GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે અને કયાં વિધાનો અસત્ય છે ? તમારા જવાબ માટે કારણો આપો. (સ્વા_5.1_1(1))

એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તેના સૌથી સરળ ઉદાહરણ તરીકે પરસ્પર છેદતી રેખાઓ અથવા પરસ્પર લંબ રેખાઓ લઈ શકાય. અહી, બે રેખાઓના અનન્ય છેદબિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે.


નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે અને કયાં વિધાનો અસત્ય છે ? તમારા જવાબ માટે કારણો આપો. (સ્વા_5.1_1(2))

બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન અસત્ય છે, કારણ કે જો તેવું હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર કદી વ્યાખ્યાયિત ન કરી શકાય. વળી તે પૂર્વધારણા 1નો વિરોધાભાસ કરે છે.


નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે અને કયાં વિધાનો અસત્ય છે ? તમારા જવાબ માટે કારણો આપો. (સ્વા_5.1_1(3))

એક સાન્ત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન પૂર્વધારણા 2 અનુસાર સત્ય છે.


નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો સત્ય છે અને કયાં વિધાનો અસત્ય છે ? તમારા જવાબ માટે કારણો આપો. (સ્વા_5.1_1(4))

જો બે વર્તુળ સમાન છે, તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે.

Hide | Show

જવાબ : આપેલ વિધાન સત્ય છે. જો બે વર્તુળો સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધબેસતા થાય. હવે, ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી તે વર્તુળોની ત્રિજ્યાઓ પણ સમાન હોય.


આપેલ પદોની વ્યાખ્યા આપો : સમાંતર રેખાઓ (સ્વા_5.1_2(1))

Hide | Show

જવાબ : એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય.


આપેલ પદોની વ્યાખ્યા આપો : લંબરેખાઓ (સ્વા_5.1_2(2))

Hide | Show

જવાબ : જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબરેખાઓ કહેવાય.


આપેલ પદોની વ્યાખ્યા આપો : રેખાખંડ (સ્વા_5.1_2(3))

Hide | Show

જવાબ : રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે, જેને બે અંત્યબિંદુઓ હોય.


આપેલ પદોની વ્યાખ્યા આપો : વર્તુળની ત્રિજ્યા (સ્વા_5.1_2(4))

Hide | Show

જવાબ : વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય.


યુક્લિડનાં સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે ? (યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી.) (સ્વા_5.1_7)

Hide | Show

જવાબ : સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કાંઈક ઓછા માટે થાય છે. આ હકીકત કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી છે. આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે.


તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો ? (સ્વા_5.2_1)

Hide | Show

જવાબ : જો કોઈ પણ બે રેખાઓ  અને  ને ત્રીજી રેખા  ભિન્ન બિંદુઓમાં છેદે, તો ચાર અંત:કોણો મળે. જો આ ચાર અંત:કોણો પૈકી રેખા ની કોઈ પણ એક જ બાજુ પર આવેલા બે અંત:કોણોનો સરવાળો  થાય, તો રેખાઓ  અને  એકબીજાને છેદે નહીં, એટલે કે અને  સમાંતર રેખાઓ છે.


જે વિધાન સાબિત કરવામાં આવે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : જે વિધાન સાબિત કરવામાં આવે તેને પ્રમેય કહે છે.


શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ કયા ત્રિકોણનું સંયોજન છે ?

Hide | Show

જવાબ : શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે.


પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો ?

Hide | Show

જવાબ : પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ સૂલબાસૂત્ર હતો.


રેખા એ શેના વગરની લંબાઇ છે ?

Hide | Show

જવાબ : રેખા એ પહોળાઈ વગરની લંબાઇ છે.


સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઇ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર શું હતો ?

Hide | Show

જવાબ : સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઇ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 છે.


ઘનને કેટલા પરિમાણ હોય છે ?

Hide | Show

જવાબ : ઘનને ત્રણ પરિમાણ હોય છે.


શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે ?

Hide | Show

જવાબ : શ્રીયંત્રમાં 43 ઉપત્રિકોણ બને છે.


સમતલને કેટલા પરિમાણ હોય છે ?

Hide | Show

જવાબ : સમતલને બે પરિમાણ હોય છે.


થેલ્સ કયા દેશનો વતની હતો ?

Hide | Show

જવાબ : થેલ્સ ગ્રીસ દેશનો વતની હતો.


બિંદુને કેટલા પરિમાણ હોય છે ?

Hide | Show

જવાબ : બિંદુને શૂન્ય પરિમાણ હોય છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

યુક્લિડની ભૂમિતિનો પરિચય

ગણિત

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.