GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી?

Hide | Show

જવાબ : દુકાળના વખતમાં ડેગડીયાના મહાજને લોકોને મદદ કરી હતી.


કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે?

Hide | Show

જવાબ : કાળુ અને રાજુ ભીખને ભૂંડામાં ભૂંડી બાબત કહે છે.


સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઉભા હતા?

Hide | Show

જવાબ : સદાવ્રતમાં વાણીયા, બ્રાહ્મણ, પટેલ, ઠાકોર, ઘાંચી, સિપાઈ, ખેડૂતો અને દરિદ્રનારાયણો આ બધા સ્ત્રી-પુરૂષો અનાજ લેવા ઉભા હતા.


અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે?

Hide | Show

જવાબ : સદાવ્રતનું અનાજ લેવામાં કાળુને સંકોચ થતો હતો તે અચકાતો હતો. સુંદરજી શેઠ કાળુનો સંકોચ પામી ગયા. તેમણે કાળુને પાસે બોલાવીને કહ્યું કે આપણે સૌ કુદરત આગળ લાચાર છીએ. જો તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું ધાન છે અને તેને હાથ ધરતાં તને સંકોચ થતો હોય તો, કાલથી આ સદાવ્રતનો ઓટલો ઝાડુંથી સાફ કરી નાખજે તથા મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને ઓટલા ઉપર પાથરી દેજે. પછીતો તને એમ નહીં થાય કે તું ધર્માદાનું ખાય છે, મફતનું ખાય છે. આ સાંભળીને કાળુને પોતાના વિચાર અયોગ્ય લાગ્યા તથા સુંદરજી શેઠની વાત સાચી લાગી. પરિણામે કાળુ અનાજની મદદ લેવા તૈયાર થાય છે.


"બાવાના બેય બગડ્યા" એમ કાળુ શા માટે કહે છે?

Hide | Show

જવાબ : કાળુને સદાવ્રતમાંથી અનાજ લેતા અચકાતો જોઇને સુંદરજી શેઠે કાળુને સમજાવ્યો કે આ તમારૂ ધાન જ તમને આપીએ છીએ. આમાં ધર્માદા જેવું કાંઈ નથી. સુંદરજી શેઠના આવા વેણ અને સમજાવટથી કાળુએ સદાવ્રતમાંથી મળેલ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતીયાના છેડે બાંધી, પણ ત્યાંથી જતા તેને હસવું આવ્યું. કાળુને લાગ્યું કે ક્યારેય કોઈની પાસે માગવું નહિ એ ટેક પાળી શકાઈ નહિ તથા ભીખ લેવી પડી. આતો જીવ ખોવા જેવું થયું. માટે કાળુ બોલે છે કે "બાવાના બેય બગડ્યા"


સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.

Hide | Show

જવાબ : સુંદરજી શેઠ ડેગડીયા ગામના મહાજનોની સાથે ઊંચા ઓટલાવાળા મંદિરની પરસાળમાં બેઠા હતા. પહેરવેશમાં તેઓ સફેદ ધોતિયું તથા અંગરખું અને માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો પહેરતા હતા. ધર્માદાનું ધાન લેવા કાળુ તૈયાર થતો નથી, તેમણે જ્યારે તે જાણ્યું ત્યારે કાળુને બોલાવીને તેમણે વચલો રસ્તો કાઢ્યો. સદાવ્રતનો ઓટલો વાળીઝૂડીને સાફ કરી મુખિયાજી પાસેથી ગાદી તકીયા લઈ પાથરી દેવા. તેમણે વધુમાં કાળુને સમજાવ્યો કે તમારૂ છે તેને જ તમને આપીએ છીએ, આમાં ધર્માદા જેવુ કાંઇ નથી અને બીજાને પણ આવું સમજાવજે. આમ કાળુને સુંદરજી શેઠની સમજાવટ સ્પર્શી ગઈ અને સદાવ્રતની ખીચડી લઈ લીધી. આ સમગ્ર કપરા સમયમાં સુંદરજી શેઠની મોટાઈ અને ઉદારતા વખાણવા લાયક જોવા મળી છે.


"ભુખથીય ભૂંડી ભીખ" ના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ : "ભુખથીય ભૂંડી ભીખ" ના લેખક પન્નાલાલ પટેલ છે. તેમનો જન્મ રાજસ્થાનમાં માંડલી ગામે થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંકિતના સાહિત્યકાર છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે. તેમણે "એળે નહિ તમ બેળે" જેવી નાટ્યરચનાઓ પણ લખી છે. તેઓશ્રીને 'રણજીતરામ સુવર્ણચંદ્રક' તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે.


