GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે?

Hide | Show

જવાબ : બીજા લોકો અન્યોની વ્યથાઓ જાણી રસ લઈને આનંદ મેળવે છે.


વહેણના પાણીને કોણ ઝીલે છે?

Hide | Show

જવાબ : વહેણના પાણીને સાગર ઝીલે છે.


કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે?

Hide | Show

જવાબ : આ કવિતા ધ્વારા કવિએ દર્શાવ્યુ છે કે આપણી વ્યથાને જાણીને તેને દૂર કરવામાં કોઈ રસ ધરાવતું નથી. આપણે માટે જે વ્યથા છે તે બીજાઓ માટે રસની કથા હોય છે. આપણા પર આવેલી વ્યથામાંથી બહાર નિકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે. આવેલી વ્યથાને દૂર કરવા માટે સૌ પ્રથમતો તેને સ્વીકારીને આપણે જ સહન કરવી જોઈએ. વ્યથાની કોઈને ફરિયાદ ન કરવી. આપણા હૈયામાં ભલે ગમે તેટલી વ્યથારૂપી અગ્નિ જલતો હોય પણ આપણે આપણા મન અને મગજમાં શીતળતા રાખવી જોઈએ.


બોલીએ ના કાંઈ કાવ્યના કવિનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

જવાબ : આ કવિતાના લેખક રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા. તેમણે ધ્વનિ, આંદોલન, ઉદગતિ, શાંત કોલાહલ, મધ્યમા અને વિષાદનો સાદ જેવાં કાવ્યસંગ્રહો રચ્યા છે. મોરપીંછ, આંબે આવ્યા મોર જેવા બાળકાવ્યના સંગ્રહો પણ તેમણે રચ્યા છે. તેમણે કેટલાંક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ લખ્યા છે. ધ્વનિ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલ છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડો પણ પ્રાપ્ત થયેલાં છે.


બોલીએના કાંઈ કાવ્ય રચનામાં કવિએ જીવનની કઈ હકારાત્મક બાજુ રજુ કરી છે.

Hide | Show

જવાબ : આ કાવ્ય રચનામાં કવિ જણાવે છે કે આપણી વ્યથા એ બીજાને મન રસની કથા છે. માટે વ્યથાને સહન કરવી પણ કોઈને ફરિયાદ ન કરવી જોઈએ આવો આ કાવ્યનો ભાવ સૌદર્યરાગી રીતે કવિએ આલેખ્યો છે. મારગ માણસો વગરનો હશે તેમાં તમારા જ શબ્દો ગાતાં તમારે ચાલવાનું છે. રસ્તામાં ગામ આવે, અનેક લોકો મળે છતા તમારે તો એકલાં જ ચાલવાનું છે. સરસ તારા મઢી રાત હોય કે રણનો તડકો હોય, આપણી વ્યથાને સહન કરે જ છુટકો છે. મનમાં ભલે દુ:ખોનો અગ્નિ હોય પણ બહારથીતો તમારે શીતળતાજ રાખવાની છે. આમ સરળ બાનીમાં લખાયેલું આ ગીત જીવનની એક હકારાત્મક બાજુને રજુ કરે છે.


કેવી પરિસ્થિતિમાં કવિ આપણને આપણી વ્યથા સહન કરવાની શીખ આપે છે.

Hide | Show

જવાબ : ભલેને તારા મઢેલી સરસ રાત હોય, કે રણનો આકરો ધૂપ હોય, છતાં આપણી વ્યથાને આપણે જ સહન કરવાની છે, તેવું કવિ દર્શાવે છે.


એકલા ચાલતા રસ્તામાં શું શું મળવાનુ છે, છતાં ચાલતાં જ જવાનું છે.

