GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વર્ગીકરણ પધ્ધતિ કોણે, ક્યારે દર્શાવી હતી તેની વિગતવાર માહિતી આપો.

Hide | Show

જવાબ : 1969માં વ્હીટકરે સૂચીત કરેલી વર્ગીકરણની પધ્ધતિ પાંચ સૃષ્ટિ વર્ગીકરણની પધ્ધતિ તરીકે જાણીતી બની. જેમાં મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનો સમાવેશ થાય છે.


વનસ્પતિ સૃષ્ટિમાં સમયે સમયે થયેલા ફેરફારો સમજાવો.

Hide | Show

જવાબ : વનસ્પતિ સૃષ્ટિમાં ફૂગ, મોનેરા અને પ્રોટીસ્ટાના સજીવો કોષદીવાલ ધરાવે છે. માટે તેમને તે વિભાગમાં મુકવામાં આવ્યા હતા. સાયનોબેક્ટેરિયા કે જે નીલહરિતલીલ તરીકે ઓળખાય છે. જે લીલ જેવી વનસ્પતિ સૃષ્ટિના સભ્ય તરીકે મુકવામાં આવ્યા હતા. જ્યારે પાછળથી આ વર્ગના સભ્યોને પ્રાણીસૃષ્ટિમાં સમાયેલા છે.


વર્ગીકૃત કરવાની પધ્ધતિના માપદંડ જણાવો.

Hide | Show

જવાબ : પહેલાની વર્ગીકરણ પધ્ધતિઓમાં પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, અને આકારથી મૂલવણી થતી હતી. વનસ્પતિઓના બાહ્ય લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવતા હતા.


લિનીયસની પધ્ધતિ સમજાવો તથા તેનો માપદંડ જણાવો.

Hide | Show

જવાબ : લિનીયસે કૃત્રિમ વર્ગીકરણ પધ્ધતિ રજુ કરી હતી. જેનો મુખ્ય આધાર વાનસ્પતિક લક્ષણો અને પુંકેસરચક્રની રચના પર હતો.


કૃત્રિમ વર્ગીકરણ પધ્ધતિ દ્વારા અપાતુ મહત્વ કેમ સ્વીકાર્ય નથી.

Hide | Show

જવાબ : વાનસ્પતિક અને લિંગી લક્ષણોને કૃત્રિમ વર્ગીકરણની પધ્ધતિઓ એકસરખું મહત્વ આપે છે. તેનું કારણ એ છે કે આ પધ્ધતિઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત છે. તથા ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે.


નૈસર્ગિક વર્ગીકરણ પધ્ધતિઓનો આધાર અને તેના લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : નૈસર્ગીક વર્ગીકરણ પધ્ધતિ, કૃત્રિમ વર્ગીકરણ પધ્ધતિથી વિરોધાભાસી છે. આ પધ્ધતિ સજીવો વચ્ચેના પ્રાકૃતિક (કુદરતી) સંબંધો પર આધાર રાખે છે. તેમાં ફ્ક્ત બાહ્યલક્ષણોને જ ધ્યાનમાં લેવાતાં નથી પણ તેની સાથે સૂક્ષ્મ સંરચના, અંત:સ્થરચના, ભ્રૂણવિદ્યા, અને વનસ્પતિ રસાયણવિદ્યા જેવા આંતરિક લક્ષણો પણ ધ્યાને લેવાયા છે.


નૈસર્ગિક વર્ગીકિરણ પધ્ધતિ કોના દ્વારા રજૂ કરવામાં આવી.

Hide | Show

જવાબ : સુપુષ્પી વનસ્પતિઓ માટે આવું નૈસર્ગિક વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હૂકર દ્વારા આપવામાં આવ્યું હતું.


જાતિવિકાસકીય વર્ગીકરણ પધ્ધતિઓને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : જાતિવિકાસકીય વર્ગીકરણ પધ્ધતિઓએ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્‌વિકાસકીય સંબંધો પર આધારીત છે. આ પધ્ધતિ સ્વીકાર્ય પણ છે. પહેલાં એવું માની લેવામાં આવતું હતું કે એક જ વર્ગકના સભ્યોના પૂર્વજો આવા જ સજીવો હતા. પરંતુ હાલમાં બીજા ધણાં બધા સ્ત્રોતોનો ઉપયોગ કરી પડતી મુશ્કેલીઓનું નિવારણ કરાય છે. આપણી પાસે સહાયક અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે બીજા સ્ત્રોતો ખૂબ ઉપયોગી બને છે.


હાલની સંખ્યાકીય વર્ગીકરણવિદ્યાની વિસ્તૃત માહિતી આપો.

Hide | Show

જવાબ : સંખ્યાકીય વર્ગીકરણવિદ્યામાં આધુનિક ટેક્નોલોજી ખૂબજ ઉપયોગી છે. જેમાં કોમ્પ્યૂટરના ઉપયોગથી માહિતી મળી જાય છે કે સ્વીકૃત માહિતીઓ બધીજ પ્રકારના લક્ષણો, સંકેતો, આંકડાઓ જે જરૂરી હોય છે. બધાજ લક્ષણોને એક સરખુ મહત્વ આપવામાં આવે છે. વળી વધુમાં કોમ્પ્યૂટર જેવી ટેકનોલોજીથી એકજ સમયે સો જેટલા લક્ષણો ધ્યાનમાં લઈ શકાય છે. હાલમાં રંગસૂત્રની સંખ્યા, રચના અને વર્તણૂક જેવી કોષવિદ્યાકીય માહિતી માટે કોષવર્ગીકરણવિદ્યા પણ વિકસી છે. વધુમાં વનસ્પતિઓના રાસાયણિક ઘટકોના ઉપયોગ માટે રસાયણ વર્ગીકરણવિદ્યા પણ વિકાસ પામી છે.


લીલનું વર્ગીકરણ કયા આધારે થાય છે. મુખ્ય આધાર લખો.

Hide | Show

જવાબ : લીલના વર્ગીકરણના મુખ્ય આધારમાં લીલમાં રહેલાં રંકજદ્રવ્યો, તેનો સંચિત ખોરાક, તેની કોષદીવાલનું બંધારણ, તેમાં રહેલી કશાઓની સંખ્યા, લીલની અંદર પ્રવેશનું સ્થાન અને તેનું નિવાસસ્થાન વગેરેના આધારે લીલને વર્ગીકૃત કરાય છે.


સમજન્યુતાની વ્યાખ્યા આપી તેની સમજ આપો.

Hide | Show

જવાબ : બે જોડાણ પામતા જન્યુઓ આકારકીય અને દેહધાર્મિક રીતે સરખા હોય તથા આવા જ્ન્યુઓનું જોડાણ થાય તેને સમજન્યુતા કહે છે.


નીચે જણાવેલા સજીવો કયા પ્રકારના છે તે જણાવો.

સાયક્સ, ફ્લેમિડમોનાસ, સેલાજીનેલા તથા સ્ફેગ્નસ

Hide | Show

જવાબ : સાયક્સ વર્ગના સજીવ સ્વરૂપો અનાવૃત બીજધારી હોય છે અને ક્લેમિડમોનાસ વર્ગના સભ્યો લીલ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે સેલાજીનેલા તથા સ્ફેગ્નમ નામના સજીવો અનુક્રમે ત્રિઅંગી અને મોસ પ્રકારના જોવા મળે છે.


પુંજન્યુધાનીની વ્યખ્યા આપી સમજાવો.

Hide | Show

જવાબ : પુંજન્યુધાની બહુકોષી પ્રકારનું આવરિત નર પ્રજનન અંગ હોય છે. દરેક પુંજધાની સામાન્ય રીતે ગોળાકાર અથવા ડમ્બેલ આકાર ધરાવે છે. તે આદિ નરજનન કોષોનું રક્ષણ કરતાં આવરણયુક્ત છે. આદિ નરજનનકોષો ઘણા શુક્રકોષો અથવા નરજ્ન્યુઓ ઉત્પન્ન કરે છે. નરજનનકોષને શુક્રમાતૃકોષ પણ કહે છે.


પ્રતંતુ એટલે શું તે સમજાવો. પ્રતંતુનું ઉદાહરણ લખો.

Hide | Show

જવાબ : પ્રતંતુ ભૂપ્રસારી લીલી શાખાયુક્ત અને તંતુમય જોવા મળે છે. પ્રતંતુ મોસના બીજાણુના અંકુરણથી ઉત્પન્ન થાય છે. પ્રતંતુ જ્ન્યુજનક અવસ્થા છે. તેમાંથી પર્ણયુક્ત મોસની જન્યુજનક અવસ્થા ફ્યુનારીયા ઉત્પન્ન થાય છે.


વિષમ બીજાણુતા એટલે શું અને તેનું મહત્વ ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : ત્રિઅંગી પ્રજાતિઓ જેવી કે સેલાજીનેલા અને સાલવીનીયા બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. જે લધુબીજાણુ અને મહાબીજાણુ છે. વધુમાં આ બીજાણુઓને વિષમબીજાણુતા કહે છે લઘુબીજાણુઓ નર જન્યુજનક ઉત્પન્ન કરે છે તથા મહાબીજાણુઓ માદા જન્યુજનક ઉત્પન્ન કરે છે. તેનું મહત્વ જોતાં વિષમજ્ન્યુક વનસ્પતિઓમાં માદા જન્યુજનક માતૃબીજાણુજનક પર વિવિધ સમય સુધી ટકી રહે છે. આ માદા જન્યુજનકમાં ફલિતાંડ બાળભ્રૂણ વિકાસ પામે છે. આ અવસ્થાને આવૃત અને અનાવૃત બીજધારીમાં બીજ નિર્માણની ધટનાની નિશાની મનાય છે. અહીં બધાજ સભ્યો વિષમબીજાણુક હોય છે આવા સભ્યો તરીકે સાલવીનીય સેલાજીનેલા અને માર્સેલિયાને ગણી શકાય.


સ્ત્રીજન્યુધાની અંગે સંપૂર્ણ માહિતી આપો.

