GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પર્યાવરણની કોઈ ક્રિયાની સામે સજીવ શું પ્રતિક્રિયા આપે છે તે ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ : જયારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે, અથવા આપણે ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે આપણે બદલાવ અનુભવીએ છીએ કે બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે તેવું પ્રતિત થાય છે. પર્યાવરણની ક્રિયાને પ્રતિ કેટલીક ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપ એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે.


સજીવોમાં નિયંત્રિત ક્રિયાઓને કોની સાથે અને કેવી રીતે સાંકળવી જોઈએ?

Hide | Show

જવાબ : સજીવોમાં નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં, ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળતી જે તે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સજીવોમાં વિવિધ તંત્રનો ઉપયોગ જે નિયંત્રણ અને સંકલન કાર્ય કરે છે.


ગ્રાહી એકમ એટલે શું?

Hide | Show

જવાબ : આપણા પર્યાવરણમાંથી બધી જ સુચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશીષ્ટિકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે, તેને ગ્રાહી એકમ કહે છે. તે સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલા હોય છે.


પરાવર્તી કમાન કોને કહેવાય છે?

 

Hide | Show

જવાબ : ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો ચેતાઓને ઉષ્માની ખબર પડે છે તેઓને તે ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુષાર પ્રતિચારી ક્રિયા કરે તે ખુબ જ ઝડપી પૂરી કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.


બે ચેતાકોષની વચ્ચે આવેલ ચેતોપાગમમાં શું હોય છે?

Hide | Show

જવાબ : બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી જગ્યામાં ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન એટલે કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શીખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આમ, આ શરીર ઉર્મીવેગના વહનની માત્રાની સામાન્ય યોજના પૂરી પાડે છે.


મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે?

 

Hide | Show

જવાબ : મગજમાં આવેલ અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.


આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?

 

Hide | Show

જવાબ : અગરબત્તીના સુવાસિત કણો નાકની અંદર જઈ ઘ્રાણકોષોને ઉત્તેજીત કરે છે. ધ્રાણકોષોમાં થતો રસાયણિક ફેરફાર, વિદ્યુત સંદેશા રૂપ ઘ્રાણચેતા દ્વારા મોટા મગજમાં જાય છે અને અગરબત્તીની સુવાસ પરખે છે.


પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?

 

Hide | Show

જવાબ : પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી. આ ખુબ જ ઝડપી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે પછીથી તેની માહિતી મગજને પહોંચે છે.


ચેતાકોષના ત્રણ ભાગોના નામ જણાવો.

 

Hide | Show

જવાબ : ચેતાકોષના ત્રણ ભાગોના નામ: કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુઓ.


માનવ મગજના અગત્યના ભાગોના નામ જણાવો.

 

Hide | Show

જવાબ : માનવ મગજમાં બૃહદ્ મસ્તિષ્ક, હાયપોથેલેમસ, અનુંમસ્તિષ્ક, સેતુ, લંબમજ્જા વગેરે અગત્યના ભાગો છે.


અનુમસ્તિષ્કનું કાર્ય શું છે?

 

Hide | Show

જવાબ : અનુમસ્તિષ્ક શરીરની હલન-ચલન ક્રિયાનું સંકલન અને સમતોલ પણું જાળવી રાખવાનું કાર્ય કરે છે.


લંબમજ્જાનું કાર્ય શું છે?

 

Hide | Show

જવાબ : લંબમજ્જા શરોરની વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ શ્વાસોચ્છવાસ, રુધિરનો દબાણ, અન્નમાર્ગની લયબદ્ધ ગતિ, હૃદયના ધબકારનું નિયમન કરે છે. છીંક, ઉલ્ટી જેવી પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે.


CNSનું પૂરું નામ જણાવો.

 

Locked Answer

જવાબ : CNSનું પૂરું નામ છે central nervous system. જેને ગુજરાતીમાં મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય છે.


ચેતાતંત્રનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ શું છે?

 

Locked Answer

જવાબ : ચેતાતંત્રનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ ચેતાકોષ છે.


કરોડરજ્જુ શું છે?

