GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?

Hide | Show

જવાબ : વતનથી વિદાય થતાં આ કવિતાના કવિ વતનના ધર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે.


કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે...

Hide | Show

જવાબ : કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે તેનું કારણ કવિ જ્યાં વર્ષો સુધી વતનમાં રહેલા તે વતનને અને તેની સાથે જોડાયેલાં તે ઘર, વતનનું વન, સ્નેહિજનો, ત્યાંના ડુંગરા, નદી-નાળા, કોતરો, ખેતર વગેરે છોડવાનું તેમને હૈયે દુ:ખ છે. કવિને આ બધાની સાથે માયા અને લાગણી છે. વતનના પરિવારોને તેઓ વિસરી શક્તા નથી. તેમ છતાં વતન તો છોડવાનું જ છે, તેવુ વિચારી ચાલવા જાય ત્યાં તેમના પગ ભારે થઈ ગયા છે. અને ઉપડતાં નથી. પગ તેમને સાથ આપતા નથી.


વતનથી વિદાય થતાં કવિતાના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : આ કાવ્યના લેખક જયંત હિંમતલાલ પાઠકનો જન્મ પંચમહાલ જીલ્લાના ગોઠ ગામે થયો હતો. તેમણે દહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી છે. મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું આ તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ તેમણે લખેલી નોંધપાત્ર સ્મરણકથા છે. આલોક, આધુનિક કવિતા પ્રવાહ, ભાવયિત્રી, હિમપિદ્ર્વ્યમ વગેરે તેમના વિવેચનગ્રંથો છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ મળેલા છે.


ઘણા વર્ષો પછી શું મળેલું કવિને છોડવાનો સમય આવ્યો છે.

Hide | Show

જવાબ : ઘણા વર્ષો પછી વતનમાં આવતાં કવિને વન-જન, ખેતર, કોતર, ડુંગર, નદી, મળ્યા છે તે સઘળું છોડવાની ક્ષણ આવી ગઈ છે, જ્યારે કવિને વતનમાંથી વિદાય થવાનું હોય છે.


વતનથી વિદાય થતાં કાવ્યમાં શું પાછું આવતું નથી તેવું કવિ સમજાવે છે.

Hide | Show

જવાબ : આ કવિતામાં કવિ દર્શાવે છે કે વહી ગયેલું પાણી પાછું આવતું નથી તેમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી.


વતનની ચાહના કેવી હોય છે તે દર્શાવવા કવિ કયા ઉદાહરણો આપે છે.

Hide | Show

જવાબ : આ કાવ્યમાં કવિ જેમ ઢોર પોતાની કોઢારમાં મમતા રાખે તથા કૂતરાને પણ પોતાની હદની માયા હોય છે, તેમ માનવીને વતન વહાલું હોય છે. આમ કવિ સમજાવે છે.


વતનથી વિદાય થતાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

Locked Answer

જવાબ : વતનથી વિદાય થતાં કાવ્યનો સાહિત્ય પ્રકાર સૉનેટ છે.


‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિ કેટલા સમય પછી વતનમાં પાછા જાય છે ?

Locked Answer

જવાબ : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિ વર્ષો પછી વતનમાં પાછા જાય છે.


વતનની હદ પુરી થતાં કોને પાછા જવાનું કહે છે ?

Locked Answer

જવાબ : વતનની હદ પુરી થતાં કૂતરાને પાછા જવાનું કહે છે.


‘વતનની વિદાય થતા’ સૉનેટમાં કવિ કેવી ભાવના દર્શાવે છે ?

Locked Answer

જવાબ : ‘વતનની વિદાય થતા’ સૉનેટમાં કવિ પીડાની ભાવના દર્શાવે છે.


‘વતનની વિદાય થતા’ કવિતામાં કવિ નદીની વેકુરમાં શું કરતા ?

Locked Answer

જવાબ : ‘વતનની વિદાય થતા’ કવિતામાં કવિ નદીની વેકુરમાં આંગળીઓથી રમતા હતા.


કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે ?

Locked Answer

જવાબ : કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ ગુલામની જેમ ચાલવાનું કહે છે.


કોના વહેણમાં કવિ પોતાને આગળ વધવાનું કહે છે ?

Locked Answer

જવાબ : કવિ પોતાને કાળના વહેણમાં આગળ વધવાનું કહે છે.


‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિ માથે શાનો ભારો લઈ ચાલી રહ્યા છે ?

Locked Answer

જવાબ : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિ માથે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે.


‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે ?

Locked Answer

જવાબ : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની પીડાની ભાવના વ્યક્ત થઈ છે.


