મશરૂમ (એગેરિક્સ).


લાઈકેન એટલે શું ? તે ક્યાં અને ક્યા સ્વરૂપમાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : લાઈકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલ (સાયેનોબેક્ટેરિયા) નો સ્થાયી આંતરસંબંધ. આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે.       લાઈકેન સહજીવી સજીવો છે અને મોટા ભાગે વૃક્ષોની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે.


પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ક્યા સભ્યોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે ?

Hide | Show

જવાબ : પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક નિર્માણ કરતા સ્વયંપોષી સજીવો કે સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ ધરાવતા, તેમજ બહુકોષી સુકોષકેન્દ્રી સજીવો (સભ્યો) ને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે.


પ્રાણીસૃષ્ટિમાં ક્યા સજીવો આવે છે ?

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિમાં એવ તમામ બહુકોષીય સુકોષકેન્દ્રી સજીવો કે જેઓમાં કોષદીવાલનો અભાવ છે તેમજ પ્રકાશસંશ્લેષણ ન કરતા વિષમપોષી પોષણ ધરાવતા સજીવો આવે છે.


વ્હીટેકરે સૂચવેલ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કરતો ચાર્ટ બતાવો.

Hide | Show

જવાબ : વ્હીટેકરે સૂચવેલ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ


મોનેરા અથવા પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો ક્યા છે ?

Hide | Show

જવાબ : મોનેરા અથવા પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગીકાઓની ગેરહાજરી કે હાજરી છે. મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગીકાઓની ગેરહાજરી છે, જ્યારે પ્રોટીસ્ટામાં હાજરી છે.


એકકોષીય, સુકોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મુકશો ?

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા


ઉદ્દવિકાસીય વર્ગીકરણમાં ક્યો સજીવસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતા સામાન્યત: ધરાવે છે અને ક્યો સજીવસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે ?

Hide | Show

જવાબ : ઉદ્દવિકાસીય વર્ગીકરણમાં જાતિસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતા સામાન્યત: ધરાવે છે અને સૃષ્ટિસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે.


વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ ક્યાં ધોરણો પર આધારિત છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ નીચે આપેલ ધોરણો પર આધારિત છે : (1) પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે. (2) બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંહવન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે થાય છે. (3) ત્રીજા સ્તરનું વર્ગીકરણ અંતર્ગત જોવામાં આવે છે. વનસ્પતિઓમાં બીજધારણની ક્ષમતા છે કે નથી તે આધારે વર્ગીકરણ થાય છે. (4) ત્યારપછી બીજધારણની ક્ષમતા હોય, તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે.


સુકાયત વનસ્પતિઓની માહિતી આપો.

Hide | Show

જવાબ : જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયત વનસ્પતિઓ કહે છે.         સુકાયત વનસ્પતિઓ વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારાં) જોવા મળે છે. ઉદાહરણ : યુલોથ્રિક્સ, અલ્વા, કારા, ક્લેડોફોરા અને સ્પાયરોગાયરા  


વનસ્પતિસૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિસમૂહ સમજાવો. અથવા ટૂંક નોંધ લખો : દ્વિઅંગી વનસ્પતિઓ

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિસૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિસમૂહ કહે છે.

  • આ વનસ્પતિઓને દેહ પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. તેથી તેમને દ્વિઅંગી કહેવામા આવે છે. વનસ્પતિદેહ મૂળ ધરાવતો નથી.
  • આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્વવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના (વાહક પેશી) જોવા મળતી નથી.

  ઉદાહરણ : રિક્સિયા, માર્કેન્શિયા, ફ્યુનારિયા (મોસ – શેવાળ)


ત્રિઅંગી વનસ્પતિના બે લક્ષણો અને ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ત્રિઅંગી વનસ્પતિનાં લક્ષણો : (1) વનસ્પતિ શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોય છે. (2) તેમની દેહરચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્વવ્યોનું વહન કરવા માટે વાહક પેશી (જલવાહક અને અન્નવાહક) ની હાજરી હોય છે. ઉદાહરણ : માર્સિલિયા, હંસરાજ, ઈક્વિસેટમ (હોર્સ ટેઈલ)


ટૂંક નોંધ લખો : અપુષ્પી વનસ્પતિઓ

Hide | Show

જવાબ : સુકાયક (થેલોફાયટા કે એકાંગી), દ્વિઅંગી (બ્રાયોફાયટા) અને ત્રિઅંગી (ટેરિડોફાયટા) વનસ્પતિઓ અપુષ્પી (ક્રિપ્ટોગેમ) વનસ્પતિઓ કહે છે.

  • આ વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. તેથી તેઓને બીજવિહીન વનસ્પતિઓ પણ કહે છે.
  • આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે. તેને બીજાણુ કહે છે.
  • તેમાં પ્રજનનાંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ કહે છે.


ટૂંક નોંધ લખો : સપુષ્પી વનસ્પતિઓ

Hide | Show

જવાબ : જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનનક્રિયા (ફેનરોગેમ) પછી બીજ નિર્માણ કરતી હોય, તેને સપુષ્પી વનસ્પતિઓ કહે છે.

  • તેમાં બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે તેમજ સંચિત ખોરાક હોય છે. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે.


અનાવૃત બીજધારી ક્યા ગ્રીક શબ્દનો અર્થ છે ? આ વનસ્પતિઓ કેવી હોય છે ? તેના ઉદાહરણ લખો.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી ‘Gymnosperma’ ગ્રીક શબ્દ છે. તેમાં Gymno નો અર્થ નગ્ન અને Sperma નો અર્થ બીજ.         આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી અનાવૃત બીજધારી કહેવાય છે.         આ વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર (સદાહરિત) અને કાષ્ઠિય હોય છે.  ઉદાહરણ : પાઈનસ અને સાઈકસ


ટૂંક નોંધ લખો : આવૃત બીજધારી

Hide | Show

જવાબ : આવૃત બીજધારી વનસપતિઓમાં બીજ ફળથી અંદર ઢંકાયેલા હોય છે. તેમના બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે.         તેમાં ખોરાકસંગ્રહ બીજપત્રોમાં અથવા ભ્રૂણપોષમાં થાય છે.         બીજમાં બીજપત્રોની સંખ્યાના આધારે આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) દ્વિદળી વનસ્પતિઓ : બીજ બે બીજપત્ર ધરાવે છે. ઉદાહરણ : સૂર્યમુખી, આઈપોમિઆ (Ipomoea) (2) એકદળી વનસ્પતિઓ : બીજ એક બીજપત્ર ધરાવે છે. ઉદાહરણ : મકાઇ, પેફિઓપેડિલમ (Paphiopedilum)


સરળતમ વનસ્પતિઓને ક્યા વર્ગમાં મૂકવામાં આવી છે ?

Hide | Show

જવાબ : સરળતમ વનસ્પતિઓને સુકાયક (એકાંગી) સમૂહમાં મૂકવામાં આવી છે.


ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે ?

Hide | Show

જવાબ : ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. જ્યારે પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનનાંગ હોય છે.


