GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

 માં S નો ઑક્સિડેશન આંક કેટલો હશે ?

Hide | Show

જવાબ : +6


નીચેના માટે Mn ની ઑક્સિડેશન અવસ્થા યોગ્ય ક્રમમાં ગોઠવો :

Hide | Show

જવાબ : (i) < (ii) < (ivv) < (iiiiiiiii)


HCOOH માં કાર્બનનો ઑક્સિડેશન આંક કેટલો હશે ?

Hide | Show

જવાબ : 2


HCllllO અને HCllllO માં Cl નો ઑક્સિડેશન આંક અનુક્ર્મે કેટલો હશે ?

Hide | Show

જવાબ : +7, +5


કોષ માટે   હોય, તો બંને અર્ધ-કોષનાં દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 Mનો ઘટાડો કરતાં કોષ-પોટૅન્શિયલમાં શું ફેરફાર થાય ? ( C અને C > 0.1 M)

Hide | Show

જવાબ : વધશે.


25° સે તાપમાને  અને  અર્ધકોષોને જોડતા રચાતા કોષનો પોટૅન્શિયલ 2.456 V હોય, તો કોષનો પ્રમાણિત પોટૅન્શિયલ કેટલો હશે ?

Hide | Show

જવાબ : 1.46 V


કોષના તાપમાનમાં વધારો કરતાં કોષ-પોટૅન્શિયલમાં સૈદ્ધાંતિક રીતે કયો ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : ઘટશે.


 કોષના તાપમાનમાં વધારો કરતાં કોષ-પોટૅન્શિયલમાં સૈદ્ધાંતિક રીતે ક્યો ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : ઘટશે.


 કોષના તાપમાનમાં ઘટાડો કરતાં કોષ-પોટૅન્શિયલ સૈદ્ધાંતિક રીતે વધે છે, તો c નું કયું મૂલ્ય શક્ય છે ?

Hide | Show

જવાબ : c = 0.05


Zn  કોષના તાપમાનમાં ઘટાડો કરતાં કોષ-પોટૅન્શિયલમાં સૈદ્ધાંતિક રીતે કયો ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : ઘટશે.


25° સે તાપમાને  કોષ માટે અને  નાં મૂલ્યો અનુક્રમે 2.3629 V અને 2.36 V હોય, તો X= ..........

Hide | Show

જવાબ : 0.5 M


 પ્રક્રિયાનો પ્રમાણિત પોટૅન્શિયલ -1.23V અને 25° સે તાપમાને જો હોય, તો આ પ્રક્રિયાનો પોટૅન્શિયલ કેટલો હશે ? અથવા 25° સે તાપમાને શુદ્ધ પાણીનો ઑક્સિડેશન પોટૅન્શિયલ કેટલો થાય ?

Hide | Show

જવાબ : -0.817 V


Xe અને Fના સંયોજનમાં Xe (પરમાણ્વિય ભાર Xe = 133 u, F = 19 u) વજનથી 53.85 % છે, તો તે સંયોજનમાં Xeનો ઑક્સિડેશન આંક જણાવો.

Hide | Show

જવાબ : +6


(બેઝિક માધ્યમ) રેડોક્ષ પ્રક્રિયામાં  કુલંબ વિદ્યુતભારનો જથ્થો સંકળાય ત્યારે સૈદ્ધાંતિક રીતે કેટલા મોલ  પ્રક્રિયામાં વપરાયા હશે ?

(1 મોલ ઇલેક્ટ્રૉન = 96500 કુલંબ વિદ્યુતભાર)

Hide | Show

જવાબ : 10


વિદ્યુત રાસાયણિક કોષના ક્ષારસેતુમાં કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ ના કરી શકાય ?

Hide | Show

જવાબ : NHNO


ધાતુ Yના ક્ષારનું જલીય દ્રાવણ ધાતુ Xના પાત્રમાં ભરી શકાય છે અને ધાતુ Zની ક્ષારનું જલીય દ્રાવણ ધાતુ Yના પાત્રમાં ભરી શકાય છે, તો X, Y અને Zનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ઊતરતો ક્રમ જ્ણાવો.

