GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?

Hide | Show

જવાબ : અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતપિતા માટે સમય નથી.


અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા?

Hide | Show

જવાબ : રામાયણ અને મહાભારતની બાલકથાઓના પુસ્તકો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ભેટ મળ્યા હતા.


“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઠાર્થ સમજાવો?

Hide | Show

જવાબ : “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” આ વાક્યના ગૂઠાર્થથી વિનુકાકા એ સમજાવે છે કે સૌરભ ભણીગણીને અમેરિકામાં ડોક્ટર થયો તેણે મોટો બંગલો, કાર જેવી ભૌતિક સ્મૃધ્ધિ પણ મેળવી પરંતુ અંકિત પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સ્મૃધ્ધિનો અભાવ છે. વૃધ્ધાવસ્થાએ વિનુકાકા સમજી શક્યા કે સૌરભને સંસ્કારથી ઉમદા માણસ બનાવવામાં પોતાની ચૂક થઈ છે. તેમની આ ભૂલનું પરિણામ એ આવ્યું કે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં.


“હવે અમેરિકા ક્યારે જશો”? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.

Hide | Show

જવાબ : “હવે અમેરિકા ક્યારે જશો”? પ્રશ્નના ઉત્તરમાં માથું ના પાડવાની મુદ્રામાં ધૂણાવી વિનુકાકા મૌન બની જાય છે. તેમની આંખના ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે.


મંજુ મૂર્તિને કંડારવી પડે? આ વાક્ય કોણ બોલે છે.

Hide | Show

જવાબ : વિનુકાકા આ વાક્ય બોલે છે.


સૌરભ અને અંકિતને વિનુકાકા કયા ક્લાસમાં દાખલ થવાનું સૂચન કરે છે?

Hide | Show

જવાબ : વિનુકાકા સૌરભ અને અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનું સૂચન કરે છે.


અંકિતના શરીરનો બાંધો કેવો હોય છે?

Hide | Show

જવાબ : અંકિતના શરીરનો બાંધો નબળો હોય છે.


લેખકે પાસ થવાની ખુશીમાં અંકિતને શેની ભેટ આપી?

Hide | Show

જવાબ : લેખકે અંકિતને પાસ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકની ભેટ આપી.


સૌરભ એસ.એસ.સી.માં કેટલા ટકાથી પાસ થાય છે?

Hide | Show

જવાબ : સૌરભ એસ.એસ.સી.માં 92 ટકા માર્કસ સાથે પાસ થાય છે.


નવલિકા “રેસનો ઘોડો” ના લેખકનું નામ જણાવો?

Hide | Show

જવાબ : વર્ષા અડાલજા “રેસનો ઘોડો” નવલિકાના લેખક છે.


સૌરભને વિનુકાકા પાંચમા ધોરણથી જ કયા ક્લાસમાં મુકવાની વાત કરતા હોય છે?

Hide | Show

જવાબ : પાંચમા ધોરણથી જ સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં મુકવાનું સૂચન વિનુકાકા કરે છે.


શિક્ષણનો પાયાનો સિધ્ધાંત શું આપવાનો હોવો જોઈએ?

Hide | Show

જવાબ : સાચા શિક્ષણનો પાયાનો સિધ્ધાંત આનંદ આપવાનો હોય તે ખાસ જરૂરી છે.


માતપિતાને પૈસા કરતાં સંતાનોના સહારાની જરૂરિયાત સૌથી વધુ ક્યારે ઊભી થાય છે?

Hide | Show

જવાબ : માતપિતાના ઘડપણમાં તેમને પૈસા કરતાં સંતાનોના સહારાની વધુ જરૂર પડે છે.


કોમ્પ્યુટરની પરીક્ષામાં અંકિતનું પરિણામ શું આવે છે?

Hide | Show

જવાબ : અંકિત કોમ્પ્યુટરની પરીક્ષામાં માંડ માંડ પાસ થાય છે.


હારી ગયેલાનો કોઈ ભાવ પુછતુ નથી એવું કોણ માને છે?

Hide | Show

જવાબ : હારી ગયેલાનો કોઈ ભાવ પુછતુ નથી એવું વિનુકાકા માને છે.


આ નવલિકાનું લેખકની પુત્રીનું નામ કોણે શું પાડ્યું?

Hide | Show

જવાબ : “રેસનો ઘોડો” લેખકની પુત્રીનું નામ અંકિતે ફોરમ પાડ્યુ હતુ.


