GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ચૂનાના ઉપયોગ જણાવો (સ્વાધ્યાય- 2.1)

Hide | Show

જવાબ : ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત લોખંડ ગાળવાની ભટ્ટીમાં તથા રસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે.      ચૂનાનો ઉપયોગ મકાન બાંધકામમાં , કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં થાય છે. સોડા એશ, સાબુ, રંગ- રસાયણ બનાવાવામાં પણ સાબુ વપરાય છે.      દેશમાં ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ વગેરે છે.      ગુજરાતમાં પણ જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, નર્મદા, ભાવનગર, રાજકોટ વગેરે જીલ્લા ચૂનાના મુખ્ય ઉત્પાદક છે.


અબરખ વિષે જણાવો. (સ્વાધ્યાય 2.2)

Hide | Show

જવાબ : વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખ અગ્નિ રોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. વિદ્યુત મોટર, ડાયનેમો, રેડીઓ, ટેલીફોન, મોટરગાડી, હવાઈ જહાજ, વગેરેની બનાવટમાં અબરખનો ઉપયોગ થાય છે.      ભારતમાં બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને આંધ્ર પ્રદેશ અબરખ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, અને તમિલનાડુમાં પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મોસ્કોવાઈટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.


લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. (સ્વાધ્યાય-૩.૩)

Hide | Show

જવાબ : લીખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે. લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર છે.

  1. હેમેટાઈટ
  2. મેગ્નેટાઈટ
  3. લીમોનાઈટ
  4. સિડેરાઈઝ

ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. ત્યારબાદ ઓડીસા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ પ્રાપ્ત થાય છે.


ભારતમાં મેંગેનિઝ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે?

Hide | Show

જવાબ : મેંગેનિઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે.
ભારતમાં ઓડીસા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, અને ગુજરાત માંથી પણ મેંગેનીઝ ઉપલબ્ધ બને છે.


સ્લેટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના આરસપહાણમાંથી બને છે?

Hide | Show

જવાબ : સ્લેટ, આરસપહાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી બને છે.


ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડીયમ વગેરે કયા પ્રકારના ખનીજો છે?

Hide | Show

જવાબ : ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડીયમ વગેરે મિશ્રધાતુ રૂપે વપરાતા ખનીજો છે.


ભારતમાં અબરખનો કયા પ્રકારનો વિશાળ જથ્થો મળી આવ્યો છે?

Hide | Show

જવાબ : ભારતમાં મેસ્કોવાઈટ અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.


ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં મળી આવ્યા છે?

Hide | Show

જવાબ : ગુજરાતમાં તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા મળી આવ્યા છે.


એલ્યુમિનિયમ શેમાંથી મેળવવામાં આવે છે?

Hide | Show

જવાબ : એલ્યુમિનિયમ બોકસાઇટ માંથી મેળવવામાં આવે છે.


સીસાની ધાતુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : સીસાની ધાતુને ગેલેના તરીકે ઓળખવામાં આવે છે.


ચૂનાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કઈ બનાવટમાં થાય છે?

Hide | Show

જવાબ : ચૂનાનો મોટા પ્રમાણમાં ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે.


અબરખના ઉત્પાદનમાં વિશ્વમ ભારત કયું સ્થાન ધરાવે છે?

Hide | Show

જવાબ : અબરખના ઉત્પાદનમાં વિશ્વમ ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.


બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવતું ભારતનું કયું રાજ્ય છે?

Hide | Show

જવાબ : ઉત્તર પ્રદેશ એ બાયોગેસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવતું રાજ્ય છે.


તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી કઈ ધાતુ બને છે?

Hide | Show

જવાબ : તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી પિત્તળ બને છે?


વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયારૂપ કયું ખનીજ છે?

Hide | Show

જવાબ : વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયારૂપ ખનીજ લોખંડછે.


માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો?

Hide | Show

જવાબ : માનવીએ સૌ પ્રથમ તાંબાનો ઉપયોગ કર્યો હતો.


લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર છે? કયા કયા?

Hide | Show

જવાબ : લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર છે.
1.    હેમેટાઈટ
2.    મેગ્નેટાઈટ
3.    લીમોનાઈટ
4.    સિડેરાઈઝ


કિંમતી ધાતુઓ જેવીકે સોનું, ચાંદી, તાંબું, વગેરે ખનીજો કયા પ્રકારના ખડકો માંથી મળે છે?

