GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે?

Hide | Show

જવાબ : પ્રાણીકોષ


કયા દ્રવ્યોનું કોષરસપટલ બનેલું છે?

Hide | Show

જવાબ : લિપિડ અને પ્રોટીન


કયા પ્રકારનું પ્રોટીન કોષરસપટલમાંથી સરળતાથી દૂર કરી શકાતું નથી?

Hide | Show

જવાબ : અંતર્ગત પ્રોટીન


કોણે કોષરસપટલના એકમ પટલની સંકલ્પના રજૂ કરી?

Hide | Show

જવાબ : રોબર્ટ્સન


જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્વની રચના કઈ છે?

Hide | Show

જવાબ : પિલિ અને ફિમ્બ્રી


આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે?

Hide | Show

જવાબ : 20 nm


કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે?

Hide | Show

જવાબ : પોલિઝોમ્સ


આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : મેદ કણિકા


ક્યા કોષમાં કોષદીવાલ, રંજકકણ અને મોટી રસધાનીઓ આવેલ છે?

Hide | Show

જવાબ : વનસ્પતિકોષ


વનસ્પતિમાં બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડાયેલ હોય છે?

Hide | Show

જવાબ : કોષરસતંતુ


કોનો સમાવેશ પટલમયતંત્રનાં ઘટકોમાં થાય છે?

Hide | Show

જવાબ : અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય અને લાયસોઝોમ્સ


અંતઃપટલતંત્રનો ભાગ કઈ અંગિકા નથી?

Hide | Show

જવાબ : કણાભસુત્ર, પેરોક્સિઝોમ્સ અને હરિતકણ


સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે?

Hide | Show

જવાબ : અંતઃકોષરસજાળ


અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે?

Hide | Show

જવાબ : બે


આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે?

Hide | Show

જવાબ : મેસોઝોમ્સ, રસધાની, નલિકાઓ અને પટલીકાઓ


કયા પ્રકારનું વહન કોષરસપટલ દ્વારા થાય છે?

Hide | Show

જવાબ : સક્રિય વહન, સાદુ પ્રસરણ અને અનુકૂલિત પ્રસરણ


વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય શું છે?

Hide | Show

જવાબ : વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય કોષને આકાર આપવાનું, કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણનું અને કોષની ફરતે બાહ્યઆવરણ રચવાનું છે.


લીલમાં કોષદીવાલ કયાં દ્રવ્યોની બનેલ છે?

Hide | Show

જવાબ : મેનોસ અને ગેલેક્ટન્સ, સેલ્યુલોઝ અને કૅલ્શિયમ કાર્બોનેટ


વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે?

Hide | Show

જવાબ : લિગ્નિન, સુબેરીન અને હેમીસેલ્યુલોઝ


હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે?

Hide | Show

જવાબ : અધિસ્તરઅધઃસ્તર અને મધ્યપર્ણપેશી


કયા વૈજ્ઞાનિકે કોષરસપટલનું ફ્લુઇડ - મોઝેઇક મોડલ રજૂ કર્યું?

Hide | Show

જવાબ : સિંગર અને નિકોલ્સન


કણાભસુત્રમાં ક્રિસ્ટીના F કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે?

Hide | Show

જવાબ : ઑક્સિડેટિવ ફોંસ્ફોરીકરણ


કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે?

Hide | Show

જવાબ : કણાભસૂત્ર


રંજકકણ કેટલા પ્રકારના હોય છે?

Hide | Show

જવાબ : ત્રણ


પુષ્પ, ફળ તેમજ બીજના વિવિધ રંગો શેને આભારી છે?

Hide | Show

જવાબ : કેરોટીન, ઝેન્થોફિલ, એન્થ્રોસાયેનીન


કયા સજીવઓનો સમાવેશ આદિકોષકેન્દ્રીમાં થાય છે?

Hide | Show

જવાબ : PPLO, જીવાણુ અને માઇકોપ્લાઝમ, નીલહરિતલીલ


જીવાણુના મુખ્ય કેટલા આકારો છે?

Hide | Show

જવાબ : ચાર


કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે?

