જવાબ : પાઇસેસ્ટર
જવાબ : દક્ષિણ અમેરિકાના તળાવમાં મુલાકાતી સુરખાબ અને સ્થાનિક માછલી
જવાબ : ગોકળગાય અને માછલી
જવાબ : યજમાનની ઉત્તરજીવિતતામાં ઘટાડો, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો અને વસ્તીગીચતામાં ઘટાડો.
જવાબ : મનુષ્ય અને જૂઓ, કુતરાઓ પર બગાઇઓ અને સામુદ્રિક માછલી અને કોપેપોડસ
જવાબ : આંબા અને ઓર્કિંડ
જવાબ : સહભોજિતા
જવાબ : ફૂગ-લીલ
જવાબ : સહોપકારિતા
જવાબ : અંડનિક્ષેપણ માટે અને બીજનાં ડિંભના પોષણ માટે
જવાબ : ઓર્કિડ
જવાબ : પરિસ્થિતિવિઘા
જવાબ : 18 - 25°C અને 150 - 400 cm
જવાબ : ઊંચાં વૃક્ષો
જવાબ : તે જીવિત ન રહે કારણ કે તેની સૂક્ષ્મ આબોહવામાં પરિવર્તન થાય છે.
જવાબ : 100 પ્રતિ ક્લાક
જવાબ : 200
જવાબ : તેમાં વધારો થશે.
જવાબ : યુરીથર્મલ
જવાબ : રાજસ્થાન
જવાબ : સ્ટીનોથર્મલ
જવાબ : યુરીથર્મલ
જવાબ : પ્રકાશ
જવાબ : 30-35 %
જવાબ : સ્ટીનોથર્મલ
જવાબ : 100 % થી વધારે
જવાબ : પ્રકાશસંશ્લેષણ
જવાબ : 5% કરતા ઓછી
જવાબ : વાંસ
જવાબ : ચપટા પ્રકાંડ
જવાબ : 0.0205
જવાબ : 0.12
જવાબ : 0.0015
જવાબ : પ્રશાંત
જવાબ : સાલ્મન
જવાબ : સહોપકારિતા
જવાબ : સ્પર્ધા
જવાબ : પરોપજીવન અને પરભક્ષણ
જવાબ : ફૂદું
જવાબ : સહભોજીતા
જવાબ : ક્લોવન
જવાબ : સહભોજિતા
જવાબ : બગાઈ
જવાબ : ફૂટમૈથુન
જવાબ : ઓર્કિડ
જવાબ : અંજીર
જવાબ : લાઈકેન
જવાબ : મધમાખી
જવાબ : લિંગીકપટ
જવાબ : પરિસ્થિતિવિદ્યા
જવાબ : ઓડમ
જવાબ : પ્રકાશ અને તાપમાન
જવાબ : વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ અને મેદાન વિસ્તારથી પર્વતશિખરો તરફ.
જવાબ : ટુના
જવાબ : યુરીથર્મલ
જવાબ : સ્ટીનોથર્મલ
જવાબ : કણોનું કદ, ભૂમિરચના અને કણોનું સામુહીકરણ
જવાબ : કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર
જવાબ : ટૂંકા ઉપાંગો અને ટૂંકા કાન
જવાબ : ત્વચા નીચે ચરબીનું જાડું થર
જવાબ : 0.4
જવાબ : 0.1
જવાબ : પગલાંની નિશાની અને મળની ગુટિકાઓ
જવાબ : આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન
જવાબ : જન્મદર અને સ્થળાંતરણ
જવાબ : જન્મદર અને બહિસ્થળાંતર
જવાબ : ઉબકા, હૃદયના ધબકારા વધવા અને થકાવટ
જવાબ : જન્મદર અને મૃત્યુદર
જવાબ : 0.0205
જવાબ : 0.12
જવાબ : સાલ્મન માછલી અને વાંસ
જવાબ : સહોપકારિતા
જવાબ : સ્થિર વહન ક્ષમતામાં
જવાબ : મૃત્યુદર, વસ્તીવૃદ્ધિ અને જન્મદર
જવાબ : સહોપકારિતા
જવાબ : અમેરિકાના પ્રશાંત મહાસાગરની
જવાબ : ઓર્કિંડ-આંબો, બગલા-ચારણ કરતાં પશુઓ અને હેલ-બાર્ને કલ
જવાબ : એક જ જાતિના સભ્યો વચ્ચે
જવાબ : શુક પર્યાવરણ
જવાબ : (1) ઈશ્વેરેશિયા કોલાઈ (2) લેક્ટોએસીલસ
જવાબ : આકડો
જવાબ : બિનજરૂરી સંવેદી અંગો ગુમાવવા, ચૂષકોની હાજરી અને પાચનતંત્રનો લોપ
જવાબ : મૃત્યુદર
જવાબ : CAM
જવાબ : 5 % થી ઓછી
જવાબ : પારસ્પરિકતા
જવાબ : નીચું વાતાવરણીય દબાણ
જવાબ : યુરીથર્મલ
જવાબ : સજીવનો તેના પર્યાવરણ સાથેનો સંબંધ
જવાબ : બે સમાજ વચ્ચેનો સંક્રાંતિ પ્રદેશ
જવાબ : પૃથ્વી પર આવેલા બધા સજીવો જેઓ તેમના ભૌતિક પરિઆવરણ સાથે પારસ્પરિકતા દર્શાવે છે.