Hide | Show

જવાબ : કિંમતી ધાતુઓ જેવીકે સોનું, ચાંદી, તાંબું, વગેરે ખનીજો આગ્નેય ખડકો માંથી મળે છે.


ગુજરાતમાં સૌરઉર્જા પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો છે?

Hide | Show

જવાબ : ગુજરાતમાં સૌરઉર્જા પ્લાન્ટ ભુજના માધોપુરમાં સ્થાપવામાં આવ્યો છે.


ગુજરાતમાં કયું ક્ષેત્ર કુદરતી વાયુના ભંડાર તરીકે જાણીતું છે?

Hide | Show

જવાબ : ગુજરાતમાં આવેલા ગાંધાર ખાતે કુદરતી વાયુના ભંડાર તરીકે ઓળખાતું ક્ષેત્ર છે.


ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના કોને અમલમાં મૂકી છે? ક્યારે?

Locked Answer

જવાબ : ફ્રાન્સે ઈ.સ. ૧૯૬૬માં ભરતી- ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી.


પરમાણુંવિદ્યુતના ઉત્પાદનમાં વપરાતું મુખ્ય ખનીજ કયું છે?

Locked Answer

જવાબ : પરમાણુંવિદ્યુતના ઉત્પાદનમાં વપરાતું મુખ્ય ખનીજ યુરેનિયમ છે.


બયોગેસના ઉત્પાદનમાં પદાર્થો સડી જવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

Locked Answer

જવાબ : બયોગેસના ઉત્પાદનમાં પદાર્થો સડી જવાથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે.


નાનાથી માંડી મોટા યંત્રો, શસ્ત્રો, હવાઈ જહાજ બનાવવામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે?

Locked Answer

જવાબ : નાનાથી માંડી મોટા યંત્રો, શસ્ત્રો, હવાઈ જહાજ બનાવવામાં લોખંડનો ઉપયોગ થાય છે.


જામનગર જીલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં ચૂનાનું પ્રમાણ કેટલા ટકા હોય છે?

Locked Answer

જવાબ : જામનગર જીલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં ચૂનાનું પ્રમાણ 97 ટકા હોય છે.


ગેલેનાનું બીજું નામ શું છે ?

Locked Answer

જવાબ : સીસું


સૌથી વધુ લોખંડ ભારતમાં ક્યા રાજ્યમાંથી મળે છે ?

Locked Answer

જવાબ : કર્ણાટક


ગુજરાતના ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?

Locked Answer

જવાબ : જામનગર


ભારત વિશ્વમાં ક્યા ખનીજના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે ?

Locked Answer

જવાબ : અબરખ


બૉક્સાઇટમાંથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ?

Locked Answer

જવાબ : એલ્યુમિનિયમ


તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે ?

Locked Answer

જવાબ : કલાઇ


તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે ?

Locked Answer

જવાબ : જસત


માનવીએ સૌપ્રથમ કઇ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો ?

Locked Answer

જવાબ : તાંબાંનો


મૅંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે ?

Locked Answer

જવાબ : પોલાદ


ઢાળના લોખંડમાંથી ક્યું તત્વ દૂર કરતા તેમાંથી ઘડતરનું લોખંડ મળે છે ?

Locked Answer

જવાબ : કાર્બન


માનવવિકાસનો પ્રથમ તબક્કો ક્યો છે ?

Locked Answer

જવાબ : પાષાણયુગ


રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ કોણ ગણાય છે ?

Locked Answer

જવાબ : ખનીજો


સ્લેટ, આરસપહાણ અને હીરા ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?

Locked Answer

જવાબ : રૂપાંતરિત


કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ?

Locked Answer

જવાબ : પ્રસ્તર


લોખંડ, તાંબુ, જસત વગેરે ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ?

Locked Answer

જવાબ : આગ્નેય


ખનીજતેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. (સ્વાધ્યાય 1.2)

Hide | Show

જવાબ : ભારતમાં રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનીજ તેલ મળી આવે છે.

