GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

સજીવોમાં થતી આંતરસંબંધિત ક્રિયાઓની સમજુતી આપો.

Hide | Show

જવાબ : કોષ સજીવોના પાયાનો એકમ છે. કોષો કાર્બોદિત,પ્રોટીન, લિપીડ વગેરે વિવિધતા ધરાવતા દ્રવ્યોના બનેલા છે. ઉચ્ચ સજીવોમાં જીવંત કોષ વિવિધ જૈવિક ક્રિયાઓ દર્શાવતું ગતિશીલ સ્થાન છે. કોષોમાં સમારકામ તેમજ નવા કોષોના સર્જનની ક્રિયા સતત ચાલતી રહે છે.              આપણા અંગો અથવા પેશીઓમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ ચાલ્યા કરે છે. દા.., હૃદય ધબકવાનું કાર્ય કરી રુધીર ને  શરીરમાં ફરતું રાખે છે. આ સમયે ફેફસાં શ્વાસોચ્છવાસ ક્રિયા કરે છે. મુત્રપિંડ ગાળણ દ્વારા મુત્રનિર્માણ કરે છે. મગજ વિચારે છે. આમ, શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓ આંતરસંબંધિત છે.


કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે. આપેલ વાક્યની સમજુતી આપો.

Hide | Show

જવાબ : સજીવોના શરીરમાં જુદાં જુદાં અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આમ, કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે.        પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતાં પોષક દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. પરિણામ સ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે છે કે અટકે છે. દા.., જો મુત્રપિંડ ગાળણ ન કરે, તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે. ફેફસાં યોગ્ય રીતે શ્વાસોચ્છ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી O2 પ્રાપ્ત ણ થાય અનિયમિતતાથી રુધીરપરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. આ બધી પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ સર્જાય છે.                આમ, જયારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારનાં કાર્યોને રોકે છે. તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઉભી થાય છે.


સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થયને કઈ રીતે મૂલ્યાંકન કરે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્યપ્રયોગ કરાય છે. આપણા શિક્ષક ઘણી વખત કહે છે : આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કે કો સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે? આમ, વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય છે.                    આમ, સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા  દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાસ્થ્ય તરીકે મૂલવાય છે.


સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. અને વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કઈ રીતે મહત્વની છે તે જણાવો.

Hide | Show

જવાબ : સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ. બધા સજીવોના સ્વાસ્થ્યનો આદહાર તેમની ફરતે આવેલા પર્યાવરણ પર રહેલો છે. દા.., ચક્રવાત (cyclone) દરમિયાન આપણા સ્વાસ્થયને અનેક રીતે નુકસાન થાય છે. વ્યક્તિ સમાજમાં રહે તે ખુબ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વયક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. મનુષ્યો ગામડાં, કસબા કે શહેરોમાં રહે છે. આવા રહેઠાણ  વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વની છે. આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે, તો શેરીઓમાં કચરાના ઢગલા થઇ જાય. ગટરો ઉભરાય અને ખુલ્લામાં ગટરનાં પાણી કે અન્ય પાણી ભરાઈ રહે. તેનો નિકાલ કરવામાં ન આવે તો તે વિવિધ રોગકારો અને રોગવાહકોનાં ઉદ્ભવસ્થાન અને આશ્રયસ્થાન બની જાય. તેનાથી આપણું સ્વાસ્થ્ય જોખમવાની પૂરી શક્યતા છે. આમ, વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા-પાણીની સાથે જાહેર સ્વચ્છતા ખુબ અગત્યની છે.


વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ઘણી જ આવશ્યક છે તે જણાવો.

Hide | Show

જવાબ : શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાસ્થ્ય માટે પૂરતાં પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે. આમ, સારી આર્થિક સ્થતિ તથા કાર્ય વયક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે.                      સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો  ણ હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે.


સારા સ્વાસ્થય માટેની જરૂરી શરતો કઈ છે તે સમજાવો.

Hide | Show

જવાબ : સારા સ્વાસ્થ્ય માટેની જરૂરી શરતો નીચે મુજબ છે: (1)ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે. (2)સ્વચ્છ પીવાનાં પાણીની પ્રાપ્તિ (3)પૂરતાં અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ (4)સામાજિક સમાનતા અને સંવાદિતા


સ્વાસ્થ્ય અને રોગમુક્ત વચ્ચેનો તફાવત યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : રોગનો અક્ષરશ: અર્થ અસ્વસ્થતા કે અસુવિધાથાય છે. અંગ્રેજીમાં આ શબ્દ DIS + EASE નો અર્થ આરામમાં ખલેલ થાય છે. તેમ છતાં રોગ શબ્દ ખુબ માર્યાદિત અર્થમાં વપરાય છે. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે. ચોક્કસ રોગનાં લક્ષણો કે ચીહ્ન્નોનાં ફેલાવા વગર પણ અસ્વસ્થતા સંભવિત છે.           સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે; જયારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિને રોગમુક્ત તરીકે ઓળખાવી શકાય. સ્વાસ્થય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે, જયારે રોગ એ વ્યક્તિગત બાબત છે.        સ્વાસ્થયનો અર્થ વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે, એક નૃત્યાંગનાં માટે સારા સ્વાસ્થયનો અર્થ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રાઓમાં વાળી શકે તે છે. જયારે વાંસળીવાદક માટે લાંબો શ્વાસ લઇ શકે જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે.


સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ જણાવો.

Hide | Show

જવાબ : સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ : (1)શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ અને (2)આસપાસનું સ્વસ્થ પર્યાવરણ.


રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિઓ વર્ણવો.

Hide | Show

જવાબ : રોગમુક્ત રહેવા માટેની બે આવશ્યક પરિસ્થિતિઓ : (1)વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા અને (2)સ્વચ્છ પર્યાવરણ


શું ઉપર આપેલા બંને પ્રશ્નોના જવાબ એક સરખા છે કે અલગ અલગ તે કારણ સહીત જણાવો.

Hide | Show

જવાબ : ના, અલગ-અલગ છે. કારણ કે વ્યકિગત રોગમુક્ત હોઈ શકે છે, પરંતુ તે માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ્ય ન હોય તેવું બની શકે.


રોગ થયો છે કે નહિ તે કારણ સહીત સમજાવો.

                  અથવા

રોગના નિદાનની જરૂરિયાત ક્યારે થાય તે જણાવો.

Hide | Show

જવાબ : આપણાશરીરમાં અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરના ક્રિયાત્માક અંગો કે અંગતંત્રોનું નિર્માણ કરે છે. તે શરીરના વિભિન્ન કર્યો કરે છે. પ્રત્યેક અંગતંત્રમાં ચોક્કસ અંગ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા છે. જુદાં જુદાં તંત્રો જુદાં જુદાં કાર્ય સાથે સંકળાયેલા છે.                 શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રના કર્યો અથવા સંરચનામાં ફેરફારો થાય કે તે ખરાબ થાય ત્યારે રોગનાં લક્ષણો કે ચિહ્નો ઉદ્ભવે છે.


તીવ્ર રોગો અને હઠીલા રોગોની ટૂંકનોંધ જણાવો.

                    અથવા

માનવસ્વાસ્થ્ય પર રોગોની અસરના સમયગાળાનાં આધારે રોગોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્યમાં થતા રોગો મુખ્યત્વે બે પ્રકારનાં છે : (1)તીવ્ર રોગો : જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે, પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે. તેથી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી. દા.., ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા વગેરે. (2)હઠીલા રોગો : આ લાંબા ગાળાનાં રોગ છે. શરીરમાં રોગનાં લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા જિંદગીભર રહે છે. આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. દા..,હાથીપગો, ક્ષય, ડાયાબીટીસ, કેન્સર, આર્થરાઈટીસ વગેરે.


મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસરો કેવી થાય છે જણાવો.

                      અથવા

આપણા સ્વાસ્થ્ય પર તીવ્ર અને હઠીલા રોગોની અસર જુદી-જુદી હોય છે તે જણાવો.

Hide | Show

જવાબ : કોઈ પણ રોગ જે આપણા શરીરનાં કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પંહોચાડી શકે, તો તે વ્યક્તિનાં સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. કારણ કે, સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરનાં બધાં અંગોના કાર્યોનું સામુહિક સંકલન જરૂરી છે. તીવ્ર રોગોની સ્વાસ્થ્ય પર અસરો : આ રોગો ખુબ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચડવામાં તેમને પુરતો સમય મળતો નથી. ઉદાહરણ તરીકે, શરદી ,ખાંસી (ઉધરસ). લગભગ દરેક વ્યક્તિને સમયાંતરે આ તકલીફ થતી હોય છે, પરંતુ મોટા ભાગની વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયામાં સાજી થઇ જાય છે. તેનાથી શરીરના વજનમાં ઘટાડો, શ્વાશોછ્વાસમાં વધારો કે થાકનો અનુભવ વગેરે જેવી કોઈ ખરાબ અસરો સ્વાસ્થ્ય પર થતી નથી. વિધાર્થી આવી તકલીફમાં 2-4 દિવસ શાળાએ જી શકતો નથી. હઠીલા રોગોની સ્વાસ્થ્ય પર અસરો :હઠીલા રોગથી વ્યક્તિ રોગગ્રસ્ત હોય ત્યારે સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે. દા.., જો વ્યક્તિ ફેંફસાનાં ક્ષયથી સંક્રમિત થાય તો કેટલાંય વર્ષો બીમાર રહેવાથી તેનું વજન ઓછું થઇ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે. જો વિધાર્થી હઠીલા રોગોથી પીડાતો હોય તો અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે, શીખવાની ક્ષમતા ઘટતી જાય. હઠીલા રોગમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે.          આમ, તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગ લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે.