જવાબ : સમાજમાં જાતિની કાર્યકારી ભૂમિકા અને ભૌતિકસ્થિતિ
જવાબ : ટૂંકા કાન અને ટૂંકાં ઉપાંગો ધરાવે છે.
જવાબ : 30 - 35
જવાબ : પંજાના ચિહ્નો અને મળની ગુટિકાઓ
જવાબ : મૃત્યુદર અને બર્હિસ્થળાંતર
જવાબ : 64
જવાબ : 17 મિલિયન
જવાબ : એક જાતિને નુકસાન થાય અને બીજી જાતિને કોઈ ફરક ન પડે.
જવાબ : ફૂગ અને લીલ
જવાબ : ચંદનનું વૃક્ષ
જવાબ : કેળ
જવાબ : મોનાર્ક
જવાબ : ગોકળગાય અને માછલી
જવાબ : 25%
જવાબ : સહભોજીતા
જવાબ : ગોસ
જવાબ : પાઈસેસ્ટર
જવાબ : આકડો
જવાબ : આ જાતિઓ નજીકથી એકસાથે રહે છે.
જવાબ : ક્લોવન
જવાબ : સહભોજીતા
જવાબ : અમરવેલ
જવાબ : બાર્નકલ
જવાબ : જૂ
જવાબ : ઓર્કિંડ
જવાબ : સમુદ્રફૂલ
જવાબ : થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. (તેઓને યુરીથર્મલ કે પૃથુતાપી કહેવાય છે.)
જવાબ : વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે.
જવાબ : ક્ષારોની સાંદ્રતા (પ્રતિ હજારમા ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપન) અંતઃસ્થલીય જળમાં 5 % કરતાં ઓછી, સમુદ્રમાં 30 થી 35 % તથા અતિક્ષારીય ખારા પાણીનાં સરોવરોમાં તે 100 % થી પણ વધારે હોય છે.
જવાબ : ઘણાં પ્રાણીઓ માટે પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચારા (આહાર) ની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
જવાબ : સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ધટક, ઘણા સજીવો માટે નુકસાનકારક છે.
જવાબ : ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિરચના, કણોનું કદ અને કણોનું સામૂહીકરણ એ ભૂમિની અંત:સ્રવણ ક્ષમતા તથા જલગ્રહણક્ષમતા નક્કી કરે છે.
જવાબ : શિયાળામાં, જયારે પર્યાવરણનું તાપમાન 37° સે કરતાં ખૂબ જ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી.
જવાબ : જલીય પ્રાણીઓમાં, દેહજળની આકૃતિ સાંદ્રતા જે તેમની ફરતે આવેલ પરિસરના પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે.
જવાબ : દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર એ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતાં હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે.
જવાબ : મુલતવી રાખવું બેક્ટરિયા, ફૂગ તથા નિમ્નકક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દીવાલવાળા બીજાણુંઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતા તેઓ અંકુરિત થઈ જાય છે.
જવાબ : પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો છે. તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
જવાબ : કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે.
જવાબ : ધ્રુવીય સમૂહોમાં સીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર (blubber દરિયાઈ પ્રાણીજ ચરબી) ધરાવે છે જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામ આવે છે.
જવાબ : આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓકિસજન મળતો નથી.
જવાબ : શરીર લાલ રુધિરકોષો (રક્ત કણો) નું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે.
જવાબ : આર્કિબેક્ટેરિયા એ ગરમ પાણી ના ઝરામાં જોવા મળે છે.
