GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

અમોનીયાનું અનુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : અમોનીયાનું અનુસુત્ર NH3  છે.


નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ : નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક ૭ છે.


હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં ૧ ઈલેક્ટ્રોન ધરાવે છે.


ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ : ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક ૧૭ છે.


મિથેનનું અનુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : મિથેનનું અનુસુત્ર CH4 છે.


હીરાનું બંધારણ જણાવો.

Hide | Show

જવાબ : હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણું કાર્બનના અન્ય ચાર પરમાણું સાથે બંધ બનાવીને સખત ત્રિ- પરમાણ્વીય ચતુસ્ફલકીય રચના બનાવે છે.


અપર રૂપ એટલે છે?

Hide | Show

જવાબ : એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપને અપરરૂપ સ્વરૂપ કહે છે.


પાણીનું અનુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : પાણીનું અનુસુત્ર H2O છે.


અયનીય સંયોજનના કોઈ પણ બે ગુણધર્મ જણાવો.

Hide | Show

જવાબ : તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે.
૨. તેમની વચ્ચે આંતર અયાનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે.


કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ : કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે.


એસિટીક એસિડનું આણ્વીય સુત્ર જણાવો.

Hide | Show

જવાબ : એસિટીક એસિડનું આણ્વીય સુત્ર CH3COOH


CH3CH2OH કોનું આન્વીય સુત્ર છે?

Hide | Show

જવાબ : ઇથેનોલ


સહસંયોજક સંયોજનોના ગુણધર્મ જણાવો.

Hide | Show

જવાબ : તેઓ વિદ્યુતના અવાહક હોય છે.
૨. તેઓ ઘન, પ્રવાહી, અથવા વાયુ અવસ્થા ધરાવે છે.


સબુનીકરણ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : એસ્ટર માંથી આલ્કોહોલ અને કાર્બોક્સીલીક એસીડના સોડીયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે. 


એસ્ટરીકરણ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : ખનીજ એસીડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સીલીક એસીડ અને પરિશુદ્ધ આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે?


પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે?

Hide | Show

જવાબ : પૃથ્વીના પોપડામાં ૦.૦૨% છે જયતે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૦.૦૩% છે.


કાર્બનના અપરરૂપોના નામ જણાવો.

Hide | Show

જવાબ : હીરો, ગ્રેફાઇટ, ફૂલેરીન.


હાઇડ્રો કાર્બન સંયોજનના બંધારણ જણાવો.

Hide | Show

જવાબ : સરળ શ્રુંખલા વાળા સંયોજનો. ૨) સાખીય શ્રુંખલા વાળા સંયોજનો ૩) વલય રચના વાળા સંયોજનો.


નશાકારક પીણા તરીકે વપરાતા ઇથેનોલ માં કયા પદાર્થના ભેલ્શેલને લીધે વ્યક્તિ દ્રષ્ટી ગુમાવે છે?

Hide | Show

જવાબ : મિથેનોલ


મીથેનાલ ના રીડાક્સન માટે કયો ઉદ્દીપક વપરાય છે?

Hide | Show

જવાબ : મીથેનાલ ના રીડાક્સન માટે લેડનામનો ઉદ્દીપક વપરાય છે.


બેકેલાઈટમાં મોનોમર તરીકે શું હોય છે?

Hide | Show

જવાબ : બેકેલાઈટમાં મોનોમર તરીકે મીથેનાલહોય છે.


મીથાઈલ ઇથેનોએટનું આણ્વીય સુત્ર શું છે?

Hide | Show

જવાબ : CH3COOCH3


CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો ને કયા સંયોજનો કહે છે?

Hide | Show

જવાબ : CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો ને આલ્ડીહાઇડ સંયોજનો કહે છે.


જળવાયું કયા બે વાયુઓનું મિશ્રણ છે?

Hide | Show

જવાબ : જળવાયુનું મિશ્રણ CO + H2 વાયુનું છે.


ઓલ પ્રત્યય કયા સમૂહ સાથે નામકરણ માં જોડવામાં આવે છે?

