GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે વાયુ રૂપ તટસ્થ પ્રમાણમાં (X) એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતાં એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી  ( ∆egH )કહે છે.


આયનીકરણ એન્થાલ્પી વડે શું દર્શાવાય છે?

Hide | Show

જવાબ : તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય છે.


પરમાણુ  ધનઆયન અને ઋણઆયન ક્યારે બને છે?

Hide | Show

જવાબ : પરમાણુ ઈલેકટ્રોન ગુમાવીને ઘન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે.


સમ ઇલેક્ટ્રોનિય  સ્પીસિઝ એટલે શું? તે સમજાવો.

Hide | Show

જવાબ : કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની  સંખ્યા સમાન જોવા મળે છે. જેને ઇલેક્ટ્રોનીય સ્પીસિઝ તરીકે ઓળખવામાં આવે છે.


ઇલેક્ટ્રોનિય રચના એટલે શું?

Hide | Show

જવાબ : પરમાણુમાં ઈલેકટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોનીય રચના કહે છે.


આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17 માં સમૂહના આવેલા તત્વોના પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ : n=૩ છે. તથા સમૂહ 17 ના આવેલા તત્વની ઈલેક્ટ્રોન રચના = 1s2  2s2  2p6 ૩s2 ૩p5 થાય છે માટે આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક 17 છે.


આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z = 114ધરાવતા તત્વનું આવર્ત કોષ્ટકમાં ક્યાં સ્થાન હશે તે જણાવો.

Hide | Show

જવાબ : પરમાણુ ક્રમાંક (Z) = 114ધરાવતા તત્વની ઈલેક્ટ્રોન રચના (Rn) 5f14 6d10 7s2 7p2  હોય છે. આમાં છેલ્લો ઈલેક્ટ્રોન P- કક્ષકમાં દાખલ થાય છે.વધુમાં મુખ્ય ક્વોન્ટમ આંક (n) 7 છે માટે તે તત્વ સાતમાં આવર્તનું P વિભાગનું તત્વ છે. માટે તેની બહારની કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ સંખ્યા = 10+2+2 =14 થાય છે.માટે તે 14 માં સમૂહનું હોઈ શકે છે.


આવર્ત કોષ્ટકના છટ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ તે ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો.

Hide | Show

જવાબ :

  • ઈલેક્ટ્રોન હંમેશા શક્તિના ચઢતા ક્રમ પ્રમાણે ગોઠવાય છે જે આઉફબાઉના સિદ્ધાંતમાં સમજાવ્યું છે.
  • તેથી છઠા આવર્તમાં ઈલેક્ટ્રોન 6s, 4f , 5d, અને 6p કક્ષકોમાં ગોઠવી શકાય છે.
  • તે કક્ષકોની ગતિનો ક્રમ આ પ્રમાણે છે. 6s <  4f < 5d < 6p
  • અને ઈલેક્ટ્રોનની કુલ સંખ્યા 6s2 +  4f14 + 5d10 < 6p6 = 32 થાય.


આધુનિક આવર્ત નિયમ અને મેન્ડેલીફના આવર્ત નિયમમાં શો તફાવત છે તે સમજાવો.

Hide | Show

જવાબ : આધુનિક આવર્ત નિયમ એ તત્વના પરમાણ્વીય ક્રમાંક (Z) પર રચાયેલો છે.જયારે મેન્ડેલીફનો આવર્ત નિયમ તત્વના પરમાણ્વીય ભાર (A) પર રચાયેલો છે.


મેન્ડેલીફે કયા મહત્વપૂર્ણ ગુણધર્મને આધારે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું? શું તે તેને દ્રઢતાપૂર્વક પકડ રાખી શક્યો હતો?

Hide | Show

જવાબ : પોતાના સમય દરમિયાન સંશોધિત તત્વોના પરમાણ્વીય દળના આધારે મેન્ડેલીફે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું હતું.પરંતુ મેન્ડેલીફ તેના આ વલણને મક્કમતાથી જાળવી શક્યો ન હતો. તેમણે એવું વિચારેલું કે જો માપેલ પરમાણ્વીય દળ તત્વને આવર્ત કોષ્ટકમાં ખોટા સ્થાનમાં મુકાતુ હોય તો તે પરમાણ્વીય દળ ખોટું હોવું જોઈએ.
 


આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો મુખ્ય આધાર શું છે?

Hide | Show

જવાબ : અસંખ્ય સંયોજનો અને તેના તત્વો રસાયણિક તથા ભૌતિક ગુણધર્મોની સામ્યતા અને સરળતાના આધારે તત્વોનું વર્ગીકરણ થયું હતું. આ ગોઠવણી તત્વોના પરમાણ્વીય ક્રમાંક (Z) આધારિત કરવામાં આવી છે.


પાણીમાં સંગ્રહિત થાય તેવું તત્વ જણાવો.

Hide | Show

જવાબ : ફોસ્ફરસ પાણીમાં સંગ્રહ થાય તેવું તત્વ છે.


પ્રવાહીરૂપ અધાતુંનું નામ લખો.

Hide | Show

જવાબ : Br પ્રવાહીરૂપ અધાતુ છે.


સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ અને સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતું તત્વ જણાવો.

Hide | Show

જવાબ : સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ Cs છે જયારે  સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતું તત્વ F હોય છે.


સૌથી મોટું કદ ધરાવતું તત્વ અને સૌથી ઓછું કદ ધરાવતું તાત્વ જાણવો.

Hide | Show

જવાબ : સૌથી મોટું કદ ધરાવતું તત્વ Cs હોય છે જયારે સૌથી ઓછું કદ ધરાવતું તત્વ H હોય છે.


અષ્ટકનો નિયમ ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : પરમાણ્વિય ભારના ચડતા ક્રમમાં જે તત્વોને ગોઠવીએ તો ગમે તે તત્વ તેમનાથી આઠમા ક્રમે આવેલા તત્વ  જેવી વર્તણૂક ધરાવતો હોય છે.


ડોબરેનરનો તત્વની ત્રિપુટીનો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : તત્વોની ત્રિપુટીઓ જે રાસાયણિક રીતે સમાન ગુણધર્મો ધરાવે છે તે તત્વોને તેમના પરમાણ્વિય ભાર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણ્વિય ભાર પહેલા અને ત્રીજા તત્વના પરમાણ્વિય ભાર ના સરેરાશ ભાર જેટલું સમાન થાય છે.


આવર્તનો નિયમ ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ : તત્વોના પોતાના પરમાણ્વિય ભાર મુજબના આવર્તનીય વિધેયો હોય છે


એક સમૂહમાં આવેલા તત્વો શા માટે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય છે?

Hide | Show

જવાબ : એક સમૂહમાં આવેલા તત્વો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે કારણકે તેવા તત્વો બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોય છે.


તત્વોના વર્ગીકરણના ચાર વિભાગોની ટૂંકમાં સમજ આપો.

Hide | Show

જવાબ : તત્વના પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તે કઈ કક્ષકમાં દાખલ થાય છે તે મુજબનું તેનું ચાર વિભાગમાં વર્ગીકરણ કરાય છે. 1) s વિભાગમાં અને P વિભાગ પૈકીના તત્વો પ્રતિનિધિ તત્વો તરીકે અથવા મુખ્ય સમૂહ તત્વો તરીકે ઓળખાય છે. 2) d વિભાગ તત્વો સંક્રાંતિ તત્વો તરીકે અને f વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વ તરીકે ઓળખાય છે. 3) આવર્ત કોષ્ટકની નીચે f વિભાગને બે આડી લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે જે પૈકી દરેક હરોળમાં 14 તત્વો રહેલા હોય છે. 4) ધાતુ તત્વો જેવી કે, s, d અને f વિભાગ છે અને p વિભાગમાં ધાતુ, અર્ધધાતુ  અને અધાતુ જેવા તત્વોનો સમાવેશ કરાય છે


સમૂહ 16 અને સમૂહ 17 કયા નામે ઓળખાય છે?

Hide | Show

જવાબ : સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ અને સમૂહ 17 ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે.


s અને p વિભાગના તત્વોના નામ જણાવો

Hide | Show

જવાબ :  s અને p વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વ તરીકે ઓળખવામાં આવે છે.


પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા અને તેની વર્તણુંકની સમજ આપો.

Hide | Show

જવાબ : દ્વિપરમાણુક અણુ  જે સહસંયોજક છે તેમના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને પરમાણ્વિય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે તે નીચે પ્રમાણે વધે અને ઘટે છે. ઉપરથી નીચેની તરફ જતા દરેક સમૂહમાં પરમાણ્વિય ત્રિજ્યા વધતી જોવા મળે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા દરેક આવર્તમા પરમાણ્વિય ત્રિજ્યા ઘટતી જોવા મળે છે. જ્યારે અસરકારક વીજભાર વધતો હોય ત્યારે આયનીય ત્રિજ્યા ઘટતી જોવા મળે ઉદાહરણ તરીકે Mg > Al > Mg2+ > Al૩+


આયનીકરણ એન્થાલ્પી અને તેના મૂલ્યની સમજ આપો.

Hide | Show

જવાબ : મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ (X) જે ધરાવસ્થામાં હોય છે તેમાંથી એક ઈલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઉપયોગી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કેહેવામાં આવે છે.તેનું મુલ્ય નીચે મુજબ વધે અને ઘટે છે.

  • ઉપરથી નીચેની બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મુલ્ય ઘટે છે.
  • ડાબી બાજુથી જમણી બાજુ તરાફ જતા દરેક આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મુલ્ય વધતું જોવા મળે છે.
  • આયનીકરણની પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રીયા માનવામાં આવે છે.
  • આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ બીજા આવર્તના તત્વો પૈકી નીચે મુજબ છે.

Li < B < Be < C < O < N < F < Ne મુજબ હોય છે.


સૌથી હલકી ધાતુ અને પ્રવાહીરૂપ તત્વોના નામ આપો.

Hide | Show

જવાબ : સૌથી હલકી ધાતુ Li છે જયારે પ્રવાહીરૂપ તત્વોમાં Br, Hg, Ga, Cs, Fr, Uub વગેરે હોય છે.


કયા તત્વનું નામ નીચે જણાવેલા જૂથ દ્વારા આપવામાં આવ્યું છે.

  1. લોરેન્સ બર્કલે લેબોરેટરી
  2. સીબોર્ગ જૂથ
Hide | Show

જવાબ : લોરેન્સ બર્કલે લેબોરેટરી દ્વારા લોરેન્સિયસ (Z = 103: Lr) અને સીબોર્ગ જૂથ મારફતે સીબોર્ગીયમ (Z = 106) : Sg અપાયું છે.


એક જ સમુહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે?

Hide | Show

જવાબ : બહ્યત્તમ કક્ષાની ઈલેક્ટ્રોનીય  રચાના એક સમાન હોય તેવા એક જ સમૂહમાં રહેલા ભૌતિક અને રસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે.


આયનીય ત્રિજ્યા તથા પરમાણ્વીય ત્રિજ્યા વિશે સમાજ આપો.

Hide | Show

જવાબ : ઋણ કે ધન આયાનમાં કેન્દ્રથી છેલ્લા ઈલેક્ટ્રોન સુધીના અંતરને આયનીય ત્રિજ્યા કહેવાય છે અને પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષામાં ઈલેક્ટ્રોન હોવાની શક્યતા સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. ધન આયનની ત્રિજ્યા < પરમાણ્વીય ત્રિજ્યા < ઋણ આયનની ત્રિજ્યા હોય છે.


ધાતુઓ અને અધાતુઓ વચ્ચે મુખ્ય તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : ધાતુઓ અને અધાતુઓ વચ્ચે મુખ્ય તફાવત વિદ્યુત ઋણતાનો હોય છે.જેમાં ધાતુ તાવોની વિદ્યુત ઋણતા ઓછી હોય છે જયારે અધાતુ તત્વોની વિદ્યુત ઋણતા વધારે જોવા મળે છે.


બહ્યતમ પેટાકોશમાં પાંચ ઈલેક્ટ્રોન મળે તેવા તત્વનું નામ બતાવો.

Hide | Show

જવાબ : હેલોજન સમૂહ પૈકી F, CI, Br, I, At તત્વમાં બહ્યતમ પેટાકોશમાં પાંચ ઈલેક્ટ્રોન મળે છે.


એવા તત્વનું નામ લખો જે બે ઈલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે.

Hide | Show

જવાબ : આલ્કાઈન અર્ધધાતુ તત્વો જેવાકે Mg, Ca, Sr, Ba તત્વો બે ઈલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે.


એવા તત્વનું નામ લખો જે બેઈલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા હોય છે.

Hide | Show

જવાબ : ઓક્સિજન (O), સલ્ફર (S), સેલેનીયમ (Se), જેવા ચાલ્કોજન સમૂહ બે ઈલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા હોય છે.


નીચે બતાવેલા તત્વોની જોડીઓના જોડાણથી બનેલા દ્વિઅંગી સંયોજનોના સૂત્ર લખો.

Hide | Show

જવાબ :

  1. લિથિયમ અને ઓક્સિજન = Li2O
  2. મેગ્નેશિયમ અને નાઈટ્રોજન = MgN2
  3. એલ્યુમિનિયમ અને આયોડિન = All
  4. સિલિકોન અને ઓક્સિજન = SiO2
  5. ફોસ્ફરસ અને ક્લોરીન = PF કે PF5 પણ છે.
  6. 71 મું તત્વ અને ફ્લોરીન LuF


આધુનિક આવર્ત કોષ્ટક પૈકી આવર્ત કેવા મુલ્ય અંગે જણાવે છે.

Hide | Show

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, મુખ્ય ક્વોન્ટમ આંક, અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જેવા મુલ્યો તરફ સુચન કરે છે.


s, p, d, f વિભાગના તત્વોની બહ્યત્તમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના સમજાવો.

Hide | Show

જવાબ : s = ns1 અથવા ns2 (n = 2 થી 7) p = ns2 np1  થી ns2 np6    (n = 2 થી 6) d = (n -1) d1-10   ns0-2     (n = 4 થી 7) f =  (n -2) f0-14   (n -1) d0-1      ns2        (n = 6 થી 7) આ પ્રમાણેની તત્વોની બહ્યત્તમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થાય છે.


મેન્ડેલીફે રજૂ કરેલો આવર્ત નિયમ લખો.

Hide | Show

જવાબ : “ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે.” આ પ્રમાણેનો નિયમ મેન્ડેલીફે રજૂ કર્યો.


ન્યૂલેન્ડ તેના સમયમાં શોધાયેલા કેટલા તત્વોનું વર્ગીકરણ કરી શક્યા હતા?

Hide | Show

જવાબ : ન્યૂલેન્ડ દ્વારા તેમના સમયે સશોધિત થયેલા લગભગ 16 તત્વોનું વર્ગીકરણ થયું હતું.


યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડમાંથી કેવા પ્રકારના તત્વો મળી આવ્યા હતા?

Hide | Show

જવાબ : યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડમાંથી એક્ટિનિયમ, પ્રોટેકિટનીયમ, પ્લુટોનિયમ અને નેપ્ચ્યુનિયમ જેવા તત્વો મળી આવ્યા હતા.


આવર્ત તથા સમૂહની સમજ આપો.

Hide | Show

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે તત્વોની ગોઠવણી દરમિયાન જે આડી હરોળ હોય તેને આવર્ત અને ઉભી હરોળને સમૂહ કહેવાય છે.


આવર્ત કોષ્ટકના આવર્ત જણાવો આવર્તક્રમની સમજ આપો.

Hide | Show

જવાબ : કુલ સાત આવર્તને આવર્ત કોષ્ટકમાં સમાવ્યા છે. આવર્તક્રમ એટલે આવર્ત પૈકીના તત્વોનો મુખ્ય ક્વોન્ટમ આંક (n) દર્શાવવો તેને કહે છે.


સમૂહ 14 પૈકીના અંતિમ તત્વનું નામ લખો અને તેનો પરમાણ્વીય ક્રમાંક અને સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ : ફ્લેરોવિયમ સમૂહ 14 ના અંતિમ તત્વનું નામ છે.અને તેનો પરમાણ્વીય ક્રમાંક 114 છે તથા F1 તેની સંજ્ઞા છે.