રોગનાં આંતરિક અને બાહ્ય કારણો વિસ્તારથી વર્ણવો.

                અથવા

મનુષ્યનું સ્વાસ્થ્ય ક્યાં કારણોથી જોખમાય છે અને રોગ થાય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્યનું સ્વાસ્થ્ય વિવિધ કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. રોગ થવાના કેટલાક કારણો નીચે મુંજબ છે: (1)આંતરિક કારણો: હૃદય, મુત્રપિંડ, યકૃત વગેરે શરીરના વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા.

  • આનુવંશિક વિકૃતિ (ખામી)
  • અંત:સ્ત્રાવોનું અસંતુલન
  • પ્રતિકારતંત્રની અસામાન્ય ક્રિયાશીલતા. દા.., એલર્જી.

(2)બાહ્ય કારણો :કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે.

  • અસમતોલ આહાર કે અપૂરતું પોષણ.
  • રોગકારક સજીવો જેવાં કે, વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ,પરજીવ, કૃમિનો શરીરમાં પ્રવેશ.
  • પર્યાવરણીય પ્રદુષકો.
  • તમાકુ, દારુ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો.


રોગો માટે એક કરતા વધારે કારણો જવાબદાર હોય હે તે કારણ સહીત સમજાવો.

                        અથવા

રોગ ઘણા કારણોથી થાય છે વિસ્તારમાં સમજાવો.

Hide | Show

જવાબ : રોગ થવાનાં કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું તે છે. દા.., કોઈ બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે. આ રોગ માટેનું મુખ્ય (પ્રાથમિક) કારણ વાઈરસનો ચેપ છે અને આ વાઈરસના ચેપનો સ્ત્રોત પીવાનું પ્રદુષિત પાણી છે. પરંતુ આવું પ્રદુષિત પાણી પીનાર બધાં બાળકોને ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક બાળકને જ થાય છે. આ માટે એવું કહી શકાય કે અન્ય બાળકોની સરખામણીમાં આ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેથી તેમાં રોગનું જોખમ જોવા મળે છે. નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ આનુવંશિક ખામી કે અપૂરતું પોષણ હોઈ શકે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઇ શકતા નથી.પણ તે રોગના કારણમાં સહભાગી છે. આ ઉપરાંત બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં નબળી સુવિધાઓ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવને કારણે બાળક બીમાર થાય છે. આમ, પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગો થાય છે અને વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતા વધારે કારણો હોઈ શકે છે.


રોગોના ફેલાવના આધારે રોગનાં કેટલા પ્રકાર છે તે જણાવો.

                 અથવા

સંસર્ગજાન્ય (ચેપી) રોગો અને બિનસંસર્ગજાન્ય (બીનચેપી) રોગોની ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : રોગોના ફેલવાના આધારે રોગોના બે પ્રકાર છે : (1)સંસર્ગજન્ય (ચેપી) રોગો અને (2)બિનસંસર્ગજન્ય (બિનચેપી) રોગો.

  1. સંસર્ગજન્ય (ચેપી) રોગો: (1) આવા રોગો થવાનું કારણ વાઈરસ,બેક્ટેરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સુત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવ છે. (2) રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોણો ભોગ બની શકે છે. (3) ચેપી રોગોનો ફેલાવો ઝડપી હોય છે. (4)ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે કારકો દ્વારા પ્રસરે છે. (5) ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, ટાઈફોઈડ, ક્ષય વગેરે ચેપી રોગો છે.
  2. બિનસંસર્ગજન્ય (બીનચેપી) રોગો :(1)આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોય છે. (2)રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી. (3)આવા રોગો ઝડપથી થતા કે ફેલાતા નથી. (4)બીનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી. (5)કેટલાક કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. ઊંચું રુધિર દબાણ હોવાનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે.

             રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર રોગોના નિવારણની રીતો જુદાજુદા રોગો માટે જુદી જુદી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિનસંસર્ગજન્ય તેના પર આધાર રાખે છે.


પેપ્ટિકઅલ્સર ની વ્યાખ્યા આપો. તેમજ આ રોગ થવાના કારણ, રોગકારકનું નામ અને રોગની સારવાર કે ઉપચારની માહિતી સમજાવો.

Hide | Show

જવાબ : પેપ્ટિકઅલ્સર જઠર અને પક્વાશયની એસીડીટીનાં કારણે થતો દુખાવો અને રુધિરસ્ત્રાવ છે. પેપ્ટિક અલ્સર થવાનાં કારણો : રહેણીકરણી, તણાવયુક્ત જીવન, ખુબ જ તીખો-તળેલો ખોરાક. રોગકારક : હેલીકોબેકટર પાયલોરી (Helicobacter pylori) નામના વક્રાકાર બેક્ટેરિયા.     આ બેક્ટેરિયા જથારના નીચલા ભાગના જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોજાના ચિન્હનો જોવા મળે છે. ઉપચાર : રોબીન વોરેન અને બેરી માર્શલે સુચવેલા પ્રતિજૈવિક (એન્ટીબાયોટીક) ની ચોક્કસ સમય માટે સારવાર લઈને રોગમુક્ત થઇ શકાય છે.


એવા કારણો જણાવો કે જેથી તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ડોક્ટરની પાસે જવા માંગો છો અને જો એકપણ લક્ષણ હોય તો પણ ડોક્ટર પાસે જવા માંગો છો તે કારણ સહીત જણાવો.

Hide | Show

જવાબ : (1)માથાનો દુખાવો, (2)શરદી તથા ખાંસી અને (3)શરીર કળતર- આ ત્રણ કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે તે બીમાર છે અને ચિકિત્સક પાસે જવા માંગે છે.       જો આમાંથી એક પણ લક્ષણ હોય તોપણ ડોક્ટર પાસે જઈ ચોક્કસ સારવાર લેવી જોઈએ.


નીચે આપેલા વિકલ્પો માંથી ક્યાં વિકલ્પથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે તે કારણ સહીત જણાવો.

(1)જો તમને કમળો થયો હોય. (2)જો તમને જુ પડી હોય. (3)જો તમને ખીલ થયા હોય.

Hide | Show

જવાબ : જયારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કારણ કે, કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેની ખુબ જ વિપરીત અસર થાય છે. આ બીમારી હઠીલા રોગ તરીકે ગણાય છે અને તેની લાંબા સમય સુધી સારવાર જરૂરી છે.


રોગજન્ય સજીવોનું વર્ગીકરણ કરો અને તેમનાથી થતા રોગોની વિસ્તૃત માહિતી સમજાવો.

                         અથવા

રોગકારક સજીવોનું વર્ગીકરણ કઈ રીતે થાય તે સમજાવી તેમનાં રોગકારકો કયા રોગ માટે જવાબદાર છે તેનીમાહિતી આપો.

Hide | Show

જવાબ : જીવસુષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે. જુદાં જુદાં સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પરથી આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.        જે-તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણનાં પ્રકારે પાડ્યા છે:


ચેપીરોગોમાં કઈ સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે તે જણાવો.

Hide | Show

જવાબ : જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય છે. આ રોગકારકોનાં પ્રકાર અલગ હોવાથી તેમનાં લક્ષણો અલગ હોય છે.         ઉદાહરણ તરીકે, વાઈરસ કોષાતરીય પરપોષિય હોય છે. તેથી તે કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે. રોગકારક બેક્ટેરિયા પરપોષી છે, પરંતુ વાઈરસથી અલગ છે. વાઈરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. તુલનાત્મક રીતે કૃમીમાં ગુણનું ધીમું હોય છે.        વર્ગીકરણ અનુસાર વાઈરસ કરતા વિવિધ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટા ભાગના બેક્ટેરિયામાં સમાન હોય છે. પરંતુ વાઈરસથી ભિન્ન હોય છે. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ (એન્ટીબાયોટીક) ની અસરકારકતાકયા વર્ગના, કયા સજીવોમાં, કઈ ક્રિયાને અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે છે.                    આથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે.


માનવશરીરમાં બેક્ટેરિયાનાં ચેપ સામે પેનેસિલીન એન્ટીબાયોટીક (ઔષધ) ની અસરકારકતા કેવી છે તે સમજાવો.

Hide | Show

જવાબ : એન્ટીબાયોટીક સામાન્યત: બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા કે જૈવરાસાયણિક માર્ગને બંધ કરી દે છે.     દા.., પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાનાં જીવરસાયણિક પથમાં અવરોધ સર્જે છે. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષદીવાલ બનાવે છે. પરંતુ પેનિસિલિન બેક્ટેરિયાની કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે. પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષદીવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે. આમ, પેનિસિલિન બેક્ટેરિયામાં કોષદીવાલ બનાવવાની પ્રક્રિયા પર અસર કરતુ ઔષધ છે. માનવશરીરના કોષો કોષદીવાલ બનાવતા નથી. પરિણામે માનવશરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી.