Hide | Show

જવાબ :

    •  
  • દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીમાં માદા પ્રજનન અંગને સ્ત્રીજન્યુધાની કહે છે.
  • સ્ત્રીજન્યુધાનીમાં સાંકડી ગ્રીવા અને નીચેનો ફૂલેલો તુંબક હોય છે.
  • મોટેભાગે ગ્રીવા એક કરતાં વધારે ગ્રીવા કોષો ધરાવે છે.
  • તુંબકમાં અંડકોષ અને તુંબક નાલીકોષ જોવા મળે છે.
  • ઉદાહરણ રૂપે :- માર્કેન્સિયા, પાઈ, હંસરાજ તથા ક્યુનારીયા આ પ્રકારના સજીવ સ્વરૂપો છે.


નીચે લખેલા વાક્યો સામે, એક્કીય, ત્રિકીય, દ્વિકીય શબ્દોને યોગ્ય વાક્યની સામે લખો.

Hide | Show

જવાબ :

      1. મોસના પ્રપર્ણ કોષ – એક્કીય
      2. હંસરાજનો પ્રસુકાયક કોષ – એક્કીય
      3. હંસરાજનું ફલિતાંડ – દ્વિકીય
      4. લીવરપર્ટનો અંડકોષ – એક્કીય
      5. એકદળીનો વર્ધનશીલ કોષ -  દ્વિકીય
      6. માર્કેન્શિયામાં કુડમલિ કોષ – એક્કીય
      7. મોસમા પ્રતંતુકીય કોષ – એક્કીય
      8. દ્વિદળીઓમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર – ત્રિકીય


યુગ્મક અને ત્રેવડુ જોડાણ વચ્ચેનો ભેદ સમજાવો.

Hide | Show

જવાબ :

  • આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડા ફૂલન દરમ્યાન નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં રહેલા દ્વિકીય કોષકેન્દ્ર તરફ પ્રયાસ કરી તેની સાથે જોડાય છે અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રનું નિર્માણ કરે છે.
  • આવા ત્રણ એક્કીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય અથવા ત્રેવડું જોડાણ કહે છે.
  • આવી બે રચનાઓ અંડકોષ અને દ્વિતીય કોષકેન્દ્રના ફલન થતાં હોવાથી આ પ્રકારના ફલનને બેવડું ફ્લન કે યુગ્મક કહેવાય છે.


બીજાણુ પર્ણ શબ્દ અંગે માહિતી ઉદાહરણ સાથે આપો.

Hide | Show

જવાબ :

    •  
  • બીજાણુધાનીઓ ધરાવતાં રૂપાંતરિત પર્ણને બીજાણુપર્ણ કહે છે.
  • બીજાણુપર્ણો બે પ્રકારના હોય છે. લધુબીજાણુ પર્ણો અને મહાબીજાણુ પર્ણો.
  • તે પૈકીના લધુબીજાણુ પર્ણો લધુબીજાણુધાનીઓ ધરાવતાં જોવા મળે છે અને મહાબીજાણુપર્ણો મહાબીજાણુઓ ધારણ કરે છે.
  • બીજાણુપર્ણ સમૂહમાં ગોઠવાઈને અનુક્રમે નરશંકુ અને માદા શંકુની રચના કરતાં જોવા મળે છે.


અનાવૃત બીજધારિ અને આવૂત બીજધારી બંને બીજ ધારણ કરવા છતાં અલગ અલગ વર્ગીકૃત થયા છે તેની મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ :

  • અનાવૃત બીજધારી ખુલ્લા (નગ્ન) બીજ ધરાવતાં હોય છે.જ્યારે આવૃત બીજધારીમાં બીજ ફ્ળદીવાલથી ઢંકાયેલા જોવા મળે છે.
  • આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય છે એ અનાવૃત બીજધારીમાં ગેરહાજર હોય છે.
  • આવૃત બીજધારીઓમાં ભ્રૂણપોષ ત્રિકીય(3n) જોવા મળે છે જ્યારે અનાવૃત બીજધારીમાં તે એક્કીય હોય છે.
આ પ્રકારની ભિન્નતા બન્નેમાં હોવાથી તેમને અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.


સ્ત્રીજ્ન્યુધાની ધારણ કરતી વનસ્પતિઓ જણાવો.

Hide | Show

જવાબ : સ્ત્રીજ્ન્યુધાની ધારણ કરતી વનસ્પતિઓમાં દ્વિઅંગી – મોસ(શેવાળ) અને ત્રિઅંગી – હંસરાજ તથા અનાવૃત બીજધારી – પાયનસ છે.


સેલાજીનેલા, પાઈનસ, હંસરાજ અને સાયકસ માં કઈ વનસ્પતિ વિષમબીજાણુક નથી.

Hide | Show

જવાબ : હંસરાજ


પ્રોટીનયુક્ત તથા જળદ્રાવ્ય અને પ્રકાશસંશ્ર્લેષિત રંજકદ્રવ્યનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ફાયકોસાયનીન


સેલ્યુલોઝની કોષદીવાલ આલ્જીનના જિલેટિન આવરણથી આવરિત કયા સજીવનું લક્ષણ છે.

Hide | Show

જવાબ : ફીઓફાયસી


કઈ વનસ્પતિ શીતળ છાયામાં વિક્સે છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી અને ત્રિઅંગી


હરિતલીલમા મુખ્ય પ્રકાશસંશ્ર્લેષી કયુ દ્રવ્ય જોવા મળે છે.

Hide | Show

જવાબ : chl a અને b


મોનેરા સૃષ્ટિમાં સમાવેશ લીલનું નામ લખો.

Hide | Show

જવાબ : નોસ્ટોક


સાયરસ વનસ્પતિમાં પરાગનયનનો પ્રકાર લખો.

Hide | Show

જવાબ : એનેમોફિલી


ફૂગમાં કેવા પ્રકારનો ખોરાક સંચિત થાય છે.

Hide | Show

જવાબ : ગ્લાયકોજન અને તૈલી બિંદુઓ


અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ નગ્ન હોવાનું કારણ લખો.

Hide | Show

જવાબ : ફ્લાવરણ ગેરહાજર હોવાથી


કેવી વનસ્પતિઓમાં મુખ્ય અવસ્થા જન્યુજનક હોય છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓમાં


કેવા વાઈરસમાં RNA જોવા મળે છે.

Hide | Show

જવાબ : રીટ્રોવાઈરસ


અગરનું ઉત્પાદન કઈ લીલમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : જીલીડીયમ અને ગ્રેસીલેરીયા


આવૃત બીજધારીનું અંડક સૈધ્ધાંતિક રીતે કોની સમકક્ષ હોય છે.

Hide | Show

જવાબ : મહાબીજાણુધાની


વિષમબીજાણુનું નિર્માણ શેમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : કેટલાક ત્રિઅંગીઓ અને બધાજ બીજધારીમાં


કઈ લીલમાં હાઈડ્રોકોલાઈડ વધુ જોવા મળે છે.

Hide | Show

જવાબ : આલ્જીન


આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભૂણપૂટ શેનો બનેલો હોય છે.

Hide | Show

જવાબ : 7 કોષો અને 8 કોષકેન્દ્રો


ફૂગમાં સંચિત થયેલો ખોરાક કયો જોવા મળે છે.

Hide | Show

જવાબ : ગ્લાયકોજન


લાઈકેન એ લીલ અને ફૂગ વચ્ચેનો કેવો સંબંધ છે.

Hide | Show

જવાબ : +,+


થીઓફેરસ્ટસે વનસ્પતિને શેના આધારે વર્ગીકૃત કરી હતી.

Hide | Show

જવાબ : વસવાટ


પટલમય અંગિકાનો અભાવ શામાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : સ્ટ્રીપ્ટોકોક્સ


દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં નરજ્ન્યુઓના વહનમાં કોણ મુખ્ય ભાગ ભજવે છે.

Hide | Show

જવાબ : પાણી


જન્યુજનકનું એકાંતરજનન શેમાં પ્રભાવી જોવા મળે છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી (રિક્સિયા)


બહુકોષીય ઉત્પાદન સૃષ્ટિ એ સંપૂર્ણ સ્વયંપોષી હોય છે આ વાક્ય સાચુ છે કે ખોટુ તે લખો.

Hide | Show

જવાબ : સાચું


આયોડીન શામાંથી મેળવવામાં આવે છે.

Hide | Show

જવાબ : લેમિનારિયા


બદામી લીલમાં ચલ બીજાણુઓ અને જન્યુઓ નાસપતિ આકારના જોવા મળે છે તેમાં કેવી કશા જોવા મળે છે.

Hide | Show

જવાબ : બે અસમાન કશાઓ


ગીન્કો બિલોબા, જેનેટમ ઉલ્વા અને સાયક્સમાં કયું જીવંત અશ્મિ હોય છે.

Hide | Show

જવાબ : ગીન્કો બિલોબા


સૌથી વધુ પ્રોટિન ધરાવતી લીલનું નામ લખો.

Hide | Show

જવાબ : ક્લોરેલા


વેરાન ખડકો અને જમીન પર કઈ વનસ્પતિ સ્નુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે.

Hide | Show

જવાબ : લાઈકેન અને દ્વિઅંગી


કથ્થઈ લીલમાંથી શું મેળવવામાં આવે છે.

Hide | Show

જવાબ : આયોડીન


પરાગરજ, મહાબીજાણુ અને ભ્રૂણપોષ કઈ વનસ્પતિઓમાં એક્કીય હોય છે.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી


લીલમાં કયુ તંત્ર ગેરહાજર હોય છે.

Hide | Show

જવાબ : પેશીય તંત્ર


અમરવેલ કેવા પ્રકારની વનસ્પતિ છે.

Hide | Show

જવાબ : પરોપજીવી


લીલએ શેનાથી આવરિત જોવા મળે છે.

Hide | Show

જવાબ : શ્ર્લેષ્મસ્તર


કઈ વનસ્પતિનો સમાવેશ વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ બંનેમાં થાય છે.

Hide | Show

જવાબ : યુગ્લીના


સેલાજીનેલા કેવી વનસ્પતિ છે.