સંક્રાંતિ અને આંતરસંક્રાંતિ વચ્ચેની મુદ્દાસર સમાજ આપો.

Hide | Show

જવાબ : જે તત્વોમાં ઈલેક્ટ્રોન d – કક્ષક પ્રવેશ કરે તેવા તત્વો સંક્રાંતિ તત્વો કહેવાય છે. જયારે જે તત્વોમાં ઈલેક્ટ્રોન f – કક્ષકમાં પ્રવેશ કરે તેવા તત્વો આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે.


આવર્ત 7 સુધીના દરેક આવર્તના પ્રથમ તત્વોની સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ : આવર્ત 1 = 1H, 2 = Li, ૩ = 11Na, 4 = 19k, 5 = 37Rb, 6 = 55Cs અને 7 = 87Fr પ્રમાણે દરેક આવર્તના પ્રથમ તત્વોની સંખ્યા છે.


યુરેનિયમ પછીના તત્વનું નામ લખો.  

Hide | Show

જવાબ : યુરેનિયમ પછીના તત્વોને અનુયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.


ધાત્વીય લક્ષણો પૈકીના કેવા ફેરફારો આવર્ત સમૂહમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : ડાબી બાજુ થી જમણી બાજુ તરફ જતા ધાત્વીય  લક્ષણમાં ઘટાડો જોવા મળે છે અને ઉપરથી નીચેની તરફ જતા સમૂહમાં ધાત્વીય લક્ષણમાં વધારો જોવા મળે છે.


ઉમદા  વાયુ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના લખો.

Hide | Show

જવાબ : ns2 np6 ઉમદા વાયુ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના છે. એક બે શબ્દોમાં જવાબ આપો.


ન્યૂલેન્ડએ તેમના સમયમાં શોધાયેલા કેટલા તત્વોનું વર્ગીકરણ કર્યું હતું?

Hide | Show

જવાબ : 16 તત્વોનું


આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીની આડી હરોળને શું કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : આવર્ત


આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીની ઉભી હરોળ ને શું કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : સમૂહ


મેન્ડેલીવિયમ તત્વની સંજ્ઞા અને પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ : 101Md


આવર્ત કોષ્ટકમાં કયા બે તત્વોનું સ્થાન અપવાદરૂપ હોય છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોજન અને હિલિયમ


તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનું જથ્થાત્મક માપ કયું છે?

Hide | Show

જવાબ : આયનીકરણ એન્થાલ્પી


સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં  વધુ ધન  વીજભાર ધરાવતા ધન આયનની ત્રિજ્યા કેવી હોય છે?

Hide | Show

જવાબ : ઓછી હોય


સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં  વધુ ઋણ વીજભાર  ધરાવતા ઋણ આયનની ત્રિજ્યા કેવી હોય છે?

Hide | Show

જવાબ : વધુ હોય.


ત્રીજા આલ્કલી ધાતુ તત્વની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક લખો.

Hide | Show

જવાબ : 19k


બીજા આવર્તના ચોથા તત્વની સંજ્ઞા અને પરમાણું ક્રમાંક લખો.

Hide | Show

જવાબ : 6C


ત્રીજા આવર્તના P વિભાગમાં તત્વોની સંખ્યા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 6


3s2 3P6 4s2  તત્વની બહ્યત્તમ કક્ષાની ઈલેક્ટ્રોન રચના પરથી તેનો વિભાગ લખો.

Hide | Show

જવાબ : S – વિભાગ.


3s2 3P4 તત્વની બહ્યત્તમ કક્ષાની ઈલેક્ટ્રોન રચના પરથી તેનો વિભાગ લખો.

Hide | Show

જવાબ : P – વિભાગ.


B, Al, Mg, K તત્વોને ધાતુ ગુણના ઉતરતા ક્રમમાં લખો.

Hide | Show

જવાબ : B < Al < Mg < K


B, C, Si, N અને F તત્વને અધાતુપણાની ગુણના ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો.

Hide | Show

જવાબ : F < N < Si < C < B


આવર્ત અને સમૂહની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટક માં આડી હરોળને આવર્ત કહે છે. જ્યારે ઊભા સ્થંભને સમુહ કહે છે.


આધુનિક આવર્ત નિયમ લખો.

Hide | Show

જવાબ : અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેન્ની મોસલેએ મેન્ડેલીફ આવર્ત નિયમમાં સુધારો કરી નવો આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે.


મેન્ડેલીફનું નામ શાથી અમર થઇ ગયું છે?

Hide | Show

જવાબ : મેન્ડેલીફે  101 પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વનું નામ મેન્ડેલીવિયમ રાખવાથી તેનું નામ અમર થઇ ગયું છે.


મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક કયારે પ્રકાશિત થયું હતું?

Hide | Show

જવાબ : વર્ષ 1905 માં  મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થયું હતું.


એલેકઝાન્ડર ન્યૂલેન્ડને કોણે તથા કેમ સન્માનિત કર્યા?

Hide | Show

જવાબ : અષ્ટકનો નિયમ રજુ કરવા બદલ રોયલ સોસાયટી લન્ડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.


અષ્ટકનો નિયમ કોણે રજૂ કર્યો?

Hide | Show

જવાબ : 1865 માં અંગ્રેજી રસાયણ વિજ્ઞાની જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો.


ડોબરેનરે સૂચવેલા સંબંધનો નામ લખો.

Hide | Show

જવાબ : ડોબરેનરે સૂચવેલા સંબંધને ત્રિપુટીનો નિયમ કહે છે.


હાલમાં જાણીતા તત્વો કેટલા છે?

Hide | Show

જવાબ : હાલમાં 114 તત્વો જાણીતા થયા છે.


વર્ષ 1800 થી 1865 સુધીમાં જાણીતા તત્વોની સંખ્યા લખો.

Hide | Show

જવાબ : વર્ષ 1800 સુધીમાં 31 તત્વો અને 1865 માં આ સંખ્યા વધીને 63 સુધી થઇ હતી.


ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની રસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો.

Hide | Show

જવાબ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સામાન્ય રીતે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વધુ ઋણ તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ જોવા મળે છે.


વિદ્યુત ઋણતાની વધવાની અને ઘટવાની પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : વિદ્યુતઋણતા આવર્તમા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે.


આયનીકરણ એન્થાલ્પીની વધવાની અને ઘટવાની ક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે આવર્તમા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે.


પરમાણ્વિય ત્રિજ્યાની વધ ઘટની ક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : પરમાણ્વિય ત્રિજ્યા આવર્તમા ડાબેથી જમણી તરફ જતા ઘટતી જાય છે અને સમૂહમાં પરમાણ્વીયક્રમાંક વધવાની સાથે વધે છે.


આવર્તી વલણ શેમાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : તત્વના પરમાણ્વિય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તથા સંયોજકતામાં આવર્તી વલણ જોવા મળે છે.


અર્ધધાતુઓ અથવા ઉપધાતુઓ શું છે? તે ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : એવા તત્વો જે ધાતુઓ અને અધાતુઓ ના સીમાવર્તી છે. તેને અર્ધધાતુ તત્વો કહે છે. દા. ત. Si, Ge, As વગેરે...


જાણીતા તત્વોમાં કેટલા તત્વો ધાતુ અને કેટલા  અધાતુઓ છે?

Hide | Show

જવાબ : જાણીતા તત્વો પૈકી 78%  થી વધુ તત્વો ધાતુઓ છે જ્યારે 20 થી ઓછી સંખ્યા અધાતુઓની છે.


આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોનીય રચનાના આધારે કેટલા પ્રકારના તત્વોની ઓળખાણ કરવામાં આવી છે? અને કયા તત્વો તેમાં સમાયેલા છે?

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોનીય રચનાના આધારે ચાર પ્રકારના જેમકે s - વિભાગ તત્વ, p -  વિભાગ તત્વ, d -  વિભાગ તત્વ અને f -  વિભાગ તત્વની ઓળખ કરવામાં આવી છે.


