GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે?

Hide | Show

જવાબ : જીવસાતત્ય જાળવવા માટે નવા સજીવો પંદા કરવા જરૂરી છે અને તે માટે પ્રજનન આવશ્યક છે.


કઈ પ્રજનન પદ્ધતિ સારી છે : લિંગી અથવા અલિંગી પ્રજનન ? શા માટે?

Hide | Show

જવાબ : લિંગી પ્રજનન પદ્ધતિ એ પ્રજનન માટેની સારી પદ્ધતિ છે. કારણ કે તે દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતાઓ ઉદવિકાસમાં ફાળો આપે છે અને સંતતિઓ પર્યાવરણ સાથે સારું અનુકૂલન ધરાવે છે.


શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ પ્રતિકૃતિ તરીકે ઉલ્લેખાય છે?

Hide | Show

જવાબ : અલિંગી પ્રજનન પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે. આવા બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે.


લિંગી પ્રજનનના લીધે સર્જાતી સંતતિને જીવિતતાની સારી તકો છે. શા માટે ? શું આ વિધાન હંમેશાં સાચું છે?

Hide | Show

જવાબ : લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃઓનાં લક્ષણો ભેગાં થાય છે અને ભિન્નતાઓ પ્રેરે છે. જેથી સંતતિ પર્યાવરણમાં સારી રીતે અનુકૂલન સાધે છે.


અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો ભેદ આપો. શા માટે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે ગણવામાં આવે છે ?

Hide | Show

જવાબ :

અલિંગી પ્રજનન

લિંગી પ્રજનન

1. તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી.

1. તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થાય છે.

2. તેમાં હંમંશાં એક પિતૃ સજીવની આવશ્યકતા હોય છે.

2. તેમાં સામાન્ય રીતે બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે.

3. પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા છે.  

3. પ્રજનન એકમો જનનકોષ ધરાવે છે. જે તેમની

પદ્ધતિ અનુસાર હોય છે.

4. સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે.

4. સંતતિ પિતૃ કરતાં ભિન્ન હોય છે.

                વાનસ્પતિક પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલ હોય છે અને તેની સંતતિ જનીનિક રીતે સમાન હોય છે. આથી તેને અલિંગી પ્રજનનનો પ્રકાર ગણવામાં આવે છે.


વાનસ્પતિક પ્રજનન શું છે? બે ઉદાહરણો આપી.

Hide | Show

જવાબ : બહુગુણનની પ્રક્રિયા જેમાં વનસ્પતિના ભાગો અથવા ટુકડાઓ પ્રજનન એકમ તરીકે વર્તે છે અથવા તેમને પ્રસર્જકો કહે છે. જે નવો સજીવ સર્જે છે. તેથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. ઉદાહરણ: આદુમાં ગાંઠામૂળી, બટાટાની (આંખો) કલિકાઓ


ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનનનો એક જટિલ સ્રોત છે. શા માટે?

Hide | Show

જવાબ : કારણ કે લિંગી પ્રજનન જનીનિક ભિન્નતા પ્રેરે છે (અનુકૂલનો). જે સંતતિને સારા અસ્તિત્વની જાળવણી માટે સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા આપે છે.


શા માટે અર્ધીકરણ અને જન્યુજનન હંમેશાં આંતરસંયોજિત છે? સમજૂતી આપો.

Hide | Show

જવાબ : જન્યુઓ જન્યુજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. તે હંમંશાં એકકીય (n) હોય છે અને એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા અર્ધીકરણ થવું જરૂરી છે. કારણ કે તે તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી કરવા માટે રિડક્શન વિભાજન થવું જરૂરી છે.


બાહ્ય ફલન વ્યાખ્યાયિત કરો. તેના ગેરફાયદાઓ જણાવો.

Hide | Show

જવાબ : મોટા ભાગના જલજ સજીવો જેવા કે લીલ, માછલીઓ અને ઉભયજીવીઓમાં યુગ્મનજ શરીરની બહાર, બાહ્ય માધ્યમ (પાણી)માં થાય છે. આ પ્રકારના જન્યુયુગ્મનને બાહ્યફલન કહે છે. ગેરફાયદા :         મોટા ભાગની સંતતિ તેમના ભક્ષકો સામે રક્ષિત હોતા નથી. આથી તેમની પુખ્તાવસ્થા સુધી તેમના અસ્તિત્વ સામે જોખમ હોય છે.


ચલબીજાણુ અને યુગ્મનજ વચ્ચેનો તફાવત આપો.

Hide | Show

જવાબ :

ચલબીજાણુ

યુગ્મનજ

1 તે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે.

1 તે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે.

2. તે કશા ધરાવે છે.

2 તે કશા ધરાવતા નથી.

3. તે એકકીય કે દ્વિકીય હોય છે.

