GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વાતાવરણમાં ધુમ્મસ શેના તરફ સંકેત કરે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણમાં ધુમ્મસ હવાના પ્રદૂષણ તરફ સંકેત કરે છે.


લાઈકેન હવામાં રહેલ શેના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે ?

Hide | Show

જવાબ : લાઈકેન હવામાં રહેલ સલ્ફર ડાયોક્સાઈડ સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.


વનસ્પતિમાં થતી કઈ ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે ?

Hide | Show

જવાબ : વનસ્પતિમાં થતી ઉત્સ્વેદન ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે.


ક્યુ નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર છે ?

Hide | Show

જવાબ : નાઇટ્રોજનચક્ર નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર છે.


વાતાવરણમાં એકત્રિત બાષ્પના શેનાથી વરસાદ પડે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણમાં એકત્રિત બાષ્પના સંઘનનથી વરસાદ પડે છે.


ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનનું નામ અને તેના વડે શામાં ઘટાડો થાય છે ?

Hide | Show

જવાબ : ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનનું નામ ક્લોરોફ્લુરોકાર્બન (CFC) છે અને તેના વડે ઓઝોનસ્તરમાં ઘટાડો થાય છે.


મને ઓળખો : હું પ્રકાશસંશ્લેષણની નીપજ અને શ્વસનના પ્રક્રિયક તરીકે મહત્વનું કાર્બનિક સંયોજન છું.

Hide | Show

જવાબ : ગ્લુકોઝ


અસંગત જોડ કઈ છે ?

(1) મૂળગંડિકા – શિમ્બી કુળ

(2) હ્યુમસ – સડતા કાર્બનિક પદાર્થો

(3) લાઈકેન – જળપ્રદૂષકના નિર્દેશક

(4) ચંદ્ર – તાપમાન -

Hide | Show

જવાબ : લાઈકેન – જળપ્રદૂષકના નિર્દેશક


ભૂમિ – નિર્માણમાં પાણીની ભૂમિકાના પગથિયાંનો સાચો ક્રમ જણાવો :

a. પાણી પથ્થરોના કણોને તેની સાથે લઈ જાય છે.

b. પાણી મજબૂત પથ્થરોને તોડે છે.

c. પાણીમાં વહેતાં પથ્થરોને અથડાઈને નાના કણોમાં પરિવર્તિત થાય છે.

d. પથ્થરોની તિરાડોમાં એકત્રિત પાણી તિરાડોને વધારે પહોળી કરે છે.

Hide | Show

જવાબ :


ભૂમિરક્ષણ માટે આપેલાં પરિબળોમાં ક્યું અસંગત છે ? પવન, વનસ્પતિઓ, પાણી, લાઈકેન

Hide | Show

જવાબ : વનસ્પતિઓ, લાઈકેન


પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન આવેલું છે ?

Hide | Show

જવાબ : જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહાર (ખોરાક) ની જરૂરિયાત હોય છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઊર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પર આધારિત છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે. આથી પૃથ્વી પર જીવન આવેલુ છે.


પૃથ્વી પર જીવન માટે જરૂરી અજૈવિક ઘટકોના નામ આપી, તેના વડે રચાતા આવરણ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : પૃથ્વી પર જીવન માટે જરૂરી અજૈવિક ઘટકો : હવા (વાયુ), પાણી (જળ) અને ભૂમિ. અજૈવ ઘટકો વડે રચાતા આવરણ : (1) વાતાવરણ (વાયુ – આવરણ) સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. (2) જલાવરણ : પૃથ્વીનો 75 % ભાગ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને જલાવરણ કહે છે. (3) મૃદાવરણ : પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે. તેને મૃદાવરણ કહે છે.


જીવાવરણ એટલે શું ? જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવ ઘટક જણાવો.

Hide | Show

જવાબ : જવાવરણ : જીવનને આશ્રય / આધાર આપતા પૃથ્વીનાં ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે, તેને જીવાવરણ કહેવામા આવે છે. જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે, જ્યાં આ ત્રણેય આવરણો આવેલાં હોય છે. જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો (વનસ્પતિઓ, પ્રાણીઓ, અને સૂક્ષ્મ જીવો) અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે.


શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી ?

Hide | Show

જવાબ : પૃથ્વી પર જીવન છે, કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ – વાતાવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનનાં નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ આવેલા છે. જેમાં 21 % ઓક્સિજન અને 0.03 % કાર્બન ડાયોક્સાઈડ છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોકસાઈડ 95 થી 97 % છે. સજીવ જીવન માટે શ્વસન માટે જરૂરી એવો ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી.


તટિય ક્ષેત્રોનાં વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણનાં ક્ષેત્રો શા માટે સર્જાય છે ?

Hide | Show

જવાબ : તટિય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉપર તરફ જતાં નીચા દબાણના ક્ષેત્ર અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતાં ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય છે.


તટિય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે ?

Hide | Show

જવાબ : તટિય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે.


વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે ? અથવા ટૂંક નોંધ લખો : વરસાદ

Hide | Show

જવાબ : પૃથ્વી પરના જળસ્ત્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે. આ બાષ્પ હવામાં વહે છે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં જાય છે.         સૂર્ય – ઉષ્માથી હવા ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે.         જેમ જેમ હવા ઉપર તરફ ઊઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડે છે. ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ નાનાં બિંદુઓમાં ફેરવાય છે. હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્વવ્યો પાણીનાં નાનાં બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે. મોટા પ્રમાણમાં પાણીનાં નાનાં બિંદુઓ એકત્રિત થતાં વાદળો બંધાય છે. પાણીના નાનાં બિંદુઓની સંઘનનની પ્રક્રિયાથી પાણીનાં બિંદુઓ કદમાં વધે છે. પાણીનાં બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે.         ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.


શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે અલગ છે ?

Hide | Show

જવાબ : શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95 – 97 % સુધી કાર્બન ડાયોકસાઈડ છે. જ્યારે પૃથ્વીના વાતાવરણમાં 0.03 % કાર્બન ડાયોકસાઈડ છે. પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સીજન, પાણીની બાષ્પ વગેરે હાજર છે. જ્યારે શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન ગેરહાજર છે.


વાતાવરણ એક કમળા કે ચાદરની જેમ કેવી રીતે કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણની હવા ઉષ્માની મંદ વાહક હોવાથી પૃથ્વીના તાપમાને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ નિયત રાખે છે. આ ઉપરાંત ઓઝોનસ્તરને કારણે વાતાવરણ એક કમળા કે ચાદરની જેમ કાર્ય કરે છે.


હવાની ગતિ (પવન)નું શું કારણ છે ?

Hide | Show

જવાબ : પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની હવા અસમાન રીતે ઉષ્ણ (ગરમ) થતાં અસમાન દબાણના ક્ષેત્રો સર્જાય છે. આવા વધુ દબાણવાળા ક્ષેત્ર અને ઓછા દબાણવાળા ક્ષેત્ર હવાની ગતિ (પવન)નું કારણ બને છે.


વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાના પાણીનું બાષ્પીભવન થતાં પાણીની બાષ્પ બને છે. પાણીની બાષ્પ ગરમ હવા સાથે વાતાવરણમાં ઊંચે જાય છે. ચોક્કસ ઊંચાઈએ હવા ઠંડી પડતાં, પાણીની બાષ્પ સંઘનન પામી પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાય છે. આ રીતે વાદળોનું નિર્માણ થાય છે.