"ભુખથીય ભૂંડી ભીખ" ને એકદમ સંક્ષિપ્તમાં સમજાવો?

Hide | Show

જવાબ : સુવિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ પાઠનો અંશ લેવામાં આવ્યો છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો છપ્પનિયા દુકાળમાંથી ઉગરવા માટે ડેગડિયા આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. બધા અનાજ લેવા કતારમાં ઉભા છે. પરંતુ કાળુને આ અનાજમાં તેનું પકવેલું અનાજ પણ હશે તે વિચારે તેનો આત્મા કકળી ઉઠે છે. સુંદરજી શેઠ તેની લાગણીની કદર કરે છે. કાળુ દુકાળની આ પરિસ્થિતિને ખાંડણીયામાં મુકેલા માથા જેવી માને છે, ઘા પર ધા પડવાના જ છે. કાળુ ખેડૂતપુત્ર છે તે માને છે કે ભુખથીય ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાંખે છે. દુષ્કાળ સામે અને કુદરતના કોપની સામે ઝઝુમતા માણસની વેદના અહીં હ્રદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે.


"મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમનેય પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી" આમાં લેખક શું કહેવા માગે છે?

Hide | Show

જવાબ : લોકોને આશા હતી કે બાર બાર માહનો ગયેલો મેહ જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે પણ તેનો કોઈ અણસાર ન દેખાતા લેખક વરસાદ ન આવવાના કારણો રજૂ કરે છે.


દુકાળની ભયાનકતા લેખકે કેવી રીતે દર્શાવી છે?

Hide | Show

જવાબ : દુષ્કાળને દર્શાવતા લેખક લખે છે કે, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુવો ત્યાં માનવીના મડદાં જ મડદાં. ક્યાં બાળવા અને ક્યાં દાટવા. પછી કાણ, સૂતક ને સરાવવાની તો વાત જ ક્યા રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. ખુશ થતા હતા, ગણતા રહ્યા.... ન દેખવા.... ન દાઝવા.... જેવી વાક્ય રચનાઓથી લેખકે દુકાળની ભયાનકતાનું વર્ણન કર્યું છે.


કાળુને કોની અદેખાઈ આવતી હતી. શા માટે?

Hide | Show

જવાબ : કાળુની અદેખાઈ લેખકે આવી રીતે દર્શાવી છે, "રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. અરેરે એ તો અમ્મરિયા થઇ ગયા, ને રહ્યા આપણ, કોણ જાણે ક્યા લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે." આમ કાળુની અદેખાઈ દેખાય છે.


વરસાદના અણસારને લેખક કેવી રીતે દર્શાવે છે?

Hide | Show

જવાબ : અષાઢના આભલાં ચોખ્ખા ચટ, ઢોરઢાંખર ને માનવી વિનાનાં પાધરપટ પેલાં ખેતરો જોઈ લ્યો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામનિશાન ન હતું. જયારે તાપ તો અરે, વૈશાખ જેઠના તડકાય આ અષાઢીયા તાપ આગળ તરણા તોલે જ લગતા હતા આવી રીતે વરસાદનો ક્યાંય અણસાર જ નથી તેવું લેખક દર્શાવે છે.


અનાજની અડધી કિંમત અને અડધો ભાગ ધરમમાં આપવા ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે કેવી રીતે તૈયાર કર્યું?

Hide | Show

જવાબ : જયારે મહાજનોય મરવા પડ્યા ત્યારે સુંદરજી શેઠ મહાજનને કહ્યું કે ભૂખ્યા ખેડૂતોનો નીસાસો નડ્યો. શેઠે વધુમાં સમજાવ્યા કે વરસાદ નહિ આવે તો તો આપણ જેની પાસે ધાન હશે એય નથી જીવવાના ને આવશે તો આના આ જ માનવી એકનું અનેકગણું પકવી આપવાના છે. આપણ કઈ હળ હાંકવાના ઓછા છીએ આ રીતે સમજાવીને સુંદરજી શેઠે મહાજનને તૈયાર કર્યા.


તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમ શાની? આ વાક્ય કોણ કોને કહે છે.

