જવાબ : (i) એકદળી મૂળ અને દ્વિદળી મૂળ
(ii) એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ
જવાબ : વનસ્પતિના તરુણ પ્રકાંડના અનુપ્રસ્થ છેદના સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિરીક્ષણમાં જો દઢોતકીય અધ:સ્તર, આધાર પેશીનું બાહ્યક, અંત:સ્તર, પરિચક્ર, મજ્જામાં વિભેદન ન જોવા મળે, દઢોતકીય પુલકંચૂકથી ધેરાયેલા વેરવિખેર વાહિપુલ જોવા મળે તો એકદળી પ્રકાંડ. જ્યારે સ્થૂલકોણીય અધ:સ્તર, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જામાં વિભેદન તેમજ વાહિપુલ વલયાકરે ગોઠવાયેલા જોવા મળે તો દ્વિદળી પ્રકાંડ નક્કી થશે.
જવાબ : એકદળી (મકાઈ) પ્રકાંડ
જવાબ : જલવાહક જલવાહિનિકી, જલવાહિની, જલવાહક મૃદૂતક અને જલવાહક તંતુ જ્યારે અન્નવાહક ચાલનીકોષ, ચાલનીનલિકા, સાથીકોષ, અન્નવાહક મૃદૂતક અને અન્નવાહક તંતુ જેવા એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોવાથી જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે.
જવાબ : સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોના નામ તેમજ દરેક તંત્રમાં પેશીનાં નામ નીચે પ્રમાણે છે.
પેશીતંત્રો |
દરેક તંત્રોમાં પેશીનાં નામ |
|
મૃદૂતક |
|
મૃદૂત્તક, સ્થૂલકોણક, દઢોતક |
|
જલવાહક, અન્નવાહક |
જવાબ : વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંત:સ્થ રચનાશાસ્ત્ર કહે છે. તેનો અભ્યાસ આપણને નીચે પ્રમાણે ઉપયોગી છે.
જવાબ : હરિતકણોતકનાં કાર્યો નીચે પ્રમાણે છે.
જવાબ : એધાવલયની અંદરની બાજુએ થતા વિભાજનથી ઉત્પન્ન થતા કોષો દ્વિતીય જલવાહકમાં અને બહારની બાજુએ થતા વિભાજનથી ઉત્પન્ન થતા કોષો દ્વિતીય અન્નવાહકમાં વિભેદન પામે છે.
જવાબ : દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધા દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકની વચ્ચેથી ત્રિજ્યાવર્તી (અરીય) રીતે પસાર થતી રે મૃદૂતક કોષોની બનેલી સાંકડી પટ્ટીઓ બનાવે છે, તેને દ્વિતીયક મજ્જાંશુઓ કહે છે.
જવાબ : સખત (મધ્ય) કાષ્ઠની લાક્ષણિકતાઓ :
જવાબ : ઘરડા પ્રકાંડની દ્વિતીય જલવાહકનો મોટો ભાગ ઘેરા બદામી રંગનો બને છે. કારણ કે તેના પર ટેનિન, રેસિન, ગુંદર, તૈલી દ્રવ્યો અને અન્ય વિષમ ચક્રીય કાર્બનિક દ્રવ્યો જમા થાય છે.
જવાબ : વાહિએધાની ક્રિયાશીલતાને કારણે પ્રકાંડની જાડાઈમાં થતા વધારાથી બાહ્યક અને અધિસ્તરીય પડ પર દબાણ વધે છે. આ સ્તરો તૂટવાથી બાહ્યક પ્રદેશમાં દ્વિતીય વર્ધનશીલ પેશીઓ બને છે, તેને ત્વક્ષેધા વિકાસ કહે છે.
જવાબ : ત્વક્ષેધાની બહારની બાજુએ નવા બનતા કોષો તેમનું દ્રવ્ય ગુમાવી, હવા ભરેલા અને સપાટીને અરીય રીતે ગોઠવાઈ મૃત અપ્રવેશશીલ સ્તર બનાવે છે. આ સ્તરને છાલ કહે છે.