જવાબ : જો વસ્તી માટે વવવિતરણ (આપેલ વય અથવા વયજૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી) ની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે.
જવાબ : કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી, તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
જવાબ : કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા દર્શાવે છે, ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા તથા મંદ વૃદ્ધિ-અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોચી જાય છે ત્યારે વસતીગીચતા (N) ને સમય (t) ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઈડ – S આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ કહે છે.
જવાબ : કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે જેમ કે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, જયારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. જેમ કે મોટા ભાગનાં પક્ષીઓ અને સસ્તનો.
જવાબ : પરોપજીવન અને પરભક્ષણ બન્નેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે.
જવાબ : એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક તૃતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય છે કે ન તો હાનિ, તેને સહભોજિતા કહે છે.
જવાબ : ફાફડાથોર ખાનાર પરભક્ષી (એક પ્રકારનું ફૂદું-Moth)ને તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડાથોરને નિયંત્રિત કરી શકાયા.
જવાબ : અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય (ભરતીયુક્ત) વિસ્તારના સમુદાયોમા તારામાછલીઓની એક જાતિ પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે.
જવાબ : સ્પર્ધાને એક એવી પ્રક્રિયારૂપે સારી રોતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરી માં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
જવાબ : તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂપકોની હાજરી, પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન-ક્ષમતા.
જવાબ : માનવયકૃત કૃમિ (ટ્રોમેટોડ પરોપજીવી) તેના જીવનચકને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો (ગોકળગાય અને માછલી) પર આધાર રાખે છે.
જવાબ : યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ ક્હેવાય છે.
જવાબ : પક્ષીઓમાં અંડપરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડાં સેવવા દે છે.
જવાબ : આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે.
જવાબ : અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરોની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે.
જવાબ : એવી પ્રક્રિયા કે જેમાં સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા પ્રયત્ન કરે છે.
જવાબ : આ એવાં પ્રાણીઓ છે કે જેઓ તેમના શરીરનું તાપમાન જાળવી રાખે છે.
જવાબ : આ એવાં પ્રાણીઓ છે કે જેઓ પર્યાવરણથી સ્વતંત્ર પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે.
જવાબ : આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની સંખ્યા.
જવાબ : આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા.
જવાબ : એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા કે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી વસવાટમાં ચાલ્યા આવે છે.
જવાબ : વસ્તીના સજીવોની એ સંખ્યા છે કે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય છે.
જવાબ : પ્રકાશ, પવન, પાણી, તાપમાન, જમીન બંધારણ, pH ખનીજતત્વો વગેરે.
જવાબ : (a) મનુષ્ય સસ્તન) (b) દેડકો (ઉભયજીવી) (c) તારામાછલી
જવાબ : વસ્તી: વસ્તી એ ચોક્કસ જાતિઓનો સમૂહ છે જે આંતરપ્રજનન કરે છે. સમુદાય: સમુદાય એ આંતરક્રિયા કરતા સજીવોનો સમૂહ છે. પર્યાવરણના એકસરખા સ્રોતો માટે ભાગીદારી કરે છે.
જવાબ : એક સજીવને લાભ થાય છે, બીજું અસર પામે છે (પ્રભાવિત-Affected).
જવાબ : સ્ટીનોહેલાઇન જાતિઓ એ છે કે જે ક્ષારતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે.
જવાબ : બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને આંતરજાતીય પારસ્પરિક પ્રક્રિયા કહે છે આવી ક્રિયાઓ એક કે બંનેને લાભદાયી, ઇજાદાયી તટસ્થ હોઈ શકે.
જવાબ : સહભોજિતા એ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિ બિનઅસરગ્રસ્ત રહે છે. ઉદાહરણ તરીકે આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઓર્કિડ.
જવાબ : માઇકોરાઇઝા એ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વચ્ચેનું સહજીવન છે.
જવાબ : લવણોભિદ કે હેલોફાઇટ સ્થલજ વનસ્પતિ એ દરિયાની વધુ ક્ષારતાને સહન કરી શકે છે અને દેહમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.
જવાબ : સમસ્થિતિ એવી પ્રક્રિયા છે જેમાં જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કરેલું હોય જે બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.
જવાબ : કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળશુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા વિશિષ્ટ નિદ્રામાં ચાલ્યા જાય છે જેને ગ્રીષ્મનિદ્રા કહે છે.
