GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભારતે આઝાદી પછી આર્થિક વિકાસ સાધવા શું કર્યું તે વિગતે જણાવો.

Hide | Show

જવાબ : આઝાદી પ્રાપ્ત કરી ત્યારબાદ ઝડપી આર્થિક વિકાસ સાધવા ભારત સરકારે એક પછી એક અનેક પંચવર્ષિય યોજનાઓ અમલમાં મૂકી. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ,અને ઔદ્યોગિક નીતિઓની જાહેરાત કરી. ઘણી યોજનાઓ પૂરી થઇ પરંતુ આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહી.
     
સરકારે ભૂતકાળની ભૂલો સુધારી લેવા જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો.જેના પરિણામે ૧૯૯૧ની ઔધોગિક નીતિમાં આર્થિક વિકાસને વેગ મળે તેવા સુધારા અમલી કરાયા.જે નીચે મુજબ ઓળખાયા.
1.    ઉદારીકરણ
2.    ખાનગીકરણ
3.    વૈશ્વિકીકરણ


ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ) વિષે ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ : ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પડવાની ક્ષમતાને નુકસાન પહોચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તે છે. પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ટકાઉ વિકાસ કરી શકાય.      માનવોના સમૂહો વચ્ચે કુદરત અને માનવીએ પોતે ઉભા કરેલા અઆવરણ એટલે કે પર્યાવરણ પર ગંભીર સમસ્યાઓ ઉદભવી જેથી ટકાઉ વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. આજની પેઢીની વિકાસની જે ગતિ જોવા મળે છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી.વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે કદાચ ભાવી પેઢીને પ્રાપ્ત ન થાય તેવો ભય રહેલો છે. જે આજની અગત્યની સમસ્યા છે.      આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. અને તેનું ગુણવત્તા ઓછી થાય છે. આવા સમયે વિકાસના ખ્યાલોમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે.


આર્થિક ઉદારીકરણના ગેરલાભો કયા છે?

Hide | Show

જવાબ : ઉદારીકરણની નીતિને કારણે ખાનગી ક્ષેત્રો પરના અંકુશો ઘટ્યા છે પણ ઈજારાશાહી ઓછી થઇ નથી. આર્થિક અસમાનતા વધી છે. ઔધોગિક ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું છે. આયાત વધુ અને ઓચ્ચી નિકાસને કારણે વિદેશી દેવું વધ્યું છે.


ખાનગીકરણના માર્ગો જણાવો.

Hide | Show

જવાબ : ખાનગીકરણ માટે બે વિકલ્પો છે.જેમાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્ર્ને શોપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે  અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે.


વૈશ્વિકીકરણના ફાયદા જણાવો.

Hide | Show

જવાબ : વૈશ્વિકીકરણના મુખ્ય ફાયદાઓમાં દેશમાં વિદેશી મૂડીરોકાણને મહત્વ મળે છે.વિકાસશીલ દેશોના ઉત્પાદનને સરળતાથી મેળવી શકાય છે તથા ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રેહવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.


વૈશ્વિકીકરણના ગેરફાયદા જણાવો.

Hide | Show

જવાબ : વૈશ્વિકીકરણને કારણે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હાલ કરવામાં ધારી સફળતા મળી નથી.વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં મળતા નથી.


આર્થિક ઉદારીકરણ અનુસાર કયા આર્થીક સુધારા થયા છે?

Hide | Show

જવાબ : રાજ્યે ૧૮ ઉદ્યોગો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ રદ કરી. રેલ્વે, અણુક્ષેત્ર,અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકાયા છે. ઉદ્યોગોનીફરજીયાત નોંધણી પ્રથા રદ કરી છે તથા પ્રદુષણ અને પર્યાવરણને નુકસાન કર્તા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની જોગવાઈ રદ કરી.


આર્થિક ઉદારીકરણના લાભ જણાવો.

Hide | Show

જવાબ : આર્થિક ઉદારીકરણથી ઉત્પાદન ક્ષમતાવધી છે. વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ છે. વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ છે. હુંડીયામણની અનામતમાં વધારો થયો છે. તથા આ ઉપરાંત આંતરમાળખાકીય સગવડોમાં પણ વિશેષ વધારો થયો છે. વગેરે ફાયદાઓ ગણી શકાય.


ખાનગીકરણ એટલે શું તે જણાવો.

Locked Answer

જવાબ : ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના માલિકી પોતાની પાસે અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવું અથવા સંચાલાન પોતાની પાસે રાખવું અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી.તે પ્રક્રિયા.