Hide | Show

જવાબ : કવિ જણાવે છે કે સસ્તામાં ચાલતી વખતે તને માણસો વિનાનો મારગ, તથા કોઈક ગામ આવશે, અનેક લોકો મળશે, તારા મઢી રાત, રણનો તડકો વગેરે આવશે પરંતુ તારે તો તારૂ ગીત ગાતા ગાતા એકલા જ ચાલતાં જવાનું છે.


અનેક લોકો સાથે હોવા છતાં આપણે કેવી રીતે ચાલવાનું છે ?

Locked Answer

જવાબ : અનેક લોકો સાથે હોવા છતાં આપણે એકલાજ ચાલવાનું છે.


કવિ ....... ભરીને વીરાને જોઈ લેવાનું કહે છે.

Locked Answer

જવાબ : નેણ


મનમાં ભલે દુ:ખોનો અગ્નિ હોય પણ બહારથી તો શું દર્શાવવાનું છે ?

Locked Answer

જવાબ : મનમાં ભલે દુ:ખોનો અગ્નિ હોય પણ બહારથી તો શીતળતા રાખવાની છે.


આપણી વ્યથા, અવરને મન ....

Locked Answer

જવાબ : રસની કથા


કોણ વહેણનાં પાણીને ઝીલે છે ?

Locked Answer

જવાબ : સાગર વહેણનાં પાણીને ઝીલે છે.


લોકો શેમાંથી આનંદ મેળવે છે ?

Locked Answer

જવાબ : લોકો બીજાના દુ:ખો જાણીને આનંદ મેળવે છે.


પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ ............

Locked Answer

જવાબ : શીતલ રૂપ


રાજેન્દ્ર શાહને કયા કયા એવોર્ડ મળેલા છે ?

Locked Answer

જવાબ : રાજેન્દ્ર શાહને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ મળેલા છે.


રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે ‘જ્ઞાનપીઠ’ પુરસ્કાર મળ્યો હતો ?

Locked Answer

જવાબ : રાજેન્દ્ર શાહને ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.


રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહો કયા છે ?

Locked Answer

જવાબ : ‘ધ્વનિ’, ’આંદોલન’, ‘ઉદ્દ્ગતિ’ , ‘શાંત કોલાહલ’, ‘મધ્યમા’, ‘વિષાદનો સાદ’, વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.


‘બોલીએ ના કાંઈ’ ના લેખક ક્યાં ના વતની હતા.

Locked Answer

જવાબ : કપડવંજ


‘બોલીએ ના કાંઈ’ ના કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ : ગીત


‘બોલીએ ના કાંઈ’ ના કવિનું નામ જણાવો.

Hide | Show

જવાબ : રાજેન્દ્ર શાહ


કવિ આપણને શું કરવાનું કહે છે ?

Hide | Show

જવાબ : આપણી વ્યથા કોઈને ન કહેવાનું કહે છે.


પ્રાણમાં જલન હોય તોય કવિ કેવું રૂપ ધારણ કરવાનું કહે છે.

Hide | Show

જવાબ : શીતલ


કવિ કોઈને શું ન કરવાનું કહે છે ?

Hide | Show

જવાબ : કવિ કોઈને ફરિયાદ ન કરવાનું કહે છે.


બોલીએ ના કાંઈ કવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે.

Hide | Show

જવાબ : બોલીએ ના કાંઈ કવ્યમાં માણસને જીવનબોધ આપતાં જણાવે છે કે દુ:ખ – સુખ, સંધર્ષ, વ્યથા વગેરે આવવા જ જોઈએ અને આવશે જ તથા દરેક માણસે સહર્ષ તે સ્વીકારીને જાતે જ જે તે સહન કરવું જોઈએ. સમાજમાં લોકો માટે આપણી વ્યથા એ રસની કથા હોય છે માટે તેમની આગળ આપણાં દુ:ખ રડવાથી કોઈ ફેર પડતો નથી. જ્યારે માર્ગ નિર્જન હોય ત્યાં અથવા સુની સીમમાં માણસો તો પોતાનું ગાન, એટલે કે આવેલી પરિસ્થિતિ સ્વીકારીને ચાલવાનું છે. ગામના પાદરમાં મળેલા લોકોના સમૂહને પોતપોતાની ધૂન અને મસ્તી હોય છે. તારા મઢી અંધારી રાત અથવા ભયંકર તાપ વાળું રણ હોય પરંતુ આવેલી પરિસ્થિતિ માણસે જાતે જ સહન કરવાની છે. પોતાની વ્યથા પોતે જ ભોગવવાની છે. અને હૈયામાં વ્યથાનો અગ્નિ સળગતો હોય છતાં બહારથી તો શીતળતા જ રાખવાની છે.