જવાબ : પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં જોવા મળતી પ્રાણીપ્લવકોની અટકતી વૃદ્ધિ છે. સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.
જવાબ : જયારે અમર્યાદિત સ્રોતની હાજરી હોય ત્યારે ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ જોવા મળે છે.
જવાબ : વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને વનસ્પતિભક્ષી કહે છે.
જવાબ : વ્હેલ(whale)ની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલ(barnacles) એ સહભોજિતાનું ઉદાહરણ છે.
જવાબ : પ્રકૃતિમાં, આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવ(individuals)નાં દર્શન ભાગ્યે જ થાય છે. મોટા ભાગના તેમાંના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે. એકસરખા સ્ત્રોતો માટે, ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતરપ્રજનન કરે છે, સંભવિત રીતે આંતરજાતીય (મિશ્રજાતીય-Interbreed) હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે.
જોકે આંતરપ્રજનન શબ્દ લિંગીપ્રજનન માટે સૂચિત છે, અલિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ (cormorants), ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો (abandoned dwelling), વનક્ષેત્રનાં સાગના વૃક્ષો (teakwood trees), સંવર્ધન પાત્રમાંના બૅક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ વસ્તીનાં કેટલાક ઉદાહરણો છે. વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો(cope) કરે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી, વસ્તી પરિસ્થિતિવિદ્યા એ પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે પરિસ્થિતિવિદ્યાને વસ્તી જનીનવિદ્યા(population genetics) અને ઉદ્વિકાસ (evolution) સાથે જોડે છે. વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે પરંતુ વસ્તી જન્મદર (birth rate) અને મૃત્યુદર (death rate) ધરાવે છે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ (માથા દીઠ-per capita) જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર (વધવું કે ઘટવું) સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ તળાવમાં પાછલાં વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી 28 થઈ જાય છે, તો આપણે જન્મદરને 8/20 - 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ. જો પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓ (fruit flies)ની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે - માની લો કે એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર 4/40 - 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે. વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગપ્રમાણ (sex ratio) એટલે કે નર કે માદાનું પ્રમાણ છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગપ્રમાણ હોય છે (જેમ કે વસ્તીના 60% માદા છે અને 40% નર છે). આપેલ સમયે વસ્તી જુદી-જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. જો વસ્તી માટે વય-વિતરણ (આપેલ વય અથવા વયજૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી)ની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ (age pyramid) કહેવાય છે (નીચેની આકૃતિ).જવાબ : પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે મર્યાદિત સ્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ (fittest individual) જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તીવૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધિ પ્રતિબંધો (restraints) દાખલ કર્યા છે.
પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલનપોષણ માટે પૂરતા સ્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહનક્ષમતા(carrying capacity(K)) તરીકે આપણે માની લઈએ. કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ-અવસ્થા(lag phase) દર્શાવે છે, ત્યાર બાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ-અવસ્થા (acceleration phase) તથા મંદ વૃદ્ધિ-અવસ્થા(deceleration phase) અને છેવટે સ્થાયી (અનંતસ્પર્શી-asymptote) વૃદ્ધિ-અવસ્થાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન-ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા (N)ને સમય (t)ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ-S-આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તીવૃદ્ધિને વિર્હુસ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ-Verhulst-Pearl Logistic Growth કહે છે. તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છે :જવાબ : (a) શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
શીતનિદ્રા |
ગ્રીષ્મનિદ્રા |
1. શિયાળા દરમિયાન જોવા મળતી સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ શીતનિદ્રામાં જાય છે. | 1. ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા પ્રાણીઓ ગ્રીષ્મનિદ્રામાં જાય છે. |
2. તે સંપૂર્ણ શિયાળા દરમિયાન જોવા મળે છે. | 2. તેનો સમયગાળો ટૂંકો હોય છે. |
3. શીતનિદ્રા ઉષ્ણ રુધિરવાળા અને શીત રુધિરવાળા એમ બન્ને પ્રાણીઓમાં જોવા મળે છે. | 3. ગ્રીષ્મનિદ્રા શીત રુંધિરવાળા પ્રાણીઓમાં જોવા મળે છે. |
4. ઉદાહરણ: રીંછ, ખિસકોલી. | 4. ઉદાહરણ: ગોકળગાય, માછલીઓ. |
બાહ્યઉષ્મી |
અંત:ઉષ્મી |
1. આ પ્રાણીઓ શીતરુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે. | 1. આ પ્રાણીઓ ઉષ્ણ રુધિર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે. |
