GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

LHC નું પૂરું નામ જણાવો.

Hide | Show

જવાબ : લાર્જ હેડ્રોન કોલાઇડર


ન્યુક્લિયર રિઍક્ટર કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

Hide | Show

જવાબ : નિયંત્રિત ન્યુક્લિયર ફિશન


હાઈડ્રોજન પરમાણુનું ક્વૉન્ટમ મૉડેલ કયા વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું.

Hide | Show

જવાબ : નીલ્સ બોહ્‌ર


‘પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગ છે.’ આ શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

Hide | Show

જવાબ : મૅક્સવેલ


ન્યુટ્રૉન એ કયા સુક્ષ્મ કણોનો બનેલો છે ?

Hide | Show

જવાબ : ક્વાર્ક્‌સ


પ્રોટોન કયાં કણોના બનેલા હોવાનું માનવામાં આવે છે.

Hide | Show

જવાબ : ક્વાર્ક્‌સ


ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં ગતિ, બળ, કાર્ય વગેરેના મૂળભૂત અભ્યાસોની વાત થાય છે ?

Hide | Show

જવાબ : યંત્રશાસ્ત્ર


મૂળભૂત બળોમાં પ્રબળતાની દ્રષ્ટિએ કયું બળ સૌથી નબળું છે ?

Hide | Show

જવાબ : ગુરુત્વાકrર્ષી બળ


ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુતચુંબકીય બળ કેટલા ગણું વધારે પ્રબળ છે?

Hide | Show

જવાબ : 1036


પૃથ્વીની સપાટીથી એક્સરખી ઊંચાઈએ આવેલા 10kg અને 100kg દળના બે પદાર્થો પર પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળનાં મૃલ્ય અનુક્રમે F₁ અને F₂ હોય, તો F1F2= .......................થાય.

Hide | Show

જવાબ : 101


પદાર્થના કયા ગુણધર્મને કારણે વિદ્યુતબળ ઉદ્‌ભવે છે?

Hide | Show

જવાબ : વીજભાર


ગુરુત્વાકર્ષણ એ પદાર્થના કયા ગૃણધર્મને કારણે ઉદ્‌ભવતું આકર્ષણ બળ છે?

Hide | Show

જવાબ : દળ


જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ...... શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.

Hide | Show

જવાબ : બળ


સ્ટ્રૉગ ન્યુક્લિયર બળ એ વિદ્યુતચુંબકીય બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે ?

Hide | Show

જવાબ : 102


સ્ટ્રૉગ ન્યુક્લિયર બળ એ  વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે ?

Hide | Show

જવાબ : 1013 


વીજચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રને કોણે એકત્રિત કર્યા ?

Hide | Show

જવાબ : મૅક્સવેલ


ગુરુત્વાકર્ષી બળ વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું છે.

Hide | Show

જવાબ : 10-25


વિધુતચુંબકીય બળ કેવા પ્રકારનું છે.

Hide | Show

જવાબ : આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે


કયું બળ એ પદાર્થના દળને કારણે ઉદ્‌ભવતું બળ છે.

Hide | Show

જવાબ : ગુરુત્વાકર્ષી


જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટૉર્ક શૂન્ય હોય, તો તંત્રનું કુલ ............ અચળ રહે છે.

Hide | Show

જવાબ : કોણીય વેગમાન


વીક ન્યુક્લિયર બળનો વિસ્તાર કયા ક્રમનો છે ?

Hide | Show

જવાબ : 10-19


બે પ્રોટોન વચ્ચે આપેલ અંતર માટે લાગતું વિદ્યુતીય બળ તેમની વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષી બળ કરતાં કેટલાં ગણું છે.

Hide | Show

જવાબ : 1036


અંગ્રેજીમાં ભૌતિક વિજ્ઞાન માટે વપરાતો શબ્દ ’Physics’ એ 'પ્રફૃતિ' એવો અર્થ ધરાવતા કયા શબ્દ પરથી આવ્યો છે.

Hide | Show

જવાબ : ગ્રીક


સમયના માપક્રમનો વિસ્તાર કેવી રીતે મેળવી શકાય ?

Hide | Show

જવાબ : લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં.


યંત્રશાસ્ત્ર ન્યૂટનની ગતિના નિયમો અને બીજા કયા નિયમ પર આધારિત છે.