  • પ્રાચીન સમયમાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થયું . આ લગભગ            પ્રવાહી    રૂપમાં હતું.
  • આંતરિક હલનચલન થતા આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઉંચકાતા ગયા. કેટલાક પેટાળમાંથી ઉપર આવ્યા તો કેટલાક સમુદ્રના તળિયે દટાયેલા રહ્યા.
  • ભારતમાં 1866 માં અસમમાં તેલનો કુવો શોધવા સૌ પ્રથમ કુવો ખોદવામાં આવ્યો. ૧૮૬૭માં અસમના માકુમ ખાતે ખનીજ તેલ મળી આવ્યું. ત્યારપછીના સક્રિય પ્રયત્નો ભારતના અન્ય ભાગો જેવા કે ખંભાતનો અખાત અને અરબ સાગરના ‘ બોમ્બે હાઈ’ માં પણ ખનીજ તેલ મળી આવ્યું.
  • આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશોના વિસ્તારોમાંથી પણ ખનીજતેલ મેળવવામાં આવે છે.
  • ભારતના ખનીજતેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
  1. ઉત્તર પૂર્વના તેલક્ષેત્રો
  2. ગુજરાતના તેલક્ષેત્રો
  3. બોમ્બે હાઈના તેલક્ષેત્રો
  4. પૂર્વ કિનારાના તેલક્ષેત્રો
  5. રાજસ્થાનના તેલક્ષેત્રો
  • ગુજરાતના આણંદ જીલ્લાના લૂણેજ ખાતેથી સૌ પ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ,             કોસંબા, ભરૂચ, ખેડા અને ભાવનગર માંથી         ખનીજ તેલ મળી આવે છે.
  • વિશ્વનું સૌથી મોટું ખનીજતેલ સુદ્ધીકરણ સંકુલ જામનગરમાં આવેલું છે.
  • ખનીજ તેલ ઉદ્યોગોમાં સંત્રિક સાધન સંચાલાન બળ કે બળતણ તરીકે વપરાય છે. તેમજ પરિવહનમાં તેનો ઉપયોગ થાય છે.


ખનીજ સંરક્ષણ ના ઉપાય જણાવો. (સ્વાધ્યાય-1.2)

 

Hide | Show

જવાબ : માનવ જાતિના અસ્તિત્વ માટે અને વિકાસ માટે ખનીજો જરૂરી છે. આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયાત્ન કરે છે. નિકાસ વધારી વિદેશી હુંડીયામણ મેળવવા ખાનીજોનો બેફામ ઉપયોગ કરે છે. તેથી ખનીજ સંરક્ષણ જરૂરી છે.      

ખનીજ સંરક્ષણ માટેના ઉપાયો:

  1. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ: ખનીજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.
  2. પુન:ચક્ર – લોખંડ, તાંબું, અલ્યુમિનીયમ અને કલાઈના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.
  3. ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ : ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પ્પો શોધવા જોઈએ.
  4. વિદ્યુતના સ્થાને સૌર વીદ્યુતનો ઉપયોગ, તાંબાને સ્થાને એલ્યુમીનીયમનો ઉપયોગ, અને પેટ્રોલને બદલે સી.અન.જી. નો ઉપયોગ વધારવો જોઈએ.
  5. બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ: જળ,સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.
  6. પોષણક્ષમ વિકાસ: પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી. પ્રદુષણમુક્ત પર્યાવરણ ના પ્રયત્નો કરવા જોઈએ.
  7. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેનો આયોજન પૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઇ શકે.

ખનીજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે.


વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો. (સ્વાધ્યાય ૧.૩)

Hide | Show

જવાબ : માનવીના ઘરમાં ચાલતા વીજળીક ઉપકરણો જેવા કે ટેલીવિઝન, રેડીઓ, પંખા, વોશિંગ મશીન, ફ્રીઝ વગેરેને ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તેને વિદ્યુત શક્તિ કહે છે.