૩.તે હંમેશાં દ્વિકીય હોય છે.

4 અંકુરણ દ્વારા તે નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે.

4. સંયુગ્મન દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે.


જન્યુજનન અને ભ્રુણજનન વચ્ચેનો તફાવત આપો.

Hide | Show

જવાબ :

જન્યુજનન

ભૃણજનન

1. આ પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થાય.

1. તે ફલિતાંડમાંથી ભૂણ વિકાસની પ્રક્રિયા છે.

2. તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.

2. તેમાં સમભાજન સંકળાયેલ છે.


શા માટે અપત્યપ્રસવી પ્રાણીઓની સંતતિની સાપેક્ષે અંડપ્રસવી પ્રાણીઓની સંતતિને વધારે ખતરો હોય છે?

Hide | Show

જવાબ : ઈંડાં તેમની જાતે ફરી શકતા નથી. આથી તેઓમાં વિવિધ પ્રકારના ભક્ષકો સામે વધુ ખતરો હોય છે.


અમીબા અને યીસ્ટની બે આનુવંશિક લાક્ષણિકતાઓ જણાવો કે જેના દ્વારા તેઓનું અલિંગીપ્રજનન થાય છે.

Hide | Show

જવાબ : તેઓની શરીરની રચના વધુ સરળ છે. તેઓ એકકોષીય સજીવો છે.


શા માટે આપણે અલિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિને ક્લોન તરીકે ગણાવીએ છીએ?

Hide | Show

જવાબ : અલિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિને ક્લોન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ બાહ્યાકાર વિદ્યાકીય અને જનીનિક રીતે પિતૃને સમાન હોય છે.


બટાટાનું ગ્રંથિલ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે છતાં તેને પ્રકાંડ તરીકે ગણવામાં આવે છે. - તેનાં બે કારણો આપો.

Hide | Show

જવાબ : ગ્રંથિલ ગાંઠો અને આંતર ગાંઠો ધરાવે છે. પર્ણીય પ્રરોહ ગાંઠોમાંથી સર્જાય છે.


વાર્ષિક અને બહુવર્ષાયુ વનસ્પતિ પૈકી, કઈ વનસ્પતિમાં જુવેનાઈલ તબક્કો ટૂંકો હોય છે? તેનું એક કારણ આપો.

Hide | Show

જવાબ : એક વર્ષાયુ વનસ્પતિ ટૂંકો જુવેનાઈલ તબક્કો ધરાવે છે. તેઓ પોતાનું જીવનચક્ર માત્ર એક જ ઋતુમાં પૂર્ણ કરવાનું હોય છે, તેથી જુવેલાઈલ તબક્કો ટૂંકો હોય છે.


સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતી લિંગીપ્રજનનની ક્રોણીબદ્ધ ઘટનાઓ દર્શાવેલી છે. તેઓની પુનઃ ગોઠવણી સાચી રીતે કરો :

ભ્રૂણજનન, ફલન, જન્યુજનન, પરાગનયન

Hide | Show

જવાબ : જન્યુજનન, પરાગનયન, ફલન, ભ્રૂણજનન


દ્વિલીંગી પુષ્પધારી વનસ્પતિમાં સ્વપરાગનયન દ્વારા ફળનિર્માણની શક્યતા દ્વિસદની વનસ્પતિ કરતાં વધુ છે. આ વિધાન સમજાવો.

Hide | Show

જવાબ : દ્વિસદની વનસ્પતિ કરતાં સ્વપરાગનયન દ્વિલિંગી વનસ્પતિમાં પરાગરજનું પુષ્પાસન પર સ્થળાંતરણ સરળ હોય છે માટે.


કયાં સજીવો અમર છે?

Hide | Show

જવાબ : એક કોષીય


સજીવનો જીવનકાળ શેની સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી ?

Hide | Show

જવાબ : કદ


કાચબાનો જીવનકાળ કેટલો હોય છે?

Hide | Show

જવાબ : 100 - 150 વર્ષ


પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ કેવો હોય છે ?

Hide | Show

જવાબ : ટૂંકો


પતંગિયાનો જીવનકાળ કેટલો હોય છે?

Hide | Show

જવાબ : 1-2 અઠવાડિયા


અલીંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિની શી વિશેષતા હોય છે?

Hide | Show

જવાબ : તે તેઓનાં પિતૃઓની આબેહુબ પ્રતિકૃતિ હોય


કઈ જૈવિક પ્રક્રિયામાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : પ્રજનન


કાગડાનો જીવનકાળ અંદાજે કેટલો હોય છે ?

Hide | Show

જવાબ : 15 વર્ષ


જયારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતીઓનું સર્જન થાય તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : અલિંગી પ્રજનન


જયારે બે પીતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : લિંગી પ્રજનન


સુક્ષ્મદર્શી ચલિત રચના જણાવો.