 

Locked Answer

જવાબ : કરોડસ્તંભના પોલાણમાં રક્ષાયેલો અને લંબમજ્જના પાછળના છેડેથી શરીરના પશ્વ છેડા સુધી લંબાયેલા નળાકાર ચેતાઓના મધ્યસ્થ ચેતાતંત્રના ભાગને કરોડરજ્જુ કહે છે.


કરોડરજ્જુનું મુખ્ય કાર્ય શું છે?

 

Locked Answer

જવાબ : કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાનું કેન્દ્ર ધરાવે છે. તે મગજ અને કરોડરજ્જુ ચેતાઓ વચ્ચે સંવેદના અને સુચનાઓની આપ-લે કરે છે.


ચેતાપેશી એટલે શું?

 

Locked Answer

જવાબ : ચેતાકોષોની એક આયોજનબંધ એક જાળીરૂપ બનેલી રચનાને ચેતાપેશી કહે છે.


ઊર્મિવેગ એટલે શું?

 

Locked Answer

જવાબ : ચેતાકોષના શિખાતંતુઓ દ્વારા મેળવેલા સંદેશાઓ કે સંવેદનાઓ સુયુચિત કરી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિજરાસાયણિક તરંગો ઉત્પન્ન કરે છે તેને ઊર્મિવેગ કહેવાય છે.


ચેતોપાગમ વ્યાખ્યાયિત કરો.

 

Locked Answer

જવાબ : બે ચેતાકોષો પાસેની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સુક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.


પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા જણાવો.

 

Locked Answer

જવાબ : ઉત્તેજનાની સામે સ્નાયુ કે ગ્રંથિ દ્વારા અજાગૃત પણે અને સ્વયંવર્તી રીતે અપાતા અનૈચ્છિક પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે.


સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે શું?

Locked Answer

જવાબ : જે ચેતાતંત્ર ઐચ્છિક નિયંત્રણ બહાર પોતાની રીતે અનૈચ્છિક સ્નાયુઓના કાર્યનું નિયમન અને સંકલન કરે છે તેને સ્વયંવર્તી ચેતાતંત્ર કહે છે.


પરાવર્તી કમાન એટલે શું?

Locked Answer

જવાબ : પરાવર્તી ક્રિયામાં ચેતાઓના આવેગ માર્ગને પરવર્તી કમાન કહે છે.


પ્રકાશાનુંવર્તન સમજાવો.

Locked Answer

જવાબ : પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિની વૃદ્ધિ વાળા ભાગમાં દિશાપરિવર્તન કરી નાખે છે. આ એકદિશીય કે અનુવર્તન, હલન-ચલન ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે. પ્રકાશાનુંવર્તન હલન-ચલનની ક્રિયાઓમાં પ્રરોહ પ્રકાશની તરફ વાળીને પ્રતિચાર અને મૂળ તેનાથી દુર વળીને પ્રતિચાર દર્શાવે છે.


ગુરુત્વાનુવર્તન એટલે શું?

Locked Answer

જવાબ : એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ અને પ્રરોહ પૃથ્વીથી દુર વૃદ્ધિ કરે છે. આ પ્રરોહ અને મૂળમાં ક્રમશ: પરીગામી અને અધોગામી વૃદ્ધિ, પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર નિ:સંદેહ ગુરુત્વાનુવર્તન છે.


રસાયણાનુવર્તનનું એક ઉદાહરણ જણાવો.

Locked Answer

જવાબ : રસાયણાનુવર્તનનું એક ઉદાહરણ પરાગનલિકાની બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ કરવી તે છે, જે રાસાયણિક વનસ્પતિમાં પ્રજનન ક્રિયામાં જરૂરી છે.


આવર્તનીય હલનચલન એટલે શું ?

Locked Answer

જવાબ : બાહ્ય ઉત્તેજનાના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિમાં થતી વૃદ્ધિ કે હલન ચલનને આવર્તનીય હલનચલન કહે છે.


સ્ત્રીઓમાં યુવાવસ્થાની પ્રારંભે જોવા મળતા શારીરિક ફેરફારો માટે જવાબદાર અંતઃસ્રાવ કયો છે ?