  • માનવીઓ દ્વારા ચલાવાતા ઉદ્યોગોના સતત વિકાસ માટે વિદ્યુત શક્તિની જરૂર પડે છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ઔદ્યોગિક ક્રાંતિ થઇ જેના પરિણામે વિદ્યુત શક્તિની શોધ થઇ.
  • વિદ્યુત શક્તિ મેળવવા માટે ઉર્જાના જુદા જુદા ત્રણ પ્રકારના સાધનો છે.
  • કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત ‘તાપ વિદ્યુત’ કહેવાય છે.
  • તાપ વિદ્યુત મથકોમાં વિદ્યુત ઉત્પન્ન કરવા લાખો તન કોલસો વપરાય છે. ભારતમાં જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં તાપ વિદ્યુત મથક સ્થાપવામાં આવે છે.
  • વિદ્યુત ઉત્પન્ન કરવાનો બીજો સ્ત્રોત છે સતત મળતું પાણી. સામાન્ય રીતે નદીઓના ધોધના સ્થળે કે ઉંચાઈ પર જામા થયેલ પાણીને પાઈપ લાઈન દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઈન ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રકારે ઉત્પન્ન કરેલી વિદ્યુતને ‘જળવિદ્યુત’ કહે છે.
  • ગુજરાતમાં નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર ખાતે જળવિદ્યુત મથક કાર્યરત છે.
  • આજ રીતે સૂર્ય-ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે દરિયામાં સતત ભરતી ઓટ આવ્યા કરે છે. ભારતીના પાણીમાં શક્તિ વધુ હોય છે.પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ ટર્બાઈન ગોઠવીને વિદ્યુત શક્તિ મેળવવામાં કર્યો.
  • ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો અમલ કર્યો છે.
  • આ ઉપરાંત યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોનું વિભાજન કરી જે વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે તેનો ઉપયોગ પરમાણું વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
  • ભારતમાં ઝારખંડ અને રાજસ્થાનમાં બહુ થોડા પ્રમાણમાં યુરેનિયમ મળે છે.


તાંબાની ઉપયોગીતા જણાવો. (સ્વાધ્યાય 2.૩)

Hide | Show

જવાબ : તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. માનવીના સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી    આ ધાતુ હતી. અન્ય ધાતુ સાથે મિશ્રણ થવાના ગુણને કારણે તેનું મહત્વ વધુ છે.તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે.

     તાંબું એ વિદ્યુત સુવાહક ધાતુ છે. એટલે તેનો મોટા ભાગે ઉપયોગ વીજળીના સાધનો બનાવવામાં આવે છે.

     આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ તાંબાનો ઉપયોગ થાય છે.

     ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાન છે.  આ ઉપરાંત બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માંથી તાંબું પ્રાપ્ત થાય છે.


ખનીજોના વર્ગીકરણ વિષે લખો. (સ્વાધ્યાય 2.4)

Hide | Show

જવાબ : ખનીજોને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચી શકાય.

  1. ધાતુમય ખનીજો:
  1. કિંમતી ધાતુમય ખનીજો: સોનું, ચાંદી, પ્લેટીનમ વગેરે.
  2. વજનમાં હલકી એવી ધાતુંવાળા ખનીજો: મેગ્નેશિયમ, બોકસાઇટ, ટીટાનિયમ.
  3. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો: લોખંડ, તાંબું, સીસુ, જસત, કલાઈ.
  4. મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનીજો: મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડીયમ, વગેરે.
  1. અધાતુમય ખનીજો: ચૂનાના પથ્થર, ચોક, અસ્બેસ્ટોસ, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે.
સંચાલન શક્તિ માટે વપરાતા ખનીજો: કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે


‘આધુનિક યુગને ખનીજ યુગ કહે છે’ શા માટે? (સ્વાધ્યાય ૩.1)

Hide | Show

જવાબ : આજના યુગમાં માનવીની તમામ જરૂરિયાતો અને પ્રવૃત્તિઓ ખનીજો માંથી બનાવેલા સાધનો સાથે સંકળાયેલી છે.

  • નાનામાં નાના કદના યંત્રો કે ઉદ્યોગો માટે જરૂરી એવા વિરાટ કદના યંત્રો અને આધુનિક વાહનો વગેરે બધાજ પ્રકારના ખનીજો માંથી બને છે.
  • ઉદ્યોગોના વિકાસ અને તેના યંત્રો બનાવવા માટે વપરાતી ખનીજોનું મહત્વ ઘણુંજ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો આધુનિક જ્ઞાન અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ખનીજો અને તેની સમૃદ્ધિને વિકાસ યોજનાઓમાં કરે છે.
  • મોટા યંત્રો અને વિશાળ અવકાશયાનોમાં પણ ખાનીજોનો ઉપયોગ થાય છે.
  • તેથી આધુનિક યુગને ‘ખનીજ યુગ’ પણ કહેવામાં આવે છે.


આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે?