Hide | Show

જવાબ : ચલબીજાણું


હાયડ્રા એ કયાં પ્રકારનું અલીંગી પ્રજનન કરતી રચનાનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : કલિકાઓ


કણીબીજાણુંનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : પેનીસીલીયમ


શેમાં વિભાજન અસમાન હોય છે ?

Hide | Show

જવાબ : યીસ્ટ


અમીબા અને પેરામીશીયમમાં કઈ પધ્ધતિથી પ્રજનન થાય છે ?

Hide | Show

જવાબ : દ્વિવિભાજન


પ્રોટીસ્ટા અને મોનેરામાં કઈ રીતે બે કોષો સર્જે છે ?

Hide | Show

જવાબ : સમવિભાજનથી


કયું સજીવ કોષવિભાજન પદ્ધતિથી પ્રજનન કરે છે ?

Hide | Show

જવાબ : મોનેરા


પ્રતિકુળ સંજોગોમાં અમીબા પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણનો સ્ત્રાવ કરે છે તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : કોષ્ઠન


વાદળી એ કયા પ્રકારનું અલિંગી પ્રજનન કરતી રચનાનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : અંતઃકલિકાઓ


યીસ્ટમાં કઈ પધ્ધતિથી પ્રજનન થાય છે?

Hide | Show

જવાબ : કલિકાઓ સર્જીને


વાનસ્પતિક પ્રજનન કેવું હોય છે?

Hide | Show

જવાબ : અલિંગી


પાનફૂટીમાં પ્રજનન શેનાં દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : પર્ણકલીકાઓ


બટાકામાં પ્રજનન શેનાં દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : બટાકાની આંખ


જળકુંભી પાણીને શું નુકશાન કરે છે ?

Hide | Show

જવાબ : પાણીમાંથી O2 શોષી લે છે.


કઈ વનસ્પતિઓ અલિંગી અને લિંગી બંને પધ્ધતિથી પ્રજનન કરી શકે છે ?

Hide | Show

જવાબ : લીલ અને ફૂગ


જળાશયોમાં રહેલ શાપ કે 'ટેરર ઓફ બેંગાલ' એ શું છે ?

Hide | Show

જવાબ : જળકુભી


ભૂસ્તારિકા દ્વારા પ્રજનન શેમાં થાય છે ?

Hide | Show

જવાબ : જળકુંભી


લીલ અને કૂગમાં પ્રજનનની સર્વસામાન્ય પધ્ધતિ કઈ છે ?

Hide | Show

જવાબ : અલિંગી પ્રજનન


ગાંઠામૂળી દ્વારા પ્રજનન શેમાં થાય છે?

Hide | Show

જવાબ : આદુ


લિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ માટે ક્લૉનશબ્દનો ઉપયોગ કરી શકાય નહિ, કારણ કે...

Hide | Show

જવાબ : સંતતિઓ પિતૃ DNA ની આબેહૂબ પ્રતિકૃતિઓ ધરાવતી નથી.


એક બહુકોષીય તંતુમય લીલ તેના લિંગી જીવનચક્રમાં ફલિતાંડના નિર્માણ પછી અર્ધીકરણ વિભાજન દર્શાવે છે. આ લીલનો પુખ્તતંતુ શું ધરાવે છે ?

Hide | Show

જવાબ : એકકીય વાનસ્પતિક કોષો અને એકકીય જન્યુધાની


અવખંડન પ્રકારનાં અલિંગીપ્રજનનનું ઉદાહરણ કયું છે ?

Hide | Show

જવાબ : હાયડ્રા


કઈ વનસ્પતિ દર બાર વર્ષ એક વખત પુષ્પ સર્જે છે ?

Hide | Show

જવાબ : નીલ ફુરન્જીત


માનવના વિષમજન્યુઓ શું કહેવાય?

Hide | Show

જવાબ : હોમો સેપીયંસ


સજીવોમાં ત્રણ તબક્કા વચ્ચેની સંક્રાંતિ માટે શું જવાબદાર છે ?

Hide | Show

જવાબ : અતઃસ્ત્રાવો


કઈ વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે ?

Hide | Show

જવાબ : વાંસ


પ્રજનનની ક્રિયાને શું નિયંત્રિત કરે છે ?

Hide | Show

જવાબ : અંતઃસ્ત્રાવો


કયું પ્રાણી માસિક ઋતુચક્રને અનુસરે છે ?

Hide | Show

જવાબ : વાંદરા


કયું પ્રાણી ઋતુકીય ઋતુચક્રને અનુસરે છે ?

Hide | Show

જવાબ : હરણ


લીલ ના સમજન્યુઓનું શું નામ છે ?

Hide | Show

જવાબ : ક્લેડોફોરા


નીલ કુરંજીત વનસ્પતિમાં છેલ્લે ક્યારે પુષ્પસર્જન થયું હતું ?