Hide | Show

જવાબ : ઓલ પ્રત્યય –OH સમૂહ સાથે નામકરણ માં જોડવામાં આવે છે.


૫% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : ૫% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેકટીફાઈડ સ્પીરીટ કહેવામાં આવે છે.


કયા સંયોજનોની ક્રિયાશીલતા વધુ હોય છે?

Locked Answer

જવાબ : ઈથાઇન


એસિટીક એસીડનો ઉપયોગ શેમાં થાય છે?

Locked Answer

જવાબ : એસિટીક એસીડનો ઉપયોગ પ્રક્રિયક તરીકે થાય છે.


મીથેનાલનું રીડકસન કરતા કયો પદાર્થ મળે છે?

Locked Answer

જવાબ : મીથેનાલનું રીડકસન કરતા મિથેનોલ મળે છે.


વલ્કેનાઈઝ્ડ રબરની શોધ કોને કરી હતી?

Locked Answer

જવાબ : વલ્કેનાઈઝ્ડ રબરની શોધ ચાલ્સગુડીયર નામના વૈજ્ઞાનીકે કરી હતી.


ફોર્મેલીંગનો આણ્વીય સુત્ર જણાવો.

Locked Answer

જવાબ : HCHO છે.


કુદરતી રબરમાં કયો મોનોમર રહેલો હોય છે?

Locked Answer

જવાબ : કુદરતી રબરમાં આઈસોપ્રિન નામનો મોનોમર રહેલો હોય છે.


મૃત પ્રાણીઓના અવશેષને સાચવવા કયા રસાયણનો ઉપયોગ થાય છે?

Locked Answer

જવાબ : મૃત પ્રાણીઓના અવશેષને સાચવવા ફોર્મેલીંગ નો ઉપયોગ થાય છે.


ઈથેનનું અનુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : ઈથેનનું અનુસુત્ર C2H6


ઇથેનોલ ના કોઈ પણ બે ગુણધર્મ જણાવો.

Locked Answer

જવાબ : ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે.
૨. તે દવાઓ જેવીકે ટીંચર આયોડીન, કફસિરપ તેમજ અનેક ટોકસીન માં પણ ઉપયોગમાં લેવાય છે.


ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ જણાવો.

Locked Answer

જવાબ : ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ એસિટીક એસીડ છે અથવા કાર્બોક્સીલીક એસીડ છે.


ઓક્સીજન અણુ તેની L કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

Locked Answer

જવાબ : ઓક્સીજન અણુ તેની L કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન ધરાવે છે.


નાઈટ્રોજન અણુ તેની L કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

Locked Answer

જવાબ : નાઈટ્રોજન અણુ તેની L કક્ષામાં ૫ ઈલેક્ટ્રોન ધરાવે છે.


કાર્બન અણુ તેની L કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?
 

Locked Answer

જવાબ : કાર્બન અણુ તેની L કક્ષામાં ૪ ઈલેક્ટ્રોન ધરાવે છે.


આલ્કેન સંયોજનો કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણું વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે.


આલ્કીન સંયોજનો કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણું વચ્ચે એક અથવા વધુ દ્વિ-બંધ હોય તેવા સંયોજનો ને આલ્કીન સંયોજનો કહેવામાં આવે છે.


આલ્કાઈન સંયોજનો કોને કહેવામા આવે છે?

Locked Answer

જવાબ : જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણું વચ્ચે એક અથવા વાડી ત્રિ- બંધ હોય તેવા સંયોજનોને આલ્કાઈન સંયોજનો કહે છે.


આલ્કેન સંયોજનોના ઉદાહરણ જણાવો.

Locked Answer

જવાબ : બ્યુટેન, પેન્ટેન, હેગઝેન વગેરે.


અલ્કીન સંયોજનોના ઉદાહરણ જણાવો.

Locked Answer

જવાબ : બ્યુટીન, પેન્ટીન, હેગ્ઝીન વગેરે.


અલ્કાઈન સંયોજનો ના ઉદાહરણ જણાવો.