શરદી-ઉધરસમાં એન્ટીબાયોટીક અસર પામતી નથી, છતાં ડોકટરો એન્ટીબાયોટીક કેમ આપે છે?

Hide | Show

જવાબ : શરદી-ઉધરસ વાઈરસનાં સંક્રમણથી થતી તકલીફ છે. વાઈરસ કોષદીવાલ ધરવતા નથી. તેમજ માનવશરીરના કોષોમાં જીવંતપણાનાં લક્ષણો દર્શાવે છે.            મોટા ભાગના એન્ટીબાયોટીક કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. વાઈરસમાં આવી પ્રક્રિયા થતી નથી. આથી વાઈરસથી સંક્રમિત શરદી-ઉધરસમાં એન્ટીબાયોટીક અસરકારક નિવડતી નથી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો ઓછો થતો નથી. આમ છતાં ડોકટરો એન્ટીબાયોટીક આપે છે, કારણ કે જો વાઈરસ સંક્રમિત શરદી-ઉધરસ સાથે બેક્ટેરીયાનું સંક્રમણ હોય, તો એન્ટીબાયોટીક લાભકારક નીવડે છે.


હવા દ્વારા ફેલાતા ચેપી રોગોની ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : કેટલાક રોગકારકોણો ફેલાવો હવા દ્વારા થાય છે. દા.., ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈ પણ રોગનાં ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી કે ગળફાથી નાના નાના છાંટા (બિંદુઓ) બહાર નીકળે છે. આવા નાના નાના છાંટા હવાનાં વેગ સાથે મીનીટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. અથવા તેની નજીક ઉભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બેક્ટેરિયા કે વાઈરસ સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી તેમને ચેપગ્રસ્ત બનાવે છે. નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર (Ventilation) થઇ શક્તિ નથી. તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે છે.              જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે.  


રોગકારક સુક્ષ્મ જીવો આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશે છે તે જણાવો.

Hide | Show

જવાબ : રોગકારક સુક્ષ્મ જીવોની સરખામણીમાં આપણું શરીર ઘણું મોટું છે. આથી રોગકારક સુક્ષ્મ જીવોના પ્રવેશ અને સ્થાયી થવા માટે આપણા શરીરમાં ઘણી જગ્યાઓ ઉપલબ્ધ છે. રોગકારક સુક્ષ્મ જીવો જુદાં જુદાં માધ્યમ અને જૂદા જુદાં પ્રવેશદ્વાર દ્વારા શરીરમાં પ્રવેશે છે. દા.., (1)ક્ષયનાં બેક્ટેરિયા નાક દ્વારા શ્વાસ મારફતે ફેંફસામાં પ્રવેશે છે. (2)ટાઈફોઈડનાં બેક્ટેરિયા મુખ દ્વારા પાણી કે ખોરાક મારફતે આંતરડામાં પ્રવેશે છે. (3)હિપેટાઈટીસ (કમળા) નાં વાઈરસ મુખ દ્વારા પ્રવેશી રુધિર મારફતે યકૃતમાં દાખલ થાય છે. (4)મચ્છર કરડવાથી મેલેરિયાનાં પ્રજીવ યકૃતમાં જાય છે અને ત્યારપછી રક્તકણમાં પ્રવેશે છે. આ જ પ્રમાણે મચ્છર કરડવાથી જાપાનીઝ એનિસફેલાઈટીસ (મગજનો તાવ) માટેનો જવાબદાર વાઈરસ દાખલ થઇ મગજને ચેપગ્રસ્ત બનાવે છે. (5)એઇડ્સ રોગનાં વાઈરસ-HIV લિંગી અંગો કે રુધિર દ્વારા પ્રવેશી રુધીરના પ્રતીકાર કોષોમાં અને લસીકા ગાંઠોમાં ફેલાય છે.


નીચે આપેલા રોગો માટેના રોગકારકો કયા છે અને તેની શરીરમાં તેની લક્ષ્ય પેશી કે અંગ કયા છે તે સમજાવો.

ક્ષય, ન્યુમોનિયા , ટાઈફોઈડ, મેલેરિયા, એઇડ્સ, કમળો (હિપેટાઈટીસ), કોલેરા, હાથીપગો, જાપાનીઝ એનીસ્ફેલાઈટીસ.

Hide | Show

જવાબ :

રોગનું નામ રોગકારકનો પ્રકાર લક્ષ્ય પેશી કે અંગ
(1)ક્ષય બેક્ટેરિયા ફેંફસા
(2)ન્યુમોનિયા બેક્ટેરિયા ફેંફસા
(3)ટાઈફોઈડ બેક્ટેરિયા આંતરડું
(4)મેલેરિયા પ્રજીવ રક્તકણ
(5)એઇડ્સ વાઈરસ પ્રતીકારતંત્રનાં કોષો
(6)કમળો (હીપેટાઈટીસ) વાઈરસ યકૃત
(7)કોલેરા બેક્ટેરિયા આંતરડું
(8)હાથીપગો કૃમિ ઉપાંગોનાં લસીકાકોટરો
(9)જાપાનીઝ એનીસ્ફેલાઈટીસ વાઈરસ મગજ
 


રોગકારકોએ નીચે આપેલા અંગોને લક્ષ્ય બનાવ્યા હોય, તો શરીરમાં કઈ કઈ અસરો જોવા મળશે તે કારણ સહીત સમજાવો.

ફેંફસા, યકૃત, મગજ.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે રોગના ચિહ્ન કે લક્ષણોણો આધાર રોગકારક સુક્ષ્મ જીવો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના પર રહેલો છે. (1)જો ફેંફસાને લક્ષ્ય બનાવ્યા હોય, તો ખાંસી, શરદી કે હાંફી જવું જેવાં ચિહ્નો જોવા મળે છે. (2)જો યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય, તો કમળાનાં ચિહનો જોવા મળે છે. (3)જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવવા, બેભાન થવું જેવાં ચિહનો જોવા મળે છે.          આ બધાં ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગપ્રતિકારકતંત્ર સક્રિય બની, રોગ ઉત્પન્ન કરનાર સુક્ષ્મ જીવોનો નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો,તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે.


HIVના ચેપથી પ્રતિકારક તંત્ર પર થતી અસરથી કયા પરિણામો ઉત્પન્ન થાય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : HIV (હ્યુમન ઈમ્યુનોડેફીસીઅસ્ન્સી વાઈરસ) ના ચેપની પેશી વિશિષ્ટ અસરથી કેટલીક સામાન્ય અસરો સર્જાય છે. HIV નાં ચેપમાં પ્રતિકારક તંત્રનાં કોષોમાં વાઈરસ દાખલ થઇ, તેને નુકસાન કરી, તેના કાર્યને નષ્ટ કરે છે. આથી HIV-AIDS ની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રોજબરોજ નાના નાના સંક્રમણનો લાંબો સમય સામનો કરી શકતું નથી. દા.., થોડીક શરદી થઇ હોય તો તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડામાં લાગતો થોડો ચેપ રુધીરયુક્ત ઝાડા સર્જે છે. આમ, રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થતી જાય છે. છેવટે અન્ય સંક્રમણથી HIV-AIDS રોગીનું મૃત્યુ થાય છે.


રોગકારકના સંક્રમણ (ચેપ) સામે રોગ પ્રતિકારક તંત્ર કયો પ્રતિભાવ આપે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : રોગકારકના સંક્રમણ (ચેપ)થી શરીરનું પ્રતિક્ષારતંત્ર કે રોગપ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થાય છે. રોગ ઉત્પન્ન કરનારા સુક્ષ્મ જીવોને મારવા માટે સક્રિય પ્રતિક્ષારક પ્રભાવિત પેશીની ચારેય બાજુ અનેક નવા કોષો બનાવવા લાગે છે. નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને સોજો કહે છે.     રોગકારકોનો નાશ કરવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર તથા તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે. પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સુક્ષ્મ જીવોની સંખ્યાને નક્કી કરતુ એક કારક છે. HIV ના સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે.


ચેપી રોગનાં ઉપચારની બે રીતો કઈ છે તે જણાવો.

                     અથવા

ચેપી (સંસર્ગજન્ય) રોગના ઉપચારના સિદ્ધાંતો કયા છે તે જણાવો.

Hide | Show

જવાબ : ચેપી રોગનો ઉપચાર બે રીતે થાય છે : (1)રોગની અસર ઓછી કરી દેવી અને (2)રોગના કારકનો નાશ કરવો. (1)રોગની અસર ઓછી કરી દેવી : રોગના લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર અપાય છે. રોગના લક્ષણો સામાન્ય રીતે શરીરની બળતરાને કારણે હોય છે. આથી ઔષધ લઇ તાવમાં ઘટાડો અને દુખાવામાં ઘટાડો કે ઝાડા થતા બંધ કરાય છે. આવા સમયે આરામ કરવાથી ઉર્જા સચવાય છે. આ લક્ષણ-નિયંત્રિત સારવારથી રોગકારાકોનો નાશ થતો નથી કે રોગમુક્તિ થતી નથી, પરંતુ રોગની તકલીફોમાં રાહત મળે છે. તે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. (2)રોગના કારકણો નાશ કરવો : રોગકારકોણો નાશ કરી રોગમુક્તિ મેળવવાની રીત એ સારવારનો બીજો સિધ્ધાંત છે. તે માટે એન્ટીબેક્ટેરીયલ કે એન્ટીવાઈરલ કે અન્ય ઔષધ લઇ રોગકારકોનો નાશ કરવામાં આવે છે. આવા ચોક્કસ ઔષધ દ્વારા ચોક્કસ રોગકારકોની વિશિષ્ટ જીવરસાયણિક પ્રક્રિયાઓ અવરોધી નાશ કરાય છે.