Hide | Show

જવાબ : Z > Y > X


25° સે તાપમાને પ્રમાણિત સ્થિતિનો (i) ધાતુ Aનો સળિયો  માં ડુબાડવાથી ધાતુ A ઓગળતી નથી. (ii) ધાતુ Aના પાત્રમાં ધાતુ Cના ક્ષારનું જલીય દ્રાવણ  ભરી શકાતું નથી. (iii) ધાતુ Cની ચરમચીને માં ડૂબાડવાથી ધાતુ (iv) ચમચી પર જમા થાય છે. ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.

Hide | Show

જવાબ : B > A > C > D


તાંબાની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડુબાડતાં.....

Hide | Show

જવાબ : વાદળી રંગની તીવ્રતા વધે છે.


કૉપરસલ્ફેટ (CuSO)ના જલીય દ્રાવણમાં ઝિંક(Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી ક્યું અવલોકન મળે છે ?

(Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)

Hide | Show

જવાબ : દ્રાવણના વાદળી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.


ઝિંક(Zn) ધાતુના સળિયો કૉપરસલ્ફેટ (CuSO)ના જલીય દ્રાવણમાં ડુબાડવાથી કયું અવલોકન ના મળે ?

(Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)

Hide | Show

જવાબ : ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે.


ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે.કૉપરસલ્ફેટ (CuSO)ના જલીય દ્રાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી ક્યું અવલોકન મળે છે ?

(Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)

Hide | Show

જવાબ : દ્રાવણના વાદળી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.


સિલ્વર નાઈટ્રેટ (AgNO)ના દ્રાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ?

(Cu કરતાં Agનું પરમાણ્વિયદળ વધારે છે.)

Hide | Show

જવાબ : દ્રાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે.


સિલ્વર નાઇટ્રેટ (AgNO)ના દ્રાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી ક્યું અવલોકન નથી મળતું ?

(Cu કરતાં Agનું પરમાણ્વિયદળ વધારે છે.)

Hide | Show

જવાબ : Cu ધાતુના સળિયાનું વજન ઘટે છે.


Znની પટ્ટીને Cu(NO) જલીય દ્રાવણમાં ડુબાડતાં.....

Hide | Show

જવાબ : Znનું ઑક્સિડેશન થશે.


Cu(NO) ના જલીય દ્રાવણમાં Zn ધાતુની પટ્ટી મૂકતાં નીચેનામાંથી કયાં અવલોકન સાચાં છે ?

(i) દ્રાવણનો વાદળી રંગ ધીમે ધીમે આછો બને છે.

(ii) દ્રાવણમાં નાઇટ્રેટ આયન ( ) ની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે.

(iii) દ્રાવણમાં ઝિંક આયન () સાંદ્રતા વધે છે.

(iv) દ્રાવણમાં ક્યુપ્રિક આયનો () ડી વિસ્થાપન ઝિંક આયનો () દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : (i), (iii), (iv)


મિથાઇલ એસિટેટ (CHCOOCH અથવા CHO)માં આપેલમાંથી કયો ઑક્સિડેશન આંક ધરાવતો કાર્બન નથી ?

Hide | Show

જવાબ : +4


વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટૅન્શિયલનો આધાર શેના પર નથી ?

Hide | Show

જવાબ : ક્ષારસેતુમાં રહેલ પદાર્થ


 વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે ..........

Hide | Show

જવાબ : L.H.S. અર્ધ કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયલ ધીમે ધીમે ઘટે છે અને R.H.S. અર્ધ-કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયલ ધીમે ધીમે વધે છે.


કોષ પોટૅન્શિયલનું ચોક્કસ મૂલ્ય કયા સાધનથી માપી શકાય છે ?

Hide | Show

જવાબ : પોટૅન્શિયોમિટર


 કોષ માટે હોય, તો n = .......... .

Hide | Show

જવાબ : n=3


25° સે તાપમાને  અર્ધ-કોષનો ઑક્સિડેશન પોટૅન્શિયલ જણાવો.

Hide | Show

જવાબ : 0.177 V


જો હોય, તો xની કિંમત કઈ શક્ય છે ?

Hide | Show

જવાબ : 0.2 M


25° સે તાપમાને કોષનો વાસ્તવિક પોટૅન્શિયલ 1.295 V છે. 25° સે તાપમાને  નો પોટૅન્શિયલ 0.455 V હોય, તો તે તાપમાને કોષનો પોટૅન્શિયલ કેટલો હશે ?

