GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનના ફાયદા જણાવો?

Hide | Show

જવાબ : વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થયા છે તેનાથી વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. દેશ દેશ વચ્ચેનાઆંતરે વ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે, નવો અભિગમ ઉદ્દભવ્યો છે. વિશ્વના તમામ રાષ્ટ્રો વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ વિશે ગંભીરતાપૂર્વક વિચારતા થયા છે. વિશ્વના તમામ રાષ્ટ્રો વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ વિશે ગંભીરતા પૂર્વક વિચારતા થયા છે.


પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે શુંવારસો છે તે ટૂંકમાં જણાવો? (સ્વાધ્યાય 1.4)

Hide | Show

જવાબ : આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિશ્વને વિજ્ઞાનના ક્ષેત્રે અમુલ્ય વારસો આપ્યો છે. ધાતુ વિદ્યા, રાસાયણિક વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્પ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાંઆપણાઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. જે આપણા માટે ખુબ ગૌરવની વાત છે. ભારતે માત્ર સાહિત્ય કળા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહફાળો આપ્યો છે.
        આર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનીકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે.


પ્રાચીન ભારતની ધાતુવિદ્યા વિશે માહિતી આપો? (સ્વાધ્યાય 1.1)

Hide | Show

જવાબ : પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિધ્ધિઓ હાંસિલ કરી હતી. એના ફળસ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથીપ્રાપ્ત થયેલી કુષાણરાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલાં ધાતુશિલ્પો, ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ઠ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે ગણાવી શકાય. આ બધા મહત્વના સ્થાન ધરાવે છે. આ ધાતુશિલ્પબનાવવાની પરંપરા દશમી અને અગિયારમી સદીથી વિકાસ પામી.


પ્રાચીન ભારતની વૈદકવિદ્યા વિશે જણાવો?(સ્વાધ્યાય 3.1)

Hide | Show

જવાબ : પ્રાચીન સમયથી ભારતે વૈદકવિદ્યામાં અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસિલ કરી છે. ભારતીય વૈદકશાસ્ત્રનામહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાના સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં ઉચ્ચત્તમ શિખરો હાંસલ કર્યા છે.
        મહર્ષિચરકેચરકસંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુતસંહિતામાં શાસ્ત્રક્રિયાનો ઉપયોગ બતાવેલો છે. વાગ્ભટ્ટનો વાગ્ભટ્ટસંહિતા પણ ખુબ જ મહત્વનો ગ્રંથ છે ચરકસંહિતા, સુશ્રુતસંહિતાઅને વાગ્ભટ્ટસંહિતા પત્યેક વૈધ (ડોક્ટર) માટેખૂબ જ ઉપયોગી ગ્રંથોછે.


પ્રાચીન સમયમાં પ્રાણીરોગોના શાસ્ત્રો અંગે ટૂંકમાં જણાવો?

Hide | Show

જવાબ : પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો વિકાસ પુરતા પ્રમાણમાં થયો હતો. અશ્વ(ઘોડા) તથા હસ્તિ (હાથી) ના રોગો પણ ગ્રંથો લખવામાં આવ્યા છે. આ પ્રાચીન ગ્રંથોમાં‘હસ્તિ આયુર્વેદ’ તથા શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન અંગે ‘અષ્ટાંગહ્રદય’ જેવા અતિ મહત્વના ગ્રંથમાં લખીને મહત્વનું યોગદાન આપ્યું છે.


પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્ર અંગે મુદ્દાસર જણાવો?

Hide | Show

જવાબ : શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતું ખૂબ જ સાહિત્ય લખાયુ છે. આ તમામ ગ્રંથોનો પ્રાચીન વિધ્યાપીઠોમાં ઉંડો અભ્યાસ કરવામાં આવતો. ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળશાસ્ત્રે ખૂબ વિકાસ કર્યો હતો. ગ્રહોઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ પણ જોવામાં આવતું હતું.
        જેના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું છે, તેમનું ખગોળ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનું યોગદાન છે તે શોધ્યું હતું. વિદ્વાનો આ શોધને અજરમર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મસિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે જે ખગોળવિદ્યામાં ઉપયોગી છે.