Hide | Show

જવાબ : 2006


સજીવોમાં વૃદ્ધિ અને પરિપક્વતાના તબક્કાને શું કહે છે ?

Hide | Show

જવાબ : જુવેનાઇલ તબક્કો


કેટલીક ફૂગ અને વનસ્પતિમાં, એકલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ કયો છે ?

Hide | Show

જવાબ : વિષમ સુકાયક


લીલના વિષમજન્યુઓ કયા હોય ?

Hide | Show

જવાબ : ફ્યુક્સ


એકસદની વનસ્પતિનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : કાકડી


ખજુર એ કેવી વનસ્પતિ છે ?

Hide | Show

જવાબ : દ્વિસદની


કયું પ્રાણી એકલિંગી છે ?

Hide | Show

જવાબ : વંદો


મનુષ્યમાં જન્યુ માતૃકોષમાં રંગસત્રોની સંખ્યા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 46


ચપટા કૃમિ એ કેવું પ્રાણી છે ?

Hide | Show

જવાબ : ઉભયલિંગી


પતંગિયામાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 380


શક્કરિયું એ આમાંથી શેનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : દ્વિલિંગી પુષ્પ


કેટલીક ફૂગ અને વનસ્પતિમાં, દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ કયો છે?

Hide | Show

જવાબ : સમસુકાયક


લિંગીપ્રજનન માટેની સૌથી આવશ્યક જીવત ઘટના કઈ છે ?

Hide | Show

જવાબ : જન્યુઓનું જોડાણ


લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુઓ કયા માધ્યમ દ્વારા સ્થાનફેર પામે છે ?

Hide | Show

જવાબ : પાણી


જલજ સજીવોમાં જન્યુયુગ્મન કઈ રીત દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : બાહ્ય ફલન


કઈ વનસ્પતિમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 24 હોય છે ?

Hide | Show

જવાબ : બટાકા


જલજ સજીવોમાં જનન્યુયુગ્મન કયાં થાય છે ?

Hide | Show

જવાબ : પાણીમાં


કયા પ્રાણીમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 78 હોય છે ?

Hide | Show

જવાબ : કુતરો


મધમાખીઓ, પક્ષીઓ વગેરેમાં નવો સજીવ કઈ ઘટના દ્વારા બને છે ?

Hide | Show

જવાબ : અસયોગીજનન


લિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અલિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિ કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે કારણ કે,

Hide | Show

જવાબ : પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દ્રષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ ધરાવે છે.


અમીબા અને બેક્ટેરિયા જેવા એકકોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી. કારણ કે,

Hide | Show

જવાબ : પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે.


પ્રજનનના વિવિધ પ્રકારો છે. કયા પ્રકારનું પ્રજનન સજીવ દર્શાવશે તેનો આધાર :

Hide | Show

જવાબ : સજીવના વસવાટ, દેહધાર્મિકતા અને જનીનિકતા પર રહેલો છે.


સપુષ્પી વનસ્પતિઓમાં કઈ એક પશ્ચ ફલનીય ઘટના છે?

Hide | Show

જવાબ : ભ્રૂણ વિકાસ


વટાણા એ કેવી વનસ્પતિ છે?

Hide | Show

જવાબ : સ્વફલિત દ્વિેલિંગી


મકાઈ વનસ્પતિના પ્રરોહાગ્રના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 20 છે. તે જ વનસ્પતિના લઘુબીજાણુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?

Hide | Show

જવાબ : 20


ઉંદરમાં જનન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?

Hide | Show

જવાબ : 42


પરાગરજનું પરગાસન પર સ્થાપન કરવા માટે જે ઘટના થાય છે તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : પરાગનયન


તરુણની ઉત્તરજીવિતતા ની તકો કયા સજીવોમાં વધારે હોય છે ?

Hide | Show

જવાબ : અપ્રત્યપ્રસવી પ્રાણીઓમાં


અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મજનું નિર્માણ ક્યાં થાય છે ?

Hide | Show

જવાબ : સજીવ દેહની અંદર


જો પ્રાણીઓમાં જન્યુયુગ્મન દેહની અંદર થાય તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : અંતઃફલન


ઘણાં સ્થલજ સજીવો, સસ્તનો, ઉચ્ચ પ્રાણીઓ વગેરેમાં જન્યુયુગ્મજ કયાં થાય છે ?

Hide | Show

જવાબ : સજીવ દેહની અંદર


યુગ્મજમાંથી ભ્રૂણમાં વિકાસની પ્રક્રિયાને શું કહેવાય ?

Hide | Show

જવાબ : ભ્રૂણજનન


બીજધારી વનસ્પતિઓમાં અચલિત નર જનન્યુઓ શેનાં દ્વારા માદા જનન્યુઓ સુધી વહન પામે છે ?

Hide | Show

જવાબ : પરાગનલિકાઓ


સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મજનો વિકાસ શેમાં થાય છે ?