Locked Answer

જવાબ : બ્યુટાઇન, પેન્ટાઇન, હેગ્ઝાઇન વગેરે.


શું તમે પ્રક્ષાલકોનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠીન છે કે નહી?

Locked Answer

જવાબ : ના, કારણકે પ્રક્ષાલક કઠીન અને નરમ એમ બંને પ્રકારમાં પાણીના ફીણ ઉત્પન્ન કરે છે.


કઈ કસનળીમાં દહીં જેવા ઘન પદાર્થ ઉદભવે છે.

Locked Answer

જવાબ : જે કસનળીમાં સાબુનું દ્રાવણ ઉમેર્યું છે તે કસનળીમાં દહીં જેવા ઘન પદાર્થ ઉદભવે છે.


પ્રક્ષાલકો કોને કહે છે?

Locked Answer

જવાબ : વસ્તુની સપાટી પર ચેન્તેલા મેલને દુર કરવા માટે વપરાતા રસાયણિક પદાર્થને પ્રક્ષાલાકો કહે છે.


સાબુ એટલે શું?

Locked Answer

જવાબ : સાબુ એ લાંબી શ્રુંખલા યુક્ત કર્બોક્સિલીક એસીડનો સોડીયમ અથવા પોટેસિયમ ક્ષાર છે.


સાબુના અણુનું બંધારણના નામ જણાવો.

Locked Answer

જવાબ : ૧. અદ્રુવીય ભાગ ૨. દ્રુવીય ભાગ


સાબુના અણુનું બંધારણનું દ્રુવીય ભાગ એટલે શું?

Locked Answer

જવાબ : જે ઋણભાર ધરાવે છે તે જળઅનુરાગી છેડો છે તે દ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે.


કાર્બનના અપરરૂપો વિષે જણાવો.

Hide | Show

જવાબ : કાર્બનના ત્રણ અપરરૂપો છે. ૧. હીરો, ૨. ગ્રેફાઇટ ૩. ફૂલેરીન

કુદરતમાં કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધા સ્વરૂપના રાસાયણિક ગુણધર્મો સમાન છે. આમ, કાર્બન અપરરૂપ ધરાવે છે.

આ ત્રણેય અપરરૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે. તેથી તેનું દહન કરવામાં આવે ત્યારે CO2વાયુ ઉત્પન્ન થાય છે.

૧. હીરો

હીરાનું બંધારણ નીચે પ્રમાણે છે.

હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણું કાર્બનના અન્ય ચાર પરમાણું સાથે બંધ બનાવીને સખત ત્રિ-પરમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે.

જયારે હીરાના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે.

હીરો કાર્બનની ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતો હોવાથી તે સખત પદાર્થ છે.

હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી તેનું ગલનબિંદુ ખુબજ ઊંચું છે.

હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીના કારણે તેની ઘનતા વધારે છે.

હીરામાં કાર્બન પરમાણું પાસે એક પણ મુક્ત ઈલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુતનું અવાહક છે.

હીરાનો વક્રીભવનાંક ૨.૫ હોવાથી તે પારદર્શિતા ધરાવે છે.

શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઇ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે.

૨. ગ્રેફાઇટ

ગ્રેફાઇટનું બંધારણ નીચે પ્રમાણે છે.

ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણું કાર્બનના અન્ય ત્રણ પરમાણું સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે.

આ બંધો પૈકી એક દ્વિ-બંધ હોય છે.

તેથી કાર્બનની સંયોજકતા સંતોષાય છે.

એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા બંધારણ રચાય છે.

ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે.

ગ્રેફાઈટ લીસો અને ચીકણો છે.

ગ્રેફાઇટની ઘનતા હીરા કરતા ઓછી હોય છે.

ગ્રેફાઇટમાં કાર્બનના ચાર સંયોજકતા ઈલેક્ટ્રોન પૈકી એક ઈલેક્ટ્રોન મુક્ત હોવાથી તે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક હોય છે.