મનુષ્યની ત્રણ પ્રવૃતિઓનો ઉલ્લેખ કરો જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે.

Hide | Show

જવાબ : હવાના પ્રદૂષણ તરફ દોરી જતી મનુષ્યની ત્રણ પ્રવૃતિઓ : (1) વાહનોના ધુમાડા, (2) ઉધોગોમાંથી મુક્ત થતાં ધુમાડા અને (3) કોલસો, પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિ બળતણનું દહન.


પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો.

Hide | Show

જવાબ : પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી ધરાવે છે. પાણી સપાટી ઉપરાંત ભૂમિમાં અને કેટલાક પ્રમાણમાં પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે.


પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે ? અથવા પ્રાણીઓમાં પાણીનું મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત / મહત્વ : (1) પ્રાણીઓમાં બધી કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. (2) આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્વાવ્ય (ઓગળેલા) હોય છે. (3) શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન (વહન) દ્વાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે. (4) સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા (શુદ્વ) પાણીની જરૂર રહેલી છે, કારણ કે ખારા પાણીમાં રહેલા ક્ષારનું વધારે પ્રમાણ તેમના શરીર સહન કરી શકતા નથી.


પાણીની પ્રાપ્યતાનું શું મહત્વ છે તે જણાવો.

Hide | Show

જવાબ : પાણીની પ્રાપ્યતાનું મહત્વ : (1) પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે. (2) તે માત્ર સજીવસંખ્યાનું નિર્ધારણ કરતા નથી, પરંતુ જે – તે વિસ્તારની જૈવવિવિધતાનું પણ નિર્ધારણ કરે છે. (3) પાણીની પ્રાપ્યતા જે - તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. (4) જે – તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત પાણી છે.


સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે ?

Hide | Show

જવાબ : સજીવોને નીચેની પ્રવૃતિઓ માટે પાણીની જરૂરિયાત હોય છે : (1) બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે. (2) શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્વાવ્ય સ્થિતિમાં વહન પામે છે. (3) પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્વવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે. (4) વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે પાણી જરૂરી છે.


જે ગામ / શહેર / નગરમાં તમે રહો છો ત્યાં શુદ્વ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્ત્રોત શું છે ?

Hide | Show

જવાબ : અમારા શહેરમાં શુદ્વ પાણીનો પ્રાપ્ય સ્ત્રોત સાબરમતી નદી ઉપરાંત શેઢી કેનાલ અને નર્મદા કેનાલ છે.


શું તમે કોઈ એવી પ્રવૃતિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે ?

Hide | Show

જવાબ : હા, (1) સુએઝ કચરો, (2) ઉધોગોનો કચરો, (3) અંધશ્રદ્વાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવવી તથા (4) મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિવિસર્જન નદીના પાણીમાં કરવાથી પાણીના સ્ત્રોત પ્રદૂષિત થાય છે.


ભૂમિ એટલે શું ? તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. ભૂમિમાં રહેલા ખનીજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે.         શરૂઆતમાં ખનીજ તત્વો મોટા પથ્થરોરૂપે હોય છે. તેના પર આબોહવાનાં પરિબળો – સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. ભૂમિ – નિર્માણમાં લાઈકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ, પિતૃખડકો પર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે.


ભૂમિ પ્રદૂષણ શાનાથી થાય છે ? તેનાથી ભૂમિ પર શું અસર થાય છે ?

Hide | Show

જવાબ : આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ – પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત, ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ – પ્રદૂષણ થાય છે.         વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો નાશ થાય છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુન:ચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થઈ શકે છે.         જો ટકાઉ (નિભાવપાત્ર) કૃષિ ન કરવામાં આવે, તો ઉપજાવ ભૂમિ ખૂબ ઝડપથી પડતર (બિનઉપજાવ) ભૂમિમાં પરિવર્તન પામે છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાની અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી તેના પર આવેલી જૈવવિવિધતા નાશ પામે છે.


કેવી રીતે ભૂમિ – નિર્માણ કરવા માટેનાં કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે ?

Hide | Show

જવાબ : એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયનાં અંતે નિર્માણ પામેલી હોય છે. પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો (દા. ત., પવન, પાણી) તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઇ શકે છે.         ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણો ન હોઈ ત્યારે તીવ્ર પવન કે પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ શકે છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી કઠણ (મજબૂત) પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે. કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે.


ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : સૂર્યપ્રકાશ, પાણી, લાઈકેન વડે મુક્ત થતાં દ્રવ્યો વડે પથ્થરો પર તિરાડો પડે છે અને મોટી થતી જાય છે. તેના પર પવન અને પાણીની અસરથી નાના કણોમાં વિઘટન થઈ ભૂમિનું નિર્માણ થાય છે.


ભૂમિનું ક્ષરણ એટલે શું ?

Hide | Show

જવાબ : ભૂમિનું ક્ષરણ એ તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી વડે ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા છે.


ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે ?

Hide | Show

જવાબ : ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો : (1) વૃક્ષારોપણ, (2) ઘાસની રોપણી, (3) ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, (3) નદીકિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવી, (5) પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી (Terrace farming) પદ્ધતીનો ઉપયોગ કરવો.


જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શાના વડે બને છે ? તે વડે શું થાય છે ?

Hide | Show

જવાબ : જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે થતી આંતરક્રિયા વડે જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે.         આ આંતરક્રિયા વડે જીવાવરણનાં વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ (નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, પાણી) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.


ગ્રીનહાઉસ એટલે શું ? ગ્રીનહાઉસ અસર કોને કહે છે ?

Hide | Show

જવાબ : ગ્રીનહાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણો.  ગ્રીનહાઉસ અસર : કેટલાક વાયુઓ (દા. ત., ) પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના / વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.


પર્યાવરણનાં વિવિધ સ્તરોના નામ લખો.

Hide | Show

જવાબ : પર્યાવરણનાં વિવિધ સ્તરો : વાતાવરણ, જલાવરણ, મૃદાવારણ અને જૈવાવરણ.


વાયુની અગત્ય જણાવો.

Hide | Show

જવાબ : વાયુ ઉષ્માનો મંદવાહક હોવાથી પૃથ્વીના વાતાવરણના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન સ્થિર રાખે છે.


પવન કેવી રીતે બને છે ?

Hide | Show

જવાબ : પૃથ્વી પર તાપમાન અને દબાણના તફાવતને લીધે પવન (હવાની ગતિ) સર્જાય છે.


શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ કેટલા પ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ 95 – 97 % પ્રમાણમાં હોય છે.


સજીવોમાં ઓક્સિજનની શું આવશ્યકતા છે ?

Hide | Show

જવાબ : સજીવોમાં યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો માટે ગ્લુકોઝના અણુઓ તોડીને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે.


ચંદ્ર પર તાપમાન કેટલું રહે છે ?

Hide | Show

જવાબ : ચંદ્ર પર તાપમાન  ની વચ્ચે રહે છે.


ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમનું કવચ કઈ રીતે બનાવે છે ?

Hide | Show

જવાબ : ઘણા દરિયાઈ પ્રાણીઓ પાણીમાં ઓગળેલ  માંથી કાર્બોનેટ બનાવી, તેના વડે તેમનું કવચ બનાવે છે.


હવાની બધા પ્રકારની ગતિ શાનું પરિણામ છે ?

Hide | Show

જવાબ : હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે.


