GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?

Hide | Show

જવાબ : મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા.


ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?

Hide | Show

જવાબ : ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો ધોધ છે.


લેખકની મુસાફરી યાત્રા બની રહેતી, કારણ કે....

Hide | Show

જવાબ : લેખક જે મુસાફરી કરતા હતા તે એમના માટે યાત્રા સમાન બની જતી હતી, કારણ કે તે દરેક મુસાફરીમાં તેમની બધી વૃત્તિઓ ઠરી ઠામ થઇ જતી હતી અને ડાહીડમરી બની જતી હતી. લેખક સૌંદર્યનું અસ્તિત્વ અને તેની ભવ્યતા તથા શ્રેષ્ટતાનો નજીકથી અનુભવ કરતા હતા. તેમાં લેખકને પોતાનું અસ્તિત્વ સાવ નાનું થઈને ઓગળી જતું હોય તેવો અનુભવ થતો હતો. માટે તે મુસાફરી લેખકને યાત્રા કરતા હોય તેવો અનુભવ કરાવતી હતી.


લેખક પોતાને ટચૂકડી બુધુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે....

Hide | Show

જવાબ : લેખક પોતે એકરૂપ બની ગયેલા નદી, તળાવ અને ધોધના રમ્ય રૂપને જોવા કિનારા પર ઉભા છે આવું રૂપ લેખકના સાહિત્યના સમાન દેખાતા તે રૂપના વર્ણન માટે લેખકને તેજસ્વી ગતિએ તેમની ઉર્જાને પણ અલંકૃત ભાષાનું વર્ણન યાદ આવે છે અને લેખક પોતાને પણ જેમ ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે જાણે કે પોતે પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યને માણવા નહીં, પણ માછીમારોની જેમ જાળ નાંખીને માછલાં પકડવા ઉભા હોય.


ડાંગવનો અને... પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ : ડાંગવનો અને... પાઠના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના કુકણા ગામના વતની છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર અને દિગ્દર્શક તરીકે જાણીતા છે તેમના ગદ્યમાં આગવી છાપ જોવા મળે છે. તેમણે પ્રથમ નામનો વિવેચનસંગ્રહ લખ્યો છે અને પોલીટેકનિક નામે વાર્તાસંગ્રહ પણ લખ્યો છે. તેઓશ્રીએ રખડુંનો કાગળ નામે નિબંધ સંગ્રહ પણ લખ્યો છે.


લેખકે સૂર્યાસ્ત જોવાની વાતને કેવી રીતે રજૂ કરી છે?

Hide | Show

જવાબ : ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લુંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં’રાજ અક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપોટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઇ જાય. આમ, લેખકે પોતાનો સૌંદર્ય દ્રષ્ટિ સ્વભાવ આમાં પ્રગટ કર્યો છે.


નર્મદાના સામા કાંઠે લેખકને કબીરવડમાં શો અનુભવ થાય છે?

Hide | Show

જવાબ : લેખક દર્શાવે છે કે કબીરવડની સાથે કબીરજીને અનુભવતા હોઈએ તેવું લાગે છે. અહીં કેટલાય તપસ્વીઓના તપનો અનુભવ થાય છે. નર્મદાના નીરમાં સ્નાન કરીએ ત્યારે નર્મદા આપણી લાગે છે. કવિ અહીં ભૂખ તરસને ભૂલી જાય છે.


લેખકે ડાંગ જિલ્લામાં દંડકારણ્યના કયા જુદાજુદા રૂપ જોયા?

Hide | Show

જવાબ : ડાંગ જિલ્લાની મુસાફરીમાં લેખકે દંડકારણ્યના જુદાજુદા રૂપ જોયા, જોવા કે મહાલનું ડાંગ, સુબીર, વાંસદા, શીવધાટ, સાપુતારા વગેરે ક્યાંક ખૂબ ઉંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઉંચે ચંચળતાથી ભમી લીધું. લેખકે રાત્રે ખીણને રસ્તે ચોતરફ આગિયા જોયા જાણે ત્યાં ઉગેલા શણના ઝાડને કોઈએ રાતોરાત શણગારી દીધા હોય તેવું દ્રશ્ય રચાતું જોવા મળતું હતું. ઉપર તારાખચિત આકાશ અને અહીં નીચે આગિયા.