અંકિત વિશે તેના માતપિતાની શી અપેક્ષાઓ હતી?

Hide | Show

જવાબ : અંકિતના માતપિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને.


વાત વાતમાં વિનુકાકા શેનો શબ્દ પ્રયોગ કરતાં?

Hide | Show

જવાબ : વિનુકાકા વાત વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું.


મા બાપની વાતો બાળકોને કેવી લાગતી હોય છે?

Hide | Show

જવાબ : મા બાપની વાતો બાળકોને કચ-કચ જેવી નકામી લાગે છે.


“રેસનો ઘોડો” નવલિકાના લેખક વિશે ટુંકમાં જણાવો?

Hide | Show

જવાબ : વર્ષા અડલજા નવલિકા “રેસનો ઘોડો” તેના લેખક છે તેમનો જન્મ ગુજરાતનાં પ્રખર લેખક ગુણવંતરાય આચાર્યના ઘરે મૂંબઈમાં થયો હતો. વર્ષાબેન રંગભૂમિ સાથે પણ સંકડાયેલા રહ્યા છે. તેમણે “ગાંઠ છૂટયાની વેળા”, “અણસાર”, ખરી પડેલો ટહુકો”, “રેતપંખી”, “મારે પણ એક ઘર હોય”, “ક્રોસ રોડ” જેવી નોંધપાત્ર નવલકથાઓ લખી છે. “એ”, “સાંજને ઉંબર” વર્ષા અડલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વગેરે તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહો છે. તેઓ નાટક અને નિબંધમાં પણ પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ મળેલા છે.


"રેસનો ઘોડો" કેવા મુદ્દા પર પ્રકાશ પાડતી વાર્તા છે?

Hide | Show

જવાબ : શિક્ષણનો પાયાનો સિધ્ધાંત આનંદ આપવાનો છે. શિક્ષણથી બાળક સારો માણસ બને છે. વાલીઓની વધુ પડતી અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધારે સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે વધુ ગુણ લાવવાના ભારણમાં બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. બાળકનો વિકાસ પોતાની રીતે થવા દેવો અને ઘડપણમાં માતાપિતાને પૈસા કરતાં સહરાની વધુ જરૂર હોય છે તેના પર પ્રકાશ પાડતી આ કૃતિ છે. ડોક્ટર  બનીને પરદેશમાં વસનારા છોકરા કરતાં દેશમાં પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે તે આ નવલિકામાંથી સમજવા મળે છે.


વિનુકાકા અંકિતને બાજુમાં બેસાડીને શું સમજાવતા હતા?

Hide | Show

જવાબ : વિનુકાકા અંકિતને સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરિફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ વગેરે...


બાળકોના ઉછેર અંગેની વિનુકાકાની માન્યતા કેવી હતી?

Hide | Show

જવાબ : વિનુકાકા એવું માનતા કે મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરિફાઈ છે બધા ક્ષેત્રમાં. લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી.


અંકિતને વિનુકાકાના ઘરે ભણવા જવામાંથી કેવી રીતે છૂટકારો મળ્યો હતો?

Hide | Show

જવાબ : મંજુકાકીએ અંકિતની મમ્મીને કહ્યું "નીનાબહેન મારૂ માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પડે. બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભનેય ન છોડે, પણ તમે માનશો! અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. અને ત્યારથી અંકિતને વિનુકાકાથી છૂટકારો મળ્યો હતો.


વિનુકાકાની નારાજગી નીનાબહેન પ્રત્યે કેમ વધી ગઈ હતી?

Hide | Show

જવાબ : અંકિત સાંજની રસોઈમાં નીનાબહેનને મદદ કરે તે વિનુકાકા જોઈ ગયેલા તેથી અંકિતનો વિકાસ રૂંધાય છે એવા ખ્યાલથી તેઓ નીનાબહેનથી નારાજ થયેલા દેખાતા હતા.


અંકિત ઉદાસ થઈને તેના પપ્પાને કહે છે "સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો." ત્યારે તેના પપ્પા શું કહે છે?

Hide | Show

જવાબ : અંકિતના પપ્પા જવાબ આપે છે કે "તું માત્ર ડિગ્રી મેળવે એ અમારૂં સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રધ્ધા છે!


વિનુકાકા સૌરભના અમેરિકા જવાથી દુઃખી છે તેવું ક્યારથી દેખાયું?