Hide | Show

જવાબ : અંડક


માનવ સહિતના બધાં જ લિંગી પ્રજનન ધરાવતાં સજીવોનું જીવન શેનાંથી શરુ થાય છે ?

Hide | Show

જવાબ : યૂગ્મજથી


સરીસૃપો અને પક્ષીઓ એ કેવાં પ્રાણીઓ કહેવાય ?

Hide | Show

જવાબ : અંડપ્રસવી પ્રાણીઓ


કયાં સજીવોમાં યુગ્મજ જાડી દિવાલ વિકસાવે છે ?

Hide | Show

જવાબ : લીલ અને ફૂગ


યુગ્મજનો વિકાસ શેમાં થાય છે?

Hide | Show

જવાબ : ભ્રૂણમાં


અંડકનો વિકાસ શેમાં થાય છે?

Hide | Show

જવાબ : બીજમાં


બીજાશયનો વિકાસ શેમા થાય છે?

Hide | Show

જવાબ : ફળમાં


બીજશાયમાં જે જાડી દિવાલ વિકસે છે તેને શું કહેવાય ?

Hide | Show

જવાબ : ફ્લાવરણ


કયાં પ્રાણીઓમાં ભ્રૂણરક્ષણ અને કાળજી વધુ સારી હોય છે ?

Hide | Show

જવાબ : અપ્રત્યપ્રસવી પ્રાણીઓમાં


ચોખાના નરજન્યુઓ તેઓના કોષકેન્દ્રમાં 12 રંગસૂત્રો ધરાવે છે. માદા જન્યુ, ફલિતાંડ અને પ્રાંકુરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે શું હશે ?

Hide | Show

જવાબ : 12, 24, 24


શેરડી અને આદું જેવી વનસ્પતિઓમાં ગાંઠ દ્વારા વાનસ્પતિક પ્રજનન પ્રદર્શિત થવાનું મુખ્ય કારણ:

Hide | Show

જવાબ : ગાંઠો વર્ધમાન કોષો ધરાવે છે.


શું એક પિતૃ સજીવમાંથી નિર્માણ પામેલ બધા જ જન્યુઓનું જનીનિક રીતે સમાન હોય છે? (પિતૃના જનીનોની સમાન DNA નકલો ધરાવે છે.) જન્યુજનનને ધ્યાનમાં રાખી આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો અને યોગ્ય ઉદાહરણ દ્વારા તેની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : પિતૃઓના જન્યુઓ સમાન જનીનિક બંધારણ ધરાવતાં નથી, કારણ કે તેઓ DNA ની સમાન નકલો ધરાવતાં નથી. સમજાત રંગસૂત્રો વચ્ચે પેકીટિન અને ડિપ્લોટિન અવસ્થાઓ વખતે કે જે અર્ધીકરણ-1ની અવસ્થાઓ છે તે વખતે વ્યતીકરણની ઘટના દ્વારા સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. આ સમયે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જે સમજાત રંગસૂત્રોની છે તે યાદચ્છિક રીતે ફેરબદલ પામે છે. જેને પરિણામે કેટલીક નવી DNAની શ્રેણીઓ રચાય છે. જેને પરિણામે અર્ધીકરણ પૂર્ણ થાય છે અને જન્યુઓના નિર્માણ સાથે DNA કે જનીન દ્રવ્યમાં ભિન્નતા નિયત માત્રામાં આપે છે.


લિંગીપ્રજનનની ક્રિયા લાંબી છે, પ્રજનનની ક્રિયા ઊર્જાની તીવ્રતાની જટિલતા ધરાવે છે. છતાં પ્રજનનની આ પદ્ધતિ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિમાંના ઘણા સજીવોમાં જોવા મળે છે. તેના માટે ઓછાંમાં ઓછાં ત્રણ કારણો જણાવો.

Hide | Show

જવાબ :

  1. લિંગીપ્રજનન, સંતતિમાં ભિન્નતા લાવે છે.
  2. અર્ધીકરણ દ્વારા જન્યુનું નિર્માણ થતું હોવાથી વ્યતીકરણ (અર્ધીકરણ દ્વારા) દરમિયાન જનીનિક પુનઃસંયોજન પામે છે, જેને લીધે જન્યુઓના DNA માં ભિન્નતા દર્શાવે છે.
  3. બદલાતા પરિઆવરણમાં સજીવની અસ્તિત્વની તકો વધુ મળે છે.


ગુલાબ વનસ્પતિઓ વ્યાપક સ્વરૂપમાં આકર્ષક દ્વિલિંગી પુષ્પો ધરાવે છે, પરંતુ તેઓ ફળોનું નિર્માણ ભાગ્યે જ કરે છે. બીજી તરફ ભીંડા ઘણાંબધાં ફળો ઉત્પન્ન કરે છે. ગુલાબનાં ફળ-નિર્માણમાં નિષ્ફળ જાય તે માટેનાં કારણોનું પૃથક્કરણ કરો.