Locked Answer

જવાબ : ઈસ્ટ્રોજન


કયા અંતઃસ્રાવની ઊણપના કારણે વામનતા જોવા મળે છે ?

Locked Answer

જવાબ : વૃદ્ધિ અંત:સ્ત્રાવ


કયા અંતઃસ્રાવની ઊણપના કારણે રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે ?

Locked Answer

જવાબ : ઈન્સ્યુલિન


કયા અંતઃસ્ત્રાવના સંશ્ર્લેષણ માટે આયોડિન આવશ્યક છે ?

Locked Answer

જવાબ : થાઈરોક્સિન


ચેતાકોષની સંરચના અંને કાર્યો વર્ણવો.

Hide | Show

જવાબ : સંવેદના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. અહી, એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો.

આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે.

ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે.

આ ઊર્મિવેગના, વહનની માત્રાની સામાન્ય પ્રણાલી છે.

આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઊર્મિવેગને ચેતાકોષથી અન્ય કોષોમાં જેવાકે, સ્નાયુકોષો કે ગ્રંથી સુધી લઇ જાય છે.

ચેતાપેશી, ચેતાકોષની એક આયોજન બંધ જાળીરૂપ રચનાની બનેલી છે. અને આ સંવેદનાઓ અને સૂચનાઓ વિદ્યુતઆવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશીષ્ટિકરણ પામેલી છે.

ચેતાકોષમાં સંવેદનાનું પ્રસરણ :

ચેતાકોષમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે. જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે. જેથી આગળ પ્રસરણ પામી શકે.


મગજ દ્વારા ઊર્મિવેગના વહનનું કાર્ય કેવી રીતે થાય છે? સમજાવો.

Hide | Show

જવાબ : આગની જ્વાળાને અડકવું-એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. તેની સામે આપણે આઘાત સ્વરૂપે હાથ પાછો હટાવી લઈએ છીએ.આવું કરવામાં આપણે સહેજ પણ સમય લેતા નથી.

 

જો ઊર્મિવેગને તે તરફ મોકલવામાં આવે તો, આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું જરૂરી છે.

 

વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે.

 

આમ, આ  ઘણા બધા ચેતાકોષના ઊર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. આપણા શરીરમાં વિચારવા માટેની પેશી, જે જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચના વાળી છે.

 

તે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે, તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે.

 

નિ:સંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંના મગજનો વિચારવાવાળો ભાગ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલો હોય છે.

 

જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ,ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઇ જાય છે.


ઉદાહરણ સાથે પરાવર્તી કમાન સમજાવો.

Hide | Show

જવાબ : ઉષ્માની સંવેદનાના  વિષયમાં વિચારીએ તો, ચેતાઓને ઉષ્માની ખબર પડે છે. તેઓને ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે છે. તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયા કરે તે ખૂબ જ ઝડપી પૂરી કરે છે.

 

સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.

 

આ પ્રકારની પરાવર્તી કમાનને સંબંધિત અંત:ગ્રાહી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ એ બિંદુ હશે જ્યાં, સૌથી પહેલા તેઓ એકબીજાને મળે છે અથવા એકઠી થાય છે.

 

સમગ્ર શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં ભેગી થાય છે.

 

પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે. જે તે પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી પણ જાય છે.


મધ્યસ્થ ચેતાતંત્રની સામાન્ય માહિતી અને કાર્ય જણાવો.

Hide | Show

જવાબ : મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. તે શરીરના બધા ભાગોમાં સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે.

 

લખવું, વાત કરવી, એક ખુરશીને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતા તાળી પડવી વગેરે સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે.જેમાં આગળ શું કરવાનું છે તે નિર્ણય પર આધારિત છે.

 

આમ, મગજને પણ સ્નાયુઓ સુધી સંદેશા મોકલવાના હોય છે. આ બીજો માર્ગ છે જેમાં, ચેતાતંત્ર સ્નાયુમાં સંવેદના મોકલે છે.

 

મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અન્ય ભાગોમાં સંવેદનાની પરિઘીય(Parighiy) ચેતાતંત્ર સરળતા આપે છે જે, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે.

