GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

માનવોમાં માદામાં જનનકોષોના નિર્માણ માટે શું હોય છે?

Hide | Show

જવાબ : અંડકોષ


શુક્રપિંડો નો આકાર કેવો હોય છે?

Hide | Show

જવાબ : અંડાકાર


શુક્રપિંડોનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં કેટલું નીચું હોય છે ?

Hide | Show

જવાબ : 2-2.5 c


શુક્રપિંડો શેમાં આવેલા હોય છે?

Hide | Show

જવાબ : વૃષણ કોથળી


શુક્રપિંડ આશરે કેટલું પહોળું હોય છે?

Hide | Show

જવાબ : 2-3 સેમી


નર પ્રજનન તંત્રનું ક્યુ અંગ શુક્રપિંડ માટે જરૂરી નીચું તાપમાન જાળવવામાં મદદ કરે છે ?

Hide | Show

જવાબ : વૃષણ કોથળી


માનવોમાં નરમાં જનનકોષોના નિર્માણ માટે શું હોય છે?

Hide | Show

જવાબ : શુક્રકોષો


અંડકોષનું નિર્માણ સ્ત્રીઓમાં કઈ ઉંમરની આસપાસ સ્થગિત થી જાય છે ?

Hide | Show

જવાબ : 50 વર્ષ


શુક્રપિંડ આશરે કેટલું લાંબુ હોય છે?

Hide | Show

જવાબ : 4-5 સેમી.


નર પ્રજનન તંત્ર કયા પ્રદેશમાં સ્થાન પામેલ છે ?

Hide | Show

જવાબ : નિતંબ પ્રદેશ


કયા કોષો શુક્રપીન્ડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે?

Hide | Show

જવાબ : લેડિંગ કોષો


નરનું બાહ્ય જનનાંગ કયુ છે?

Hide | Show

જવાબ : શિશ્ન


દરેક અંડપિંડ આશરે કેટલું લાંબુ હોય છે ?

Hide | Show

જવાબ : 2-4 સેમી


દરેક શુક્રપિંડ આશરે કેટલાં ખંડો ધરાવે છે ?

Hide | Show

જવાબ : 250


અંડવાહિનીના પહોળા ભાગને શું કહે છે ?

Hide | Show

જવાબ : તુંબિકા


માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે ?

Hide | Show

જવાબ : નિતંબ પ્રદેશ


અંડવાહિની આશરે કેટલી લાંબી હોય છે?

Hide | Show

જવાબ : 10-12 સેમી


નર જનનકોષોને પોષણ કોણ પૂરું પાડે છે?

Hide | Show

જવાબ : સરટોલી કોષો


અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને શું કહે છે ?

Hide | Show

જવાબ : અંડવાહિની નિવાપ


અંડવાહીની નીવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવાર્ધો ધરાવે છે તેને શું કહે છે?

Hide | Show

જવાબ : ક્રીમ્બી


શુક્રકોષપ્રજનનની શરૂઆત યોવનારમ્ભની ઉંમરે ક્યા અંતઃ સ્ત્રાવના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે?

Hide | Show

જવાબ : ગોનેડોટ્રોપીંગ


સ્ખલિત થયેલાં શુક્રકોષોમાંથી ઓછામાં ઓછાં કેટલાં શુક્રકોષો શક્તિશાળી હલનચલન ધરાવતાં હોવા જોઈએ?

Hide | Show

જવાબ : 40%


દરેક આદિશુક્રકોષ કેટલાં રંગસૂત્રો ધરાવે છે?

Hide | Show

જવાબ : 46


ગર્ભાશયના બાહ્ય પાતળા સ્તરને શું કહે છે?

Hide | Show

જવાબ : પેરીમેટ્રિયમ


સ્ખલિત થયેલાં શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછાં કેટલાં સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ?

Hide | Show

જવાબ : 60%


અંડવાહિનીના સાંકડું પોલાણ ધરાવતાં અંતિમ ભાગને શું કહે છે?

Hide | Show

જવાબ : ઈથમસ


ગર્ભાશયનું ક્યુ સ્તર ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે?

Hide | Show

જવાબ : એન્ડ્રોમેટ્રિયમ


ગર્ભાશયનો આકાર કેવો હોય છે?

Hide | Show

જવાબ : ઊંધા નાસપતી જેવો


ગર્ભાશયનું ક્યુ સ્તર બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે ?

Hide | Show

જવાબ : માયોમેટ્રિયમ


મૈથુન દરમિયાન પુરુષ લગભગ કેટલાં શુક્રકોષોનું સ્ખલન કરે છે ?