પ્રાચીન ભારતના જ્યોતિષશાસ્ત્રનું વર્ણન કરો?

Hide | Show

જવાબ : જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મહાન ખગોળવેત્તાવરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને ઉંડો અભ્યાસ કરી શકાય તે પ્રમાણે ત્રણ ભાગમાં વહેંચ્યું હતું. તેઓ મહાન જ્યોતિષશાસ્ત્ર હતા. તેમણે બૃહદસંહિતા નામની ગ્રંથની રચના કરી હતી. જ્યોતિષશાસ્ત્રમાં ઉપયોગી, અવકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યનાં લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન, સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરેપ્રસંગોના શુભ મુહુર્તોની માહિતી સુંદર રીતે દર્શાવી છે. આપણા પૂર્વજોના આવા અપાર સંશોધનો અને નિપૂણતા પર ગૌરવની પ્રતિતિ થાય છે.


નાલંદા વિધાપીઠની રસાયણશાસ્ત્રની વિદ્યામાં શું વિશેષતા હતી તે જણાવો?

Hide | Show

જવાબ : નાલંદા વિધાપીઠના બૌધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભષ્મ કરી વાપરવાનો પ્રયોગ તેમણે ચાલુ કર્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી. વગેરે વિશેષતા ગણી શકાય.


રસાયણ વિદ્યામાં નાગર્જુનનું યોગદાન જણાવો?

Hide | Show

જવાબ : આચાર્ય નાગાર્જુન રસાયણશાસ્ત્રના વિદ્વાન આચાર્ય હતા. તેમણે રસરત્નાકર અને આરોગ્યમંજરી નામના ગ્રંથોની રચના કરી હતી. તેમને વનસ્પતિ ઔષધોની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભષ્મ બનાવી તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.


વરાહમિહિરે બૃહદસંહિતામાં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે?

Hide | Show

જવાબ : આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર શી અસરો થાય છે તે બતાવ્યું છે. તેમણે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, તેમજ લગ્ન, સમય, તળાવોઅને કૂવાઓ ખોદકામ, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભમુહુર્તોની ચર્ચા બૃહદસંહિતામાં કરી છે.


પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં કઈ બાબતો માટે સિદ્ધાંતોની ચર્ચા કરી છે?

Hide | Show

જવાબ : પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં રહેઠાણની જગ્યાઓ, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગરનિર્માણ વગેરેની રચનાઓમાં દિશાઓનો ઉપયોગ કેવી રીતે નક્કી કરવો તે બાબતના સિદ્ધાંતોની ચર્ચા કરી છે.


ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે?

Hide | Show

જવાબ : ભારતીય સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. તે સંકુચિત કે મર્યાદિત નથી. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય છે. ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા અને વિશ્વબંધુત્વની ભાવનાના મહાન ગુણોવાળી છે. ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે. છતાં દેશના લોકોમાં એકતા જળવાયેલી છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશિષ્ટ લક્ષણ છે.


ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે કઈ કઈ શોધો આપીછે?

Hide | Show

જવાબ : ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્યની શોધ આપી છે. આ ઉપરાંત દશાંશ પદ્ધતિની સમાજ આપી છે. ઉપરાંત બીજ ગણિત, બોધાયનનો પ્રયોગ, રેખા ગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે.
 


પ્રાચીન ભારતના મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા ?

Locked Answer

જવાબ :

વરાહમિહિર પ્રાચીન ભારતના મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા.


બ્રહ્મગુપ્ત કોણ હતા?

Locked Answer

જવાબ : બ્રહ્મગુપ્ત ખગોળશાસ્ત્રી હતા.


આકાશી ગ્રહો અને વિવિધ પ્રસંગોના મુહૂર્તોની માહિતીના ભંડાર સમો ગ્રંથ કયો છે ?

Locked Answer

જવાબ : આકાશી ગ્રહો અને વિવિધ પ્રસંગોના મુહૂર્તોની માહિતીના ભંડાર સમો ગ્રંથ બૃહદ્‌સંહિતા છે.


પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) કોણ હતા ?

Locked Answer

જવાબ : પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) વિશ્વકર્મા હતા.