Hide | Show

જવાબ : પ્લાસ્મીડ


આદિકોષકેન્દ્રી કોષમાં કયા બંધારણીય પ્રદેશનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : કોષકેન્દ્રપટલ


કોષઆવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે?

Hide | Show

જવાબ : ગ્લાયકોકેલિક્સ


ફેંગોસાઈઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે?

Hide | Show

જવાબ : પ્રાવર


પ્રાણીકોષમાં સ્ટીરોઇડ અંતઃ સ્ત્રાવો જેવા લિપિડનું સંશ્ર્લેષણ કઈ અંગિકામાં થાય છે?

Hide | Show

જવાબ : SER


ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે?

Hide | Show

જવાબ : 0.5 μ  થી 1.0 μ


ગોલ્ગીકાય કયાં દ્રવ્યોનું સંશ્લેષણ સ્થાન છે?

Hide | Show

જવાબ : ગ્લાયકોલ


લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે?

Hide | Show

જવાબ : ગોલ્ગીકાય


લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી?

Hide | Show

જવાબ : શ્વસનના


કોષની આત્મઘાતી અંગિકા કઈ છે?

Hide | Show

જવાબ : લાઇસોઝોમ્સ


એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે?

Hide | Show

જવાબ : લાઇસોઝોમ્સ


લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે?

Hide | Show

જવાબ : લાઇપેઝ, પ્રોટીએઝ અને કાર્બોહાઇડ્રેઝ


કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે?

Hide | Show

જવાબ : રસધાની


રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે?

Hide | Show

જવાબ : અર્ધપ્રવેશશીલપટલ


આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે?

Hide | Show

જવાબ : પેરામેશિયમ


આકુંચક રસધાનીનું કાર્ય શું છે?

Hide | Show

જવાબ : દ્રવ્યોના સંચયનું, દ્રવ્યોનું ઉત્સર્જનનું અને આસૃતિદાબ સર્જવાનું


સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે?

Hide | Show

જવાબ : કણાભસૂત્ર


કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે?

Hide | Show

જવાબ : 0.2 - 1.0 μ  અને 1.0 - 4.1 μ


કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે?

Hide | Show

જવાબ : ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન


હરિતકણની લંબાઈ કેટલી હોય છે?

Hide | Show

જવાબ : હરિતકણની લંબાઈ 5 – 10 μm હોય છે.


મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે?

Hide | Show

જવાબ : મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા 20 થી 40 હોય છે.


હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે?

Hide | Show

જવાબ : હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો થાઇલેકોઇડમાં આવેલાં હોય છે.


હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ?

Hide | Show

જવાબ : હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે પ્રકાશપ્રક્રિયા – અંધકારની ક્રિયાઓ થાય છે.


હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઇલેકોઇડ ધરાવે છે?

Hide | Show

જવાબ : હરિતકણમાં દરેક ગ્રેનમ 02 થી 100 થાઇલેકોઇડ ધરાવે છે.


હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી?

Hide | Show

જવાબ : હરિતકણના સ્ટ્રોમામાં 80s રિબોઝોમ્સના ઘટકો આવેલાં નથી.


રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : રંગહીનકણમાં તૈલકણ દ્રવ્યનો અભાવ હોય છે.


હરિતકણ કેવા આકારના હોય છે?

Hide | Show

જવાબ : હરિતકણ અંડાકાર, લેન્સ આકારના કે ગોળાકાર હોય છે.


ક્લેમિડોમોનાસમાં કેટલા હરિતકણ હોય છે?

Hide | Show

જવાબ : ક્લેમિડોમોનાસમાં એક હરિતકણ હોય છે?


સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે?

Hide | Show

જવાબ : સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે 80 s અને 70 s પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે.


સજીવના રચનાત્મક, ક્રિયાત્મક, નાનામાં નાના એકમને શું કહે છે?

Hide | Show

જવાબ : કોષ


એકકોષી સજીવો કયા છે?

Hide | Show

જવાબ : જીવાણુ, ક્લેમીડોમોનાસ, યીસ્ટ વગેરે.