અનાવૃત્ત બીજધારી અને આવૃત્ત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે ?

Hide | Show

જવાબ : અનાવૃત્ત બીજધારીમાં નગ્ન બીજ છે, જે ફળનું આવરણ ધરાવતા નથી અને આવૃત્ત બીજધારીમાં ફળમાં ઢંકાયેલા હોય છે.


પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો : (1) સુકોષકેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. (2) તેઓના કોષોમાં કોષદીવાલ હોતી નથી. (3) મોટા ભાગનાં પ્રાણીઓ પ્રચલનશીલ છે. (4) શરીરરચના અને વિભેદીકરણને આધારે પ્રાણીસૃષ્ટિનાં પ્રાણીઓનો છિદ્રકાયથી સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


ટૂંક નોંધ આપો : કોષ્ઠાત્રિ સમૂહ

Hide | Show

જવાબ : કોષ્ઠાત્રિ સમૂહનાં પ્રાણીઓ કોષ્ઠાત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે. લક્ષણો : (1) વસવાટ : મોટા ભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે. (2) શરીરરચના : તેમનું શરીર બાહ્યસ્તર અને અંત: સ્તર એમ બે સ્તરોથી બનેલું હોય છે. શરીરરચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. (3) સ્વરૂપ : કેટલીક જાતિઓ ઉદા., હાઇડ્રા એકાકી સ્વરૂપે જ્યારે કેટલીક જાતિઓ ઉદા., પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. (4) વિશિષ્ટતા : તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. ઉદાહરણ : હાઈડ્રા (જળવ્યાળ), જેલીફિશ, પ્રવાળ (પરવાળા), સમુદ્રફૂલ.


સંધિપાદ સમૂહનાં લક્ષણો જણાવો. અથવા પ્રાણીજગતના સૌથી મોટા સમુદાયની માહિતી આપો.

Hide | Show

જવાબ : સંધિપાદ સમુદાય પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય છે : લક્ષણો : (1) શરીર : ખંડમય હોય છે. (2) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. (3) ઉપાંગો : પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા છે. (4) પરિવહનતંત્ર : ખુલ્લા પ્રકારનું હોવાથી દેહગુહા કે શરીરગુહા રુધિરથી ભરેલી હોય છે. આવી દેહગુહાને રુધિરગુહા કહે છે. ઉદાહરણ : વંદો, જિંગા, પતંગિયુ, માખી, કરોળિયો, વીંછી, કરચલો, કાનખજૂરો.  


ટૂંક નોંધ લખો : સમુદાય શૂળત્વચી અથવા જલપરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ સમજાવો.

Hide | Show

જવાબ : જલપરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ શૂળત્વચી છે. આ પ્રાણીઓની ત્વચા શૂળ (કાંટા) જેવી રચનાઓથી આચ્છાદિત હોવાથી તેમને શૂળત્વચી કહે છે. લક્ષણો : (1) વસવાટ : દરિયાઈ મુક્તજીવી પ્રાણીઓ છે. (2) સામાન્ય લક્ષણ : ત્રિગર્ભસ્તરીય, શરીરગુહાયુક્ત પ્રાણીઓ છે. (3) વિશિષ્ટ તંત્ર : પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જલપરિવહન નલિકાતંત્ર જોવા મળે છે. (4) બાહ્ય તંત્ર : પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને શૂળ જોવા મળે છે. ઉદાહરણ : બરડતારા, સમુદ્રકાકડી, સાગરગોટા, સમુદ્રતારા.


છિદ્રકાય અને કોષ્ઠાત્રિ પ્રાણીઓમાં શું ભેદ છે ?

Hide | Show

જવાબ :

છિદ્રકાય

કોષ્ઠાત્રિ

1. શરીરરચના અત્યંત સરળ છે. 1. શરીરરચના પેશીય સ્તરની હોય છે.
2. શરીરમાં અનેક છિદ્રો હોય છે. 2. શરીરમાં કોષ્ઠાત્ર ગુહા હોય છે.


નૂપુરક પ્રાણીઓ સંધિપાદ પ્રાણીઓથી ક્યા પ્રકારની ભિન્નતા ધરાવે છે ?

Hide | Show

જવાબ :

નૂપુરક પ્રાણીઓ

સંધિપાદ પ્રાણીઓ

1. શરીર અનેક ખંડો ધરાવતું છે. 1. શરીર ખંડમય હોય છે.
2. સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી. 2. સાંધાવાળા ઉપાંગો ધરાવે છે.
3. બંધ પ્રકારનું પરિવહનતંત્ર છે. 3. ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર છે.


ઉભયજીવી અને સરીસૃપનો શું ભેદ છે ?

Hide | Show

જવાબ :

ઉભયજીવી

સરીસૃપ

1. ત્વચા પર ભીંગડા નથી. 1. ત્વચા ભીંગડાઓથી આવરીત છે.
2. પાણીમાં ઇંડાનો વિકાસ થાય છે. 2. તેઓ જમીન પર ઈંડા મૂકે છે.
3. હૃદય ત્રિખંડી છે. 3. હૃદય ત્રિખંડી પરંતુ ચતુષ્ખંડી છે.


પક્ષી વર્ગ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં શું ભેદ છે ?

Hide | Show

જવાબ :

પક્ષી વર્ગ

સસ્તન વર્ગ

1. શરીર પીંછાનું બાહ્ય કંકાલ ધરાવે છે. 1. શરીર પર વાળનું કંકાલ તેમજ ત્વચામાં પ્રસ્વેદગ્રંથિઓ અને તૈલગ્રંથિઓ આવેલી છે.
2. તેમાં સ્તનગ્રંથિઓ નથી. 2. આ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા સ્તનગ્રંથિઓ ધરાવે છે.
3. અગ્રઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું છે. 3. અગ્રઉપાંગો વિવિધ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે.


સજીવોને વર્ગીકરણ નામ / વૈજ્ઞાનિક નામ આપવાની આવશ્યકતા શું છે ?

Hide | Show

જવાબ : પૃથ્વી પર વિવિધ સજીવો અસ્તિત્વ ધરાવે છે. કોઈ ચોક્કસ સજીવને જુદા જુદા પ્રદેશમાં ત્યાંથી સ્થાનિક ભાષામાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે. આમ, એક સજીવના અલગ અલગ સ્થાનિક નામથી ગેરસમજ થાય છે અને ચોક્કસ ઓળખમાં મુશ્કેલી સર્જાય છે.         આથી વૈજ્ઞાનિકોએ ઓળખાયેલા સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપી, વૈશ્વિક સ્તરે તેની એ જ નામથી ઓળખ શક્ય બનાવી છે. આમ, સજીવોની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ માટે વર્ગીકરણ નામ આપવાની આવશ્યકતા છે.