જવાબ : ના, આ વાક્ય ખોટું છે. ત્વક્ષૈધા ખરેખર બે પ્રકારની પેશીઓ બનાવે છે. બહારની તરફ ત્વક્ષાનું નિર્માણ કરે છે. ત્વક્ષાના કોષોની દીવાલ પર સુબેરિન જમા થતાં પાણી માટે અપ્રવેશશીલ બને છે. જ્યારે અંદરની તરફ ઉપત્વક્ષા(દ્વિતીયક બાહ્યક)નું નિમણિ કરે છે. તેના કોષો મૃદૂતકીય હોય છે.
જવાબ :
મકાઈના પ્રકાંડના આધારોતકની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે:
જવાબ : મકાઈના પ્રકાંડના વાહિપુલમાં આદિદારુની નીચે આવેલા પાણી ભરેલા કોટરને ભંગજાત વિવર કહે છે. તે છેડાના કેટલાક આદિદારુ અને જલવાહક મૃદૂતક કોષોના વિધટનથી સર્જાય છે.
જવાબ : કક્ષકલિકામાં ગોઠવાયેલી અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી પુષ્પ અને શાખાનું નિર્માણ થાય છે.
જવાબ : વનસ્પતિ અંતઃસ્થ રચનાનો અભ્યાસ વર્ગીકરણ, ઉદ્વિકાસ, અશ્મિ વિદ્યા અને વિવિધ કાષ્ઠ(લાકડા)ની નીપજો ઉત્પાદન સંબંધિત પ્રશ્નોના નિવારણમાં ઉપયોગી છે.
જવાબ : દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડ અને મૂળના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, તેને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે.
જવાબ : ત્વક્ષૈધાનું સ્થાન વૃક્ષની છાલની નીચે હોય છે.
જવાબ : પ્રાથમિક અને દ્વિતીયક વર્ધનશીલ પેશીના કોષોમાં વિભાજન થવાથી ઉત્પન્ન થતા નવા કોષો રચના અને કાર્યની દષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન ક્ષમતા ગુમાવે છે. આવા કોષો સ્થાયી કોષો તરીકે ઓળખાય છે.
જવાબ : સરળ પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે. જ્યારે જટિલ પેશી રચનાત્મક અને કાયત્મિક લાક્ષણિકતાઓ ધરાવતા વિવિધ પ્રકારના કોષોની બનેલી છે.
જવાબ :
મૃદૂતક વનસ્પતિનાં વિવિધ અંગો-મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળમાં જોવા મળે છે. મૃદૂતકનાં કાર્યો : પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ.
જવાબ :
સ્થૂલકોણક પેશીના કોષોની અંદરની દીવાલ સેલ્યુલોઝ, હેમિસલ્યુલોઝ પૅક્ટિનનું સ્થૂલન દર્શાવે છે. આ પ્રકારનું સ્થૂલન પેશીકાષો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, ત્યાં વધુ પ્રમાણમાં હોય છે.
જવાબ : સ્થૂલકોણક પેશી મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિના હવાઈ કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં આવેલી છે. એકદળી વનસ્પતિઓમાં અને વનસ્પતિના ભૂમિગત ભાગોમાં તેનો અભાવ હોય છે.
જવાબ : મૂળમાં અધિસ્તરના કોષો મુખ્યત્વે પાણી અને ખનીજ ક્ષારોના શોષણ સાથે સંકળાયેલા છે અને ક્યુટિકલ અપ્રવેશશીલ પડ બનાવે છે. આથી મૂળના અધિસ્તર પર ક્યુટિકલનો અભાવ હોય છે.
જવાબ : સ્થાન: વનસ્પતિનાં હવાઈ અંગો(પ્રકાંડ અને પર્ણ)ના અધિસ્તરના કોષોની સપાટી પર. કાર્યઃ તે પાણીના વ્યયને અટકાવે છે.
જવાબ : મૂળના મૂલાધિસ્તરના કેટલાક કોષો નળાકાર બહિરુદ્ભેદ સ્વરૂપે એકકોષી અધિસ્તરીય રોમ સર્જે છે, તેને મૂળરોમ કહે છે.
જવાબ : પ્રકાંડરોમ બહુકોષીય હોય છે. તે બાપ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવવામાં મદદરૂપ છે.