Hide | Show

જવાબ : 200 થી 300 મીલીયન


માનવમાં ઋતુચક્ર બંધ થવાની ક્રિયાને શું કહે છે?

Hide | Show

જવાબ : મેનોપોઝ


શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણને શું કહે છે ?

Hide | Show

જવાબ : ફલન


માનવની માદામાં ઋતુસ્ત્રાવ સરેરાશ કેટલાં દિવસોના અંતરાલે થાય છે ?

Hide | Show

જવાબ : 28 - 29 દિવસ


સ્ત્રીમાં રંગસૂત્રોની ભાત કેવી હોય છે?

Hide | Show

જવાબ : XX


સંભોગ દરમિયાન શેનાં દ્વારા વીર્ય યોની માર્ગમાં ઠાલવવામાં આવે છે?

Hide | Show

જવાબ : શિશ્ર


પુરુષોમાં રંગસૂત્રોની ભાત કેવી હોય છે?

Hide | Show

જવાબ : XY


માનવમાં ઋતુસ્ત્રાવ કેટલી ઉંમરની આસપાસ બંધ થાય છે ?

Hide | Show

જવાબ : 50


યોવનારમ્ભમાં દરેક અંડપિંડમાં કેટલી અંડ પુટીકાઓ બાકી રહે છે ?

Hide | Show

જવાબ : 60000 થી 80000


ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બને છે તેને શું કહે છે ?

Hide | Show

જવાબ : જરાયુ


નર સહાયક નળીઓ અને ગ્રંથીઓના કાર્યોનું નિયમન શેનાં દ્વારા થાય છે ?

Hide | Show

જવાબ : એન્ડોજન્સ


મનુષ્યમાં ગર્ભાવસ્થા કેટલો સમય ચાલે છે ?

Hide | Show

જવાબ : નવ મહિના


ગર્ભાવસ્થાના અંત ભાગમાં ક્યા અંતઃ સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ?

Hide | Show

જવાબ : રિલેક્ષિન


8-16 ગર્ભકોસ્ઠી કોષોયુક્ત ગર્ભને શું કહે છે?

Hide | Show

જવાબ : મોરુલા


ગર્ભાવસ્થાના કેટલાં સમય બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે?

Hide | Show

જવાબ : એક મહિના બાદ


ગર્ભનું શરીર ક્યારે શુક્ષ્મ વાળથી ઘેરાય છે ?

Hide | Show

જવાબ : 24 અઠવાડિયા બાદ


ગર્ભાવસ્થામાં ક્યારે મોટાં ભાગનાં મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે ?

Hide | Show

જવાબ : 12 અઠવાડિયાના અંતે


ગર્ભનું પ્રથમ હલનચલન ક્યારે જોવા મળે છે?

Hide | Show

જવાબ : પાંચમાં મહિના દરમિયાન


ગર્ભાવસ્થામાં ક્યારે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે ?

Hide | Show

જવાબ : બીજા મહિનાના અંતે


શુક્રકોષના શુક્રાગ્રની પ્રક્રિયા કોને લીધે સર્જાય છે?

Hide | Show

જવાબ : અંડકોષના ઝોના પેલ્યુસીડા સાથે તે સંપર્કમાં આવવાથી.


કયું એક 23 રંગસૂત્રો ધરાવે છે?

Hide | Show

જવાબ : દ્વિતીય પૂર્વ અંડકોષ


કયો અંતઃસ્રાવ માનવ જરાયુ દ્વારા સ્રાવ પામતો નથી ?

Hide | Show

જવાબ : LH


મૂત્રમાર્ગમાં ખૂલતી અને શુક્રાશયમાંથી શુક્રવાહિનીને ગ્રહણ કરતી નલિકા કઈ છે ?

Hide | Show

જવાબ : સ્ખલન નલિકા


યુરેથ્રલ મીટસ કોના સંદર્ભમાં છે ?

Hide | Show

જવાબ : મૂત્રજનન વાહિનીનું બહાર ખૂલતું છિદ્ર


મોરુલા અવસ્થાનો વિકાસમય તબક્કો કયો છે ?

Hide | Show

જવાબ : ફલિતાંડ અને ગર્ભકોષ્ઠન વચ્ચેનો


અંડપતન સમયે અંડકોષનું પટલીય આવરણ કયું એક છે ?

Hide | Show

જવાબ : કોરોના રેડિએટા


દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાંક દિવસો દરમિયાન દૂધ- ઉત્પાદનને શું કહે છે ?

