GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

મારગની ધૂળને કવિ શું પુછે છે?

Hide | Show

જવાબ : મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે?”


પાતાળમાં કોણ પરખાય છે?

Hide | Show

જવાબ : પાતાળમાં હરિવર પરખાય છે.


રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે...

Hide | Show

જવાબ : રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે રાતરાણીને બહાવરી બનેલી રાત્રિનાં પગલાંનો સ્પર્શ થયો છે.


જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે?

Hide | Show

જવાબ : ચંન્દ્રના કિરણોનું તેજ યમુના નદીના જળમાં રેલાઈ રહ્યું છે.


માધવને દીઠો છે ક્યાંય ? કાવ્યના લેખક્નો પરિચય આપો.

Hide | Show

જવાબ : આ કાવ્યના લેખક હરીન્દ્ર દવે છે તેઓ કચ્છના ખંભરાના વતની છે. વ્યવસાયે તેવો પત્રકાર હતા. કવિતા, નાટક, વિવેચન, નિબંધ જેવાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી, જેવા કાવ્યસંગ્રહો તેમણે લખ્યા છે. તેઓ મુખ્યત્વે કવિ છે, તેમના ગીતોમાં માધુર્ય ખાસ ધ્યાન ખેંચે છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ કયાંય દીઠો નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેઓને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયેલા છે.


બાળકૃષ્ણના કયા પ્રતિકોને સૂર કૃષ્ણની શોધમાં જોડે છે.

Hide | Show

જવાબ : સૂર વાંસળીથી વિખૂટો પડીને કદંબની છાયાને, યમુનાના વહેણને, રાધાની આંખની ઉદાસીમાં, ઉડતા મોરપિચ્છમાં જેવા બાળકૃષ્ણ સાથે જોડાયેલાં પ્રતિકોમાં સૂર કૃષ્ણને શોધે છે.


કવિએ માધવને દીઠો છે ક્યાંય, કાવ્યમાં કૃષ્ણ વિયોગને કેવી રીતે વર્ણવ્યો છે.

Hide | Show

જવાબ : કવિએ યમૂનાના મૂંગા વહેણમાં, રાધાની આંખની ઉદાસીમાં, ચાંદની સાથે રાતરાણીમાં, મોરપિચ્છ સાથે સુંવાળા રંગમાં અને આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણ વિરહ અને વિયોગને તિવ્ર બનાવી દર્શાવ્યો છે.


માધવ દીઠો છે ક્યાંય, કાવ્યમાં આખરે સૂરને કયાં કૃષ્ણ હોવાની આશા છે.

Hide | Show

જવાબ : સૂર કૃષ્ણને દરેક એવી જગ્યાએ જોવા જાય છે જ્યાં કૃષ્ણ હોવાની ખૂબજ આશા હોય, પરંતુ તેમાં સૂરને સફળતા મળતી નથી, આખરે સૂર યમુના નદીના કિનારે આવે છે અને નદીના નીરમાં ચાંદનીનો પ્રકાશ ઝળહળે છે તે જોઈને સૂરને એવું લાગે છે કે આવી તેજ્સ્વીતા તો કૃષ્ણમાં જ હોય અને તેને નદીના નીરની અંદર પાતાળમાં કૃષ્ણ હોવાની આશા બંધાય છે.


માધવ દીઠો છે ક્યાંયઊર્મિગીતના કવિ કોણ છે ?

Locked Answer

જવાબ : માધવ દીઠો છે ક્યાંયઊર્મિગીતના કવિ હરીન્દ્ર દવે છે.


કોનું તેજ જળમાં રેલાય છે ?

Locked Answer

જવાબ : ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાય છે.


રાતરાણી ઝાકળથી કેમ ન્હાય છે ?

Locked Answer

જવાબ : રાતરાણીને બહારવી રાત્રિનાં પગલાંનો સ્પર્શ થયો છે માટે તે ઝાકળથી ન્હાય છે.