Hide | Show

જવાબ : વિષમબીણુક


બે બીજપત્ર હોવા છતાં સાયક્સ આવૃતબીજધારી વનસ્પતિ નથી તેનું યોગ્ય કારણ લખો.

Hide | Show

જવાબ : તે નગ્ન બીજ છે.


વનસ્પતિઓનો કયો સમુદાય એકાંતરજનન દર્શાવતો નથી.

Hide | Show

જવાબ : એકાંગી


લીલ કેવું જીવનચક્ર દર્શાવે છે.

Hide | Show

જવાબ : એકવિધ


કયા બેક્ટેરીયાની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.

Hide | Show

જવાબ : બેક્ટેરિયા ડોમેઈન


કઈ વનસ્પતિમાં બેવડુ ફલન જોવા મળતું નથી.

Hide | Show

જવાબ : ફ્યુનારિયા


પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પીટ કોણ પુરો પાડે છે.

Hide | Show

જવાબ : સ્ટેગ્રમની જાતિ, મોસ


વનસ્પતિ સૃષ્ટિની આકૃતિ દોરો.

Hide | Show

જવાબ : A. લીલી લીલ (i) વોલ્વોક્સ (ii) ક્લેમિડોમોનાસ (iii) કારા B. બદામી લીલ (i) લેમિનારિયા (ii) ક્યુક્સ (iii) ડિકટીઓટા C. રાતી લીલ (i) પોરફાયરા (ii) પોલીસાયફોનિયા વગેરે પ્રકારના સજીવો જોઈ શકાય છે.


આકૃતિની ઓળખ કરો.

Hide | Show

જવાબ : દ્વિઅંગીઓમાં – લીવરવર્ટ – માર્કેન્શિયા A.      માદા સુકાય B.      નર સુકાય મોસ C.      ફ્યુનારિયા, જન્યુજનક અને બીજાણુઅજનક D.      સ્ફેગ્નમ જન્યુજનક. વનસ્પતિઓ જોઈ શકાય છે.


આકૃતિની ઓળખ કરો.

Hide | Show

જવાબ : ઉપરોક્ત આકૃતિ ત્રિઅંગીઓની છે જેમાં A. સેલાજીનેલા B. ઈકવીસેટમ C. હંસરાજ અને D. સાલ્વિનીયા જોવા મળે છે.


આકૃતિની ઓળખ કરો.

Hide | Show

જવાબ : ઉપરોક્ત આકૃતિઓ અનાવૃત બીજધારી વનસ્પતિઓની છે જેમાં A. સાયક્સ      B. પાઈનસ     C. જીન્હો જોવા મળે છે.


આવૃત બીજધારીનું જીવનચક્ર ની આકૃતિ દોરો.

Hide | Show

જવાબ : આવૃત બીજધારીનું જીવનચક્ર


લીલના એક જ પ્રજાતિ સાથેના સંબંધિત સભ્યો જણાવો.

Hide | Show

જવાબ : લીલના વોલ્વોક્ષ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ વગેરે સજીવો એકજ પ્રજાતિ સાથે સંબંધીત છે.


અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ફળો કેમ જોવા મળતા નથી તે લખો.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી વનસ્પતિઓ અંડાશય ધરાવતી ન હોવાથી તેને ફળો આવતા નથી.


દ્વિઅંગી વનસ્પતિઓ પાણી પર આધારીત જોવા મળે છે. તેનું કારણ કહો.

Hide | Show

જવાબ : પ્રજનન માટે સ્ત્રીજન્યુધાનીમાં નરજ્ન્યુ અંડકોષો સુધી સહેલાઈથી પહોંચાડવામાં પાણી ખૂબ જ ઉપયોગી બને છે.


અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં શું એક્કીય જોવા મળે છે.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ, મહાબીજાણુ અને ભ્રૂણપોષ એક્કીય જોવા મળે છે.


વનસ્પતિઓમાં કઈ જોડી બીજવિહિન જોવા મળે છે.

Hide | Show

જવાબ : વનસ્પતિમાં ફ્યુનારીયા અને ફર્ન બીજવિહિન હોય છે.


કેવા પ્રકારની વનસ્પતિ ચાલનીનલિકા ધરાવે છે.

Hide | Show

જવાબ : આવૃતબીજધારી વનસ્પતિઓમાં ચાલનીનલિકા જોવા મળે છે.


કેવી વનસ્પતિઓમાં વાહકપેશીની હાજરી જોવા મળતી નથી.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓમાં વાહકપેશી જોવા મળતી નથી.


3n ભ્રૂણપોષ કઈ વનસ્પતિઓમાં હોય છે.

Hide | Show

જવાબ : આવૃતબીજધારી વનસ્પતિઓમાં 3n ભ્રૂણપોષ જોવા મળે છે.


હરિતકણ અને સ્ત્રીધાની સાથે કઈ વનસ્પતિ સુકાય સ્વરૂપે જોવા મળે છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓ આવી રચના ધરાવતી જોવા મળે છે.


વનસ્પતિસૃષ્ટિના કયા સજીવની કોષદીવાલ કાઈટીનની હોય છે.

Hide | Show

જવાબ : પીથીયમ (ફૂગ) સજીવની કોષદીવાલ કાઈટીનની બનેલી હોય છે.


એકકોષી પ્રોટીસ્ટા સૃષ્ટિના સભ્યો લખો.

Hide | Show

જવાબ : આ પ્રોટીસ્ટા સૃષ્ટિમાં ટ્રાઈયેનોસોમાં, નોટીલ્યુકા, મોનોસાયટીસ, જીઆર્ડીયા વગેરે નો સમાવેશ થાય છે.


ચેપી પ્રોટીન કયા બેક્ટેરિયામાં હાજર હોય છે.

Hide | Show

જવાબ : પ્રયોન્સમાં ચેપી પ્રોટીન જોવા મળે છે.


બેકેટેરિયોફેઝ કોને મારે છે.

Hide | Show

જવાબ : બેકેટેરિયોફેઝ બેક્ટેરિયાને મારે છે.


બદામી લીલ પ્રકારના સજીવો ક્યાં વસવાટ કરે છે.

Hide | Show

જવાબ : આવા સજીવો પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તાર તેમજ મહાસાગરોમાં વધુ ઊંડાઈએ ઓછા પ્રકાશિત વિસ્તારોમાં વસવાટ અને વૃધ્ધિ કરે છે.


જીવવિજ્ઞાનમાં જીવંત સ્વરૂપોને સૌ પ્રથમ કયું નામ આપવામાં આવ્યુ હતુ.

Hide | Show

જવાબ : જીવવિજ્ઞાનમાં જીવંત સ્વરૂપોને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં સમાવીને તે નામથી ઓળખવામાં આવતાં હતા.


દ્વિઅંગી અને ત્રિઅંગી બન્નેમાં સજીવોની કેટલી રચના સામાન્ય પણે તે બંન્ને વર્ગના સભ્યોમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી અને ત્રિઅંગી બન્નેમાં સજીવોની ત્રણ મુખ્ય રચના સામાન્ય પણે તે બંન્ને વર્ગના સભ્યોમાં જોવા મળે છે.


ફ્યુનારીયાનો બીજાણુ જનક તબક્કો શાનો બનેલો જોવા મળે છે.

Hide | Show

જવાબ : ફ્યુનારીયાનો બીજાણુ જનક તબક્કો પાદ, પ્રાવાર અને પ્રાવરદંડનો બનેલો હોય છે.


વનસ્પતિ સૃષ્ટિના કયા સજીવને સમુદ્રી સલાડ તરીકે ઓળખ મળી છે.

Hide | Show

જવાબ : વનસ્પતિ સૃષ્ટિના ઉલ્વા સજીવને સમુદ્રી સલાડ તરીકે ઓળખ મળી છે.


લાઈકેનના કપ આકારના ફળકાયનું નામ જણાવો.

Hide | Show

જવાબ : એપોથેસિયમ લાઈકેનના કપ આકારના ફળકાય છે.


ખોરાક તરીકે ઉપયોગી ફૂગનું નામ જણાવો.

Hide | Show

જવાબ : એગેરીક્સ ખાઈ શકાય તેવા પ્રકારની ફૂગ હોય છે.


મોસ વનસ્પતિઓ જમીનનું ધોવાણ અટકાવવામાં કેવી રીતે ઉપયોગી છે.

Hide | Show

જવાબ : મોસ વનસ્પતિઓ જમીન પર ફેલાઈને સાદડી જેવી રચનાઓ બનાવે છે પરિણામે તે વિસ્તારોમાં ધોવાણ અટકી જાય છે.


શંકુદ્રમ પ્રકારની વનસ્પતિઓના પર્ણની ખાસિયતો કઈ હોય છે.

Hide | Show

જવાબ : આ પ્રકારની વનસ્પતિઓના પર્ણ સોય જેવા અણીદાર, જાડું ક્યુટિક્લ ધરાવતા, નિમગ્ન વાયુરંધ્રો સાથે જોવા મળે છે.


“ઈન્ટરફેરોન” ની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વાઈરસનો ચેપ લાગવાથી નૈસર્ગીક પ્રોટીન ઉત્પન્ન થાય છે. તેનાથી વાઈરસની વૃધ્ધિ અટકી જાય છે તે પ્રોટીનને ઈન્ટરફેરોન તરીકે ઓળખવામાં આવે છે.


એકદળી વનસ્પતિની સામાન્ય ઓળખ આપો.

Hide | Show

જવાબ : એકદળી વનસ્પતિ સુકાય સ્તરનું આયોજન ધરાવે છે. તેને મુલાંગો અને એક્કીય હોય છે તેનું જીવનચક્ર પુરૂ કરવા માટે પાણીની જરૂર પડે છે. કારણ કે તેના નરજ્ન્યુઓ ચલિત જોવા મળે છે.


સમુદ્રી ઘાસપાન તરીકે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે.

Hide | Show

જવાબ : બદામી લીલને સમુદ્રી ઘાસપાન તરીકે ઓળખવામાં આવે છે.