Hide | Show

જવાબ : કોલોસ્ટ્રોમ


ભ્રૂણ ને ઑક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો કોણ પૂરો પાડે છે ?

Hide | Show

જવાબ : જરાયુ


બાળકની જાતિનું નિશ્ચયન કોના દ્વારા થાય છે?

Hide | Show

જવાબ : પિતા દ્વારા


શુક્રકોષો ક્યાંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે?

Hide | Show

જવાબ : શુક્રોત્પાદકનલિકાઓ


તંદુરસ્ત સ્ત્રીના અંડપિંડમાં સામાન્ય રીતે પુખ્ત ગ્રાફિયન પુટિકા લગભગ કયા સમયે જોવા મળે છે?

Hide | Show

જવાબ : માસિકચક્રના 11 - 17 દિવસે


માનવ.....................પ્રજનન દર્શાવે છે. (અલિંગી / લિંગી)

Hide | Show

જવાબ : લિંગી


માનવ...............છે. (અંડપ્રસવી, અપત્યપ્રસવી, અપત્ય અંડપ્રસવી)

Hide | Show

જવાબ : અપત્યપ્રસવી


માનવમાં....................ફલન જોવા મળે છે. (બાહ્ય, અંતઃ)

Hide | Show

જવાબ : અંત:


નર અને માદા જનનકોષો......................હોય છે. (દ્વિકીય, એકકીય)

Hide | Show

જવાબ : એકકીય


ફલિતાંડ એ..................હોય છે. (દ્વિકીય, એકકીય)

Hide | Show

જવાબ : દ્વિકીય


પરિપક્વ પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને................કહે છે.

Hide | Show

જવાબ : અંડકોષપાત


અંડપાતને પ્રેરતા અંતઃસ્ત્રાવને......................કહે છે.

Hide | Show

જવાબ : LH


નર અને માદા જનનકોષના જોડાણને કહે છે.

Hide | Show

જવાબ : ફલન


ફલન.....................માં થાય છે.

Hide | Show

જવાબ : ઈથમસ અને તુંબિકીના જોડાણસ્થાન


ફલિતાંડના વિભાજન દ્વારા નિર્મિત.............કે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.

Hide | Show

જવાબ : મોરુલા


ગર્ભ અને ગર્ભાશય વચ્ચેના વેસ્ક્યુલર સંકોચન પેદા કરતી રચનાને....................કહે છે.

Hide | Show

જવાબ : જરાયુ


નર પ્રજનનતંત્રની નામનિર્દશનવાળી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


માદા પ્રજનનતંત્રની નામનિર્દશનવાળી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


શુક્રપિંડ અને અંડપિંડ દરેકનાં મુખ્ય બે કાર્યો લખો.

Hide | Show

જવાબ : શુક્રપિંડનાં કાર્યો: શુક્ર્કોષોનું નિર્માણ કરવું અને ટેસ્ટોસ્ટેરોન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ અંડપિંડનાં કાર્યો: અંડકોષનું નિર્માણ કરવું અને ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનું નિર્માણ કરવું.


શુક્રઉત્પાદક નલિકાની રચના વર્ણવો.

Hide | Show

જવાબ :


શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્રાવોનાં નામ આપો.

Hide | Show

જવાબ : શુક્રકોષજનનના નિયમન સાથે GnRH (ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંત:સ્ત્રાવ), FSH – LH ટેસ્ટોસ્ટેરોન વગેરે સંકળાયેલા અંતઃસ્રાવો છે.


શુક્રકાયાન્તરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : શુક્રકાયાન્તરણ: પ્રશુક્રકોષોની શુક્રકોષોમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાન્તરણ કહે છે. સ્પર્મિએશન: શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન કહે છે.


શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


શુક્રાશય રસનાં મુખ્ય ઘટકો કયાં છે?

Hide | Show

જવાબ : શુક્રાશય રસનાં મુખ્ય ઘટકોમાં ફુક્ટોઝ, કૅલ્શિયમ અને કેટલાંક ઉત્સેચકો હોય છે.


અંડપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દશનવાળી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ :


કોર્પસ લ્યુટિયમ

Hide | Show

જવાબ : તે પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જે પ્રસૂતિની જાળવણી માટે જરૂરી છે.


એન્ડોમેટ્રિયમ

Hide | Show

જવાબ : તે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે, જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો કરે છે અને ગર્ભકોષ્ઠના સ્થાપન માટે તેને તૈયાર કરે છે.


શુક્રાગ્ર

Hide | Show

જવાબ : શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરવા હાઈડ્રોલાયટિક ઉત્સેચક ધરાવે છે.