Hide | Show

જવાબ : -0.84 V


 પ્રક્રિયાનો છે. જો નું સાંદ્રણ બમણું કરવામાં આવે, તો  માં શું ફેરફાર થાય ?

Hide | Show

જવાબ : કોઈ ફેરફાર ના થાય.


વિદ્યુત રાસાયણિક કોષનો પોટૅન્શિયલ ક્યારે શૂન્ય થાય ?

Hide | Show

જવાબ : ઍનોડનો અને કૅથોડનો  સમાન થાય ત્યારે


 વિદ્યુત રાસાયણિક કોષ માટે  હોય, તો C નું મૂલ્ય કયું હોઈ શકે છે ?

Hide | Show

જવાબ : 0.2M


 કોષ માટે નિયત તાપમાને કૅંથોડના દ્રાવણની સાંદ્રતામાં વધારો કરતા કોષ - પોટૅન્શિયલમાં શું ફેરફાર થશે ?

Hide | Show

જવાબ : ઘટશે.


 કોષમાં નિયત તાપમાને બંને દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 M નો ઘટાડો કરતાં કોષ-પોટૅન્શિયલ વધે છે, તો C નું મૂલ્ય જણાવો.

Hide | Show

જવાબ : 0.4 M


કોષ માટે C > C હોય, તો બંને અર્ધ-કોષનાં દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 M નો વધારો કરતાં કોષ-પોટૅન્શિયલમાં શું ફેરફાર થાય ?

Hide | Show

જવાબ : ઘટશે


 કોષમાં નિયત તાપમાને બંને દ્રાવણોની સાંદ્રતામાં સમાન 0.1 Mનો વધારો કરતાં કોષ-પોટૅન્શિયલ વધે છે, તો C નું મૂલ્ય જણાવો.

Hide | Show

જવાબ : 0.8 M


એક પ્રમાણિત અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે ક્ષારસેતુ દ્વારા જોડી પોટૅન્શિયોમિટર દ્વારા તેનો પોટૅન્શિયલ માપવામાં આવે છે. જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કૅથોડ તરીકે હોય, તો માપેલ પોટૅન્શિયલ શેના બરાબર હોય છે ?

Hide | Show

જવાબ : બીજા વિદ્યુતધુવનો


નર્નસ્ટ સમીકરણમાં આવતા પદ  નું મૂલ્ય 80° સે. તાપમાને કયું છે ?

Hide | Show

જવાબ : 0.07 V


નર્નસ્ટ સમીકરણમાં 25° સે તાપમાને મળતા અચળ મૂલ્ય 0.059નો એકમ જણાવો.

Hide | Show

જવાબ : વૉલ્ટ


 શોધવાનું સમીકરણ જ્ણાવો.

Hide | Show

જવાબ :


Al |  ||  | Pb કોષ માટે n = 3 લેવામાં આવે, તો Qનું મૂલ્ય કેટલું થાય ?

Hide | Show

જવાબ :


રેડોક્ષ પ્રક્રિયા એટલે શું ? તેની ઉપયોગિતા સમજાવો.

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતાં પ્રક્રિયકોના ઑક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેવી પ્રક્રિયાને રેડોક્ષ પ્રક્રિયા કહે છે. ઑક્સિડેશન અને રિડક્શન એકસાથે થતી પ્રક્રિયાને રેડોક્ષ પ્રક્રિયા કહે છે.

વિભિન્ન પદાર્થોના અભ્યાસને અને એક પદાર્થના બીજા પદાર્થમાં રૂપાંતરણના અભ્યાસને રસાયણવિજ્ઞાન કહે છે. આ રૂપાંતરણ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા થાય છે. રેડોક્ષ પ્રક્રિયાઓ આવી પ્રક્રિયાઓનો મહત્વનો વર્ગ છે. અનેક ભૌતિક અને જૈવિક પરિઘટનાઓ રેડોક્ષ પ્રક્રિયા સાથે સંબંધિત છે.

