GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ટાઇડલ વૉલ્યૂમ એટલે શું ? સ્વસ્થ વ્યક્તિનું એક કલાકનું ટાઇડલ વૉલ્યૂમ (આશરે) શોધો.

Hide | Show

જવાબ : ટાઇડલ વૉલ્યૂમ એટલે સામાન્ય શ્વસન ક્રિયા દરમ્યાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્‌વાસનું કદ. તે આશરે 500 ml છે. એટલે કે સ્વસ્થ માણસ દર મિનિટે આશરે 6000 થી 8000 ml વાયુનું શ્વાસ અને ઉચ્છ્‌વાસ કરે છે. સ્વસ્થ વ્યક્તિનું એક કલાકનું ટાઇડલ વૉલ્યૂમ (આશરે) 6000 x 60 Minutes = 3,60,000 ml.


ભેદ સ્પષ્ટ કરો :

Hide | Show

જવાબ : (a) IRV અને ERV IRV : વાયુનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. સરેરાશ આ કદ 2500 ml થી 3000 ml છે. ERV : વાયુનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્‌વાસ દ્વારા બહાર કાઢે છે. સરેરાશ આ કદ 1000 ml થી 1100 ml છે (b) ઈન્સ્પાયરેટરી કૅપેસિટી અને એક્સપાયરેટરી કૅપેસિટી ઈન્સ્પાયરેટરી કૅપેસિટી : સામાન્ય ઉચ્છ્‌વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ. જેમાં ટાઈડલ વૉલ્યુમ અને ઈન્સ્પાયરેટરી રિઝર્વ વૉલ્યૂમનો સમાવેશ થાય છે. (TV+IRV). એક્સપાયરેટરી કૅપેસિટી : સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ. જેમાં ટાઈડલ વૉલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વૉલ્યૂમનો સમાવેશ થાય છે. (TV+ERV). (c) વાઈટલ કૅપેસિટી અને ટોટલ લંગ કૅપેસિટી વાઈટલ કૅપેસિટી : વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્‌વાસ બાદ શ્વાસોચ્છ્‌વાસમાં હવાનું મહત્તમ કદ છે. આમાં ERV, TV અને IRV નો સમાવેશ થાય છે. અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ, ઉચ્છ્‌વાસ કરી શકે છે. ટોટલ લંગ કૅપેસિટી : દબાણ પૂર્વકના શ્વાસ બાદ ફેફસાંમાં સમાવિષ્ટ હવાનું કુલ કદ છે. જેમાં RV, ERV, TV અને IRV અથવા વાઈટલ કૅપેસિટી (VC) + રેસિડ્યુઅલ વૉલ્યૂમ (RV) નો સમાવેશ થાય છે.


શા માટે હવાનું પ્રસરણ ફક્ત વાયુકોષ્ઠ વિસ્તારમાં જ થાય છે અને શ્વસનતંત્રના બીજા ભાગોમાં નહીં ?

Hide | Show

જવાબ : હવાનું પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પ્રસરણના દર પર અસર કરતું પરિબળ છે.. વાયુકોષ્ઠની પ્રસરણ સપાટીની કુલ જાડાઈ 1 મિલિમિટર (1mm) કરતા ઘણી ઓછી હોય છે. માટે હવાનું પ્રસરણ ફક્ત વાયુકોષ્ઠ વિસ્તારમાં જ થાય છે


પર્વત ઉપર ચઢતા માણસની શ્વસન પ્રક્રિયા ઉપર શું અસર થાય છે ?

Hide | Show

જવાબ : પર્વત ઉપર ચઢતા માણસની શ્વસન પ્રક્રિયામાં શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુ:ખાવો વગેરે લક્ષણો જોવા મળે છે. કારણ કે ઓછા થતા હવાના દબાણ અને વધતી ઊંચાઈ સાથે વાયુકોષ્ઠની હવામાં pO₂ નું પ્રમાણ ઓછું લોહીમાં O₂ નું ઓછું પ્રસરણ દર્શાવે છે.


pCO₂ ની ઓક્સિજન વહન ઉપર શું અસર છે ?

Hide | Show

જવાબ : જ્યારે પેશીઓમાં pCO₂ વધારે હોય ત્યારે CO₂નું જોડાણ વધુ થાય છે, O₂ નું વહન ઓછું થાય છે. CO₂ નું દબાણ O₂ ના હીમોગ્લોબિન સાથેના જોડાણમાં ખલેલ પહોંચાડે છે.


વાઈટલ કૅપેસિટી(ક્ષમતા) ની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ જણાવો ?