ક્યા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે?

Hide | Show

જવાબ : સમવિભાજન


સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો?

Hide | Show

જવાબ : સ્લીડન - શ્વોન


સૌપ્રથમ તેવું કોણે દર્શાવ્યું કે નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે ?

Hide | Show

જવાબ : રુડોલ્ફ વિર્શોવ


સૌપ્રથમ કોષનામ કોણે આપ્યું?

Hide | Show

જવાબ : રોબર્ટ હૂક


કયા વૈજ્ઞાનિકે કોષમાં કોષકેન્દ્રની શોધ કરી?

Hide | Show

જવાબ : રોબર્ટ બ્રાઉન


થીઓડોર શ્વોન અને માથીસ સ્લીડન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા?

Hide | Show

જવાબ : થીઓડોર શ્વોન અને માથીસ સ્લીડન અનુક્રમે બ્રિટેન અને જર્મનીના વૈજ્ઞાનિકો હતા.


વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે.

Hide | Show

જવાબ : વનસ્પતિકોષની વિશિષ્ટતા તેની કોષદીવાલ છે.


લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે?

Hide | Show

જવાબ : લાક્ષણિક પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.


કઈ અંગિકા પટલમય રચના ધરાવે છે?

Hide | Show

જવાબ : હરિતકણ, ગોલ્ગીકાય અને કણાભસૂત્ર


કઈ અંગિકા પટલવિહીન છે?

Hide | Show

જવાબ : રિબોઝોમ્સ અને તારાકેન્દ્ર


સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયુ છે?

Hide | Show

જવાબ : શાહમૃગનું ઈંડુ


સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે?

Hide | Show

જવાબ : માઇકોપ્લાઝમ


ટૂંકનોંધ લખો : આદિકોષકેન્દ્રી કોષ

Hide | Show

જવાબ :

આદિકોષકેન્દ્રી કોષ તરીકે બૅક્ટેરિયા, નીલહરિત લીલ, માયકોપ્લાઝમા તેમજ PPLO (પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ)નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સુકોષકેન્દ્રીય કોષ કરતાં નાનાં હોય છે, અને સુકોષકેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન પામે છે.તે કદ અને આકારમાં ઘણી બધી વિભિન્નતા ધરાવે છે.

બેંક્ટેરિયાના ચાર મુખ્ય આકાર જેવા કે બેસિલસ (દંડાણુ), કોક્સ (ગોલાણું), વિબ્રિઓ (કોમા-આકાર) અને સ્પાઈરિલીયમ (સર્પાકાર) ધરાવે છે. આદિકોષકેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એકસમાન છે. બધા જ આદિકોષકેન્દ્રીય કોષમાં કોષરસપટલની ફરતે કોષદીવાલ આવેલી હોય છે. કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે.

તેઓમાં સ્પષ્ટ કોષકેન્દ્રનો અભાવ હોય છે. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત્ત એટલે કે કોષકેન્દ્ર પટલથી આવૃત્ત હોતું નથી. ઘણા બધાં બેક્ટેરિયામાં આનુવંશિક DNA. ઉપરાંત (એકલ રંગસૂત્ર / વલયાકાર DNA) વધારાનું નાનું વલાયાકાર DNA જોવા મળે છે. જેને પ્લાઝમિડ કહેવાય છે. આ પ્લાઝમિડ DNA બૅક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે છે.

આ પ્લાઝમિડ DNA , બેક્ટેરિયામાં બાહ્ય (પરજાત) DNA સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. કોષકેન્દ્રપટલ માત્ર સુકોષકેન્દ્રીય કોષમાં જોવા મળે છે. રિબોઝોમ્સ સિવાય આદિકોષકેન્દ્રીય કોષમાં સુકોષકેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષકેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. કોષરસપટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષકેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. મેસોઝોમ્સ એ કોષરસપટલનું આવશ્યક અંતર્વલન છે.


બૅક્ટેરિયાના કોષમાં કોષીય આવરણ અને તેના રૂપાંતરણ સમજાવો.