શાનાથી હવા અવરોધાય છે ?

Hide | Show

જવાબ : પૃથ્વીની પરિભ્રમણ ગતિથી અને પવનના માર્ગમાં આવતી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય છે.


વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા કોણ કેન્દ્વસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા હવામાં રહેલા ધૂળના રજકણ અને અન્ય નિલંબિત કણ કેન્દ્વસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે.


અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા શાના કારણે બદલાય છે ?

Hide | Show

જવાબ : અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા હિમાલયના કારણે બદલાય છે.


પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં ક્યારે અવક્ષેપિત થાય છે ?

Hide | Show

જવાબ : જ્યારે વાતાવરણની હવાનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં ક્યારે અવક્ષેપિત થાય છે.


ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ શાના કારણે થાય છે ?

Hide | Show

જવાબ : ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ દક્ષિણ – પશ્ચિમ કે ઉત્તર – પૂર્વી વરસાદી પવનોને કારણે થાય છે.


હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે ક્યા ઓકસાઈડનું વધારે પ્રમાણ જવાબદાર છે ?

Hide | Show

જવાબ : હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઓકસાઈડનું વધારે પ્રમાણ જવાબદાર છે.


પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી ક્યા રોગો થવાની સંભાવનાઓ વધે છે ?

Hide | Show

જવાબ : પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધે છે.


વરસાદના પાણીમાં શું ભળવાથી એસિડવર્ષા થાય છે ?

Hide | Show

જવાબ : વરસાદના પાણીમાં હવાઈ પ્રદૂષકો નાઇટ્રોજન અને સલ્ફર ઓકસાઈડ ભળવાથી એસિડવર્ષા થાય છે.


ક્યો સજીવ હવાઇ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે ?

Hide | Show

જવાબ : લાઈકેન સજીવ (સહજીવી વનસ્પતિ સમૂહ) હવાઈ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે.


જૈવવિવિધતા માટે ક્યા પરિબળો મહત્વના છે ?

Hide | Show

જવાબ : જૈવવિવિધતા માટે પાણીની પ્રાપ્યતા, તાપમાન, ભૂમિની પ્રકૃતિ વગેરે પરિબળો મહત્વનાં છે.


ઊંચા જળાશયમાં સપાટીના અને અંદરના સ્તરના પાણીમાં શો ફરક હોય છે ? શા માટે ?

Hide | Show

જવાબ : ઊંચા જળાશયમાં સપાટીના અને અંદરના સ્તરના પાણી ઠંડુ હોય છે, કારણ કે સપાટીનું પાણી સૂર્ય – ઉષ્મા વડે ગરમ થાય છે.


પાણીના તાપમાનમાં અચાનક પરીવર્તન પ્રત્યે શું સંવેદનશીલ હોય છે ?

Hide | Show

જવાબ : પાણીના તાપમાનમાં અચાનક પરીવર્તન પ્રત્યે વિવિધ પ્રકારનાં પ્રાણીનાં ઈંડા અને ડિભ્ભ સંવેદનશીલ હોય છે.


ભૂમિ – નિર્માણમાં ક્યાં અજૈવ પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે ?

Hide | Show

જવાબ : ભૂમિ – નિર્માણમાં સૂર્ય, પાણી, પવન જેવા અજૈવ પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે.


હ્યુમસ શું છે ?

Hide | Show

જવાબ : હ્યુમસ ભૂમિમાં મળી આવતા સડેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા કે સડતા કાર્બનિક પદાર્થો છે.


ભૂમિ – નિર્માણમાં મોસ અને મોટાં વૃક્ષોના મૂળની શું ભૂમિકા છે ?

Hide | Show

જવાબ : ભૂમિ – નિર્માણમાં મોસ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ તિરાડોને વધારે ને વધારે પહોળી કરે છે.


ભૂમિની ગુણવત્તા શાના આધારે નક્કી કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ભૂમિની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે.


ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્વો શાના પર નિર્ભર છે ?

Hide | Show

જવાબ : ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્વો ભૂમિ ક્યા પથ્થરોમાંથી બની છે, તેના પર નિર્ભર કરે છે.


ઉપરિ – ભૂમિ કોને કહે છે ?

Hide | Show

જવાબ : ભૂમિકણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ધરાવતા ભૂમિના ઉપરના સ્તરને ઉપરિ – ભૂમિ કહે છે.


અળસિયા શામાં મદદરૂપ છે ?

Hide | Show

જવાબ : અળસિયા ભૂમિના પોષક દ્વવ્યોના પુન: ચક્રીયકરણમાં અને હ્યુમસ બનાવવામાં મદદરૂપ છે.


મોટા પાયે જંગલોના નાશથી શું થાય છે ?

Hide | Show

જવાબ : મોટા પાયે જંગલોના નાશથી જૈવવિવિધતાનો નાશ થાય છે અને ભૂમિનું ધોવાણ થાય છે.


જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી કોનું સ્થળાંતર થાય છે ?

Hide | Show

જવાબ : જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી વિવિધ દ્રવ્યો (પદાર્થો) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.


નાઇટ્રોજન ક્યા ક્યા જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે ?

Hide | Show

જવાબ : નાઇટ્રોજન એ પ્રોટીન, ન્યુક્લિઈક એસિડ (DNA અને RNA), કેટલાક વિટામિન્સ, આલ્ક્લોઈડ, યૂરિયા વગેરે જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે.


મૂળગંડિકા કોને કહે છે ?

Hide | Show

જવાબ : શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા (રાઈઝોબિયમ) એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, તેને મૂળગંડિકા કહે છે.


ઓઝોનની અગત્ય શું છે ?

Hide | Show

જવાબ : ઓઝોન સૂર્યમાંથી આવતાં હાનિકારક વિકિરણોને શોષી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે.


ઓઝોનસ્તરમાં ગાબડાં ક્યાં મળી આવ્યાં છે ?

Hide | Show

જવાબ : એન્ટાર્કટિક ઉપરના ઓઝોનસ્તરમાં ગાબડાં મળી આવ્યાં છે.


પૃથ્વી માટે સૌથી મોટો ઊર્જાસ્ત્રોત ક્યો છે ?

Hide | Show

જવાબ : પૃથ્વી માટે સૌથી મોટો ઊર્જાસ્ત્રોત સૂર્ય છે.


શિમ્બી કુળની વનસ્પતિઓની મૂળગંડિકાઓમાં ક્યા બેક્ટેરિયા હોય છે ?

Hide | Show

જવાબ : શિમ્બી કુળની વનસ્પતિઓની મૂળગંડિકાઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતાં બેક્ટેરિયા હોય છે.


રાત્રે સમુદ્ર કાંઠે પવનની ગતિ કઈ તરફ હોય છે ?

Hide | Show

જવાબ : રાત્રે સમુદ્ર કાંઠે પવનની ગતિ જમીનથી સમુદ્ર તરફ હોય છે.


સજીવ શરીરની રચના કરતાં બધાં જ કાર્બનિક સંયોજનોના બંધારણનાં મૂળતત્વો ક્યાં છે ?

Hide | Show

જવાબ : સજીવ શરીરની રચના કરતાં બધાં જ કાર્બનિક સંયોજનોના બંધારણનાં મૂળતત્વો કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન છે.


લાઈકેન કઈ રીતે ભૂમિ – નિર્માણમાં મદદ કરે છે ?

Hide | Show

જવાબ : લાઈકેન તેની વૃદ્વિ દરમિયાન સ્ત્રાવ ખડકોની સપાટીને પાઉડર સ્વરૂપમાં ફેરવી નાખે છે.


ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ ક્યું છે ?

Hide | Show

જવાબ : ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ CFC છે.


બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી ?

Hide | Show

જવાબ : બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી.


ચંદ્રની સપાટી પરનું તાપમાન કેટલું હોય છે ?

Hide | Show

જવાબ : ચંદ્રની સપાટી પરનું તાપમાન  હોય છે.


વાતાવરણમાં ઓક્સિજન પાછો મેળવવાની એકમાત્ર ક્રિયા કઈ છે ?

Hide | Show

જવાબ : વાતાવરણમાં ઓક્સિજન પાછો મેળવવાની ક્રિયા પ્રકાશસંશ્લેષણ છે.


વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો દર્શાવતી અસરને શું કહે છે ?

Hide | Show

જવાબ : વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો દર્શાવતી અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.


કોના વધારે દહનથી વાતાવરણમાં  નું પ્રમાણ વધતું જાય છે ?

Hide | Show

જવાબ : અશ્મિ બળતણના વધારે દહનથી વાતાવરણમાં  નું પ્રમાણ વધતું જાય છે.


ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થો શું છે ?

Hide | Show

જવાબ : ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસ છે.


કાગળ ઉધોગમાં ઉત્પન્ન થતાં ઝેરી પદાર્થોમાં કોના ક્ષાર હોઈ શકે છે ?

Hide | Show

જવાબ : કાગળ ઉધોગમાં ઉત્પન્ન થતાં ઝેરી પદાર્થોમાં પારાના ક્ષાર હોઈ શકે છે.


શિયાળામાં હવાના પ્રદૂષકો સાથે પાણી સંઘનિત થતાં શું સર્જાય છે ?

Hide | Show

જવાબ : શિયાળામાં હવાના પ્રદૂષકો સાથે પાણી સંઘનિત થતાં ધુમ્મસ સર્જાય છે.


ક્યા ગ્રહોના વાતાવરણમાં  95 % થી 97 % સુધી હોય છે ?

Hide | Show

જવાબ : શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં  95 % થી 97 % સુધી હોય છે.


શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક ક્યો છે ?

Hide | Show

જવાબ : શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઈડ છે.


કોણ સમગ્ર પૃથ્વીને કમળા કે ચાદરની જેમ ઢાંકે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણ સમગ્ર પૃથ્વીને કમળા કે ચાદરની જેમ ઢાંકે છે.


કોણ પૃથ્વીના સરેરાશ તાપમાને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે ?

Hide | Show

જવાબ : વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે.


હવા, ભૂમિ અને પાણી કોના કારણે ગરમ થાય છે ?

Hide | Show

જવાબ : હવા, ભૂમિ અને પાણી ઉષ્મીય વિકિરણના કારણે ગરમ થાય છે.


હવામાં રહેલા ધૂળના રજકણ અને બીજા નિલંબિત કણ કોના સ્વરૂપમાં કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : હવામાં રહેલા ધૂળના રજકણ અને બીજા નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે.


સમુદ્રના કિનારે દિવસ દરમિયાન પવનની દિશા કઈ તરફ હોય છે ?

Hide | Show

જવાબ : સમુદ્રના કિનારે દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફની હોય છે.


સળગ્યા વગરના કાર્બન કણ નિલંબિત કણ તરીકે હોય તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : સળગ્યા વગરના કાર્બન કણ નિલંબિત કણ તરીકે હોય તેને હાઈડ્રોકાર્બન કહે છે.


લાઈકેન નામના સજીવ ક્યાં વનસ્પતિ સમૂહ છે ?

Hide | Show

જવાબ : લાઈકેન નામના સજીવ સહજીવી વનસ્પતિ સમૂહ છે.


જળાશયમાં ઉપરની સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી કેવું હોય છે ?

Hide | Show

જવાબ : જળાશયમાં ઉપરની સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી ઠંડુ હોય છે.


વીજળીના ચમકારાના સમયે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન શેમાં ફેરવાય છે ?

Hide | Show

જવાબ : વીજળીના ચમકારાના સમયે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન, નાઇટ્રોજન ઓકસાઈડમાં ફેરવાય છે.


શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા ક્યા નામની વિશિષ્ટ સંરચના બનાવે છે ?

Hide | Show

જવાબ : શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા મૂળગંડિકા નામની વિશિષ્ટ સંરચના બનાવે છે.


ઘણાં પ્રાણીઓના બાહ્ય અને અંત: કંકાલ ક્યા ક્ષારોથી બનતા હોય છે ?

Hide | Show

જવાબ : ઘણાં પ્રાણીઓના બાહ્ય અને અંત: કંકાલ કાર્બોનેટ ક્ષારોથી બનતા હોય છે.


ઓઝોનસ્તરના વિઘટન માટે કોણ જવાબદાર છે ?

Hide | Show

જવાબ : ઓઝોનસ્તરના વિઘટન માટે CFC જવાબદાર છે.


કાર્બનના મૂળભૂત સ્વરૂપ ક્યા છે ?

Hide | Show

જવાબ : કાર્બનના મૂળભૂત સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટ છે.


કાર્બન ડાયોક્સાઈડના સ્થાપનની મુખ્ય રીત કઈ છે ?

Hide | Show

જવાબ : કાર્બન ડાયોક્સાઈડના સ્થાપનની મુખ્ય રીત પ્રકાશસંશ્લેષણ છે.


ઓઝોન શું છે ? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભદાયક છે તે જણાવો.

Hide | Show

જવાબ : વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સમાન્ય રીતે દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના ત્રણ પરમાણુ ધરાવતો અણુ જોવા મળે છે. તેને ઓઝોન અણુ  કહે છે.         ઓક્સિજનના દ્વિપરમાણ્વીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટીથી દૂર છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો (UV – અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. આ રીતે સજીવો માટે લાભદાયક છે.


જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે ?

Hide | Show

જવાબ : જલચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં મળી આવે છે.


જૈવિક મહત્વનાં બે સનયોજનોનાં નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે ?

Hide | Show

જવાબ : પ્રોટીન અને ન્યુક્લિઈક એસિડ.


હવામાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધારતી હોય તેવી ત્રણ માનવીય પ્રવૃતિઓની યાદી બનાવો.

Hide | Show

જવાબ : પરિવહન માટે, રસોઈ માટે અને ઉધોગોમાં અશ્મિ બળતણનો ઉપયોગ.


ગ્રીનહાઉસ અસર એટલે શું ?

Hide | Show

જવાબ : ગ્રીનહાઉસ અસર : કેટલાક વાયુઓ (દા.ત., ) પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના / વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.


વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનનાં બે સ્વરૂપો ક્યાં ક્યાં છે ?

Hide | Show

જવાબ : વાતાવરણમાં ઓક્સિજન મૂળ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઈડ સ્વરૂપે મળી આવે છે.


જીવન માટે વાતાવરણની આવશ્યતા શું છે ?

Hide | Show

જવાબ : જીવન માટે વાતાવરણની આવશ્યતા : (1) વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક ચાદર છે. (2) વાતાવરણના મુખ્ય ઘટક નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોકસાઈડ સજીવોમાં કાર્બનિક સંયોજનનાં બંધારણમાં આવશ્યક છે. (3) સુકોષકેન્દ્રી અને ઘણા બધા આદિકોષકેન્દ્રી કોષોમાં ગ્લુકોઝને તોડી ઊર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના ઓક્સિજન જરૂરી છે. (4) લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયોકસાઈડનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે. (5) પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખતા માટે વાતાવરણની આવશ્યકતા છે.