π ની કિંમત કેટલી ગણવામાં આવે છે ?

Locked Answer

જવાબ : π ની કિંમત 3.14 જેટલી ગણવામાં આવે છે.


ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો ક્યો છે ?

Locked Answer

જવાબ : ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો દિલ્લીમાં આવેલો વિજયસ્તંભ છે.


દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો ?

Locked Answer

જવાબ : દિલ્લી પાસે ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.


નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?

Locked Answer

જવાબ : નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ 18 ફૂટ છે.


બિહારના ભાગલપુર જીલ્લાના કયા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ મળી આવી છે ?

Locked Answer

જવાબ : બિહારના ભાગલપુર જીલ્લાના સુલતાનગંજ પાસેથી 7.5 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ મળી આવી છે.


કોણે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા ચાલું કરી હતી ?

Locked Answer

જવાબ : નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા ચાલું કરી હતી.


ધનુર્ધારી રામનું શિલ્પ કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે ?

Locked Answer

જવાબ : ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુર્ધારી રામનું શિલ્પ સચવાયેલું છે.


કયું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ?

Locked Answer

જવાબ : નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે


કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી મળી આવી છે ?

Locked Answer

જવાબ : તક્ષશિલામાંથી કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ મળી આવેલ છે.


પ્રાચીન કાળથી ભારતના લોકો કઈ વિદ્યાનો પોતાના વ્યાવહારિક જીવનમાં ઉપયોગ કરે છે ?

Locked Answer

જવાબ : પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યાવહારિક જીવનમાં ઉપયોગ કરે છે.


બૃહદ્‌સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે ?

Locked Answer

જવાબ : બંહદ્‌સંહિતા નામનો ગ્રંથ આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્ન સમય, વાવણીનાં મુહૂર્તો વગેરેની જાણકારી આપે છે.


દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) કોણ હતા ?

Locked Answer

જવાબ : દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) વિશ્વકર્મા હતા.


ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો કયો છે ?

Locked Answer

જવાબ : બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે.


વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો.

Hide | Show

જવાબ : બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે.


જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?

Hide | Show

જવાબ : જ્યોતિષશાસ્ત્ર ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.


વિજ્ઞાન અને ટેક્નોલૉજી એટલે શું ?

Hide | Show

જવાબ : વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલૉજી એટલેટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.


“પ્રાચીન ભારતની રસાયણવિદ્યા” અંગે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય1.2)

Hide | Show

જવાબ : રસાયણશાસ્ત્રએ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનીજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્ય માટે જરૂરી ઔષધીઓ બનાવવામાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠનાબૌધ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમને રસરત્નાકર અને આરોગ્યમંજરી જેવા પુસ્તકો લખ્યા છે.     

   
        આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધીઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયેલ હોય તેવું માનવામાં આવે છે. નાલંદા વિધાપીઠે રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે તથા સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ ઉભી કરી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથમાં મુખ્યરસ, ઉપરસ, દશ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભષ્મનું વર્ણન મળે છે.


        રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિમાં દ્રશ્યમાન થાય છે.7 1/2ફૂટ ઉંચી, તથા1 ટન વજન ધરાવતી તામ્રમૂર્તિ સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે તથા ભગવાન બુદ્ધની 18 ફૂટઉંચી મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટઉંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) નિર્માણ કરેલા આ સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કેતડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમુનો છે.


“પ્રાચીન ભારતની શૈલ્પચિકિત્સા” અંગે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય3.1)