Hide | Show

જવાબ : મોટા ભાગના આદિકોષકેન્દ્રીય કોષો વિશેષરૂપે બૅક્ટેરિયાના કોષોમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. આ કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી ત્રણ સ્તરીય સંરચનાઓનું બનેલ હોય છે. જેમ કે સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, જેના પછી ક્રમશઃ કોષદીવાલ અને કોષરસપટલ આ આવરણનાં દરેક સ્તર જોકે ચોક્કસ કાર્ય કરે છે. પરંતુ આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે છે.

કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચી શકાય છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ અને જે ગ્રામ અભિરંજક શોષી ન શકે તેને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયા કહેવાય છે.

ગ્લાયકોકેલિક્સ જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદુ જુદુ હોય છે. કેટલાક બૅંક્ટેરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે જેને શ્ર્લેષ્મ સ્તર કહે છે, જ્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત હોય છે જેને કેપ્સ્યુલ કહે છે. કોષદીવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે.

જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. કોષરસપટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ સુકોષકેન્દ્રીઓમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે.

એક વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ્સ કે જે કોષમાં કોષરસપટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ રચના પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે. તે કોષદીવાલના નિર્માણ, DNA સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે. તદઉપરાંત શ્વસન, સ્રાવી પ્રક્રિયાઓ, કોષરસપટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે. કેટલાક આદિકોષકેન્દ્રી કોષ જેવા કે સાયનો બેક્ટેરિયાનાં કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર કહેવાય છે જે રંજકદ્રવ્યો ધરાવે છે.


કોષરસપટલની સંરચના સમજાવો.

Hide | Show

જવાબ :

કોષરસને સૌથી બહારની તરફ આવરતો પટલ કોષરસ પટલ તરીકે ઑળખવામાં આવે છે. વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસપટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસપટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસપટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી.

અભ્યાસ પછી એ વાતની સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે જે દ્વિ-સ્તરમાં ગોઠવાયેલ હોય છે લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલ હોય છે, જેનાં ધ્રુવીય શીર્ષ બહારની તરફ જ્યારે જલવિતરાગી પૂછડી અંદરની તરફ આવેલ હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઈડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે.મુખ્યત્વે પટલમાં જોવા મળતાં લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઇડ્સનો બનેલ હોય છે.

ત્યાર પછીના જેવ રાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયુ કે કોષરસપટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદુ-જુદુ હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52 % પ્રોટીન અને 40 % લિપિડ આવેલ હોય છે

પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે. જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે.

રસસ્તર અંગેનું સુધારેલું મોડલ સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું હતું. તે ફ્લુઇડ- મોઝેઈક-મોડલ તરીકે સર્વ સ્વીકૃત પામેલ છે. આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિ-સ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્ચીય ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધાર નક્કી કરી શકાય છે. પટલની તરલ પ્રકૃતિ તેનાં કાર્યો જેવા કે કોષવૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્રાવ, અંતઃ ભક્ષણ કોષવિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.


ટૂંકનોંધ લખો : અંત:કોષરસજાળ

Hide | Show

જવાબ : કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય છે, આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંત:પટલમયતંત્રની રચના કરે છે. કારણ કે તેઓનાં કાર્યો એકબીજાના સંકલનથી થતાં હોય છે. અંતઃકોષરસજાળ (ER), ગોલ્ગીકાય, લાયસોઝોમ્સ અને રસધાનીઓને અંતઃપટલમયતંત્રનો ભાગ માનવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી.

ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષકેન્દ્રી કોષોનાં સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસજાળ (ER) કહે છે.

આથી ER આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે પટલમય (ERની અંદર) અને બાહ્યપટલમય(કોષરસ)માં મુખ્યત્વે રિબોઝોમ્સ ER ની બાહ્ય સપાટી પર ચોંટેલા રહે છે. જે અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે તેને ખરબચડી (કણિકામય) અંતઃકોષરસજાળ (ER) કહે છે. રિબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસજાળ લીસી લાગે છે. તેને લીસી (કણિકાવિહીન) અંતઃકોષરસજાળ (SER) કહે છે.

જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તે કણિકામય અંતઃકોષરસજાળ સાથે સંકળાયેલા હોય છે. RER ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષકેન્દ્રપટલથી શરૂ થાય છે. લીસી અંતઃકોષરસજાળ (SER) લિપિડ સંશ્ર્લેષણનું મુખ્ય સ્થાન છે. પ્રાણીકોષોમાં સ્ટિરોઈડલ અંતઃસ્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃ કોષરસજાળ(SER)માં થાય છે.


ટૂંકનોંધ લખો : ગોલ્ગીપ્રસાધન

Hide | Show

જવાબ : ઈટાલિયન અંત:સ્થવિદ્યાશાસ્ત્રી કેમિલો ગોલ્ગીએ 1898માં સૌપ્રથમ કોષકેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજીત જાલિકામય સંરચના જોઈ જેને પછી તેઓના નામ પરથી ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવી. આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલ હોય છે, જેનો વ્યાસ 0.5 μm થી 1.0 μm સુધીનો હોય છે.

આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીસંકુલની રચના કરે છે. ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગી સિસ્ટર્ની કોષકેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી (બહિર્ગોળ સીસ) અને પરિપક્વ સપાટી (અંતર્ગોળ-ટ્રાન્સ) હોય છે. અંગિકાનો સીસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે.

ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્રાવ પામતાં કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજીંગનું દ્રવ્ય ERમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગીકાયના સીસ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે. આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃ કોષરસજાળના ગાઢ સંપર્કમાં રહે છે. કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃ કોષરસજાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં પહેલા તેમાં ફેરફારો થાય છે. ગોલ્ગીકાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે.


ટૂંકનોંધ લખો : લાયસોઝોમ્સ

Hide | Show

જવાબ : ક્રિશ્વયન ડી. ડુવે નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનમાંથી મુક્ત થતી પુટિકાઓ તરીકે લાયસોઝોમનું સૌપ્રથમ સંશોધન કર્યું.

 તે પટલમય પુટિકીય સંરચના છે. જે પેકેજીંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલ લાયસોઝોમ્સ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઈડ્રોલાયટીક ઉત્સેચકો જેવા કે (હાઈડ્રોલેઝ્‌સ-લાઈપેઝ્સ, પ્રોટીએઝ્સ અને કાર્બોહાઈડ્રેઝ્સ, ન્યુક્લિએઝ્સ) જોવા મળે છે.

જે ઇષ્ટતમ pHમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે લિપિડ્સ, પ્રોટીન્સ, કાર્બોદિતો અને ન્યુક્લિઇક એસિડના પાચન માટે સક્ષમ હોય છે.

કાર્યો :

  • તે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયામાં અગત્ય ધરાવે છે.
  • હાઈડ્રોલેઝ ઉત્સેચકો મોટા કદના કણો તથા જીવાણુનું ભક્ષણ કરે છે. આમ, લાયસોઝોમ કોષનું આંતરિક પાકચનતંત્ર છે અને કોષાંતરીય સાથે સંકળાયેલું છે.
  • તે જીર્ણ થયેલા કોષોનું વિઘટન કરે છે, લાયસોઝોમ્સની ફરતે આવેલ એકસ્તરીય પડ દૂર થાય અને ઉત્સેચકો કોષમાં મુક્ત થાય તો તમામ કોષીય અંગિકાઓ, તેમાં રહેલા અણુઓનું પાચન કરી કોષનો નાશ કરે છે. આથી તેને આત્મધાતી કોથળી કહે છે.


ટૂંકનોંધ લખો : રસધાની

Hide | Show

જવાબ : કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહે છે. તેમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે. જેને ટોનોપ્લાસ્ટ (રસધાની પટલ) કહે છે.

વનસ્પતિ કોષોમાં કુલ કોષના 90 % જગ્યા રસધાનીથી રોકાયેલ હોય છે. વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે, આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે.

અમીબામાં આંકુચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. ઘણાં બધાં કોષો જેવા કે પ્રોટીસ્ટામાં અન્નધાનીનું નિર્માણ ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય છે.