 

આ રીતે મગજ આપણને વિચારવાની અનૂમતિ અને વિચાર પર આધારિત ક્રિયા કરવાની અનૂમતિ આપે છે.

 

મગજના વિવિધ ભાગો દ્વારા, તેવિવિધ આવતી તેમજ જતી સૂચનાઓનું સંકલન કરે છે.


મગજના મુખ્ય ભાગોના કર્યો વિશે ટૂંકનોંધ લખો અને મગજની જરૂરી એવી આકૃતિ દોરો.

Hide | Show

જવાબ : મગજના મુખ્ય ત્રણ ભાગો છે. અગ્રમગજ, મધ્યમગજ અને પશ્વમગજ.

 

મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ અગ્રમગજ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટેના વિસ્તાર કે ક્ષેત્રો આવેલા હોય છે.

 

અગ્રમગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ, ઘ્રાણ, દૃષ્ટિ વગેરે માટે વિશિષ્ટિકરણ પામેલ હોય છે. તેમાં સહનીયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે જ્યાં સંવેદી સૂચનાઓ, અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ તેમજ પેહલેથી જ મગજમાં એકત્રિત થયેલી સૂચનાઓનો અર્થ કાઢી શકે છે.

 

ક્રિયા અને સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર સુધી ચેતાઓ અને મગજ દ્વારા પહોંચાડી શકાય છે. જે ઐચ્છીક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે.

 

કુદરતમાં કેટલીક સંવેદનાઓ જોવા કે સંભાળવા કરતા પણ વધુ જટિલ છે. કેમ કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચુક્યા છીએ? આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજમાં એક અલગ ભાગ છે.

 

કેટલીક શારીરિક ક્રિયાઓ માટે આપણે નિયંત્રણ કરી શકતા નથી. આવી ક્રિયાઓ અજાણપણે થઇ જાય છે. પસંદગીનો ખોરાક જોઇને મોઢામાંથી પાણી આવવું, હૃદયના સ્પંદન થવું, ગમે તે વિચાર વચ્ચે આવી જવું, કીકીના કદમાં એકદમ પરિવર્તન થવું.

 

આ બધી ક્રિયા પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ બધી ક્રિયાઓ અનૈચ્છીક ક્રિયાઓ છે. આ અનૈચ્છીક ક્રિયાઓ મધ્યમગજ અને પશ્વમગજથી નિયંત્રિત હોય છે.

 

આ બધી અનૈચ્છીક ક્રિયાઓ જેવીકે હૃદયનું દબાણ, લાળરસનું ઝરવું, ઉલ્ટી થવી એ પશ્વમગજમાં આવેલ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે.

 

એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારને અંતે થાય છે. આ ક્રિયાઓ પશ્વમગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે. જે  ઐચ્છીક ક્રિયાઓની ચોક્કસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે.


ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે?

Hide | Show

જવાબ : ચેતાપેશી સંવેદનાને આધારે સ્નાયુઓ પાસે ક્રિયા કરાવે છે. સ્નાયુઓ દ્વારા અંગમાં કાર્ય થાય છે. જયારે ક્રિયા કે હલન-ચલન થાય છે ત્યારે સ્નાયુપેશી અંતિમ કાર્ય કરે છે.

 

ઊર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે. કોષીય સ્તરે હલન-ચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુકોષો તેમના આકાર બદલી કાર્ય કરી શકે છે.

 

સ્નાયુકોષોના આકારમાં ફેરફાર કોષીય અવયવો કે રસાયણોને લીધે થાય છે.

 

સ્નાયુઓમાં વિશેષ પ્રકારનો પ્રોટીન હોય છે, જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે.

 

કોષોમાં આ ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા કે પ્રતિચારના પરિણામ સ્વરૂપે થાય છે. જયારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુને  નવો આકાર આપે છે.


વનસ્પતિમાં ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર કેવી રીતે થાય છે? સમજાવો.જવાબ:

Hide | Show

જવાબ : વનસ્પતિમાં ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. લજામણીના છોડને અડકતા પર્ણો બીડાઈ જાય છે. બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ વૃદ્ધિની ગતિ કરે છે.

લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. જે ગતિનો વૃદ્ધિ સાથે કોઈજ સંબંધ નથી.

અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે.જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહી.

આમ, વનસ્પતિ બે પ્રકારની ગતિ દર્શાવે છે. વૃદ્ધિને આધારિત અને વૃદ્ધિથી મુક્ત.


બહુકોષીય સજીવોમાં નિયંત્રણ અને સંકલન માટે અંત:સ્ત્રાવોની જરૂરિયાત માટે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : બહુકોષીય સજીવોના શરીરમાં સંવેદનાનું પ્રસરણ અને પ્રતિચાર ઝડપી કે ધીમા હોઈ શકે છે. પ્રાણીઓમાં દરેક અંગમાં એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ થાય છે.

જો ઉત્તેજના પ્રતિચાર તીવ્ર હોય તો સંવેદના કે સૂચનાઓનું સ્થળાંતરણ તીવ્ર હોવું જોઈએ. તેના માટે ઝડપથી ચાલવા માટે પ્રચલનનું માધ્યમ અને વીજ- આવેગ એક ઉત્તમ સાધન છે.

વીજ-આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ:

વીજ-આવેગ માત્ર તેવા કોષો સુધી પહોંચે જે ચેતાપેશી સાથે સંકળાયેલ છે. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી.

ઉદાહરણ તરીકે- અસ્થીકોષ.

એક વાર, એક કોષમાં વીજ-આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થાય છે તો પુન: નવો આવેગ નિર્માણ કરવા, તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે.બીજા શબ્દોમાં કોષો સતત વીજ-આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી.

જો એક વીજ-આવેગ નિર્માણ કરવા સિવાય ઉત્તેજિત કોષો એક રાસાયણિક સંયોજન મુક્ત કરવાની શરૂઆત કરે છે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઇ જાય છે.

જો આસપાસના અન્ય કોષોની પાસે સંયોજનની ઓળખ કરવાનું સાધન હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરી અને તે સંવેદના વિશે ખ્યાલ મેળવવા યોગ્ય છે અને તેને  પ્રસારિત કે વહન પણ કરાય છે. જે, આ પ્રક્રિયા ખૂબજ ધીમી થાય છે.

પરંતુ, આ ચેતાસંબંધ સિવાય પણ, શરીરના બધા કોષો સુધી પહોંચે છે અને તેને અપરાવર્તી કે અપ્રતિવર્તી તેમજ સ્થાયી બનાવાય છે.

બહુકોષીય પ્રાણી દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલા આ રસાયણિક સંયોજનને અંત:સ્ત્રાવ કહે છે.


અંત:સ્ત્રાવ ઓકસીનનું કાર્ય સમજાવો. અથવા વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન સમજાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશન તરફ થાય છે જેને પ્રકાશાનુવર્તન કહે છે. એક અંત: સ્ત્રાવ ઓક્ઝીન, જે આ પ્રરોહના અગ્ર ભાગમાં સંશ્લેષણ પામે છે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. જયારે વનસ્પતિ એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય છે ત્યારે ઓક્ઝીન પ્રસરણ પામીને પ્રરોહના છાયા વાળા ભાગમાં આવી જાય છે.

પ્રરોહની પ્રકાશથી દુર આવેલી બાજુમાં ઓક્ઝીનનું સંકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ ,માટે ઉત્તેજિત કરે છે.

આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે.


વનસ્પતિ અંત:સ્ત્રાવો પૈકી કોઈ પણ ત્રણના નામ અને તેઓના કાર્યો જણાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિ અંત:સ્ત્રાવોનું જીબરેલીન જે ઓક્ઝીનની જેમ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાયનીન કોષવિભાજનને પ્રેરિત કરે છે. અને તેથી આ તે વિસ્તારોમાં હોય જ્યાં કોષવિભાજન ઝડપથી થતું હોય છે.વિશેષરૂપથી સાયટોકાયનીન ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે.

ઓક્ઝીન, જીબરેલીન,સાયટોકાયનીન વનસ્પતિની વૃદ્ધિમાં સહાયક અંત:સ્ત્રાવો છે.

વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ સંકેતોની જરૂરિયાત હોય છે.

એબ્સેસિક એસિડ વૃદ્ધિને અવરોધનારા અંત:સ્ત્રાવોનું એક ઉદાહરણ છે.

પર્ણોના કરમાયજવાની કે પતન થવાની ઘટના તેની અસરની સાથે સંકલિત છે.


પ્રાણીઓમાં અંત:સ્ત્રાવોનું એક ઉદાહરણ અને કાર્ય તથા મહત્વ લખો.

Locked Answer

જવાબ : રસાયણ કે અંત:સ્ત્રાવો પ્રાણીઓમાં સંવેદના અને સૂચનાઓનું પ્રસરણ અને નિયંત્રણ કરે છે.

જેમકે પ્રાણીઓ પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. આવી ક્રિયાઓ ખૂબ જટિલ હોય છે અને તેને નિયંત્રિત કરવા માટે પુષ્કળ ઉર્જાની જરૂરિયાત હોય છે.

પ્રાણીઓમાં અનેક પ્રકારની વિવિધ પેશીઓ આવેલી હોય છે. અને તેમનો ઉપયોગ, તેમની એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થાય છે અને તે કાર્ય કરે છે.

જેમકે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એક બીજાથી બિલકુલ અલગ અલગ છે. આમ અહિયાં એક સ્થિતિ એ છે કે જ્યાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયી હોય છે. આ તૈયારીઓ આદર્શરૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે.

જો પ્રાણીના શરીરમાં ચેતાકોષ દ્વારા માત્ર વીજ-આવેગ પર આધારિત હોય તો હવે પછીની ક્રિયાને કરવા માટે પ્રશિક્ષિત પેશીઓનું પરિસર માર્યાદિત હશે. જે પ્રાણીઓનું નિયંત્રણ અને સંકલન ન કરી શકે. બીજી તરફ રાસાયણિક સંકેત પણ મોકલી અપાય, તો આ શરીરના બધા કોષો સુધી પોહંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઇ જાય.

એડ્રીનલ ગ્રંથીમાંથી સ્ત્રાવીત એડ્રીનાલીન અંત::સ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓનું આ પ્રકારે કાર્ય થઇ શકે છે.

આવી ગ્રંથીઓનું મનુષ્યના શરીરમાં કઈ કઈ જગ્યાએ સ્થાન છે તે તમે અહી દર્શાવેલ આકૃતિમાં જોઈ શકો છો.


એડ્રીનાલીન રુધિરમાં સ્ત્રાવીત થાય ત્યારે શરીરમાં કેવો પ્રતિચાર દર્શાવાય છે?

Locked Answer

જવાબ : એડ્રીનાલીન સીધો રુધિરમાં સ્ત્રવીત થઇ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપ હૃદયના ધબકારા વધે છે. જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે.

પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. કારણ કે, આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે.

આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે.

ઉરોદરપટલ અને પાંસળીઓના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસનદર પણ વધે છે.

આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીર વિપરીત સ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે.

આ પ્રાણી અંત:સ્ત્રાવ, અંત:સ્ત્રવી ગ્રંથીઓનો ભાગ છે. જે, આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો ભાગ છે.


મનુષ્યમાં અંત:સ્ત્રવી ગ્રંથિઓના નામ, તેમનો અંત:સ્ત્રાવ, તેમનું સ્થાન અને કાર્ય સમજાવો.

Locked Answer

જવાબ : હાયપોથેલેમસ: એ અગ્ર મગજનો ભાગ છે. આં ગ્રંથી થેલમસની નીચે અને પીચ્યુટરી ગ્રંથીની ઉપર આવેલી છે. તે રીલીઝીંગ હોર્મોન અને અંત:સ્ત્રાવ મુક્ત કરે છે.

પિચ્યુંટરી ગ્રંથી : આ ગ્રંથી માથામાં હાયપોથેલેમસની નીચે આવેલ છે. જે વટાણાના દાણાના કદની હોય છે. જેના ઘણા અંત:સ્ત્રાવો પૈકી ગ્રંથી હોર્મોનની સક્રિયતાથી માનવ વિરાટ કદનો અને અવરોધથી વામન કદનો રહી જાય છે.