લેખકે નામનો જાદુ ને કેવી રીતે દર્શાવ્યો છે?

Hide | Show

જવાબ : લેખક કહે છે કે નામનો જાદુ કેવો હોય તેની વાત કરૂ. અહીં ગિરમાળનો ધોધ છે. લગભગ ત્રણસોક મીટર ઉંચેથી સુસવાટા નાખતું પાણી પુરજોશમાં નીચે પડે. વિખરાઈ જાય નાના સરખા તળાવરૂપે. ચોતરફ પર્વતમાળાઓની વચ્ચે આ ધોધ. આ પાણી પડે છે તે નદીનું નામ પણ ગિરા નદી છે. આમ નદી, ધોધ અને તળાવ એકરૂપક બની જાય છે.


લેખક વાંસના ઝુંડને મારો અનુભવમાં કેવો દર્શાવે છે?

Hide | Show

જવાબ : આહવાની વનસંપદા વિશે લેખક કહે છે લળીલળીને હેત કરતાં વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવાં, ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેવાં, વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઇ જાય, ડાહીડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. લેખક આવી રીતે તેમનો અનુભવ દર્શાવે છે.


ડાંગની આદિવાસી પ્રજાને જીવનસત્ય લાધ્યું હશે? તેવું લેખકને કેમ લાગે છે?

Hide | Show

જવાબ : મુસાફરી દરમિયાન લેખકને રસ્તામાં સરઘસ સામે મળ્યું. તેમાં આગળ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. સરઘસ મરેલા વ્યક્તિને ડાઘુઓ ઊંચકીને લઇ જતા હતા તે પ્રકારનું હતું. લેખકને થયું મૃત્યુના માનમાં ફટાકડા, મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, માટે લેખક લખે છે કે આ ભોળી પ્રજાને આવું જીવનસત્ય કેમનું લાધ્યું હશે.


આહવામાં બાઈક લઈને ફરતાં લેખકે શું શું જોયું તે જણાવો?

Hide | Show

જવાબ : આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો પણ કાને પડેલી. બાઈક લઈને આહવામાં ફરતાં લેખક સ્થાનિક પ્રજાને જોયા કરે છે. એમની જીવંત લોકસંસ્કૃતિનો પણ અનુભવ કરે છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો વગેરે જોતાં લેખકને હાથમાં હાથ ભીડીને નાચવાનું મન થાય છે. મરણને ઉજવવાની તાત્વિક રીત જેવાં ઘણા દ્રશ્યો લેખકને ફરતાં ફરતાં જોવા મળે છે.


આહવામાં જગદીશભાઈનું ઘર કોની બાજુમાં આવેલું છે ?

Locked Answer

જવાબ : આહવામાં જગદીશભાઈનું ઘર સનસેટ પોઈન્ટની બાજુમાં આવેલું છે.


નર્મદા કિનારે કયા કયા પ્રદેશો આવેલા છે ?

Locked Answer

જવાબ : નર્મદા કિનારે જબલપુર, કબીરવડ અને અમર કંટક આવેલા છે.


આદિવાસીઓના કયા દરબારની વાત લેખક જનતા હોય છે ?

Locked Answer

જવાબ : આદિવાસીઓના ડાંગ દરબારની વાત લેખક જનતા હોય છે.


એશિયાનું બીજા નંબરનું કારખાનાથી ઉભરાતું શહેર જણાવો.

Locked Answer

જવાબ : અંકલેશ્વર એ એશિયાનું બીજા નંબરનું કારખાનાથી ઉભરાતું શહેર છે.


ડાંગવનો અને...માં લેખક કઈ નદીના કિનારા સાથે સુક્ષ્મ નાતો ધરાવે છે ?