Hide | Show

જવાબ : ગુરુત્વાકર્ષણ


સૌપ્રથમ વાર કયા વૈજ્ઞાનિકે પ્રતિકણના ખ્યાલને સૈદ્ધાંતિક રીતે રજૂ કયૉ.

Hide | Show

જવાબ : પૉલ ડિરાક


ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રના સિદ્ધાંત કઈ ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે.

Hide | Show

જવાબ : ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રના સિદ્ધાંત પરમાણ્વીય, આણ્વીય અને ફોટો-ઇલેક્ટ્રિક ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે.


વિજ્ઞાનના પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે શાનો વિકાસ થયો છે ?

Hide | Show

જવાબ : ક્વૉન્ટમ મિકેનિક્સ


જ્યારે વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળને કયા નિયમ દ્વારા નક્કી કરી શકાય છે.

Hide | Show

જવાબ : કુલંબ


પ્રાકૃતિક વિજ્ઞાનના વિભાગોમાં કયો એક મુખ્ય વિભાગ છે.

Hide | Show

જવાબ : ભૌતિક વિજ્ઞાન


ભૌતિકશાસ્ત્રના સુક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે?

Hide | Show

જવાબ : ભૌતિકશાસ્ત્રના સુક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં પરમાણ્વીય, આણ્વીય અને ન્યુક્લિયરની ઘટનાઓનો સમાવેશ થાય છે.


એન્ટેનાની કાર્યપદ્ધતિ અને આયનોસ્ફિયરમાં રેડિયોતરંગોના પ્રસરણનો અભ્યાસ કઈ શાખામાં થાય છે.

Hide | Show

જવાબ : ઇલેક્ટોડાઇનેમિક્સ


AFMFMFM નું પૂરું નામ જણાવો.

Hide | Show

જવાબ :  ઍટમિક ફોર્સ માઈક્રોસ્કોપ


બ્રહ્માંડ શાનું બનેલું છે ?

Hide | Show

જવાબ : દ્રવ્ય અને વિકિરણ


અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?

Hide | Show

જવાબ : કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ


ન્યુક્લિયસમાંથી β- કણના ઉત્સર્જન દરમિયાન કયા ક્ણોનું ઉત્સર્જન થાય છે?

Hide | Show

જવાબ : ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રિનો


ન્યુક્લિયસમાં ન્યૂટ્રૉન અને પ્રોટોન વચ્ચે કયું બળ લાગે છે.

Hide | Show

જવાબ : સ્ટ્રૉગ ન્યુક્લિયર બળ


પરમાણુનું ન્યુક્લિયસ કયા મૂળભૂત કણોનું બનેલું છે?

Hide | Show

જવાબ : પ્રોટોન અને ન્યૂટ્રૉન


સમય એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?

Hide | Show

જવાબ : ઊર્જા-સંરક્ષણનો નિયમ


અવકાશ એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયા નિયમ મળે છે?

Hide | Show

જવાબ : રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ


અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?

Hide | Show

જવાબ : કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ


β - ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ...... નું ઉત્સર્જન કરે છે.

Hide | Show

જવાબ : ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન


ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે છે ?

Hide | Show

જવાબ : ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર પ્રોટોન-પ્રોટોન, પ્રોટોન-ન્યુટ્રૉન અને ન્યુટ્રૉન-ન્યુટ્રોન વચ્ચે લાગે છે.


ઇલેક્ટ્રૉમેગ્નેટિક ફોર્સ એ ...... છે.

Hide | Show

જવાબ : આકર્ષી બળ અને અપાકર્ષી બળ


 ...... એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ?

Hide | Show

જવાબ : ઈલેક્ટ્રૉડાઇનેમિક્સ


ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ...... ગણાવે છે.

Hide | Show

જવાબ : અવસ્થા


ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ ...... સુધીનો છે.

Hide | Show

જવાબ : શૂન્યથી અનંત


ESR નું પૂરું નામ જણાવો.

Hide | Show

જવાબ : ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ


...... પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?

Hide | Show

જવાબ : અવકાશ સમાંગ છે તેના


સમય એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?

Hide | Show

જવાબ : ઊર્જા-સંરક્ષણનો નિયમ


વિજ્ઞાન એટલે શું ? વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું ?