થાઈરોઈડ ગ્રંથી : તે શ્વાસનળી સાથે જોડાયેલી ગળાના ભાગે આવેલી હોય છે. તે આયોડીન યુક્ત         થાયરોક્સિલ અંત:સ્ત્રાવ મુક્ત કરે છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચાય ક્રિયાના દરનું નિયમન કરે છે.

પેરાથાઈરોઈડ ગ્રંથી : તે થાઈરોઈડ ગ્રંથીના ભાગોમાં ચાર નાની ગ્રંથીઓ રૂપે જોડાયેલી હોય છે. તે પેરાથોર્મોન અંત:સ્ત્રાવ મુક્ત કરે છે. તે લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ જાળવે છે.

સ્વાદુપિંડ : તે ઉદારગુહામાં જઠરની સહેજ નીચે આવેલી હોય છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલીન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ અંત:સ્ત્રાવ શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.

એડ્રીનાલિન ગ્રંથી : તે દરેક મૂત્રપિંડના અગ્ર ભાગે ગોઠવાયેલ છે. તે શંકુ આકારની હોય છે. તે એડ્રીનાલિન અને નોર-એડ્રીનાલિનનો સ્ત્રાવ કરે છે. ઉપરાંત જુદા-જુદા પ્રકારના સ્ટીરોઇડ અંત:સ્ત્રાવો મુક્ત કરે છે. વિપરીત પરિસ્થિતિમાં લડો યા ભાગોની પ્રતિક્રિયા આપે છે. જેથી તે સંકટ સમયની ગ્રંથી તરીકે પણ ઓળખાય છે.

શુક્રપિંડ : તે પુરુષ શરીરની વૃષણ કોથળીમાં આવેલ જનનપિંડ છે. પુરુષના જાતીય અંગો અને લક્ષણો આપે છે. તે ટેસ્ટોસ્ટેરોન અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે.

અંડપિંડ : સ્ત્રી શરીરના ઉદરમાં અંડપિંડ એ જનનપિંડ છે. સ્ત્રીના જાતીય અંગો અને લક્ષણો આપે છે. તે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંત: સ્ત્રાવ ઉત્પન્ન કરે છે.

થાઈમસ : હૃદય પાસે આવેલી હોય છે.થયમોસીન અંત: સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તે વૃદ્ધિ નિયંત્રક છે. તે લસિકા કોષને ઉત્તેજે છે.

પિનીયલ ગ્રંથી : તે મગજની નીચેની બાજુએ આવેલી હોય છે. તે મિલાટોલીન અંત: સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જનનપિંડ ના કાર્યને નિયંત્રિત કરે છે.


મધુપ્રમેહ દર્દીમાં કયા અંત:સ્ત્રાવોના ફેરફારનું પરિણામ છે? તેની સારવાર ઇન્સ્યુલીનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે.જવાબ:

Locked Answer

જવાબ : કેટલાકને આહારમાં શર્કરા ઓછી કે ન લેવાની સલાહ તબીબ દ્વારા આપવામાં આવે છે. કારણ કે તે ડાયાબિટીસનો રોગી છે.

ઉપચારના રૂપમાં ઇન્સ્યુલીનની ગોળી કે ઇન્જેક્શન પણ લેવા પડે છે. આ એક અંત:સ્ત્રાવ જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે.

જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવીત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બને છે.

અંત:સ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવની ક્રિયાવિધિ જરૂરિયાત અનુસાર હોય છે.

સ્ત્રવીત થવા વાળો અંત:સ્ત્રાવ સમય અને માત્રાનું નિયંત્રણ પુન:નિર્માણની ક્રિયાવિધિથી થઇ શકે છે.

ઉદાહરણ તરીકે, રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કરે છે. જયારે રુધિરમાં સ્તર ઘટી જાય છે ત્યારે ઇન્સ્યુલીનનો સ્ત્રાવ ઓછો થઇ જાય છે.


આપણા શરીરમાં ગ્રાહીનુંકાર્ય શું છે? એવી પરિસ્થિતિ પર વિચાર કરો કે જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી અને કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે?