કેવા વર્ગની વનસ્પતિઓની મુખ્ય અવસ્થા બીજાણુજનક હોય છે.

Hide | Show

જવાબ : આવૃત બીજધારી, અનાવૃત બીજધારી અને ત્રિઅંગી વનસ્પતિઓ માં મુખ્ય અવસ્થા બીજાણુજનક જોવા મળે છે.


બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ કેવી હોય છે.

Hide | Show

જવાબ : બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ સંપૂર્ણ સ્વયંપોષી હોય છે.


દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્ર્માં મુખ્ય તબક્કો કેવો જોવા મળે છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્ર્માં મુખ્ય તબક્કો જન્યુજનક હોય છે.


છત્રિકાવૃત, દઢગ્રહ અને પ્રપર્ણ શેમાં વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે.

Hide | Show

જવાબ : હરિતલીલ, બદામી લીલ અને રોડોફાયસી વનસ્પતિ સ્વરૂપોમાં છત્રિકાવૃત, દઢગ્રહ અને પ્રપર્ણ વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે.


કેવા વર્ગની વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે.

Hide | Show

જવાબ : ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય જોવા મળે છે.


એકટોકાપર્સ કેવું જીવનચક્ર ધરાવે છે.

Hide | Show

જવાબ : એકટોકાપર્સ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.


અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ કેવું જોવા મળે છે.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ પૂર્વફલિત, n પ્રકારનું હોય છે.


લીલની કોષદીવાલ શાની બનેલી હોય છે.

Hide | Show

જવાબ : લીલની કોષદીવાલ સેલ્યુલોઝ, પેકટોઝ તથા મેનોઝની બનેલી હોય છે.


વટાણા, વાલ અને ફ્યુનારિયામાં શામાં બેવડુ ફલન થતું નથી.

Hide | Show

જવાબ : ફ્યુનારિયામાં બેવડુ ફલન જોવા મળતુ નથી.


સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ છે તે લખો.

Hide | Show

જવાબ : સજીવ અને નિર્જીવને જોડતી કડી વાઈરસ છે.


પ્રવારમૂળ અને કેવક્મૂળ ધરાવતી વનસ્પતિના નામ જણાવો.

Hide | Show

જવાબ : સાયક્સમાં પ્રવારમૂળ અને પાઈનસમાં કેવક્મૂળ હોય છે.


સીલોટમ, જિન્કો અને સાયકસમાં જીવંત અશ્મિ કોણ છે.

Hide | Show

જવાબ : જિન્કો જીવંત અશ્મિ છે.


ફીઓફાયસી સજીવની કોષદીવાલની માહિતી આપો.

Hide | Show

જવાબ : ફીઓફાયસી સજીવની સેલ્યુલોઝની કોષદીવાલ આલ્જીનના જિલેટીન આવરણથી આવરિત જોવા મળે છે.


વનસ્પતિ ફ્રેન્કીયા સાથે સહજીવી સહવાસ ધરાવતી વનસ્પતિ જણાવો.

Hide | Show

જવાબ : અલ્નસ વનસ્પતિ ફ્રેન્કીયા સાથે સહજીવી સહવાસ ધરાવે છે.


યુગ્મજનું અર્ધસૂત્રીભાજનની ક્રિયા શું દર્શાવે છે.

Hide | Show

જવાબ : યુગ્મજનું અર્ધસૂત્રીભાજનએ થેલોફાયટાનું લક્ષણ છે.


મોસ અને લીવરવર્ટમાં બીજાણુજનક કોનો વિકસિત હોય છે.

Hide | Show

જવાબ : મોસનો બીજાણુજનક વિકસિત જોવા મળે છે.


વનસ્પતિ સૃષ્ટિમાં પાઈરેનોઈડ (પ્રોભૂજક) શેમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : લીલી લીલમાં પાઈરેનોઈડ જોવા મળે છે.


ફીયોફાયસી લીલ પોષણમાટે શેનો સંગ્રહ કરે છે.

Hide | Show

જવાબ : આ પ્રકારની લીલ ખોરાક માટે મેનીટોલ અને લેમીનેરીનનો સંગ્રહ કરે છે.


બીજ બનાવે પણ ફૂલ ઉત્પન્ન ન કરે તેવી વનસ્પતિ જણાવો.

Hide | Show

જવાબ : પાયનસ બીજ ઉત્પન્ન કર છે પણ ફૂલ ઉત્પન્ન કરતી નથી.


વનસ્પતિઓમાં લીલના લિંગી પ્રજનન અંગો કેવા હોય છે.

Hide | Show

જવાબ : લીલમાં લિંગી પ્રજનન અંગો ખુલ્લા જોવા મળે છે.


ગ્રેસીલારીયા શામાંથી મેળવવામાં આવે છે.

Hide | Show

જવાબ : અગારના પાણી અંત:ચૂષણની વધુ કાર્યક્ષમતા ધરાવે છે. તેથી તે સંર્વધન માધ્યમમાં ઉપયોગી છે, જેમાંથી ગ્રેસીલારીયા મેળવવામાં આવે છે.


સાયકસમાં પરાગનયનનો પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ : સાયકસમાં અનેમોફિલી પરાગનયનનો પ્રકાર હોય છે.


સમુદ્રમાં સૌથી ઉંડાણમાં કેવા પ્રકારની લીલ જોવા મળે છે.

Hide | Show

જવાબ : સમુદ્રમાં સૌથી ઉંડાણમાં લાલ લીલ જોવા મળે છે.


દગડફૂલની મુખ્ય અવસ્થા જણાવો.

Hide | Show

જવાબ : દગડફૂલની મુખ્ય અવસ્થા જન્યુજનક હોય છે.


મહાકાય રેડવુડ વૃક્ષ કેવી વનસ્પતિ છે.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારીઓમાં મહાકાય રેડવુડ વૃક્ષનો સમાવેશ થાય છે.


ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુઓ અંકુરણ પામે પછી શુ બનાવે છે.

Hide | Show

જવાબ : ત્રિઅંગીઓમાં બીજાણુઓ અંકુરણ પામે પછી પૂર્વસુકાયક બનાવે છે.


આવૃત બીજધારી વનસ્પતિમાં કાર્યરત મહાબીજાણુ ક્યાં વિકાસ પામે છે.

Hide | Show

જવાબ : અંડકમાં કાર્યરત મહાબીજાણુ વિકાસ પામે છે.


દ્વિઅંગી બીજાણુઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : પ્રાવરમાં અર્ધીકરણ થવાથી દ્વિઅંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે.


ભ્રૂણપોષી વનસ્પતિનું નામ આપો.

Hide | Show

જવાબ : વટાણા ભ્રૂણપોષી વનસ્પતિ છે.


ચોખાનો પાક વધારવા કોનો ઉપયોગ થાય છે.

Hide | Show

જવાબ : ચોખાનો પાક વધારવા એઝોલા, નોસ્ટોક અને એનાબીનાનો ઉપયોગ કરાય છે.


મોસ અને લીવરવોર્ટસ વનસ્પતિઓનો સમાવેશ શેમાં કરાયો છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિમાં મોસ અને લીવરવોર્ટસનો સમાવેશ કરાયો છે.


ઉદ્વિકાસથી કયા સ્વરૂપોમાંથી કેવા સ્વરૂપોનો વિકાસ થયો છે.

Hide | Show

જવાબ : ઉદ્વિકાસથી સરળથી વધુ જટિલ સ્વરૂપનો વિકાસ જોવા મળે છે.


સમુદ્રનો લાલ રંગ કે લાલરંગની ભરતી ઓટ કોને આભારી છે.

Hide | Show

જવાબ : રાતા રંગના ડાયનોફ્લેજેલેટ બેક્ટેરિયાથી સમુદ્રનું પાણી લાલ રંગનું દેખાય છે.


જન્યુજનક અવસ્થામાં રંગસૂત્રો કેવા હોય છે.

Hide | Show

જવાબ : જન્યુજનક અવસ્થામાં એક્કીય (n) પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે.


વનસ્પતિ સૃષ્ટિમાં અગર શેમાંથી પ્રાપ્ત થાય છે.

Hide | Show

જવાબ : જેલીડીયમમાંથી અગર પ્રાપ્ત થાય છે.


ફાયકોસાયનીન એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : ફાયકોસાયનીન પ્રોટીનયુક્ત અને જળદ્રાવ્ય પ્રકાશસંશ્ર્લેષિત રંજક દ્રવ્ય છે.


અપૂર્ણ ફૂગને ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : ડ્યુટેરોમાયસીટીસન એ અપૂર્વફૂગ છે આ ફૂગમં લિંગી પ્રજનનનો અભાવ હોવાથી તેને અપૂર્ણ ફૂગ કહે છે.


ફીયોફાયસી પ્રકારના લીલના વર્ગની લાક્ષણિકા જણાવો.

Hide | Show

જવાબ : ફીયોફાયસી લીલના વર્ગમાં નાસપતિ આકારના ટ્રિકશાધારી ચલ બીજાણુઓ અલિંગી પ્રજનન કરે છે. અને નાસપતિ આકારના ટ્રિકશાધારી જન્યુઓ લિંગી પ્રજનન માટે તૈયાર જોવા મળે છે. જે તેની વિશેષતા છે.


લીલી લીલ પોષણ માટે શેનો ઉપયોગ કરે છે.

Hide | Show

જવાબ : લીલી લીલ સ્ટાર્ચ, કેરોટીનોઈડ અને ક્લોરોફિલ  a અને b નો ઉપયોગ કરે છે.


અનાવૃત બીજધારી વનસ્પતિને અનાવૃત બીજ્ધારી કેમ કહે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : આ પ્રકારની વનસ્પતિઓના બીજ ખુલ્લા હોવાથી તેને અનાવૃત બીજધારી કહે છે.


ઓસીલેટોરીયા નામ પાછળનું કારણ સમજાવો.

Hide | Show

જવાબ : જીવતા તંતુઓ પાણીમાં આંદોલીત થાય છે માટે આવા તંતુઓને ઓસીલેટોરીયા નામની ઓળખ મળી છે.