ટૂંક નોંધ લખો : નામકરણ પદ્ધતિ અથવા દ્વિનામી નામકરણ

Hide | Show

જવાબ : નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સૌપ્રથમ શરૂઆત કેરોલસ લિનિયસ વડે 18મી શતાબ્દીમાં કરવામાં આવી હતી.         વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા પર આધારિત છે. નામકરણ પદ્ધતિમાં સજીવ વર્ગીકરણની બધી કક્ષાઓને ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં લેવામાં આવે છે.         નામમાં બે ઘટકો માંથી પ્રથમ પ્રજાતિનું નામ અને બીજું જાતિનું નામ હોય છે. વૈજ્ઞાનિક નામકરણમાં બે નામનો ઉપયોગ કરાતો હોવાથી તેને દ્વિનામી નામકરણ કહે છે.                      પ્રજાતીય નામ       જાતીય નામ દા. ત., સૂર્યમુખી  હેલિએન્થસ          એનસ L,          મકાઇ    ઝીઆ                 મેઈઝ L,


નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસાં જણાવો. અથવા વૈજ્ઞાનિક નામકરણ માટેના નિયમો જણાવો.

Hide | Show

જવાબ : નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસાં / નિયમો નીચે આપ્યા મુજબ છે : (1) પ્રજાતિનું નામ મોટા અંગ્રેજી મૂળાક્ષર (Capital Letter) થી શરૂ થવું જોઈએ. (2) જાતિનું નામ નાના અંગ્રેજી મૂળાક્ષર (Small Letter) થી શરૂ થવું જોઈએ. (3) વૈજ્ઞાનિક નામ છાપવું હોય તો ઈટાલિક (Italic) છાપવું જોઈએ. (4) જો વૈજ્ઞાનિક નામ હાથથી લખવું હોય, તો પ્રજાતિ અને જાતિ બંનેનાં નામની નીચે અલગ અલગ રેખાંકન કરવું જોઈએ.


સજીવોનું વર્ગીકરણ કરવાથી શો ફાયદો થાય છે ?

Hide | Show

જવાબ : સજીવોના વર્ગીકરણના ફાયદા : (1) સામાન્ય લક્ષણો આધારિત સજીવોની ચોક્કસ કક્ષાઓ / સમૂહો નક્કી થઈ શકે છે. (2) વૈજ્ઞાનિક સંશોધનનો અભ્યાસ સરળ થઈ શકે છે. (3) વિવિધ જૂથના સજીવોના આંતરસંબંધો નક્કી થઈ શકે છે અને મનુષ્ય માટે તેમની ઉપયોગિતાની સમજ પ્રાપ્ત થઈ શકે છે. (4) આર્થિક હેતુ માટે સંકરણ અને જનીન ઈજનેરી વિદ્યામાં સજીવોનો ઉપયોગ કરી શકાય છે.


વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી તમે ક્યા લક્ષણથી પસંદગી કરશો ?

Hide | Show

જવાબ : વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી એવા લક્ષણની પસંદગી કરવામાં આવે છે કે જે સજીવના બીજા કોઈપણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય અને તેની અગાઉના સ્તરના લક્ષણ પર નિર્ભર હોય.


સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો સમજાવો.

Hide | Show

જવાબ : સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો : કોષીય સંરચના, શરીર આયોજન, પોષણ સ્ત્રોત અને પોષણ મેળવવાની પદ્ધતિ.


વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ ક્યા છે ? આ વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે ?

Hide | Show

જવાબ :

વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ

વર્ગીકરણનો મુખ્ય આધાર

1. સુકાયક (થેલોફાયટા) અવિભેદિત વનસ્પતિદેહ
2. દ્વિઅંગી વાહક પેશીની ગેરહાજરી
3. ત્રિઅંગી બીજ ઉત્પાદન ન કરે
4. અનાવૃત બીજધારી બીજ નગ્ન, ફળ આવરણ વગર
5. આવૃત્ત બીજધારી બીજ ફળમાં ઢંકાયેલા
6. દ્વિદળી બીજમાં બીજપત્રની સંખ્યા 2
7. એકદળી બીજમાં બીજપત્રની સંખ્યા 1


તફાવત લખો : પૃથુકૃમિ અને સૂત્રકૃમિ

Hide | Show

જવાબ :

પૃથુકૃમિ

સૂત્રકૃમિ

1. તેમનું શરીર પાતળું, પૃષ્ઠ – વક્ષ બાજુએથી ચપટું હોય છે. 1. તેમનું શરીર લાંબા સૂત્ર અને ગોળ નલિકા જેવું હોય છે.
2. આ પ્રાણીઓ શરીરગુહાવિહીન છે. 2. આ પ્રાણીઓ આભાસી શરીરગુહા ધરાવે છે.
3. તે અપૂર્ણ અન્નમાર્ગ ધરાવતાં પ્રાણીઓ છે. 3. તે બંને છેડે ખુલ્લો અને સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવતાં પ્રાણીઓ છે.
4. મોટા ભાગનાં પૃથુકૃમિ પ્રાણીઓ દ્વિલિંગી છે. 4. સૂત્રકૃમિ પ્રાણીઓ એકલિંગી છે અને નર કરતાં માદાની લંબાઇ વધારે હોય છે.


તફાવત લખો : એકાંગી વનસ્પતિ અને દ્વિઅંગી વનસ્પતિ

Hide | Show

જવાબ :

એકાંગી વનસ્પતિ

દ્વિઅંગી વનસ્પતિ

1. તે એકકોષી કે બહુકોષી હોય છે. 1. તે હંમેશા બહુકોષી હોય છે.
2. પેશીરચનાનો અભાવ હોય છે. 2. પેશીરચનાની હાજરી હોય છે.
3. તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનો અભાવ હોય છે. 3. તેમાં બે અંગો – પ્રકાંડ અને પર્ણ હોય છે. મૂળને સ્થાને મૂલાંગો હોય છે.
4. તે સુકાયક તરીકે ઓળખાય છે. ઉદા., બેક્ટેરિયા, યીસ્ટ (ફૂગ), સ્પાયરોગાયરા (લીલ), ઉસ્નિયા (લાઈકેન) વગેરે. 4. તે ઉભયજીવી વનસ્પતિ તરીકે ઓળખાય છે. ઉદા., રિક્સિયા, મોસ, માર્કેન્શિયા વગેરે.


તફાવત લખો : દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ

Hide | Show

જવાબ :

દ્વિઅંગી વનસ્પતિ

ત્રિઅંગી વનસ્પતિ

1. તેમાં બે અંગો – પ્રકાંડ અને પર્ણ હોય છે. મૂળને સ્થાને મૂલાંગો હોય છે. 1. તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય અંગો હોય છે.
2. વાહક પેશીઓનો અભાવ હોય છે. ઉદા., રિક્સિયા, મોસ વગેરે. 2. વાહક પેશીઓની હાજરી હોય છે. ઉદા., હંસરાજ, માર્સિલિયા


સજીવોને વૈજ્ઞાનિક નામ આપવું જરૂરી છે ?

Hide | Show

જવાબ : જીવસૃષ્ટિના બધા જ સજીવોને એકબીજાથી અલગ ઓળખવા અને અભ્યાસ કરવા માટે સજીવને ચોક્કસ નામ આપવું જરૂરી છે. સજીવનું સ્થાનિક સામાન્ય નામ કોઈ એક પ્રદેશ અને સમુદાયના લોકો માટે પૂરતું છે. પરંતુ દુનિયાના અન્ય પ્રદેશોમાં તે નામ ઉપયોગી નથી. આથી સજીવનું એક સર્વગ્રાહી વૈજ્ઞાનિક પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે.