આ પ્રક્રિયાઓનો વ્યાપક રીતે ઔષધવિજ્ઞાનમાં, જીવવિજ્ઞાનમાં, ઔધોગિક ક્ષેત્રે, ધાતુકર્મવિજ્ઞાનમાં અને કૃષિવિજ્ઞાનમાં ઉપયોગ થાય છે. તેનું મહત્વ તે વાતથી સ્પષ્ટ છે કે તેમનો ઉપયોગ નીચેના ક્ષેત્રોની રેડોક્ષ પ્રક્રિયાઓમાં જેવી કે ઘરેલુ, પરિવહન તથા વ્યાવસાયિક ક્ષેત્રોમાં અનેક પ્રકારના ઇંધણના દહનથી ઊર્જા પ્રાપ્ત કરવા માટે, અતિક્રિયાશીલ ધાતુઓ અને અધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત- રાસાયણિક પ્રક્રિયામાં, કોસ્ટિક સોડા જેવા રસાયણોના ઉત્પાદનમાં, શુષ્ક અને ભીની બેટરીને કાર્યરત કરવામાં, ધાતુ ક્ષારણમાં થાય છે. હાલમાં હાઇડ્રોજન અર્થવ્યવસ્થા (ઇંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ) અને ઓઝોન સ્તરમાં ગાબડું' વગેરે જેવા પર્યાવરણના વિષયોમાં પણ રેડોક્ષ પ્રક્રિયા જોવા મળે છે.


ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા વિદ્યુતધ્રુવ ઉપર થતી રેડોક્ષ પ્રક્રિયાઓ સમજાવો.

Hide | Show

જવાબ :

એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં કૉપરના સળિયાને મૂકીએ તથા બીજા બીકરમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈ ઝિંકના સળિયાને મૂકીએ. તેથી બંને બીકરોમાં ધાતુ અને તેના ક્ષારના દ્રાવણના આંતરપૃષ્ઠ પર એક જ પ્રકારના રસાયણના રિડક્શન પામેલા અને ઑક્સિડેશન પામેલા સ્વરૂપો એક સાથે હાજર હોય છે. જે ઑક્સિડેશન અને રિડક્શન અર્ધપ્રક્રિયાઓમાં રહેલી સ્પીસિઝને દર્શાવે છે. ઑક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓમાં ભાગ લેતા પદાર્થોના ઑક્સિડેશન પામેલા અને રિડક્શન પામેલા સ્વરૂપોની એક સાથે હાજરીને રેડોક્ષ યુગ્મ (redox couple) કહેવામાં આવે છે.

આ ઑક્સિડેશન પામેલા સ્વરૂપને રિડક્શન પામેલા સ્વરૂપથી અલગ પાડવા સીધી કે ત્રાંસી લીટીનો ઉપયોગ કરવામાં આવે છે (દા.ત., ઘન/દ્રાવણ). આ ઉદાહરણમાં બે રેડોક્ષ યુગ્મોને Zn2+/ Zn અને Cu2+/ Cu  વડે દર્શાવાય છે.

બંને કિસ્સામાં ઑક્સિડેશન પામેલા સ્વરૂપને રિડક્શન પામેલા સ્વરૂપની પહેલા મૂકાય છે. હવે આપણે કૉપર સલ્ફેટ દ્રાવણવાળા બીકરને ઝિંક સલ્ફેટવાળા બીકરની બાજુમાં રાખીએ. હવે આપણે આ બે બીકરને ક્ષારસેતુ વડે જોડીએ (પોટેશિયમ ક્લોરાઇડ અથવા એમોનિયમ નાઇટ્રેટને અગાર-અગાર સાથે ઉકાળીને U આકારની નળીમાં ભરી, ઠંડું પાડી જેલી જેવું સ્વરૂપ બનાવવામાં આવે છે).

આ બંને દ્રાવણોને એકબીજામાં મિશ્ર કર્યા વિના વિદ્યુત સંપર્ક આપવામાં આવે છે. ઝિંક અને કૉપરના સળિયાઓને એમીટર તથા સ્વિચ દ્વારા ધાતુના તારથી જોડવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીને ડેનિયલ કોષ કહે છે. સ્વિચ બંધ હોય ત્યારે કોઈ પણ બીકરમાં કોઈ પ્રક્રિયા થતી નથી અને ધાતુના તારમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો નથી. સ્વિચને ચાલુ કરવાથી આપણને નીચેના અવલોકનો જોવા મળે છે.