ઘઉંમાં ગેરુનો રોગ શેના દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : ફૂગ દ્વારા ઘઉંમાં ગેરુનો રોગ થાય છે.


દ્વિવિધ જીવનચક્રના લક્ષણો જણાવો, અને તેનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : આ પ્રકારના જીવનચક્ર્માં જન્યુજનક તબક્કો ટૂંકો અને ગૌણ હોય છે. જ્યારે બીજાણુજનક તબક્કો પ્રકાશસંશ્ર્લેષી અને સ્વતંત્ર જોવા મળે છે. ક્યુક્સ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.


અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ કેવો દેહ ધરાવે છે.

Hide | Show

જવાબ : આ બન્ને પ્રકારની વનસ્પતિઓ બીજાણુજનક દેહ ધરાવે છે.


વનસ્પતિ સૃષ્ટિમાં ભ્રૂણપુટમાં ત્રણકોષીય અંડપ્રસાધન એટલે શું તે સમજાવો.

Hide | Show

જવાબ : એક અંડકોષ અને બે સહાયક કોષો મળી ભ્રૂણપુટમાં ત્રણકોષીય અંડપ્રસાધન બને છે.


અશ્વપુચ્છ તરીકે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે.

Hide | Show

જવાબ : ઈક્વિસેટમ વનસ્પતિ અશ્વપુચ્છ તરીકે ઓળખવામાં આવે છે.


આવૃત બીજધારી વનસ્પતિઓમાં PEN, ભ્રૂણ અને પરાગરજ અનુક્રમે રંગસૂત્રની બાબતમાં કેવા હોય છે.

Hide | Show

જવાબ : આવૃત બીજધારી વનસ્પતિઓમાં તે 3n, 2n, n મુજબ હોય છે.


ચાલતા હંસરાજ તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે.

Hide | Show

જવાબ : એડિએન્ટમ ચાલતા હંસરાજ તરીકે ઓળખાય છે.


વનસ્પતિસૃષ્ટિમાં અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ કેવુ હોય છે.

Hide | Show

જવાબ : પૂર્વફલિત, n પ્રકારનું ભ્રૂણપોષ અનાવૃત બીજધારીમાં જોવા મળે છે.


એકજ વર્ગની લીલના ત્રણ ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : સ્પાયરોગાયરા, વોલ્વોક્સ અને ક્લેમિડોમોનાસ એકજ વર્ગની લીલ છે.


પ્રતંતુ ક્યાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : પ્રતંતુ એક્કીય અને શેવાળમાં જોવા મળે છે.


કઈ વનસ્પતિ પીટ (peat) નિર્માણ માટે જવાબદાર છે.

Hide | Show

જવાબ : સ્ફેગ્નમ વનસ્પતિ પીટ નિર્માણ માટે જવાબદાર છે.


કઈ વનસ્પતિમાં કશા વિહિન જન્યુઓ સમજન્યુયુગ્મન દર્શાવે છે.

Hide | Show

જવાબ : સ્પાયઓગાયરામાં કશા વિહિન જન્યુઓ સમજન્યુયુગ્મન દર્શાવે છે.


મનુષ્યના ખોરાકમાં ઉપયોગી લીલનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ક્લોરેલા લીલનો ભોજનમાં ઉપયોગ થાય છે.


ફાયકોમાયસેટ્‌સ, સાયનોબેક્ટેરિયા અને ડેસ્મિડ઼્સ બેક્ટેરિયાની ઓળખ જણાવો.

Hide | Show

જવાબ : ઉપરોક્ત ત્રણેય બેક્ટેરિયા અનુક્રમે લીલીફુગ, નીલ હરિત લીલ અને સોનેરી લીલ તરીકે જાણીતા છે.


ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિનું નામ જણાવો.

Hide | Show

જવાબ : સીકોઈયા સેમ્પરવીરેન્સ ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ મનાય છે.


આવૃત બીજધારી વનસ્પતિનું અંડક સૈધ્ધાંતિક રીતે કોની સમકક્ષ છે.

Hide | Show

જવાબ : આવૃત બીજધારી વનસ્પતિનું અંડક મહાબીજાણુધાનીની સમકક્ષ જોવા મળે છે.


વનસ્પતિ સૃષ્ટિમાં કોનીફર પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતી સહન કરવા અનુકૂલિત જોવા મળે છે તેનું કારણ જણાવો.

Hide | Show

જવાબ : કોનીફર જાડું ક્યુટિકલ ધરાવે છે માટે પ્રતિકૂળ પર્યાવરણમાં તે સ્થિતી સહન કરી શકે છે.


ફ્રેન્કીયા સાથે સહજીવી સહવાસ ધરાવતી વનસ્પતિ જણાવો.

Hide | Show

જવાબ : અલ્નસ વનસ્પતિ ફ્રેન્કીયા સાથે સહજીવી સહવાસ ધરાવે છે.


સાયનોબેકટેરિયાની ઉપયોગી કામગીરી જણાવો.

Hide | Show

જવાબ : સાયનોબેકટેરિયા સાયક્સના પ્રવાળમૂળમાં  સ્થાપન કરે છે.


ઉચ્ચ ફૂગ સાથે સહજીવિતાનો આંતરસંબંધ સાધતી વનસ્પતિ જણાવો.

Hide | Show

જવાબ : પાયનસ વનસ્પતિ પોતાના મૂળ દ્વારા ઉચ્ચફૂગ સાથે સહજીવિતાનો સંબંધ બાંધે છે.


વનસ્પતિશાસ્ત્રી લિનિયસે શેના આધારે વનસ્પતિઓને વર્ગીકૃત કરી હતી.

Hide | Show

જવાબ : તેમણે વનસ્પતિઓની બાહ્યરચનાના આધારે વર્ગીકૃત કરી હતી.


આર. એચ. વ્હીટકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિમાં કઈ વનસ્પતિનો સમાવેશ કર્યો નથી.

Hide | Show

જવાબ : તેમણે સપુષ્પી વનસ્પતિનો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પધ્ધતિમાં સમાવેશ કર્યો નથી.


સૃષ્ટિ મોનેરાના સજીવોનું લક્ષણ જણાવો.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિના સજીવ જીવો કે જે સિયોજિત કોષકેન્દ્ર વગરના છે. અને પટલમય અંગિકાઓ ધરવતા નથી.


મોનેરા સૃષ્ટિના સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે શું જોવા મળે છે.

Hide | Show

જવાબ : મોનેરા સૃષ્ટિના સજીવોમાં જનીનદ્રવ્ય DNA લિંગી પ્રજનન માટે જોવા મળે છે.


બેક્ટેરિયા ડોમેઈન કોષદીવાલ શાની બનેલી છે.

Hide | Show

જવાબ : તેની કોષ દીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી હોય છે.


ખૂબજ જાણીતા રોગ કારકોને સાથે રાખતી સૃષ્ટિ કઈ છે તે જણાવો.

Hide | Show

જવાબ : બેક્ટેરિયા ડોમેઈન ખૂબજ જાણીતા રોગ કારક સજીવોને સમાવે છે.


પ્રોટીસ્ટા સૃષ્ટિના બે સ્વરૂપો જણાવો.

Hide | Show

જવાબ : પ્રોટીસ્ટા સૃષ્ટિમાં અચલિત વનસ્પતિઓ અને ચલિત પ્રાણીઓનો સમાવેશ થયો છે.


જન્યુજનક અવસ્થા કેવી વનસ્પતિઓમાં જોવા મળતી નથી.

Hide | Show

જવાબ : વનસ્પતિઓમાં અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને ત્રિઅંગીમાં મુખ્ય અવસ્થા જન્યુજનક જોવા મળતી નથી.


કઈ વનસ્પતિઓમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક જોવા મળે છે.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારીઓ, આવૃત બીજધારીઓ અને ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક હોય છે.


વનસ્પતિશાસ્ત્રી થીઓક્રેરસ્ટસે વનસ્પતિને શેના આધારે વર્ગીકૃત કરી.

Hide | Show

જવાબ : તેમણે વનસ્પતિઓના વસવાટને ધ્યાનમાં રાખી તેમને વર્ગીકૃત કરી હતી.


વિરોઈડ઼્સમાં જનીન દ્રવ્ય તરીકે શું જોવા મળે છે.

Hide | Show

જવાબ : વિરોઈડ઼્સમાં જનીન દ્રવ્ય તરીકે રીબોન્યુક્લિઈક અસિડ હોય છે.


મનુષ્યોમાં ફેલાતા આલ્ઝાઈમર માટે જવાબદાર બેક્ટેરિયા ક્યા છે તે સમજાવો.

Hide | Show

જવાબ : આ રોગ માટે પ્રાયોન્સ બેક્ટેરિયા જવાબદાર છે.


તમાકુમાં ફેલાતા કિર્મિર રોગ માટે જવાબદાર વાઈરસ જણાવો.

Hide | Show

જવાબ : ફેંજ વાઈરસ તમાકુમાં ફેલાતા કિર્મિર રોગ માટે જવાબદાર છે.


ફૂગમાં લીંગી પ્રજનન માટે શું ઉપયોગી અન જરૂરી છે તે જણાવો.

Hide | Show

જવાબ : ફૂગમાં લીંગી પ્રજનન માટે જીવરસ સંયુગ્મન, અર્ધીકરણ અને કોષકેન્દ્ર સંયુગ્મન જરૂરી હોય છે.


ફૂગમાં સંચીત ખોરાક તરીકે શું જોવા મળે છે તે સમજાવો.

Hide | Show

જવાબ : ફૂગમાં સંચીત ખોરાક તરીકે ગ્લાયકોજન અને તૈલી બિંદુઓ હોય છે.


લાઈકેનમાં લીલના ધટકો કયા નામે ઓળખાય છે.

Hide | Show

જવાબ : લાઈકેનમાં લીલના ધટકો ફાયકોબાયોન્ટ નામે જોવા મળે છે.


ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા જણાવો.

Hide | Show

જવાબ : ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક હોય છે.


લીલ કેવું જીવનચક્ર દર્શાવે છે.