વૈજ્ઞાનિક નામકરણ દરેક સજીવની અલગ ઓળખ આપે છે.

Hide | Show

જવાબ : કેરોલસ લિનિયસ વૈજ્ઞાનિકે સજીવોના નામકરણની દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. તે મુજબ દરેક સજીવને એક પ્રજાતીય નામ અને બીજું જાતીય નામ અપાય છે. વૈજ્ઞાનિક નામ અજોડ છે. એક સજીવ માટે અપાયેલ પ્રજાતીય નામનો અન્ય પ્રકારના સજીવ માટે પુન : ઉપયોગ કરી શકાય નહીં. દા. ત., મકાઈ            ઝીયા               મેઝ        L.         સિંહ           પેન્થરા             લીઓ      L.         આધુનિક મનુષ્ય  હોમો            સેપિયન્સ   સેપિયન્સ આમ, દરેક સજીવની અલગ ઓળખ મળે છે.


વ્હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ફૂગને પ્રોટીસ્ટાથી અલગ દર્શાવેલ છે.

Hide | Show

જવાબ : વ્હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં પ્રોટીસ્ટા સૃષ્ટિમાં એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોટીસ્ટા સજીવો સ્વયંપોષી કે વિષમપોષી, કોષદીવાલ ધરાવતા કે વિહીન હોય છે.         ફૂગ સૃષ્ટિના મૃતોપજીવી, કાઈટિનની બનેલી કોષદીવાલ ધરાવતા તેમજ મોટા ભાગની ફૂગ બહુકોષી અવસ્થા ધરાવતી હોય છે. આથી વ્હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ફૂગને પ્રોટીસ્ટાથી અલગ દર્શાવેલ છે.


લાઈકેનને સહજીવી જૈવસ્વરૂપ કહે છે.

Hide | Show

જવાબ : કેટલીક ફૂગની જાતિઓ અને નીલહરિત લીલ કાયમી સહોપકારી સંબંધોમાં જીવે છે. આ પ્રકારના સંબંધને સહજીવન (પરસ્પરતા) સંબંધ કહે છે. નીલહરિત લીલ પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. ફૂગના કવકતંતુથી રચાતી કવકજાળ નીલહરિત લીલને આધાર આપે છે, ભેજશોષણ કરે છે તેમજ તીવ્ર પ્રકાશ સામે રક્ષણ આપે છે. આમ, બંને સજીવ પરસ્પર એકબીજા માટે લાભદાયી સંબંધ ધરાવે છે. આથી લાઈકેનને સહજીવી જૈવસ્વરૂપ કહે છે.


બધાં પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.

Hide | Show

જવાબ : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કરોડસ્તંભની હાજરી હોય છે. કરોડસ્તંભ પ્રાણીની પુખ્તાવસ્થાએ મેરુદંડમાંથી રૂપાંતરણ પામે છે. આમ, કરોડસ્તંભ માટે મેરુદંડ અનિવાર્ય છે. આથી, બધા પૃષ્ઠવંશી મેરુદંડી હોય છે.         જ્યારે ગર્ભાવસ્થા કે જીવનની કોઈ અવસ્થાઓ મેરુદંડ ધરાવતાં તમામ પ્રાણીઓને મેરુદંડી કહે છે. કેટલાક મેરુદંડી (દા. ત., એમ્ફિઓક્સસ, બાલનોગ્લોસસ જેવા પ્રમેરુદંડી પ્રાણીઓ) માં મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થતું નથી. આમ, આ પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી.


મગર અને કાચબો જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા હોવા છતાં ઉભયજીવી નથી.

Hide | Show

જવાબ : ઉભયજીવી પ્રાણીઓ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે. તેમની ચામડી ભીંગડા વગરની લીસી, ચીકણી અને ભેજવાળી હોય છે. ચામડીમાં શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે. પુખ્ત ઉભયજીવી પ્રાણીમાં શ્વસન ચામડી અને ફેફસાં વડે થાય છે.         મગર અને કાચબો પણ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે. પરંતુ તેમની ચામડી સૂકી, ભીંગડાયુક્ત હોય છે. ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિઓ હોતી નથી. આ પ્રાણીઓમાં શ્વસન ફેફસાં વડે થાય છે.         આથી મગર અને કાચબો ઉભયજીવી નથી, પરંતુ સરીસૃપ પ્રાણીઓ છે.


ચામાચીડિયું પક્ષી નથી અને વ્હેલ માછલી નથી.

Hide | Show

જવાબ : ચામાચીડિયું ઊડતું સસ્તન પ્રાણી છે. ચામાચીડિયામાં પીંછાને બદલે ચામડી પર વાળ છે. ત્વચામાં તૈલગ્રંથિઓ અને પ્રસ્વેદગ્રંથિઓ આવેલી છે. સસ્તન પ્રાણીની જેમ કર્ણપલ્લવયુક્ત બાહ્ય કર્ણ છે. આથી ચામાચીડિયું પક્ષી નથી.         વ્હેલ જળચર સસ્તન છે. વ્હેલમાં માછલીની જેમ ભીંગડાનું આવરણ નથી. વ્હેલનું હદય બે કર્ણકો અને બે ક્ષેપકો ધરાવતું ચતુષ્ખંડી છે. તે ઉષ્ણ રુધિરવાળું પ્રાણી છે. માછલીની જેમ શ્વસન માટે ઝાલરો નથી, પરંતુ ફેફસાં છે. આથી વ્હેલ માછલી નથી.


સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર ક્યો હોય છે ?

Hide | Show

જવાબ : સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર પ્રજાતીય નામનો અને કેપિટલ હોય છે.


ક્યા વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી ?

Hide | Show

જવાબ : થેલોફાયટા (સુકાયક) વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી.


ક્યા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે ?

Hide | Show

જવાબ : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે.


ફૂગની કોષદીવાલનું રાસાયણિક બંધારણ આપો.

Hide | Show

જવાબ : ફૂગની કોષદીવાલ કાઈટિનની બનેલી છે.


એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ શાના આધારે કર્યું ?

Hide | Show

જવાબ : એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન, પાણી કે હવામાં નિવાસને આધારે કર્યું,


ક્યા સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય છે ?

Hide | Show

જવાબ : પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય.


વ્હુઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને શામાં વહેંચી ?

Hide | Show

જવાબ : વ્હુઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વહેંચી.


માઈકોપ્લાઝમા અને ડાયેટમ્સ અનુક્રમે કઈ સૃષ્ટિના સજીવો છે ?

Hide | Show

જવાબ : માઈકોપ્લાઝમા મોનેરા સૃષ્ટિ અને ડાયેટમ્સ પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવો છે.


લાઈકેન કોની વચ્ચેનું સ્થાયી સહજીવન છે ?