પાતાળમાં કોણ પરખાય છે ?

Locked Answer

જવાબ : હરિવર પાતાળમાં પરખાય છે.


મારગની ધૂળને વાંસળીના સૂર શું પુછે છે ?

Locked Answer

જવાબ : મારગની ધૂળને વાંસળીના સૂર પુછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે.


શ્યામના નામના ચંદ્રનાં કિરણોનું તેજ ક્યાં રેલાય છે ?

Locked Answer

જવાબ : શ્યામના નામના ચંદ્રનાં કિરણોનું તેજ જળમાં રેલાય છે.


કોણ મોરલીના આભમાં ઊગે છે ?

Locked Answer

જવાબ : શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઊગે છે.


રાતરાણી શેનાથી ન્હાય છે ?

Locked Answer

જવાબ : રાતરાણી ઝાકળથી ન્હાય છે.


કવિને પાતાળમાં કોણ દેખાય છે.

Locked Answer

જવાબ : કવિને પાતાળમાં શ્રીકૃષ્ણ દેખાય છે.


કવિને મોરલીના આભમાં શું ઉગતું દેખાય છે.

Locked Answer

જવાબ : કવિને મોરલીના આભમાં ચંન્દ્ર ઉંગતો દેખાય છે.


બાળકૃષ્ણના કયા પ્રતિકોનો કવિએ આ ગીતમાં ઉલ્લેખ કર્યો છે.

Locked Answer

જવાબ : બાળકૃષ્ણના યમુના, મોરપિચ્છ અને કદંબ જેવા પ્રતિકોનો કવિએ આ ગીતમાં ઉલ્લેખ કર્યો છે.


શ્રીકૃષ્ણના વિરહમાં કોની આંખોમાં ઉદાસી દેખાય છે.

Locked Answer

જવાબ : શ્રીકૃષ્ણના વિરહમાં રાધાની આંખોમાં ઉદાસી દેખાય છે.


વાંસળીનો સૂર કોનાથી વિખૂટો થઈ ગયો છે.

Locked Answer

જવાબ : વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો થઈ ગયો છે.


‘માધવ’ કોનું ઉપનામ છે.

Locked Answer

જવાબ : ‘માધવ’ શ્રીકૃષ્ણનું ઉપનામ છે.


કોણ ઉડીને આવે તેવું કવિ માધવને દીઠો છે ક્યાંય માં ઈચ્છે છે.

Locked Answer

જવાબ : મોરપિંચ્છ ઉડીને આવે તેવું કવિ માધવને દીઠો છે ક્યાંય માં ઈચ્છે છે.


ક્યું વાજિંત્ર અને કૃષ્ણ અવિનાભાવી બની જોડાયેલા છે.

Hide | Show

જવાબ : વાંસળી અને કૃષ્ણ અવિનાભાવી બની જોડાયેલા છે.


રાધાની આંખોની ઉદાસીને કઈ નદી સાથે સરખાવવામાં આવે છે.

Hide | Show

જવાબ : રાધાની આંખોની ઉદાસીને યમુના નદી સાથે સરખાવવામાં આવે છે.


‘માધવને દીઠો છે ક્યાંય’ ઊર્મિગીતના લેખક કોણ છે ?

Hide | Show

જવાબ : ‘માધવને દીઠો છે ક્યાંય’ ઊર્મિગીતના લેખક હરીન્દ્ર દવે છે.


કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ?

Hide | Show

જવાબ : કવિ મોરપિંચ્છનાં ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.


રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ?

Hide | Show

જવાબ : રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ માટેનો વિરહ છે.


કોના સૂર કૃષ્ણને શોધતા હોય છે ?

Hide | Show

જવાબ : વાંસળીના સૂર કૃષ્ણને શોધતા હોય છે.


‘માધવ દીઠો છે ક્યાંય’ નો સાહિત્ય પ્રકાર કયો છે ?