Hide | Show

જવાબ : લીલ એકવિધ જીવનચક્ર દર્શાવે છે.


આવૃત બીજધારી વનસ્પતિઓમાં લીંગી પ્રજનન માટે શું ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : આવી બીજધારી વનસ્પતિઓમાં લીંગી પ્રજનન માટે પુષ્પ ઉત્પન્ન થાય છે.


વનસ્પતિમાં કઈ લીલ દ્વિવિધ છે.

Hide | Show

જવાબ : ફ્યુક્સ લીલ દ્વિવિધ હોય છે.


દ્વિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ કેવો હોય છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ એક્કીય અને સ્વયંમપોષી હોય છે.


કેવા પ્રકારનો વનસ્પતિસમુહ વાહક પેશીવિહીન ભ્રૂણધારી હોય છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓ વાહક પેશીવિહીન ભ્રૂણધારી જોવા મળે છે.


જન્યુનિર્માણમાં અર્ધીકરણ દર્શાવતી ન હોય તેવી વનસ્પતિઓ જણાવો.

Hide | Show

જવાબ : સ્પાયરોગાયરા અને વોલ્વોક્સ વનસ્પતિઓ જન્યુનિર્માણમાં અર્ધીકરણ પામતી નથી.


કેવા જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો યુગ્મનજ પૂરતો મર્યાદિત હોય છે.

Hide | Show

જવાબ : એકવિધ જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો યુગ્મનજ પૂરતો મર્યાદિત હોય છે.


લીલના બધાજ વર્ગના સભ્યોમાં કેવું ક્લોરોફિલ સામાન્ય જોવા મળે છે.

Hide | Show

જવાબ : ક્લોરોફિલ – a લીલના બધાજ વર્ગના સભ્યોમાં સામાન્ય હોય છે.


કેવી લીલના સભ્યો પાણીની સપાટીથી નજીકમાં, સારા પ્રકાશિત વિસ્તારમાં તેમજ દરિયામાં ખૂબ ઊંડાઈમાં ઓછા પ્રકાશિત વિસ્તારમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : બદામી લીલના સ્વરૂપો આ પ્રમાણેના વાતાવરણ અને વિસ્તારોમાં વસવાટ કરતાં જોવા મળે છે.


પર્ણ જેવી પ્રકાશસંશ્ર્લેષી રચના મુખ્યત્વે ફીયોફાયસી વર્ગના સભ્યોમાં શેમાં જોવા મળે છે.

Hide | Show

જવાબ : ફીયોફાયસી સભ્યોમાં પર્ણ જેવી પ્રકાશસંશ્ર્લેષી રચના પ્રપર્ણમાં જોવા મળે છે.


ફીયોફાયસી સભ્યોની કોષદીવાલની રચના સમજાવો.

Hide | Show

જવાબ : ફીયોફાયસી સભ્યોની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને તે આલ્જીનના જિલેટિન આવરનથી આવરિત હોય છે.


માર્કેન્શિયા વનસ્પતિનો પરિચય આપો.

Hide | Show

જવાબ : માર્કેન્શિયા પૃષ્ઠવક્ષીય સુકાય ધરાવતી લિવરપર્ટ છે. તે કુડમલી દ્વારા અલિંગી પ્રજનન કરે છે તથા તેમાં સ્ત્રીજન્યુધાની અને પુંજધાની અલગ અલગ સુકાય પર ધારણ થાય છે.


દ્વિઅંગી વનસ્પતિઓમાં કઈ અવસ્થા દરમ્યાન પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે.

Hide | Show

જવાબ : દ્વિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા દરમ્યાન પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે.


મોસ વનસ્પતિઓમાં શામાં અવખંડન કે કલિકાસર્જન થાય છે.

Hide | Show

જવાબ : મોસમાં દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકાસર્જન થાય છે.


વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી બીજાણુઓ કયાં ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : પ્રાવરમાં અર્ધીકરણ થવાથી દ્વિઅંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે.


ત્રિઅંગી અને દ્વિઅંગી વનસ્પતિઓમાં નરજ્ન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહેવામાં આવે છે.

Hide | Show

જવાબ : રસાયણા નુ ચલન


બેક્ટેરિયા ફ્રેજ એ શું છે?

Hide | Show

જવાબ : બેક્ટેરિયા પર જીવતો વાયરસ


વિપરિત પરિસ્થિતિમાં જીવતા બેક્ટેરિયા કયા છે?

Hide | Show

જવાબ : આર્કિબેક્ટેરિયા


દ્વિઅંગી શબ્દ કયા વનસ્પતિશાસ્ત્રીએ આપ્યો?

Hide | Show

જવાબ : શિવરામ ક્શ્યપ


લીલી લીલ કયું રસાયણ ધરાવે છે?

Hide | Show

જવાબ : ક્લોરોફિલ A અને B


કેલિસીફ્લોરીનું ઉદાહરણ આપો?

Hide | Show

જવાબ : ગુલાબ


અવકાશ યાત્રીઓ પ્રોટીન સભર આહારમાં કઈ લીલનો ઉપયોગ કરે છે.

Hide | Show

જવાબ : ક્લેરેલા, સ્પાઈરૂલિના


લીલી લીલમાં જુદી જુદી જાતિઓમાં હરિતકણ કેવા આકારના હોય છે.

Hide | Show

જવાબ : બિંબ, તકતી, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકાર હોય છે.


મોસનો પ્રતંતુકીય કોષની રંગસૂત્ર ગુણકતા જણાવો.

Hide | Show

જવાબ : એક્કીય (n)


દ્વિદળી વનસ્પતિઓમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રની રંગસૂત્ર ગુણક્તા જણાવો.

Hide | Show

જવાબ : ત્રિકીય (3n)


હંસરાજનો પ્રસુકાયક કોષની રંગસૂત્ર ગુણકતા લખો.

Hide | Show

જવાબ : એક્કીય (n)


લીવરવર્ટનો અંડકોષ કેવી રંગસૂત્ર ગુણક્તા ધરાવે છે.

Hide | Show

જવાબ : એક્કીય (n)


ત્રિઅંગી વનસ્પતિઓમાં કઈ બાબત સૌ પ્રથમ જોવા મળી હતી.

Hide | Show

જવાબ : ત્રિઅંગી વનસ્પતિ સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિઓ છે.


લીલની રચનાની સંપૂર્ણ માહિતી અને લક્ષણો મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

  • લીલ એ હરિતદ્રવ્ય ધરાવતા સાદા સુકાયક, સ્વયંપોષી સજીવ છે તેઓ મીઠા અને ખારા પાણીમાં રહેતાં જલજ સજીવો છે. લીલના નિવાસસ્થાનોમાં ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા, તથા કેટલીક ફૂગ અને લીલ લાઈકેન સ્વરૂપે સાથે જોવા મળે છે તો પહાડોના રીંછ સાથે પણ કેટલીક લીલ વસવાટ કરે છે.
  • લીલના કદ અને સ્વરૂપબાબતમાં તે પરિવર્તનશીલ છે. લીલનુ કદ વિસ્તાર ક્લમિડોમોનાસ્‌ જેવું સૂક્ષ્મ પણ હોય છે. જે એકકોષીય છે. કેટલીક લીલ વોલ્વોક્સ જેવા વસાહતી પ્રકારની તો ક્યાંક યુલોથ્રીક્સ તેમજ સ્પાયરોગાયરા જેવી તંતુમય પણ જોવા મળે છે.કેટલીક લીલ જે દરિયાઈ લીલના સ્વરૂપો છે. તે દરિયામાં ઘાસ તરીકે વસવાટ કરે છે અને વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે.કેલ્પ પ્રકારની લીલ તેનું ઉદાહરણ છે.
  • લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓથી પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. દરેક ખંડ સુકાયમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે આ મુખ્યત્વે ચલબીજાણુ હોય છે. તેઓ કશાધારી ચલાયમાન હોય છે અને અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણથી થાય છે. આ જન્યુઓ કશાધારી ચલિત પ્રકારના કદમાં એકસરખા તેમજ કશાવિહીન અચલિત પ્રકારના પરંતુ કદમાં એકસરખા જોવા મળે છે. આવા પ્રજનનને સમજન્યુક પ્રજનન કહે છે. લીલની કેટલીક જાતિઓ કદમાં અસમાન બે જન્યુઓનું જોડાણ કરે છે જેને અસમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે.આમાં બે જન્યુઓમાં એક અચલિત મોટા માદા જન્યુ અને નાના ચલિત નર જન્યુઓનું જોડાણ થાય છે જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે.


(A) લીલી લીલ (B) રાતી લીલ તથા (C) બદામી લીલની મુદ્દાસર માહિતી આપો.

Hide | Show

જવાબ :

  1. ક્લોરોફાયસીના વર્ગના સભ્યોનો સમાવેશ લીલી લીલના પ્રકારમાં થાય છે. તેમાં મુખ્ય રંજકદ્રવ્ય ક્લોરોફીલ - a , b જોવા મળે છે. તેઓ સ્ટાર્ચનો ખોરાકસંગ્રહ કરે છે. તેમની કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. તેમાં કશાની સંખ્યા 2 – 8 સમાન જોવા મળે છે. અને પ્રવેશની સ્થિતિ અગ્રસ્થ હોય છે. તેઓ ખારા અને મીઠા પાણીમાં તથા ક્ષારયુક્ત પાણીમાં રહે છે.
  2. રોડોફાયસી પ્રકારના સજીવો રાતી લીલમાં જોવા મળે છે. તેમાં મુખ્ય રંજક્દ્રવ્ય ક્લોરોફીલ a, d, અને ફાયકોઈરિથ્રીન જોવા મળે છે. પોષણ માટે તેઓ સ્ટાર્ચ અને ફ્લોરીડીયનનો સંગ્રહ કરે છે. તેની કોષદીવાલ સેલ્યુલોઝ, પેકિટન અને પોલિસલ્ફેટ એસ્ટરની બનેલી હોય છે. તેમાં કશા અને પ્રવેશની ગેરહાજરી હોય છે. કેટલાક મીઠા પાણીમાં, થોડા ખારા પાણીમાં, અને વધુ પડતા ક્ષારયુક્ત પાણીમાં વધુ જોવા મળે છે.
  3. ફીયોફાયસી સજીવ સ્વરૂપો બદામી લીલ તરીકે ઓળખાય છે. તેમાં ક્લોરોફીલ a અને c તથા ક્યુકોઝેંથીન પ્રકારના રંજકદ્રવ્યો હોય છે. ખોરાક તરીકે તેઓ મેનિટોલ અને લેમિનારિનનો સંગ્રહ કરે છે. તેમની કોષદીવાલ સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી હોય છે તેમાં કશાની સંખ્યા 2 અને પ્રવેશ અસમાન પાર્શ્વિય જોવા મળે છે. તેઓ મીઠાપાણીમાં ભાગ્યેજ જોવા મળે છે. થોડુંક ખારૂ અને ક્ષારયુક્ત પાણીમાં તેઓનો વસવાટ વધારે જોવા મળે છે.


સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રીઅંગીનો તફાવત દર્શાવો.

Hide | Show

જવાબ :

સમબીજાણુક ત્રીઅંગી

વિષમબીજાણુક ત્રીઅંગી

A. આમાં તમામ બીજાણુઓ એકસમાન જોવા મળે છે.

A. આમાં બે પ્રકારના જેવાં કે લઘુબીજાણુઓ અને મહાબીજાણુઓ હોય છે.

B. અહીં બીજાણુઓ બાજુમાં રહેલી બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે.

B. અહીં લધુબીજાણુધાનીમાં લધુબીજાણુઓ અને મહાબીજાણુધાનીમાં મહાબીજાણુઓ ઉત્પન્ન થાય છે.

C. તમામ બીજાણુંઓ એક સમાન છે.

C. અહીં નાના અને મોટા બીજાણુઓ જોવા મળે છે.

D. બીજાણુઓના અંકુરણથી પ્રસુકાય પેદા થાય છે જેમાં જનનકોષો ઉત્પન્ન થાય છે.

D. મહાબીજાણુઓ માદા જન્યુજનકમાંથી પેદા થાય છે જ્યારે લધુ બિજાણુઓના નરજન્યુઓ અંકુરણ દ્વારા નરજન્યુજનક ઉપર ઉત્પન્ન થાય છે.

E. ટેરીસ, ટેરીડીયમ, હંસરાજ ડ્રાયોપ્ટેરીસ વગેરે આવા સભ્યો છે.

E. સેલાજીનેલા, સાલવીનીયા વગેરે આ પ્રકારના સભ્યો છે.


લીવરવર્ટ વિશે મુદ્દાસર સમજ આપો, તથા મોસ અંગે સંપૂર્ણ માહીતી આપો.

Hide | Show

જવાબ :

  • નિવાસસ્થાન :- લીવરવર્ટ વર્ગના સજીવ સ્વરૂપો લગભગ ભેજવાળા અને છાયા પ્રિય નિવાસસ્થાનમાં વસીને વૃધ્ધિ પામે છે. જેમ કે પાણીનાં ઝરણાં ના કિનારે, ભેજવાળા મેદાની પ્રદેશો, ભીની જમીન પર, વૃક્ષોની છાલમાં, લાકડાના પોલાણમાં લીવરવર્ટનો વાનસ્પતિક દેહ પોષણ પામે છે. તેનો વનસ્પતિદેહ સુકાયક હોય છે. ઉદાહરણ તરીકે માર્કેન્શિયા સુકાય પૃષ્ઠવક્ષીય છે અને સખત રીતે આધાર સાથે ચોટેલું જોવા મળે છે.
  • પ્રજનન :- લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા અથવા કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચના દ્વરા થાય છે. કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ વિકાસ પામે છે. આ કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે. અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે.
  • લીંગી પ્રજનન:- લિંગી પ્રજનન દરમ્યાન નર તથા માદા લિંગી અંગો એજ સુકાય પર કે અલગ સુકાય પર ઉદ્‌ભવે છે. બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે.
  • અર્ધીકરણ પ્રક્રિયા પછી પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થાઈને મુક્તજીવી જન્યુજનકમાં પરિણમે છે.
  • દેહરચના :- મોસનું જીવનચક્ર પ્રભાવી અવસ્થા જન્યુજનક ધરાવે છે. જે બે અવસ્થા હોય છે.
  • પ્રથમ અવસ્થા :- મોસનું પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે. આ અવસ્થા બીજાણુમાંથી સીધી વિકાસ થતી હોય છે.આ અવસ્થા વર્સર્પી (ભૂપ્રસારી) લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય જોવા મળે છે.
  • બીજી અવસ્થા :- આની બીજી અવસ્થા પર્ણમય હોય છે, કે જે પાર્શ્વિય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિક્સે છે. તેઓ એકદમ સીધા, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે.
  • તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા જોવા મળે છે. આવી અવસ્થા લિંગી પ્રકારના અંગો રચે છે.
  • મોસમાં વાનસ્પતિક પ્રજનન:- મોસ એક પ્રકારની શેવાળ છે. તેમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકાસર્જન દ્વારા થાય છે. જ્યારે મોસમાં લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહ (પ્રાંકુર) ની ટોચે ઉત્પન્ન થાય છે.
  • ફલનબાદ ફલિતાંડ એ પાદ પ્રાવદંડ અને પ્રાવર ધરાવતાં બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ વધુ વિકસિત હોય છે. પ્રાવરની અંદર બીજાણુઓ જોવા મળે છે.


એકદળી અને દ્વિદળી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ :

એકદળી વનસ્પતિ

દ્વિદળી વનસ્પતિ

1. તેનુ મૂળતંત્ર તંતુમય પ્રકારનું છે.

1.  તેનુ મૂળતંત્ર સોટીમૂળ પ્રકારનું હોય છે.

2. તેના બીજમાં એક જ બીજપત્ર જોવા મળે છે.

2.  તેના બીજમાં બે બીજપત્રો જોવા મળે છે.

3. પર્ણોમાં શિરાવિન્યાસ સમાંતર જોવા મળે છે.

3.  પર્ણોમાં શિરાવિન્યાસ જાલાકાર જોવા મળે છે.

4. તેમાં પ્રહાંડ મોટે ભાગે અશાખિત હોય છે અને ગાંઠ તથા આંતરગાઠ સ્પષ્ટ દેખાય છે.

4.  તેમાં પ્રહાંડ શાખિત હોય છે અને ગાંઠ તથા આંતરગાઠ સ્પષ્ટ દેખાતી નથી.

5.  આમાં પુષ્પો ત્રિઅવયવી પ્રકારના જોવા મળે છે.

5.  આમાં પુષ્પો ચતુષ્ય અથવા પંચાવયવી પ્રકારના જોવા મળે છે.

6.  આમાં વ્રજ અને દલપત્રોને અલગ ઓળખી શકાતા નથી.

6.  આમાં વ્રજ અને દલપત્રોને સ્પષ્ટ રૂપે અલગ ઓળખી શકાય છે.

7.  આમાં પરાગનયન મોટા ભાગે પવન દ્વારા થાય છે. દા.ત. મકાઈ અને નારિયેળ

7.  આમાં પરાગનયન મોટા ભાગે વિવિધ વાહકો દ્વારા થતું જોવા મળે છે. દા.ત. જાસૂદ અને સૂર્યમુખી


અનાવૃત બીજધારી વનસ્પતિઓની સંપૂર્ણ માહિતી વર્ણવો.

Hide | Show

જવાબ :

  • અનાવૃત બીજધારી વનસ્પતિઓના સ્વરૂપની ચર્ચા કરીએ તો આ જૂથમાં નાની વનસ્પતિઓથી આગળ રાક્ષસી કદની વનસ્પતિઓ પણ જોવા મળે છે. વિરાટ સ્વરૂપનુ રેડવુડ વૃક્ષ અને સીકોઈયા એ એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ જોવા મળે છે.
  • અનાવૃત બીજધારીઓ (નગ્ન/ખુલ્લા બીજ) વનસ્પતિમાં અંડક એ કોઈ પણ બીજાશય દીવાલ વડે આવૃત નથી અને ફ્લન પહેલાં અને ફલન પછી એ જ સ્થાને અરક્ષિત રીતે ટકેલાં જોવા મળે છે.
  • તેમનાં પશ્ર્વફલન (ફલન પછી) વિકાસ પામતાં બીજ ઢંકેયેલા નથી માટે તે નગ્ન કે ખુલ્લા જોવા મળે છે.
  • વનસ્પતિ દેહ બીજાણુજનક હોય છે. તે મૂળ, પ્રહાંડ અને પર્ણોમાં વિભેદિત હોય છે.
  • આમાં પર્ણોના બે પ્રકાર જોવા મળે છે. મોટા અને લીલા પલ્લવ પર્ણો તથા સૂક્ષ્મ અને બદામી શલ્કી પર્ણો.
  • તેઓ શુષ્કોદ્‌ભિદ લક્ષણો ધરાવતાં સદાહરિત, બહુવર્ષાયુ, વૃક્ષો કે ક્ષુપો પ્રકારના અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે.
  • તેઓ સોટીમય મૂળ ધરાવે છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવકમૂળ બનાવે છે. જેમકે પાઈનસ જ્યારે સાયક્સ જેવા બીજા કેટલાક પ્રવાળ મૂળ હોય છે. જે નાઈટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા (N2 – Fixing Cyanobacteria) સાથે સહવાસી જોવા મળે છે.
  • તેઓ પ્રહાંડ અશાખિત (સાયક્સ) અથવા શાખિત (પાઈનસ,સીડ઼્સ) હોય છે.
  • તેનાં પર્ણો સાદાં અથવા સંયુક્ત જોવા મળે છે. સાયકસમાં પીંછાકાર (પક્ષવત્‌) પર્ણો થોડા વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલાં હોય છે.
  • અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો તાપમાન, ભેજ તથા પવનની અતિશયતા સામે ટકી શકે તે પ્રકારના અનુકૂલિત જોવા મળે છે.
  • શંકુધારાઓ વનસ્પતિઓમાં સોય જેવા અણીવાળા પર્ણો તેમનો સપાટી વિસ્તાર ધટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્રો પણ પાણીનો વ્યય અટકાવવામાં ઉપયોગી છે.


અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ ક્યારે, ક્યા અર્ધીકરણ પામે છે તે મુદ્દાસર સમજાવો. તેના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓની અર્ધીકરણની ક્રિયા આપણે તેવી વનસ્પતિઓના ઉદાહરણથી નીચે મુજબ સમજીશું

      • મોસ (શેવાળ) :- ફ્યુનારીયા જેવી મોસમાં અર્ધીકરણ પ્રાવરની બીજાણુ કોથળીના બીજાણુ માતૃકોષોમાં થાય છે.
      • લીવરપર્ટ :- માકેન્સિયા જેવા લીવરપર્ટમાં અર્ધીકરણ બીજાણુધાનીમાં પ્રાવરના બીજાણુ માતૃકોષમાં થાય છે. જેનાથી એક્કીય બીજાણુઓ નિર્માણ પામે છે.
      • બીજાણુધાની એ અંડધાનીમાં અંડકોષ અને નરજન્યુના જોડાણથી બનતા ફલિતાંડમાંથી ઉત્પન્ન થાય છે.
      • હંસરાજ:- ડ્રાયોપ્ટેરીસ જેવા હંસરાજ વનસ્પતિ બીજાણુપર્ણો (ફળદ્રુપ પર્ણો) ધરાવે છે જેના ઉપર બીજાણુધાની ઉત્પન્ન થતી હોય છે.અર્ધીકરણ બીજાણુધાનીના બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે. અને એક્કીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે જે અંકુરણ પામી પ્રસુકાય ઉત્પન્ન થાય છે આમાં જન્યુઓ ઉત્પન્ન થાય છે.
      • અનાવૃત બીજધારીઓ:- પાઈનસ જેવી અનાવૃત બીજધારીમાં અર્ધીકરણ લધુબીજાણુપર્ણોમાં આવેલ લધુબીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે.
      • લધુબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થઈ એક્કીય પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજ નરજ્ન્યુજનક ઉત્પન્ન કરે છે.
      • એક્કીય મહાબીજાણુઓના નિર્માણ માટે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે મહાબીજાણુમાંથી માદાજન્યુજનક ઉત્પન્ન થાય છે પરાગરજ (લધુબીજાણુ) નરજન્યુકના વિકાસમાં ભાગ લે છે.
      • બીજાશયમાં (અંડાશય) અંડકો ઉત્પન્ન થાય છે. અંડકના પ્રદેહમાં મહાબીજાણુ માતૃકોષ હોય છે. જે અર્ધીકરણ પામી એક્કીય મહાબીજાણુ ઉત્પન્ન થાય છે.
      • સક્રિય મહાબીજાણુ ભ્રૂણપૂટ (માદા જન્યુજનક) નું નિર્માણ કરે છે.


અનાવૃત બીજધારી વનસ્પતિઓની આર્થિક અગત્યતા સમજાવો.

Hide | Show

જવાબ :

      • સૌ પ્રથમ શણગાર અને શુશોભન વિશે સમજીએ તો કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે અન્ય દેશોની ઉપજ છે તેને ભારતીય બગીચાઓમાં શણગાર અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. સાયક્સ રિવ્યુલેટા, ક્યુપ્રેસસ સેમ્પરવિરેન્સ, ક્યુપ્રેસસ, ક્યુનીબેરસ, થુઝા (વિદ્યા) અને ઓરોકેરીયાની વગેરે જાતો પરપ્રાન્તની છે.
      • તેજ પ્રમાણે ખોરાક માટે કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેટલીક વસ્તુઓ ઉત્પન્ન કરે છે. તે સીધી કે આડકતરી રીતે ખોરાકમાં ઉપયોગી બને છે જેમ કે સાયક્સ સરસીનાલીસના પ્રહાંડ અને બીજમાંથી સ્ટાર્ચ મળે છે તેને સાગો (sago) તરીકે ઓળખવામાં આવે છે.
      • પાઈનસના બીજ ઘણા પોષણયુક્ત ખાવા લાયક હોય છે.
      • નીટમના બીજ અને પુષ્યવિન્યાસનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે.
      • ઝીંગોના બીજ ઘણા પોષણક્ષમ હોય છે તથા જાપાન અને ચીનમાં તેનો ખોરાકમાં ઉપયોગ થાય છે.
      • આર્થિક યોગદાનમાં લાકડાની પણ મહત્વની ભૂમિકા છે. ઘણી અનાવૃત બીજધારી તેમના હિંમતી લાકડા માટે જાણીતી છે. અબીસ, Cedrus, Deodara, પાઈનસ વગેરે મજ્બૂત ઈમારતી લાકડા માટે જાણીતા છે.
      • ઔષધિય ઉપયોગીતામાં સાયક્સમાંથી મળતું રેઝીન ચાંદા ઉપર લગાવામાં ઉપયોગી છે, જ્યારે સીડ઼્સ દેવદાર ફેફસા અને મૂત્રને લગતા રોગો પર વપરાય છે.
      • ક્યુપ્રેસસ સેમ્પરવીરેન્સ આવશ્યક તેલ ઉત્પન્ન કરે છે. જે કૃમિહર ગુણ ધરાવે છે.
      • પાઈનસ રોક્ષબર્ગી જઠર અને ગોનેરીયાના ઉપચાર માટે ઉપયોગી છે.
      • રેસીન અને તેલો :- પાઈનસ રોક્ષબર્ગીમાંથી ટર્પેન્ટાઈન જેવા આવશ્યક તેલો મળે છે.
      • અન્ય ઉપયોગો તરીકે પાઈનસનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જ્યારે સાયક્સ રીવ્યુલોટા દારૂ બનાવવામાં ઉપયોગી છે. જૂનીપેરસ વર્જીનીયન ટેનીન મળે છે જે ચામડા કમાવવામાં ઉપયોગી છે અને એબીસ બાલસમમાંથી કેનેડા બાલસમ મળે છે.


લીલ સમૂહની વનસ્પતુઓનું આર્થિક મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશસંશ્ર્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશસંશ્ર્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધારસ્તંભ છે.

પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ (જલ ગ્રાહક કલિલ પદાર્થ) ઉત્પન્ન કરે છે. દા.ત., આલ્જિન (બદામી કે કથ્થાઈ લીલ) અને કેરાજીન (લાલ લીલ) કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ જેલિડિયમ અને ગ્રેસીલારિયામાંથી મળતું એક માત્ર વ્યવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે.

ક્લોરેલા અને સ્પાઇરુલિના એકકોષીય, પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે.


ક્લોરોફાયસી વર્ગની વિશિષ્ટતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી કે હરિત લીલ કહેવામાં આવે છે. તેમનો વનસ્પતિ દેહ એકકોષીય, વસાહતી કે તંતુમય જોવા મળે છે. ક્લોરોફીલ a અને ક્લોરોફીલ b જેવા રંજકદ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ જેવા લીલા દેખાય છે. રંજકદ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા છે.

જુદી જુદી જાતિઓમાં હરિતકણો બિંબ આકાર, તકતી જેવા, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના જોવા મળે છે. ઘણા સભ્યો, હરિતકણોમાં સ્થિત પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. હરિત લીલ એ સામાન્યતઃ સખત કોષદીવાલ ધરાવે છે જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે.

વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. ચલબીજાણુધાનીમાં ઉદ્‌ભવતા કશાધારી ચલબીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. ક્લૅમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રીક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે.


ફીઓફાયસી વર્ગની વિશિષ્ટતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

ફીઓફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક રીતે તેઓ દરિયાઈ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ વિસ્તાર, સાદા શાખિત, તંતુમય સ્વરૂપો-એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે.

તેઓ ક્લોરોફીલ a, ક્લોરોફીલ c,કેરેટીનોઇડ્સ અને ઝેંથોફિલ્સ જેવા રંજકદ્રવ્યો ધરાવે છે. તેઓ તેમનામાં હાજર ઝેંથોફિલ્સ કે ફ્યુકોઝેંથીન જેવા રંજકદ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલા થી લઈ વિવિધ છાંયવાળા બદામી રંગની વિવિધતા ધરાવે છે.ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે છે. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષદીવાલ ધરાવે છે જે સામાન્યતઃ તે બહારની બાજુએ આલ્જિનના જિલેટીન આવરણ દ્વારા આવરિત હોય છે.

જીવરસ એ રંજકકણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષકેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે અને તે વૃંત, છત્રિકાવૃંત અને પર્ણ જેવું પ્રકાશસંશ્ર્લેષી અંગ પ્રપર્ણ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે કે જે નાસપતી આકારના અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે.

લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની- (અંડજન્યુક જાતિઓ)માં થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના છે અને બે પાર્શ્ચીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. એક્ટોકાર્પસ, ડિક્ટીઓટા, લેમિનારિયા, સરગાસમ અને ફયુક્સ તેના સામાન્ય સ્વરૂપો છે.


રોડોફાયસી વર્ગની વિશિષ્ટતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

રોડોફાયસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલથી ઓળખાય છે. કારણ કે તેમના દેહમાં લાલ રંજકદ્રવ્ય - r-ફાયકોઇરીથ્રીન પ્રભાવિતા છે. મોટે ભાગે રાતી લીલ દરિયાઈ છે જે હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે.

મોટે ભાગે રાતી લીલનું સુકાય બહુકોષીય છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડીઅન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે.

રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારે થાય છે અને તેની સાથે જટિલ પશ્ચ-ફલન વિકાસ થાય છે. પૉલીસાઇફોનિયા,પોરફાયરા. ગ્રેસિલારિયા અને જેલિડિયમ તેના સામાન્ય સભ્યો છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વનસ્પતિ સૃષ્ટિ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.