શુક્રકોષ પૂંછડી

Hide | Show

જવાબ : તે શુક્રકોષના પ્રચલનમાં મદદ કરે છે.


ફિમ્બ્રી

Hide | Show

જવાબ : અંડપિંડની નજદીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાધ કહે છે. અંડવાહિની નિવાધની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો છે જેને ફિમ્બ્રી કહે છે.


સરટોલી કોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરે છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : ખોટું. સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.


શુક્રકોષ સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : સાચું


લેડિંગ કોષો અંડપિંડમાં મળી આવે છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : ખોટું. લેડિગકોષો શુક્રપિંડમાં મળી આવે છે.


લેડિગ કોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : સાચું


અંડકોષજનન કોર્પસ લ્યુટિયમમાં થાય છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : ખોટું. અંડકોષજનન અંડપિંડમાં થાય છે.


ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : સાચું


યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનું આધારભૂત સૂચક નથી. (સાચું / ખોટું)

Hide | Show

જવાબ : સાચું


માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો (ઈડાં) મુક્ત થાય છે? તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન (જોડિયાં) (identical twins) બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે ? જો જોડિયાં બાળકો ભ્રાતૃ (ભાઈ ભાઈ જેવું) હોય, તો તમારા જવાબમાં ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : માદાનાં અંડપિંડમાંથી પ્રત્યેક માસે એક અંડકોષ ઉત્પન્ન થાય છે. સમાન જોડીયાં બાળકોમાં બે અંડકોષ મુક્ત થાય છે અને ફલન પામે છે.


તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ 6 બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય?

Hide | Show

જવાબ : 6 અંડકોષ


આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?

Hide | Show

જવાબ : સ્ત્રી (માનવની માદા)માં રંગસૂત્રની ભાત (રૂઢિગત પદ્ધતિ) XX અને તે જ રીતે નર (પુરુષ)માં XY હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો (અંડકોષો) X લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગી રંગસૂત્ર X કે Y ધરાવે છે.         આથી, 50 % શુક્રકોષો X-રંગસૂત્રો ધરાવે છે, જ્યારે બાકીના 50 % Y ધરાવે છે. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ XX કે XY રંગસૂત્રો ધરાવે છે. જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે.         ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર શિશુમાં વિકસે છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહિ કે માતા દ્વારા.


નર સહાયક નલિકાઓ અને ગ્રંથિઓનાં મુખ્ય કાર્યો જણાવો.

Hide | Show

જવાબ : નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ(retetestis), શુક્રવાહિકાઓ(vasaefferentia), અધિવૃષણ નલિકા(epididymis) અને શુક્રવાહિની(vas deferens)નો સમાવેશ થાય છે. શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખૂલે છે. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્વ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ(loops) બનાવે છે. તેની સાથે શુક્રાશય(seminal vesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ(urethra)માં સ્ખલનનલિકા તરીકે ખૂલે છે. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્રારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્દભવે છે અને શિશ્ન દ્રારાઆગળવધી મૂત્રમાર્ગ મુખ(urethral meatus)થી ઓળખાતા છિદ્ર દ્રારા બહાર ખૂલે છે.


અંડકોષજનન એટલે શું ? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.

Hide | Show

જવાબ : પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન કહે છે.


શુક્રકોષજનનની પ્રક્રિયા આકૃતિસહ વર્ણવો.

Hide | Show

જવાબ : શુક્રપિંડમાં અપરિપક્વ નરજનનકોષો (આદિશુક્રકોષો) એ શુક્રકોષજનન(spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનના આરંભ (puberty) થી શરૂ થાય છે.

શુક્રકોષજનનની પ્રક્રિયા એ સળંગ પ્રક્રિયા છે. તે મુખ્ય બે તબક્કામાં જોવા મળે છે:

(i) પ્રશુક્રકોષનું નિર્માણ અને (ii) શુક્રકાયાન્તરણ.

(i) પ્રશુક્રકોષનું નિર્માણ:

        જે નરજનનકોષો (આદિશુક્રકોષો) શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે પ્રાથમિક જનનકોષ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક જનનકોષો શુક્રકોષોના નિર્માણ માટે નીચેના ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે.

(a) ગુણન તબક્કો: આદિ શુક્રકોષો, શુક્રોત્પાદક નલિકાઓ ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે.

(b) વૃદ્ધિ તબક્કો: આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુકકોષો પ્રાથમિક પૂર્વશુક્રકોષ તરીકે ઓળખાય છે. જે પોષણ આપતા સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે.