Locked Answer

જવાબ : વિનુકાકા અને મંજુકાકી શરૂઆતમાં તો હોંશભેર અમેરિકા જતાં. પણ ત્રણ વર્ષ પહેલા છેલ્લીવાર પાછા આવ્યા પછી અહીં જ છે. હવે પાછા ક્યારે જશો? ત્યારે માથું ધુણાવીને ચુપ જ રહે છે અને એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સુરજના કિરણમાં ચમકી ઉઠે છે. આમ સમજી શકાય કે સૌરભ અને અમેરિકાથી વિનુકાકા ઉદાસ અને દુઃખી છે.


નીનાબહેન રોજ સાંજે કોને ભણાવતાં હતા ?

Locked Answer

જવાબ : નીનાબહેન રોજ સાંજે ગરીબ વસ્તીનાં બાળકોને ભણાવતાં હતા.


નીનાબહેને સંજય પાસે શું માગ્યું ?

Locked Answer

જવાબ : નીનાબહેને સંજય પાસે અંકિતનું શૈશવ માગ્યું.


વિનુકાકાનો સૌરભ અને અંકિતને કયા ક્લાસમાં દાખલ કરવાનો આગ્રહ હતો ?

Locked Answer

જવાબ : વિનુકાકાનો સૌરભ અને અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવાનો આગ્રહ હતો.


“રેસનો ઘોડો” ના લેખક કોણ છે ?

Locked Answer

જવાબ : “રેસનો ઘોડો” ના લેખક વર્ષા અડાલજા છે.


"મંજુ, મૂર્તિને કંડારવી પડે” આ વાકય કોણ બોલે છે.

Locked Answer

જવાબ : આ વાકય વિનુકાકા બોલે છે.


બાળકોને ઘણીવાર મા-બાપની વાતો કેવી લાગતી હોય છે ?

Locked Answer

જવાબ : બાળકોને ઘણીવાર મા-બાપની વાતો કચ–કચ લાગે છે.


ક્યારે માતા-પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધારે જરૂર હોય છે ?

Locked Answer

જવાબ : ઘડપણમાં માતા-પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધારે જરૂર હોય છે


શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું આપવાનો છે ?

Locked Answer

જવાબ : શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે.


અંકિતના માતા પિતાએ તેના એસ.એસ.સી. ના પરિણામ પછી તેને કઈ ભેટ આપી ?

Locked Answer

જવાબ : અંકિતના માતા પિતાએ તેના એસ.એસ.સી. ના પરિણામ પછી તેને કિમતી ઘડિયાળની ભેટ આપી.


અંકિતને એસ. એસ. સી. માં કેટલા ટકા આવે છે ?

Locked Answer

જવાબ : અંકિતને એસ. એસ. સી. માં 68 % આવે છે.


કમ્પ્યુટરની પરીક્ષામાં સૌરભનું શું પરિણામ આવે છે ?

Locked Answer

જવાબ : કમ્પ્યુટરની પરીક્ષામાં સૌરભને સર્ટિફિકેટ ઑફ મેરીટ મળે છે.            


સૌરભને એસ. એસ. સી. માં કેટલા ટકા આવે છે ?

Locked Answer

જવાબ : સૌરભને એસ. એસ. સી. માં 92 % આવે છે.


કમ્પ્યુટરની પરીક્ષામાં અંકિતનું શું પરિણામ આવે છે ?

Locked Answer

જવાબ : અંકિત કમ્પ્યુટરની પરીક્ષામાં માંડ માંડ પાસ થાય છે.


લેખિકાની પુત્રીનું નામ ફોરમ કોણે પાડ્યું ?

Locked Answer

જવાબ : અંકિતે લેખિકાની પુત્રીનું નામ ફોરમ પાડ્યું.


અંકિતના શરીરનો બાંધો કેવો છે ?

Locked Answer

જવાબ : અંકિતના શરીરનો બાંધો નબળો છે.


વિનુકાકા પાંચમા ધોરણથી સૌરભને કયા ક્લાસમા મૂકવાની વાત કરે છે ?

Locked Answer

જવાબ : વિનુકાકા પાંચમા ધોરણથી સૌરભને કમ્પ્યુટરના ક્લાસ મૂકવાની વાત કરે છે.


વિનુકાકાના મતે કોનો ભાવ કોઈ પુછતુ નથી ?