ખાનગીકરણના લાભો જણાવો.

Locked Answer

જવાબ : ખાનગીકરણથી ઉદ્યોગોની સંખ્યા  વધી છે. ઉપરાંત મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું છે તથા જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા પણ સુધરી છે. 


વૈશ્વિકીકરણ દ્વારા હાથ ધરેલા ફેરફારો જણાવો.

Locked Answer

જવાબ : વૈશ્વિકીકરણથી બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દુર કરી શકાય છે. ટેકનોલોજીની હેરફેરના અવરોધો દુર કરી શકાય તથા શ્રમની પણ મુક્ત હેરફેર કરી શકાય છે.


1 જાન્યુઆરી 1995 ના દિવસનું મહત્વ સમજાવો.

Locked Answer

જવાબ : આ દિવસે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO- World Trade Organisation) સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે આ સાલમાં આ દિવસે આ સંસ્થાની સ્થાપના કરી હતી.


વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો.

Locked Answer

જવાબ : વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો નીચે મુજબ છે.
•    જવાબ: વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દુર કરવા.
•    વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગને અપાતું સંરક્ષણ દુર કરવું.
•    વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું.
•    વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝગડાઓનું નિવારણ કરવું.


વિશ્વ વ્યાપાર સંગઠન માં જોડાવાથી થતા લાભો જણાવો.

Locked Answer

જવાબ : વ્યાપારમાં ભારતનો હિસ્સો ૦.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો છે. પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1 % થયો છે. WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો છે. તથા ભારત પોતાની ખેત પેદાસોનું ઉત્પાદન વધારી નિકાસમાં વૃદ્ધિ કરી શક્યું છે. નિકાસમાં વધારો થવાથી ભારત પરના દેવાનું દબાણ ઘટયુ અને વિદેશી હુંડીયામણમાં વધારો થયો છે.


પર્યાવરણની સુરક્ષા માટે ભારતે કયા પગલા લીધા છે?

Locked Answer

જવાબ : •    રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.
•    જેવાકે દેશના મુખ્ય શહેરના પ્રદુષણની માહિતી પ્રકટ કરવી, પ્રદુષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદુષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી.
•    વિશ્વ ભરમાં 5 મી જૂને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
•    ૧૯૮૧માં ભારત સરકારે વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે.
•    ઉપરાંત ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણું કચરાનો નિકાલ,અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ પણ થઇ છે.


આર્થિક ઉદારીકરણ અંગે તથા તેના ફાયદા ગેરફાયદા અંગે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : ઉદારીકરણ અંગે શરૂઆતના તબક્કામાં જે આર્થિક સુધારા કરવામાં આવ્યા તે નીચે મુજબ છે.

  1. 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત રાખવામાં આવ્યા તે સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
  2. રેલ્વે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
  3. ઉદ્યોગો માટે ફરજીયાત નોંધણી પ્રથા બંધ કરવામાં આવી. પ્રદુષણ ના ફેલાય તથા પર્યાવરણ માટે જોખમી ના હોય એવા ઔદ્યોગિક વસાહતોની સ્થાપનામાં કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી.

આવા અનેક ફેરફારો થયા જેના લાભ અને ગેરલાભ નીચે મુજબ છે.

  1. લાભ :
  • ઉદારીકરણની નીતિથી ખાનગી ક્ષેત્રોને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઇ જેથી ઉત્પાદનમાં વધારો થયો.
  • ઉદારીકરણથી વિદેશ વેપારને વેગ મળવા લાગ્યો અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ.
  • વિદેશમાં વેપાર વધવાથી વિદેશી હુંડીયામણમાં અને તેની અનામતમાં વધારો થયો.
  • દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.
  1. ગેરલાભ:
  • ખાનગી ક્ષેત્રો પરના અંકુશો ઘટવા છતાં ઈજારાશાહીના વલણમાં ઘટાડો થયો નથી. ઉપરાંત માત્ર ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું.
સૌથી વધુ નુકશાન તો આયાતો વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો તે ગણી શકાય.


ખાનગીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ વિષે ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ : ખાનગીકરણની પ્રક્રિયામાં રાજ્ય હસ્તકની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે છે. ખાનગી ક્ષેત્રમાં બે માર્ગો અપનાવી શકાય છે. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગો માટે ખુલ્લા મુકવામાં આવે. બીજી પદ્ધતિમાં રાજ્ય દસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે તથા સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે. આને ખાનગીકરણની સરકારી નીતિ કહે છે.