જીવન માટે પાણીની આવશ્યતા શું છે ?

Hide | Show

જવાબ : જીવન માટે પાણીની આવશ્યકતા : (1) સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે. (2) જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્વાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે. (3) બધા સજીવોને જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખતી જરૂરી છે. (4) જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે.


સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે ? શું પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્ત્રોતોથી સ્વતંત્ર છે ?

Hide | Show

જવાબ : બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર છે. વનસ્પતિઓ જમીનમાંથી મૂળ વડે પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે. આપણા ખોરાક માટેની કૃષિ – પ્રવૃતિ જમીન પર નિર્ભર છે.         પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્ત્રોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી. પાણીના પ્રવાહ સાથે ભૂમીય સ્ત્રોતનાં વિવિધ દ્રવ્યો દ્વાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવાવાળા સજીવોને પ્રાપ્ત થાય છે.


તમે ટેલિવિઝન પર અને સમાચારપત્રમાં હવામાનસંબંધી રિપોર્ટને જોયા હશે. તમે શું વિચારો છો આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ ?

Hide | Show

જવાબ : હા, હવામાનસંબંધી રિપોર્ટમાં મુખ્યત્વે તાપમાન, ભેજ અને પવનની ગતિ આધારે અગાઉનાં વર્ષોના રિપોર્ટ સાથે સરખામણી કરી ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે.


આપણે જાણીએ છીએ કે ઘણી બધી માનવીય પ્રવૃતિઓ હવા, પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે. શું તમે વિચારો છો કે આ પ્રવૃતિઓને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય કે જે પ્રદૂષણના સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાવવામાં મદદરૂપ થાય ?

Hide | Show

જવાબ : હા, વાહનોનો ઉપયોગ તેમજ અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડી, વધારે ઉછેર અને ભૂમિ પર વનસ્પતિ આવરણ વધારી, ઉધોગોમાં ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ મુક્ત કરી, કૃષિ – પ્રવૃતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મર્યાદિત ઉપયોગ કરી પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાય.


તફાવત આપો : ગ્રીનહાઉસ અસર અને ઓઝોનનું વિઘટન

Hide | Show

જવાબ :

ગ્રીનહાઉસ અસર

ઓઝોનનું વિઘટન

1. ગ્રીનહાઉસ અસરથી વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. 1. ઓઝોનસ્તરના વિઘટનથી સૂર્યનાં હાનિકારક વિકિરણો (UV કિરણો) નો પૃથ્વીના પર્યાવરણમાં પ્રવેશ થવા લાગ્યો છે. 
2. તે માટે વાતાવરણમાં  નું વધારે પ્રમાણ જવાબદાર છે. 2. તે માટે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર CFC જવાબદાર છે.
3. વધુ વૃક્ષો ઉગાડી  નું પ્રમાણ ઘટાડી ગ્રીનહાઉસ અસરને નિયંત્રિત કરી શકાય છે. 3. CFC જૈવિક પ્રક્રિયા વડે વિઘટન પામતું ન હોવાથી તેનો વપરાશ અને ઉત્પાદન બંધ કરતું તે જ એકમાત્ર ઉપાય છે.


વાતાવરણમાં વિવિધ ક્રિયાઓ વડે  ઉમેરાતો હોવા છતાં વાતાવરણમાં તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

Hide | Show

જવાબ : સુકોષકેન્દ્રી સજીવકોષોમાં અને ઘણા આદિકોષકેન્દ્રી સજીવકોષોમાં જારક શ્વસનની ક્રિયા વડે સર્જાતો  અને અશ્મિ બળતણના દહનથી સર્જાતો  વાતાવરણમાં ઉમેરતો જાય છે. આમ છતાં, વાતાવરણમાં  ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેનું મુખ્ય કારણ લીલી વનસ્પતિ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા છે. પ્રકાશસંશ્લેષણમાં  નો ઉપયોગ કરી ગ્લુકોઝનું નિર્માણ કરાય છે. આ ઉપરાંત ઘણાં બધાં દરિયાઈ પ્રાણીઓ દરિયાના પાણીમાં ઓગળેલ માંથી કાર્બોનેટ બનાવી તેમનું કવચ બનાવે છે. આમ, વાતાવરણમાં નું પ્રમાણ નિયંત્રિત થાય છે.


ચંદ્ર અને પૃથ્વી સૂર્યથી સમાન અંતરે હોવા છતાં ચંદ્ર અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં મોટો તફાવત મળે છે. અથવા ચંદ્ર પર દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક છે જ્યારે પૃથ્વીના દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક નથી.

Hide | Show

જવાબ : આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો મહત્વનો છે. વાતાવરણના વાયુ ઉષ્માના મંદવાહક હોવાથી સરેરાશ તાપમાને દિવસ દરમિયાન સ્થિર રાખે છે. વાતાવરણ દિવસ. સમય અને તાપમાનમાં થતા અચાનક વધારાને પણ અટકાવે છે. રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં  ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને પણ ધીમી પાડે છે. આથી રાત્રિના તાપમાનમાં થતો નોંધપાત્ર ઘટાડો અટકે છે.         પૃથ્વી પર વાતાવરણ આવેલું હોવાથી દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત સર્જાતો નથી. પરંતુ ચંદ્ર પર વાતાવરણનો અભાવ હોવાથી દિવસ અને રાત્રિના તાપમાનનું યોગ્ય નિયંત્રણ જળવાતું નથી. આથી ચંદ્ર પર તાપમાન  રહે છે.


પાણી વગર જીવન શક્ય નથી.

Hide | Show

જવાબ : જીવન માટે પાણીની આવશ્યકતા : (1) સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે. (2) જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે. (3) બધા સજીવોને જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખતી જરૂરી છે. (4) જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે.


દરિયાઈ પવનો દિવસે અને જમીનના પવનો રાત્રે સર્જાય છે.

Hide | Show

જવાબ : દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ ઊઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે.  દિવસ દરમિયાન આ રીતે દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે.         રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે. પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. આથી જમીન પરની હવા સમુદ્વના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.


અશ્મિ બળતણનો તાકીદે ઉપયોગ ઘટાડવો જરૂરી છે.

Hide | Show

જવાબ : કોલસા અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિ બળતણમાં નાઇટ્રોજન અને સલ્ફર હોય છે. અશ્મિ બળતણનું દહન થાય ત્યારે નાઇટ્રોજન અને સલ્ફરના ઓકસાઈડ ઉત્પન્ન થઈ વાતાવરણમાં ઉમેરાય છે. આ વાયુઓ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. તેઓ વાતાવરણમાં વરસાદના પાણીમાં ભળી એસિડવર્ષા કરે છે. અશ્મિ બળતણના દહનથી વાતાવરણમાં નું પ્રમાણ વધતું જાય છે, તે ગ્રીન હાઉસ અસર સર્જે છે. અશ્મિ બળતણના દહનથી હવામાં નિલંબિત કણોનું પ્રમાણ વધતાં વાતાવરણ ધૂંધળું બને છે. આ સમસ્યાઓના નિયંત્રણ માટે અશ્મિ બળતણનો તાકીદે ઉપયોગ ઘટાડવો જરૂરી છે.