કાર્યો :

  • તે કોષમાં આસૃતિદાબ સર્જે છે.
  • તેમાં વિવિધ દ્રવ્યો સંચિત તથા ઉત્સેર્જિત થાય છે.
  • તે કોષને સખતતા અને સ્થિતિસ્થાપકતા આપે છે.
  • તે મીઠા જળમાં વસતા પ્રજીવોમાં ઉત્સર્જન અને જલનિયમન કાર્ય સાથે સંકળાયેલ છે.


કણાભસૂત્રની અતિસૂક્ષ્મ રચના અને કાર્ય વર્ણવો.

Hide | Show

જવાબ : કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઈક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી. પ્રત્યેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે. જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશિલતા પર છે. તેના આકાર અને કદમાં પણ નોંધનીય વિવિધતા જોવા મળે છે. તે રકાબી આકાર કે નળાકાર હોય છે જે 0.2 થી 1.0 μm (સરેરાશ 0.5 μm) વ્યાસ અને 1.0 થી 4.1 μm લંબાઈ ધરાવે છે.

 દરેક કણાભસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે. જેવા કે બાહ્યપટલ અને અંતઃ પટલ કે જે તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં વિભાજિત કરે છે. અતઃ કક્ષને આધારક (matrix) કહે છે. બાહ્મપટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે. તેનું અંતઃ પડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે.

ક્રિસ્ટી તેનાં સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. કણાભસુત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો જોવા મળે છે. જે કણાભસૂત્રના કાર્ય સંબંધિત હોય છે. કણાભસૂત્ર જારક શ્વસન માટેનું સ્થાન છે. તે ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિ ઘર કહે છે. કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર DNA, થોડા ઘણા RNA ના અણુ, રિબોઝોમ્સ (70 s) અને પ્રોટીન સંશ્ર્લેષણ માટેનાં આવશ્યક ઘટકો આવેલા હોય છે. કણાભસૃત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે.


ટૂંકનોંધ લખો : તારાકાય અને તારાકેન્દ્ર

Hide | Show

જવાબ : તારાકાય એ એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે જેને તારાકેન્દ્ર કહે છે. તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારાવર્તુળ કહેવાય છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે. જેમાં દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાના પૈંડા જેવું હોય છે.

તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલ સંરચના છે. પ્રત્યેક પરિધીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. પાસ-પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે. તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલ હોય છે જેને મધ્યદંડ કહે છે. ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનનાં બનેલ ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી રહે છે. તારાકેન્દ્ર પક્ષ્મ તથા કશાનો તલકાય બનાવે છે અને પ્રાણી કોષોના વિભાજન દરમિયાન દ્વિ-ધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે.


ટૂંકનોંધ લખો : પક્ષ્મ અને કશા

Hide | Show

જવાબ : પક્ષ્મ તથા કશા તે કોષરસપટલના રોમમય બર્હિરુદ્‌ભેદ છે. પક્ષ્મ એ સૂક્ષ્મ નાની સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે જે કોષ કે તેની આજુ બાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. કશા એ તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષકેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા રચનાત્મક સ્વરૂપે સુકોષકેન્દ્રી કશા કરતા અલગ હોય છે.

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે પક્ષ્મ તથા કશા જીવરસપટલથી ઘેરાયેલ રચના છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવાય છે જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલ હોય છે. જે લાંબા અક્ષને સમાંતર હોય છે. અક્ષસૃત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલ હોય છે અને પરિઘ તરફ નવ જોડ સુક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે. અક્ષસૃત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણી (9+2) કહે છે.

કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્રારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે. જે પરિધીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવ્તી તંતુક વડે જોડાયેલ હોય છે. આ રીતે નવ ત્રિજ્યાવર્તી તંતુ બને છે. પરિધીય જોડ પણ એકબીજા સાથે આંતર દ્વિકીય સેતુ (તંતુકો) વડે જોડાયેલ હોય છે. બંને પક્ષ્મ તથા કશા તારાકેન્દ્રના તલકાય જેવી જ રચનામાંથી ઉદ્‌ભવે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

કોષ : જીવનનો એકમ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.