  1. લાભ:
  • દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકોની સંખ્યામાં સારો એવો વધારો નોંધાયો છે.
  • જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં ખુબજ નોંધપાત્ર વધારો થયો છે.
  • મૂડીગત અને વપરાશ વળી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
  1. ગેરલાભ:
  • ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. જેનાથી ઈજારાશાહીને વેગ મળ્યો છે.
  • ખાનગીકરણથી નાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઇ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે.
  • ખાનગીકરણના પરિણામે ભાવ અંકુશમાં રહ્યા નથી. પરિણામે ભાવવધારાની સમસ્યા અસ્તિત્વમાં આવી છે.


વૈશ્વિકીકરણ વિષે સમજાવો તથા તેના લાભ- ગેરલાભ જણાવો.

Hide | Show

જવાબ : વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. જેના પરિણામે વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણથી બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દુર કરવા, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જેથી બે દેશો વચ્ચે નાણા વિનિમય સરળતાથી થઇ શકે, ટેકનોલોજી હેરફેરના અવરોધો દુર થાય, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી વગેરે ગણી શકાય.

     આની ભારતીય અર્થતંત્ર ઉપર મિશ્ર અસર થઇ છે. જેના લાભ ગેરલાભ નીચે પ્રમાણે છે.

  1. લાભ:
  • વૈશ્વિકીકરણથી દેશમાં વિદેશી રોકાણકારોને મૂડી રોકવા માટે પ્રોત્સાહન મળે છે.
  • વિકસિત દેશમાં ઉત્પાદન પામતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય છે.
  • પરિણામે ભારત જેવા વિકાસશિલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શકતી મેળવે છે.
  1. ગેરલાભ:
  • ગરીબી અને બેરોજગારી હલ કરવામાં ધારી સફળતા મળી નથી.
  • વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિથી જે લાભ થવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળ્યો નથી.
  • વૈશ્વિકીકરણનો સૌથી વધુ લાભ મોટા ઉદ્યોગોને મળ્યો છે જયારે નાના ઉદ્યોગોને ઓછો મળ્યો છે.


વિશ્વ વ્યાપાર સંગઠન વિષે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ :

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરુ કરવામાં આવ્યું છે.
  • સ્વિત્ઝરલેન્ડના જીનીવા ખાતે આ સંસ્થાનું મુખ્ય મથક આવેલું છે.
  • કેટલાક ઉચ્ચ ધ્યેયો સાથે સંગઠનની રચના થયેલ છે.

ધ્યેય:

  • વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દુર કરવા.
  • વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગને અપાતું સંરક્ષણ દુર કરવું.
  • વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું.
  • વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝગડાઓનું નિવારણ કરવું.
કાર્યો: વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો પણ ખુબજ મહત્વના અને વિકાસલક્ષી છે.

  • બહુ રાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઉભું કરી દરેક પાસે કરારોનો અમલ કરાવવો.
  • ઉપરાંત બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેની ચર્ચા અને વિચારણા માટે ફોરમ તરીકે કામ કરે છે.
  • દરેક દેશની રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરે અને જરૂરી સુધારા વધારાની સુચના આપે છે.


વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર શું અસર છે?

Locked Answer

જવાબ :

આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત તેનું સભ્ય છે. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો ૦.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો છે. પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1 % થયો છે. WTO ના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે તથા ભારત પોતાની ખેત પેદાશોનું ઉત્પાદન વધારી નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. નિકાસમાં વધારો થવાથી ભારત પરના દેવાનું દબાણ ઘટશે અને વિદેશી હુંડીયામણમાં વધારો થશે.

     આમ, વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી ભારતને ઉપરોક્ત તમામ લાભો થશે. આમાં ભારતને કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે તથા વિકાસશીલ દેશોનો ભારતને કેટલો સાથ સહકાર સંપડશે તે બાબત પર ભારતની આર્થિક વિકાસની સફળતા સમાયેલી છે.


પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન વિષે વિસ્તૃત માહિતી આપો.

Locked Answer

જવાબ :

વારંવાર ઉપયોગ કરી શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવાકે જંગલો, ખેતીલાયક જમીન, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો જોઈએ. તથા જે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ એક જ વખત લઇ શકાય જેવા કે કોલસો, પેટ્રોલીયમ,ખનીજો વગેરેનો ઉપયોગ કાળજી પૂર્વક કરવો જોઈએ.

     વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોના સ્થાન નક્કી કરવા જોઈએ. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ.