શિમ્બી કુળની વનસ્પતિઓના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી.

Hide | Show

જવાબ : શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા (રાઈઝોબિયમ) બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારની સંરચના – મૂળગંડિકા બનાવે છે. મૂળગંડિકામાં આ બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રેટ, નાઈટ્રાઈટ સરળતાથી પ્રાપ્ત કરાવે છે. શિમ્બી વનસ્પતિઓ કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી.


ભૂમિ – નિર્માણમાં પર્યાવરણનાં અજૈવ પરિબળોની વિઘટક અસરો મહત્વનો ભાગ ભજવે છે.

Hide | Show

જવાબ : પૃથ્વીનું સૌથી બહારનું પડ ભૂમિ તરીકે ઓળખાય છે. ભૂમિ – નિર્માણમાં પર્યાવરણનાં અજૈવ પરિબળો સૂર્યપ્રકાશ, પાણી, પવન વગેરે મહત્વનો ભાગ ભજવે છે. સૂર્યપ્રકાશની ઉષ્માથી દિવસે ગરમ થતાં પથ્થરોનું વિસ્તરણ થાય છે અને રાત્રિ દરમિયાન ઠંડા થતાં સંકોચન પામે છે. પરિણામે પથ્થરોમાં તિરાડો સર્જાય છે. આ તિરાડોમાં પાણી પ્રવેશતાં તે પહોળી થાય છે. ઝડપથી વહેતું પાણી પથ્થરોના નાના – મોટા કણોને નીચે લઈ જાય છે, ત્યારે પથ્થરો સાથે ઘસાતાં આ કણો નાના કદના થઈ ભૂમિકણોમાં ફેરવાય છે. પવનની અસરથી પણ પથ્થરો ઘસારો અનુભવે છે અને નાના કણોનું નિર્માણ થાય છે. આમ, ભૂમિ – નિર્માણમાં અજૈવ પરિબળો પથ્થરો પર વિઘટક અસરો સર્જી ભૂમિકણોનું નિર્માણ કરે છે.


મહાનગરોમાં શિયાળાની સવારમાં વાહન અકસ્માતો વધે છે.

Hide | Show

જવાબ : મહાનગરોમાં વાહનવ્યવહાર વધારે હોય છે. વાહનોમાં પેટ્રોલિયમ પદાર્થોનો અશ્મિ બળતણરૂપે ઉપયોગ થાય છે. અશ્મિ બળતણના દહનથી વાતાવરણમાં નિલંબિત કણો (દહન પામ્યા વગરના કાર્બન કણ) હાઈડ્રોકાર્બનરૂપે જમા થાય છે. નિલંબિત કણોની માત્રામાં વધારો થતાં વાતાવરણ ધૂંધળું બને છે. શિયાળાની ઋતુમાં આ કણો પાણી સાથે સંઘનન પામી ધુમ્મસ સર્જે છે. આથી થોડે દૂર સુધી જોવામાં પણ મુશ્કેલી પડે છે. આથી મહાનગરોમાં શિયાળાની સવારમાં વાહન અકસ્માતો વધે છે.


શ્વસન અને પ્રકાશસંશ્લેસન ક્રિયા કાર્બનચક્ર અને ઓક્સિજનચક્રમાં ખૂબ જ મહત્વની છે.

Hide | Show

જવાબ : શ્વસન ક્રિયા બધા જ સજીવોમાં જોવા મળે છે. તેમાં શર્કરા (ગ્લુકોઝ) નું મોટા ભાગે  ના ઉપયોગ વડે દહન થતાં  મુક્ત થાય છે. પ્રકાશસંશ્લેષણ ક્લોરોફિલ ધરાવતા સજીવોમાં જ  જોવા મળે છે. આ ક્રિયામાં  નો ઉપયોગ થાય છે અને શર્કરા (ગ્લુકોઝ) નું નિર્માણ તેમજ  મુક્ત થાય છે.         આમ, ઓક્સિજનચક્રમાં ના ચક્રીયકરણમાં  નો વપરાશ કરતી ક્રિયા શ્વસન અને  ના સ્ત્રોત તરીકે પ્રકાશસંશ્લેષણ છે. જ્યારે કાર્બનચક્રમાં C ના ચક્રીયકરણમાં  નો વપરાશ કરતી ક્રિયા પ્રકાશસંશ્લેષણ અને  ના સ્ત્રોત તરીકે શ્વસન છે.         આથી શ્વસન અને પ્રકાશસંશ્લેષણ ક્રિયા કાર્બનચક્ર અને ઓક્સિજનચક્રમાં ખૂબ જ મહત્વની છે.


 મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી, વાતાવરણમાં  ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેનાં બે મુખ્ય કારણો લખો. અથવા  ત્યાગ કરતી અને  નો ઉપયોગ કરતી બે – બે ક્રિયાઓ આપો.

Hide | Show

જવાબ :  મુક્ત કરતી બે ક્રિયાઓ : (1) સુકોષકેન્દ્રી (યુકેરિયોટિક) કોષો અને ઘણા આદિકોષકેન્દ્રી (પ્રોકેરિયોટિક) કોષોની ક્રિયાશીલતા માટે ઊર્જા મેળવવા ગ્લુકોઝનું ની હાજરીમાં મંદદહન કરાય છે, તેને કોષીય શ્વસન કહે છે. આ ક્રિયામાં  મુક્ત થાય છે.

  ઊર્જા

(2) દહન (Combustion) પ્રક્રિયામાં  વપરાય છે અને  મુક્ત થાય છે. માનવની પ્રવૃતિ જેવી કે ઈંધણ (બળતણ) સળગાવી ઊર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે.

 નો ઉપયોગ કરતી ક્રિયાઓ : (1) પ્રકાશસંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોકસાઈડનું સ્થાપન કરી ગ્લુકોઝ નિર્માણ કરે છે.

(2) ઘણાં દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્વાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય નો ઉપયોગ થાય છે.


આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો શું છે ?

Hide | Show

જવાબ : આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો :

(1) વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે.

(2) વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મામુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી.

દા.ત.: ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલાં છે, છતાં ચંદ્વની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન  રહે છે.

        આમ, વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે.


વિસ્તૃત રીતે સમજાવો : હવાની ગતિ અથવા પવન કેવી રીતે સર્જાય છે કે સમજાવી, દિવસ અને રાત્રિ દરમિયાન તેની દિશા જણાવો. અથવા વિસ્તૃત નોંધ લખો : જમીન અને દરિયાઈ પવનો અથવા વિગતવાર ઉત્તર આપો : પવન કેવી રીતે બને છે ?

Hide | Show

જવાબ : ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનુ પરિણામ છે.

        પવન (લહેરો) નું સર્જન : જ્યારે સૂર્યનાં કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંનાં અમુક કિરણોનું જમીન અને જળાશયો વડે શોષણ થાય છે. બાકીનાં મોટા ભાગનાં કિરણોનું જમીન અને જળાશયો વડે પરાવર્તન થાય છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેની ગરમ કરે છે. પરિણામે હવામાં પવન (લહેરો) નું નિર્માણ થાય છે.

        દરિયાઈ પવન (લહેરો) : દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ ઊઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે.  દિવસ દરમિયાન આ રીતે દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે.

            જમીનના પવન (લહેરો) : રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે. પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.

​​​​​​​


હવાનું પ્રદૂષણ એટલે શું ? હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે ? તેની હાનિકારક અસરો લખો. અથવા હવાની ગુણવત્તા કેવી રીતે ઘટે છે અને આ ગુણવત્તામાં ઘટાડો કઈ અસરો કરે છે તે જણાવો.