Hide | Show

જવાબ : આ વાક્ય રાજુ બોલે છે અને કાળુને સમજાવટ રૂપે કહે છે.


સદાવ્રતની લાઈનોને લેખકે કેવી કરૂણતાથી દર્શાવી છે?

Hide | Show

જવાબ : કાળુ દૂર દેખાતી પેલી દરિદ્રનારાયણોની લાંબી કતાર તરફ આંસુવિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરૂષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલો હતા ને બ્રહ્મણોય હતા. કોઈ કોઈ વાણીયામાંથી પણ હતા, જયારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ધાંચી અને સિપાઈ હારમાં સેળભેળ હતા. પણ એ બધાયમાં ઝાઝો ભાગતો હતો ખેડૂત જ ને... લેખકે આમ અનાજ લેવા ઉભેલા માનવીઓને દર્શાવ્યા છે.


આ દોઢ પાશેર ખિચડી જીવાડશે તેમ તું માને છે ?” આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ :

આ દોઢ પાશેર ખિચડી જીવાડશે તેમ તું માને છે ?” આ વાક્ય કાળુ બોલે છે.


સુંદરજી શેઠે અનાજની શું કિંમત રાખી ?

Locked Answer

જવાબ : સુંદરજી શેઠે અનાજની અડધી કિંમત રાખી.


કોણ છપ્પનીયા દુકાળમાં સદાવ્રત ખોલે છે ?

Locked Answer

જવાબ : સુંદરજી શેઠ છપ્પનીયા દુકાળમાં સદાવ્રત ખોલે છે.


કાળુ કોણ છે.

Locked Answer

જવાબ : કાળુ ધરતીપુત્ર છે.


કાળુના ગામમાં લોકો કેવી રીતે મરી રહ્યા છે.

Locked Answer

જવાબ : કાળુના ગામમાં લોકો ભૂખને લીધે મરી રહ્યા છે.


‘ભૂખથીય ભૂંડી ભીખ’ના લેખક કોણ છે.

Locked Answer

જવાબ : પન્નાલાલ પટેલ


મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યુ ?

Locked Answer

જવાબ : મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યુ.


સૌ પ્રથમ કાળુએ અનાજ લેવાની ના કેમ પાડી ?

Locked Answer

જવાબ : કાળુને રાજુ સમક્ષ પોતાની આબરૂનો પ્રશ્ન હતો.


સદાવ્રતમા અનાજ લેવા કોણ ઉભા ન હતા ?

Locked Answer

જવાબ : સદાવ્રતમા અનાજ લેવા શેઠિયાઓ ઉભા ન હતા.


કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે ?

Locked Answer

જવાબ : કાળુ અને રાજુ ભીખને ભૂંડામાં ભૂંડી બાબત કહે છે.


કોણે દુકાળના વખતમાં લોકોને મદદ કરી ?

Locked Answer

જવાબ : ડેગડિયાના મહારાજે દુકાળના વખતમાં લોકોને મદદ કરી.


કાળુને રાજુનો ઠપકો કેવો લાગતો હતો ?

Locked Answer

જવાબ : કાળુને રાજુનો ઠપકો મીઠો લાગતો હતો.


કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં શું કહ્યું ?

Locked Answer

જવાબ : કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેને કહ્યું ‘એ ઠુંઠિયા! ક્યાં જાય છે આમ ?’


ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા માટે ધાનની કેટલી કિંમત લીધી ?

Locked Answer

જવાબ : ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા માટે ધાનની અડધી કિંમત લીધી.


વૈશાખ-જેઠના તડકા પણ આ અષાઢિયા તાપ આગળ કેવા હતા ?

Locked Answer

જવાબ : તરણા જેવા તુચ્છ


કાળુની દ્રષ્ટિએ ભીખ કોને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે ?

Locked Answer

જવાબ : કાળુની દ્રષ્ટિએ ભીખ ગુમાન અને આત્મા બંનેને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.


‘તો હેંડો છાનામાના’ આ વાક્ય કોને ઉદ્દેશીને બોલાયું છે ?

Locked Answer

જવાબ : ‘તો હેંડો છાનામાના’ આ વાક્ય કાળુને ઉદ્દેશીને બોલાયું છે.


‘તો હેંડો છાનામાના’ આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : ‘તો હેંડો છાનામાના’ આ વાક્ય રાજુ બોલે છે.