  1. Zn થી ઇલેક્ટ્રૉનનું સ્થાનાંતર પ્રત્યક્ષ રીતે થતું નથી, પરંતુ બે સળિયાને જોડનાર ધાતુ તાર દ્વારા થાય છે. જેને તીર દ્વારા વિદ્યુતપ્રવાહના સ્વરૂપે દર્શાવેલું છે.
  2. એક બીકરમાં રાખેલા દ્રાવણથી બીજા બીકરમાં રાખેલા દ્રાવણ તરફ આયનોનું સ્થાનાંતર ક્ષાર સેતુ દ્વારા થાય છે. આપણે જાણીએ છીએ કે કૉપર અને ઝિંકના સળિયાઓ જે વિદ્યુતધ્રુવો તરીકે ઓળખાય છે, તેમની વચ્ચેના પોટેન્શિયલના તફાવતના કારણે વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થાય છે.

દરેક વિધુતધ્રુવના પોટેન્શિયલને વિદ્યુતધ્ુવ પોટેન્શિયલ કહે છે. જો વિદ્યુતપ્રુવની પ્રક્રિયામાં ભાગ લેતી પ્રત્યેક સ્પીસિઝ એકમ સાંદ્રતા ધરાવતી હોય (જો વિદ્યુતધ્રુવની પ્રક્રિયામાં કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય તો તે એક વાતાવરણ દબાણે હોવો જોઈએ.) અને પ્રક્રિયા 298 K તાપમાને થતી હોય તો દરેક વિદ્યુતધ્રુવના પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહે છે.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતપ્રુવનો પોટેન્શિયલ 0.00 વૉલ્ટ છે. દરેક વિદ્યુતપ્રુવ પ્રક્રિયા માટે વિદ્યુતપ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય સક્રિય સ્પીસિઝના ઓંક્સિડેશન પામેલા / રિડક્શન પામેલા સ્વરૂપોના સાપેક્ષ વલણનું માપ છે. E°ના ઋણ મૂલ્યનો અર્થ થાય છે કે રેડોક્ષ યુગ્મ, H+/ H2  યુગ્મની સરખામણીમાં પ્રબળ રિડક્શનકર્તા છે.


ઑક્સિડેશન પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઑક્સિજન/વિધુત ઋણમય તત્વ ઉમેરાય અથવા પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન/વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તેવી પ્રક્રિયાઓને ઑક્સિડેશન પ્રક્રિયા કહે છે.

ઉપરોક્ત પ્રક્રિયામાં Mg અને S ઑક્સિજનના ઉમેરાવાના કારણે ઑક્સિડેશન પામે છે.

Mg નું F, Cl જેવા વિદ્યુતઋણ તત્વો દ્વારા થતું ઑક્સિડેશન

પોટૅશિયમ ફેરોસાયનાઇડ

અહીં, પોટૅશિયમ ફેરોસાયનાઇડમાંથી K દૂર થવાની ક્રિયાને ઑક્સિડેશન કહે છે.


રિડક્શન પ્રકિયા એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઑક્સિજન/વિદ્યુતઋણમય તત્વના દૂર થવાની અથવા હાઇડ્રોજન/વિદ્યુતધનમય તત્વના ઉમેરાવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે.''

મરક્યુરિક ઑક્સાઇડમાંથી ઑક્સિજનનું દૂર થવું.

ફેરિક ક્લોરાઇડમાંથી વિદ્યુતઋણમય તત્વ ક્લોરિનનું દૂર થવું.

ઈથિનમાં હાઇડ્રોજનનું ઉમેરણ

મરક્યૂરિક ક્લોરાઇડમાં Hg નું ઉમેરાવું.


નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કે કોનું ઑક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે.

(i)

(ii)

(iii)

Hide | Show

જવાબ : (i) નું ઓક્સિડેશન થાય છે કારણ કે વધુ વિદ્યુતઋણમય ક્લોરિન પરમાણુ હાઇડ્રોજનમાં ઉમેરાય છે (અથવા S પાસેથી વધુ વિદ્યુતધનમય હાઈડ્રોજન પરમાણુ દૂર થાય છે) ક્લોરિનમાં હાઈડ્રોજન પરમાણુ ઉમેરાવાના કારણે ક્લોરિનનું રિડક્શન થાય છે.