Hide | Show

જવાબ : હવાનું પ્રદૂષણ : હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કરે છે.

        હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મિ બળતણના દહનથી થાય છે. અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓકસાઈડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે. અશ્મિ બળતણના દહન વડે સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ (હાઈડ્રોકાર્બન) નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે. આ પ્રદૂષકો હવામાં ઉમેરાતાં હવાની ગુણવત્તા ઘટે છે.

        હવાના પ્રદૂષણની હાનિકારક અસરો : (1) હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓકસાઈડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે.

(2) હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓકસાઈડ વરસાદના પાણી સાથે ભળીને એસિડવર્ષા કરે છે. તેનાથી ત્વચા પર, ભૂમિ અને પાણીમાં વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે.

(3) હાઈડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી સંઘનિત થઈ ધુમ્મસ બનાવે છે, જે વાહન અકસ્માત વધારે છે.


જળ – પ્રદૂષણ એટલે શું ? જળ – પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું બને તેને જળ – પ્રદૂષક કહે છે.

        જળ – પ્રદૂષણ મુખ્યત્વે માનવ – પ્રવૃતિઓ વડે થાય છે, જે નીચે મુજબ છે :

(1) ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટકનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતાં પાણી પ્રદૂષિત થાય છે.

(2) શહેર કે નગરના ગટર / નાળાના ગંદા પાણી નદી, જળાશયોમાં ઠલવાતાં ડિટરજન્ટ, સુએઝ કચરો, રોગકારકો (બેક્ટેરિયા, વાઇરસ, પ્રજીવ વગેરે) પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.

(3) ઉધોગોમાં સર્જાતો કચરો જળસ્ત્રોતમાં ઠલવાતાં રાસાયણિક ઝેરી દ્વવ્યો પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.

(4) કેટલાક વિશિષ્ટ ઉધોગો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે અને અંતે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે. આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે.

        જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર અસર થાય છે.


જળ – પ્રદૂષણની અસરો સમજાવો.

Hide | Show

જવાબ : જળ – પ્રદૂષણની અસરો નીચે મુજબ છે :

(1) જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉધોગોમાં ઉત્પન્ન થયેલા પારા (મરકયુરી) ના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કોલેરા કે ટાઈફોઈડ જેવા રોગ ફેલાવનારા બેક્ટેરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે. આવું પ્રદૂષિત પાણી માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સર્જાય છે.

(2) જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જૈવવિઘટનીય પ્રદૂષકો ઉમેરાતાં તેના વિઘટન (ઓક્સિડેશન) માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. જળાશયોમાંથી બીજાં પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે.

(3) જળાશયોમાં રહેતા જળચર સજીવો ત્યાના એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરીવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનનક્રિયા પર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીનાં ઈંડા અને ડિમ્ભ તાપમાનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે.


ભૂમિ – નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો) સમજાવો. અથવા ભૂમિ – નિર્માણમાં અજૈવ અને જૈવ પરિબળોની ભૂમિકા સમજાવો.

Hide | Show

જવાબ : ભૂમિ – નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો) : અજૈવ (સૂર્ય, પાણી, પવન) અને જૈવ (લાઈકેન).

(1) સૂર્ય : દિવસના સમયે સૂર્ય – ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતાં તેમનું સંકોચન થાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે.

(2) પાણી : ભૂમિ – નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે : (1) પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે. (2) ઝડપથી વહેતું પાણી મજબૂત (કઠણ) પથ્થરોને તોડી નાખી શકે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે.

(3) પવન : તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

(4) લાઈકેન : લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઊગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાઉડરમાં ફેરવે છે. આમ, ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી મોસ (શેવાળ) જેવી બીજી નાની વનસ્પતિઓને ઊગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોનાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે.

આ રીતે સજીવો પણ ભૂમિ – નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.


ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ લખો. અથવા સમજાવો : ભૂમિ એક મિશ્રણ

Hide | Show

જવાબ : ભૂમિ એક મિશ્રણ છે. તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનીજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મ જીવો, અળસિયા વગેરે આવેલાં છે.

        ભૂમિકણો (કાંપના કણો, માટીકણો, રેતીકણો) ના સરેરાશ પ્રમાણ વડે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે.

        ખનીજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ ક્યા પથ્થરોમાંથી બનેલી છે, તેના પર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ – વિકાસ માટે ખનીજ પોષક તત્વો અગત્યના છે.

        ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ (સડતા કાર્બનિક પદાર્થો) કહે છે. ભૂમિમાં હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી, હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ભૂમિકણો સાથે ઉપરિ – ભૂમિસ્તર (ભૂમિના ઉપરના સ્તર) માં હોય છે. ઉપરિ – ભૂમિસ્તરની ગુણવત્તા જે – તે વિસ્તારની જૈવવિવિધતા નક્કી કરે છે.

        અળસિયા ભૂમિને ઉપર – નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે, તેમજ ભૂમિનાં પોષક તત્વોનું પુન:ચક્રીયકરણ કરે છે.


ટૂંક નોંધ લખો : કુદરતમાં જલચક્ર

Hide | Show

જવાબ : જળસ્ત્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતાં બાષ્પ વાતાવરણમાં જાય છે અને આ બાષ્પ ઠંડી પડી વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વીની સપાટી પર પડે છે અને નદીઓ વડે પાણી સમુદ્રમાં જાય છે. તેને જલચક્ર કહે છે.

        જલચક્ર એ ખરેખર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ તથા સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે.

        સપાટીય જળ સૂર્ય – ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા વડે અને સજીવોમાં શ્વસનની ક્રિયા વડે પાણી બાષ્પરૂપે ગુમાવાય છે. આ બાષ્પ વાતાવરણમા ઊંચે જઈ ઠંડી પડે છે. સંઘનન વડે વરસાદ, બરફ, હિમ સ્વરૂપે પૃથ્વી પર પાણી પાછું ફરે છે.

        વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ ભૂમીય જળ તરીકે રહે છે. કેટલુક ભૂમીય જળ ઝરણાં વડે સપાટી પર આવે છે. વરસાદરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ જળાશયો, નદી, કૂવા વગેરેમાં આવે છે. વનસ્પતિઓ મૂળ વડે ભૂમીય જળનું શોષણ કરે છે. અન્ય સજીવો, જીવજંતુઓ, સ્થળજ પ્રાણી વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે.

​​​​​​​

​​​​​​​પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. પાણી જ્યાં જ્યાંથી પસાર થાય છે તેમ તેમ તેમાં વિવિધ ખનીજો દ્રાવ્ય થાય છે. આ રીતે નદીના વહેતા પાણી વડે ઘણાં પોષક દ્રવ્યો સપાટી પરથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવો વડે ઉપયોગમાં લેવાય છે. દરિયા અને સમુદ્રમાં આવતું પાણી પુન:બાષ્પીભવન પામે છે અને જલચક્ર ચાલતું રહે છે.


ટૂંક નોંધ લખો : નાઇટ્રોજનચક્ર અથવા નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર સમજાવો.

Hide | Show

જવાબ : નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર નાઇટ્રોજનચક્ર છે.

નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્વ : વાતાવરણમાં 78 % નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે.

        સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ એમીનો એસિડ તેમજ ન્યુક્લિઈક એસિડ RNA અને DNA જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વ અગત્યનું છે. જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કલોઈડ અને યૂરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન છે.