કોણ મૂંગુ હોવા છતાં પોતાના મૂળ રહેઠાણને ભૂલતું નથી.

Locked Answer

જવાબ : ઢોર મૂંગુ હોવા છતાં પોતાના મૂળ રહેઠાણને ભૂલતું નથી.


બાળક રિસાઈ જાય ત્યારે તેને કોણ મનાવીને પાછું બોલાવે છે.

Locked Answer

જવાબ : બાળક રિસાઈ જાય ત્યારે તેને તેની માં મનાવીને પાછું બોલાવે છે.


કેડી ઉપર આગળ વધતાં કવિના પગની શું સ્થિતી હોય છે.

Locked Answer

જવાબ : આડા અવળા થાય છે.


પસાર થઈ ગયેલ કઈ ચીજ પરત આવતી નથી.

Locked Answer

જવાબ : પસાર થઈ ગયેલ સમય પરત આવતો નથી.


વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિ કયારે વતનમાં જાય છે ?

Locked Answer

જવાબ : વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિ વર્ષો પછી વતનમાં જાય છે.


વતનથી વિદાય થતાં કાવ્યના લેખકનું નામ આપો.

Locked Answer

જવાબ : જયંત પાઠક


વતનથી વિદાય થતી વખતે કવિ શું અનુભવે છે ?

Hide | Show

જવાબ : વતનથી વિદાય થતી વખતે કવિ વતન માટેની લાગણી અનુભવે છે.


વતનથી વિદાય થતાં કવિ શું અનુભવે છે.

Hide | Show

જવાબ : વતનથી વિદાય થતાં કવિ વતન માટેનો તલસાટ અનુભવે છે.


કવિને શાની ભ્રમણા થાય છે ?

Hide | Show

જવાબ : કવિને બે હાથ ઊંચા કરીને બોલાવતી માતાની ભ્રમણા થાય છે.


“વતનથી વિદાય થતાં” માં કવિને વર્ષો પછી શું મુકવાની ક્ષણ આવે છે.

Hide | Show

જવાબ : “વતનથી વિદાય થતાં” માં કવિને વર્ષો પછી વન,જન, ડુંગર,નદી,ખેતર અને કોતર વગેરે મુકવાની ક્ષણ આવે છે.


કેડી ઉપર આગળ વધતા કવિના પગ કેવા થાય છે.

Hide | Show

જવાબ : કેડી ઉપર આગળ વધતા કવિના પગ આડા અવળા થાય છે.


કોણ એક હદ પુરી થતાં પાછો વળી જાય છે ?

Hide | Show

જવાબ : કૂતરો એક હદ પુરી થતાં પાછો વળી જાય છે.


વહી ગયેલ કોણ પાછો આવતો નથી.

Hide | Show

જવાબ : વહી ગયેલ સમય પાછો આવતો નથી.


કયું પ્રાણી બોલી શકતું ન હોવા છતાં પોતાના મૂળ રહેઠાણને કદી ભૂલતું નથી.

Hide | Show

જવાબ : ઢોર બોલી શકતું ન હોવા છતાં પોતાના મૂળ રહેઠાણને કદી ભૂલતું નથી.


‘વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિનું નામ જયંત પાઠક છે.


વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.

Hide | Show

જવાબ : વતનથી વિદાય થતાં કવિને ખૂબ વેદના થાય છે કારણકે તેઓ જ્યાં જનમ્યા, મોટા થયાં, મિત્રો સાથે ભણ્યા, રમ્યા, ત્યાંની નદીમાં નાહ્યા, નદીમા કોતરોને ખૂંધ્યા, નદીની વેકુરમાં આંગળીઓથી રમ્યા જેવા અનેક સ્મરણો અને યાદો કવિની આંખ સામે તરવરે છે. હવે જ્યારે વતનથી વિદાય થવાની ધડી આવી ત્યારે, કવિનું હ્રદય આ યાદોથી વેદના અનુભવે છે. કવિને વતન પ્રત્યેનું વહાલ, ત્યાંની પ્રકૃતિ સાથેનો નાતો કવિ છોડી શક્તા નથી. વર્ષો પછી પોતાના વતનમાં આવેલાં કવિને એવું લાગે છે કે શું આ મારી વતનની છેલ્લી જ સફર હશે. આવા વિચારોથી કવિ વિદાય લેતાં પહેલા વન, ડુંગર, નદી, સ્નેહિજનો, કોતરો, નદીની રેત વગેરેને મન ભરીને નિરખે છે. તેમણે ઘરને બંધ કરી દીધું એટલે કદાચ આ આખરી વિદાય હશે કવિને એવું થાય છે, ઢોર પણ પોતાની કોઢારની મમતા રાખે છે. તો કવિને પોતાના વતનની માયા કેમ ન હોય, કવિ જ્વા પગ ઉપાડે છે. રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, છતાં કવિ આગળ વધે છે અને કહે છે જીવ ચાલો, વહી ગયેલો સમય પાછો આવતો નથી. ઉપરવાસ જ્વાનું જ છે માટે આંખના ખૂણાને લૂછી નાખો. વીતી ગયેલી યાદોના ભારા સાથે ગુલામની જેમ આગળ ચાલો. પાછળ આવતો કૂતરો પણ વતનની સીમ સુધીજ સાથ આપશે. દૂરના ખેતરો તરફ જોતાં કવિને બે હાથ ઊંચા કરી પોતાની બા જતાં અટકાવતી અને પોતાની પાસે બોલાવતી હોય તેવો ભાસ થાય છે. કવિને ભ્રમણા થાય છે કે આતો રિસાળ બાળક્ને બા બોલાવે છે અને આવી ભ્રમણાથી કવિના હ્રદયમાં વેદના વધી જાય છે.