રોગમુક્તિ સારવારમાં ઔષધ (Antibiotic) નાં ઉપયોગમાં કઈ બાબતો અગત્યની છે તે સમજાવો.

Hide | Show

જવાબ : રોગમુક્તિ સારવારમાં ઔષધ લઇ રોગકરકોનો નાશ કરવાનો માર્ગ અપનાવાય છે. રોગકારકો બેક્ટેરિયા, વાઈરસ, ફૂગ, પ્રજીવો, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરાયેલા છે.આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવનજરૂરી કેટલીક આવશ્યક જીવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે-તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. આથી ચોક્કસ રોગમુક્તિ માટે જે-તે રોગનાં રોગકારક બેક્ટેરિયા, વાઈરસ કે પ્રજીવની જીવરસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. આમ, ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારનાં ઔષધણો ઉપયોગ કરવો એ મહત્વની બાબત બની રહે છે.


(1)જયારે તમે બીમાર પડો છો ત્યારે તમારા કુટુંબનાં સભ્યો શું કરે છે? (2)શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે થોડો સમય સુઈ ગયા પછી સારો અનુભવ કઈ રીતે કરો છો? (3)ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : (1)કુટુંબના સભ્યો બીમાર પડેલી વ્યક્તિને આરામ મળે તેમજ હળવા અને પ્રવાહી ખોરાક મળે તેની કાળજી લે છે. (2)હા, આરામ કરવાથી શરીરમાં ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને શરીરને સ્વસ્થ થવામાં મદદ મળે છે. (3)આરામ કરવા છતાં રોગની તીવ્રતામાં કોઈ ઘટાડો ણ થાય ત્યારે ઉપચારમાં દવાનો ઉપયોગ કરવામાં આવે છે.


ચેપી રોગનો સામનો કરવમાં રહેલી મર્યાદાઓ કઈ છે તે જણાવો.

Hide | Show

જવાબ : ચેપી રોગનો સમાનો કરવામાં નીચે મુજબ ત્રણ મર્યાદાઓ રહેલી છે : (1)કેટલાક રોગોમાં, શારીરિક કાર્યોને ખુબ નુકસાન થાય છે. અને વ્યક્તિને ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઇ શક્તિ નથી. દા.., ફેફસાનું ક્ષયમાં થયેલું નુકસાન સંપૂર્ણપણે દુર થઇ શકતું નથી. (2)સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દા.., ક્ષય, કમળો. (3)વ્યક્તિ ચેપી રોગથી પીડાતો હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્ત્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે.     આવા કારણોને લીધે રોગનો અટકાવ તેના ઉપચાર કરતા વધુ સારો છે.


ચેપી રોગનો અટકાવ કઈ રીતે કરી શકાય તે જણાવો.

                          અથવા

રોગ અટકાવવાના માર્ગની સમજુતી આપો.

Hide | Show

જવાબ : ચેપી રોગ અટકાવ માટે બે માર્ગ છે : (1)સામાન્ય વર્ગ : આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો. રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા નીચેના પગલા જરૂરી છે : (1)હવા દ્વારા ફેલાતા રોગકારકો (બેક્ટેરિયા, વાઈરસ) નો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી. (2)પાણી દ્વારા ફેલાતા રોગકારકો અટકાવવા સ્વચ્છ પાણી પૂરું પાડવું. પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું. કલોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુણો નાશ કરવો અને પાણીને દુષિત થતું રોકાવું. (3)મચ્છર જેવાં વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનનસ્થાનોણો નાશ કરી, સ્વચ્છ પર્યાવરણ ઉભું કરવું.                     આમ,ચેપી રોગને અટકાવવા સાર્વજનિક સફાઈ અભિયાન એ એક મૂળભૂત રસ્તો છે. (2)વિશિષ્ટ માર્ગ :આપણા શરીરમાં આવેલું પ્રતિકારકતંત્ર રોગકારક જીવો (pathogens) સામે લડી તેનો નાશ કરે છે. તેથી આપણે દરરરોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં આપણને રોગ લાગુ પડતો નથી. આ પ્રતિકારકતંત્ર શરીરના અન્ય તંત્રોની જેમ કાર્ય કરે છે. જો પૌષ્ટિક અને પુરતો ખોરાક ન મળે તો પ્રતિકારકતંત્રનું કાર્ય નબળું પડે છે. આમ, બીજા મૂળભૂત સિધ્ધાંત મુજબ દરેક વ્યક્તિને પુરતો પૌષ્ટિક આહાર મળવો જોઈએ.


આપણે દિન-પ્રતિદિન ચેપમાંથી પસાર થઈએ છીએ છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી કેમ પીડાતા નથી કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : આપણે દિન-પ્રતિદિન ચેપ્માંથી પસાર થવા છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. તેનું કારણ આપણા શરીરમાં આવેલું રોગકારકો સામે લડતું રોગપ્રતિકારક તંત્ર છે. જયારે કોઈ ચેપી રોગકારક આપણા શરીરમાં આવે કે તરત જ આ સક્રિય થઇ જાય છે. પ્રતિકારક કોષો સંક્રમણ ફેલાતા પહેલાં જ સક્રિય થઇ જાય છે. પ્રતિકારક કોષો સંક્રમણ ફેલાતા પહેલાં જ તેનો નાશ કરી નાખે છે અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે છે કે તે રોગની અભિવ્યક્તિ માટે અપૂરતી હોય.


રોગપ્રતિકારક તંત્રના પાયાના નિયમો કયા છે તે જણાવો.

Hide | Show

જવાબ : જયારે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય છે ત્યારે રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓના સંપર્કમાં આવે છે. રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરી તેમનો નાશ કરે છે. આ ક્રિયા દરમિયાન રોગપ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ રાખે છે.            જયારે આ રોગકારકો વડે શરીર ફરીથી સંક્રમિત થાય ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર વધારે ક્ષમતાથી તેમનો નાશ કરી, શરીરને સુરક્ષિત રાખે છે.            આમ, પહેલાં સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામે છે. રોગપ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે.


વિસ્તૃત માહિતી આપો : રસીકરણ.

Hide | Show

જવાબ : રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં તેના જેવાં જ રોગકારક જીવાણુઓથી થનારા રોગ સામે રક્ષણ આપે છે. ઉપલબ્ધ રસી : અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. ધનુર, ડીફથેરીયા, ઓરી, પોલીયો, હડકવા, ટાઈફોઈડ, હીપેટાઈટીસ, સુકી ખાંસી (ઊંટાટીયું) જેવાં રોગો સામેની રસી ઉપલધ છે. રસીકરણનું ધ્યેય : WHO (World Health Organisation - વિશ્વ આરોગ્ય સંગઠન) એ રજુ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળમૃત્યુ અટકાવવાનું છે. આ માટે બાળકોને નિયત સમયે અને નક્કી કરેલ ડોઝ (માત્રા)મુજબ ફરજીયાત રસી આપવી જોઈએ. સરકાર સંસર્ગજન્ય રોગોથી બાળકોને રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ કરે છે. કુદરતી રસીકરણ : હીપેટાઈટીસ A માટે રસીકરણ થઇ શકે છે. હીપેટાઈટીસ A વાઈરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે. આપણા દેશના મોટા ભાગના પ્રદેશોમાં પાંચ વર્ષની વાય સુધીમાં તેઓ પાણી દ્વારા હીપેટાઈટીસ Aથી સંક્રમિત થઇ, તેની અસરમાં આવી જતા આ વાઈરસ સામે પ્રતિકારક થઇ ગયેલા હોય છે.


કયાવૈજ્ઞાનિકે શીતળાની રસીની શોધ કરી અને કઈ રીતે કરી તે સમજાવો.

Hide | Show

જવાબ : વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી. તેમણે ગાયના શીતળાના રોગકરકથી સંક્રમિત ગોવાળીયામાં જોયું કે તેને શીતળા થયો નથી.        તેમણે ગાયના શીતળાના વાઈરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શીતળાના રોગ સામે પ્રતિકારક બન્યા. આનું કારણ શીતળાના વાઈરસ, ગાયના શીતળાના રોગકારક વાઈરસ સાથે નજીકથી સંકળાયેલો છે. આ રીતે એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી.


તમારી શાળામાં ચેપી રોગોને અટકાવવા કઈ કઈ સાવચેતીઓ રાખવામાં આવે છે તે જણાવો.

Hide | Show

જવાબ : શાળામાં ચેપી રોગોને ફેલાવતા અટકાવવા નીચેના સાવચેતીઓ આવશ્યક છે : (1)વધારે ભીડ થતી રોકવી. (2)સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી. (3)શાળાના વિસ્તાર અને વર્ગખંડોની સફાઈ કરવી અને જંતુનાશકોનો છંટકાવ કરવો. (4)ચોખ્ખા શૌચાલયની વ્યવસ્થા કરવી. (5)શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં બ્નાધીયાર પાણી ન રહે તેની તકેદારી રાખવી. (6)શાળાના વિધાર્થીઓ ખુલ્લા ખોરાક કે ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરે. (7)શાળામાં વખતોવખત ચેપી રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે. (8)શરદી-ખાંસીથી બીમાર વિધાથી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક-મોં આગળ રૂમાલ રાખે. (9)ગંભીર ચેપી રોગથી પીડાતા વિધાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે.