Hide | Show

જવાબ : સાયન્સ (Science) શબ્દનો ઉદ્‌ભવ લૅટિન ભાષાના શબ્દ સિન્ટિયા (Scientia) પરથી થયો છે. જેનો અર્થ છે ‘જાણવુ’. સંસ્કૃત ભાષાનો શબ્દ ‘વિજ્ઞાન' તથા અરબી ભાષાનો શબ્દ ‘ઈલ્મ' પણ આ જ અર્થ વ્યક્ત કરે છે. જેનો અર્થ છે જ્ઞાન'.

વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે અને આ રીતે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનામાં આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે.

આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા અને આગાહી કરવી તે વિજ્ઞાન છે. વિશ્વને સમજવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિનાં રહસ્યોને ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધન તરફનું પ્રથમ પગલું છે.

વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતરસંબંધ ધરાવતા કેટલાક પદ : પદ્ધતિસરનાંઅવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતિક નમૂના (મોડલિંગ), આગાહીઓ, સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવાનો સમાવેશ થાય છે. અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને છે જ્યારે તેને સંબંધિત અવલોકનો અથવા પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય.


ટૂંકનોંધ લખો : વિદ્યુતચુંબકીય બળ

Hide | Show

જવાબ : ​​​​​​​વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતાં બળને વિદ્યુતચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. સરળ કિસ્સામાં જ્યારે વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં હોય છે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કુલંબના નિયમ પરથી મળે છે.

વિજાતીય વીજભારો વચ્ચે આ બળ આકર્ષી અને સજાતીય વીજભારો વચ્ચે આ બળ અપાકર્ષી પ્રકારનું હોય છે જ્યારે વીજભારો ગતિમાં હોય છે ત્યારે તે ચુંબકીય અસર નીપજાવે છે અને ચુંબકીયક્ષેત્ર ગતિશીલ વીજભારો પર બળ લગાડે છે.

વિધુત અને ચુંબકીયક્ષેત્રની આ સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોવાથી આ બળને વિધ્યુતચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે.

 ગુરુત્વાકર્ષણ બળની માફક વિદ્યુતચુંબકીય બળ પણ ગુરુઅંતરિય બળ છે તથા તેને લાગવા માટે તેમની વચ્ચે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં અતિશય પ્રબળ બળ છે. નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષીબળ કરતાં વિદ્યુતબળ 1036 ગણું મોટું હોય છે.

દ્રવ્ય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેના જેવા બીજા વીજભારિત મૂળભૂત કણોનુ બનેલું છે. વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું વધુ પ્રબળ હોવાથી આણ્વીક અને પરમાણ્વીક સ્તરે થતી ઘટનાઓમાં વિદ્યુતચુંબકીય બળનું પ્રભુત્વ વધુ છે.

આમ પરમાણુ અને અણુઓની સંરચના, રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર તથા દ્રવ્યની યાંત્રિક, ઉષ્મીય અને અન્ય લાક્ષણિકતાઓનું સંચાલન મુખ્યત્વે વિદ્યુતચંબકીય બળ દ્વારા જ થાય છે. તણાવબળ, ઘર્ષણબળ, લંબબળ અને સ્પ્રિંગમાં ઉદભવતાં બળો જેવાં સ્થૂળ બળોના પાયામાં વિદ્યુતચુંબકીય બળ રહેલું છે.


સિદ્ધાંત તથા અવલોકનો એકબીજાની આંતરક્રીડા એ વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે. સમજાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​સિદ્ધાંત તથા અવલોકનો (અથવા પ્રયોગો)નો એકબીજાની આંતરક્રીડા (Interplay) વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે. વિજ્ઞાન હંમેશાં ગતિશીલ (Dynamic) છે. વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી તથા વૈજ્ઞાનિકોમાંથી કોઈને નિર્વિવાદિત સત્તા હોતી નથી.

જેમ જેમ અવલોકનોની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય અથવા પ્રયોગો દ્વારા નવાં પરિણામો પ્રાપ્ત થાય તેમ તેમ સિદ્ધાંતોએ જરૂર હોય તો પોતાનામાં ફેરફાર કરીને પણ તેમને સમજાવવાં જોઈએ. ઘણી વાર ફેરફારો મોટા હોતા નથી અને પ્રવર્તમાન સિદ્ધાંતોનાં માળખામાં જ હોય છે.

