જવાબ :
ચેતાકોષની રચના
જવાબ :
માનવ મગજનો આયામ છેદ દર્શાવતી આકૃતિ
જવાબ :
આંખના ભાગો દર્શાવતી રેખાકૃતિ
જવાબ :
કાનનો રેખાંકિત દેખાવ
જવાબ : કોર્ટિકોય સંવેદી કોષોનું હલનચલન થતાં, ઊર્મિવેગોનું વહન કર્ણચેતા દ્વારા બૃહદ્ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં થાય છે. જ્યાં અવાજ ઓળખાય છે.
જવાબ : માનવ મગજનો બૃહદ્ મસ્તિષ્ક ભાગ સૌથી વધુ વિકસિત છે.
જવાબ : પિનિયલ ગ્રંથિ બૃહદ્ મસ્તિષ્કના ગોળાર્ધની વચ્ચે કેલોસમકાયની નીચે છે. તે મેલેટોનીન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જૈવિક ધડિયાળનું કાર્ય કરે છે.
જવાબ : મસ્તિષ્ક ચેતાઓ : મગજના વિસ્તારમાંથી નીકળતી ચેતાઓને મસ્તિષ્ક ચેતાઓ કહે છે. તે સંવેદી, ચાલક અને મિશ્ર પ્રકારની હોય છે. કરોડરજ્જુ ચેતાઓ : કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓને કરોડરજ્જુ ચેતાઓ કહે છે. તે મિશ્ર પ્રકારની હોય છે.
જવાબ : મજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન : મજ્જિત ચેતાતંતુઓ સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને રેનવીયરની ગાંઠ કહે છે. ઊર્મિવેગનું વહન રેન્વિયરના એક પ્રદેશથી બીજા પ્રદેશ પર કુદકામય રીતે થાય છે.છે. પ્રસરણ ઝડપી હોય છે. અમજિજિત ચેતાતંતુમાં ઊર્મિવેગનું વહન : અમજ્જિત ચેતાતંતુ સ્વૉનના કોષ દ્વારા આવરિત હોય છે. પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવતા નથી અને તે સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં મળી આવે છે. તેમાં પ્રસરણ ધીમું અને સળંગ થાય છે.
જવાબ : તરલરસ : પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર કહે છે. તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. જેને તરલરસ (Aqueous humor) કહે છે. કાચરસ : નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર કહે છે. આ પારદર્શક પ્રવાહી દ્વારા ભરાયેલ હોય છે. જેને કાચરસ કહે છે.
જવાબ : અંતર્વાહી ચેતાઓ : અંતર્વાહી ચેતાતંતુઓ ઊર્મિવેગનું વહન પેશીઓ કે અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) તરફ કરે છે. બહિર્વાહી ચેતાઓ : બહિર્વાહી તંતુઓ નિયામક ઊર્મિવેગોનું મધ્યસ્થ ચેતાતંત્રથી સંબંધિત પરિઘવર્તી પેશીઓ કે અંગો તરફ વહન કરે છે.
જવાબ : અંધ બિંદુ : દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ કહે છે. પિત્ત બિંદુ: આંખના પશ્વ ધ્રુવમાં, અંધ બિદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું રંગકણના બિંદુને પિત્તબિંદુ કહે છે.
જવાબ :
શિખાતંતુ |
ચેતાક્ષ |
1 ટૂંકા તંતુઓ કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થાય છે અને કોષકાયની બહાર નીકળે છે અને નિઝલની કર્ણીકાઓ ધરાવે છે તેને શિખાતંતુઓ કહે છે. | 1 કોષકાયના પશ્વ છેડેથી એક પ્રવર્ધ નીકળે છે. જેને ચેતાક્ષ કહે છે. |
2 તે ઊર્મિવેગોને કોષકાય તરફ મોકલે છે. | 2 તે કોષકાયથી પ્રતિચાર અંગો તરફ ઊર્મિવેગનું વહન કરે છે. |
જવાબ :
મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) |
પરિઘવર્તી ચેતાતંત્ર (PNS) |
1 મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. | 1 પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. |
2 તે શરીરની મધ્ય પૃષ્ઠ લંબ ધરીએ આવેલુ હોય છે. | 2 તે શરીરની બહાર પરિધીય વિસ્તારમાં અંગોના અંતિમ છેડા સુધી પ્રસરેલુ હોય છે. |
3 તે માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ કરે છે. | 3 દૈહિકતંત્ર કંકાલસ્નાયુઓ, ત્વચા અને સાંધાઓનું નિયમન કરે છે. સ્વયંવર્તી ચેતાતંત્ર અન્ય અંગોનું નિયંત્રણ કરે છે. |