(c) પરિપક્વ તબક્કો: પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષ સમયાંતરે પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી. બે સમાન એક્કીય કોષોનું નિર્માણ કરે છે. જેને દ્વિતીય કે પૂર્વ શુક્રકોષો કહે છે જે ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એક્કીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે.

(ii) શુક્રકાયાંતરણ: પ્રશુકકોષોનું શુક્રકોષોમાં (spermatozoa) રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાંતરણ(spermiogenesis) કહે છે. શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયા શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (spermiation) કહે છે.


અંડકોષજનન દરમિયાનનું અર્ધીકરણ, શુક્રકોષજનત કરતાં જુદાં પ્રકારનું છે. કેવી રીતે અને શા માટે?

Hide | Show

જવાબ :

અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકાર હોય છે.

શુક્રકોષજનન

અંડકોષજનન

(1) શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે.

(1) આદિ અંડકોષો જન્મ પહેલાં બને છે.

(2) એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે.

(2) પ્રત્યેક મહિને, એક જ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે.

(3) બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે.

(3) પ્રોફેઝ -1 દરમિયાન અર્ધીકરણ-રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે.

(4) તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે.

(4) પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે.

કારણો:

  1. અસમાન કોષવિભાજન દ્વારા અંડકોષને બાકીના ત્રણ ધ્રુવકાયો કરતાં ઘણો મોટો બનાવે છે. કારણ કે અંડકોષમાં ઘણો કોષરસ અને ઘણી અંગિકાઓ હોય છે. તેને બચવા માટેની ઘણી તકો હોય છે.
  2. નર લાખોની સંખ્યામાં નાના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદા ફક્ત એક જ અંડકોષ પ્રત્યેક મહિનામાં ઉત્પન્ન કરે છે અને તે બીજા અર્ધીકરણના વિભાજન માટે ફલન પૂર્વેના થોડા સમય માટે રાહ જુએ છે. શક્તિ બચાવવા માટેનો એક પ્રકાર છે.
શુક્રકોષ નાનો અને ચલિત છે. કારણ કે તેને નર પ્રજનનતંત્રમાંથી માદા પ્રજનનતંત્ર તરફ જવાનું હોય છે. મોટા અંડકોષમાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક હોય છે. આથી ફલન પછી તુરત જ વિકાસ પામે છે.

 


ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો.

Hide | Show

જવાબ :

ફલિતાંડ જયારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે (ઉપરની આકૃતિ) અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહે છે.

        8-16 ગર્ભકોષ્ઠી કોષાયુક્ત ગર્ભને મોરુલા(morula) કહે છે (ઉપરની આકૃતિ(e)). મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળી(blastocyst) માં રૂપાંતરિત થાય છે (ઉપરની આકૃતિ(g)).

        ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો (trophoblasts) કહેવાય છે અને પોષક કોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષ સમૂહ કહેવાય છે. આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે.

        ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે. ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉન્સેચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.

        ગર્ભાશય કોષો (uterine cells) ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે (ઉપરની આકૃતિ(h)) જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.


યોગ્ય નામ-નિર્દેશનવાળી આકૃતિ આપી સ્તનગ્રંથીનું બંધારણ વર્ણવો.

Hide | Show

જવાબ :

સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પેક્ટોરાલીસ મેજર મસલ્સ ની ઉપર પથરાયેલી છે. ક્રિયાશીલ સ્તનગ્રંથિ (સ્તન) એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે.

        સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી(fat) ધરાવતી જોડમાં આવેલ રચના છે. બાહ્યાકાર દ્રષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે.

        કૂપિકાના કોષો દ્વારા અવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહા) માં સંગ્રહ પામે છે. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે. દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તનવાહિની બનાવે છે. ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે જે દુધવાહિની (lactiferous duct) સાથે જોડાયેલ હોય છે, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે.


સ્તનગ્રંથિની રચના વિશે નોંધ લખો.

Hide | Show

જવાબ : સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પેક્ટોરાલીસ મેજર મસલ્સ ની ઉપર પથરાયેલી છે. ક્રિયાશીલ રતનગ્રંથિ (સ્તન) એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે. તે જોડમાં આવેલ રચના છે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે.

        બાહ્યાકાર દ્રષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી. 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે.