ટાઈકો બ્રાહે (1546-1601) દ્વારા ગ્રહોની ગતિને સંબંધિત એકત્રિત કરેલ વિસ્તૃત માહિતીનું, જોહાનીસ કેપ્લરે (1571-1630) પરીક્ષણ કર્યું તો, આ તમામ માહિતી, નિકોલસ કોપરનિક્સે આપેલ સૂર્યકેન્દ્રીયવાદ (જેમાં સૂર્ય સમગ્ર સૂર્યમાળાનાં કેન્દ્રમાં સ્થિર છે)ની વર્તુળાકાર કક્ષાઓને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાઈ.ઘણી વાર પ્રવર્તમાન સિદ્ધાંતો નવાં અવલોકનોને સમજાવવા માટે અસમર્થ હોય છે. આને કારણે વિજ્ઞાનમાં મોટા ખળભળાટ મચે છે.

 વીસમી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે તે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણ્વીય ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં અસમર્થ નીવડ્યો. આ જ રીતે પ્રકાશનું તરંગસ્વરૂપ ફોટોઇલેક્ટ્રિક લાક્ષણિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે ધરમૂળથી નવા સિદ્ધાંતોનો (ક્વૉન્ટમ મિકેનિક્સ) વિકાસ થયો.

જેવી રીતે કોઈ નવો પ્રયોગ વૈકલ્પિક રીતે સૈદ્ધાંતિક નમૂના (પ્રતિકૃતિ)ઓનું સૂચન કરે છે, તે જ રીતે કોઈ સિદ્ધાંતની પ્રગતિ, કેટલાક પ્રયોગોમાંથી કેવાં અવલોકનો મેળવવાં જોઈએ તેમ સૂચવે છે.

અર્નેસ્ટ રધરકફોર્ડે (1871-1934) 1911માં સોનાના વરખ પર આલ્ફા-કણોનાં પ્રકીર્ણનના પ્રયોગનાં પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ સ્થાપિત કર્યું. આ મોડેલ નીલ્સ બ્હોરે (1885-1962) 1913માં આપેલ હાઇડ્રોજન પરમાણુના ક્વૉન્ટમવાદનો પાયો બન્યું.

બીજી તરફ પૉલ ડિરાકે (1902થી 1984) 1930માં પ્રતિકણના ખ્યાલને સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો, જેનાં બે વર્ષ બાદ કાર્લ એન્ડરસને પોઝીટ્રોન(ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ )ની પ્રાયોગિક શોધ દ્વારા તેની પુષ્ટિ કરી.


ભૌતિક વિજ્ઞાન એટલે શું ? ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે કઈ બે વિચારધારાઓ પર અભ્યાસ કરવામાં આવે છે ? ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​ભૌતિક વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનના વિભાગોમાં એક મુખ્ય વિભાગ છે. આ વિભાગોમાં રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. ભૌતિકવિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘Physics’ એ ‘પ્રકૃતિ' એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃત શબ્દ ‘ભૌતિકી' પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ‘ભૌતિકવિજ્ઞાન' શબ્દનો ઉપયોગ થયો. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિકવિજ્ઞાન કહી શકીએ.

ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે બે વિચારધારાઓ પર અભ્યાસ કરવામાં આવે છે. એકીકીકરણ (Unification) અને ન્યૂનીકરણ (Reductionism).

એકીકીકરણ (Unification):

ભૌતિકવિજ્ઞાન અંતર્ગત આપણે જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પના અને નિયમોનાં પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો ઉદેશ જુદાં જુદાં પ્રભાવક્ષેત્રો (domain) અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને સાંકળવાનો પ્રયત્ન છે.

દા.ત., (ન્યૂટને આપેલ) ગુરુત્વાકર્ષણનો નિયમ, જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિને સમજાવે છે. આ જ રીતે વિદ્યુતચુંબકત્વ માટેનો મૂળભૂત સિદ્ધાંત (મેક્સવેલ સમીકરણ) તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે.

ન્યૂનીકરણ (Reductionism):

કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેનાં સાદાં ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે અને તે ભૌતિકવિજ્ઞાનનું હાદ છે.

 દા.ત., ઓગણીસમી સદીમાં વિક્સેલ વિષય થરમૉડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિકરાશિઓનાં પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે છે. ત્યાર બાદ ગતિવાદ અને સ્ટેટેસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળતંત્રનાં આણ્વીય ઘટકોના ગુણધર્મોનાં પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. જેમકે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિઊર્જા સાથે સંકળાયેલ છે.


