GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ધાત્વીય ચમક કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે.


ધાતુનું ટીપાઉપણું કોને કહે છે?

Hide | Show

જવાબ : કેટલીક ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે છે આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. 


એક ગ્રામ સોનાને કેટલી લંબાઈના તારમાં ફેરવી શકાય છે?

Hide | Show

જવાબ : એક ગ્રામ સોનાને ૨ કી.મી. લંબાઈના તારમાં ફેરવી શકાય છે.


અધાતુ તત્વના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સીજન, હાઇડ્રોજન, વગેરે કેટલાક અધાતુના ઉદાહરણો છે.


ધાતુના કેટલાક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : સોનું, ચાંદી, તાંબું, એલ્યુમીનીયમ વગેરે.


કાર્બન શું છે અને તે કયા ગુણધર્મમાં  અસ્તિત્વ ધરાવે છે?

Hide | Show

જવાબ : કાર્બન અધાતુ છે કે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આથી તે સ્વરૂપને બહુરૂપ કહે છે.


આલ્કલી ધાતુના ગલનબિંદુ અને ઘનતા કેવી હોય છે?

Hide | Show

જવાબ : આલ્કલી ધાતુના ગલનબિંદુ નીચા અને ઘનતા ઓછી હોય છે.


મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે?

Hide | Show

જવાબ : મોટા ભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડીક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે.


બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?

Hide | Show

જવાબ : બોકસાઇટ માંથી એલ્યુંમીનીયા મેળવવા માટે બેયર પદ્ધતિ વપરાય છે.


કાચી ધાતુના સંકેન્દ્રણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Hide | Show

જવાબ : સેન્ટ્રીફ્યુગેસન


ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?

Hide | Show

જવાબ : ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં લેડ + ટીન+ મિશ્ર ધાતુ વપરાય છે.


 પાણી સાથે કઈ ધાતુ પ્રક્રિયા કરે છે?

Hide | Show

જવાબ : પાણી ધાતુ સોડીયમ ધાતુ પ્રક્રિયા કરે છે.


કઈ પ્રક્રિયા દ્વારા ધાતુના ઓક્સાઈડ માંથી ધાતુ મેળવી શકાય છે?

Hide | Show

જવાબ : રીડકસન પ્રક્રિયા દ્વારા ધાતુના ઓક્સાઈડ માંથી ધાતુ મેળવી શકાય છે.


Na2O નું જલીય દ્રાવણ કેવો ગુણધર્મ ધરાવે છે?

Hide | Show

જવાબ : Na2O નું જલીય દ્રાવણ બેઈઝીક ગુણધર્મ ધરાવે છે.


ધાતુ ઉદ્યોગમાં ચીમનીની દિવાલ ફરતે પાણી રક્ષક સ્તર બનાવવા કઈ ધાતુ વપરાય છે?

Hide | Show

જવાબ : લેડ


વિદ્યુત વિભાજન પદ્ધતિમાં અદ્રવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે એકઠી થાય છે તેને શું કહે છે? 

Hide | Show

જવાબ : વિભાજન પદ્ધતિમાં અદ્રવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે એકઠી થાય છે એનોડીક પંક કહે છે.


વાત ભઠીમાં કેલ્શિયમ ઓક્સાઈડ રેતી સાથે સંયોજાઈ શું બને છે?

Hide | Show

જવાબ : વાત ભઠીમાં કેલ્શિયમ ઓક્સાઈડ રેતી સાથે સંયોજાઈને કેલ્શિયમ સીલીકેટ બનાવે છે.


કોપર ગ્લાન્સનું રસાયણિક સુત્ર શું છે?

Hide | Show

જવાબ : કોપર ગ્લાન્સનું રસાયણિક સુત્ર Cu2S છે.


ધાતુ શાસ્ત્ર કોને કહે છે?

Hide | Show

જવાબ : ધાતુને ખનીજ માંથી છુટી પાડી તેણે શુદ્ધ કરવાની પદ્ધતિને ધાતુ શાસ્ત્ર કહે છે.


ડોલોમાઈટ કઈ ધાતુની ખનીજ છે?

Hide | Show

જવાબ : ડોલોમાઈટ કેલ્શિયમ ધાતુની ખનીજ છે.


ક્રાયોલાઈટ નું આણ્વીય સુત્ર જણાવો.

Hide | Show

જવાબ : ક્રાયોલાઈટ નું આણ્વીય સુત્ર Na3AlF6


લોખંડને કઠીન બનાવવા તેમાં શું ઉમેરવામાં આવે છે?