કાવ્યપંક્તિ સમજાવો.

પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ

Locked Answer

જવાબ : ઉપરોક્ત કાવ્યપંક્તિમાં કવિ માનવીને જીવનનો સંદેશ આપતાં જણાવે છે કે જીવનમાં સંધર્ષ અને દુ:ખ તો આવવાના જ છે. ગમે તેવી દુ:ખ ભરી વિકટ પરિસ્થિતિમાં માણસે જરાપણ વિચલિત ન થવું જોઈએ. બહારથી તો શીતળતા જ દાખવવી જોઈએ. આપણી વ્યથા બીજાને મન રસની કથા છે. માટે આપણે મગજને શાંત રાખી આપણા દુ:ખ, દર્દ, વ્યથાને સહન કરી પચાવતા શીખવું જોઈએ. આપણી વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ હોવી જોઈએ તેવું કવિ દર્શાવે છે.


બોલીએ ના કાંઈકાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.

Locked Answer

જવાબ : બોલીએ ના કાંઈ કાવ્યમાં માણસને જીવનબોધ આપતાં કહે છે કે સુખ-દુ:ખ, સંધર્ષ, વ્યથા વગેરે આવવાનાં જ. એમને માણસે સ્વીકારીને જાતે જ સહન કરવાં, કારણ કે સમાજના લોકો માટે આપણી વ્યથા એ રસની કથા હોય છે માટે તેમની આગળ આપણાં દુ:ખ રડવાથી કોઈ ફેર પડતો નથી. જ્યારે માર્ગ નિર્જન હોય કે સુની સીમ હોય માણસે તો પોતાનું ગાન ગાતાં ચાલવાનું, એટલે કે આવેલી પરિસ્થિતિ સ્વીકારીને ચાલવાનું છે. ગામના પાદરમાં મળેલા લોકોના સમૂહને પોતપોતાની ધૂનમાં હોય છે. તારા મઢી અંધારી રાત અથવા ભયંકર તાપ વાળું રણ હોય પરંતુ આવેલી પરિસ્થિતિ માણસે જાતે જ સહન કરવાની છે. પોતાની વ્યથા પોતે જ ભોગવવાની છે. અને હૈયામાં વ્યથાનો અગ્નિ સળગતો હોય છતાં બહારથી તો શીતળતા જ રાખવાની છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

વેણ – વચન, બોલ
વીરા – ભાઈ
નેણ – નયન, નેત્ર, લોચન
વા- વાયુ, પવન
કૂય – કૂવો
વ્યથા – પીડા, શારીરિક તેમજ માનસીક દુ:ખ
ઈતર – બીજું, અન્ય
તારલીયો અંધાર – માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર
વિજન – માણસની અવરજવર વિનાનું, વેરાન
આરે – છેડે, અહીં પાદરે
દારૂણ – ભયાનક, વિકરાળ
ધૂપ – તડકો
અવર- બીજું
લખનો મેળો – લાખો માણસોનો સમૂહ (અહીં ટોળુ)

વિરૂધ્ધાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

શીતળ – ઉષ્ણ
જલન – ઠંડક
ધૂપ – છાયા
અંધારું – અજવાળું

Download PDF

Take a Test

Choose your Test :

બોલીએ ના કાંઈ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.