ભૌતિક વિજ્ઞાનનાં મૂળભૂત બે પ્રભાવક્ષેત્રો કયાં કયાં છે ? તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ​​​​​​​ભૌતિકવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ભૌતિકવિજ્ઞાનની જુદી જુદી વિધ્યાશાખાઓ દ્વારા મેળવી શકાય છે. મૂળભૂત રૂપે તેનાં બે રસપ્રદ પ્રભાવક્ષેત્રો છે. સ્થૂળ અને સૂક્ષ્મ.

સ્થૂળ પ્રભાવક્ષેત્ર:

સ્થૂળ પ્રભાવક્ષેત્રમાં પૃથ્વી પરની તથા ખગોળિય સ્તરની ઘટનાઓનો સમાવેશ પ્રયોગશાળામાં થાય છે.

પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics)માં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ થાય છે. જેમાં યંત્રશાસ્ત્ર (Mechanics), ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics), પ્રકાશશાસ્ત્ર (Optics) અને થરમૉડાયનેમિક્સ (Thermodynamics) જેવી વિધાશાખાઓનો સમાવેશ થાય છે.

સૂક્ષ્મ પ્રભાવક્ષેત્ર:

ભૌતિકવિજ્ઞાનના સુક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે (લંબાઈના પણ સુક્ષ્મ સ્તરે) પરમાણુઓ અને ન્યૂક્લિયસનાં દ્રવ્યનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

 પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics) આ સુક્ષ્મ પ્રભાવક્ષેત્રને સમજાવવા માટે અપૂરતું છે. જ્યારે સૂક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં પરમાણ્વીક, આણ્વીક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે.


પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.

Hide | Show

જવાબ : ​​​​​​​પ્રચલિત ભૌતિકવિજ્ઞાન (Classical Physics)માં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ થાય છે. જેમાં યંત્રશાસ્ત્ર (Mechanics), ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics), પ્રકાશશાસ્ત્ર (Optics) અને થરમૉડાયનેમિક્સ (Thermodynamics) જેવી વિધાશાખાઓનો સમાવેશ થાય છે.

યંત્રશાસ્ત્ર (Mechanics):

ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત યંત્રશાસ્ત્ર એ કણોની ગતિ, દઢ તથા વિરુપણશીલ પદાર્થની ગતિ તથા કણોના વ્યાપક તંત્રની સાથે સંકળાયેલ છે. જેટ દ્વારા બહાર નીકળતા વાયુ વડે રૉકેટનું આગળ વધવું, હવામાં પ્રસરતા ધ્વનિતરંગો અથવા પાણીના તરંગો તથા બોજ હેઠળ વળીને રહેલા સળિયાનું સંતુલન વગેરે યંત્રશાસ્ત્ર સંબંધિત સમસ્યાઓ છે.

ઇલેક્ટ્રૉડાયનૅમિક્સ (Electrodynamics):

 ઇલેક્ટ્રાંડાયનેમક્સિ એ વિધુતભાર અને ચુંબકીય પદાર્થ સાથે સંકળાયેલ વિધુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. કુલંબ, ઓર્સ્ટેડ, ઍમ્પિયર અને ફેરેડેએ તેના પાયાના નિયમો આપ્યા. આ નિયમોને મેક્સવેલે તેનાં પ્રચલિત સમીકરણોમાં સમાવેશ કરી અનુમોદિત કર્યા.

ચુંબકીય ક્ષેત્રમાં વીજપ્રવાહધારિત સુવાહકની ગતિ, પ્રત્યાવર્તી વૉલ્ટેજ (ac વૉલ્ટેજ) માટે પરીપથની વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આયનોસ્ફિયરમાં રેડિયોતરંગોનું પ્રસરણ વગેરે સમસ્યાઓનો સમાવેશ ઇલેક્ટ્રૉડાયનેમિક્સમાં થાય છે.

પ્રકાશશાસ્ત્ર (Optics):

પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ થાય છે. માઇક્રોસ્કૉપ અને ટેલિસ્કૉપની કાર્યપદ્ધતિ, પાતળી ફિલ્મ (કપોટી) વડે પ્રદર્શિત રંગો વગેરે પ્રકાશશાસ્ત્રના વિષયાંગો છે.