Hide | Show

જવાબ : લોખંડને કઠીન બનાવવા તેમાં કાર્બન ઉમેરવામાં આવે છે.


સ્લેગનું આણ્વીય સુત્ર કયું છે?

Hide | Show

જવાબ : સ્લેગનું આણ્વીય સુત્ર CaSIO3


ચુંબકીય અલગીકરણ દ્વારા કઈ ધાતુની અશુદ્ધિ દુર થાય છે?
 

Hide | Show

જવાબ : ચુંબકીય અલગીકરણ દ્વારા આયન ધાતુની અશુદ્ધિ દુર થાય છે.


કયો પદાર્થ ભેજ શોષક છે?

Locked Answer

જવાબ : નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ


વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે કયો વાયુ હોય છે?

Locked Answer

જવાબ : વાતાવરણમાં મુખ્ય ઘટક તરીકે નાઈટ્રોજન વાયુ હોય છે.


જમીનમાંથી સલ્ફરનું નિષ્કર્ષણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

Locked Answer

જવાબ : જમીનમાંથી સલ્ફરનું નિષ્કર્ષણ કરવા માટે ફ્રાશ પદ્ધતિ વપરાય છે.


હાઇડ્રોજન ની શોધ કયા વૈજ્ઞાનીકે કરી હતી?

Locked Answer

જવાબ : હાઇડ્રોજન ની શોધ હેન્રી કેવેન્ડીસ નામના વૈજ્ઞાનીકે કરેલી હતી.


રહોમ્બીક સલ્ફર કયા તાપમાને સ્થાયી હોય છે?

Locked Answer

જવાબ : રહોમ્બીક સલ્ફર ૩૬૭ કેલ્વીન કરતા નીચા તાપમાને સ્થાયી હોય છે.


અધાતુ તત્વોનું આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા સ્થાન હોય છે?

Locked Answer

જવાબ : અધાતુ તત્વોનું આધુનિક આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ સ્થાન હોય છે.


કયા એસિડને રસાયણનો રાજા કહે છે?

Locked Answer

જવાબ : H2So4  એસિડને રસાયણનો રાજા કહે છે.


દહન પ્રક્રિયા માટે હવામાંનો કયો વાયુ ઉપયોગી છે?

Locked Answer

જવાબ : દહન પ્રક્રિયા માટે હવામાંનો ઓક્સીજન વાયુ ઉપયોગી છે


સુકા કોષમાં વીજ ધ્રુવતરીકે શું વપરાય છે?

Locked Answer

જવાબ : સુકા કોષ તરીકે વીજ ધ્રુવમાં ગ્રેફાઇટ અથવા કાર્બન વપરાય છે.


ગ્રેફાઇટ વિદ્યુતનું શું હોય છે?

Locked Answer

જવાબ : ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક હોય છે.


અધાતુ તત્વોની કુલ સંખ્યા કેટલી હોય છે?

Locked Answer

જવાબ : અધાતુ તત્વોની કુલ સંખ્યા ૧૮ હોય છે.


કયા એસિડને ઓસવાલ્ડ પદ્ધતિથી બનાવામાં આવે છે?

Locked Answer

જવાબ : HNO3 એસિડને ઓસવાલ્ડ પદ્ધતિથી બનાવામાં આવે છે.


વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવાની પ્રક્રિયા કઈ છે?

Locked Answer

જવાબ : વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનવા માટે હાઇડ્રોજીનેસન ની પ્રક્રિયા છે.


અમોનીયાના સંતૃપ્ત દ્રાવણને શું કહે છે?

Locked Answer

જવાબ : એમોનિયાના સંતૃપ્ત જલીય દ્રાવણને લીકર એમોનીયા કહે છે.


પ્રોટીન, વાળ, ઉન, ડુંગળી અને લસણ માં રહેલા પદાર્થોમાં કયું અધાતુ તત્વ હોય છે. 

Locked Answer

જવાબ : પ્રોટીન, વાળ, ઉન, ડુંગળી અને લસણ માં સલ્ફર નામનું અધાતુ તત્વ હોય છે.
 


ઓલીયમ ધાતુનું આણ્વીય સુત્ર જણાવો.

Locked Answer

જવાબ : H2S2O7


નિર્બળ બ્લીચીંગ એજન્ટ કયો છે?

Locked Answer

જવાબ : નિર્બળ બ્લીચીંગ એજન્ટ સલ્ફર ડાયોક્સાઇડ છે.


હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદન માટે કયો ઉદ્દીપક વપરાય છે.

Locked Answer

જવાબ : હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદન માટે Fe નામનો ઉદ્દીપક વપરાય છે.
 


ડીટર્જન્ટ અને રંગકો બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગી છે?