એકજ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : એકજ સમૂહના તત્વો માં સંયોજકતા કોશ ઇલેક્ટ્રોનીય રચના હોય છે. તેથી તેઓ સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે.


Rn પછી જો કોઈ વાયુ શોધાય તો તેની સંજ્ઞા લખો.

Hide | Show

જવાબ : Uuo


O, O-, O2-, ઘટકો પૈકી કોનું કદ લઘુત્તમ હશે તે લખો.

Hide | Show

જવાબ : O નું કદ


Si, P અને Cl ઘટકોમાંથી કોનું કદ લઘુત્તમ છે તે જણાવો.

Hide | Show

જવાબ : Cl નું કદ


K, Ar, તત્વોની જોડ માંથી કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય?

Hide | Show

જવાબ : K ની


Cl અને F તત્વની જોડમાંથી કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય તે લખો.

Hide | Show

જવાબ : Cl


Kr અને Xe તત્વોની જોડમાંથી કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી થાય તે લખો.

Hide | Show

જવાબ : Xe


B, Al અને Ga તત્વોમાંથી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે તે જણાવો.

Hide | Show

જવાબ : B ની


M તત્વ મહત્તમ ઓક્સાઈડ M2O5 બનાવતું હોય તો તત્વ M નું કયું સમૂહ હશે તે લખો.

Hide | Show

જવાબ : સમૂહ 15


Si તથા Br ભેગા મળતા કયું સંયોજન બને છે?

Hide | Show

જવાબ : SiBr4


F2O માં O નો ઓક્સીડેશન આંક લખો.

Hide | Show

જવાબ : +2


C, N ,O, F માટે IE નો ઉતરતો ક્રમ લખીને સમજાવો.

Hide | Show

જવાબ : O > F > N > C


આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ક્રમાંક કેવી રીતે વધે છે?

Hide | Show

જવાબ : આવર્તમાં  પરમાણ્વીય ક્રમાંક ક્રમિક રીતે વધે છે. જ્યારે સમૂહમાં તે ચોક્કસ ભાતમાં વધે છે.


આધુનિક આવર્ત કોષ્ટકની ગોઠવણી સમજાવો.

Hide | Show

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટક માં તત્વોની ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના ક્રમમાં 7 આડી હરોળ કે આવર્તમા અને 18 ઊભા સ્થંભો કે સમૂહ કે કુટુંબમાં કરી છે.


મેન્ડેલીફ આવર્ત કોષ્ટક શેના આધારિત હતું?

Hide | Show

જવાબ : મેન્ડેલીફ આવર્તકોષ્ટક પરમાણ્વિયભાર પર આધારિત હતું.


યુરેનિયમની કાચી ધાતુમાંથી મળતી બે ધાતુઓ જણાવો.

Hide | Show

જવાબ : નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ


S- વિભાગના તત્વોની સંખ્યા લખો.

Hide | Show

જવાબ : 12 છે.


ચાલ્કોજનના તત્વો લખી બતાવો.

Hide | Show

જવાબ : O, S, Se, Te.


ગેલિયમ, એકા-એલ્યુમિનિયમ અને જર્મેનિયમને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : એકા- સિલિકોન


K, Rb અને Cs શી અસર ઉપજાવવા વપરાય છે?

Hide | Show

જવાબ : ફોટો ઇલેક્ટ્રિક અસર


બીજા આવર્તમાં B અને O ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે?

Hide | Show

જવાબ : ઓછી


f – વિભાગના તત્વોની બહ્યત્તમ કક્ષાની સામાન્ય ઈલેક્ત્રોનીય રચના લખો.

Hide | Show

જવાબ : (n – 2)f1-14 (n – 1)d0-1ns2


A તત્વની સંયોજકતા ૩ ઈલેક્ટ્રોન પ્રતિકોશ તથા B તત્વની સંયોજકતા 6 ઈલેક્ટ્રોન પ્રતિકોશ પ્રમાણેની હોય તો જો A અને B રાસાયણિક સંયોગીકરણથી ભેગા થાય ત્યારે બનતું સાદુ અણુસૂત્ર લખો.

Hide | Show

જવાબ : A2B


F, K, Si  અને Na પૈકી કોની રસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય છે.

Hide | Show

જવાબ : Si ની


કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે?

Hide | Show

જવાબ : Na સોડિયમ


આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કોણે રજૂ કર્યો?

Hide | Show

જવાબ : મોસલેએ


આયનીકરણ એન્થાલ્પીનો એકમ લખો.

Hide | Show

જવાબ : KJ mol-1


સમૂહ 17 અને 18 નાં બધાજ તત્વો કેવા ગુણ ધરાવે છે?

Hide | Show

જવાબ : અધાત્વીય


આલ્કલી ધાતુ સમૂહનું છેલ્લુ તત્વ કેવુ હોય છે?

Hide | Show

જવાબ : રેડિયોસક્રિય


સમૂહ 18 નાં તત્વોની ઈલેક્ટ્રોનપ્રાપ્તી એન્થાલ્પીના મુલ્યો કેવા હોય છે?

Hide | Show

જવાબ : ધન હોય છે.


પાઉંલિંગે કયા તત્વની વિદ્યુતઋણતાનું મુલ્ય સૌથી વધારે સૂચવ્યું હતું? 

Hide | Show

જવાબ : ફ્લોરીન (F) નું.


ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ :

  • ધાતુ જેવા તત્વો મોટા ભાગે ધન સ્વરૂપમાં જોવા મળે છે.આમાં ફક્ત પારો જ અપવાદરૂપ છે.જે ધાતુ છે અને પ્રવાહી સ્વરૂપમાં છે. જયારે અધાતુ જેવા તત્વો મોટે ભાગે વાયુ સ્વરૂપે જોવા મળે છે. આમાં પણ બ્રોમિન અપવાદરૂપ છે જે અધાતુ છે છતાં પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે.
  • ધાતુ તત્વો સહેલાઇથી ઈલેક્ટ્રોનને ગુમાવે છે અને ધનાયન બનાવતા હોય છે.જયારે અધાતુ તત્વો ઈલેક્ટ્રોન સહેલાઇથી મેળવે છે અને ઋણાયન બનાવતા હોય છે.
  • ધાતુઓ પૈકી સક્રિય ધાતુઓ એસિડ સાથે સંયોજનમાં H2 (g) મુક્ત કરે છે જ્યારે એસિડ સાથે અધાતુઓ મળતા H2 (g) મુક્ત કરતા નથી.
  • દરેક ધાતુઓ પોતાનો આકસાઇડ બેઝિક ગુણ ધરાવતી હોય છે. જેનું ઉદાહરણ Na2O  જોવા મળે છે. જ્યારે અધાતુઓ પોતાનો ઓક્સાઈડ એસિડિક ગુણ ધરાવતી જોવા મળે છે જેનું ઉદાહરણ Cl2O7 છે.


આવર્ત અને સમૂહ વચ્ચેનો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટક પૈકીના તત્વોની આડી હરોળને આવર્ત  કહેવામાં આવે છે જ્યારે આવર્ત કોષ્ટક પૈકીના તત્વોના ઊભા સ્થંભને સમુહ તરીકે ઓળખવામાં આવે છે. આવર્તમાં પરમાણ્વિય કદ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે તથા વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે જ્યારે ઉપરની તરફથી નીચેની તરફ જતા પરમાણ્વિય કદ વધતું જોવા મળે છે અને વિદ્યુતઋણતા તથા આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે. આવર્તમાં તત્વોનો ડાબી બાજુથી  જમણી બાજુ તરફ  જતા અધાતુ  ગુણ વધતો જોવા મળે છે જ્યારે સમૂહમાં તત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં ધાતુ ગુણ વધતો જોવા મળે છે. આમ થવાથી ઓક્સાઈડોની બેઝિકતા વધતી જોવા મળે છે.


આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ વિશે સમજ આપો.