Hide | Show

જવાબ : આજના યુગમાં વિશ્વની મોટા ભાગની જરૂરિયાતો કોલસો ખનીજ તેલ, કુદરતી તેલ અને વૃક્ષોના લાકડા દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાઓથી સંતોષાય છે. પરંતુ શક્તિના આ સંસાધનો માર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. અને તેની પુન: પ્રાપ્તિ અશક્ય છે. તેથી આ સંસાધનોને લાંબા સમય સુધી સાચવવાના પ્રયત્નો શરુ થયા અને તેના વિકલ્પ રૂપે પવનઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભુતાપીય ઉર્જાનો સમાવેશ કરવામાં આવ્યો.

     આ બધા ઉર્જા સ્ત્રોત પુન: પ્રાપ્ય ઉર્જાના સંસધાનો છે. અને તે બધા સ્ત્રોત અખૂટ શક્તિ સંસાધન છે.તેથી આ બધી બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે.


વિવિધ ઉદ્યોગમાં મેંગેનીઝની ઉપયોગીતા સમજાવો.

Locked Answer

જવાબ : મેંગેનીઝનો ઉપયોગ સામાન્ય લોખંડ માંથી પોલાદ બનાવવા માટે થાય છે. આ પોલાદ ખુબ જ મજબુત હોય છે. મેંગેનીઝના મિશ્રણથી બનેલા પોલાદનો ઉપયોગ પાટા તથા સળિયા બનાવવામાં થાય છે. આ પોલાદથી બનેલા પાટા અને સળિયાઓમાં સ્થિતિ સ્થાપકતા અને મજબૂતાઈ આવે છે.

     આ પોલાદ ભારે યંત્રો, તથા મોટા મોટા ખડકો તોડવાના યંત્રો બનાવવામાં થાય છે. આ કામોના ઘસારા સામે પોલાદ ખુબ જ ટકી રહે છે.

     મેંગેનીઝનો ઉપયોગ અન્ય ઉદ્યોગોમાં પણ થાય છે. જેમકે રસાયણ ઉદ્યોગ, બ્લીચીંગ પાવડર, જંતુનાશકો, સુકી બેટરી તેમજ ટાઈલ્સ બનાવવામાં થાય છે.

     મેંગેનીઝ ચિનાઈ માટીના વાસણો અને રંગીન ઇંટો બનાવવામાં ખુબ ઉપયોગી છે. આ સિવાય કાચ ઉદ્યોગ દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી તેમજ ચામડાના ઉદ્યોગોમાં વપરાય છે.


સૌર ઉર્જાની પ્રાપ્તિ અને તેના ઉપયોગો સમજાવો.

Locked Answer

જવાબ : સૂર્યએ પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તે વર્ષના મોટા ભાગના દિવસોમાં પ્રકાશિત રહે છે. સૂર્ય દ્વારા મળતી ઉર્જાને સૌર ઉર્જા કહે છે. જેને કારણે સમગ્ર પૃથ્વી પરનું જીવાવરણ ધબકતું રહે છે.

     ભારતે સૌરઉર્જાની ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ કરી છે. રસોઈ બનાવવા સોલાર કુકર, ગરમ પાણી મેળવવા સોલાર હીટર તેમજ વીજળી ઉત્પન્ન કરવા સોલાર પેનલ વગેરે બનાવવા સૌર ઉર્જાનો ઘણો જ ઉપયોગ થાય છે.

     ગુજરાત દેશમાં સૌથી વધુ સૌરઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સીએ વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું શીતાગાર સ્થાપ્યું છે. વીજળી વગરના ગામોમાં સૌર ઉર્જા દ્વારા દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે.

     ગુજરાતના ભૂજ પાસેના માધોપુરમાં દરિયાના ખરા પાણીને મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

     આ પ્રમાણે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.


કોલસાના વિવિધ ઉપયોગી સંસાધન તરીકેના ઉપયોગો સમજાવો.

Locked Answer

જવાબ :

  • ઘણા સમયથી માનવજીવન માટે કોલસો એ મહત્વનું શાક્તિનું સંસાધન છે.
  • આધુનિક જમાનામાં વરાળ યંત્રોની શોધ થઇ તેમાં કોલસાનો ઉપયોગ વધ્યો, તેનાથી રેલ્વે અને આગબોટ જેવા પરિવહનના સાધનો નો ઉપયોગ સરળ બનતો ગયો.
  • વીજળીની શોધ થવાથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનીજ બનવા લાગ્યો. તેમજ ધાતુ ગાળવાની મોટી ભટ્ટીઓમાં તેનો ઉપયોગ થવા લાગ્યો.
  • ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, મોટા કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે કોલસાનું ઘણું મહત્વ છે.
  • કોલસામાંથી કેટલીક આડ પેદાશો પણ મળે છે. જેમકે ડામર, એમોનીયા, વાયુ, અમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રુડ ઓઇલ.