Locked Answer

જવાબ : ડીટર્જન્ટ અને રંગકો બનાવવા માટે H2So4 નામનો પદાર્થ ઉપયોગી છે.
 


પ્રવાહી સ્વરૂપમાં અધાતુ તત્વ કયું છે?

Locked Answer

જવાબ : પ્રવાહી સ્વરૂપમાં અધાતુ તત્વ બ્રોમીન છે.


કયો વાયુ દહનશીલ વાયુ છે?

Locked Answer

જવાબ : હાઇડ્રોજન વાયુ દહનશીલ વાયુ છે.


મંદ સલ્ફ્યુરિક એસીડમાં કેટલા ટકા એસિડનું પ્રમાણ હાજર હોય છે?

Locked Answer

જવાબ : મંદ સલ્ફ્યુરિક એસીડમાં ૧૦ ટકા એસિડનું પ્રમાણ હાજર હોય છે.
 


કાર્બન તત્વ કોની સાથે પ્રક્રિયા આપતું નથી?

Locked Answer

જવાબ : કાર્બન તત્વ મંદ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા આપતું નથી.


ધાતુના સામાન્ય ગુણધર્મ લખો.

Hide | Show

જવાબ : ધાતુનાસામાન્યગુણધર્મોનીચેપ્રમાણેછે.

  1. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે.
  2. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે.
  3. મોટાભાગની ધાતુઓ ઓરડાના તાપમાને સખત હોય છે.
  4. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે.
  5. તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે.
  6. તેને નીચે અથડાવતાતે રણકાર ઉત્પન્ન કરે છે.


પ્રશ્ન:2 અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો.

Hide | Show

જવાબ : અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.

  1. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે.
  2. તે તણાવપાણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવતા નથી.
  3. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. જેમાં બ્રોમીન એ પ્રવાહી સ્વરૂપે હોય છે.
  4. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે.
  5. તે રણકાર ઉત્પન્ન કરતા નથી.


ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો.

Hide | Show

જવાબ : ધાતુ તત્વના અપવાદ.
૧. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે. અપવાદ રૂપે,  પારો
૨. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. જયારે ગેલીયમ અને સિઝીયમના ગલનબિંદુ નીચા હોય છે.
૩. ધાતુ તત્વને છરી વડે કાપી શકાય નહી. પરંતુ આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે.
અધાતુ તત્વના અપવાદ:
૧. સામાન્ય રીતે અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ બ્રોમીન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે.
૨. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન ચળકાટ ધરાવે છે.
૩. અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય છે પરતું કાર્બનના અપરરૂપ, હીરાનું ગલનબિંદુ ખુબજ ઊંચું હોય છે.
૪. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક હોય છે.


તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ આપી વર્ગીકૃત કરો.

Hide | Show

જવાબ : તત્વોને તેમની વાહકતાને આધારે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે.
1.    ધાતુ તત્વો: તેમની વાહકતાના મુલ્યો ખુબ જ વધુ હોય છે. ઉદાહરણ તરીકે કોપર, એલ્યુમીનીયમ, સિલ્વર.
2.    અધાતુ તત્વો: તેમની વાહકતાનું મુલ્ય ખુબ જ ઓછુ હોય છે. ઉદાહરણ તરીકે, ઓક્સીજન, નાઈટ્રોજન, ક્લોરીન અને સલ્ફર.
3.    અર્ધધાતુ તત્વો: તેઓની વાહકતાનું મુલ્ય ધાતુ તત્વો કરતા ઓછુ પરંતુ અધાતુ તત્વો કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકેમ સીલીકોન અને જર્મેનીયમ


મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ કયો ગુણધર્મ ધરાવે છે? તેની લીટમસપેપર પર શું અસર થાય છે?

Hide | Show

જવાબ : મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ તરીકે અનુક્રમે મેગ્નેશિયમ ઓક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઈડ બેઈઝીક ગુણ ધરાવતો હોવાથી તે લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે. જયારે સલ્ફર ડાયોક્સાઈડ એસિડીક ગુણધર્મ ધરાવતો હોવાથી ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે.


એસિડીક ઓક્સાઈડ અને બેઈઝીક ઓક્સાઈડ ના ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : જે ઓક્સાઈડ પાણીમાં ઓગળીને એસીડ બનાવે છે તેને એસિડીક ઓક્સાઈડ કહેવામાં આવે છે.
ઉદાહરણ: CO2 + H2O  -> H2CO3
અધાતુ તત્વોના ઓક્સાઈડએસિડીક હોય છે.
જે ઓક્સાઈડ પાણીમાં ઓગળી અનેબેઇઝ બનાવે છે તેણે બેઈઝીક ઓક્સાઈડ કહે છે.
ઉદાહરણ: Na2O + H2O -> 2NaOH
ધાતુ તત્વના ઓક્સાઈડ બેઈઝીક હોય છે.