Locked Answer

જવાબ : વિનુકાકાના મતે હારી ગયેલાનો ભાવ કોઈ પુછતુ નથી.


સંજયભાઈ અને નીનાબહેનનું અંકિતને લઈને શું સ્વપ્ન હતું ?

Locked Answer

જવાબ : અંકિત ઉમદા માણસ બને તેવું સ્વપ્ન સંજયભાઈ અને નીનાબહેનનું હતું.


વિનુકાકા વાતવાતમાં હંમેશા શું કહેતા હતા ?

Locked Answer

જવાબ : વિનુકાકા વાતવાતમાં હંમેશા કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ.


કોને વિનુકાકા જરાય ગમતા નથી ?

Locked Answer

જવાબ : અંકિતને વિનુકાકા જરાય ગમતા નથી.


મંજુકાકીએ અંકિતને એમના પતિ વિનુકાકા પાસે ભણવા મોકલવાની ના કેમ પાડી ?

Locked Answer

જવાબ : વિનુકાકા અંકિતને વારે વારે ઉતારી પાડતા હતા માટે મંજુકાકીએ અંકિતને એમના પતિ વિનુકાકા પાસે ભણવા મોકલવાની ના પાડી.


સૌરભને કમ્પ્યુટર શા માટે શીખવુ છે ?

Locked Answer

જવાબ : કમ્પ્યુટર શીખવાથી તેનો ક્લાસમા વટ પડે તે માટે સૌરભને કમ્પ્યુટર શીખવું છે.


મંજુકાકી શા માટે અંકિત માટે કેક લાવ્યા હતા ?

Locked Answer

જવાબ : અંકિત મંજુકાકીની પરિક્ષામાં પાસ થયો હતો માટે મંજુકાકી અંકિત માટે કેક લાવ્યા હતા.


અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી ?

Locked Answer

જવાબ : અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી.


અંકિતને પરિક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં ?

Locked Answer

જવાબ : અંકિતને પરિક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ-મહાભારતની બાળકથાઓનાં પુસ્તકો ભેટમાં મળ્યા હતા.


રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો?

Hide | Show

જવાબ : બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં નકામા પરિબળો આપણું ધ્યાન દોરે છે જે “રેસનો ઘોડો” નવલિકામાં જોઈ શકાય છે. વાર્તામાં વિનુકાકાને સમજાઈ ગયું છે કે બાળકરૂપી મૂર્તિને નાનપણથી જ કંડારીને ઉમદા માનવીમાં ઢાળી શકાય છે. આ બાબતે બાળપણથી જ નિશાન ઊંચું રાખવું જોઈએ. બાળકની વાતમાં સંમતિ દર્શાવી શકાય પરંતુ તેમાં બાળકોને ઘોડદોડની રેસની સ્પર્ધા જીતવા દોડતાં કરવા, હરીફાઈમાં હંમેશા ચંદ્રક લાવે તેવું દબાણ કે આગ્રહ રાખવો, બાળક માંદુ હોય તો પણ તેણે દવા આપીને કોમ્પ્યુટર ક્લાસમાં જાય તેવો આગ્રહ રાખવો, શિક્ષણમાં કયા વિષયમાં ડિગ્રી લેવી તે વડીલ જ નક્કી કરે જેવા અનેક નકામા પરિબળો બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં હોય છે. ભણતર જરૂરી હોવા છતાં તેના માટે બાળકને વારંવાર ટોકતાં રહેવું, તેને ઉતારી પાડવું વગેરે વર્તન વડીલોનું યોગ્ય નથી. બાળકને પોતાની પસંદગીનો હક્ક મળવો જ જોઈએ. બાળક મુક્તપણે બગીચામાં ફરવા જાય, ત્યાં હીંચકા ખાવા, બીજા બાળમિત્રો સાથે ત્યાં રમવું, થોડા તોફાન મસ્તી કરવા વગેરે જેવી બાલસહજ પ્રવુત્તિઓથી બાળકને વંચિત રાખવું જોઈએ નહીં. આવું ન કરવાથી બાળકોનો કુદરતી વિકાસ રૂંધાઈને અટકી જાય છે.


“આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા બને તે છે.” આ વિધાન વિગતે સમજાવો.