Hide | Show

જવાબ : પ્રાચીન ભારતના હિંદુઓના ઔષધશાસ્ત્રોમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધીઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. મહર્ષિસુશ્રુતે સુશ્રુતસંહિતામાં શૈલ્યચિકિત્સા એટલે કે વાઢકાપ કે શસ્ત્રક્રિયામાં એવા ધારદાર સાધનનો ઉલ્લેખ છે કે જેનાથી માથાના વાળને ઉભો ચીરીને તેના બે ભાગ કરી શકાય. દવાબનાવવાની ઝીણવટભરી વિધિઓતથાદવાઓનું વર્ગીકરણ અને દવાઓના ઉપયોગ માટેના સૂચનો વગેરે વ્યવસ્થા પણ જોવા મળે છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવવામાં આવતું હતું. પેઢું, મુત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાંઘુસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુર્ણતા હતી. તૂટેલા નાક કે કાનની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. પ્રસુતિ વખતના જોખમી ઓપરેશનોપણ કરવામાં આવતા હતા. પ્રાચીન સમયમાં સ્ત્રી અને બાળરોગમાં પણ નિપુર્ણતા ધરાવતાં વૈદ્યોહતા. રોગોના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરી, રોગનિદાન કરી, રોગ મટ્યા બાદ પરેજી પણ આપતા હતા. એકંદરે પ્રાચીન ભારતમાં શૈલ્પચિકિત્સાવિદ્યાનો પુરતો વિકાસ થયો હતો.


વિશ્વભરમાં ગણિતશાસ્ત્રી ક્ષેત્રે ભારતનું યોગદાન મુદ્દાસર સમજાવો.(સ્વાધ્યાય2.1)

Hide | Show

જવાબ : જેનાથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્રની અગત્યની શોધો ભારતમાં થયેલી માનવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય (0) ની શોધ, દશાંશ પદ્ધતિ બીજગણિત, બોધાયણનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી છે.


        શૂન્ય(0) ની શોધ આર્યભટ્ટે કરી હતી તથા આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રીયાના શોધકગૃત્સમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1 (એક) ની પાછળ 53 શૂન્ય મુકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા છે. મોહેં જો દડો અને હડપ્પાનાઅવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પધ્ધતિ જોવા મળે છે. તેની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી.


        ભાસ્કરાચાર્યે 1950માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. તેમણે +(સરવાળો) અને –(બાદબાકી)નું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય (ત્રિકોણમિતિ) આપસ્તંબે શુલ્વસૂત્રોમાં ઈ.સ. 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે.


        આર્યભટ્ટના‘આર્યભટ્ટીયમ્’ ગ્રંથમાંπ(પાઈ) નીકિંમત22/7(3.14) જેટલી થાય છે. તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેમને શોધી કાઢ્યું કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π(પાઈ) છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, આદિ અષ્ટાંગ, પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે.


        આ ઉપરાંત તેમણે દશ્ગીતિકા, આર્યભટ્ટીયમ્ જેવા ગ્રંથ લખ્યા હતા. ‘આર્ય સિદ્ધાંત’ માંજયોતિષશાસ્ત્રના મૂળસિદ્ધાંતોનુંસંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે. તથા ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું. આ ઉપરાંત જુદાજુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં કરી છે. જેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાય, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યનો સમાવેશ કરી શકાય.


પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર અંગે વિગતવાર જણાવો?

Locked Answer

જવાબ : પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનું પ્રદાન રહ્યું છે. વાસ્તુશાસ્ત્રએ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વાસ્તુશાસ્ત્રની ગણના મહત્તા અને પ્રસંશા વિશ્વના દેશોમાં સ્વીકૃત થઇ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ટ, વિશ્વકર્માજેવા પ્રખર વિદ્વાનોનું આમાં અનોખું પ્રદાન જોવા મળે છે.


        વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવવામાં આવે છે. બૃહદસંહિતામાંવાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૫મી સદીમાં મેવાડના રાણા કુંભએઅગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરોધ્ધાર કરાવ્યો હતો.


        વાસ્તુશાસ્ત્રને આઠ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જે કામ દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ કર્યું હતું.વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચનાઓ, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ વગેરેની માહિતી આપવામાં આવી હોય છે. પ્રાચીન ભારતના આ જ્ઞાનને વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે અને ત્યાં પણ આ જ્ઞાન સ્વીકાર્ય બની રહ્યું છે.


પ્રાચિન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ : ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય (0) ની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી.

શુન્ય (0) ની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાનો પ્રક્રિયાના શોધક 'ગૃત્સમદ' નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1 (એક) ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યા છે.'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં તોલમાપના સાધનોમાં 'દશાંશ પદ્ધતિ' જોવા મળી છે.