(ii) ઍલ્યુમિનિયમનું ઑક્સિડેશન થાય છે કારણ કે ઑક્સિજન પરમાણુ તેમાં ઉમેરાય છે. ફેરસફેરિક ઑક્સાઇડ ()નું રિડક્શન થાય છે કારણ કે તેમાંથી ઑક્સિજન દૂર થાય છે.

(iii) માત્ર વિદ્યુતઋણતાની સંકલ્પનાના કાળજીપૂર્વકના ઉપયોગથી આપણે તારણ કાઢી શકીએ કે સોડિયમનું ઑક્સિડેશન અને હાઈડ્રોજનનું રિડક્શન થાય છે.

રેડોક્ષ પ્રક્રિયાને અલગ રીતે વ્યાખ્યાયિત કરવા માટે પ્રક્રિયા (iii) ને અહીં પસંદ કરવામાં આવી.


ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : જે પ્રક્રિયક ઇલેક્ટ્રૉનનો સ્વીકાર કરે છે અને તે રિડક્શન પામતો હોવાથી તેને ઑક્સિડેશનકર્તા કહે છે.

જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તે ઑક્સિડેશન પામતો હોય તેને રિડક્શનકર્તા કહે છે.

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયા છે.


કૉપર નાઇટ્રેટના દ્રાવણમાં Zn ધાતુનો સળિયો મૂકતાં થતી રાસાયણિક પ્રકિયા લખો.

Hide | Show

જવાબ :  

કૉપર નાઈટ્રેટના દ્રાવણમાં Zn ધાતુનો સળિયો મૂકી રાખતાં વાદળી રંગ ઝાંખો પડે છે અને લાંબા સમયે ઝિંકનો સળિયો લાલાશ પડતો બને છે અને દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે.

જ્યારે દ્રાવણમાંથી  નું રિડક્શન થઈ કૉપર, Znની પટ્ટી ઉપર જમા થાય છે આથી દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અને આયન ધરાવતું દ્રાવણ બને છે જે રંગવિહીન હોય છે.

જો રંગવિહીન દ્રાવણમાં હાઈડ્રોજન સલ્ફાઇડ વાયુને પસાર કરવામાં આવે તો તેમાં બનતો સફેદ રંગનો ZnS તે દ્રાવણને એમોનિયા દ્વારા આલ્ક્લાઇન બનાવવાથી જોવા મળે છે.


AgNO ના દ્રાવણમાં Cuનો સળિયો મૂકતાં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.

Hide | Show

જવાબ :  

Cu ધાતુનો સળિયો AgNO ના દ્રાવણમાં ડુબાડવાથી Cu ધાતુ વડે આયનોનું રિડક્શન થાય છે. આથી Ag ધાતુ Cuના સળિયા ઉપર જમા થાય છે.

પ્રક્રિયામાં Cu પરમાણુઓનું ઑક્સિડેશન  આયનોમાં થતાં Cu ધાતુના સળિયાનું વજન ઘટે છે અને પ્રયોગના અંતે દ્રાવણમાં  આયનો ઉમેરાતાં કૉપર નાઇટ્રેટનું દ્રાવણ બને છે. આથી દ્રાવણ વાદળી રંગનું બને છે.


ઑક્સિડેશન આંક એટલે શું ? ઑક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો સમજાવો.

Hide | Show

જવાબ : અણુ, પરમાણુ કે આયનમાં કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા કેટલા ઇલેક્ટ્રૉન ગુમાવે છે તે દર્શાવતા આંકને ઑક્સિડેશન આંક કહે છે. ઑક્સિડેશન આંક કોઈ પણ પરમાણુની ઑક્સિડેશન અવસ્થાએ તે પરમાણુ પરના વીજભારનો આંક સૂચવે છે. સાદા આયોનિક સંયોજનોમાં રહેલાં તત્વોના ઑક્સિડેશન આંક તે તત્વ પર રહેલા વીજભારને સમાન હોય છે.

