GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું ?

Hide | Show

જવાબ : ગોપાળબાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું.


લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે ?

Hide | Show

જવાબ : લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને સ્વપ્નસેવા કહ્યા છે.


સાચું જીવતર જીવતા ગોપાળબાપા કેવા લાગે છે ?

Hide | Show

જવાબ : સાચું જીવતર જીવતા ગોપાળબાપા આપણી સંત – પરંપરાના વારસદાર જેવા લાગે છે.


માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધબેસતી છે ?

Hide | Show

જવાબ : માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધબેસતી છે.


જમીનની ખટખટ કરે છે. એટલે શું કરે છે ?

Hide | Show

જવાબ : જમીનની ખટખટ કરે છે. એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે.


ગોપાળબાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય ક્યો વિકલ્પ સૂચવ્યો ?

Hide | Show

જવાબ : ગોપાળબાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બાંધવાનો વિકલ્પ સૂચવ્યો.


આ તમારી પડખેના દીપડા... આ શબ્દો ગોપાળબાપાએ કોના માટે વાપર્યા છે ?

Hide | Show

જવાબ : આ તમારી પડખેના દીપડા...” આ શબ્દો ગોપાળબાપાએ સયાજીરાવનો રાજવહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે.


ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા ?

Hide | Show

જવાબ : ગોપાળબાપા હરિનામનો વેપાર કરવા ઇચ્છતા હતા.


તુલસીશ્યામ જવા – આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું ?

Hide | Show

જવાબ : તુલસીશ્યામ જવા – આવવાના માર્ગે શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું હતું.


મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?

Hide | Show

જવાબ : મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી.


આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” આ વાક્ય કોણ બોલે છે ?

Hide | Show

જવાબ : આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” આ વાક્ય ગોપાળબાપા બોલે છે.


ગોપાળબાપા કઈ નવલકથાનો અંશ છે ?

Hide | Show

જવાબ : ગોપાળબાપા’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી નવલકથાનો અંશ છે.


મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો.

Hide | Show

જવાબ : મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે.


ગોપાળબાપા પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

Hide | Show

જવાબ : ગોપાળબાપા નવલકથા – અંશ છે.


ગોપાળબાપા પાઠના લેખકનું નામ લખો.

Hide | Show

જવાબ : ગોપાળબાપા પાઠના લેખક મનુભાઈ પંચોળી છે.


ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી ?

Hide | Show

જવાબ : ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી ?


સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને શું જણાવ્યુ ?

Hide | Show

જવાબ : સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને જણાવ્યું કે આ શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું છે. એ જુનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂજ રહે છે. એની પૂજાનો બંદોબસ્ત કરો.


ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી – ખાતું તે આપશે એની ખાતરી આપી.


ગોપાળબાપા શીંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઇચ્છતા હતા ?

Hide | Show

જવાબ : ગોપાળબાપા શીંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદતાં જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શીંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોનાં અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે તેમ છે.


ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી ?

Hide | Show

જવાબ : ગોપાળબાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતાં પહેલાં સો ગળણે ગાળે એટલે કે સો વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી.


ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો.

Hide | Show

જવાબ : ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળબાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા. ગલૂડિયાં સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એક વાર શરીર પર ચડી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતાં કહ્યું, ‘રેવા ધો એને. એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને ? બહુ દી થઈ ગ્યા છે એને. માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી, પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે.


ગોપાળબાપા વિશે સયાજીરાવને શું જાણવા મળ્યું ?

Hide | Show

જવાબ : ગોપાળબાપા વિશે સયાજીરાવને એ જાણવા મળ્યું કે ગોપાળદાસ એક વણિક ખેડૂત છે. એ બરડાના પેટાળમાં રહે છે. ચારેક મહિના પહેલાં એમના ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા. તેઓ ઝરિયાની કોલિયારીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળબાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમણે ગોપાળબાપાને એમની તમામ માલમિલકતની અને દીકરાની ભાળવણી કરવાની ભલામણ કરી હતી. આથી ગોપાળબાપા આ બધી જમીન અંગે ખટખટ કરે છે; પરંતુ એમાં પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી. એ તો કેવળ નિ:સ્વાર્થભાવે મૈત્રીધર્મ નિભાવી રહ્યા છે.


ગોપાળબાપાનું પાત્રાલેખન કરો.

Hide | Show

જવાબ : ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે. પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળબાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી – વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. “તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે” એમ નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધો સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે.

        ગોપાળબાપા મૈત્રીધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંક દિલચોરી નહિ, ક્યાંક સ્વાર્થવૃત્તિ નહિ, ક્યાંક બેવફાઈ પણ નહિ. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળબાપા એક નિ:સ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા.


ગોપાળબાપાપાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો.

Hide | Show

જવાબ : સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળબાપાને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમની કોતરની જમીન લખી આપી. ગોપાળબાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તોપણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ!’ બોલી ઊઠે છે.

        આમ, સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસપારખુ જ નહિ પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

ગોપાળબાપા

ગુજરાતી

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.