GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

સાંદીપનિ ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી ?

Hide | Show

જવાબ : સાંદીપનિ ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ : તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા, શ્રીકૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર તેઓ સાથે સૂતા અને એકબીજાને સુખદુ:ખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા.


શ્રીકૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડાં લાવવાનું કામ કઈ રીતે કર્યું ?

Hide | Show

જવાબ : શ્રીકૃષ્ણ અને સુદામા ખભે કુહાડો મૂકીને જંગલમાં ગયા. જંગલમાં ઘણે દૂર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડયું. એના ટુકડા કર્યા. એના ત્રણ ભાગ કરી એને દોરડાથી બાંધીને ત્રણ ભારા તૈયાર કર્યા.


જંગલમાં અચાનક શી આપત્તિ આવી ?

Hide | Show

જવાબ : જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમનાં શરીર ઠંડીથી ધ્રૂજવા લાગ્યાં. નદીઓમાં પૂર આવ્યાં. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહિ અને તેઓ જંગલમાં અટવાઈ ગયા.


શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી ?

Hide | Show

જવાબ : શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડાં કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી.


પછે શામળિયોજી બોલિયા કાવ્યના કવિનું નામ લખો.

Hide | Show

જવાબ : પછે શામળિયોજી બોલિયા કાવ્યના કવિ પ્રેમાનંદ છે.


પછે શામળિયોજી બોલિયા કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

Hide | Show

જવાબ : પછે શામળિયોજી બોલિયા આખ્યાન – ખંડ છે.


પ્રેમાનંદના કોઈ પણ બે આખ્યાનોનાં નામ જણાવો.

Hide | Show

જવાબ : પ્રેમાનંદના આખ્યાનો : સુદામાચરિત્ર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘નળાખ્યાન’.


પછે શામળિયોજી બોલિયાપ્રેમાનંદના ક્યા આખ્યાનમાંથી લેવામાં આવેલું કડવું છે ?

Hide | Show

જવાબ : પછે શામળિયોજી બોલિયા પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલું કડવું છે.


ગોરાણીએ શ્રીકૃષ્ણ – સુદામાને ક્યું કામ સોંપ્યું હતું ?

Hide | Show

જવાબ : ગોરાણીએ શ્રીકૃષ્ણ – સુદામાને લાકડાં (બળતણ) લાવવાનું કામ સોંપ્યું હતું.


પછે શામળિયોજી બોલિયા આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે ?

Hide | Show

જવાબ : પછે શામળિયોજી બોલિયાઆખું કાવ્ય શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદરૂપે આગળ વધે છે.


શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે ?

Hide | Show

જવાબ : તમો પાસ અમો વિદ્યા શીખતા,’ વાક્યમાં શ્રીકૃષ્ણની નમ્રતા દેખાય છે.


સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે ?

Hide | Show

જવાબ : પછી ગુરુજી શોધવા નીસર્યા’, કહ્યું સ્ત્રીને, “તેં કીધો કેર?”, ‘આપણા હૃદિયા સાથે ચાંપિયા. વાક્યોમાં સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે.


સાંદીપનિ ઋષિએ એમનાં પત્નીને શું કહ્યું ?

Hide | Show

જવાબ : સાંદીપનિ ઋષિએ એમનાં પત્નીને કહ્યું કે, ‘તેં કેર કીધો.’


પછે શામળિયોજી બોલિયા કડવામાં શું જોવા મળે છે ?

Hide | Show

જવાબ : પછે શામળિયોજી બોલિયા કાવ્યમાં અતૂટ – મધુર મૈત્રીનું દ્રષ્ટાંત જોવા મળે છે.


શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થીજીવન તમારા શબ્દોમાં જણાવો.

Hide | Show

જવાબ : શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ બે માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખદુ:ખની વાતો પણ કરતા. સવારે ઊઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડાં લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડાં કાપ્યા. એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડયો નહોતો. શ્રીકૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્રભાવે એને કૃષ્ણની મહાનતા ગણી.

        આમ, શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થીજીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું.


સાંદીપનિ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો.

Hide | Show

જવાબ : સાંદીપનિ ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રૂજતા કૃષ્ણ – સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.


નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

“તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે રે?

હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે?”

Hide | Show

જવાબ : પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર છે. સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞના વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણે આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો. શ્રીકૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમનો વિનમ્રભાવ દર્શાવે છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પછે શામળિયોજી બોલિયા

ગુજરાતી

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.