મુક્ત અને બિનસંયોજિત પરમાણુનો ઑક્સિડેશન આંક શૂન્ય હોય છે. દા.ત., HH, O, CCl,LO N, Na, Mg, Al, S, P વગેરેમાં દરેક પરમાણુનો ઑક્સિડેશન આંક શૂન્ય હોય છે.

એક પરમાણ્વીય આયનનો ઑક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે. તેથી

 નો ઑક્સિડેશન આંક = +1

 નો ઑક્સિડેશન આંક = +2

 નો ઑક્સિડેશન આંક = +3

 નો ઑક્સિડેશન આંક = -1

 નો ઑક્સિડેશન આંક = -2

 નો ઑક્સિડેશન આંક = -1

દા.ત. :

સંયોજનોમાં રહેલા બધા જ પરમાણુઓના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો શુન્ય થાય છે.

બહુપરમાણ્વીય આયનમાં બધા પરમાણુઓના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે. દા.ત.,  માં રહેલા ત્રણ ઓક્સિજન અને એક કાર્બન પરમાણુના ઑક્સિડેશન આંકનો બૈજિક સરવાળો -2 થાય છે.


સ્ટૉક નોટેશન પદ્ધતિ ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : રસાયણવિજ્ઞાનમાં ધાતુ સંયોજનોના નામકરણ વખતે તેના તત્વોની ઑક્સિડેશન અવસ્થાનો ઉપયોગ કરતા હતા. આ નામકરણ પદ્ધતિ સ્ટોક નોટેશન તરીકે જાણીતી છે.

જેમાં ધાતુના નામના છેડે ધાતુનો ઑક્સિડેશન આંક ( ) કૌંસમાં રોમન અંકથી દર્શાવાય છે.

આ પદ્ધતિનો ઉપયોગ ધાતુ તત્વો માટે થાય છે જ્યારે અધાતુ તત્વો માટે થતો નથી.

       કૉપર (I) ઑક્સાઈડ

         કૉપર (II) ઑક્સાઈડ

         આયર્ન (II) ઑક્સાઇડ

      આયર્ન (III) ઑક્સાઇડ

    સોડિયમ ક્રોમેટ (VI)

    પોટૅશિયમ ડાયક્રોમેટ (VI)

        વેનેડિયમ (V) ઑક્સાઇડ

       ક્રોમિયમ (III) ઑક્સાઇડ

       આયર્ન (II) સલ્ફેટ

      પોટૅશિયમ પરમૅગેનેટ (VII)

      મૅગેનીઝ (VII) ઑક્સાઈડ


સલ્ફર ડાયૉક્સાઇડ અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ તેઓની પ્રક્રિયામાં ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા એમ બંને રીતે પ્રક્રિયા કરે છે જ્યારે ઓઝોન અને નાઇટ્રિક ઍસિડ માત્ર ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. શા માટે ?

Hide | Show

જવાબ : (a) SO : SO માં Sનો ઑક્સિડેશન આંક +4 છે. S એ ન્યૂનતમ -2 અને મહત્તમ +6 ઑક્સિડેશન આંક ધરાવી શકે છે. તેથી SO માં S નો ઑક્સિડેશન આંક વધી અથવા ઘટી શકે છે. તેથી S એ ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે.

(b) HO : HOમાં O નો ઓક્સિડેશન આંક -1 છે. સામાન્ય રીતે O નો ન્યૂનતમ ઑક્સિડેશન આંક -2 અને મહત્તમ ઑક્સિડેશન આંક O છે. (અપવાદ : OFમાં Oનો ઑક્સિડેશન આંક અનુક્રમે -1 અને +2 ગણવો.).

આથી HOમાં O નો ઑક્સિડેશન આંક -1 થી વધીને O થાય અને -1 થી ઘટીને -2 થાય. આમ, HO એ ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વતે છે.

(c) O : O માં Oનો ઑક્સિડેશન આંક શુન્ય છે. આથી અહીં O નો ઑક્સિડેશન આંક શુન્યથી ઘટીને -1 અથવા -2 થાય છે. આથી ફક્ત ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.

(d) HNO : HNOમાં N ઑક્સિડેશન આંક +5 છે. તેથી તેનો ઑક્સિડેશન આંક ફક્ત ઘટી શકે છે. આથી HNO ફક્ત ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

રેડોક્ષ પ્રક્રિયાઓ

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.