Hide | Show

જવાબ : લાઈકેન ફૂગની જાતિઓ અને નિલહરિત લીલ (સાયેનોબેક્ટેરિયા) વચ્ચેનું સ્થાયી સહજીવન છે.


ક્યા સજીવ કોષમાં બૃહદ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પેરામીશિયમ કોષમાં બૃહદ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે.


લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ અને તેનું પોષણ જણાવો.

Hide | Show

જવાબ : લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ : યુગ્લિના પોષણ : સ્વોપજીવી


ક્યા સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે ?

Hide | Show

જવાબ : સુકાયક (એકાંગી) સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે.


અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ કઈ છે ?

Hide | Show

જવાબ : અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ સુકાયક (એકાંગી), દ્વિઅંગી અને ત્રિઅંગી છે.


બીજાણુ એટલે શું ?

Hide | Show

જવાબ : બીજાણુ એટલે સુકાયક (એકાંગી), દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળતા અનાવરિત (નગ્ન) ભ્રૂણ.


અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેવી હોય છે ?

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠિય હોય છે.


દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું ?

Hide | Show

જવાબ : દ્વિપાર્શ્વ સમમિતિ એટલે પ્રાણીશરીરના જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો.


દેહગુહાવિહીન, આભાસી દેહગુહા અને સાચી દેહગુહા ધરાવતા પ્રાણીસમૂહનાં નામ આપો.

Hide | Show

જવાબ :

વિશિષ્ટતા

પ્રાણીસમૂહ

દેહગુહાવિહીન આભાસી દેહગુહા સાચી દેહગુહા પૃથુકૃમિ સૂત્રકૃમિ નૂપુરક


કરમિયામાં ક્યો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે ?

Hide | Show

જવાબ : કરમિયામાં નર કરતાં માદાની લંબાઇ વધારે જોવા મળે છે.


ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે શું ?

Hide | Show

જવાબ : ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે રુધિર રુધિરવાહિનીઓમાં વહેતું ન હોય અને શરીરગુહા રુધિરથી ભરેલી હોય.


જલપરિવહનતંત્ર ક્યા પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે ? તે શામાં સહાયક બને છે ?

Hide | Show

જવાબ : જલપરિવહનતંત્ર શૂળત્વચી પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે. તે પ્રચલનમાં સહાયક બને છે.


મેરુદંડ શું છે ?

Hide | Show

જવાબ : મેરુદંડ એ પ્રાણીમાં ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી પૃષ્ઠ ભાગે આવેલી લાંબા દંડ જેવી રચના છે.


પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણીનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણી : બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા, એમ્ફિઓક્સસ


અસમતાપી પૃષ્ઠવંશી પ્રાણી વર્ગનાં નામ આપો.

Hide | Show

જવાબ : અસમતાપી પૃષ્ઠવંશી પ્રાણી વર્ગ : મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ.


ચાર્લ્સ ડાર્વિને ક્યું પુસ્તક લખ્યું ?

Hide | Show

જવાબ : ચાર્લ્સ ડાર્વિને ‘The Origin of Species by Means of Natural Selection’ નામનું પુસ્તક લખ્યું.


ક્યાં સસ્તન અપવાદરૂપે ઈંડા મૂકે છે ?

Hide | Show

જવાબ : શેળો અને બતકચાંચ (પ્લેટિપસ) સસ્તન અપવાદરૂપે ઈંડા મૂકે છે.


માર્સુપિયમ શું છે ?

Hide | Show

જવાબ : માર્સુપિયમ એ કાંગારૂની અવિકસિત નવજાતને પૂર્ણ વિકાસ પામે ત્યાં સુધી લટકાવી રાખવા માટેની કોથળી છે.


ક્યા વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ આપી ?

Hide | Show

જવાબ : લિનિયસ વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ આપી.


ક્યા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું ?

Hide | Show

જવાબ : રોબર્ટ વ્હીટેકર વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું.


માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ?

Hide | Show

જવાબ : માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવોમાં પક્ષ્મો કે કશા ક્યા કાર્ય માટેની અંગીકા છે ?

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા સૃષ્ટિના સજીવોમાં પક્ષ્મો કે કશા પ્રચલન કાર્ય માટેની અંગીકા છે.


ફૂગની કોષદીવાલ શાની બનેલી હોય છે ?

Hide | Show

જવાબ : ફૂગની કોષદીવાલ કાઈટિન કે સેલ્યુલોઝ મિશ્રિત કાઈટિનની બનેલી હોય છે.


દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી અને અન્ય ઉચ્ચ વનસ્પતિઓ કરતાં કઈ બાબતે અલગ પડે છે ?

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી હોતી નથી.


ક્યા વનસ્પતિસમૂહમાં બીજ અને ફળ રચાય છે ?

Hide | Show

જવાબ : આવૃત્ત બીજધારી વનસ્પતિસમૂહમાં બીજ અને ફળ રચાય છે.


અપુષ્પી વનસ્પતિઓના વિભાગો (વનસ્પતિસમૂહો) ક્યા છે ?

Hide | Show

જવાબ : અપુષ્પી વનસ્પતિઓના વિભાગો (વનસ્પતિસમૂહો) સુકાયક (થેલોફાયટા), દ્વિઅંગી અને ત્રિઅંગી છે.


ક્યા વર્ગની વનસ્પતિઓમાં બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળ આપે છે ?

Hide | Show

જવાબ : આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળ આપે છે.


ક્યા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે ?

Hide | Show

જવાબ : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે.


કેમિલીયોન ક્યા વર્ગનું પ્રાણી છે ?

Hide | Show

જવાબ : કેમિલીયોન સરીસૃપ વર્ગનું પ્રાણી છે.


ક્યા વર્ગનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય બે કર્ણક અને એક ક્ષેપકનું બનેલું હોય છે ?

Hide | Show

જવાબ : ઉભયજીવી વર્ગનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય બે કર્ણક અને એક ક્ષેપકનું બનેલું હોય છે.


શરીરનું  તાપમાન વાતાવરણ પર આધારિત હોય તેવાં પ્રાણીઓને શું કહે છે ?

Hide | Show

જવાબ : શરીરનું  તાપમાન વાતાવરણ પર આધારિત હોય તેવાં પ્રાણીઓને શીત રુધિરવાળા કહે છે.


સૌપ્રથમ જમીન પર ઈંડા મૂકતાં પૃષ્ઠવંશી પ્રાણીનો વર્ગ ક્યો છે ?

Hide | Show

જવાબ : સૌપ્રથમ જમીન પર ઈંડા મૂકતાં પૃષ્ઠવંશી પ્રાણીનો વર્ગ સરીસૃપ છે.


ક્યા વર્ગનાં પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા છે ?

Hide | Show

જવાબ : વિહગ અને સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા છે.


સસ્તન પ્રાણીની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે ?

Hide | Show

જવાબ : સસ્તન પ્રાણીની ત્વચામાં પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓ આવેલી છે.


દેડકાની ત્વચામાં કઈ ગ્રંથિઓ હોય છે ?