Hide | Show

જવાબ :

  • આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા Cs તત્વની છે. કેમકે વિદ્યુત ઋણતાનો સંબંધ પરમાણ્વીય ત્રિજ્યા સાથે હોય છે. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. અને બહ્યત્તમ કક્ષાના ઈલેક્ટ્રોન તથા કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધતું હોય છે તથા વિદ્યુત ઋણતા પણ વધે છે.
  • આવી રીતે આલ્કલી ધાતુ તત્વોની વિદ્યુતઋણતા આપેલા આવર્તમાં સૌથી ઓછી જોવા મળે છે. કેમકે તેની પરમાણ્વીય ત્રિજ્યા વધારે હોય છે, અને એક જ સમૂહમાં ઉપરથી નીચેની બાજુ તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે અને વિદ્યુત ઋણતા ઘટતી જોવા મળે છે.
  • Li થી Cs તરફ જવાથી વિદ્યુત ઋણતા ઘટતી જોવા મળે છે. અને Cs ની વિદ્યુતઋણતા આલ્કલિ ધાતુઓમાં સૌથી ઓછી હોય છે.


P - વિભાગના તત્વો પૈકી તેમના ચાર લાક્ષણિક ગુણધર્મો સમજાવો.

Hide | Show

જવાબ : બાહ્યતમ કક્ષા P - વિભાગની તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આ પ્રમાણે ની હોય છે, ns2 np1-6

  • મોટા ભાગના P - વિભાગના તત્વો ઉંચી વિદ્યુતઋણતા ધરાવતા હોય છે. આવર્તમા ડાબી તરફ થી જમણી તરફ જતા વિદ્યુતઋણતા વધતી જોવા મળે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુતઋણતા ઘટતી જોવા મળે છે.
  • P - વિભાગનું એક પણ તત્વની અથવા તેના ક્ષાર લાક્ષણિક રંગીન જ્યોત આપતા જોવા મળતી નથી.
  • આવર્ત પૈકીના P - વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધતી હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ  જતા ઘટતી હોય છે.


119 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો પૈકી તેમનો  સમૂહ અને સંયોજકતાની સમજ આપો. તેની બાહ્યકક્ષાની ઇલેક્ટ્રોન રચનાનું સૂત્ર લખી તેના ઓક્સાઈડનું સામાન્ય સૂત્ર જણાવો.

Hide | Show

જવાબ : ક્રમાંક 119 ના તત્વનો પરમાણ્વીય ક્રમાંક (Z) = 199 છે. માટે કક્ષાઓમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રો નો ક્રમ આ પ્રમાણે બને છે. 3 + 8 + 8 + 18 + 18 + 32 + 32 + 1 છે. આઠમાં આવર્તનું પ્રથમ તત્વ આલ્કલી સમુહ્નનું તત્વ છે. તેની બાહ્યત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 8s1 થાય છે માટે ઓક્સાઇડનુ સામાન્ય સૂત્ર  = M2O છે.


120 પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વના IUPAC નામ અને સંજ્ઞા શું છે?

Hide | Show

જવાબ : 1, 2, તથા 0,  અકોં માટે સંખ્યા દર્શક શબ્દ અનુક્રમે un, bi, અને nil  થાય છે માટે 120 પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વનું નામ Unbinilium  થાય છે અને તેની સંજ્ઞા Ubn થાય છે.


d - વિભાગના સંક્રાંતિ તત્વોની મુદ્દાસર માહિતી આપો.

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12 ના તત્વોને d - વિભાગના તત્વો કહે છે.

  • આ વિભાગના તત્વોની ઓળખ તેની આંતરિક d - કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાને આધારે કરી શકાય છે. આ કારણથી તેને d - વિભાગના તત્વો કહેવાય છે.
  • આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના (n -1) d1-10 ns0-2 છે. આ બધા તત્વો અધાતુઓ છે. તેઓ મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે. તથા જુદી જુદી સંયોજકતા ધરાવે છે અને અનુચુંબકીય ગુણ દર્શાવે છે.
  • આ તત્વો ઘણીવાર ઉદ્દીપક તરીકે વપરાય છે.
  • જો કે Zn, Cd, અને Hg ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના (n - 1) d10 ns2 હોવા છતાં તે ધાતુઓ સંક્રાંતિ તત્વોના ઘણા લક્ષણો ધરાવતી નથી.
  • d -વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા s -  વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ - 13  અને સમૂહ - 14 ના તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે છે. તેથી જ d - વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે.


f - વિભાગના આંતર સંક્રાંતિ તત્વોની મુદ્દાસર  સમજ આપો.

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળમાં તત્વોને રાખવામાં આવ્યા છે તે પૈકીના Ce ( Z = 58 ) - Lu ( Z = 71 ) તત્વોને લેન્થેનોઈડ્સ અને Th ( Z = 90 ) - Lr ( Z = 103 ) તત્વોને ઍક્ટિનોઇડ્સ કહેવાય છે.

  • આ શ્રેણીના તત્વોની ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના (n -2)f1-14  (n- 1)d0-1 ns2 દ્વારા થાય છે. આ તત્વો માં છેલ્લો ઇલેક્ટ્રોન f - કક્ષક માં ભરાય છે.
  • જેથી આ બે શ્રેણીના તત્વો f - વિભાગના તત્વો અથવા આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. આ બધા તત્વો ધાતુઓ છે.
  • દરેક શ્રેણીમાં તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય છે.
  • ઍક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વોમાં એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે. આ કારણથી તે તત્વો લેન્થેનોઈડ શ્રેણીના તત્વો કરતાં વધુ જટિલ હોય છે.
  • ઍક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય હોય છે. ઘણા ઍક્ટિનોઇડ તત્વો નેનોગ્રામ કે તેનાથી વધુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
  • આવા તત્વોનો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી. યુરેનિયમ પછીના તત્વોને અનુ યુરેનિયમ તત્વ કહે છે.


પરમાણ્વીય ક્રમાંક Z = 117 અને 120 વાળા તત્વોની શોધ હજુ સુધી થઈ શકી નથી. આ તત્ત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં હોવું જોઈએ અને આ બંનેની ઇલેક્ટ્રોનીય રચનાની સમજ આપો.

Hide | Show

જવાબ : પરમાણ્વીય ક્રમાંક Z = 117 વાળા તત્ત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં હેલોજન સમૂહ ( સમૂહ - 17 ) માં At ની નીચે હશે. તેથી તેની ઇલેક્ટ્રોનીય રચના ( Rn) 5f  146d 107s2 7p5 હશે. પરમાણ્વીય ક્રમાંક Z = 120  વાળા તત્ત્વનું સ્થાન સમૂહ - 2 માં ( આલ્કલાઇન અર્થ ધાતુઓ ) Ra  ની નીચે હશે. તથા તેની ઇલેક્ટ્રોનીય રચના ( Uuo ) 8s2 હશે.


Mg, Mg2+, Al, Al3+ આમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે?

Hide | Show

જવાબ : એક જ આવર્તનમાં  ડાબેથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વિય ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જાય છે. ઘનાયનનું કદ તેના જનક પરમાણુથી નાનું હોય છે. સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં વધારે કેન્દ્રીય વીજભાર ધરાવનાર સ્પીસીઝની ત્રિજ્યા નાની હોય છે. માટે મહત્તમ ત્રીજ્યા વાળી સ્પીસીઝ mg તથા ન્યૂનતમ ત્રિજ્યા વાળી સ્પીસીઝ Al3+ થાય છે.


P, S, Cl, અને F માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું   ઋણ હશે તે સમજાવો.

Hide | Show

જવાબ : આવર્તમા ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ હોય છે.

  • 3p - કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તેના કરતાં 2p – કક્ષકમાં  ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે જોવા મળે છે.
  • તેથી ક્લોરિનની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે. અને ફોસ્ફરસની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે.


 

પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી દર્શાવો કે Na2O બેઝિક ઓક્સાઈડ અને Cl2 O7 એસિડિક ઓક્સાઈડ છે.

Hide | Show

જવાબ : Na2O પાણી સાથે પ્રક્રિયા કરીને પ્રબળ બેઇઝ બનાવે છે, જ્યારે Cl2 O7 પ્રબળ એસિડ બનાવે છે. Na2O + H2O -> 2NaOH CI2 O7  + H2O -> 2HCIO4 તેઓના એસિડિક  અને બેઝિક સ્વભાવની ગુણાત્મક કસોટી લિટમસ પત્ર દ્વારા થઈ શકે છે.