        કૂપિકાના કોષો દ્વારા અવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહ) માં સંગ્રહ પામે છે. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે. પ્રત્યેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન નળી બનાવે છે. ઘણી સ્તનનળીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે. જે દુધનળી સાથે જો ડાયેલ હોય છે. જેના દ્વારા દૂધ બહાર આવે છે.


અંડકોષજનનની પ્રક્રિયા વણવો.

Hide | Show

જવાબ : પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (oogenesis) કહે છે. અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (oogonia - આદિપૂર્વ અંડકોષ) નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા -1 માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ (primary oocytes) કહે છે.

        દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યાર બાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા (primary follicle) કહે છે. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક અંડ પુટિકાઓ બાકી રહે છે.

        પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ) થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.

        દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે.

        હવે તૃતીય, પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે, પરિણામે મોટા કદનું એક દ્વિતીયક પૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે.

        દ્વિતીયક પૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. તૃતીયક પુટિકા હવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા માં ફેરવાય છે. દ્વિતીયક પૂર્વઅંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પૅલ્યુસિડા કહે છે. ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહે છે.


ઋતુચક કોને કહે છે? તેના તબક્કા વર્ણવો.

Hide | Show

જવાબ : માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ) માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્ત્રાવ (રજોધર્મ)ની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche)  કહે છે. માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રિય ઘટનાને ઋતુચક્ર કહે છે.

દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત-ovulation). ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. ઋતુચક્રની અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.

        આ ચક્રની ધટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય:

        ઋતુસ્ત્રાવ તબક્કો (દિવસ 1-5): રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિધટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે તે 3-5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 ml થી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે. કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.

        પુટિકીય તબક્કો (દિવસ 6-14 ): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથેસાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.

        ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH) નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશ: વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાન (વચ્ચેના) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટ્ટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત).

        લ્યુટિઅલ સ્રાવી તબક્કો (દિવસ 15 થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો-ovulatory phase) બાદ સ્ત્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંત: સ્તરની જાળવણી માટે આવશ્યક છે.

        ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી.

        જો ફલન (fertilisation) ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.


ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.

Hide | Show

જવાબ : ફલિતાંડ જયારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહે છે. 8-16 ગર્ભકોષ્ઠી કોષાયુક્ત ગર્ભને મોરુલા કહે છે.

        મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોષ્ઠી કોથળી માં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠી કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો કહેવાય છે અને પોષકકોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષસમૂહ કહે છે.

        આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે. ગર્ભકોષ્ઠી કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે. ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉન્સેચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.

        ગર્ભાશયકોષો ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠી કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભ કોઇ કોથળીગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે જેને ગર્ભ સ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.


પ્રસૂતિ એટલે શું? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.

Hide | Show

જવાબ : મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે, જેને ગર્ભાધાન-સમય (ગર્ભાવધિકાળ-gestation period) કહે છે. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશય શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરાય છે જેને કારણે ગર્ભનો બહાર નિકાલ(expulsion)/પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા (બાળજન્મ)ને પ્રસૂતિ કહે છે.

        જટિલ ચેતાઅંત:સ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે અને જરાય હળવા ગર્ભાશયના સંકોચન પ્રેરે છે. જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetal ejection reflex)કહે છે. આ પ્રક્રિયા માતાની પિટચ્યુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે.

        ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે. ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે. આ બાળકને જન્મનળી દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે- પ્રસૂતિ. બાળજન્મ બાદ તરત જ જરાય પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.


ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિટયુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા જનનપિંડોના સાવ કેવો ભાગ ભજવે છે?

Hide | Show

જવાબ : માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ) માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્ત્રાવ (રજોધર્મ)ની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche)  કહે છે. માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રિય ઘટનાને ઋતુચક્ર કહે છે.

        દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત-ovulation). ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. ઋતુચક્રની અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે. રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.

        આ ચક્રની ધટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય:

        ઋતુસ્ત્રાવ તબક્કો (દિવસ 1-5): રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિધટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે તે 3-5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 ml થી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે. કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.

        પુટિકીય તબક્કો (દિવસ 6-14 ): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથેસાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.

        ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH) નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશ: વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાન (વચ્ચેના) સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટ્ટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત).

        લ્યુટિઅલ સ્રાવી તબક્કો (દિવસ 15 થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો-ovulatory phase) બાદ સ્ત્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંત: સ્તરની જાળવણી માટે આવશ્યક છે.

        ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી.

        જો ફલન (fertilisation) ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ) વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

માનવ પ્રજનન

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.