Hide | Show

જવાબ : વાઈટલ કૅપેસિટી એટલે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક્ના ઉચ્છ્‌વાસ બાદ શ્વાસોચ્છ્‌વાસમાં હવાનું મહત્તમ કદ. આમાં ERV, TV અને IRV નો સમાવેશ થાય છે. અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ, ઉચ્છ્‌વાસ કરી શકે છે.


કીટકોમાં વાતવિતિમયનું સ્થાન જણાવો.

Hide | Show

જવાબ : કીટકો નલિકાઓની ગોઠવણ (શ્વાસનલિકાઓ) દ્વારા વાતાવરણની હવાનું શરીરમાં વહન કરાવે છે.


સામાન્ય શ્વાસોચ્છવાસ બાદ ફેફસામાં રહેલ વાયુનું કદ જણાવો.

Hide | Show

જવાબ : સામાન્ય શ્વાસોચ્છવાસ બાદ ફેફસામાં રહેલ વાયુનું કદ 2100 થી 2300 ml હોય છે.


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- 3% CO નું વહન રુધિરરસ દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :-  લંબમજ્જાના શ્વસનકેન્દ્રનો આદેશ 10મી કરોડરજ્જુ ચેતા મારફતે વહન પામે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- બૉન્કાઈટિસમાં શ્વસનનળીની દીવાલના સ્નાયુ ઉત્તેજિત રહે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- ERV નું કદ 1100 થી 1200 મિલી છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- VC નું મૂલ્ય 5100 થી 5800 મિલી છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- 20% CO₂ કાર્બેમિનો ઘટક તરીકે વહે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- રસાયણ-ગ્રાહકો ફેફસાંમાં આવેલ છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- ન્યુમોનિયામાં વાયુકોષ્ઠ પ્રવાહી અને મૃત RBCs વડે ભરાઈ જાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- રસાયણ-ગ્રાહકો રુધિરમાં CO₂, pH અને O₂ નું પ્રમાણ તપાસે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- TV નું મૂલ્ય RV થી ઓછું છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- ડાબુ ફેફસું બે ખંડો અને બે ફાટો ધરાવે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- લંબમજજ્જામાં આવેલ શ્વસનકેન્દ્રો બે ગડી ધરાવે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- એમ્ફિસેમાની આડ અસર તરીકે મગજ અને હૃદયને પૂરતું રુધિર મળતું નથી.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- 97% CO₂ નું વહન રક્તકણ દ્વારા થાય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- IC નું મૂલ્ય IRV થી ઓછું છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- ઉરોદરપટલ રેખિત સ્નાયુ ધરાવે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- મનુષ્યમાં કંઠનળી એ માત્ર હવાના વહનમાર્ગ તરીકે વર્તે છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. : - અસ્થિમાની સારવારમાં ઍન્ટિહિસ્ટેમાઈન ઉપયોગી છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :-  IRV નું મૃલ્ય FRC થી વધુ છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- વાયુકોષ્ઠ નળી શ્વાસવાહિની વૃક્ષમાં સૌથી ઓછો વ્યાસ ધરાવતી નળી છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :-  નાસિકાકોટરના મધ્યભાગને શ્વસનપ્રદેશ કહે છે.

Hide | Show

જવાબ : સાચું


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- મનુષ્યના ફેફસાં ઉદરીય ગુહામાં આવેલાં હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


નીચેનાં વાક્યો  ખરાં છે કે ખોટાં તે કહો. :- શ્વાસનળીમાં ‘C’ આકારની અસ્થિની કડી હોય છે.

Hide | Show

જવાબ : ખોટૂં


તમે હાયપોક્સિયા (Hypoxia) વિશે સાંભળ્યું છે ? તેની માહિતી એકત્રિત કરવા પ્રયત્ન કરો અને મિત્રો સાથે તેની ચર્ચા કરો.

Hide | Show

જવાબ : હાયપોક્સિયા ફેફ્સામાં ઘટતા ઑક્સિજનના જથ્થાને કારણે નિર્માણ પામતી પરિસ્થિતિ છે.

હાયપોક્સિયા ના પ્રકારો નીચે પ્રમાણે છે.

(i) હાયપોક્સિમિક હાયપોક્સિયા : આ પરિસ્થિતિમાં રુધિરના ઑક્સિજનના પ્રમાણમાં ધટાડો થાય છે. પરિણામે ધમનીના રુધિરમાં ઑક્સિંજનનું દબાણ ઓછું ઉત્પન્ન થાય છે.

(ii) એનિમિક હાયપોક્સિયા : આ પરિસ્થિતિમાં હીમોગ્લોબીનની સાંદ્રાતામાં ધટાડો થાય છે.છે. સ્થાયી હાયપોક્સિયા આ પરિસ્થિતિમાં જોવા મળે છે. વ્યક્તિ જ્યારે અતિશય ઠંડા તાપમાનમાં લાંબો સમય રહે ત્યારે જોવા મળે છે.