કાવ્યપંક્તિ સમજાવો.

આધે ખેતરે જોઉં બે કર કરી ઊંચા મને વારતી,

એ મારી ભ્રમણા ? રિસાળ શિશુને બોલાવતી બા હતી!!

Locked Answer

જવાબ : વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિએ પોતાની વેદનાને વાચા આપી છે. વતનની યાદો ઉભરાતાં કવિને વતન છોડવું ખૂબજ વસમું લાગે છે. છતાં લાચારીથી વતનને છોડવું પડે છે. જતાં જતાં છેલ્લી વાર દૂર દૂરના ખેતરો તરફ જુએ છે અને યાદોને ફંફોસે છે. ત્યાં તો એમને બે હાથ ઉંચા કરીને બા અટકાવતી હોય તેવો આભાસ થાય છે. જાણેકે રિસાળ બાળક્ને બાબા બોલાવતી ના હોય!!! અને કવિની આ અંતિમ પંક્તિ કવિની કરૂણાપૂર્ણ પરિસ્થિતિ દર્શાવે છે.


વતનથી વિદાય થતાં કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે ?

Locked Answer

જવાબ :  વતનથી વિદાય થતાં કવિ છેલ્લી વાર વન, ડુંગર, નદી, સ્નેહિજનો, કોતરો, નદીની રેત વગેરેને મન ભરીને નિરખે છે. તેમણે ઘરને બંધ કરી દીધું એટલે કદાચ આ આખરી વિદાય હશે કવિને એવું થાય છે, ઢોર પણ પોતાની કોઢારની મમતા રાખે છે. તો કવિને પોતાના વતનની માયા કેમ ન હોય, કવિ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે, છતાં કવિ આગળ વધે છે અને કહે છે જીવ ચાલો, વહી ગયેલો સમય પાછો આવતો નથી. ઉપરવાસ જવાનું જ છે માટે આંખના ખૂણાને લૂછી નાખો. વીતી ગયેલી યાદોના ભારા સાથે ગુલામની જેમ આગળ ચાલો. પાછળ આવતો કૂતરો પણ વતનની સીમ સુધીજ સાથ આપશે. દૂરના ખેતરો તરફ જોતાં કવિને બે હાથ ઊંચા કરી પોતાની બા જતાં અટકાવતી અને પોતાની પાસે બોલાવતી હોય તેવો ભાસ થાય છે. કવિને ભ્રમણા થાય છે કે આતો રિસાળ બાળકને બા બોલાવે છે અને આવી ભ્રમણાથી કવિના હ્રદયમાં વેદના વધી જાય છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

કોઢાર – ઢોરને બાંધવાની જગ્યા
કેડી – સાંકડો પગરસ્તો, પગદંડી
પાય – પગ
તરૂ – ઝાડ
વેકુર – નદીની કાંકરાવાળી જાડી રેતી
ઉપરવાસ – પવન કે પાણીના વહનની વિરૂધ્ધ દિશા
ભૂત – ભૂતકાળ, જે થઈ ગયું છે
વેઠિયા – વગર મહેનતાણે કામ કરનાર

તળપદા શબ્દો

Locked Answer

જવાબ :

ભાળવું – જોવું
તલખવું – તલસવું
ભીડવું – બંધ કરવું
આઘે – દૂર
લૈ – લઈ

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

ગાયોનો સમૂહ – ગોધણ

Download PDF

Take a Test

Choose your Test :

વતનથી વિદાય થતા

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.