P - વિભાગ ના તત્વોની મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ : આવર્ત કોષ્ટક માં P- વિભાગમાં સમૂહ 13 - 18 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. P -  વિભાગ અને  S - વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા સમૂહ તત્વો કહે છે.

  • P - વિભાગમાં દરેક આવર્તમા તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ns2 np1  થી ns2 np6 સુધી બદલાતી રહે છે.
  • દરેક આવર્ત ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના  ns2 np6 થી સમાપ્ત થાય છે. ઉમદા વાયુ તત્વોમાં સંયોજકતા કોશની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય છે. જેમાંથી ઈલેક્ટ્રોનને દૂર કરીને કે ઉમેરીને સ્થાયી અવસ્થાને બદલવી ખૂબ મુશ્કેલ છે. માટે ઉમદા વાયુની પ્રાથમિકતા ઓછી હોય છે.
  • ઉમદા વાયુ સમૂહ પહેલાં અધાતુઓના રાસાયણિક રીતે બે અગત્યના સમૂહ છે. સમૂહો તરીકે 17 માં સમૂહનો હેલોજન તત્વો અને 16 મા સમૂહના ચાલ્કોજન છે.
  • બંને તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોનપ્રાપ્તિ  એન્થાલ્પી ધરાવે છે. તત્વો સરળતાથી અનુક્રમે એક અથવા બે ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે.
  • આવર્તમા ડાબેથી જમણી બાજુ તરફ જતાં  અધાત્વીય લક્ષણોમાં વધારો થાય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણોમાં વધારો થાય છે.


આવર્ત નિયમ કોણે પ્રસિદ્ધ કર્યો? તથા નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : આવર્ત નિયમને મેન્ડેલીફે પ્રસિદ્ધ કર્યો તે મુજબ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વિય ભારના આવર્તનીય વિધેય છે.


વિદ્યુતઋણતા વિશે મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ : રાસાયણિક સંયોજનમાં સહ સંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુતઋણતા કહેવામાં આવે છે.

  • વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી.
  • તત્વની વિદ્યુતઋણતા માટે ઘણા સંખ્યા દર્શક માપક્રમ શોધાયા છે. જેવા કે પાઉલિંગ માપક્રમમૂલિકન - જોફે માપક્રમ અને ઓલરેડ - રોચોવ માપક્રમ વ્યાપક રીતે વપરાય છે.
  • 1922 માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉંલિંગે  ફ્લોરીનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાવાળું ગણીને ફ્લોરીનનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 સૂચવ્યું હતું.
  • કોઈ આપેલા તત્વ માટે વિદ્યુતઋણતા અચળ નથી. તેના મૂલ્યનો આધાર તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તે હોય છે.
  • જોકે આવી રાશિને માપી શકાતી નથી. પરંતુ બે પરમાણુ કેવા બળથી એકબીજા સાથે જોડાયા છે તે આગાહી કરવામાં ઉપયોગી બને છે.
  • વિદ્યુતઋણતા આવર્તમા ડાબેથી જમણી બાજુ તરફ જતા એટલે કે લિથિયમથી ફ્લોરીન તરફ જતા વધે છે. તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે ફ્લોરીનથી એસ્ટેટાઈન તરફ જતા ઘટે છે.
  • પરમાણ્વિય ત્રિજ્યા આવર્તમા ડાબેથી જમણી તરફ જતા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
  • આવર્તમા પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાની સાથે ઈલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે અને વિદ્યુતઋણતા વધે છે.
  • તેવીજ રીતે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે પરમાણ્વિય ત્રિજ્યા વધવાની સાથે વિદ્યુતઋણતા ઘટે છે. વલણ આયનીકરણ એન્થાલ્પીને સમાન છે.
  • અધાતુ તત્વો માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ પ્રબળ હોય છે. તેથી વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ તત્વોના અધાત્વીય ગુણધર્મો સાથે હોય છે. એટલે કે વિદ્યુત ઋણતાનો વ્યસ્ત સંબંધ તત્વોના ધાત્વીય ગુણધર્મો સાથે છે.
  • આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોની વિદ્યુતઋણતા વધવાની સાથે તત્વોનો અધાત્વીય ગુણધર્મ વધે છે અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે. તે પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની વિદ્યુતઋણતા ઘટવાની સાથે તત્વોનો અધાત્વીય ગુણધર્મ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ વધે છે.


આયનીકરણ એન્થાલ્પી વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. ધરાઅવસ્થામાં રહેલા મુક્ત વાયુમય  તટસ્થ પરમાણુ  (X) માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે.

  • આયનીકરણ એન્થાલ્પીને  KJ mol-1 એકમમાં દર્શાવાય છે. તત્વમાંથી બીજો સૌથી નિર્બળ રીતે જોડાયેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે.
  • આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઘન હોય છે તત્વની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે. કારણ કે તટસ્થ પરમાણુ કરતાં ઘન વીજભારિત આયન માંથી ઈલેક્ટ્રોનને દૂર કરવો વધુ મુશ્કેલ છે. આવીજ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યથી વધારે હોય છે.
  • ત્યાર પછીની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ક્રમશઃ વધતા જાય છે.
  • આયનીકરણ એન્થાલ્પીના મહત્તમ મૂલ્યો ઉમદા વાયુ તત્વોના  છે. જે ઈલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી  કક્ષક ધરાવે છે. એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે.
  • આલ્કલી ધાતુઓ ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે તેથી તેઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે.
  • આવર્તમાં ડાબીથી  જમણી તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે.


આયનીય ત્રિજ્યા વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : પરમાણુ ઈલેકટ્રોન ગુમાવીને ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણઆયન બને છે. આયનીય સ્ફટિકોમાં ઘન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપ દ્વારા આયનીય ત્રિજ્યા માંપી શકાય છે.

  • સામાન્ય રીતે તત્વોની આયનીય ત્રિજ્યા પરમાણ્વિય ત્રિજ્યા જેવું વલણ દર્શાવે છે.
  • ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો હોય છે. કારણકે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય છે જ્યારે તેનો કેન્દ્રીય વીજભાર તેટલો રહે છે.
  • ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય છે. કારણ કે એક અથવા વધુ ઇલેક્ટ્રોન ઉમેરાવવાને કારણે ઇલેક્ટ્રોન  ઇલેક્ટ્રોન  અપાકર્ષણ વધે છે અને અસરકાર કેન્દ્રીય વીજભાર ઘટે છે.
  • કેટલાક પરમાણુઓ અને આયનોમાં  ઇલેક્ટ્રોનની  સંખ્યા સમાન જોવા મળે છે. જે ઇલેક્ટ્રોનીય સ્પીસિઝ તરીકે ઓળખાય છે.
  • પરમાણુ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છતાં તેમની ત્રિજ્યા જુદી જુદી હોય છે. કારણ કે તેઓ જુદો-જુદો વીજભાર ધરાવતા હોય છે.
  • વધારે ઘન વીજભાર ધરાવનાર આયનની ત્રિજ્યા નાની હોય છે. કારણ કે તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય છે.
  • વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન  ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણની  અસર કેન્દ્રીય વીજભાર કરતા વધી જાય છે. જેથી આયનનું વિસ્તરણ થાય છે. એટલે કે આયનીય કદ વધે છે. આયનીય ત્રિજ્યાની સમજ છે.


પરમાણ્વિય ત્રિજ્યા વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુ કદ માપવું ખૂબ જટિલ છે તેનું કારણ પરમાણુનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. ( પરમાણુ ની ત્રિજ્યા ~ 1.2 A° એટલે 1.2 × 10-10 મીટર હોય છે.)