Hide | Show

જવાબ : દેડકાની ત્વચામાં શ્લેષ્મગ્રંથિઓ હોય છે.


ક્યા સરીસૃપનું ચતુષ્ખંડી છે ?

Hide | Show

જવાબ : મગર સરીસૃપનું હૃદય ચતુષ્ખંડી છે.


પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ શામાં રૂપાંતર પામે છે ?

Hide | Show

જવાબ : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે.


ફૂટપાદ ધરાવતું પ્રાણી અને ફૂટ દેહકોષ્ઠ ધરાવતું પ્રાણી ક્યું છે ?

Hide | Show

જવાબ : ફૂટપાદ ધરાવતું પ્રાણી અને ફૂટ દેહકોષ્ઠ ધરાવતું પ્રાણી અમીબા અને કરમિયું છે.


ઉદ્દવિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો.

Hide | Show

જવાબ : ઉદ્દવિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો :

(1) સુયોજિત કોષકેન્દ્રની હાજરી કે ગેરહાજરી : આદિકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર ગેરહાજરી અને પટલમય અંગીકાઓનો અભાવ હોય છે.

        સુકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગીકાઓની હાજરી હોય છે.

(2) સજીવોમાં કોષોની સંખ્યા : એકકોષી સજીવોમાં એક જ કોષ વડે સજીવ જીવન માટેનાં બધાં જ કાર્યો કરવામાં આવે છે.

        બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે. તેના વડે વધારે ક્ષમતા મેળવવા શ્રમવિભાજન (કાર્ય – વહેંચણી) જોવા મળે છે.

(3) પોષણ પદ્વતિ : સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજકદ્વવ્ય (ક્લોરોફિલ) વડે પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે અને તેમનો ખોરાક જાતે બનાવે છે.

        પરપોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી, તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે.

(4) શરીરમાં આયોજનના સ્તર : બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે.

        વનસ્પતિમાં સરળ પેશી  જટિલ પેશી  મૂળ, પ્રકાંડ, પર્ણ અંગોનું આયોજન જોવા મળે છે.

        પ્રાણીઓમાં પણ પેશી  અંગ  અંગતંત્ર કક્ષાના આયોજન સ્તર ઉદ્દવિકાસ પામેલા છે.


વિસ્તૃત રીતે સમજાવો : વર્ગીકરણ અને ઉદ્દવિકાસ

Hide | Show

જવાબ : બધા સજીવોને તેમની શરીરરચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે.

        શરીર બંધારણ (રચના) માં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીરરચનામાં આવાં પરિવર્તનો વડે ચોક્કસ નવી શરીરરચના ઉદ્દવિકસિત થાય છે. શરીર રચનામાં અગાઉનાં લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવામાં આવે છે.

        આ પ્રમાણે કેટલાક સજીવસમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી. તેમને પ્રાચીન (આદિ) સજીવો કહે છે. તેમની શરીર રચના પ્રમાણમાં સરળ છે. કેટલાક સજીવ – સમૂહોની શરીરરચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે. ઉદ્દવિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતાં જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે.

        સજીવના ઉદ્દવિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમનાં પુસ્તક ‘The Origin of Species by Means of Natural Selection’ માં રજૂ કરી. આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમનાં અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે.

        સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો જે વડે જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને ઉદ્દવિકાસ કહે છે. વર્ગીકરણ વડે સમાનતા અને ભિન્નતાનાં આધારે રચાતા સજીવ – સમૂહો ક્રમશ : ઉદ્દવિકાસની સમજૂતી આપે છે.


ટૂંક નોંધ લખો : જૈવવિવિધતા

Hide | Show

જવાબ : જૈવવિવિધતા એટલે ભિન્ન સજીવસ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા.

        કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતાં સજીવસ્વરૂપોને જૈવવિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એકસમાન પર્યાવરણ/ નિવાસમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી અલગ અલગ સજીવ જાતિઓનો સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા વગેરે પરિબળોથી અસર પામે છે.

        એક અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી માત્ર 10 લાખ – 20 લાખ જાતિઓની જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત થયેલી છે.

        વધુ જૈવવિવિધતા પ્રદેશો (ક્ષેત્રો) : પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના પ્રદેશો જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો છે, ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓ ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશોને વધુ જૈવવિવિધતાવાળા પ્રદેશો કહે છે.

        બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયર, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા દેશોમાં પૃથ્વી પરનો જૈવવિવિધતાનો અડધાથી વધારે ભાગ આવેલ છે.


વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો જણાવો.

Hide | Show

જવાબ : વર્ગીકરણનો સૌથી મોટો એકમ સૃષ્ટિ છે.

        અર્નેસ્ટે હેકલ (1894), રોબર્ટ વ્હીટેકર (1959) અને કાર્લ વ્હૂઝ (1977) નામના જીવવૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો તેને સૃષ્ટિ કહે છે.

        વ્હીટેકરે મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહો સૃષ્ટિ તરીકે રચ્યા.

        વ્હૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વર્ગીકૃત કરી.

        વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે.

        પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે.

        સૃષ્ટિથી સજીવોનાં ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહોમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે.

સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરો :

સૃષ્ટિ (Kingdom)

સમુદાય (Phylum) (પ્રાણીઓ માટે) / વિભાગ (Division) (વનસ્પતિઓ માટે) :

1. વર્ગ (Class)

2. ગોત્ર (Order)

3. કુળ (Family)

4. પ્રજાતિ (Genus)

5. જાતિ (Species)


વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો.

Hide | Show

જવાબ : વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ નીચે આપ્યા મુજબ છે :

​​​​​​​


છિદ્રકાય સમુદાયનાં લક્ષણો ઉદાહરણ સહિત લખો.

Hide | Show

જવાબ : છિદ્રકાયનો અર્થ છિદ્રયુક્ત શરીર થાય છે.

લક્ષણો : (1) વસવાટ : મોટા ભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે.

(2) શરીરરચના : શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે.

(3) પ્રચલન : તે અચલિત પ્રાણીઓ છે. કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. પ્રચલન એકમનો અભાવ છે.

(4) કંકાલ : શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ વડે ઢંકાયેલું હોય છે.

(5) નલિકાતંત્ર : તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલાં છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકાતંત્ર સાથે જોડાયેલાં હોય છે. નલિકાતંત્ર વડે શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે.

ઉદાહરણ : યુપ્લેક્ટેલિઆ, સાયકોન, સ્પેન્જિલા.

​​​​​​​


ટૂંક નોંધ આપો : પૃથુકૃમિ સમૂહ અથવા પ્રાણી ઉદ્દવિકાસનાં સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાણી ઉદ્દવિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ પૃથુકૃમિ સમૂહનાં છે.

લક્ષણો : (1) વસવાટ : મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં.

(2) જીવન – પદ્વતી : મુક્તજીવી (ઉદા., પ્લેનેરિયા) કે અંત: પરોપજીવી (ઉદા., યકૃતકૃમિ)

(3) શરીરરચના : પ્રાણીઓનું શરીર ત્રણ સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે.

        તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. શરીરરચના વધારે જટિલ હોય છે.

(4) આયોજન : તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. સુવિકસિત અંગવ્યવસ્થા હોય છે.

(5) દેખાવ : તેમના શરીર પૃષ્ઠ – વક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે.

(6) સમમિતિ : તેમનું શરીર જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે. અર્થાત દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.

(7) દેહગુહા (શરીરગુહા) : સાચી શરીરગુહાનો અભાવ છે.

ઉદાહરણ : પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકીડો.

​​​​​​​


ટૂંક નોંધ આપો : સૂત્રકૃમિ સમૂહ અથવા આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ સમજાવો.

Hide | Show

જવાબ : આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ સૂત્રકૃમિ છે.

લક્ષણો : (1) શરીર : પ્રાણીઓના શરીર લાંબા, નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે.

(2) ગર્ભસ્તર : આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે.

(3) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.

(4) આયોજન : પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી.

(5) જીવન - પદ્ધતી : મોટા ભાગનાં પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉતપન્ન કરે છે.

(6) દેહગુહા (શરીરગુહા) : તેઓ કૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીરગુહા ધરાવે છે.

ઉદાહરણ : કરમિયું, હાથીપગાનું કૃમિ (ફિલારિયલ કૃમિ કે વુકેરેરીયા)

​​​​​​​


નૂપુરક પ્રાણીઓનાં સામાન્ય લક્ષણો જણાવો. અથવા સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ સમજાવો.

Hide | Show

જવાબ : સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ નૂપુરક સમુદાયનાં છે :

લક્ષણો : (1) વસવાટ : મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ વસવાટ ધરાવે છે.

(2) ગર્ભસ્તર : આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે.

(3) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.

(4) દેહગુહા (શરીરગુહા) : આ પ્રાણી ઉદ્દવિકાસમાં સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ જોવા મળે છે.

(5) શરીરરચના : શરીરરચનામાં સાચાં અંગ નિર્માણ પામે છે અને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે.

(6) ખંડન : તેઓનું શરીર શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વહેંચાયેલું હોય છે.

(7) અંગતંત્ર આયોજન : પ્રાણીશરીરમાં પાચન, પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે.

ઉદાહરણ : રેતીકીડો, અળસિયું, જળો.


ટૂંક નોંધ લખો : મૃદુકાય પ્રાણીસમૂહ

Hide | Show

જવાબ : મૃદુકાય પ્રાણીસમૂહનાં લક્ષણો નીચે આપ્યા મુજબ છે :

લક્ષણો : (1) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.

(2) શરીરગુહા : શરીરગુહા (દેહગુહા) નાની હોય છે.

(3) ખંડન : શરીર થોડું ખંડન ધરાવે છે.

(4) કંકાલ : આ પ્રાણી કોમળ શરીર ધરાવતાં હોવાથી મોટા ભાગનાં પ્રાણીઓમાં કવચ જોવા મળે છે.

(5) પરિવહનતંત્ર : ખુલ્લા પ્રકારનું છે.

(6) ઉત્સર્જન : ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે.

(7) પ્રચલન : મૃદુપગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે.

ઉદાહરણ : કાઈટોન, ઓક્ટોપસ, પાઈલા, ઉનિઓ (છીપલું).


મેરુદંડીની માહિતી આપી, પ્રાથમિક મેરુદંડી પ્રાણીનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : પ્રમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતી લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે.

        મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે.

        પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓનાં લક્ષણો નીચે આપ્યા મુજબ છે :

(1) વસવાટ : દરિયાઈ પ્રાણીઓ છે.

(2) સામાન્ય લક્ષણ : ત્રિગર્ભસ્તરીય, દેહગુહાયુક્ત છે.

(3) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.

(4) મેરુદંડ : તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી.

ઉદાહરણ : બાલાનોગ્લોસસ, એમ્ફિઓક્સસ, હર્ડમેનિયા.


પૃષ્ઠવંશી પ્રાણીઓનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંત: કંકાલ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલા હોય છે.

        આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે.

લક્ષણો : (1) મેરુદંડ ધરાવે, (2) પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી, (3) ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે, (4) યુગ્મિત ઝાલર કોથળી, (5) દેહકોષ્ઠ (શરીરગુહા) ની હાજરી.

        પૃષ્ઠવંશી પ્રાણીઓને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એવા પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ જણાવો.

Hide | Show

જવાબ : મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ નીચે આપ્યા મુજબ છે :

(1) વસવાટ : દરિયાઈ કે મીઠા પાણીમાં

(2) બાહ્ય કંકાલ : ત્વચા ભીંગડા અથવા પ્લેટોથી ઢંકાયેલી છે.

(3) શ્વસન : ઝાલરો વડે પાણીમાં દ્વાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે.

(4) શરીર : ચપટું રેખીય કે ત્રાકાકાર છે.

(5) પ્રચલન : પાણીમાં તરવા પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે.

(6) હદય : એક કર્ણક અને એક ક્ષેપકથી બનેલું દ્વિખંડી છે.

(7) તાપમાન આધારે પ્રકાર : મત્સ્યો અસમતાપી (શીત રુધિરવાળા) પ્રાણી છે.

(8) વિકાસ : મોટા ભાગના મત્સ્યો ઈંડા મૂકતાં અંડપ્રસવી પ્રાણીઓ છે.


ઉભયજીવી એટલે શું ? ઉભયજીવી વર્ગનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : ઉભયજીવી એટલે ડિમ્ભાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થામાં પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતાં પ્રાણીઓ.

ઉભયજીવી વર્ગનાં લક્ષણો નીચે આપ્યા મુજબ છે :

(1) ત્વચા : શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય છે.

(2) બાહ્ય કંકાલ : ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી.

(3) હદય : બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય છે.

(4) શ્વસન : ડિમ્ભાવસ્થામાં ઝાલરો વડે અને પુખ્તાવસ્થામાં ત્વચા અને ફેફસાં વડે શ્વસન થાય છે.

(5) ઉત્સર્જન : ઉત્સર્જન – કાર્ય માટે મૂત્રપિંડ ધરાવે છે.

(6) વિકાસ : ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભવિકાસ છે.

ઉદાહરણ : સાલામાન્ડર, ટોડ, દેડકો.


સરીસૃપ વર્ગનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : સરીસૃપ વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે :

(1) ત્વચા : ભીંગડાઓ ધરાવે છે.

(2) હદય : સામાન્યત: ત્રિખંડીય છે, પરંતુ મગરની જાતિઓમાં ચતુષ્ખંડીય હોય છે.

(3) શ્વસન : ફેફસાં વડે થાય છે.

(4) ઉત્સર્જન : ઉત્સર્જન – કાર્ય માટે મૂત્રપિંડ જોવા મળે છે.

(5) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ અસમતાપી (શીત રુધિરવાળા) છે.

(6) વિકાસ : ઈંડા મૂકતાં પ્રાણીઓ છે. તેમનાં ઈંડા મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી જમીન પર મૂકે છે. તેમને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા નથી.