તમારી નજીકમાં આવેલ સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણનાં કયા કાર્યક્રમો થાય છે? અને તમારે ત્યાં કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તે જણાવો.

Hide | Show

જવાબ : અમારી નજીકમાં આવેલ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ક્ષય, પોલીયો, ઓરી, હીપેટાઈટીસ, ડીફથેરીયા, ઊંટાટીયું, ધનુર વગરે અટકાવવાના રસીકરણ કાર્યક્રમો થાય છે.            અમારા વિસ્તારમાં મેલેરિયા, ટાઈફોઈડ, ડેન્ગ્યું, હિપેટાઈટીસ, ક્ષય જેવી મુખ્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ છે.


ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અન્ય વ્યક્તિઓ કરતા વધારે રોગીઓના સંપર્કમાં આવે છે તો તેઓ પોતાની જાતને કઈ રીતે બીમાર થતા અટકાવે છે તે જણાવો.

Hide | Show

જવાબ : ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમની જાતને બીમાર થતા બચાવવા નીચેની સાવચેતીઓ રાખે છે : (1)દર્દીની તપાસ કરી સાબુથી હાથ ધુએ છે અથવા હેન્ડ સેનીટાઈઝરણ ઔપ્યોગથી હાથને જીવાણુંમુક્ત કરે છે. (2)ફિનાઈલથી તેમના કાર્ય-સ્થાનની સફાઈ કરાવે છે. (3)ઉપયોગમાં લેવાતાં સાધનો જંતુરહિત (Sterilized) કરે છે. (4)જરૂર મુજબ હેન્ડ-ગ્લવ્ઝણો ઉપયોગ કરે છે. (5)દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી સિરીંજ, નીડલ,પાટા, રૂ વગેરેનો યોગ્ય નિકાલ કરાવે છે.


તમારી આજુબાજુના વિસ્તારમાં એક સર્વેક્ષણ કરી મેળવો કે કઈ ત્રણ બીમારીઓ સામાન્ય રીતે વધુ થાય છે?આ બીમારીઓને ફેલાવતા અટકાવવાના સૂચનો તમારા પ્રશાસનને આપો.

Hide | Show

જવાબ : સામાન્ય બીમારીઓ : શરદી-ખાંસી,ટાઈફોઈડ, ઝાડા. સ્થાનીય પ્રશાસનને આ બીમારી ફેલાતી અટકાવવા માટે સૂચનો : (1)ચોખ્ખા પાણીનો પુરવઠો પૂરો પાડવો. પાણીને ક્લોરીન યુક્ત કરવું. (2)નિયમિત રીતે કચરાના નિકાલની વ્યવસ્થા અને જંતુનાશકનાં છંટકાવ કરાવવા. (3)સામાન્ય સંસર્ગજન્ય રોગો સંદર્ભે વખતોવખત રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરવું.


એક પોતાની બીમારી ઓળખી શકતો નથી. આપણે તેને કઈ રીતે ઓળખીશું?

(a)શું બાળક ખરેખર બીમાર છે?

(b)બાળકને કઈ બીમારી છે?

Hide | Show

જવાબ : (a)સતત રડવું,ઝાડા, ખોરક પ્રત્યે અરૂચી તેમજ શરીર ગરમ રહેવું વગેર લક્ષણો પરથી બાળક બીમાર છે તેની ઓળખ કરીશું. (b)બાળકને તાવ અને ઝાડાની બીમારી થઇ છે.


નીચે દર્શાવેલ કઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પાછો બીમાર થઇ શકે છે? કારણ સહીત જવાબ આપો.

(a)જયારે તે મેલેરિયાથી સાજો થઇ રહ્યો છે.

(b)તે મેલેરિયાથી સજી થઇ અને તેને અછબડાનાં રોગીની સેવા કરી રહ્યો છે.

(c)મેલેરિયાથી સાજો થઈને તે ચાર દિવસ પછી ઉવાસ કરે છે અને અછબડાના દર્દીની સેવા કરી રહ્યો છે. કારણ આપો.

Hide | Show

જવાબ : (c)મેલેરિયાથી સાજો થઈને તે ચાર દિવસ પછી ઉવાસ કરે છે અને અછબડાના દર્દીની સેવા કરી રહ્યો છે તે વ્યક્તિ પુન: બીમાર પડી શકે છે, કારણ કે મેલેરિયાને કારણે વ્યક્તિ અશક્ત હોય છે ઉપરાંત ચાર દિવસ ઉપવાસ કરે છે. તેથી ખોરાકના અભાવે તે વધારે અશક્ત બને છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારકતંત્રની કાર્યક્ષમતા ખુબ જ નબળી હોવાથી અછબડાના રોગીની સારવારમાં ચેપ ઝડપથી લાગી શકે છે અને પુન: બીમાર પડી શકે છે.


તફાવત આપી સમજાવો. તીવ્ર રોગો અને હઠીલા રોગો.

Hide | Show

જવાબ :

તીવ્ર રોગો હઠીલા રોગો
1.આ રોગો એકાએક અને ઝડપથી થાય છે. 1.આ રોગો એકાએક થતા નથી.
2.આ રોગની અસર થોડા સમય સુધી રહે છે. 2.આ લાંબા ગળાના રોગોના લક્ષણો મહિનાઓ કે વર્ષો કે જિંદગીભર રહે છે.
3.તેની માનવસ્વાસ્થ્ય ઉપર કોઈ વિશેષ ખરાબ અસર થતી નથી. 3.તેની માનવસ્વાસ્થ્ય ઉપર તીવ્ર અસર થાય છે.
4.ખાંસી, શરદી, ટાઈફોઈડ, કોલેરા વગેરે તીવ્ર રોગો છે. 4.હાથીપગો, ક્ષય, ડાયાબીટીસ, કેન્સર, આર્થરાઈટીસ વગેરે રોગો છે.


તફાવત આપી સમજાવો : ચેપી રોગો અને બીનચેપી રોગો.

Hide | Show

જવાબ :

ચેપી રોગો બિનચેપી રોગો
1.આવા રોગો થવાનું મુખ્ય કારણ કેટલાક વાઈરસ, બેક્ટેરિયા, પ્રજીવો, કૃમીઓ અને ફૂગ જેવાં રોગકારકો છે. 1.આવા રોગો થવાનું કારણ જૈવકારક નથી, પરંતુ જનીનિક ખામી, મેદેસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોઈ શકે.
2.રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી સ્વસ્થ વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. 2.રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી.
3.તે ઝડપથી ફેલાય છે. 3.તે ઝડપથી થતા નથી કે ફેલાતા નથી.
4.આ રોગો હવા, પાણી, ખોરાક, કીટકો જેવાં માધ્યમ દ્વારા પ્રસરે છે. 4.આ રોગો પ્રસરવા માટે કોઈ માધ્યમ જરૂરી નથી.
5.ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, ટાઈફોઈડ વગેરે ચેપી રોગો છે. 5.કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ વગેરે બીનચેપી રોગો છે.
 


તફાવત આપી સમજાવો :સ્વાસ્થ્ય અને રોગમુક્ત.

Hide | Show

જવાબ :

સ્વાસ્થ્ય રોગમુક્ત
1.શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિને સ્વાસ્થ્ય કહે છે. 1.અસ્વસ્થતાથી મુક્ત શરીરની સ્થિતિને રોગમુક્ત કહે છે.
2.તે વ્યક્તિગત ઉપરાંત સામાજિક પર્યાવરણને સ્પર્શતી બાબત છે. 2.તે વ્યક્તિગત બાબત છે.
3.સ્વસ્થ વ્યક્તિ આપેલી બધી પરિસ્થિતિમાં બધાં કર્યી સરળ રીતે કરી શકે છે. 3.રોગમુક્ત વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું કે નબળું હોઈ શકે છે.
4.ચોક્કસ રોગથી પીડાતા ન હોઈએ તોપણ ખરાબ સ્વાસ્થ્ય સંભવિત છે. 4.ચોક્કસ રોગથી પીડાતા ન હોઈએ તો જ રોગમુક્ત સ્થિતિ સંભવિત છે.
 


વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે તે વૈજ્ઞાનિક કારણ આપીસમજાવો.

Hide | Show

જવાબ : શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે. આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાસ્થ્ય માટે પૂરતાં પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. આ માટે સારું કામ કરવું જરૂરી છે. આમ, સારી આર્થિક સ્થતિ તથા કાર્ય વયક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે.                      સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે.


રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય રીતે વ્યક્તિના શરીરને દરરોજ ચેપી રોગનો સામનો કરવો પડે છે. બધાં રોગ લાગુ પડતો નથી. ચોક્કસ રોગ થવા માટે વિવિધ સ્તરના કારણો જવાબદાર હોય છે. જેમ કે, રોગ માટે જવાબદાર જૈવકરકોનો મોટી સંખ્યામાં હુમલો, વ્યક્તિના શરીરના રોગપ્રતિકારકતંત્રની નબળી કામગીરી, સારા પૌષ્ટિક આહારણો અભાવ કે કોઈ જનીનિક અનિયમિતતા કારણબુટ હોઈ શકે છે. કેટલીક વખત જાહેર આરોગ્ય સેવાનો અભાવ કારણ બને છે. આમ, રોગો માટે એક કરતા વધારે કારણો જવાબદાર હોય છે.