 ભાસ્કરાચાર્ય ઈ.સ. 1150માં 'લીલાવતી ગણિત' અને 'બીજ ગણિત' નામના ગ્રંથો લખ્યા. તેમણે + (સરવાળા) તથા - (બાદબાકી)નું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય (ત્રિકોણમિતિ) આપસ્તંભે શુલ્વસૂત્રોમાં (ઈ.સ. 800 પૂર્વે) વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનાં પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્ર્લેષણ છે.

આર્યભટ્ટના 'આર્યભટ્ટીયમ્‌' ગ્રંથમાં  π (પાઈ) ની કિંમત ક (3.14) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે

પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક 7 (પાઈ) છે. ભાગાકારની આધુનિક

પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં

આપી છે. તેથી આર્યભટ્ટને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે દશગીતિકા',

'આર્યભટ્ટીયમ્‌' જેવા ગ્રંથ લખ્યા હતા. આર્યસિદ્ધાંત'માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.

ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું.

 

આ ઉપરાંત ગણિતશાસ્ત્રનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા અનેક વિદ્દાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન,

આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય.


વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

Locked Answer

જવાબ : પ્રાચીન સમયથી ભારતે વૈદકવિધા અને શલ્યચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદક શાસ્ત્રનાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે.

મહર્ષિ ચરકે 'ચરકસંહિતા' નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનુ વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે 'સુશ્રુતસંહિતા'માં શલ્યચિકિત્સા (વાઢકાપ વિદ્યા-શસ્ત્રક્રિયા)નાં એવાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા. વાગ્ભટ્ટનો 'વાગ્ભટ્ટસંહિતા'  પણ મહત્વનો ગ્રંથ છે. ચરક્સંહિતા, સુશ્રુતસંહિતા અને વાગ્ભટ્ટસંહિતા પ્રત્યેક વૈધ માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે.

પ્રાચીન ભારતના હિંદુઓનાં ઔષધશાસ્ત્રમાં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. પેઢુ, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી.

તૂટેલા કાન કે નાકની સારવાર અને 'પ્લાસ્ટિક સર્જરી' પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા. તેઓ સ્ત્રી તથા બાળરોગોના નિષ્ણાત પણ હતા. રોગોનાં કારણો અને ચિહ્‌નોનું વર્ગીકરણ કરી, તેનું નિદાન કરી, રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા.

પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોનાં શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. અશ્વ (ઘોડા) તથા હસ્તી (હાથી)ના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં 'હસ્તી આયુર્વેદ' તથા શાલિહોત્રનું 'અશ્વશાસ્ત્ર' ખૂબ જ પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્રે 'અષ્ટાંગહૃદય' જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો.


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકાં જોડો.

1.    વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનો     A.    વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી
2.    વિજ્ઞાન      B.    વિજ્ઞાન ક્ષેત્રે વારસો
3.    ભારતના મહાન ઋષિઓ          C.    ધાતુશિલ્પો બનાવવાની પરંપરાશરૂ થઇ
4.    દશમી અને અગિયારમી સદીનો વિકાસ     D.    રાષ્ટ્રો વિશ્વશાંતિ તરફ વળ્યા 
Hide | Show

જવાબ :

(1 – D), (2- A), (3- B), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય     A.    રસરત્નાકર અને આરોગ્ય મંજરી
2.    આચાર્ય નાગાર્જુન     B.    નાગાર્જુન
3.    રસાયણશાસ્ત્ર     C.    નાલંદા વિદ્યાપીઠ
4.    પારાની ભષ્મ     D.    પ્રયોગાત્મક વિજ્ઞાન 
Hide | Show

જવાબ :

(1 –B), (2- A), (3- D), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    સુલતાનગંજ(બિહાર)      A.    18 ફૂટ ઉંચી ભગવાન બુદ્ધની મૂર્તિ
2.    નાલંદા      B.    1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ
3.    સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો      C.    રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો
4.    વિજયસ્તંભ      D.    24 ફૂટ ઉંચો, 7 ટન વજનનો વિજય સ્તંભ
Hide | Show