Hide | Show

જવાબ : ‘માધવ દીઠો છે ક્યાંય’ નો સાહિત્ય પ્રકાર ઊર્મિગીત છે.


માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દો માં લખો.

Hide | Show

જવાબ : માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા માધવને દીઠો છે ક્યાંય?” ગીતના પ્રારંભમાંજ આપણને જોવા મળે છે. કૃષ્ણ અને વાંસળીના સૂર વચ્ચેનો સંબંધ અદભૂત અને અવિનાભાવી છે. તે અવિભાવી સૂર કૃષ્ણથી વિખૂટો થઈ જવાથી કૃષ્ણની વિરહની આગમાં તપતાં તે સૂરે ક્રૃષ્ણને શોધવાની તૈયારી કરી છે. આ સૂર બાળપણમાં કૃષ્ણ સાથે જોડાયેલાં દરેક સજીવ નિર્જીવ પદાર્થોને પાસે જઈને મારા માધવને દીઠો છે ક્યાંય? આવો પ્રશ્ન પુછે છે. તેને વિશ્વાસ છે કે કૃષ્ણ તેને ક્યાંયથી તો મળશે જ, આથી તે પુછવાની શરૂઆત મારગની ધૂળથી કરે છે. ધૂળ પાસેથી કોઈ જવાબ ન મળતાં તે સૂર યમૂનાના વહેણને પૂછતા તેની પાસે જાય છે. ત્યાં તે યમૂનાના મૂંગા વહેણ અને રાધાની આંખોની ઉદાસી જોઈને તેને નિરાશા થાય છે. પવનની લહેર પણ સૂરને વ્યાકુળ કરે છે. તે રાતરાણીને ઝાકળમાં નહાતી જુવે છે. આમ છતાં વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઝંખના પૂર્ણ થતી નથી. આખરે સૂરમાં એક આશાનું કિરણ ઉગે છે. સૂરને તેની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્રમા ઉગતો દેખાય છે, તથા તે ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે સૂરને પાતાળમાં હરિવર પરખાય છે. અને ત્યાં સૂરની ઉત્કંઠા પરીપૂર્ણ થાય છે.


કાવ્ય પંક્તિ સમજાવો.

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક

ઢૂંઢે કદંબની છાંય,

મારગની ધૂળને ઢંઢોળીને પૂછે,

મારા માધવને દીઠો છે ક્યાંય?

Locked Answer

જવાબ : વાંસળી અને સૂર એક બીજાના પૂરક અને અભિન્ન છે. તેઓ અલગ અસ્તિત્વ નથી ધરાવી શક્તાં. અહીં માધવને દીઠો છે ક્યાંય? આ ઊર્મિગીતમાં ઉપરોક્ત પંક્તિમાં સૂર વાંસળીથી છૂટો પડી ગયો છે. છૂટો પડેલો આ સૂર વાંસળી એટલે કે કૃષ્ણને કદંબના વૃક્ષની છાયામાં શોધે છે. ત્યાંથી કોઈ ઉતર ના મળતાં વિરહમાં ડૂબેલા સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયો છે? આમ કવિ આ પંક્તિઓથી આવો ભાવ દર્શાવે છે.


સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

વિખૂટું – અલગ, જુદું પડેલું

સુર – સ્વર

કદંબ – એક વૃક્ષ જેના પર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા

લે’રખી – પવનની લહેર

વિભાવરી – રાત્રિ, નિશા

ઉજાસ – અજવાળું

પરખાય – ઓળખાય

માધવ – કૃષ્ણ, શ્યામ

મયંક – ચંદ્ર

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

મારગ – માર્ગ, રસ્તો

વિરૂધ્ધાર્થી શબ્દો

Locked Answer

જવાબ :

સાંજ – સવાર

ઉજાસ – અંધકાર

Download PDF

Take a Test

Choose your Test :

માધવને દીઠો છે ક્યાંય ?

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.