પેનિસિલિન એન્ટીબાયોટીક્સ ઘણા બેક્ટેરિયા પર અસરકારક છે, પરંતુ ચેપગ્રસ્ત વાઈરસ પર અસરકારક નથી વૈજ્ઞાનિક લ્કરણ સહીત જવાબ આપો.

Hide | Show

જવાબ : રોગોની સારવારમાં એન્ટિબાયોટેક્સનાં ઉપયોગથી રોગકારકોના જૈવરસાયણિક પથમાં અવરોધ દ્વારા તેનો નાશ કરાય છે. પેનિસિલિન બેક્ટેરિયાનાં રક્ષણાત્મ્ક કોષદીવાલ બનાવવાના કાર્યમાં અવરોધ લાવે છે. પરિણામે નવા બનતા બેક્ટેરિયામાં કોષદિવાલનું નિર્માણ અટકાવી તેનો નાશ કરે છે. પરંતુ વર્ગીકરણમાં વાઈરસ બેક્ટેરિયાના સમૂહના નથી. વાઈરસમાં કોષદીવાલ હોતી નથી. બધાં જ વાઈરસ યજમાન કોશમાં રહે છે. વાઈરસનો જીવનપથ માત્ર યજમાન કોષમાં જ દર્શાવાય છે અને બેક્ટેરિયા કરતા અલગ છે. આથી બેક્ટેરિયા પર અસરકારક પેનિસિલિન વાઈરસ પર અસરકારક નથી.


HIV ચેપગ્રસ્ત વ્યક્તિ માટે પોતાની જાતને બીજા અન્ય રોગોથી બચાવવું મુશ્કેલ છે વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : HIVણો ચેપ લાગ્યા બાદ HIV પ્રતિકારક તંત્રમાં દાખલ થઇ, તેને નુકસાન કરી, તેના કાર્ય અટકાવે છે. આથી એઇડ્સથી પીડાતા રોગી નાના નાના ચેપ સામે લડી શકતા નથી. દા.., થોડી શરદી થતાં તે ન્યુમોનિયામાં ફેરવાય છે. આંતરડામાં થતો થોડો ચેપ ઝાડામાં ફેરવાય છે. આમ તેને માટે ચેપથી બચવું મુશ્કેલ બને છે અને આખરે બીજા ચેપને કારણે એઇડ્સથી પીડાતા મનુષ્યનું મૃત્યુ થઇ શકે છે.


રોગનાં લક્ષણોણો આધાર રોગકારકો કઈ પેશી કે અંગને લક્ષ્ય બનાવે છે, તેના ઉપર રહેલો છે. વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : જો મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઊલટી થવી, ચક્કર આવવા, બેભાન થવું જેવાં ચિહનો જોવા મળે છે.          આ બધાં ચેપ સામે શરીરમાં અસ્તિત્વ ધરાવતું રોગપ્રતિકારકતંત્ર સક્રિય બની, રોગ ઉત્પન્ન કરનાર સુક્ષ્મ જીવોનો નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સોજો આવવો, દુખાવો થવો, તાવ વગેરે જેવી સ્થાનિક અસરો પણ જોવા મળે છે.


રોગમુક્તિસારવારમાં ચોક્કસ રોગ માટે ચોક્કસ ઔષધિઓ જરૂરી હોય છે. વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : રોગમુક્તિ સારવારમાં ઔષધ લઇ રોગકરકોનો નાશ કરવાનો માર્ગ અપનાવાય છે. રોગકારકો બેક્ટેરિયા, વાઈરસ, ફૂગ, પ્રજીવો, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરાયેલા છે.આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવનજરૂરી કેટલીક આવશ્યક જીવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે-તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. આથી ચોક્કસ રોગમુક્તિ માટે જે-તે રોગનાં રોગકારક બેક્ટેરિયા, વાઈરસ કે પ્રજીવની જીવરસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. આમ, ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારનાં ઔષધણો ઉપયોગ કરવો એ મહત્વની બાબત બની રહે છે.


એન્ટીવાઈરલ ઔષધની બનાવટમાં એન્ટીબેક્ટેરીયલ ઔષધની બનવાતની સરખામણીમાં અઘરી છે? વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : રોગકારક બેક્ટેરિયા કોષમાં પ્રવેશતા નથી અને તેની પોતાની જૈવરસાયણિક કાર્યપદ્ધતિ વધારે છે. આથી તેના લક્ષ્યાંગ વધારે જોવા મળે છે. એન્ટીબેક્ટેરીયલ ઔષધની બનાવટ પ્રમાણમાં સરળ છે. વાઈરસ આપણા શરીરના કોષોમાં દાખલ થઇ તેમની જૈવિક પ્રક્રિયા માટે આપણા સુવ્યવસ્થિત તંત્રનો ઉપયોગ કરે છે. આના કારણે વિશિષ્ટ વાઇરસને નિશાન બનાવતા લક્ષ્ય ખુબ જ ઓછા છે. આથી એન્ટીવાઈરલ ઔષધની બનાવટ અઘરી છે.


રોગનો અટકાવ તેના ઉપચાર કરતા વધુ સારો છે. વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : ચેપી રોગનો સમાનો કરવામાં નીચે મુજબ ત્રણ મર્યાદાઓ રહેલી છે : (1)કેટલાક રોગોમાં, શારીરિક કાર્યોને ખુબ નુકસાન થાય છે. અને વ્યક્તિને ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઇ શક્તિ નથી. દા.., ફેફસાનું ક્ષયમાં થયેલું નુકસાન સંપૂર્ણપણે દુર થઇ શકતું નથી. (2)સારવારમાં થતો વધુ સમય. કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. દા.., ક્ષય, કમળો. (3)વ્યક્તિ ચેપી રોગથી પીડાતો હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્ત્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ વધી જાય છે.     આવા કારણોને લીધે રોગનો અટકાવ તેના ઉપચાર કરતા વધુ સારો છે.


ચેપી રોગોને અટકાવવા માટે સાર્વજનિક સફાઈ અભિયાન એક મૂળભૂત રસ્તો છે. વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય વર્ગ : આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો. રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા નીચેના પગલા જરૂરી છે : (1)હવા દ્વારા ફેલાતા રોગકારકો (બેક્ટેરિયા, વાઈરસ) નો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી. (2)પાણી દ્વારા ફેલાતા રોગકારકો અટકાવવા સ્વચ્છ પાણી પૂરું પાડવું. પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું. કલોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુણો નાશ કરવો અને પાણીને દુષિત થતું રોકાવું. (3)મચ્છર જેવાં વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનનસ્થાનોણો નાશ કરી, સ્વચ્છ પર્યાવરણ ઉભું કરવું.                     આમ, ચેપી રોગને અટકાવવા સાર્વજનિક સફાઈ અભિયાન એ એક મૂળભૂત રસ્તો છે.


બાળકોને ચેપી રોગોથી બચાવવા માટે રસીકરણ જરૂરી છે. વૈજ્ઞાનિક કારણ સહીત સમજાવો.

Hide | Show

જવાબ : મનુષ્ય શરીરમાં આવેલા પ્રતિકારકતંત્ર પાસે રોગકારકના સ્વરૂપને યાદ રાખવાની લાક્ષણીકતા હોય છે. તેના કારણે શરીર એક વખત કોઈ રોગકારકનાં સંપર્કમાં આવે ત્યારે તેની ચોક્કસ સ્વરૂપની યાદ જાળવી રાખે છે અને બીજી વખત રોગકારકનાં સંપર્ક સામે આક્રમક બની, તેનો પ્રતિકાર કરી, રોગકારકોણો ખુબ ઝડપથી નિકાલ કરે છે.                આ સિદ્ધાંતનો ઉપયોગ રસીકરણમાં થાય છે. બાળકોને જે-તે રસી દ્વારા જુદાં જુદાં રોગકારકોનાં મંદ ચેપ આપી, જે-તે રોગકારકોની વિશિષ્ટ સ્વરૂપની યાદ શરીરના પ્રતિકારકતંત્ર વડે જાળવી રખાય છે. આ રીતે બાળકોને ટીટેનસ, ડીફથેરીયા, ઓરી, હીપેટાઈટીસ વગરે વિવિધ રોગોના ચેપ સામે સુરક્ષિત બનાવાય છે.


આપણે સુક્ષ્મ જીવોને કઈ રીતે મારીએ છીએ તે સમજાવો.

Hide | Show

જવાબ : આપણા શરીરને અસર કર્યા વગર સુક્ષ્મ જીવોની આવશ્યક જીવપ્રક્રિયાઓને અવરોધતી ઔષધીઓનો ઉપયોગ કરીને આપણે સુક્ષ્મ જીવોને મારી નાખીએ છીએ.


કોઈ વ્યક્તિમાં રોગ છે તો તેના ચેપથી કઈ રીતે છુટકારો મળી શકે તે જણાવો.