  • પરમાણુની ચારેબાજુ છવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સીમા નક્કી નથી માટે પરમાણુનુ કદ ચોક્કસ રીતે માપી શકાતું નથી.
  • વ્યક્તિગત પરમાણુનું કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી.
  • સંયુક્ત અવસ્થામાં પરમાણુઓ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણ્વિય કદનો અંદાજ કાઢી શકાય છે.
  • સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલ  બે અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીના આધારે સહસંયોજક ત્રિજયા નક્કી કરી શકાય છે. દા.. કલોરીન અણુ ( Cl2 ) માં બંધ અંતર 198pm  છે. અંતરના અડધા મૂલ્યને ( 99pm ) ક્લોરિનની પરમાણ્વિય ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે.
  • ધાતુઓમાં ધાત્વીય  ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છેદા.ઘન કોપરમાં બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 pm  છેતેથી કોપરની  ધાત્વીય ત્રિજ્યા 128pm વડે દર્શાવાય છે.
સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય  ત્રીજ્યાને પરમાણ્વિય ત્રિજ્યા પણ કહે છે.


આવર્તી વર્ગીકરણની ઉત્પતિ કેવી રીતે થઈ તે સમજાવો.

Hide | Show

જવાબ : તત્વોનું સમૂહમાં વર્ગીકરણ,  આવર્ત નિયમનો અને આવર્ત કોષ્ટકનો વિકાસ વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. 1800 ના શરૂઆતના સમયમાં જર્મન રસાયણ વિજ્ઞાની જ્હોન ડોબરેનરે તત્વોના ગુણધર્મોના વલણો  અંગે વિચાર્યું અને 1829 મા ત્રણ તત્વો વાળા કેટલાક સમૂહોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાની નોંધ કરી.

  • ડોબરેનરે દરેક કિસ્સામાં ત્રિપુટીની મધ્યમાંના તત્વનો પરમાણ્વિય ભાર બાકી બે તત્વો ના કુલ પરમાણ્વિય ભાર કરતાં અડધો જોવા મળ્યો. અને મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મો બાકીના બે તત્વોના ગુણધર્મો જેવા જોવા મળ્યા. ડોબરેનરેનો સંબંધ ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાયો હતો.
  • ત્યારબાદ 1862 માં ફ્રેંચ વૈજ્ઞાનિક . . બી. દ્ કાનકોર્ટોઈસે તત્વોનું વર્ગીકરણ કર્યું. તેમણે જાણીતા તત્વોને પરમાણ્વિય ભારના ચડતા ક્રમમાં ગોઠવીને નળાકાર કોષ્ટક બનાવ્યું. કોષ્ટક નિશ્ચિત ક્રમે ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવતું હતું.
  • 1865 માં અંગ્રેજ વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો. તેમણે તત્વોને  પરમાણ્વિય ભારના ચડતા ક્રમમાં ગોઠવી નોંધ્યું કે પ્રત્યેક આઠમા તત્વોના ગુણધર્મો પ્રથમ તત્વોના ગુણધર્મોને મળતા આવે છે.
  •   સંબંધ સંગીતના સુર સમાન હતો. સંગીતના સૂરના અષ્ટક માં પ્રત્યેક આઠમો સુર પ્રથમ સૂર જેવો હોય છે.
  • ન્યૂલેન્ડનો અષ્ટક નિયમ કેલ્શિયમ તત્વ સુધી સાચો માલૂમ પડ્યો. 1887 માં તેમને કાર્ય માટે રોયલ સોસાયટી લન્ડન દ્વારા ડેવીચંદ્રક એનાયત થયો.
  • આવર્ત નિયમ નો વિકાસનો યસ રશિયાના વિજ્ઞાની  દમિત્રી મેન્ડેલીફ અને જર્મન વિજ્ઞાની લોથર મેયરના ફાળે જાય છે. 1830 થી 1895 નો સમયગાળો માનવામાં આવે છે.
  • બંને વૈજ્ઞાનિકોએ 1867 માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે.
  • લોથર મેયરે ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વિય કદ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ વિરુદ્ધ પરમાણ્વિય ભારનો આલેખ દોરીને આવર્તીત રીતે પુનરાવર્તન પામતી ભાત મળે છે તે શોધ્યું.
  • પુનરાવર્તિત ભાત ની લંબાઈ બાબતે લોથર મેયરે ન્યુલેન્ડ કરતા જુદું અવલોકન કર્યું. 1868 સુધીમાં લોથર મેયરે તત્વો માટેનું કોષ્ટક પણ વિકસાવ્યું. જે આવર્ત કોષ્ટક જેવુંજ હતું.
  • મેયરનું કોષ્ટક મેન્ડેલીફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું. માટે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસ માં મુખ્ય શ્રેય મેન્ડેલીફને આપવામાં આવ્યો.
  • આવર્ત સંબંધનો અભ્યાસ ડોબરેનરે શરૂ કર્યો. પરંતુ સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર મેન્ડેલીફ હતો.
  • નિયમ પ્રમાણેનો છે “તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વિય ભારના આવર્તનીય વિધેય છે.


આવર્ત પૈકીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના વિશે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : પરમાણુમાં ઇલેક્ટ્રોનની  ઓળખ ચાર ક્વોન્ટમ આંક દ્વારા કરી શકાય છે મુખ્ય ક્વોન્ટમ (n)  પરમાણુની મુખ્ય શક્તિસ્તર જેને કોશ તરીકે ઓળખવામાં આવે છે. તે દર્શાવે છે.

  • પરમાણુઓ પૈકીના ઇલેક્ટ્રોનના વિતરણને પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં કોઈપણ તત્ત્વનું સ્થાન તેમજ છેલ્લે ભરાનાર  કક્ષકના ક્વોન્ટમ આંક બતાવે છે.
આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના:-

  • આવર્ત ક્રમ બાહ્યતમ કક્ષા માટે (n) નું મૂલ્ય બતાવે છે. આવર્ત ક્રમના વધારા સાથે મુખ્ય શક્તિસ્તરનું મૂલ્ય વધતુ જોવા મળે છે. જેમકે n = 1, n  = 2  વગેરે.
  • તત્વોની સંખ્યા દરેક આવર્તમાં ભરાનાર શક્તિસ્તરમાં રહેલી  પરમાણ્વીય કક્ષકોની સંખ્યા કરતા બમણી જોવા મળે છે.
  • નીચલા શક્તિસ્તર (Is) ભરાવાની શરૂઆત પ્રથમ આવર્ત (n = 1 ) થી શરૂ થાય છે. આમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા બે તત્વો હોય છે આમ પ્રથમ કોશ ( Kપૂર્ણ થાય છે.
  • લિથિયમથી બીજી આવર્તની ( n = 2 ) શરૂઆત થાય છે. જેમાં ત્રીજો ઇલેક્ટ્રોન 2s -  કક્ષક માં પ્રવેશ કરે છે. બોરિયમ તત્વમાં ચાર ઇલેક્ટ્રોન હાજર હોય છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2  થાય છે.
  • જ્યારે બોરોન તત્વ થી શરૂ કરીને નિયોન તત્વ સુધી પહોંચાય ત્યારે 2p -  કક્ષક ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી  ભરાઈ જાય છે. આવી રીતે L કોશ નિયમ ( 2s2 2p6 ) તત્વની સાથે પૂર્ણ થાય છે. બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 હોય છે.
  • આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તની (n = 3) સોડિયમ તત્વોથી થાય છે. જેમાં ૩s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. પછીથી ૩s અને 3P કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાથી ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા સોડિયમથી  આર્ગન સુધી આઠ થાય છે.
  • ચોથા આવર્તની (n  = 4)  શરૂઆત પોટેશિયમ તત્વથી - 4s -  કક્ષક ભરાવવાની શરૂઆતથી થાય છે. આમાં ઇલેક્ટ્રોન 4p - કક્ષકમાં દાખલ થાય તે પહેલાં 3d - કક્ષક માં દાખલ થાય છે. જે પ્રમાણે બરાબર છે. આવી રીતે તત્વોની ૩d સંક્રાંતિ શ્રેણી મળે છે. સ્કેન્ડિયલ (Z = 21) થી શરૂ થાય છે. તેની ઇલેક્ટ્રોનીય રચના 3d1 4s2  થાય છે. જેની ઇલેક્ટ્રોનીય રચના 3d10 4s2 હોય છે તે 3d -  કક્ષક ઝિંક (Z = 30) આગળ પૂરેપૂરું ભરાઈ ગયેલું હોય છે.