(iii) હિસ્ટોટોક્સિક હાયપોક્સિયા : પેશીઓ ઑક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. આ પરિસ્થિતિ કાર્બન મોનોક્સાઈડ અથવા સાઈનાઈડના ઝેરથી ઉત્પન્ન થાય છે.


સમજાવો : CO ના વહનની મુખ્ય ક્રિયાવિધિ.

Hide | Show

જવાબ : CO હીમોગ્લોબિન દ્વારા કાર્બેમીનો-હીમોગ્લોબિન સ્વરૂપે વહન પામે છે. (આશરે 20-25%). આ જોડાણ CO ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. pOએ જોડાણને અસર કરતું મુખ્ય પરિબળ છે. જ્યારે પેશીઓમાં pCO વધુ અને pO ઓછું હોય ત્યારે કાર્બન ડાયૉક્સાઇડનું જોડાણ વધુ પરંતુ જ્યારે વાયુકોષ્ઠોમાં pCO ઓછું અને pO વધુ હોય ત્યારે CO નું કાર્બેમીનો-હીમોગ્લોબિનમાંથી વિયોજન થાય છે.

એટલે કે પેશીઓમાં હીમોગ્લોબિન સાથે જોડાયેલ CO વાયુકોષ્ઠોમાં મુક્ત થાય છે. કાર્બોનિક એનહાઈડ્રેઝ ઉત્સેચકની ખૂબ ઊંચી સાંદ્રતા રક્તકણોમાં અને ઓછી માત્રા રુધિરરસમાં પણ હોય છે. આ ઉત્સેચક

નીચેની પ્રક્રિયાને બંને દિશામાં સાનુકુળ બનાવે છે.

પેશી સ્તરે અપચયને કારણે CO નું આંશિક દબાણ ઊંચું હોય છે, તેથી CO રુધિર (રક્તકણો અને રુધિરરસ) માં પ્રસરણ પામે છે અને HCO3- અને H બનાવે છે. વાયુકોષ્ઠ સ્તરે જ્યારે pCO નીચું હોય છે ત્યારે પ્રક્રિયા વિરૂદ્ધ દિશામાં થાય છે, જે CO અને HO બને છે. આ રીતે પેશી સ્તરે CO બાયકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ થાય છે અને વાયુકોષ્ઠ સ્તરે વહન પામેલ CO બહાર મુક્ત થાય છે. પ્રત્યેક 100 મિલિ ઑક્સિજનવિહીન રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં લગભગ 4 મિલિ CO મુક્ત થાય છે.


ઓક્સિજન વિયોજન વક્રને વ્યાખ્યાયિત કરો, શું તમે તેની સિગ્મોઇડલ આકુતિનું કારણ આપી શકો છો ?

Hide | Show

જવાબ : રક્તકણમાં લાલ રંગનું આર્યન ધરાવતું રંજકકણ હીમોગ્લોબિન (Haemoglobin) આવેલ છે. O પ્રતિવર્તી (Reversible) રીતે હીમોગ્લોબિન સાથે જોડાઈ ઑક્સિહીમોગ્લોબિન બનાવે છે. દરેક હીમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 (ચાર) O ના અણુઓનું વહન કરે છે. ઓક્સિજનનું હીમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે O ના આંશિક દબાણને આભારી છે.

 

ઑક્સિજન વિયોજન ચક્ર

CO નું આંશિક દબાણ, હાઈડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે જે આ જોડાણમાં ખલેલ પહોંચાડે છે. હીમોગ્લોબિનની O સાથેની સંતૃપ્તિ ટકાવારીને pO ની સામે આલેખિત કરતા સિગ્મોઈડ વક્ર મળે છે. આ વક્રને ઑક્સિજન વિયોજન વક્ર (Dissociation) કહે છે.

તે હીમોગ્લોબિનના O સાથેના જોડાણને પ્રભાવિત કરતા pCO, H ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. વાયુકોષ્ઠોમાં ઊંચું pO, નીચું pCO, ઓછી H ની સાંદ્રતા અને નીચું તાપમાન જેવા પરિબળો ઑક્સિહીમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે, જ્યારે પેશીઓમાં નીચું pO, ઊંચું pCO, ઊંચી H ની સાંદ્રતા ઉંચા તાપમાનની સ્થિતિ ઑક્સિહીમોગ્લોબિનમાંથી ઑક્સિજનના વિયોજન માટે સાનુકૂળ છે.

જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઑક્સિજન, હીમોગ્લોબિન સાથે ફેફસાંની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દર 100 મિલિ ઑક્સિજનયુક્ત રુધિર આશરે 5 મિલિ 0 પેશીઓને પહોંચાડે છે.


શ્ચસનનું નિયમન કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : માનવમાં તેના શરીરની પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે. આ નિયમન ચેતાતંત્ર દ્રારા થાય છે. મગજમાં આવેલ લંબમજ્જા (Medulla) પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય છે. જે પ્રાથમિક રીતે શ્વરસનના નિયમન માટે જવાબદાર છે.

મગજના પોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું હોય છે જેને શ્વાસ- અનુચલન (Pneumotaxic) કેન્દ્ર કહે છે. જે શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરી શકે છે. આ કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને આ રીતે શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે.

લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી (Chemosensitive) વિસ્તાર આવેલો છે. જે CO અને હાઈડ્રોજન આયન માટે અતિ સંવેદી હોય છે. આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય છે જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે છે અને શ્વસન પ્રક્રિયામાં જરૂરી ગોઠવણ કરે છે. જેથી આ પદાર્થોનો નિકાલ થઈ શકે.

મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલ સંવેદો રચનાઓ પણ CO અને H ની સાંદ્રતાના ફેરફારોને ઓળખી શકે છે તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી


સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસની પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : શ્વાસોચ્છ્‌વાસમાં બે તબક્કા સમાવિષ્ટ છે : શ્વાસ જે દરમ્યાન વાતાવરણની હવા (વાયુ) અંદર દાખલ થાય છે અને ઉચ્છ્‌વાસ જેના દ્વારા વાયુકોષ્ઠોમાંની હવા (વાયુ) બહાર મુક્ત થાય છે. વાયુઓની ફેફસાં અને વાતાવરણ વચ્ચેની અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય છે. શ્વાસ ત્યારે થાય છે જ્યારે ફેફસાંમાંનું દબાણ (આંતર ફુપ્ફુસીય દબાણ) વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય એટલે કે, વાતાવરણીય દબાણની સાપેક્ષમાં ફેફસાંનું દબાણ ઋણ હોય છે.

આંતર ફુપ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો ઉચ્છ્‌વાસ થાય છે. આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદરપટલ અને પાંસળીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ-બાહ્ય અને આંતર પાંસળી સ્નાયુઓ (ઈન્ટરકોસ્ટલ સ્નાયુ) મદદ કરે છે.

શ્વાસ ઉરોદરપટલના સંકોચનથી શરૂ થાય છે જે ઉરસીય ગુહાનું અગ્ર-પશ્ચ અક્ષે કદ વધારે છે. બાહ્ય આંતર પાંસળીય સ્નાયુનું સંકોચન પાંસળીઓ અને ઉરોસ્થિને ઉપર તરફ ખેંચે છે. જેથી ઉરસીય ગુહાનું પૃષ્ઠ-વક્ષ અક્ષે કદ વધે છે.

 શ્વાસોચ્છ્‌વાસની ક્રિયવિધિ (a) શ્વાસ (b) ઉચ્છ્‌વાસ

ઉરસીય ગુહાના કદમાં થતી કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાંના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય છે. ફેફસાંના કદમાં વધારો, આંતર-ફુપ્ફુસીય દબાણમાં ઘટાડો કરે છે. જે વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા (વાયુ) ફેફસાંમાં ધકેલાય છે, એટલે કે શ્વાસ થાય છે.

ઉરોદરપટલ અને આંતર પાંસળી સ્નાયુઓના શિથિલનથી ઉરોદરપટલ અને ઉરોસ્થી પોતાના મૂળ સ્થાને પરત આવે છે અને ઉરસીય ગુહાનું કદ ઘટે છે. જેથી ફુપ્ફુસીય કદ (ફેફસાંનું કદ) પણ ઘટે છે. જે આંતર ફુપ્ફુસીય દબાણને વાતાવરણીય દબાણ કરતા થોડા વધારા તરફ દોરી જાય છે.

જેનાથી ફેફસાંની હવા બહાર નીકળે છે. એટલે કે ઉચ્છ્‌વાસ થાય છે.આપણે ઉદરમાંના વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉચ્છવાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. સરેરાશ એક સ્વસ્થ માનવ પ્રતિ મિનિટ 12-16 વખત શ્વાસોચ્છવાસ કરે છે. શ્વરાસોચ્છ્‌વાસની ગતિવિધિમાં સામેલ વાયુઓના કદનું માપન સ્પાઇરોમિટરની મદદથી કરવામાં આવે છે. જે ફેફસાંના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.