 ધાતુની નાઈટ્રીક એસીડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર શેના પર રહેલ છે? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : ધાતુની નાઈટ્રીક એસીડ સાથેની પ્રક્રિયાથી નીચે મુજબની નિપજ મળશે. તેનો આધાર ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલ છે. 
જેમકે ધાતુની મંદ નાઈટ્રીક એસીડ સાથે પ્રક્રિયા થતા ધાતુના નાઈટ્રેટ ક્ષાર તથા વાયુ ઉત્પન્ન થાય છે.
ઉદાહરણ 1: Cu + 4HNO3વધુ સાંદ્ર હોય ત્યારે નિપજ તરીકે મળશે Cu(NO3)2 + NO2
ઉદાહરણ 2: 3Cu + 8HNO3જે ૧૦ થી ૩૦% સાંદ્ર હશે અને નિપજ તરીકે 3Cu (NO3)2 + NO પ્રાપ્ત થશે.


શા માટે સોડીયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? કારણ સમજાવો.

Hide | Show

જવાબ : સોડીયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સીજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડીયમ ધાતુ સળગી ઉઠે છે. 
આમ, સોડીયમની ઓક્સીજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણકે સોડીયમ કેરોસીન સાથે પ્રક્રિયા નથી કરતુ.


મિશ્રધાતુઓ એટલે શું? જણાવો.

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે.
ઉદાહરણ તરીકે પિત્તળ, બ્રોન્ઝ અને એમાલ્ગમ મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ છે જયારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુઓમાં ધાતુઓ ઉપરાંત અધાતુઓ પણ હોય છે.
સ્ટેનલેસ સ્ટીલમાં Fe + Ni +Cr + C હોય છે. આ ધાતુઓને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે.


લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે?

Hide | Show

જવાબ : લોખંડનું ક્ષારણ અટકાવવા તેણે રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝીંગ કરીને, ક્રોમ પ્લેટીગ કરીને, એનોડીકરણ કરીને અથવા મિશ્ર ધાતુઓં   બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે.
ઉદાહરણ તરીકે : સ્ટીલ અને લોખંડ કાટ સામે રક્ષણ આપવા માટે તેમના પર ઝીંકનું પાતળું સ્તર લાગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જો ઝિંકનું સ્તર તુટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે.
 


મિશ્રધાતુ વિષે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : મિશ્રધાતુ બનાવવાથી ધાતુના ઈચ્છિત ગુણધર્મમાં સુધારા થઇ શકે છે. 
ઉદાહરણ : લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખુબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તે નરમ હોય છે પરંતુ થોડા પ્રમાણમાં તેમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબુત બની જાય છે. જયારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે. તે સખત હોય છે અને તેણે કાટ લાગતો નથી. 
મિશ્ર ધાતુની વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય છે. જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ પારો હોય તો તેવી મિશ્ર ધાતુને એમાલ્ગમ કહે છે. 
દા.ત. ઝિંક અને સિલ્વર. આમ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા અધાતુઓનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અને ધાતુ કે અધાતુને ઓગળીને બનાવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે.
કોઈ પણ ધાતુમાં જો બીજો કોઈ પદાર્થ ઉમેરવામાં આવે અથવા મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે. જેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. જયારે લોખંડને નિકાલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે જે સખત હોય છે અને કાટ લાગતો નથી.
 


ક્ષારણના ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : ક્ષારણના ઉદાહરણ નીચે મુજબ છે.
૧. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઈડનું સ્તર બનાવે છે.
૨. કોપર હવામાંના ભેજ યુક્ત કાર્બનડાયોક્સાઈડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે.
૩. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થઈ પદાર્થનો સ્તર જામે છે જેને કાટ અથવા લોખંડનું ક્ષારણ કહેવામાં આવે છે.


પ્રશ્ન:13 ધાતુઓના શુદ્ધીકરણ માટેની વિધુતવિભાજનીય પદ્ધતિ સમજાવો.

Locked Answer

જવાબ : કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું ખુબ જ જરૂરી હોય છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. ધાતુક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

વિદ્યુતવિભાજનમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે.