Hide | Show

જવાબ : ગુલાબમાં ફળ નિર્માણમાં કેટલાંક કારણોને લીધે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. તેનાં કેટલાંક સંભવિત કારણો આ પ્રમાણે છે :

  1. ગુલાબના છોડ જીવિત પરાગરજનું નિર્માણ કરતાં નથી.
  2. ગુલાબના છોડ કાર્યશીલ અંડકોષ ધરાવતાં નથી.
  3. ગુલાબના છોડ નિષ્ફળ અંડકો ધરાવે છે.
  4. સંકરણ જાતોને કારણે અર્ધીકરણની ક્રિયા અસામાન્ય બને છે. પરિણામે જીવિત જન્યુઓનું નિર્માણ કરતા નથી.
  5. તે સ્વ-વંધ્યતા ધરાવે છે.
તેમાં પરાગનલિકાની વૃદ્ધિ માટે આંતરિક અંતરાય ધરાવે છે અને/અથવા ફલન માટે પણ આંતરિક અંતરાય પણ છે.


અલિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ લિંગી પ્રજનન દ્વારા સર્જાયંલ સંતતિંથી ભિન્ન કેવી રીતે હોય છે ?

Hide | Show

જવાબ : અલિંગી પદ્ધતિથી ઉત્પન્ન થયેલી સંતતિ એ એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે અને તેમાં કોઈ જનીનિક ભિન્નતા હોતી નથી. આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિંતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે. આવા બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે.

જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન

        એકકોષી સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. પ્રોટીસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ વિભાજન પામીને બે કોષો સર્જે છે. જે નવા સજીવ તરીકે વર્તે છે. આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની પ્રક્રિયા છે.

દ્વિભાજન

        ઘણા એકકોષી સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. ઉદાહરણ : અમીબા, પેરામિશિયમ

કલિકાસર્જન

        યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ (સજીવ કોષ) તરીકે પુખ્ત બને છે.

કોષ્ઠન અને બીજાણુ નિર્માણ

        પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન (encystation) કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા ફૂટપાદીય બીજાણુ (pseudopodiospores) સર્જે છે. કોષ્ઠની દીવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઇ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ (sporulation) કહે છે.

ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનન

        કૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે.

ચલબીજાણુઓ (znospores)

        ચલબીજાણુઓ સર્વસામાન્ય છે. તે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. બીજી, અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણીબીજાણુઓ(conidia) ઉદાહરણ : પેનિસિલિયમ, કલિકાઓ (buds) ઉદાહરણ : હાઈડ્રા અને અંત:કલિકાઓ (gemmules) : ઉદાહરણ વાદળી છે.


પુષ્પમાં પશ્વ ફલનમાં થતા ફેરફારો વર્ણવો.

Hide | Show

જવાબ : પુષ્પમાં ફલન બાદ નીચે પ્રમાણેના ફેરફારો થાય છે :

  1. ફલિતાંડ અંડકની અંદર બને છે અને ભ્રૂણમાં વિકાસ પામે છે.
  2. અંડક બીજમાં ફેરવાય છે.
  3. બીજાશયમાંથી ફળ બને છે.
બીજાશયની દીવાલ રક્ષણાત્મક ફલાવરણમાં ફેરવાય છે.


દ્વિલિંગી પુષ્પ એટલે શું? તમારા પડોશી પાસેથી પાંચ દ્વિલિંગી પુષ્પો એકઠાં કરો અને તમારા શિક્ષકની મદદથી તેમનાં સામાન્ય નામો અને વૈજ્ઞાનિક નામાં શોધો.

Hide | Show

જવાબ : જે પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો (પુંકેસર અને સ્ત્રીકેસર) એમ બંને આવેલા હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે.

  1. બારમાસી (કેથેરેન્થસ રોઝીયસ)
  2. ડુંગળી (એલિયમ સેપા)
  3. જાસુદ (હિબિસ્કસ રોઝાસાયનેન્સીસ)
  4. બટાટા (સેલેનમ ટ્યુબરોઝા)
ધતુરો (હલુરા ફેસ્ટુઓસા)


કોઇ પણ કુકુરબીટા છોડના થોડાંક પુષ્પોનું પરીક્ષણ કરો અને નર પુષ્પો તથા માદા પુષ્પોને ઓળખવાનો પ્રયત્ન કરો. શું તમને અન્ય કોઇ વનસ્પતિનાં એકલિંગી પુષ્પો જાણવા મળ્યા?