Locked Answer

જવાબ : ડાંગવનો અને...માં લેખક નર્મદા નદીના કિનારા સાથે સુક્ષ્મ નાતો ધરાવે છે.


કોના કારણે સાગનાં ઝાડ શણગારેલા લાગે છે ?

Locked Answer

જવાબ : આગિયાના કારણે સાગનાં ઝાડ શણગારેલા લાગે છે.


‘ડાંગવનો અને...’ પાઠના લેખકનું નામ જ્ણાવો ?

Locked Answer

જવાબ : ‘ડાંગવનો અને...’ પાઠના લેખકનું નામ મહેન્દ્ર પરમાર છે.


મિત્રો અંકલેશ્વરને કેવું ઉદ્દ્બોધન કરતા હતા ?

Locked Answer

જવાબ : મિત્રો અંકલેશ્વરને ગંદકેશ્વરથી ઉદ્દ્બોધન કરતા હતા.


ડાંગવનો અને...માં લેખક કોને સંબોધીને આ પત્ર લખે છે ?

Locked Answer

જવાબ : ડાંગવનો અને...માં લેખક પિતાને સંબોધીને આ પત્ર લખે છે.


ડાંગના આદિવાસીઓની લોકસંસ્કૃતિ આજેય જીવંત છે તે શાનાં ઉપરથી કહી શકાય ?

Locked Answer

જવાબ : ડાંગના આદિવાસીઓની લોકસંસ્કૃતિ આજેય જીવંત છે તે આદિવાસીઓનાં લોકગીતો, વાદ્યો અને તેમના તહેવારો પરથી કહી શકાય.


આદિવાસીઓ કોના માનમાં ફટાકડા ફોડતા હતા ?.

Locked Answer

જવાબ : આદિવાસીઓ મૃત્યુના માનમાં ફટાકડા ફોડતા હતા.


ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડે છે ?

Locked Answer

જવાબ : ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડે છે.


લેખક કબીરવડ જોઈ કોને કોને અનુભવે છે ?

Locked Answer

જવાબ : લેખક કબીરવડ જોઈ કબીરજી અને તપસ્વીઓનાં તપને અનુભવે છે.


લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો ?

Hide | Show

જવાબ : લેખકને કારખાનાઓની દુર્ગંધ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો છે.


લેખકને કોણે હંમેશા ઝંકૃત કર્યા છે ?

Hide | Show

જવાબ : લેખકને નર્મદાએ હંમેશા ઝંકૃત કર્યા છે.


અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?

Locked Answer

જવાબ : અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા.


આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો?

Hide | Show

જવાબ : લેખકે ડાંગવ અને... પાઠમાં આહવાના જંગલોનું અને તેની સંપદાનું જે મંત્રમુગ્ધ બની જનારૂ વર્ણન કર્યું છે તે અદ્દભૂત છે. તેની રંગરમણા પણ ભવ્ય છે. માનવ વસવાટની સવારની ઝાંખી સનસેટ પોઈન્ટની ઉંચાઈએથી નીચેની તરફ જોતાં ઘરો રતુમડાં પર્ણોના બનાવ્યા હોય તેવો ભાસ થાય છે. તે ઘરો સુધી પહોંચવાની પગદંડીઓની ભૂખરી કેડીઓ સર્પાકાર દેખાય છે. ત્યાં ઉગેલા સાગના ઝાડ અને લીલાછમ ઘાસના મેદાનોની પોતાની હરિયાળી છાયા છે જાણે કે તેઓ સૂર્ય સાથે હરીફાઈ ન કરતાં હોય? ઘાસના લીલા પટ્ટાઓ અને સાગના ઝાડનો કેફ સૂર્યપ્રકાશની બરાબરી કરે તેવો છે. અહીંના કુદરતી સૌંદર્યથી નયનરમ્ય તથા નયનમનોહર શબ્દોના સાચા અર્થ આપણને સમજવા મળે છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ – ગંધ – અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ દ્વારા આખા અસ્તિત્વમાં અનુભવી શકાય છે. પવનની જાદુઈ લાકડી ફરે તેમ આ દ્રશ્ય – શ્રવ્ય ચલચિત્રમાં પરિવર્તન પામતું હોય તેવું લાગે છે. આ રંગભૂમિના વાતાવરણને થોડા સમય પહેલાં પાડેલા વરસાદે બદલી નાખ્યું હતું. રૂબરૂ નજરે જોવાથી આ વાતાવરણનો અલગ જ સ્વાદ અનુભવાય છે. વિશાવની કોઈપણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વનસંપદાની મનોહર દુનિયા છે. જેને એકવાર માણવી જ રહી.


