GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ગાંધીજીની આત્મકથાનું નામ આપો.

Hide | Show

જવાબ : ગાંધીજીની આત્મકથાનું નામ : સત્યના પ્રયોગો


પિતાજીની આંખમાંના મોતીબિંદુની ગાંધીજી પર શી અસર થઈ ?

Hide | Show

જવાબ : પિતાજી આંખમાંના મોતીબિંદુના પ્રેમબાણે ગાંધીજી વીંધયા, શુદ્ધ થયા.


ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીને અપાર શાંતિ જાળવી તેનું કારણ ગાંધીજી શું માને છે ?

Hide | Show

જવાબ : ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીને અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી તેમ ગાંધીજી માને છે.


શું ખાવાથી મૃત્યુ થાય ?

Hide | Show

જવાબ : ધતૂરાંનાં બી ખાવાથી મૃત્યુ થાય.


બીડી પીવાથી કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી ?

Hide | Show

જવાબ : બીડી પીવાથી કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી.


ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?

Hide | Show

જવાબ : ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ.


સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ ?

Hide | Show

જવાબ : સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઇ પડી અને ત્યારપછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો.


ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઊપડતી નથી ?

Hide | Show

જવાબ : પિતાજી દુ:ખી થશે, કદાચ માથું ફૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી.


ચોરી અને પ્રાયશ્ચિત્ત ગધ્યનો સાહિત્યપ્રકાર શું છે ?

Hide | Show

જવાબ : ચોરી અને પ્રાયશ્ચિત્ત આત્મકથા – અંશ છે.


ચોરી અને પ્રાયશ્ચિત્ત ગધ્યના કવિનું નામ આપો.

Hide | Show

જવાબ : ચોરી અને પ્રાયશ્ચિત્ત ગધ્યના કવિ ગાંધીજી છે.


ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ?

Hide | Show

જવાબ : ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી.


ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું ?

Hide | Show

જવાબ : ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીનાં ઠૂંઠાં ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા.


ગાંધીજી પર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નહિ ?

Hide | Show

જવાબ : ગાંધીજીમાં એ સમજ આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે એમના ઉપર તેની ખાસ અસર થતી નહિ.


ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું ?

Hide | Show

જવાબ : ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો ? મરીને શો લાભ ? આવા વિચાર આવતાં ગાંધીજીએ રામજીના મંદિરે જઈ, દર્શન કરી, શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી, એવું તેમણે નક્કી કર્યું.


ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ?

Hide | Show

જવાબ : આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતૂરાંનાં ડોડવાંનાં બી ખાવાથી મૃત્યુ થાય. એટલે ગાંધીજી વગડામાં જઈ એનાં બી લઈ આવ્યા.


ગાંધીજીએ બીડીની જગ્યાએ શું ફૂંકવાનું શરૂ કર્યું ? શા માટે ?

Hide | Show

જવાબ : ગાંધીજી માટે મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે ચોરી કરીને ખરીદેલી બીડી સંઘરવી ક્યાં ? વળી બે – ચાર દોકડાની ચોરી ક્યાં સુધી કરવી ? આ વિચાર આવતાં ગાંધીજીએ એક જાતના છોડની ડાંખડી મેળવી. તેને સળગાવીને તેમણે ફૂંકવાનું શરૂ કર્યું.


ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી ? શા માટે ?

Hide | Show

જવાબ : ગાંધીજીને દર વખતે બીડીના ઠૂંઠાં મળી શકે તેમ નહોતાં, વળી બીડીનાં ઠૂંઠાંમાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહિ. આથી નોકરના ખિસ્સામાંથી બે – ચાર દોકડા ચોરવાની ટેવ પડી.


ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલાં બીડીનાં ઠૂંઠાં ચોરવાનું શા માટે શરૂ કર્યું ?

Hide | Show

જવાબ : ગાંધીજીએ એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એમના કાકાને બીડી પીતાં અને ધુમાડો કાઢતાં જોઈને એમને પણ બીડી ફૂંકવાની ટેવ ઈચ્છા થઈ; પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા. આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલાં બીડીનાં ઠૂંઠાં ચોરવાનું શરૂ કર્યું.


ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન લખો.

Hide | Show

જવાબ : ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભિકતા અને પ્રમાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી. એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાઈ થઈ શકે નહિ. એનાં કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી લઈ દેવું ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત્ત કરવાની ઈચ્છા બતાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભિકતા અને પ્રમાણિકતા સૂચવે છે.


ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન લખો.

Hide | Show

જવાબ : ગાંધીજીને પહેલા બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે ? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો ? મરીને શો લાભ ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઇનું દેવું ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુ:ખી થશે, કદાચ માથું ફૂટશે તો ? એવા વિચારો મનમાં ઊઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહિ થાય તો એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

ચોરી અને પ્રાયશ્ચિત્ત

ગુજરાતી

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.