૩. ફૂલેરીન:

ફૂલેરીન કાર્બનના અપરરૂપોનો અન્ય વર્ગ રચે છે.

C60 ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે.

તે અમેરિકન આર્કીટેક્ચર બકમીનીસ્ટર ફૂલર દ્વારા ડીઝાઇન કરેલ જીઓડેસિક ગુંબજ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફૂલેરીન રાખવામાં આવ્યું છે.


ઓક્સીજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. 

Hide | Show

જવાબ : ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક ૮ છે તેથી તેની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં ૨ ઈલેક્ટ્રોન અને L કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન રહેલા હોય છે.
આમ ઓક્સીજન તેની L કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ બે ઈલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. તેથી બે પરમાણુઓ તેમના L કક્ષાના બે બે ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સીજન અણુનું નિર્માણ કરે છે. જેને બે પરમાણું વચ્ચે દ્વિ- બંધની રચના થઇ એમ કહેવાય છે. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેના L કક્ષામાં ૮ ઈલેક્ટ્રોન ધરાવે છે.


કાર્બનની ચતુ-સંયોજકતા સમજાવો.

Hide | Show

જવાબ : કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે. જયારે પરમાણુંની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં 2 ઈલેક્ટ્રોન અને L કક્ષામાં 4ઈલેક્ટ્રોન ધરાવે છે. આમ તેના બાહ્યકક્ષામાં 4 ઈલેક્ટ્રોન ધરાવે છે.
કોઈ પણ તત્વની પ્રતીક્રિયાત્મકતા સંપૂર્ણ ભરવા બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે સંયોજકતા વૃત્તિને આધારે સમજાવી શકાય છે.
આયનીય સંયોજનની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે.
જો કાર્બન પરમાણુને ઈલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે ૪ ઈલેક્ટ્રોન મેળવીને C4-(સી ફોર માઈનસ) ઋણાયન બનાવી શકે છે. જયારે 4 ઈલેક્ટ્રોન ગુમાવીને C4+(સી ફોર પ્લસ) ધનાયન બનાવી શકે છે. જયારે ઋણાયનને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. અને ધનાયનને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે.
કાર્બન પરમાણું વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનીય બંધથી જોડાઈ શકતો નથી આથી કાર્બન પરમાણું અન્ય પરમાણુંઓ અથવા તત્વના પરમાણુઓ સાથે સંયોજકતા ઈલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે.
બે પરમાણુંઓના બાહ્યતમ કોષના ઈલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે.


પાણીના અણુમાં સહસહસંયોજક બંધની રચના સમજાવો.

Hide | Show

જવાબ : પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણું ઓક્સીજન હોય છે. કારણ પાણીનું અણુસુત્ર H2O છે આથી ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે તેથી તેની ઈલેક્ટ્રોન રચનામાં K કક્ષામાં 2 ઈલેક્ટ્રોન અને L કક્ષામાં  ૬ ઈલેક્ટ્રોન હોય છે.
આમ ઓક્સીજન તેની બાહ્ય કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન ધરાવે છે.
L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. તેથી હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના K કક્ષાના એક એક ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી પાણીના અણુનું નિર્માણ કરે છે.  પરિણામે પાણીમાનો ઓક્સીજન પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે.
જે તેની L કક્ષામાં 8 ઈલેક્ટ્રોન ધરાવે છે. જયારે હાઇડ્રોજન પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલીયમ જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેની K કક્ષામાં બે ઈલેક્ટ્રોન ધરાવે છે.
 


કાર્બનનાં ક્યાંબે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનવાની ક્ષમતા ધરાવે છે.

Hide | Show

જવાબ : કાર્બનના પરમાણું અન્ય પરમાણું સાથે ઈલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે. જેમાંના વધુ સંખ્યાના સંયોજનો બનવાની ક્ષમતા ધરાવે છે જે નીચેના પરિબળો પર આધાર રાખે છે.