     જે સાધનો એક થી વધુ વાર ઉપયોગમાં લેવાય તેવા સાધનો નો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેમકે જુદી જુદી સિંચાઈ યોજનાના એકથી વધુ ઉપયોગ થઇ શકે. ઉપરાંત વીજળી ઉત્પાદન, પુર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે વધુ ઉપયોગી તથા ફરી વાર ઉપયોગ કરી શકાય તેવા સાધનો છે.

     વધુમાં પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔધોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધી રહેલા ગંદા વસવાટો વગેરે અટકાવવા તેના પર નિયંત્રણ મૂકી શકાય. ઉત્પાદન ના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકી શકાય.


પર્યાવરણની સુરક્ષા માટે કયા જરૂરી પગલા લેવાયા છે? 

Locked Answer

જવાબ :

પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ૧૯૯૨માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાયા છે. જેમાં પર્યાવરણની સુરક્ષા માટેના પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

  • ભારત પણ આ વૈશ્વિક પ્રયોગમાં સામેલ છે. રાષ્ટ્રીય સ્તરે સરકાર પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.
  • જેવાકે દેશના મુખ્ય શહેરના પ્રદુષણની માહિતી પ્રકટ કરવી, પ્રદુષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદુષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી.
  • વિશ્વ ભરમાં 5 મી જૂને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
  • ૧૯૮૧માં ભારત સરકારે વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે.
  • ઉપરાંત ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણું કચરાનો નિકાલ,અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ પણ થઇ છે.

     આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે.જો આપણે પ્રદુષણ પર અંકુશ નહી મુકીએ તો એ સમય દુર નથી કે જયારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઇ જાય.


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકા જોડો :

1)   ઔદ્યોગિક નીતિની સ્થાપના         

A પંચવર્ષીય યોજનાઓનો અમ

2) આર્થિક વિકાસ           

B ખાનગી ક્ષેત્રના નિયંત્રણમાં ઘટાડો

3)  આર્થિક સુધારા     

C ૧૯૯૧

4)  આર્થિક ઉદારીકરણ          D ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ

 

Hide | Show

જવાબ :

1) – C
2) -  A
3) -  D
4) - B

યોગ્ય જોડકા જોડો :

1)   18 સરકારી ઉદ્યોગો    

A રેલ્વે, સંરક્ષણ, અણુક્ષેત્

2) કાયમી સરકાર હસ્તકના ખાતાઓ 

B આર્થિક ઉદારીકર

3)  ફરજીયાત નોંધણી પ્રથા રદ    

C ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ

4)   આર્થિક વિકાસનું પોષકબળ                    D જાહેર સાહસો માટે અનામત.

 

Hide | Show

જવાબ :

1) - D
2) - A
૩) - B
4) - C

યોગ્ય જોડકા જોડો :

1)  ઉદારીકરણ                           A ઉદારીકરણ 
2) ઉત્પાદનમાં વધારો           B વિદેશી હુંડીયામણની અનામતમાં વધારો. 
3) આયાતનો વધારો               C કેન્દ્ર સરકારની મંજુરીની પ્રથા રદ
4) પ્રદુષણ ન ફેલાય તેવા ઉદ્યોગો   D વિદેશી દેવામાં વધારો

 

Hide | Show

જવાબ :

1) - B
2) - A
૩) - D
4) - C

યોગ્ય જોડકા જોડો :

1)  ખાનગીકરણ                                   A ઈજારાશાહીમાં ખુબ વધારો
2) આવકની અસમાનતામાં વધારો           B રાજ્યના ઉદ્યોગોની માલિકી ખાનગી એકમોને 
3)  આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ  C વિદેશી મૂડીરોકાણને મહત્વ.
4)વૈશ્વિકીકરણ              D ખાનગીકરણ

 

Hide | Show

જવાબ :

1) - B
2) - D
3) - A
4) - C

યોગ્ય જોડકા જોડો :

1) વૈશ્વિકીકરણ                                     A આર્થિક ઉદારીકરણ
2) ભારતના અર્થતંત્ર પર મિશ્ર અસરો           B બેરોજગારીની સંખ્યામાં વધારો 
3)  વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ                         C વૈશ્વિકીકરણ
4) ખાનગી ક્ષેત્રોના અંકુશો દુર કરવા.               D ઉદારીકરણનીતિ 

 

Hide | Show

જવાબ :

1) - B
2) - C
૩) - D
4) - A

Download PDF

Take a Test

Choose your Test :

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

ઇતિહાસ
પ્રકરણ 16: આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.