જવાબ : પર્ણ અને તરુણ પ્રકાંડનું અધિસ્તર અસંખ્ય છિદ્રો ધરાવે છે, તેને વાયુરંધ્ર કહે છે. વાયુરંધ્ર, રક્ષકકોષો અને સહાયક કોષો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધનનું નિર્માણ કરે છે.
જવાબ : અધઃસ્તર, મુખ્ય બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર અને મજ્જા વગેરે આધાર પેશીતંત્રનું નિર્માણ કરતા ભાગો છે.
જવાબ : સ્થાન: અધઃસ્તર અધિસ્તરની નીચે આવેલું છે. રચના: અધઃસ્તરની રચનામાં સ્થૂલકોણક પેશી આવેલી છે. કાર્ય : તે રક્ષણ તેમજ યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છ.
જવાબ : પર્ણની આધારોતક હરિતકણ ધરાવતા પાતળી દીવાલવાળા કોષોની બનેલી હોય છે, તેને પર્ણમધ્ય પેશી કહે છે.
જવાબ : વાહિપુલમાં જલવાહિની અને અન્નવાહિનીની વચ્ચે એધા (પાર્શ્ચીય વર્ધનશીલ પેશી) હાજર હોય, તો તેને ખુલ્લા વાહિપુલ કહે છે. જો વાહિપુલમાં એઘા ગેરહાજર હોય, તો તેને બંધ વાહિપુલ કહે છે.
જવાબ : પર્ણની આધારોતક પેશી હરિતક્ણોતક પેશીની બનેલી છે, તેને મધ્યપર્ણ કહેવાય.
જવાબ : વાયુરંધ્ર છિદ્ર રક્ષકકોષો અને સહાયક કોષો ભેગા મળી વાયુરંધ્ર પ્રસાધનનું નિર્માણ કરે છે.
જવાબ :
જવાબ :
વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્યબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પુરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા (Cork Cambium or Phellogen) કહે છે.
ત્વક્ષૈધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વક્ષેધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષા(Cork or Phellem)માં વિભેદિત થાય છે. જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષા(Secondary Cortex or Phelloderm)માં વિભેદન પામે છે.
કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્રિતીય બાહ્યકના કોષો મૃદુત્તકીય છે. ત્વક્ષેધા (Phellogen), ત્વક્ષા (Phellem) અને ઉપત્વક્ષા (Phelloderm) એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક (Periderm) તરીકે ઓળખાય છે.
ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે, ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે. છાલ (bark) એ અપ્રવિધિય (non-technical) શબ્દ છે કે જે દ્રિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે, તેથી છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (early bark) કે નરમ છાલ (late bark) કહે છે. ઋતુની અંતમાં તે માજી છાલ કે સખત છાલમાં પરિણમે છે.
ત્વક્ષેધા નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુત્તક કોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુત્તકીય કોષો ત્વરિત રીતે ભંગાણ (rupture) પામી બહિર્ગોળ આકાર ની ખુલ્લી રચના બનાવે છે જેને વાતછિદ્રો કહે છે. વાતછિદ્રો દ્રારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. તેઓ મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષોમાં હોય છે.જવાબ : વાહિએધા (Vascular Cambium) :
વર્ધનશીલ સ્તર કે જે વાહકપેશીઓ-જલવાહક (xylem) અને અન્નવાહક (phloem)ના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિએધા કહે છે. તરુણ પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓ(patches)માં તેની હાજરી હોય છે. ત્યારબાદ તે સંપૂર્ણ વલય(ring)માં પરિણમે છે. એધાવલયનું નિર્માણ (Formation of Cambial ring) : દ્વિદળી પ્રકાંડમાં, પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે એધાના કોષો આવેલા હોય છે તેને અંતઃપુલીય (Intrafascicular cambium) એધા કહે છે. મજ્જાંશુ કે મજ્જાકિરણોના કોષો અંતઃ પુલીય એધાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપુલીય એધા (Interfascicular cambium)નું નિર્માણ કરે છે. આથી, અંતઃપુલીયએધા અને આંતરપુલીય એધાની ક્રિયાશીલતા જોડાઈ સળંગ એધાવલય(cambium ring)નું નિર્માણ કરે છે. દ્વિતીય પેશીઓનું નિર્માણ : એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિવક્વન પામે છે અને