ભરતી ઉર્જા વિષે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ :

  • માનવીએ પાણીની શક્તિનો ઉપયોગ કરી તેમાંથી ઉર્જા મેળવવાનો પ્રયત્ન કર્યો અને તેમાંથી વીજળી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી. ભરતી ઉર્જાએ ઉર્જાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે.
  • સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે             પૃથવીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી ઓટની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. ભારતીના પાણીમાં શક્તિ વધુ હોય છે. પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ વીજળી મેળવવામાં કર્યો છે.
  • ભરતીના પાણીને અવરોધી મોટા બંધ બાંધવામાં આવ્યા. આ પાણીને નીચે તરફ ધોધરૂપે વહેવડાવી નીચાણમાં ગોઠવેલા ટર્બાઈન વડે વિદ્યુત શક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે.
  • ભારતમાં વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા મેળવવાની ઘણી શક્યતા રહેલી છે. ઈ.સ. ૧૯૬૬માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી.
ગુજરાત વિદ્યુત બોર્ડ કચ્છના અખાતમાં જામનગરના દરિયા કિનારે અને ખંભાતના અખાતમાં ભરતી ઉર્જાથી વિદ્યુત મેળવવા માટેની યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.


કુદરતી વાયુની પ્રાપ્તિ અને તેના ઉપયોગો વિશે માહિતી આપો.

Locked Answer

જવાબ :

  • પૃથ્વી પર જમીનમાંથી ખનીજ તેલમાંથી કુદરતી રીતે છુટા પડેલા વાયુને કુદરતી વાયુ કહે છે.
  • તે વાપરવામાં સરળ, સૌથી સસ્તી, અને પ્રદુષણ રહિત ઉર્જા શક્તિ છે.
  • તેનો  મહત્તમ ઉપયોગ ઘરગથ્થુ બળતણ તરીકે, વાહનો અને કારખાના ચલાવવા માટે થાય છે. તેમજ ઠંડા પ્રદેશોમાં ગરમી મેળવવા માટે અને પેટ્રોકેમિકલ્સ તથા રસાયણિક ખાતર બનાવવા આ વાયુનો ઉપયોગ થાય છે.
  • ભારતમાં કુદરતી વાયુના ભંડારો કાવેરી બેસિન, ખંભાત બેસિન અને રાજસ્થાનના જેસલમેરમાં આવેલા છે.
  • ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો સૌથી મોટો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે.


શક્તિ સંસાધનો ક્યાંથી મેળવાય છે? અને આર્થિક ઉપયોગ શો છે?

Locked Answer

જવાબ : શક્તિના સંસધાનો કુદરતી વાયુ, ખનીજ તેલ, કોલસો, લાકડું તથા યુરેનિયમ જેવા પરંપરાગત સ્ત્રોત તેમજ ભરતી, પવન, સૂર્ય, ભુતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતમાંથી મેળવાય છે.

     શક્તિ સંસાધનોની મુસાફરો માટેના વાહનો તેમજ માલસામાનનું વ્યાપારી ધોરણે પરિવહન કરવામાં ખુબ જ ઉપયોગીતા છે. મોટા કારખાનાઓના યંત્રો ચલાવી તેના દ્વારા વ્યાપારી ધોરણે ઔદ્યોગિક ઉત્પાદન કરવાનો આ સંસાધનોનો આર્થિક ઉપયોગ છે.


બોકસાઇટ વિશે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : આ ધાતુ એલ્યુમીનીયમની કાચી ધાતુ છે. બોકસાઇટ માંથી એલ્યુમીનીયમ મેળવવામાં આવે છે. સૌ પ્રથમ વાર તે ૧૮૨૧ માં ફ્રાન્સના લેસ બાકસ પાસેથી મળી આવી.

     તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ સહેલાઇથી ટીપી શકાય છે. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાય છે.

     આ ખનીજ ડેક્કનટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ભારતમાં ઓડીસા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી તેમજ ઝારખંડના રાંચી માંથી બોકસાઇટ મળે છે.

     


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ભારત : ખનિજ અને શક્તિના સંસાધનો

ઇતિહાસ
ખનિજ અને શક્તિના સંસાધનો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.