ઉદાહરણ : કાચબો, નાગ, મગર, ગરોળી, સાપ.


પક્ષીઓનો સમાવેશ કરતા વર્ગમાં ક્યાં લક્ષણો જોવા મળે છે તે જણાવો. અથવા ટૂંક નોંધ લખો : વિહગ

Hide | Show

જવાબ : પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવ્યો છે.

લક્ષણો : (1) ઉપાંગો : તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે. અગ્રઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે.

(2) હદય : ચતુષ્ખંડીય હોય છે.

(3) શ્વસન : ફેફસાં વડે થાય છે.

(4) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળા) છે.

(5) વિકાસ : ઈંડા મૂકતાં અંડપ્રસવી પ્રાણી છે.

(6) શરીર : શરીર પર પીંછા ધરાવે છે.

ઉદાહરણ : સફેદ બગલો, શાહમૃગ, બતક, કાગડો, ચકલી, કબૂતર.


સસ્તન વર્ગનાં લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : સસ્તન વર્ગનાં લક્ષણો નીચે આપ્યા મુજબ છે :

લક્ષણો : (1) સ્તનગ્રંથિઓ : આ વર્ગનાં બધાં જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તનગ્રંથિઓ ધરાવે છે.

(2) ત્વચા : પ્રાણીઓની ત્વચા વાળ, પ્રસ્વેદગ્રંથિઓ અને તેલગ્રંથિઓ ધરાવે છે.

(3) હદય : ચતુષ્ખંડીય હોય છે.

(4) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળા) છે.

(5) વિકાસ : ગર્ભવિકાસ માતૃપ્રાણી શરીરમાં થઈ જીવતી બાળપેઢીને જન્મ આપે છે.

        અપવાદરૂપે શેળો (Echidna) અને બતકચાંચ (Platypus) ઈંડા મૂકતાં સસ્તન છે.

        સસ્તન પ્રાણી કાંગારૂ અવિકસિત નવજાત જ્યાં સુધી પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માર્સુપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે.

ઉદાહરણ : વ્હેલ, ચામાચીડિયું, બિલાડી, ઉંદર, માનવ.


પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી કેવી રીતે જુદા પડે છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડો : મોટા ભાગે અચલિત, કોષદીવાલની હાજરી, ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર દેહનો વિકાસ આ માપદંડોના આધારે વનસ્પતિસમૂહ અલગ પડે છે.

        ત્યારબાદ વનસ્પતિદેહના મુખ્ય ભાગોનું વિભેદન, વાહક પેશી, બીજ ધારણક્ષમતા અને બીજ ખુલ્લા કે ઢંકાયેલા આ માપદંડના આધારે વનસ્પતિ વર્ગીકરણ કરવામાં આવે છે.

પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો : ચલિત, કોષદીવાલનો અભાવ, ખોરાકગ્રહણ અનુરૂપ પ્રાણીદેહનો વિકાસ વગેરે માપદંડોના આધારે પ્રાણીસમૂહ અલગ પડે છે.

        ત્યારબાદ પેશી, કોષીય સ્તરો, દેહકોષ્ઠ, મેરુદંડ, કરોડસ્તંભ, બાહ્ય કંકાલ, ઉપાંગો વગેરે માપદંડોના આધારે પ્રાણી વર્ગીકરણ કરવામાં આવે છે.

        આમ, પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી જુદા પડે છે.


પુષ્ઠવંશી પ્રાણીઓનો વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ સમજાવો.

Hide | Show

જવાબ : પૃષ્ઠવંશી પ્રાણીઓનો વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ નીચે મુજબ છે :

 

મત્સ્ય

ઉભયજીવી

સરીસૃપ

વિહગ

સસ્તન

1. બાહ્યકંકાલ

ભીંગડા

ગેરહાજર

ભીંગડા

પીંછા

વાળ

2. શ્વસન

ઝાલર

ત્વચા, ફેફસાં

ફેફસાં

ફેફસાં

ફેફસાં

3. પ્રચલન

પૂંછડી કે મીનપક્ષ

ચાર ઉપાંગો

સરકીને

પાંખ વડે ઊડે

બે પગ અથવા ચાર ઉપાંગ

4. હૃદય

દ્વિખંડી

ત્રિખંડી

ચતુષ્ખંડી

ચતુષ્ખંડી

ચતુષ્ખંડી

5. બાલપેઢીનું નિર્માણ

ઈંડા મૂકે

ઈંડા મૂકે

ઈંડા મૂકે

ઈંડા મૂકે

મોટા ભાગે જીવતા બચ્ચાંને જન્મ

6. શરીર તાપમાન

અસમતાપી

અસમતાપી

અસમતાપી

સમતાપી

સમતાપી


તફાવત આપો : ઉભયજીવી અને સરીસૃપ

Hide | Show

જવાબ :

ઉભયજીવી

સરીસૃપ

1. ડિમ્ભાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થા જમીન તેમજ પાણી બંને જગ્યાએ જીવન વ્યતીત કરતાં પ્રાણીઓ ઉભયજીવી છે.

1. પેટે સરકીને પ્રચલન કરતાં પ્રાણીઓ સરીસૃપ છે.

2. તેમની ચામડી ભીંગડા વગરની લીસી અને શ્લેષ્મ હોય છે.

2. તેમની ચામડી સૂકી અને ભીંગડાયુક્ત હોય છે.

3. તેમાં બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય છે.

3. તેમાં બે કર્ણકો અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવતું હૃદય ધરાવે છે.

4. પુખ્ત પ્રાણી ચામડી અને ફેફસાં વડે શ્વસન કરે છે.

4. આ પ્રાણીઓ ફક્ત ફેફસાં વડે શ્વસન કરે છે.

5. સૌપ્રથમ જમીન પર આપતાં પૃષ્ઠવંશી પ્રાણી છે.

5. સૌપ્રથમ જમીન પર ઈંડા મૂકતાં પૃષ્ઠવંશી પ્રાણી છે.


તફાવત આપો : લીલ અને ફૂગ

Hide | Show

જવાબ :

લીલ

ફૂગ

1. તે મીઠા પાણીમાં, સમુદ્રમાં કે ભીની જમીન પર વસે છે.

1. તે સડતા મૃતદેહો પર, અન્ય નિર્જીવ કાર્બનિક પદાર્થો પર કે આશ્રયદાતા કોષમાં વસે છે.

2. તેમાં હરિતદ્રવ્યની હાજરી હોવાથી સ્વોપજીવી પોષણ દર્શાવે છે.

2. તેમાં હરિતદ્રવ્યનો અભાવ હોવાથી પરોપજીવી કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે.

3. એકકોષી કે બહુકોષી હોય છે.

3. યીસ્ટ સિવાય બધી જ ફૂગ બહુકોષી છે.

4. કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે.

ઉદા., સ્પાયરોગાયરા, સરગાસમ વગેરે.

4. કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.

ઉદા., યીસ્ટ, મ્યુકર વગેરે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

સજીવોમાં વિવિધતા

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.