થરમૉડાયનેમિક્સ (Thermodynamics):

યંત્રશાસ્ત્રથી વિરુદ્ધ થરમૉડાયનેમિક્સમાં સમગ્ર રીતે પદાર્થોની ગતિનો વિચાર કરવામાં આવતો નથી. પરંતુ તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપ-લે દ્વારા તંત્રનાં તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફારો વિશે વિચારવામાં આવે છે.

ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટરોની કાર્યક્ષમતા, ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાની દિશા વગેરેનો અભ્યાસ થરમૉડાયનેમક્સિમાં કરવામાં આવે છે.


ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે. સમજાવો.

Hide | Show

જવાબ : ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તરેલું છે. તે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ઊર્જા જેવી ભૌતિક રાશિઓનાં આશ્ચર્યજનક મૂલ્યોને આવરી લે છે. ભૌતિકવિજ્ઞાનમાં એક તરફ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે સાથે સંકળાયેલ લંબાઈમાં અતિસૂક્ષ્મ માપક્રમ પર (10-14 m કે તેથી પણ નાની) ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે.

તેનાંથી વિરુદ્ધ બીજી તરફ તેમાં વિશાળ ફલક પર આકાશગંગા અથવા સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલ ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જેના વિસ્તાર 1026 m ના માપક્રમનો છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 1040ના ક્રમનો કે તેનાથી વધુ છે.

લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયના માપક્રમનો વિસ્તાર 10-20s થી 1018s જેટલો મળે છે. દ્રવ્યમાનનો વિસ્તાર 10-30kg (ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન)થી 1055kg (જ્ઞાત અવલોકનીય વિશ્વનું દ્રવ્યમાન) જેટલો છે.


ટૂંકનોંધ લખો : ભૌતિક વિજ્ઞાનની ઉત્તેજના

Hide | Show

જવાબ : ​​​​​​​ભૌતિકવિજ્ઞાન ઘણીબધી રીતે ઉત્તેજનાત્મક છે. ભૌતિકવિજ્ઞાન કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ તથા નિયમો વડે વિશાળ શ્રોણીનાં પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓને સમાવતી ઘટનાઓને સમજાવી શકે છે. આ તથ્યોને લઈને કેટલીક વ્યક્તિઓ પાયાના સિદ્ધાંતોની સુઘડતા અને સર્વવ્યાપકતાના સંદર્ભે ઉત્તેજના અનુભવે છે.

જ્યારે કેટલાક લોકો કુદરતનાં ગૂઢ રહસ્યો જાણવા કલ્પનાશીલ નવા પ્રયોગો કરવાનો પડકાર, સિદ્ધાંતોની ચકાસણી કે અસ્વીકૃતિમાં ઉત્તેજના અનુભવે છે.

સમાનરૂપે પ્રયોજિત ભૌતિકવિજ્ઞાન (Applied Physics) એટલું જ મહત્વનું છે. ભૌતિકવિજ્ઞાનમાં નિયમોનું ઉપયોજન અને પૂરેપૂરા ઉપયોગ દ્વારા ઉપયોગી રચનાઓ (Devices) બનાવવી તે રસપ્રદ અને ઉત્તેજક છે. તે માટે કુશળતા અને ખંતપૂર્વકના પ્રયત્નો જરૂરી છે.


ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું રહસ્ય શું છે ?

Hide | Show

જવાબ : ​​​​​​​છેલ્લી કેટલીક સદીઓમાં ભૌતિકવિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું શું રહસ્ય છે ? આ પ્રગતિ મૂળભૂત ધારણાઓ સાથે ઘતા ફેરફારોને સંલગ્ન છે. વૈજ્ઞાનિક પ્રગતિ માટે ગુણાત્મક વિચારો હોવા જોઈએ તે મહત્વનું છે. પરંતુ પર્યાપ્ત નથી. ખાસ કરીને ભૌતિકવિજ્ઞાનમાં માત્રાત્મક અવલોકનો મહત્વનાં છે. કારણ કે કુદરતી નિયમો ચોક્કસ ગાણિતીક સમીકરણો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

ભૌતિકવિજ્ઞાનના પાયાના નિયમો સાર્વત્રિક છે અને તે જુદા જુદા વિશાળ સંદર્ભોમાં પણ લાગુ પાડી શકાય છે, આ બીજી મહત્વની કોઠાસૂઝ હતી અને છેલ્લે અંદાજ લગાવવાની વ્યૂહરચના ખૂબ જ સરળ રહી છે.