Hide | Show

જવાબ : “રેસનો ઘોડો” નવલિકાનું “આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે” આ વિધાન અંકિતની માતા નિનાબહેન કહે છે. અંકિત ઉપર નીનાબહેન ભણતરનો વધુ પડતો ભાર મૂકવાના વિરોધમાં છે. બાળક બિમાર હોય છતાં દવા લઈને કોમ્પ્યુટર ક્લાસમાં જાય તે તેમને ગમતું નથી. બાળકનું બાળપણ ભણતરના ભાર નીચે દબાઈ ન જાય તેવું નીનાબહેનનું માનવું છે. બાળકનું બાળપણ છીનવાઇ જવું જોઈએ નહીં. ભણતરની સાથે બાળકને મુક્તપણે હરવા-ફરવાની, બગીચામાં જઈને હીંચકા ખાવા જેવી અનેક બાળસહજ રમતો રમવાની છૂટ મળવી જોઈએ. રામાયણ-મહાભારત જેવી બાળકથાઓ અને બીજી બાળકથાઓ વાંચન માટે મળવી જોઈએ. જેના વાંચનની ફળશ્રુતિરૂપે તેમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે પણ તેના માટે બાળકને સતત ટોકતા રહેવું, તેણે ઉતારી પાડવો, તે જરા પણ યોગ્ય નથી. દરેક બાળકમાં રસના વિષયો અને રૂચિ અલગ અલગ પ્રકારની હોય છે. ભવિષ્યમાં તે કયા વિષય સાથે આગળ વધવા માગે છે તેની પસંદગીનો અધિકાર બાળકને જ મળવો જોઈએ. ઉચ્ચ કારકિર્દી માટે શિક્ષણ અનિવાર્ય છે, પરંતુ એથીય વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માનવી બને એ હોવું જોઈએ. નીનાબહેને આવું જ સ્વપ્નું પોતાના દીકરા અંકિત માટે જોયું હતું જેને અંકિતે યથાર્થ રીતે પુરૂ કર્યું.


“રેસનો ઘોડો” શીર્ષકની યથાર્થતા ચર્ચો.

Locked Answer

જવાબ :

ઘોડાઓઓ ઘોડદોડ એટલે “રેસનો ઘોડો” નવલિકાનો ગૂઢાર્થ ઘોડદોડમાં જે ઘોડો દોડમાં સૌથી આગળ આવે તે વિજેતા ગણાય. આ નવલિકામાં વિનુકાકાના વિચારો રેસના ઘોડા જેવા સ્પર્ધાત્મક છે. તેમણે પોતાના પુત્ર સૌરભ અને પડોશીના પુત્ર અંકિત બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા સવિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બંને લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક હાંસિલ કરે, અખબારમાં તેમની મુલાકાત લેવાય, તેમના ફોટા છપાય તેવી તેમની ઇચ્છાઓ રહેતી. આને માટે વિનુકાકા બાળકોને ટપારતા, ઓછા માર્કસ આવે તો ઉતારી પાડતા, આવી તો કઈ કેટલીય હરકતો તેઓ બાળકો ઉપર કરતાં. આમાં વિનુકાકાની મહેનત તેમના પુત્ર સૌરભ માટે સફળ થઈ તે રેસના ઘોડાની માફક પ્રથમ આવ્યો. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. ત્યાં તેનું નામ અને ખ્યાતિ ખૂબ જ વધી ગઈ. તેણે વિશાળ બંગલો, કાર જેવી ઘણી ભૌતિક સંપત્તિ પણ મેળવી લીધી. પરંતુ પોતાની સાચી સંપત્તિ એવા પોતાના માતપિતા માટે તેની પાસે સમય હતો નહીં. તેના વર્તનથી ધીરે ધીરે તેના માતપિતા દુ:ખી થઈ ગયા.

                                તેમના ઘડપણનો સહારો દૂર થઈ ગયો હતો. આમ સૌરભ ડોક્ટર બનીને શિક્ષણ અને કારકિર્દીમાં શ્રેષ્ઠ “રેસનો ઘોડો” સાબિત થયો પરંતુ સાચો પુત્ર ન બની શક્યો. સંસ્કારક્ષેત્રે તે હારી ગયો.

                                આ બધી બાબતને ધ્યાનમાં લેતાં નવલિકાનું શીર્ષક “રેસનો ઘોડો” એ યથાર્થ ગણી શકાય છે


"રેસનો ઘોડો" નવલિકા વાલી, શિક્ષક અને વિદ્યાર્થીને શું શીખવે છે?