પરિઘવતી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે. સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે, દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્રિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો બને છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ જાય છે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ રહે છે. એધા કેટલીક જગ્યાએ, દ્વિતીયક જલવાહક અને દ્વિતીય અન્નવાહકમાંથી પસાર થતી અરીય દિશામાં લંબાયેલી મૃદુત્તક કોષોની સાંકડી પટ્ટીઓ બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જાકિરણો છે. (આકૃતિ નીચે મુજબ)જવાબ : વાયુરંધ્ર પ્રસાધન (Stomatal apparatus) :
વાયુરંધ્ર છિદ્ર, રક્ષકકોષો અને તેમની આસપાસ સહાયક કોષો ભેગા મળીને બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન કહે છે. વાયુરંધ્રની રચના : પર્ણ અને તરુણ પ્રકાંડનું અધિસ્તર અસંખ્ય છિદ્રો ધરાવે છે. તેને વાયુરંધ્રો કહે છે. વાયુરંધ્ર બે રક્ષકકોષો દ્વારા ધેરાયેલ અધિસ્તરીય છિદ્રમય રચના છે. રક્ષકકોષો હરિતકણ ધરાવે છે. રક્ષકકોષોની છિદ્ર તરફની દીવાલો ખૂબ જ જાડી જ્યારે બહારની દીવાલો પાતળી છે. વાયુરંધ્રોના ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષકકોષો કરે છે.જવાબ :
વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્યબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પણ દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પુરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે જેને ત્વક્ષીયએધા કે ત્વક્ષેધા (Cork Cambium or Phellogen) કહે છે.
ત્વક્ષૈધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વક્ષેધા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષા(Cork or Phellem)માં વિભેદિત થાય છે. જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષા(Secondary Cortex or Phelloderm)માં વિભેદન પામે છે.
કોષદીવાલમાં સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્રિતીય બાહ્યકના કોષો મૃદુત્તકીય છે. ત્વક્ષેધા (Phellogen), ત્વક્ષા (Phellem) અને ઉપત્વક્ષા (Phelloderm) એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક (Periderm) તરીકે ઓળખાય છે.
ત્વક્ષેધાની ક્રિયાશીલતાને કારણે, ત્વક્ષેધાથી પરિઘવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે. છાલ (bark) એ અપ્રવિધિય (non-technical) શબ્દ છે કે જે દ્રિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે, તેથી છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (early bark) કે નરમ છાલ (late bark) કહે છે. ઋતુની અંતમાં તે માજી છાલ કે સખત છાલમાં પરિણમે છે.
ત્વક્ષેધા નિયત જગ્યાએ વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુત્તક કોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુત્તકીય કોષો ત્વરિત રીતે ભંગાણ (rupture) પામી બહિર્ગોળ આકાર ની ખુલ્લી રચના બનાવે છે જેને વાતછિદ્રો કહે છે. વાતછિદ્રો દ્રારા બહારના વાતાવરણ અને પ્રકાંડની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. તેઓ મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષોમાં હોય છે.જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
રચના, ઉત્પતિ અને વિકાસની વિવિધતાને આધારે દઢોત્તક પેશી એ બે પ્રકારની હોય છે. તંતુઓ કે અષ્ઠિકોષો. તંતુઓ એ પાતળી દીવાલવાળા, લંબાયેલા અને અણીવાળાવાળા કોષો છે અને સામાન્ય રીતે વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહોમાં આવેલા છે. અષ્ઠીકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર છે અને ખૂબ જ સાંકડા અવકાશ ધરાવતા અતિશય સ્થૂલિત મૃત કોષો છે. તેઓ સામાન્યતઃ કાચલ(કવચયુક્ત ફળ)ના ફ્લાવરણમાં; જામફળ, નાસપતિ અને ચીકુ જેવા ફળોના ગર પ્રદેશમાં; શિમ્બી વનસ્પતિઓના બીજાવરણમાં અને ચાના પર્ણોમાં જોવા મળે છે. દઢોત્તક પેશી અંગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે.
જવાબ :
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.