જવાબ :

(1 – B), (2- A), (3- D), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    સિંધુકાલીન સંસ્કૃતિ અવશેષો      A.    ભગવાન બુદ્ધની પ્રતિમાઓ
2.    તક્ષશિલાના અવશેષો        B.    ધાતુની નર્તકીની પ્રતિમા
3.    ચેન્નાઇસંગ્રહાલય      C.    ધાતુવિદ્યા
4.    વ્યવહારિક જીવનમાં ઉપયોગ     D.    શિવ-નટરાજ નૃત્યકલા શિલ્પ
Hide | Show

જવાબ :

(1 – B), (2- A), (3- D), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    રસાયણશાસ્ત્ર     A.    ઔષધિ નિર્માણ
2.    વિવિધ ધાતુઓનું નિર્માણ અને પરિવર્તન     B.    વૈદકવિદ્યા, શસ્ત્રક્રિયાના પ્રણેતા
3.    મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ્ટ C.    ચરકસંહિતા
4.    2000 વનસ્પતિ ઔષધીઓનું વર્ણન D.    પ્રયોગાત્મક વિજ્ઞાન 
Hide | Show

જવાબ :

(1 –D), (2- A), (3- B), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    મહર્ષિ ચરક A.    મહર્ષિ સુશ્રુત
2.    મહર્ષિ સુશ્રુત B.    ચરકસંહિતા
3.    વાઢકાપ શસ્ત્રક્રિયાનું વર્ણન      C.    વાગ્ભટ્ટસંહિતા
4.    વાગ્ભટ્ટ     D.    સુશ્રુતસંહિતા
Hide | Show

જવાબ :

(1 –B), (2- A), (3- D), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    તૂટેલા કાનની સારવાર     A.    શસ્ત્રક્રિયા
2.    પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવવું     B.    પ્લાસ્ટિક સર્જરી
3.    ‘હસ્તી આયુર્વેદિક’ ગ્રંથ     C.    ઘોડાઓની સારવાર
4.    ‘અશ્વશાસ્ત્ર’ ગ્રંથ     D.    હાથીઓના રોગો માટે
Hide | Show

જવાબ :

(1 – B), (2- A), (3- D), (4- C)

યોગ્ય જોડકાં જોડો.

1.    વાગ્ભટ્ટનું નિદાનગ્રંથનું નામ      A.    પરેજી
2.    રોગમટ્યા પછીની સારવાર      B.    અશ્વશાસ્ત્ર
3.    શાલીહોત્ર     C.    અષ્ટાંગ હ્રદય
4.    માથાના વાળને ચીરીને બે ભાગ      D.    સુશ્રુતસંહિતા કરવાનો ઉલ્લેખ
Hide | Show

જવાબ :

(1 –C), (2- A), (3–B), (4- D)

યોગ્ય જોડકાં જોડો.

1.    શૂન્યની શોધ      A.    એક્ડાની પાછળ શૂન્ય લગાવી લખવું તે 
2.    દુનિયાનો વ્યવહાર ચાલે તે શાસ્ત્ર     B.    લીલાવતી ગણિત, બીજ ગણિત
3.    ગુત્સમદ     C.    ગનીત્શાસ્ત્ર
4.    ભાસ્કરાચાર્ય     D.    ભારત કરવાનો ઉલ્લેખ
Hide | Show

જવાબ :

(1 –D), (2- C), (3 –A), (4- B)

યોગ્ય જોડકાં જોડો.

1.    દશાંશ પદ્ધતિ, બીજ ગણિત     A.    શૂન્યની શોધ
2.    દુનિયાનો વ્યવહાર ચાલે તે શાસ્ત્ર B.    પ્રાચીન ભારતના ગણિતજ્ઞો
3.    એકડાની પાછળ 53 શૂન્યની બનતી સંખ્યા     C.    ભારત ના નામો નક્કી કર્યા
4.    દશાંશ પદ્ધતિ     D.    મોહેં જો દડો અને હડપ્પાના અવશેષો
Hide | Show

જવાબ :

(1 –C), (2- A), (3 –B), (4- D)

Download PDF

Take a Test

Choose your Test :

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો

ઇતિહાસ
ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.