2. આ પ્રાણીઓ શરીરના તાપમાન માટે બાહ્ય સ્રોતો પર આધાર રાખે છે. | 2. તેઓ પર્યાવરણથી સ્વતંત્ર પોતાનું તાપમાન જાળવી રાખે છે. |
3. શરીરનું તાપમાન સમયાંતરે બદલાતું રહે છે. | 3. શરીરનું તાપમાન સતત જળવાઈ રહે છે. |
4. આ પ્રાણીઓનું ભૌગોલિક રીતે વિતરણ ઓછું જોવા મળે છે. | 4. આ પ્રાણીઓનું ભૌગોલિક વિતરણ વધુ છે. |
5. આ પ્રાણીઓનો ચયાપચય દર નીચો હોય છે. | 5. આ પ્રાણીઓનો ચયાપચય દર ઊંચો હોય છે. |
6. ઉદાહરણ: ઉભયજીવી, સરિસૃપ. | 6. ઉદાહરણ: પક્ષીઓ, સસ્તનો. |
જવાબ :
જવાબ : પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો નીચે પ્રમાણે છે:
(i) તાપમાન (Temperature): તાપમાન એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ (કારક-factor) છે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્ત (ભૂમધ્યરેખા-equator)થી ધ્રુવીય વિસ્તારો (polar region) તરફ તથા સપાટ મેદાનના વિસ્તારો (plains)થી પર્વતશિખરો (mountain tops) તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો (high altitudes)માં શૂન્યથી નીચે(subzero)થી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો (tropical desert)માં 50જવાબ : (i) નિયમન કરવું (Regulate):
કેટલાક સજીવો દેહધાર્મિક-physiological (ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યાવહારિક પણ-behavioural) સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન (દૈહિક તાપમાન) તથા આસૃતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. બધાં જ પક્ષીઓ અને સસ્તનો (સ્તનધારીઓ-mammals) તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી (lower vertebrate and invertebrate) સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન (ઉષ્મીય નિયમન અને આસૃતિ નિયમન-thermoregulation and osmoregulation) કરવા કાર્યદક્ષ છે. ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે પછી ભલે તેઓ એન્ટાકર્ટિકા (Antarctica)માં રહેતા હોય કે સહારાના રણ (Sahara desert)માં. મોટા ભાગનાં સસ્તનો દ્વારા તેમનાં શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન 37જવાબ : સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા (ગોઠવણ) દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે જ્યારે બીજા કેટલાક પોતાની વતણૂક દ્વારા વ્યાવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે (અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતર કરીને).
આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમનાં અનુકૂલનો પણ છે. તેથી, આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ (બાહ્યાકારકીય-morphological, દેહધાર્મિક-physiological, વ્યાવહારિક-behavioural) છે જે સજીવને તેના નિવાસસ્થાન (આવાસ)માં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણાં અનુકૂલનો લાંબા ઉદૂવિકાસકીય (evolutionary) સમયની યાત્રા બાદ વિકસિત થયા છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં, ઉત્તર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર (kangaroo rat) પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન (કે જેમાં પાણી ઉપપેદાશ છે) દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્ર (urine)ને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી તે ઉત્સર્ગ પેદાશો (excretory products)ના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ઘણી રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તો (deep pits)માં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ (CAM-Crassulacean Acid metabolism) પણ ધરાવે છે જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર(Opuntia) જેવી રણની વનસ્પતિઓ પર્ણ ધરાવતી નથી-તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે-પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. ઠંડી આબોહવાયુક્ત વિસ્તારનાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે (જેને એલનનો નિયમ-Allen’s Rule કહેવાય છે). ધ્રૂવીય સમુદ્રોમાં સીલ (Seal) જેવા જલિય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર (Blubber-દરિયાઈ પ્રાણીજ ચરબી) ધરાવે છે જે ઉષ્માઅવરોધક (insulator) તથા શરીરની ગરમી (દૈહિક ઉષ્મા)ને ઘટાડવા કામ આવે છે. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ (હાલત) સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો > 3500 મીટરથી વધુ-મનાલી પાસે રોહતંગ ઘાટ (Rohtang Pass) અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુગતા બીમારી (altitude sickness-ઊંચાઈ સંબંધિત બીમારી)નો અવશ્ય અનુભવ કર્યો હશે. ઉબકા (nausea), થકાવટ (fatigue) તથા હૃદયના ધબકારા વધવા (heart paipitations) વગેરે સમાવિષ્ટ આ બીમારીનાં લક્ષણો છે. આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓંક્સિજન મળતો નથી. પરંતુ ધીમે-ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ (acclimatized-પર્યાનુકૂલિત) થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું ? તમારું શરીર લાલ રુધિર કોષો (red blood cells-રક્તકણો)નું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબીનની બંધન-ક્ષમતા(binding affinity) ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ (ક્ષતિપૂર્તિ) કરે છે. મોટા ભાગનાં પ્રાણીઓમાં, ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધાં જ દેહધાર્મિક કાર્યો ઓછી (સાંકડી-narrow) તાપમાન ક્ષેત્રમર્યાદામાં ઇષ્ટત્તમ રીતે આગળ વધે છે (મનુષ્યોમાં તે 37જવાબ : જયારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવનસંઘર્ષ (struggle for existence) અને યોગ્યતમની ચિરંજીવિતા (survival of fittest) વિશે કહ્યું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસ (organic evolution)માં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ (potent force) છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે, સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્રોતો માટે હરીફાઈ (સ્પર્ધા) કરે છે જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્રોતો માટે સ્પર્ધા કરી શકે છે.
ઉદાહરણ તરીકે, દક્ષિણ અમેરિકાનાં કેટલાંક છીછરાં તળાવો (shallow south American lakes)માં મુલાકાત લેતા આગંતુક સુરખાબ (ફલેમિંગો-flamingo) અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ (resident fishes) તેમના સામાન્ય ખોરાક પ્રાણીપ્લવકો (zooplanktons) માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી; દખલગીરીની સ્પર્ધા (interference competition)માં, એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા (feeding efficiency) બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરી (interfering and inhibitory presence)ને કારણે ઘટી શકે છે. ભલે એ સ્રોતો (ખોરાક અને જગ્યા-food and space) વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. સ્પર્ધાને એક એવી પ્રક્રિયારૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા (વૃદ્ધિના આંતરિક દર r ના અર્થમાં તેનું માપન) બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે (significantly) ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું કે ગોસે (Gause)એ અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કયું, જ્યારે સ્રોતો મર્યાદિત હોય, તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે (competitively superior species will eventurally eliminate the other species), પરતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર (exclusion) માટેના પુરાવા (evidence) હંમેશાં નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સાંયોગિક પુરાવા (strong and persuasive circumstantial evidence) મળે તો છે. ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગ્ડન કાચબો (Abingdon tortoise in Galapagos Island) ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો, દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણદક્ષતા (greater browsing efficiency)ને કારણે જ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ (સ્પર્ધામોચન-competitive release) છે. હરીફરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધાજાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ-વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમયી ક્ષેત્રપ્રયોગો (Connell’s elegant field experiments) એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્રતટ (rocky sea coast of Scotland) પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ (બેલેનસ-Balanus)ની આંતરજુવાળિય ક્ષેત્રમાં પ્રભાવિતા છે તથા તેને નાના બાર્નેકલ (ચેથેમેલસ-Chathamalus)ને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે, માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક (adversely affected) જણાય છે. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ (Gause’s Competitive Exclusion Principle) એ જણાવે છે કે, એક જ પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ(indefinitely) સુધી સાથે-સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ (co-exist) ધરાવતી નથી અને અંતે સ્પર્ધારૂપે નિમ્ન (ઉતરતી-inferior) જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્રોતો મર્યાદિત હશે અન્યથા નહિ. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતા (generalization)ની સહાય કરતો નથી ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે, સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. જો નિષેધ (બહિષ્કાર) સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો. આવી એક ક્રિયાવિધિ ‘સ્રોત વિભાજન’ (resource partitioning) છે. ઉદાહરણ તરીકે, જો બે જાતિઓ એક જ સોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ-અલગ સમય અથવા અલગ ચારણકૌશલ્યો (foraging patterns) પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મૅક આર્થરે (Mac Arthur) દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફદકીઓ (ગાનાર કે ટહુકનાર પક્ષીઓ-warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ-પ્રવૃત્તિઓમાં વ્યાવહારિક ભિન્નતાઓ (behavioural difference in foraging activities)ના કારણે સાથે-સાથે રહી શકી.જવાબ : જીવનનો પરોપજીવી પ્રકાર (રીત) એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે, (ensures free lodging and meals) તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાન (host-specific)ની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે (એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે).
આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે; એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા (rejecting or resisting) માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે, પરોપજીવીએ તેની (યજમાનની) ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક (counteract and neutralize) કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. તેમની જીવનશૈલી (life style)ને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે જેવા કે જરૂર ન હોય તેવાં સંવેદી અંગો ગુમાવવા (loss of unnecessary sense organs), યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરિય અંગો કે ચૂષકોની હાજરી (presence of adhesive organs), પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન-ક્ષમતા (loss of digestive system and high reproductive capacity). પરોપજીવીનું જીવનચક્ર ઘણી વાર જટિલ હોય છે જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો (intermediate host or vectors) સામેલ હોય છે જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીપણા (parasitisation)ને સુલભ (સાનુકૂળ-facilitate) બનાવે છે. માનવયકૃત કૃમિ (ટ્રીમેટોડ પરોપજીવી- a trematode parasite) તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો (ગોકળ ગાય અને માછલી- a snail and a fish) પર આધાર રાખે છે. મૅલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવા (પ્રસરાવા-spread) માટે રોગવાહક (મચ્છર-mosquito)ની આવશ્યકતા રહે છે. મોટા ભાગના પરોપજીવીઓ, યજમાનને નુકસાન પહોંચાડે છે; તેઓ યજમાન (પરપોષી)ની ઉત્તરજીવિતા (ચિરંજીવિતા-survival), વૃદ્ધિ (growth) અને પ્રજનન (reproduction)માં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તીગીચતાને પણ ઘટાડી શકે છે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર (physically weak) બનાવીને, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત (more vulnerable) બનાવી શકે છે. યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહારપૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ (ectoparasites) કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્યો પર જૂ (lice)નો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ (ticks) છે. ઘણી સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ (કોપેપોડ્સ-copepods) દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ (Cuscuta) એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડ (hedge)માં ઊગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદવિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો (chlorophyll and leaves) ગુમાવી દીધાં છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. તેની વિરુદ્ધમાં, અંતઃપરોપજીવીઓ (endoparasites) એવા છે કે જેઓ યજમાન સજીવનાં શરીરમાં વિવિધ સ્થાનો (યકૃત-liver, મૂત્રપિંડ-kidney, ફેફસાં-lungs, લાલ રુધિર કોષો-red blood cells વગેરે)એ રહે છે. તેમનાં અત્યંત વિશિષ્ટીકરણ (extreme specialization)ને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ (more complex) છે. તેમના બાહ્યઆકારકીય અને અંતઃસ્થરચનાકીય લક્ષણો અત્યાધિક સરળ (greatly simplified) છે, છતાં તેમની પ્રજનનશક્તિને બળ આપે છે. પક્ષીઓમાં અંડ પરોપજીવન (brood parasitism) એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળા(nest)માં મૂકે છે અને યજમાનને એ ઈડાં સેવવા (incubate) દે છે. ઉદવિકાસ-પ્રક્રિયા દરમિયાન, પરોપજીવીનાં ઈડાં કદ અને રંગમાં યજમાનનાં ઈડાંની સાથે મળતા આવે છે તેથી યજમાનનાં ઈડાંની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈડાંને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેનો તક ઓછી થઈ જશે.જવાબ : સહોપકારિતા(Mutualism) આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઈકેન (Lichens) એ ફૂગ (Fungus) અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયા (cyanobacteria)ની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ (mycorrhizae) સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિઆવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે જ્યારે બદલામાં વનસ્પતિ એ ફૂગને ઊર્જા-ઉત્પાદિત કાર્બાહાઈડ્રેટ્સ (energy-yielding carbohydrates) પૂરા પાડે છે.
સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક (લોભામણા) ઉદાહરણો (most spectacular and evolutionary fascinating examples) વનસ્પતિ-પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન (pollination) માટે તથા બીજના વિકિરણ (dispersing) માટે પ્રાણીઓની જરૂર પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓ (services)ની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. વનસ્પતિઓ પરાગવાહકો (pollinators)ને પરાગ અને મધુરસ (pollen and nectar) તથા બીજ વિકિરકો (dispersers)ને રસાળ અને પોષક ફળો (juicy and nutritional fruits)ના સ્વરૂપમાં પુરસ્કાર અથવા કર (rewards or fees) અર્પણ કરે છે. પરંતુ સહોપકારી એવા પરસ્પર લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા (safeguarded against cheaters) પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે, એવાં પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ-પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણી વાર સહોપકારીઓનો સહઉદવિકાસ (co-evolution of the mutualists) શા માટે સમાવેશિત છે ? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદવિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો (tightly linked) છે. અંજીર વૃક્ષ(fig tree)ની ઘણી જાતિઓમાં ભમરી (wasp)ની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે (નીચેની આકૃતિ).જવાબ : (a) મરુ (રણમાં ઊગતી) વનસ્પતિઓ અને પ્રાણીઓનાં અનુકૂલનો :
રણની વનસ્પતિઓ તેમનાં પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણો ઊંડા ગર્તામાં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી માર્ગ (CAM) પણ ધરાવે છે. જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંદ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. (b) જળ અછત (પાણીની અછત) સામે વનસ્પતિઓનાં અનુકૂલનો : જળ-અછત સામે વનસ્પતિઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો ધરાવે છે. તેવી વનસ્પતિમાં અધિસ્તરની પ્રવેશશીલતા ક્ષમતા ઓછી હોય છે. વાયુરંધ્રો અને ક્યુટિકલ એ ઉસ્વેદનનો દર ધટાડી પાણીનો બચાવ કરે છે. તેમજ તેમનાં મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. જેથી પાણીનું શોષણ કરી શકે, અમુક વનસ્પતિ (ઓર્કિડ) વિશિષ્ટ પ્રકારના હવાઈ મૂળ વિકસાવે છે જે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે. (c) પ્રાણીઓમાં વ્યાવહારિક અનુકૂલનો : સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સાઇબેરિયન બગલા છે. શિયાળા દરમિયાન સાઇબેરિયન બગલા ભારતમાં આવે છે અને શિયાળાના અંતે તેઓ પોતાના જે-તે સ્થળે પાછા જતા રહે છે. (d) વનસ્પતિઓ માટે પ્રકાશનું મહત્વ : વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઊર્જાના સોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષરૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને, ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિ ઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે. કારણ કે, તેઓ સતત ઊંચાં વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ધવ માટે તેમની પ્રકાશ-અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. (e) તાપમાન અને જળ-અછતની અસર તથા પ્રાણીઓનાં અનુકૂલનો : તાપમાન અને જળ-અછત જેવી પરિસ્થિતિમાં પ્રાણીઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે. મોટા ભાગનાં પ્રાણીઓ તેમની ત્વચા પર ભીંગડા ધરાવે છે જે પાણીને ગુમાવવાની પ્રક્રિયાને અટકાવે છે. અમુક પ્રાણીઓ યુરિક એસિડ સ્વરૂપે મૂત્રનો ત્યાગ કરે છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ બાહ્ય પર્યાવરણને અનુસરી તેમના શરીરનું તાપમાન જાળવે છે.જવાબ : (a) સહભોજિતા :
આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઓર્કિડ સહભોજિતાનું ઉદાહરણ છે. (b) પરોપજીવન : આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક સજીવ એ પોતાની ફાયદા માટે બીજા સજીવ પર જીવન ગુજારે છે. જેમાં પરોપજીવીને ફાયદો થાય છે અને યજમાનને નુકસાન થાય છે. દા. ત., મનુષ્યો પર જુઓનો સમૃદ્ધ અને કૂતરાઓ પર બગાઈઓ (c) રંગઅનુકૃતિ : રંગઅનુકૃતિમાં કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય સપ્ટેલાઈથી છે. દા.ત., કીટકો અને દેડકાંઓ. (d) સહોપકારિતા : આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જતિને લાભ થાય છે. લાઇકેન એ ફુગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનો બૅક્ટરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. (e) આંતરજાતીય સ્પર્ધા : નિવસનતંત્રમાં આંતરતીય સ્પર્ધા એ સ્પર્ધાનું એવું સ્વરૂપ છે કે જેમાં વિવિધ જાતિના સજીવો એકસરખા સ્રોતો માટે ભાગીદારી કરે છે. જેમ કે ખોરાક કે રહેઠાણ માટેની જગ્યા.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.