‘ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કોનું દર્દ છલકે છે ?

Locked Answer

જવાબ : ‘ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કાળુનું દર્દ છલકે છે.


‘ડાકણ તો ભૂખ છે, પણ ...’ આ વાક્ય કોણ બોલે છે ?

Locked Answer

જવાબ : ‘ડાકણ તો ભૂખ છે, પણ ...’ આ વાક્ય કાળુ બોલે છે.


દોઠ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાનાં થતાં કાળુને શું થયું ?

Locked Answer

જવાબ : દોઠ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાનાં થતાં કાળુને હસવું આવ્યું.


કાળુ કોને મરચાનો આંખનો પાટો લાગતો હતો ?

Locked Answer

જવાબ : કાળુ સિપાઈને મરચાનો આંખનો પાટો લાગતો હતો.


સિપાઈને કોણ મરચાનો આંખનો પાટો લાગતો હતો ?

Locked Answer

જવાબ : સિપાઈને કાળુ મરચાનો આંખનો પાટો લાગતો હતો.


કાળુને રાજુનો ઠપકો કેવો લાગતો હતો ?

Locked Answer

જવાબ : મીઠો


અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ શું કરીને ચાલતો થયો ?

Locked Answer

જવાબ : અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ ‘જે શ્રી કૃષ્ણ’ કરીને ચાલતો થયો.


કાળુને કોની મોટાઈ જોઈને પોતાના વિચાર બાલિશ લાગવા માંડ્યા ?

Locked Answer

જવાબ : કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચાર બાલિશ લાગવા માંડ્યા.


‘....આ તો મેધરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ આ વાક્ય કોને ઉદ્દેશીને બોલાયેલું છે ?

Locked Answer

જવાબ : ‘....આ તો મેધરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ આ વાક્ય કાળુને ઉદ્દેશીને બોલાયેલું છે.


‘....આ તો મેધરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ આ વાક્ય કોણ બોલે છે ?

Hide | Show

જવાબ : ‘....આ તો મેધરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ આ વાક્ય સુંદરજી શેઠ બોલે છે.


‘એ ઠૂંઠિયા! ક્યાં જાય છે એમ?’ આ વાક્ય કોણ બોલે છે?

Hide | Show

જવાબ : ‘એ ઠૂંઠિયા! ક્યાં જાય છે એમ?’ આ વાક્ય સિપાઈ બોલે છે.


ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ કોનો હતો ?

Hide | Show

જવાબ : ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ ખેડૂતોનો હતો.


દુકાળ પડવા બાબતે કાળુ શું માને છે ?

Hide | Show

જવાબ : દુકાળ પડવા બાબતે કાળુ માને છે કે પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે.


દુકાળમાં કાળુ સિવાય બીજા કેટલાં માણસો ધરમાં હતાં ?

Hide | Show

જવાબ : દુકાળમાં કાળુ સિવાય બીજા સાત માણસો ધરમાં હતાં.


કાળુ રાજુ સાથે કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયાર થયો ?

Hide | Show

જવાબ : કાળુ રાજુ સાથે એ શરતે સદાવ્રતમાં જવા તૈયાર થયો કે તે હાથ લંબાવશે નહી.


સુંદરજી શેઠ દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા ?

Hide | Show

જવાબ : સુંદરજી શેઠ ખેડુતોના નિસાસાને દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા.


‘આંખ મીંચાઈ જાય એવાં કપડાં – સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો’ આ વર્ણન કોને લાગુ પડે છે ?

Hide | Show

જવાબ : ‘આંખ મીંચાઈ જાય એવાં કપડાં – સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો’ આ વર્ણન સુંદરજી શેઠને લાગુ પડે છે.


‘જો ભૂલેચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે,’ – આ વાક્ય કોણ કોને કહે છે.

Hide | Show

જવાબ : ‘જો ભૂલેચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે,’ – આ વાક્ય સિપાઈ – દરિદ્રનારાયણને કહે છે.


‘ભૂખથીય ભૂંડી ભીખ’,નો અંશ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે.

Hide | Show

જવાબ : ‘ભૂખથીય ભૂંડી ભીખ’,નો અંશ લેખકની ‘માનવીની ભવાઈ’ નવલકથામાંથી લેવામાં આવ્યો છે.


પન્નાલાલ પટેલને કયા પુરસ્કાર મળેલા છે.