૧. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ: 


કાર્બન પરમાણું અન્ય કાર્બન પરમાણું સાથે બંધ બનવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી તે ખુબજ વધુ સંખ્યામાં અણુઓ બનાવે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શ્રુંખલા અને કાર્બનની શાખીય શ્રુંખલા અથવા વલયોમાં ગોઠવાયેલ કાર્બન પરમાણું ધરાવે છે. 
જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુંઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય છે.તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે.
કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે સાથે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી.
સીલીકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં સાત અથવા આંઠ પરમાણું સુધીનીજ શ્રુંખલાઓ હોય છે. પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે.


૨. કાર્બનની સંયોજકતા:


કાર્બન એ ઓક્સીજન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. કાર્બનની સંયોજકતા ચાર છે. તેથી કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન પરમાણુંના અન્ય તત્વો સાથે ખુબજ પ્રબળ બંધ બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણું કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલ ઈલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે.


સમાનધર્મી શ્રેણી એટલે શું? અને તેની લક્ષણીકતા જણાવો.

Hide | Show

જવાબ : સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન વાયુના પરમાણુઓની ચોક્કસ સંખ્યામાં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.


આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મ સૂચવે છે.
કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય CH3OH, C2H5OH, C3H7OH  તથા  C4H9OHમાં રાસાયણિક ગુણધર્મમાં ઘણી સમાનતા છે. આમ,સંયોજનોની આવી શ્રેણી કે જેમાં કાર્બન શ્રુંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. તેણે સમાનધર્મી શ્રેણી કહે છે.


ઉદાહરણ: CH4અને  C2H6થી જુદા પડે છે.


મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો.

Locked Answer

જવાબ : સાબુના અણુ લાંબી શ્રુંખલા ધરાવતા કાર્બોકસીલીકએસિડનાસોડીયમ અથવા પોટેશિયમક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે. જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જયારે બીજો છેડો જળવિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જયારે સાબુપાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળવિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહી અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જયારે સાબુનું હાઇડ્રોફીલીક શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. 


પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે. જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવા અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે જેમાં જળ વિરાગી પૂંછડી ઝૂમખાંના અંદરના ભાગમાં હોય છે. જયારે તેનો આયનીય છેડો ઝૂમખાંની સપાટી પર હોય છે. આમ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે.


પ્રક્ષાલકો કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દુર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો કહેવામાં આવે છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શ્રુંખલા ધરાવતા સલ્ફોનીક એસિડના સોડીયમ ક્ષાર કે ક્લોરાઈડ અથવા બ્રોમાઈડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. પ્રક્ષાલાકોના વીજભારીત છેડા કઠીન પાણીમાં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્યઅવક્ષેપ બનાવતા નથી. જે દ્રાવ્ય ક્ષારરૂપે હોય છે. તે કઠીન પાણીમાં પણ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પુ અને કપડા ધોવાના પદાર્થ બનાવવા માટે થાય છે.


સાબુ કોને કહેવાય? અને સાબુના અણુનું બંધારણ સમજાવો.

Locked Answer

જવાબ : સાબુ એ લાંબી શ્રુંખલાયુક્ત કાર્બોક્સીલીક એસીડનો સોડીયમ અથવા પોટેસીયમ ક્ષાર છે. સાબુના અણુ બંધારણમાં બે ભાગ હોય છે. ૧. અધ્રુવીય ભાગ ૨. ધ્રુવીય ભાગ.


૧. અધ્રુવીય ભાગ: જે લાંબી હાઇડ્રોકાર્બન શ્રુંખલા ધરાવે છે તે જળ વિરાગી છેડાને અધ્રુવીય ભાગ અથવા અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે.


૨.  ધ્રુવીય ભાગ: જે ઋણભાર ધરાવે છે તે જળ અનુરાગી છેડો છે. તે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે.


વોહલરે કઈ માન્યતાની ખંડન કર્યું છે?