Hide | Show

જવાબ : કાકડી એ કુકુરબીટા વનસ્પતિઓનું સારું ઉદાહરણ છે. કાકડી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો જુદાં જુદાં હોય છે. માદા પુષ્પોમાં નાના બાળરૂપ જેવી રચના પુષ્પના તલ ભાગે દેખાય છે. જયારે નરપુષ્પ (પુંકેસર ધરાવતું પુષ્પ)માં આવી નાના ફળ જેવી રચના જોવા મળતી નથી. એકલિંગી પુષ્પનું બીજું ઉદાહરણ મકાઈનું પુષ્પ છે. મકાઈમાં નર પુષ્પ પ્રકાંડની ટોચે આવેલ છે. જ્યારે માદા પુષ્પ પ્રકાંડના નીચેના ભાગમાં આવેલ હોય છે.


વ્યાખ્યા આપો:

Hide | Show

જવાબ : (a) જુવેનાઇલ તબક્કો:

        દરેક સજીવમાં જાતીય પુખ્તતા પ્રાપ્ત કરતાં પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે. આ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહે છે. માણસમાં જુવેનાઇલ તબક્કો એ 12 થી 13 વર્ષની ઉમરે હોય છે.

(b) પ્રાજનંક તબક્કો:

        જ્યારે પ્રજનનતંત્ર પૂરતા પ્રમાણમાં નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરવા, સમાગમ કરવા અને પ્રજનન કરવા તૈયાર હોય છે તે તબક્કાને પ્રજનન તબક્કો કહે છે. કારણ કે મુખ્ય અંતઃસ્ત્રાવો આ તબક્કામાં ફેરફાર લાવે છે. માણસમાં પ્રજનન તબક્કો 12 થી 13 વષની ઉંમરે શરૂ થાય છે અને 55 થી 60 વર્ષ સુધી ચાલુ રહે છે.

(c) વૃદ્ધત્વ (જીર્ણતા)નો તબક્કો:

        પ્રજનન તબક્કા પછી અંતસ્રાવો નર અને માદા જનનકોષોના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આ તબક્કાને વૃદ્ધત્વનો તબક્કો કહે છે.


સપુષ્પ વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખો અને લખો કે તેઓ એકકીય (n)  છે કે દ્વિકીય (2n) :

Hide | Show

જવાબ :

અંડાશય...........

જ. દ્વિકીય

પરાગાશય............

જ. દ્વિકીય

અંડકાષ............

જ. એકકીય

પરાગરજ...........

જ. એકકીય

નરજન્યું................

જ. એકકીય

યુગ્મનજ........

જ. દ્વિકીય


જન્યુવહન એટલે શું? તેની આવશ્યકતા જણાવો.

Hide | Show

જવાબ : નર જન્યુઓનું માદા જન્યુ ત૨ફ વહન થવાની ક્રિયાને જન્યવહન કહે છે.

        જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમનાં સાનુકૂળ જોડાણ (ફલન) માટે ભૌતિક રીતે ભેગા થાય છે.મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદરૂપે, કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આથી, એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નરજન્યુનું વહન થાય. લીલ, દ્ધિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર પામે છે.

        મોટી સંખ્યામાં નરજન્યુઓ, માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.આવૃત બીજધારીઓમાં પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે.

વટાણા જેવી સ્વલિત દ્વિલિગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ (હિસદની વનસ્પતિઓ સહિત) પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે. જેને પરાગનયન (Pollination) કહે છે.

        પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને નર જન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરે છે. એકલિંગી પ્રાણીઓમાં જન્યવહન: કિસદની (એકલિંગી) પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યવહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવવામાં આવેલી હોય છે. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ (critical) ઘટના ‘ફલન’ માટે આવશ્યક છે.


પશ્ચફલન (Post fertilization) ધટનાઓ એટલે શું? તેના તબક્કા વર્ણવો.

Hide | Show

જવાબ : યુગ્મનજનું નિર્માણ અને ભૃણવિકાસની પ્રક્રિયા (ધૂાજનન) એ પથફલન ધટનાઓ છે. યુગ્મનજ (Zygote) લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિમણિ થવું એ સાર્વત્રિક (universal) ઘટના છે. બાહ્યફલન કરતા સજીવોમાં યુમનજનું નિર્માણ બાહ્ય માધ્યમ (પાણી) માં થાય છે. જયારે અંતઃફલન દશાવતા સજીવોમાં યુમ્નજનું નિમણિ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે.

        યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દીવાલ વિકસાવે છે. જે શુષ્કતા અને ઇજા (નુકસાન) સામે પ્રતિકાર કરે છે. તે અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી યુગ્મનજ પસાર થાય છે. 

        એકવિધ (haplentic) જીવનચક ધરાવતા સજીવોમાં અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે. જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે.

        ભ્રૂણજનન (Embryogenesis): ભૂણજનન એ યુગ્મનજમાંથી બ્રણના વિકાસની પ્રક્રિયા છે.ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષવિભાજન (સમભાજન) અને કોષવિભેદન પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ધૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. જયારે કોષવિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે.