Locked Answer

જવાબ :

આજનો દરેક વાલી પોતે પોતાના જીવનમાં જે મહત્વકાંક્ષાઓ પુરી ના કરી શક્યો તેની પૂર્તિ પોતાના બાળકમાં કરવા ઈચ્છે છે. પોતાનું બાળક ઊંચા ટકા સાથે પ્રથમ ક્રમે આવે એ માટે વિવેક ચૂકીને બાળક ઉપરનો બોજ વધારતા જાય છે. પરિણામે બાળક તાણમાં જીવે છે અને તેનું બાળપણ છીનવાઈ જાય છે. વાલીનો ખોટો આગ્રહ બાળક માટે મોટું અનિષ્ટ સર્જી શકે છે વગેરે વાલીએ સમજવું જરૂરી છે.

                                શિક્ષકગણ માટે શિક્ષણનો ઉદ્દેશ આનંદ સાથે જ્ઞાન પિરસવાનો હોવો જોઈએ. શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થી સારો માણસ બને તે હોવો જોઈએ. શિક્ષણથી કુટુંબ, સમાજ અને દેશને લાભ થાય તે મહત્વનું છે. વિદ્યાર્થી ગમે તે કામ કરે ગમે તેટલું કમાય પણ તેની માણસાઈનો પુરેપુરો વિકાસ થાય તે પ્રમાણેનું શિક્ષણ તેને આપવું જોઈએ.

                                વિદ્યાર્થીએ ભણવામાં આગળ રહેવું આવકાર્ય છે પરંતુ સ્પર્ધામાં પડી માણસાઈ વિસરી જાય તે અનિષ્ટ છે. ઉચ્ચ શિક્ષણથી કુટુંબ, સમાજ અને દેશને જ સાચો લાભ મળવો જોઈએ. વધુ પૈસા કમાવવાની સાથે ઘરડાં મા-બાપ અને કુટુંબને ઉપયોગી થવાની ભાવના જળવાઈ રહેવી જોઈએ. આમ, આ નવલિકા વાલી, શિક્ષક અને વિદ્યાર્થીને કઈક શિખવે છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

નિર્દોષ - દોષ વિનાનું
ઉમળકો - હેતનો ઉભરો 
લિજ્જત - લહેજત, મજા 
માયાકાંગલુ - નબળું, માવડિયું

રૂઢીપ્રયોગો લખો

Hide | Show

જવાબ :

ભારે હ્રદયે - દુઃખી હ્રદયે.
આંખ ભીની થવી - લાગણીસભર થવું. 
મોંમાં ધી સાકાર - સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. 
માથું ધુણાવવું - માથું હલાવી હા કે ના નો ઈશારો કરવો.

ભાષા અભિવ્યક્તિને ઉદાહરણ દ્વારા મુદ્દાસર સમજાવો

Locked Answer

જવાબ :

ઉદાહરણ :- 
"એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સુરજના કિરણમાં ચમકી ઉઠે છે."
અહીં નાનું અને આથમતા આ શબ્દો વિશેષણો તરીકે વપરાયા છે. છતાં સૂરજ સાથે વપરાયેલ આથમતા વિશેષણો વર્તાકથાની દ્રષ્ટીએ ખૂબ મોટો ભાર ઉપાડી લે છે. આ એક જ શબ્દ "અલ્પમાં અધિક" અર્થ સૂચવી દે છે. આથમવું ના અહીં વિવિધ અર્થો સૂચિત થયા છે જેમકે સૂર્યનું આથમવું, આશા આથમી જવી, વૃધ્ધાવસ્થા આવી જવી, જિંદગી આથમી રહેવી, આનંદ જતો રહેવો વગેરે શબ્દોથી અભિવ્યક્તિ કરવામાં આવી છે.  

ઉદાહરણ :- 
"તમારી વાત હું નથી સમજતી? હું માં છું, દુશ્મન તો નથીને?
અહીં બે પ્રશ્નાર્થવાક્યો નથી અને નથીને જેવા હકાર સાથે મુકવામાં આવ્યા છે. છતાં વાક્યનો મૂળ ભાવ હકારાત્મક છે. હું સમજુ જ છું, તથા હું મા છું, તે સમજુ છું એવો અર્થ અહીં સૂચિત થયો છે. આવી રચનાઓથી વાત વધુ અસરકારક રીતે સૂચવાય છે.

Download PDF

Take a Test

Choose your Test :

રેસનો ઘોડો

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.