રાતના સમયે ખીણને રસ્તે જતાં લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે ?

Locked Answer

જવાબ : રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આગિયા ઊડતા હતા. આ આગિયાઓએ સાગનાં ઝાડને રાતોરાત શણગારી લીધાં હતાં. ઉપર આકાશ તારાથી ભરેલ અને નીચે આગિયાની ઊડાઉડ. કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં જણાવ્યા મુજબ કેવળ સ્થાનનો જ ફરક હતો. મૂળમાં અજવાળું હતું. શિખર તારલાઓથી શોભતું હતું ને તળેટીમાં આગિયા ઝગમગતા હતા. અહીં-તહીં ઊડાઉડ કરતા આગિયાઓએ અંધકારને શણગારીને એક મોઝેઈક બનાવી આપ્યું હોય એવું એ દ્રશ્ય હતું. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે.


ડાંગના આદિવાસીઓની મરણને ઊજવવાની રીત વિશે જણાવો.

Locked Answer

જવાબ : ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા! ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઊજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવનસત્ય લાધ્યું હોય એ રીતે મરણની ઊજવણી કરતા.


નર્મદાસ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો.

Locked Answer

જવાબ : લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતી થતી. ક્લાન્તરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું. તેઓ નર્મદાના જળની એક જ અંજલી ભરે તો હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દ્રશ્યો વર્તમાનની સમીપતાને તાદ્રશ્ય કરતાં. તેઓ ભૂખ-તરસ બધું ભૂલી જતાં.


લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે ?

Hide | Show

જવાબ : લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે. તેમ છતાં એની દુર્ગંધ સાથે તેમને એક ઘરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખળવતી નર્મદા આવે છે. તેમણે અહીં ઉચ્ચાસને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપટપ કરતાં દોડીને નર્મદાને મળવા જતાં ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું. લેખકને આ ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર પ્રિય છે.


વિરૂધ્ધાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

પ્રત્યક્ષ – પરોક્ષ
નજીક – દૂર
અસમર્થ – સમર્થ

તળપદા શબ્દો

Locked Answer

જવાબ :

દાઉ – બસ

શબ્દ સમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

આંખને ગમી જાય તેવું – નયનરમ્ય
મનને હરી લે તેવું – મનોહર

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

ઘરોબો - નિકટતા, પરિવાર જેવો સંબંધ
આછેરો - થોડો
ક્ષિતિજ - પૃથ્વી સાથે આકાશ મળતું હોય તેવી કલ્પિત રેખા 
ચિક્કાર- ખૂબ જ, અતિશય
ગાયબ - અદ્રશ્ય
અંજલી – ખોબો
શંકિત – શંકાશીલ
આહિમ્ – પ્રારંભનું
વન સંપદા – વનની સંપત્તિ 
હેમ – સુવર્ણ, સોનુ, કનક
છાક – નશો, કેફ
ઓથ – સહારો
સન્નિધિ – સમીપતા
ગજયુથ – હાથીનું ટોળું 
સાયુજ્ય – એક થઇ જવું 
બુભુક્ષુ – ભખ્યું
રૂબરૂ – પ્રત્યક્ષ
ગિરા – વાણી
ઘાયલ – ઝખમી

Download PDF

Take a Test

Choose your Test :

ડાંગવનો અને

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.