અંડપ્રસવી પ્રાણીઓ: આ પ્રાણીઓમાં તેમના પુમ્નજનો વિકાસ માદા દેહની બહાર થાય તો તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. તેઓ ફલિત/અફલિત ઈંડાં મૂકશે. સરિસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે.

        અપત્યપ્રસવી પ્રાણીઓ : અપત્યપ્રસવી પ્રાણીઓ જેવાં કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે.

        યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવોમાં વધુ હોય છે.

        સપુષ્પી વનસ્પતિઓમાં યુગમનજ નો વિકાસ : સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. ફલન બાદ, પુષ્પના વજપત્રો, દલપત્રો અને પુંકેસરો ખરી પડે છે.

        યુગ્મનજનો વિકાસ ભૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં તથા બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. જેમાં જાડી દીવાલ વિકસે છે. જેને ફલાવરણ (pericarp) કહે છે. જે કાર્યાત્મિક રીતે રક્ષણાત્મક છે. વિકિરણ બાદ, બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે.


અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત દર્શાવો. એક કોષી સજીવો દ્વારા થતાં અલિંગી પ્રજનનના વિવિધ પ્રકારોનું વર્ણન કરો.

Hide | Show

જવાબ :

અલિંગી પ્રજનન

લિંગી પ્રજનન

1. તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી.

1. તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થાય છે.

2. તેમાં હંમંશાં એક પિતૃ સજીવની આવશ્યકતા હોય છે.

2. તેમાં સામાન્ય રીતે બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે.

3. પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા છે.

3. પ્રજનન એકમો જનનકોષ ધરાવે છે. જે તેમની પદ્ધતિ અનુસાર હોય છે.

4. સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે.

4. સંતતિ પિતૃ કરતાં ભિન્ન હોય છે.

 

        અલિંગી પ્રજનન સામાન્ય રીતે સુષ્ટિ મોનેરા; પ્રોટિસ્ટામાં તેમજ વનસ્પતિઓ અને કેટલાંક પ્રાણીઓ જેવાં એકકોષી સજીવોમાં જોવા મળે છે. તે નીચેના પ્રકારે જોવા મળે છે.

દ્વિભાજન:     

        આ પ્રકારના અલિંગી પ્રજનનમાં પિતૃ સજીવ બે ભાગમાં વિભાજિત થાય છે અને પ્રત્યેક અડધા ભાગ સ્વતંત્ર રીતે બે બાળ સજીવમાં નિર્માણ પામે છે. ઉદા. અમીબા, પેરામિશિયમ, યુગ્લિના.

કલિકાસર્જન:

        આ પ્રકારના અલિંગી પ્રજનનમાં પિતૃ શરીરમાંથી બહારની બાજુએ નાનો બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે. જેમાંથી બાળ પ્રાણી ઉત્પન્ન થાયછે. ઉદા, યીસ્ટ, હાઇડ્રા (જળવ્યાળ)

અવખંડન:

        આ પ્રકારના અલિંગી પ્રજનન માં પિતૃ શરીર બે અથવા વધુ ભાગમાં અવખંડિત થાય છે. પ્રત્યેક શરીરના દરેક ભાગ સજીવમાં વિકાસ પામે છે. ઉદા. વાદળી, સેલાજીનેલા.

અંતઃકલિકાઓ:

        આ પ્રકાર ના અલિંગી પ્રજનનમાં,અંતઃકલિકા જેને જેમ્યુલ્સ કહેવામાં આવે છે તે ભાગ લે છે. જેમ્યુલ્સ (અંતઃકલિકાઓ) અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ કોષ સમૂહો છે જે નવા સજીવની ઉત્પત્તિ કરવા માટે કાર્યક્ષમ હોય છે.

બીજાણુનિર્માણ:

        આ પ્રકારના અલિંગી પ્રજનનમાં, વિકિરણ પામે તેવાં બીજાણુઓ પિતૃ શરીરમાંથી મુક્ત થાય છે. આ બીજાણુઓમાંથી અનુકૂળ સ્થિતિમાં અંકુરણ પામતાં નવા સજીવો ઉત્પન્નથાય છે.

(a) ચલિત બીજાણુઓને ચલ બીજાણુઓ (ઝૂઓસ્પોર્સ) અને તે જલજ પ્રાણીઓમાં પ્રાપ્ત થાય છે. ઉદા. આલ્બ ગો, ક્લે મીમોનાસ.

(b) અચલિત બીજાણુ ઓને સ્ટોરેજીયોસ્પોર્ટ્સ કહે છે. ઉદા. રાઇઝોપસ, યુકર અને કણી બીજાણુઓ (કોનીડીયા) ઉદા, પેનિસિલિયમ.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સજીવોમાં પ્રજનન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.