        નાઇટ્રોજનનું સ્થાપન ( સ્થાપન) : બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આથી વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે.

નાઇટ્રોજન સ્થાપન બે રીતે જોવા મળે છે :

(1) રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન : આકાશમાં વીજળીના ચમકારા વડે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપમાં  નું તેના ઓકસાઈડ  માં સ્થાપન થાય છે. આ ઓકસાઈડ પાણીમાં દ્વાવ્ય થઈ નાઈટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડરૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે ત્યારે વિવિધ સજીવો વડે તેનો ઉપયોગ થાય છે.

(2) જૈવ નાઇટ્રોજન સ્થાપન : રાસાયણિક  સ્થાપન કરતાં જૈવ  સ્થાપન અનેક ગણું વધારે હોય છે. તેમાં સજીવો ભાગ લે છે.

        શિમ્બી કુળની વનસ્પતિઓ (કઠોળ) ના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના – મૂળગંડિકામાં રહેલા સહજીવી બેક્ટેરિયા રાઈઝોબિયમ, ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ સજીવો વાતાવરણના  નું એમોનિફિકેશન ક્રિયા વડે એમોનિયા () માં રૂપાંતર કરે છે.

        એમોનિયા  નાઈટ્રીકરણ (નાઈટ્રિફિકેશન) ક્રિયા વડે નાઇટ્રાઇટ  અને નાઈટ્રેટ  માં ફેરવાય છે.

​​​​​​​

જૈવ ઘટકોમાં  નું વહન : એમોનિયમ, નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિઓ શોષણ કરી તેમને એમીનો એસિડમાં ફેરવે છે. એમીનો એસિડનો ઉપયોગ પ્રોટીન – નિર્માણમાં થાય છે.

 નો ભૌતિક પર્યાવરણમાં પુન:પ્રવેશ : જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે. ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરી ભૂમિમાં પાછા મુક્ત કરાય છે. તેમનો વનસ્પતિઓ ફરી ઉપયોગ કરી શકે છે.

ડિનાઈટ્રિફિકેશન : કેટલાક (સ્યુડોમોનાસ) પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આમ, નાઇટ્રોજન પુન: વાતાવરણમાં પ્રવેશે છે.

        આમ, વાતાવરણનો નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાઇ અંતે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે.


ટૂંક નોંધ લખો : કાર્બનચક્ર અથવા કાર્બનના ચક્રીય વહનની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : પૃથ્વી પર કાર્બન ઘણાં વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે છે.

        વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ તરીકે જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનીજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે.

        સજીવોમાં કાર્બનનું મહત્વ : બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિઈક એસિડ અને વિટામિન છે.

        વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત: કંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું છે.

​​​​​​​

 

વાતાવરણના  નો ઉપયોગ : ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોકસાઈડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા વડે તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે.

        આ ગ્લુકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા સજીવોમાં મહત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે.

         વાતાવરણમાં  નો ઉમેરો : જીવંત સજીવોમાં ઊર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોકસાઈડ વાતાવરણમાં ઉમેરાય છે.

        દહનની ક્રિયા જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે અને ઉધોગોમાં બળતણનો ઉપયોગ થાય છે. તેના વડે ઉત્પન્ન થતો કાર્બન ડાયોકસાઈડ વાતાવરણમાં ઉમેરાય છે.

        ઔધોગિક ક્રાંતિથી અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે.

        આમ, કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ વડે પુન: ચક્રીયકરણ થાય છે.


ટૂંક નોંધ લખો : ઓક્સિજનચક્ર અથવા સમજાવો :  ચક્ર

Hide | Show

જવાબ : સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતાં  ના ચક્રીયકરણને ઓક્સિજનચક્ર કહે છે.

​​​​​​​​​​​​​​

​​​​​​​

 નો ઉપયોગ કરતી ક્રિયાઓ : વાતાવરણનો  ત્રણ પ્રક્રિયાઓ – દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજનના ઓકસાઈડના નિર્માણમાં વપરાય છે.

        શ્વસનની ક્રિયામાં  જરૂરી છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે.

 મુક્ત કરતી ક્રિયા : હરિતદ્રવ્ય ધરાવતા સજીવો દા.ત., લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા વડે  વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે.


ટૂંક નોંધ લખો : ઓઝોનસ્તરનું વિઘટન અથવા ઓઝોનસ્તરની વિઘટનની સમસ્યા સમજાવો.

Hide | Show

જવાબ : ઓઝોનસ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે.

        મનુષ્ય વડે બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો માંથી CFC ક્લોરોફ્લુરોકાર્બન વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. CFC ક્લોરીન અને ફ્લોરિનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા વડે વિઘટન પામતું નથી. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે છે. તેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે.

​​​​​​​

​​​​​​​હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો (ગાબડાં) જોવાં મળ્યાં છે. ઓઝોનસ્તરના વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો પર તેની ખૂબ ગંભીર અસરો જોવા મળે છે.


સમજાવો : પથ્થરો પર આબોહવાનાં પરિબળો અને સજીવો વડે પ્રેરાતી લાંબા ગાળાની વિઘટક અસરોથી ભૂમિનું નિર્માણ થાય છે.

Hide | Show

જવાબ : ભૂમિ – નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો) : અજૈવ (સૂર્ય, પાણી, પવન) અને જૈવ (લાઈકેન).

(1) સૂર્ય : દિવસના સમયે સૂર્ય – ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતાં તેમનું સંકોચન થાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે.

(2) પાણી : ભૂમિ – નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે : (1) પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે. (2) ઝડપથી વહેતું પાણી મજબૂત (કઠણ) પથ્થરોને તોડી નાખી શકે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે.

(3) પવન : તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

(4) લાઈકેન : લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઊગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાઉડરમાં ફેરવે છે. આમ, ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી મોસ (શેવાળ) જેવી બીજી નાની વનસ્પતિઓને ઊગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોનાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે.

        આ રીતે સજીવો પણ ભૂમિ – નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.


તફાવત આપો : હવાઈ પ્રદૂષણ અને જળ – પ્રદૂષણ

Hide | Show

જવાબ :

હવાઈ પ્રદૂષણ

જળ – પ્રદૂષણ

1. વાતાવરણની હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરા ને હવાઈ પ્રદૂષણ કહે છે.

1. જલાવરણમાં હાનિકારક પદાર્થોના ઉમેરા ને જળ – પ્રદૂષણ કહે છે.

2. પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગ થવાની સંભાવના વધે છે.

2. પ્રદુષિત પાણી પીવાથી કોલેરા, ટાઈફોઈડ, કમળો જેવા રોગ થવાની સંભાવના રહે છે.

3. હવાઈ પ્રદૂષણ એસિડવર્ષા, ધુમ્મસની સમસ્યા સર્જાય છે. 

3. જળ – પ્રદૂષણથી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઘટાડો, પાણીના તાપમાનમાં ફેરફારની સમસ્યા સર્જાય છે.

4. હવાઈ પ્રદૂષણ માટે અશ્મિ બળતણનો વધતો વપરાશ અને વૃક્ષોનો નાશ જવાબદાર છે.

4. જળ – પ્રદૂષણ માટે પાણીનો સક્ષમ દ્રાવકનો ગુણધર્મ જવાબદાર છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

નૈસર્ગિક સ્ત્રોતો

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.