રોજિંદા જીવનમાં મોટા ભાગની ઘટનાઓ, પાયાના નિયમોની જટિલ અભિવ્યક્તિ હોય છે. કોઈ એક ઘટનાનાં જુદાં જુદાં પાસાઓમાંથી ઓછી મહત્વપૂર્ણ બાબતો કરતાં વધુ મહત્વપૂર્ણ બાબતોને વૈજ્ઞાનિકો અલગ તારવવાનું વધુ મહત્વનું સમજે છે.

એક સારી પ્રયુક્તિ એ છે કે, પ્રથમ કોઈ ઘટનાનાં અતિઆવશ્યક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેના મૂળ સિદ્ધાંતો શોધવામાં આવે અને ત્યાર બાદ તેમાં જરૂરી સુધારા કરીને વધુ શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધાંત રચવામાં આવે છે.

ઉદાહરણ તરીકે લાંબી અને શૂન્યાવકાશીત નળીમાં પથ્થર અને પીંછાનું મુક્તપતન કરાવવામાં આવે, તો બંને લગભગ એકસરખા દરથી મુક્તપતન પામે છે. આ પરથી મૂળ નિયમ મેળવી શકાય છે કે, ગુરુત્વપ્રવેગ પદાર્થનાં દળ પર આધારિત નથી. આ રીતે મેળવેલ નિયમ માટે ફરીથી પીંછાંનાં મુક્તપતનનો કિસ્સો વિચારીએ, તો હવાના અવરોધનો સુધારો વર્તમાન સિદ્ધાંતમાં લાગુ પાડી, પૃથ્વી પર મુક્તપતન પામતા પદાર્થો માટે વધુ વાસ્તવિક સિદ્ધાંત મેળવી શકાય છે.


ભૌતિક વિજ્ઞાન અને ટેક્‌નોલૉજી વચ્ચેનો સંબંધ ચર્ચો.

Hide | Show

જવાબ : ​​​​​​​ભૌતિકવિજ્ઞાન, ટેક્નોલૉજી અને સમાજ વચ્ચેનો સંબંધ ઘણાં- બધાં ઉદાહરણોમાં જોઈ શકાય છે. ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને તેમાં સુધારા કરવાની જરૂરિયાતને કારણે ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્દભવ થયો.

વરાળયંત્ર કે જેની માનવસભ્યતા પર ખૂબ મોટી અસર પડી છે તેને અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિથી અલગ પાડી શકાય તેમ નથી. ઘણી વખત ટેક્નોલૉજી નવા ભૌતિકવિજ્ઞાનને વિકસાવે છે તો ક્યારેક ભૌતિકવિજ્ઞાન નવી ટેક્નોલૉજી વિકસાવે છે. જેનું ઉદાહરણ છે વાયરલેસ કમ્યૂનિકેશન. જે ઓગણીસમી સદીમાં શોધાયેલ વિદ્યુત અને ચુંબકત્વના મૂળભૂત નિયમોને અનુસરે છે.

ભૌતિકવિજ્ઞાનના પ્રયોજન માટે પૂર્વાનુમાન બાંધવું દરેક વખતે સરળ હોતું નથી. વર્ષ 1933ના અંત સુધીમાં મહાન ભૌતિકશાસ્ત્રી અર્નેસ્ટ રધરફોર્ડ પરમાણુમાંથી ઊર્જાના ઉત્સર્જનની ઘટનાને નકારી ચૂક્યા હતા. પરંતુ થોડાં વર્ષ બાદ 1938માં હાન અને મિટનરે ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસની વિખંડનની ઘટના શોધી, જે ન્યુક્લિયર પાવર રીએક્ટરો અને ન્યુક્લિયર હથિયારોની કાર્યપ્રણાલીનો પાયો છે.

ભૌતિકવિજ્ઞાન ટેક્નોલોજી વધુ ને વધુ ઊંચાઈ પર લઈ જાય છે તેનું બીજું ઉદાહરણ છે સિલિકોન ચીપ જેને વીસમી શતાબ્દીના અંતિમ ત્રણ દશકામાં કમ્પ્યૂટર ક્રાંતિ જન્માવી છે. ભૌતિકવિજ્ઞાનનું એક મહત્વનું કાર્યક્ષેત્ર, ‘વૈકલ્પિક ઊર્જાસ્રોતોનો વિકાસ' એ ભૌતિકવિજ્ઞાનનું યોગદાન હતું અને ભવિષ્યમાં પણ રહેશે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ભૌતિક જગત

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.