Locked Answer

જવાબ : વોહલરે કાર્બન પરમાણું બે વિશિષ્ટ લક્ષણો એટલે કે ચતુસંયોજકતા અને કેટેનેશનના કારણે સંયોજનનું નિર્માણ કરે છે. આ પૈકી કેટલાક સંયોજનો વિભિન્ન કાર્બનની શ્રુંખલાસાથે જોડાયેલ અકાર્બનિક પરમાણું અથવા પરમાણુંઓનો સમૂહ ધરાવે છે. આ સંયોજનનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થમાંથી કરવામાં આવ્યું હતું.
પ્રાચીન સમયમાં એમ માનવામાં આવતું હતું કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ કાર્બનિક પદાર્થની બનાવટ માટે જરૂરી છે જે આ માન્યતાનું વિખંડન વોહલરે કરેલું છે.


હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના જણાવો.

Locked Answer

જવાબ : હાઇડ્રોજન અણુમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે તેથી તેની ઈલેક્ટ્રોન રચનાં K કક્ષામાં એક ઈલેક્ટ્રોન ધરાવે છે. K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઈલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. 


હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના K કક્ષાના એક એક ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. આથી H2 તરીકે હાઇડ્રોજનને ઓળખવામાં આવે છે. 


હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલીયમ જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેના K કોષમાં બે ઈલેક્ટ્રોન ધરાવે છે.


સહસંયોજક સંયોજનના ગુણધર્મ જણાવો.

Locked Answer

જવાબ : સહસંયોજક સંયોજનના ગુણધર્મ નીચે મુજબ છે.
૧. તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા પ્રમાણમાં હોય છે.
૨. તેઓ વિદ્યુતના અવાહક હોય છે.
૩. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવ્યમાં દ્રાવ્ય હોય છે.
૪. તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણબળો પ્રમાણમાં નિર્બળ હોય છે.
૫. તેઓ ઘન, પ્રવાહી અને વાયુ આવી ત્રણ અવસ્થા ધરાવે છે. 


એમોનિયા અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો.

Locked Answer

જવાબ : અમોનિયા અણુનું અણુસુત્ર NH3જયારે એમોનિયા અણુમાં મધ્યસ્થ પરમાણું નાઈટ્રોજન હોય છે. તેનો પરમાણ્વીય ક્રમાંક ૭ છે તેથી તેની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં બે ઈલેક્ટ્રોન અને L કક્ષામાં ૫ ઈલેક્ટ્રોન રહેલા હોય છે. આમ, નાઈટ્રોજન તેની L કક્ષામાં ૫ ઈલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ૩ ઈલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. હાઈડ્રોજનના ત્રણ પરમાણુઓ તેમના K કક્ષાના એક એક ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયા અણુનું એટલે કે NH૩  નું નિર્માણ કરે છે.


પરિણામે એમોનીયાનો નાઈટ્રોજન પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેનું L કક્ષામાં ૮ ઈલેક્ટ્રોન ધરાવે છે. જયારે હાઇડ્રોજન પરમાણું  તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલીયમ જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તેના K કક્ષામાં બે ઈલેક્ટ્રોન રહેલા હોય છે.


મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો.

Hide | Show

જવાબ :

મિથેન અણુનું અણુસુત્ર CH4આથી તેમાં મધ્યસ્થ પરમાણું કાર્બન છે. તેનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે. તેથી તેની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં ૨ ઈલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઈલેક્ટ્રોન હોય છે. આમ, કાર્બન તેની L કક્ષામાં ૪ ઈલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 4 ઈલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે.

હાઇડ્રોજનના 4 પરમાણુઓ તેમના K કક્ષાના એક એક ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ કરે છે.

પરિણામે મિથેનમાનો કાર્બન પરમાણુંતેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેના L કક્ષામાં 8 ઈલેક્ટ્રોન ધરાવે છે. જયારે હાઇડ્રોજન પરમાણું તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલીયમ જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આમ, મિથેનના અણુ સહસંયોજક બંધની રચના કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

કાર્બન અને તેના સંયોજનો

gseb std 10 science paper solution
કાર્બન અને તેના સંયોજનો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.