Locked Answer

જવાબ : આસપાસના પર્યાવરણની માહિતી એકઠી કરીને તે ઉત્તેજક સ્વરૂપે ગ્રહી અંગોને આપે છે. આ ગ્રહી અંગો ચેતાતંતુઓ દ્વારા સંવેદના ચેતાતંત્રમાં પહોંચાડે છે.

આ સંવેદનાની માહિતીને યોગ્ય અર્થઘટન અને સૂચનાઓ અસર કરતા ગ્રહી અંગમાં પહોંચે છે અને તે મુજબ શરીર પ્રતિચાર દર્શાવે છે.

જો ગ્રહી અંગો યોગ્ય રીતે કામ ન કરે તો આજુબાજુના સંવેદી ઉત્તેજકોની અસરની જાણકારી ચેતાતંત્રમાં ન પહોંચતા શરીર યોગ્ય પ્રતિચાર આપતું નથી.

દા.ત. – ગંધ ધરાવતા પદાર્થને લીધે ધ્રાણકોષો ઉતિજીત થતા ધ્રાણચેતા દ્વારા મગજ સુધી સંદેશો પહોંચે છે. જો દુર્ગંધનું અર્થઘટન થશે તો શરીર ત્યાંથી દુર જવા માટે પ્રતિચાર દર્શાવશે.


વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે?

Locked Answer

જવાબ : વનસ્પતિમાં ચેતાતંત્રનો અભાવ હોય છે. પણ તેમાં યોગ્ય રાસાયણિક સંકલન હોય છે. જે કાર્બનિક રસાયણો છોડને પર્યાવરણ સામે યોગ્ય પ્રતિચાર આપી તેનું સંકલન કરે છે. તેને અંત:સ્ત્રાવો અથવાતો રાસાયણિક સંકલકો કહે છે.

આ અંત:સ્ત્રવોની મદદથી વનસ્પતિ, છોડ, પ્રકાશ, ગુરુત્વાકર્ષણ રસાયણ, સ્પર્શ, પાણી તરફ સંવેદના દર્શાવીને યોગ્ય પ્રતિચાર આપે છે.

ઉદાહરણ તરીકે- ઓક્ઝીનને લીધે છોડનું પ્રકાશાનુંવર્તન અને વૃદ્ધિ થવી.

જીબરેલીન : એ પ્રકાંડની વૃદ્ધિ કરે છે.

સાયટોકાયનીન : જે કોષવિભાજનની ક્રિયા કરે છે. 

એબ્સેસિક એસિડ: જે વૃદ્ધિને અવરોધે છે અને પર્ણ પતન કરે છે.

ઈથીલીન: જે ફળોની પાકવાની ક્રિયામાં મદદરૂપ છે.


એક સજીવામાં નિયંત્રણ તેમજ સંકાલનના તંત્રની જરૂરિયાત શું છે?

Locked Answer

જવાબ : બહુકોષી સજીવોમાં વિશિષ્ટ રચનાઓ અને અંગોને લેધે તેમાં સંકલન અને નિયંત્રણ જરૂરી છે. વનસ્પતિના છોડની ખોરાક બનાવવાની કે સ્પર્શાનુવર્તન, પ્રકાશાનુવર્તન, જલાનુંવર્તન, રસાયણાનુંવર્તન, ગુરુત્વિયાનુવર્તન વગેરે તેને પર્યાવરણમાં વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

તેથી,તેમાં તંત્રોનું અંત:સ્ત્રાવો દ્વારા નિયંત્રણ અને સંકલન જરૂરી છે.

પ્રાણીઓની જટિલ રચનામાં હૃદયનું ધબકવું, શ્વાસન, પરિવહન, વાંચવું, યાદ રાખવું, વગેરે અનેક વિવિધ ક્રિયાઓમાં એકબીજા અંગો સાથે સંકલન અને નિયંત્રણ જરૂરી છે.

આ માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવી દ્વારા સંકલન અને નિયંત્રણ જરૂરી છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

નિયંત્રણ અને સંકલન

gseb std 10 science paper solution
નિયંત્રણ અને સંકલન

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.