Hide | Show

જવાબ : કોઈ વ્યક્તિમાં રોગ છે તો તે ચોક્કસ ઔષધિઓનાં ઉપયોગ દ્વારા તેમજ આરામ કરીને તેના સંક્રમણથી છુટકારો મળી શકે છે.


આપણે રોગોને કઈ રીતે થતા અટકાવી શકીએ તે જણાવો.

Hide | Show

જવાબ : રોગીષ્ઠ વ્યક્તિથી દુર રહી, ભીડવાળા સ્થાનોથી દર રહી, સ્વચ્છ પાણી, હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ ખોરાકના ઉપયોગથી આપણે રોગોને અટકાવી શકીએ છીએ.


બીમાર માણસને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની કેમ સલાહ આપવામાં આવે છે?

Hide | Show

જવાબ : રોગપ્રતિકારક તંત્રની ઓછી કાર્યક્ષમતાથી બીમારી થાય છે. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થતા રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થતું નથી. આથી બીમાંરીમાંતી ઝડપથી સ્વસ્થ થવા માટે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ આપવામાં આવે છે.


ચેપી રોગો ફેલવાની વિવિધ રીતો કઈ છે તે જણાવો.

Hide | Show

જવાબ : ચેપી રોગોની ફેલાવાની વિવિધ રીતો દુષિત પાણી, દુષિત ખોરાક, દુષિત હવા,લિંગી સંપર્કો, મચ્છર કરડવાથી, હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્ક છે.


રોગપ્રતીકારકતાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : રોગપ્રતિકારાકતા એટલે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારકો સામે લડી શરીરને સ્વસ્થ જાળવવાની ક્ષમતા.


છેલ્લા કેટલાક વર્ષોમાં તમે કેટલી વાર બીમાર પડ્યા અને કઈ બીમારી થઇ હતી તે જણાવો.

Hide | Show

જવાબ : છેલ્લા એક વર્ષમાં હું ત્રણ વખત બીમાર પડ્યો હતો. મેલેરિયા, શરદી-ઉધરસ અને હિપેટાઈટીસની બીમારી થઇ હતી.


આ બીમારીઓને દુર કરવા માટે તમે તમારી દિનચર્યામાં શું ફેરફાર કર્યો હતો?

Hide | Show

જવાબ : આ બીમારીઓને દુર કરવા માટે આસપાસનું પર્યાવરણ સ્વચ્છ, બંધિયાર પાણીનો નિકાલ, ખુલ્લા બજારુ ખોરાકનો ઉપયોગ ટાળવો, પોષણક્ષમ આહાર અને ચોખ્ખું ઉકાળેલા પાણીનો પીવા માટે ઉપયોગ તેમજ ઠંડા પીણાંણો ઉપયોગ ટાળવા જેવાં પરિવર્તનો દિનચર્યામાં કરીશું.


આ બીમારીઓથી બચવા માટે તમે તમારી પડોશમાં શું પરિવર્તન લાવી શકો તે જણાવો.

Hide | Show

જવાબ : આ બીમારીઓથી બચવા પડોશમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ તેમજ કચરો એકત્રિત થતો રોકવા જેવાં પરિવર્તન કરીશું.


નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે બીમાર થઇ શકો છો તે જણાવો.

(a)જયારે તમારી પરિક્ષાણો સમય છે.

(b)જયારે તમે બસ તેમજ રેલગાડીમાં બે દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હોય.

(c)જ્યારે તમારો મિત્ર ઓરીથી પીડાય છે? કારણ સહીત જવાબ આપો.

Hide | Show

જવાબ : (c)કારણ કે ઓરી ચેપી રોગ છે.


રોગમુક્ત થવાની જરૂરી બે સ્થિતિઓ વર્ણવો.

Hide | Show

જવાબ : રોગમુક્ત થવાની જરૂરી સ્થિતિ : (1)રોગની અસર ઘટાડવી અને (2)રોગ થવાના કારણનો નાશ કરવો.


તીવ્ર રોગની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : જે રોગની અસર શરીર પર એકાએક અને ઝડપથી થાય છે તેમજ થોડા સમય સુધી રહે છે તથા તેની માનવસ્વાસ્થ્ય પર લાંબા ગાળે કોઈ અસર થતી નથી, તેને તીવ્ર રોગ કહે છે.


હઠીલા રોગોની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : જે રોગના લક્ષણો મહિનાઓ, વર્ષો કે જિંદગીભર રહે છે અને તેની માનવસ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર જોવા મળે છે, તેને હઠીલા રોગો કહે છે.


રોગના કારણો સમજાવો.

Hide | Show

જવાબ : રોગકારાકોનો ચેપ, પૌષ્ટિક આહારનો અભાવ, જનીનિક ખામી, નબળી રોગપ્રતિકારકશક્તિ, ગરીબાઈ તેમજ જાહેર સેવાનો અભાવ એ રોગ થવાનાં વિવિધ કારણો છે.


નીચે આપેલા રોગોમાંથી કયા રોગો બેક્ટેરિયાથી થાય છે તે જણાવો.

કોલેરા, હડકવા(રેબીસ), ટાઈફોઈડ, ઇન્ફ્લુએન્ઝા, ક્ષય, એઇડ્સ, સ્વાઇન ફ્લુ.

Hide | Show

જવાબ : કોલેરા, ટાઈફોઈડ અને ક્ષય બેક્ટેરિયાથી થાય છે.


નીચે આપેલા રોગોમાંથી કયા રોગો વાઈરસથી થાય છે તે જણાવો.

કોલેરા, હડકવા(રેબીસ), ટાઈફોઈડ, ઇન્ફ્લુએન્ઝા, ક્ષય, એઇડ્સ, સ્વાઇન ફ્લુ.

Hide | Show

જવાબ : ઇન્ફ્લુએન્ઝા, એઇડ્સ અને સ્વાઇન ફ્લુ વાઈરસથી થાય છે.


સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : સ્વાસ્થ્યશબ્દનો અર્થ શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની યોગ્ય ક્ષમતા થાય.


રોગ શબ્દનો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : રોગ શબ્દનો અર્થ આરામથી દુર કે અસુવિધા છે.


જીવનભર રહેતા હઠીલા રોગોનાં નામ જણાવો.

Hide | Show

જવાબ : જીવનભર રહેતો હઠીલો રોગ હાથીપગો (એલીફન્ટાઈસીસ) છે.


મેનીન્જાઈટીસ એટલે શું? તેના મુખ્ય લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : મેનીન્જાઈટીસ મગજનો તાવ છે. તેનું મુખ્ય લક્ષણ તાવ સાથે માથાનો ખુબ તીવ્ર દુખાવો છે.


રુધીરના ઊંચા દબાણનાં કારણ આપો.

Hide | Show

જવાબ : રુધીરનાઊંચા દબાણનાં બે કારણ (1)વધારે વજન હોવું અને (2)કસરતનો અભાવ.


સંસર્ગજન્ય રોગોની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : જે રોગોના પ્રાથમિક કારક સુક્ષ્મ જીવો હોય છે, તેવા રોગોને સંસર્ગજન્ય રોગો કહે છે.


પેપ્ટિકઅલ્સર માટે રોગકારકનું નામ અને તેનો આકાર કેવો હોય છે તે જણાવો.

Hide | Show

જવાબ : રોગકારક : હેલીકોબેકટર પાયલોરિ આકાર : વક્રાકાર


કયા રોગકારકોનું ગુણન અત્યંત ઝડપી અને કયા રોગકારકોનું ગુણન ધીમું થાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : વાઈરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અંત્યંત ઝડપથી થાય છે અને કૃમીનું ગુણન ધીમું થાય છે.


પેનિસિલિન એન્ટીબાયોટીક એ કઈ પ્રક્રિયાને અવરોધરૂપ ગણાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : પેનિસિલિન એન્ટીબાયોટીક બેક્ટેરિયાની કોષદીવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે.


પેનિસિલિનની વાઈરસ કે માનવના કોષો પર અસર કેમ થતી નથી તે સમજાવો.

Hide | Show

જવાબ : પેનિસિલિન  કોષદીવાલ બનાવવાની ક્રિયાને અવરોધે છે. પરંતુ વાઈરસ કે માનવના કોષો પાસે કોષદીવાલ હોતી નથી. આથી પેનિસિલિનની વાઈરસ પર કે માનવના કોષો પર અસરતી નથી.


મચ્છર દ્વારા ફેલાતા રોગોના નામ જણાવો.

Hide | Show

જવાબ : મચ્છર દ્વારા ફેલાતા રોગો : મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો.


જાતીય સમાગમ વગર AIDS બીજી કઈ રીતે ફેલાય છે તે જણાવો.

Hide | Show

જવાબ : જાતીય સમાગમ વગર AIDS રુધીરાધાન અથવા ગર્ભાવસ્થા દરમિયાન કે રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન દ્વારા ફેલાઈ શકે છે.


મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે શેના પર નિર્ભર હોય છે?

Hide | Show

જવાબ : મચ્છરની ઘણી જાતિઓ પોષણ માટે મનુષ્ય સહિતના અનેક સમતાપી પ્રાણીઓ પર નિર્ભર હોય છે.


મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશી કયા અંગ અને કોષોને અસર કરે છે?

Hide | Show

જવાબ : મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશી યકૃત અને લાલ રુધિરકણિકાઓ (રક્તકણો) ને લક્ષ્ય બનાવે છે.


સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર કાર્યશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત કેવી અસરવો દેખાય છે તે સમજાવો.

Hide | Show

જવાબ : સંક્રમણથી શરીરનું પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો, દર્દ, તાવ જેવી અસરો જોવા મળે છે.


વાઇરસની લાક્ષણીકતાઓ સમજાવો.

Hide | Show

જવાબ : વાઇરસની બે લાક્ષણીકતા : (1)તેની પોતાની જૈવ-રસાયણિક પ્રણાલી ખુબ જ ઓછી છે. (2)તે યજમાન શરીરમાં પ્રવેશી યજમાનની મશીનરી (યાંત્રિકી) ણો ઉપયોગ પોતાની જીવનપ્રક્રિયા માટે કરે છે.


સોજાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : રોગ ઉત્પાન કરનારા સુક્ષ્મ જીવોના નાશ માટે સક્રિય પ્રતિરક્ષાતંત્ર સંક્રમિત પેશીની ચારેય બાજુ નવા કોષો બનાવે છે. આ પ્રક્રિયાને સોજો કહે છે.


રોગની તીવ્રતાની અસર કયા પરિબળ પર આધાર રાખે છે તે જણાવો.

Hide | Show

જવાબ : રોગની તીવ્રતાની અસર શરીરમાં પ્રવેશેલા સુક્ષ્મ જીવોની સંખ્યા પર આધાર રાખે છે.


રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો જણાવો.

Hide | Show

જવાબ : રોગપ્રતિકારક તંત્રના નિયમનો પાયો પહેલા સંક્રમણની સાપેક્ષે બીજા સંક્રમણણો ઝડપથી નાશ પામવો છે.


લેટીન ભાષામાં cow અને cowpox નો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : લેટીન ભાષામાં cow (ગાય) નો અર્થ વાક્કાઅને cowpox (ગાયના શીતળાણો રોગ) ણો અર્થ વેક્સેનીયાથાય છે.


ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય પછી બાળકને હીપેટાઈટીસ-A પ્રતિકારક રસી કેમ મુકવામાં આવે છે?

Hide | Show

જવાબ : ભારતના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વાય પછી બાળકને હીપેટાઈટીસ-અ પ્રતિકારક રસી મુકાવવી જરૂરી નથી, કારણ કે બાળકો પાણી દ્વારા હીપેટાઈટીસ-A નાં સંપર્કમાં આવી પ્રતિકારકતા વિકસાવી ચુક્યા હોય છે.


નીચે આપેલા પ્રશ્નોના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :

(1)શરીરમાં રુધીરના વિષારી પદાર્થોનું ગાળણ કયું અંગ કરે છે.

(2)વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ સમન્વય સ્થીતીરૂપે  કઈ રીતે દર્શાવાય છે.

(3)શરીરમાં પ્રવેશેલા સુક્ષ્મ જીવોની સંખ્યાને નિર્ધારિત કરે છે.

(4)એલીફન્ટાઈસીસ કયા પ્રકારનો રોગ છે?

(5)સંસર્ગજન્ય રોગનાં પ્રાથમિક કારક કયા છે?

(6)કેટલાક પ્રકારનાં કેન્સર કયા કારણે થાય છે?

 

જનીનિક અનિયમિતતા

(7)લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશી લસીકાગાંઠોમાં ફેલાતા રોગકારકો જણાવો.

(8)અંડાકાર અને લાંબી ચાબુક જેવી રચના ધરાવતું રોગકારક પરજીવ બતાવો.

(9)પશુઓમાં એન્થ્રેક્સ રોગ શેના કારણે થાય છે?

(10)કયા જીવની ઘણી બધી જાતિઓને પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે?

Hide | Show

જવાબ : મુત્રપિંડ સ્વાસ્થ્ય પ્રતિકારકતંત્ર હઠીલો રોગ સુક્ષ્મ જીવો જનીનિક અનિયમિતતા લેશમાનીયા બેક્ટેરિયા પેનિસિલિન મચ્છર


DISEASE નો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : DISEASE નો સામાન્ય અર્થ સુવિધામાં ખલેલ છે.


શીતળાની રસી કોણે શોધી હતી?

Hide | Show

જવાબ : શીતળાની રસીના શોધક ડો.એડવર્ડ જેનર છે.


કરમીયું, સ્ટેફીલોકોકાઈ, ટ્રાયપેનોસોમા અને લેશમાનીયા આપેલા માંથી કયા પ્રજીવો છે તે જણાવો.

Hide | Show

જવાબ : ટ્રાયપેનોસોમા અને લેશમાનીયા.


મને ઓળખી બતાવો : હું એક ઉપયોગી ઔષધ છુ અને માનવ શરીરના કોષોને અસર કર્યા વગર બેકટેરિયાનો કોષદીવાલ બનાવવાનો જૈવરસાયણિક માર્ગ અવરોધે છે.

Hide | Show

જવાબ : પેનિસિલિન


મને ઓળખી બતાવો : હું લૈંગિક સંપર્ક ઉપરાંત રુધીરધાન દ્વારા તેમજ ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં સંક્રમિત થતો વાઈરસજન્ય રોગ છે.

Hide | Show

જવાબ : એઇડ્સ (AIDS)


ચેપી રોગોનો ફેલાવો કઈ રીતે થાય છે તે જણાવો.

                 અથવા

સંસર્ગજન્ય રોગોની વ્યાખ્યા આપી તેણો થતો ફેલાવો વિસ્તૃતથી સમજાવો.

Hide | Show

જવાબ : ઘણા રોગોનો ફેલાવો રોગી વ્યક્તિમાંથી અન્ય સ્વસ્થ વ્યક્તિમાં સંપર્ક દ્વારા થાય છે. આવા રોગોને સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગો કહે છે.

          ચેપી રોગોનો ફેલાવો વિવિધ રીતે થાય છે :

(1)  હવા દ્વારા : કેટલાક રોગકારકોનો  ફેલાવો હવા દ્વારા થાય છે. દા.., ખાંસી, શરદી, ન્યુમોનિયા અને ક્ષય હવાથી ફેલાતા રોગો છે. આવા કોઈપણ રોગનાં ચેપગ્રસ્ત કે રોગી વ્યક્તિના છીંક ખાવાથીખાંસી કે ગળફાથી નાના નાના છાંટા (બિંદુઓ) બહાર નીકળે છે. આવા નાના નાના છાંટા હવાનાં વેગ સાથે મીનીટો કે કલાકો સુધી પર્યાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. અથવા તેની નજીક ઉભા રહેવાથી શ્વાસ દ્વારા આ બિંદુઓ સાથે રોગકારક બેક્ટેરિયા કે વાઈરસ સ્વસ્થ વ્યક્તિઓમાં પ્રવેશી તેમને ચેપગ્રસ્ત બનાવે છે. નાના બંધિયાર ઘરોમાં હવાની યોગ્ય અવરજવર (Ventilation) થઇ શક્તિ નથી. તેથી તેમાં રહેતી વ્યક્તિઓમાં હવા દ્વારા ફેલાતા રોગોની શક્યતા વધારે છે.

જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં પણ હવા દ્વારા ફેલાતા રોગો વધારે હોય છે.

(2) પાણી દ્વારા : કેટલાક ચેપી રોગોનો ફેલાવો પાણી દ્વારા થાય છે. દા.., કોલેરા, ટાઈફોઈડ, કમળો (Hepatitis).

કોલેરાગ્રસ્ત વ્યક્તિનો મળ જો પાણીમાં ભળે અને આવું પ્રદુષિત પાણી પીવામાં આવે તો કોલેરા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિજન્ય રોગોનો ફેલાવો પણ પ્રદુષિત પાણીના કારણે થાય છે.

(3) પ્રાણીઓ દ્વારા : ઘણા રોગોનું વહન મચ્છર જેવાં કીટક દ્વારા થાય છે. દા.., મેલેરિયા અને હાથીપગો. ઘણી જાતિઓની માદા મચ્છર મનુષ્ય અને બીજા પ્રાણીમાંથી રુધિર ચૂસીને મેલેરિયા અને હાથીપગાનો ફેલાવો કરે છે. મચ્છરની આવી જાતિઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરવા વધારે માત્રામાં પોષણની જરૂર રહે છે.

હડકવાના વાઈરસ (Rabiesvirus) નો ફેલાવો કુતરા કે બીજા પ્રાણીઓના કરડવાથી થાય છે.

(4) ખોરાક દ્વારા : બજારમાં ખુલ્લા રાખેલા ખોરાક દ્વારા કોલેરા કમળો જેવાં રોગો ફેલાય છે.

(5) લૈંગિક ક્રિયાઓ દ્વારા : બે વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે કેટલાક રોગો ફેલાય છે. દા.., સીફીલીસ, એઇડ્સ (AIDS).

એઇડ્સગ્રસ્ત દર્દીનું રુધિર રુધીરધાણ માટે લેવાથી એઇડ્સ થાય છે. એઇડ્સગ્રસ્ત સ્ત્રીની ગર્ભાવસ્થા દ્વારા કે એઇડ્સગ્રસ્ત માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બાળકને આ રોગ થાય છે. આ રોગ હાથ મિલાવવો, ભેટવું (Hug), અથવા કુસ્તી જેવાં સામાન્ય સંપર્ક દ્વારા ફેલાતો નથી.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

આપણે શા માટે માંદા પડીએ છીએ ?

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.