જવાબ :
વિશ્રામી ક્લાવીજસ્થિતિમાન |
સક્રિય કલાવીજસ્થિતિમાન |
1 આવા ચેતાતંતુની સ્થિતિને ધ્રુવીકૃત સ્થિતિ કહે છે. | 1 આમાં ચેતાતંતુની સ્થિતિ વિધ્રુવીકૃત હોય છે. |
2 ચેતાતંતુના રસસ્તરની અંદર ઋણવીજભાર અને બહાર ધનવીજભાર હોય છે. | 2 ચેતાતંતુના રસસ્તરની અંદર ધનવીજભાર અને બહાર ઋણવીજભાર હોય છે. |
જવાબ :
મજ્જિત ચેતાક્ષો |
અમજ્જિત ચેતાક્ષો |
1 તે સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. જે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. | 1 તે સ્વૉનના કોષો દ્વારા આવૃત હોય છે. પરંતુ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવતા નથી. |
2 તેમાં રેન્વિયરની ગાંઠ હોય છે. | 2 તેમાં રેન્વિયરની ગાંઠ હોતી નથી. |
3 મગજ અને કરોડરજ્જુ ચેતાઓ મજ્જિત ચેતાક્ષ ધરાવે છે. | 3 તે સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે. |
જવાબ :
બૃહદ્ મસ્તિષ્ક |
અનુમસ્તિષ્ક |
1 બૃહદ્ મસ્તિષ્ક અગ્ર મગજનો ભાગ છે. | 1 અનુમસ્તિષ્ક પશ્વ મગજનો ભાગ છે. |
2 તે માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. | 2 તેની સપાટી ગૂંચળામય હોય છે. |
3 તે જટિલ કાર્યો, વાતચીત માટે જવાબદાર હોય છે. | 3 તે ધણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે. |
4 યાદશક્તિ, સમજશક્તિ, જ્ઞાનપ્રાપ્તિ, સર્જનાત્મક કૌશલ્ય અને ઐચ્છિક હલનચલન માટે જવાબદાર છે. | 4 સ્નાયુક્રિયા, દોડવું, વાતચીત અને ટાઈપક્રિયાનું નિયંત્રણ કરે છે. |
જવાબ :
દંડકોષ |
શંકુકોષ |
1 તે દંડ આકારના જોવા મળે છે. | 1 તેનો આકાર કોન (Cone) જેવો હોય છે. |
2 ર્હોડોપ્સિન નામના જાંબલી રંગના રંજકકણો ધરાવે છે. | 2 તે આયડોપ્સિન રજકણો ધરાવે છે. |
3 તે વધુ સંવેદનશીલ હોય છે. | 3 તે પ્રમાણમાં ઓછા સંવેદનશીલ હોય છે. |
4 તે મંદ પ્રકાશમાં અને રાત્રે કામ કરે છે. | 4 તે દિવસના પ્રકાશમાં કામ કરી સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે છે. |
જવાબ :
મધ્યપટલ |
નેત્રપટલ |
1 તે સંયોજક પેશી અને રુધિરવાહીનીનું બનેલું હોય છે. તે સિલિયરીકાય અને કનીનિકા ધરાવે છે. | 1 અંદરના સ્તરને નેત્રપટલ કહે છે. અને તે કોષોના ત્રણ સ્તરો ધરાવે છે. |
2 તે રુધિરવાહિની ને પોષણ આપે છે અને કનીનિકાનું કાર્ય કૅમેરાના લેન્સના પટલ જેવું હોય છે. | 2 તે પ્રકાશના કિરણો આપાત થયા બાદ મગજના પૃથ્થકરણ દ્વારા વસ્તુને જોઈ અને ઓળખી શકાય છે. |
જવાબ :
થેલેમસ |
હાયપોથેલેમસ |
1 તે બૃહદ્ મસ્તિષ્કના આવરણથી ધેરાયેલ હોય છે. | 1 તે થેલેમસના તળિયાના ભાગ(પાયાના ભાગ)માં આવેલો મહત્વનો ભાગ છે. |
2 જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. | 2 તે ધણા કેન્દ્રો ધરાવે છે. જે શરીરઅનું તાપમાન, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે. |
જવાબ : મનુષ્યની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો હોય છે. જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે. જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.
જવાબ : મધ્યમગજ, અગ્રમગજના થેલેમસ / હાયપોથેલેમસ અને પશ્ચષમગજના પોન્સની વચ્ચે આવેલ હોય છે. એક નળી કે જેને મસ્તિષ્ક તરલનલિકા (Cerebral aqueduct) કહે છે. જે મધ્યમગજમાંથી પસાર થાય છે. મધ્યમગજનો પૃષ્ઠ ભાગ મુખ્યત્વે ચાર ઉપસેલા ગોળકો (ખંડો) કે જેને ચતુષ્કાય ખંડો (Corpora quadrigemina) કહે છે. મધ્યમગજ અને પશ્ચમગજ, મસ્તિષ્ક સ્તંભ (Brain stem) બનાવે છે.