Hide | Show

જવાબ : પન્નાલાલ પટેલને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે.


પન્નાલાલ પટેલની નોંધપાત્ર નવલકથા કઈ છે ?

Hide | Show

જવાબ : ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ વગેરે.


‘ભૂખથીય ભૂંડી ભીખ’ ના લેખકનો જન્મ ક્યા થયો હતો ?

Hide | Show

જવાબ : ‘ભૂખથીય ભૂંડી ભીખ’ ના લેખકનો જન્મ માંડલીમાં થયો હતો.


“ભૂખથીય ભૂંડી ભીખ” વાર્તાના આધારે કાળુનું પાત્રલેખન કરો.

Hide | Show

જવાબ : ભૂખથીય ભૂંડી ભીખ” નવલકથામાં મુખ્ય બે પાત્રો કાળુ અને તેની પત્ની રાજુ કેન્દ્રસ્થાને છે. કાળુ જાતિએ ખેડૂત છે માટે દુકાળની કપરી પરિસ્થિતી તેના માટે અસહ્ય અને હ્રદયદ્રાવક છે. તે ટેકીલો અને સ્વમાની વ્યક્તિત્વ ધરાવે છે. તેણે ક્યારે પોતાનો હાથ લંબાવ્યો નથી, પરંતુ આ વખતે દુકાળની ભૂખે તેની આંખો ઊંડી ઉતરી ગઈ છે. આવી સ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને અનાજ આપવાનું શરૂ કર્યું. કાળુ આ સદાવ્રતનું ધાન લેવા તૈયાર નથી. રાજુના સમજાવ્યા છતાં કાળુ પોતાની વાત પર મક્કમ રહ્યો. “દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવ્યો, ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવુંય કાળુ આવા ઉદ્દ્ગાર કાઢે છે. તે સમયે સુંદરજી શેઠ કાળુને સમજાવે છે કે સદાવ્રતનો ઓટલો વાળીને સાફ કરી, મુખિયાજી પાસેથી ગાદી તકીયા લઈ પાથરી દેવા અને આ કામના બદલામાં ખીચડીનું અનાજ લેવું. કાળુ સંમત તો થાય છે પણ તેનું મન અંદરથી માનતું નથી. દોઢ પાશેર ખીચડી ધોતીયાના છેડે બાંધી તો ખરી પણ તેને લાગે છે કે તેનું નશીબ જ કાણું છે ને ખોબોય કાણો છે. આટલા નાના ખોબામાં પેટ ભરાય તેટલું અનાજ થોડું ભરાવવાનું. આની તેના પર ખૂબ જ અસર થઈ તે આખો દિવસ લવારો કર્યો કરે છે તેનું ચિત્તભ્રમ થઈ ગયું છે. લવારી કરતાં તેણે સાફ કહ્યું “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીયે ભૂંડી ભીખ છે.” લેખકે કાળુની મનોવ્યથા વ્યક્ત કરતાં જે કહ્યું છે તે ભલભલાના હ્રદયને કંપાવી મૂકે તેવું છે “નથી વેઠતાં રામ, ભૂખોય નથી વેઠાતી, ને આ ભૂખોય માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકઈ પડ્યો.” કાળુ પડ્યો એ ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.


“ભૂખથીય ભૂંડી ભીખ” વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો?

Locked Answer

જવાબ : બાર બાર માસથી વરસાદ વરસ્યો નથી. જેઠ મહિનાના પાછલા પંદર દિવસોમાં વરસાદ વરસશે એવું ગામ લોકોનું માનવું હતું. પરંતુ મેઘરાજા તો જાણે બરાબરના રૂઠયા હતા. અષાઢના વાદળા આકાશમાં દેખાતા નથી, આકાશ ચોખ્ખાચટ છે. દૂર દૂર સુધી ક્યાંય વાદળાનું નામ નિશાન વર્તાતું નથી. અનાજના અભાવે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાનું દુ:ખ વંચાતું હતું. આમાં સૌથી વિકટ પ્રશ્ન આટલા બધા શબોને દાટવા ક્યાં તેનો ઊભો થયો હતો, તેણે બાળવા ક્યાં. દુકાળની ભૂખે માનવીના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું હતું. પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી ક્યાથી પેટ ભરાય? તેમ છતાં તમામ જાતિઓ, ભૂખથી પીડાતી જે કાંઇ મળે તે લેવા કતારમાં ગોઠવાયા હતા. અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા આ માણસોની સ્થિતિ દયાજનક હતી. લોકો પાસે પહેરવા પુરતા કપડાં નથી. દુકાળથી લોકો બેહાલ બની ગયા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન દુકાળનો અને તે સમયની ભયાનક પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર રજૂ કરે છે.


રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો?

Locked Answer

જવાબ : ગામમાં સો લોકો દુકાળની ભીષણ પરિસ્થિતિથી પરેશાન અને દુ:ખી છે. આમાં કાળુની પત્ની રાજુની મનોવ્યથામાં કરૂણા અને લાચારી વધુ જોવા મળતી હતી. તેનો પતિ કાળુ સ્વમાની અને ટેકીલો હતો તેણે સમજાવવો અને ગમે કે ન ગમે પણ ભીખ માંગવા સદાવ્રતમાં જવાનું. જોકે રાજુએ સમયની જરૂરીયાત અને વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. “આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શેની?” પરંતુ આ વાત કાળુને સમજાવવી સહેલી નથી. તે કાળુ પાસે કરગરે છે, પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી માટે કાળુને કહે છે “મનેય તમારે ભૂખે મારી નાખવી છે?” આવું કહીને કાળુને પોતાની સાથે સદાવ્રતનું અનાજ લેવા આવવા મજબૂર કરે છે. રાજુ એ વાત બરાબર સમજે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઇ વળવાનું નથી. રાજુની સમજાવટ સામે કાળુ કહે છે. “આજે હાથ ધરવા દોઢ પાશેર ખીચડી માટે. ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવુંય” તથા “આપણું કપાળેય કાણું છે તે આ ખોબોય કાણો નીકળ્યો” કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી છતાં કાળુને ચિડાઈને ઠપકારૂપે કહે છે. “ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દો “આપણા ગુમાન અને આત્માનેય ઓગળી નાખે છે, પાણી કરી દે છે.” રાજુને બેચેન કરી મૂકે છે. તે કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલતી “છાનામાના ઘરે હેંડો” એમ બોલતાં રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક બાજુ કાળુને સાચવવાની ચિંતા તો બીજી તરફ ભૂખની પીડાથી ઘેરાયેલી રાજુની મનોવ્યથા કાળજું કંપાવી દે છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

અદેખાઈ - ઈર્ષ્યા, બીજાનું સારું જોઇને થતી દ્વેષની લાગણી
છપના - છપ્પનીયો દુષ્કાળ (સંવત 1956 નો દુકાળ)
શાળ - શાલિ, ડાંગર, કમોદ, કંગાળ, દરિદ્ર, ગરીબ
હાર - કટાર, લાઈન

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

લાટ - મોટા સાહેબ, સત્તાધીશ
આણેલા - લાવેલા
સોગન - સોગંદ, કસમ
આભલું - આકાશ, વાદળ
આલવું - આપવું
મલક - દેશ, મુલક
ધરમ - ધર્મ
હેંડો હેંડો - ચાલો ચાલો
પાશેર - પા
પરથમી - પૃથ્વી
ફડક - પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
પલ્લો - પ્રલય, વિનાશ
વાહે - લીધે
નઈ - નહીં
ધિક્ - ધિક્કાર
પેટિયું - રોજી, પેટના માટે મજૂરી કરનારૂ
ભૂંડું - ખરાબ
લાગ - તક

વિરૂધ્ધાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

ધરતી - આકાશ
સવાલ - જવાબ
સુવાળું - બરછટ, ખરબચડું
દરિદ્ર - અમીર
સહ્યા - અસહ્યા
સદ્દભાગ્ય - દુર્ભાગ્ય

રૂઢીપ્રયોગો

Locked Answer

જવાબ :

ચાલતા થવું - મૃત્યુ પામવું.
પગ જડાઈ જવા - સ્તબ્ધ થઇ જવું, સ્થિર થઇ જવું.
આંખો ભીની થવી - લાગણીશીલ થઇ જવું.

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

મરણ પાછળ રોવું, કુટવું અથવા લૌકિક - કાણ
સગાસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેમાં પાળવામાં આવતું અલગપણું - સૂતક
મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાધ્ધ કરવું - સરાવવું
અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર - કોઠાર
પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા - ક્ષિતિજ

Download PDF

Take a Test

Choose your Test :

ભૂખથીય ભૂંડી ભીખ

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.