ઉદાહરણ : અનોડ Cu = Cu+2 +2 ઈલેક્ટ્રોન-

કેથોડ Cu+2 +2 ઈલેક્ટ્રોન-  = Cu શુદ્ધ

કુલ પ્રક્રિયા Cu અશુદ્ધ = Cu શુદ્ધ.

દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવકમાં જાય છે જયારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટીનમ જેવી અદ્રવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે જેને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે.

A screenshot of a cell phone

Description automatically generated


એલ્યુમીનીયમ સક્રિય ધાતુ છે છતાં તેનો ઉપયોગ રસોડાના વાસણો બનાવવામાં વધુ થાય છે. કેમ? (CBSC)

Locked Answer

જવાબ : •    એલ્યુમીનીયમ એ ખુબ જ સક્રિય ધાતુ છે. તે પોતાની સપાટી પર ક્ષારણ લાગવા દેતું નથી.
•    કારણ કે તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઈડનું આવરણ બનાવી દે છે.
•    આ ઓક્સાઈડનનું પડ એ સ્થાયી હોય છે. અને તે તેની સપાટી પર થતી અન્ય રાસાયણિક પ્રક્રિયા સામે રક્ષણ કરે છે.
•    તદુપરાંત તે વજનમાં હલકું તેમજ ઉષ્માનો સુવાહક હોવાથી તેનો ઉપયોગ રસોડાના વાસણો બનાવવા થાય છે.


પ્રશ્ન:15: નીચેની રાસાયણિક પ્રક્રિયાના સમતોલિત સમીકરણો લખો. (CBSC)

  1. એલ્યુમીનીયમ ને હવાની હાજરીમાં ગરમ કરતા,
  2. આયર્ન ને વરાળ સાથેની પ્રક્રિયા.
  3. કેલ્શીયમની પાણી સાથેની પ્રક્રિયા.
Locked Answer

જવાબ :

  1. એલ્યુમીનીયમ ને હવાની હાજરીમાં ગરમ કરતા,

4Al + 3O2      ->    2Al2O3

(અલ્યુમિનિયમ)           (અલ્યુમિનિયમ ઓક્સાઈડ)           

 

  1. આયર્ન ને વરાળ સાથેની પ્રક્રિયા.

3Fe + 4H2O   ->     Fe3O4 + 4H2   

આયર્ન ઓક્સાઈડ

 

                III. કેલ્શીયમની પાણી સાથેની પ્રક્રિયા.

                      Ca + 2H2O  ->   Ca(OH)2 + H2

કેલ્શિયમ હાઇડ્રોકસાઈડ


ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની પ્રક્રિયા સમજાવો.

Locked Answer

જવાબ :

  • કોઈ પણ ધાતુ એ સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષકપ્રાપ્ત કરવાની કશીશ કરે છે.
  • ઉદાહરણ તરીકે,
  • સોડીયમ પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન છે. જો તે M કક્ષામાંથી ઈલેક્ટ્રોન ગુમાવે તો તે હવે L કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે છે.
  • આ પરમાણુંના કેન્દ્ર પાસે હજી પણ 11 પ્રોટોન છે.પરંતુ ઈલેક્ટ્રોનની સંખ્યા 10 થઇ જશે.
  • તેથી ત્યાં અસરકારક ધનભાર થશે. જે આપણા સોડિયમ ધનાયન Na+ આપે છે.
  • જયારે બીજી બાજુ ક્લોરીનની બાહ્યત્તમ કક્ષામાં સાત ઈલેક્ટ્રોન છે. તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ એક ઈલેક્ટ્રોનની જરૂર છે.
  • જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે તો, સોડિયમ દ્વારા ગુમાવાતો એક ઈલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે.
  • ઈલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન ઋણ ભાર પ્રાપ્ત કરે છે.

Na -> Na+ + e-

(2, 8, 1)           (2, 8)

                         (સોડિયમ ધનાયન)

 

Cl + e-Cl-    

->

(2, 8, 7)             (2, 8, 8)

                       (ક્લોરીન ઋણાયન)


આયનીક સંયોજનોના ગુણધર્મો જણાવો. (CBSC)

Locked Answer

જવાબ :

  1. ભૌતિક સ્વભાવ: ધન અને ઋણ વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાથી આયનીક સંયોજનો ધન અને થોડા સખત હોય છે.        
  2. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ : તેઓ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે.
  3. દ્રાવ્યતા : વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરેમાં અદ્રાવ્ય છે.
  4. વિદ્યુતનું વહન : આયનીક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ધાતુઓ અને અધાતુઓ

gseb std 10 science paper solution
આ રાસાયણવિજ્ઞાનનું ત્રીજું પ્રકરણ છે.

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.