N, P, O, S, તત્વમાં નીચે બતાવ્યા પ્રમાણેનો ક્રમ  સમજાવો.

  1. ઉપરના તત્વોને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં લખી બતાવો.
  2. અધાત્વીય ગુણધર્મોના ચઢતા ક્રમની ગોઠવણી કરી તેનું કારણ સમજાવો.
Hide | Show

જવાબ : a). N, P, O, S, તત્વોનો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ પ્રમાણે છે.  -> S < P < O < N

  • N, O તથા P,  S  એક આવર્તના તત્વો કહેવાય તથા N, P અનેO, S  એક સમૂહના તત્વો કહેવાય છે.
  • N, P  અર્ધપૂર્ણ P - કક્ષકની સ્થાયી રચના ધરાવે છે. તેથીતથા P  ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે  O અને  S કરતા વધુ છે. ઉપરથી નીચે તરફ જતા એક સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે P > S
  • માટે N, O ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે P .5 કરતાં વધારે થાય છે માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ S > P < O < N થાય છે.
b). અધાત્વીય ગુણધર્મ સાથે વિદ્યુતઋણતાનો સીધો સંબંધ છે. એક જ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં  વિદ્યુત ઋણતા વધતી જાય છે. પરિણામે અધાત્વીય  ગુણધર્મ પણ વધતો જાય છે અને જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. તથા અધાત્વીય  ગુણધર્મ  પણ ઘટતો જોવા મળે છે.

  • હવે N કરતા O ની વિદ્યુત ઋણતા વધારે હોય છે અને P કરતાં S ની વિદ્યુત ઋણતા વધારે હોય છે તેવી રીતે N કરતાં P ની વિદ્યુત ઋણતા ઓછી હોય છે અને O કરતાં S ની વિદ્યુત ઋણતા ઓછી જોવા મળે છે. માટે અધાત્વીય ગુણધર્મોનો ચડતો ક્રમ પ્રમાણે જોવા મળે છે.
માટે અધાત્વીય ગુણધર્મ ચડતો ક્રમ પ્રમાણે જોવા મળે છે. P < S < N < O  હોય છે.


આવર્ત અને સમૂહમાં પરમાણ્વિય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે ? આ બદલાવને તમે કેવી રીતે સમજાવશો ?

Hide | Show

જવાબ : આવર્તમાં પરમાણુ ત્રિજ્યાનું વલણ:

નીચેની આકૃતિમાં દર્શવ્યા મુજબ બીજા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્વીય કદમાં ઘટાડો જોવા મળે છે.

 

આવર્તમાં પરમાણુ ત્રિજ્યા Z વધે તેમ ઘટે છે.

       આવર્તોમાં પરમાણ્વીય ત્રિજ્યા (pm)

પરમાણુ (આવર્ત II)

Li

Be

B

C

N

O

F

પરમાણ્વીય ત્રિજ્યા

152

111

88

77

74

66

64

પરમાણુ (આવર્ત III)

Na

Mg

Al

Si

P

S

Cl

પરમાણ્વીય ત્રિજ્યા

186

160

143

117

110

104

99

આવર્તમાં વલણની સમજૂતી :

અહીં બે પ્રકારના વલણો સ્પષ્ટ રીતે જોવા મળે છે. જેને આપણે કેન્દ્રિય વીજભાર અને શક્તિસ્તર વડે સમજાવી શકાય. એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઈલેક્ટ્રૉન એક જ સંયોજકતા કોશમાં હોય છે, પરંતુ પરમાણ્વીય-ક્રમાંક વધવાની સાથે તત્વોમાં અસરકારક કેન્દ્રિય વીજભાર વધતો જાય છે, તેના પરિણામે બાહ્યતમ ઈલેક્ટ્રૉનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે.તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે.

આવર્તકોષ્ટકના એક જ સમૂહ અથવા ઊભા સ્તંભોમાં પરમાણ્વીય-ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે.

સમૂહોમાં પરમાણ્વીય ત્રિજ્યા (pm)

પરમાણું (સમુહ I)

પરમાણ્વીય ત્રિજ્યા

પરમાણું (સમુહ 17)

પરમાણ્વીય ત્રિજ્યા

Li

152

F

64

Na

186

Cl

99

K

231

Br

114

Rb

244

I

133

Cs

262

At

140

 

પરમાણ્વીય ત્રિજ્યામાં સમૂહના ફેરફારો આલેખના સ્વરૂપમાં નીચે પ્રમાણે છે:

 

સમૂહમાં પરમાણુ ત્રિજ્યાના વલણની સમજૂતી :

આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય ક્વૉન્ટમ આંક (nnnn) નું મુલ્ય વધતું જાય છે અને સંયોજકતા ઈલેક્ટ્રૉન કેન્દ્રથી દૂર થતા જાય છે. આમ થવાનું કારણ એ છે કે આંતરિક શક્તિ સ્તરો ઈલેક્ટ્રૉનથી ભરાયેલા હોય છે, જે ઢાલ સ્વરૂપે બાહ્ય ઈલેક્ટ્રૉન પર કેન્દ્રના આકર્ષણને ઘટાડે છે.તેથી પરમાણુનું કદ વધતું જાય છે એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે.


સમઈલેક્ટ્રૉનીય સ્પીસિઝ અંગે તમારી સમજ શું છે ? એક એવી સ્પીસિઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમઈલેક્ટ્રૉનીય હોય.

i F-  ii Ar   iii Mg2+  iv Rb+

Hide | Show

જવાબ : કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઈલેક્ટ્રૉનની સંખ્યા સમાન જોવા મળે છે. જે સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝ (isoelectronic species) તરીકે ઓળખાય છે. દા.ત., O2-, F- ,Na+ અને Mg2+ માં ઈલેક્ટ્રૉનની સંખ્યા (10) સમાન છે, પણ તેમની ત્રિજ્યા જુદી જુદી છે. કારણ કે તેઓ જુદો જુદો કેન્દ્રિય વીજભાર ધરાવે છે.

વધારે ધનવીજભાર ધરાવનાર ધન આયનની ત્રિજ્યા નાની હોય છે. કારણ કે તેના ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય છે, જ્યારે વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે ઈલેક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચેના અપાકર્ષણની અસર કેન્દ્રિય વીજભાર કરતા વધી જાય છે. તેથી આયનનું વિસ્તરણ થાય છે એટલે કે આયનીય કદ વધે છે.

સમઈલેક્ટૉનીય સ્પિસીઝમાં જેનો કેન્દ્રીયભાર વધારે હોય તેની ત્રિજ્યા ઓછી હોય છે. જેથી Mg2+<Na+<F-<O2-  પ્રમાણે ત્રિજ્યા વધે છે કારણ જે કેન્દ્રીયભાર 12, 11, 9, 8 પ્રમાણે ઘટતો જાય છે.

આયન અને ઈલેક્ટ્રોનની સંખ્યા

સમઈલેક્ટ્રૉનીય

(i) F- (10)

O2-, Ne,Mg2+ 

(ii) Ar (18)

K+, Ca2+, Cl-

(iii) Mg2+ (10)

Na+, Al3+

(iv) Rb1+ (36)

K+, Br-

 


પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો : જ્યારે પરમાણુ ઈલેક્ટ્રૉન પ્રાપ્ત કરે છે.

Hide | Show

જવાબ : પરમાણુ ત્રિજ્યા વાસ્તવમાં ઘાતુઓ માટે ધાત્વીય ત્રિજ્યા અને અધાતુઓ માટે સહસંયોજક ત્રિજ્યા હોય છે. જે પરમાણુના કેન્દ્રોની વચ્ચેના અંતરના કરતાં અડધું હોય છે. વળી ક્ષ-કિરણ વર્ણપટથી તે મેળવાય છે.

જે પરમાણુ ઈલેક્ટ્રૉન પ્રાપ્ત કરે તે ઋણ આયન બને છે અને ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય છે. કારણ કે, એક અથવા વધારે ઈલેક્ટ્રૉન ઉમેરવાના કારણે ઈલેક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચે અપાકર્ષણ વધે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. સમૂહમાંના તત્વોનાં ઋણ આયનના કદ વધે છે અને આવર્તમાં Z વધતાં ઘટે છે.

 


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.