જવાબ : પશ્વમગજ પોન્સ (સેતુ), અનુમસ્તિષ્ક અને લંબમજ્જાનું બનેલ છે. પોન્સ (સેતુ) મગજના વિવિધ વિસ્તારોને સાંકળતા પથ તંતુઓ ધરાવે છે. અનુમસ્તિષ્કની સપાટી ખૂબ ગૂંચળામય હોય છે. જે ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે. મગજનું લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલ છે. લંબમજ્જા શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ અને જઠરના સ્ત્રાવોનું નિયંત્રણ કરે છે.
જવાબ : મધ્ય કર્ણમાં નાનાં ક્દના અને હલન ચલન કરી શકે તેવા ત્રણ અસ્થિઓ આવેલાં હોય છે. તેમને હથોડી(Malleus), એરણ (Incus) અને પેંગડુ (Stapes) કહે છે. તેઓ સાંકળની જેમ એક બીજા સાથે જોડાયેલા હોય છે. હથોડી કર્ણપટલ સાથે જોડાયેલું હોય છે. શંખિકાના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલ છે. કર્ણાસ્થિઓ અવાજના તરંગોની અંત:કર્ણ સુધી પહોંચવાની ક્ષમતામાં વધારો કરે છે. કર્ણકંઠનળી મધ્ય કર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણ કંઠનળી બંને બાજૂના કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.
જવાબ : કોર્ટિકાય એ સાંભળવાનું અંગ છે. જે રિસેપ્ટર કોષો અને આધારકોષોનું બનેલું છે. જે રોમ કોષો ધરાવે છે. જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. આ રોમ કોષો, કોર્ટિકાયની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષોનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુઓના નજદીકના સંપર્કમાં હોય છે. દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે. જેને ત્રિપરિમાણીય પક્ષ્મ કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે. જેને ટેક્ટોરિયલ કલા કહે છે.
જવાબ : માનવ શરીરમાં 3 જોડ મસ્તિષ્કચેતાઓ સંવેદી છે.
જવાબ : નાક
જવાબ : મોતિઓ થવાનું કારણ નેત્રમણિનું અપારદર્શક બનવું છે.
જવાબ : 12 જોડ
જવાબ : હિપોકૅમ્પસનું કાર્ય ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવાનું છે.
જવાબ : સસલામાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા 37 જોડ છે.
જવાબ : ગ્લોકોમા
જવાબ : અંતર્ગોળ લેન્સનાં ચશ્માંથી લઘુદ્રષ્ટિની ખામી દૂર કરી શકાય છે.
જવાબ : દીર્ધદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી.
જવાબ : પરાકંપી ચેતાતંત્રનું કાર્ય પાચન ક્રિયા વધારવાનું છે.
જવાબ : નેત્રપટલ (Retina) એ સૌથી અંદરનું સ્તર છે અને તે કોષોના ત્રણ સ્તરો ધરાવે છે. અંદરથી બહાર તરફ ચેતાકંદ કોષો, દ્રિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો. પ્રકાશગ્રાહી કોષો બે પ્રકારના હોય છે. જેવા કે દંડકોષો (Rods cells) અને શંકુ કોષો (Cones cells). આ કોષો પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે. જેને પ્રકાશ રંજકકણ કહે છે.
તે દિવસના પ્રકાશની (પ્રકાશાનુંકુલી (Photopic)) દ્રષ્ટિ અને રંગની દ્રષ્ટિ (રંગ પારખવો) શંકુ કોષોનાં કાર્યો છે અને મંદ પ્રકાશની (તિમિરાનુંકૂલિત (Scotopic)) દ્રષ્ટિ એ દંડકોષોનું કાર્ય છે. દંડકોષો જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે. જેને રોડોપ્સિન અથવા જાંબલી દ્રષ્ટિનું કહે છે. જે વિટામિન – A ના વ્યુત્પન્ન ધરાવે છે. માનવની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો હોય છે. જે પોતાના લાક્ષણિક પ્રકાશ રજકણો ધરાવે છે જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે. ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે. દ્રષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના આંખના ડોળાના પશ્ચ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ (Blind Spot) કહે છે. આંખના પશ્ચ ધ્રુવમાં, અંધ બિંદુની પાશ્વ બાજુએ પીળાશ પડતું રગકણના બિંદુને પિત્તબિંદુ (Macula latea) કહે છે.તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્ત (Fovea) કહે છે. ગર્ત એ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે. જ્યાં ફક્ત ઘનિષ્ટ રીતે જોડાયેલ શંકુકોષો હોય છે. આ એ સ્થાન છે કે જ્યાં દષ્ટિ તીવ્રતા (Resolution) વધુ સારી હોય છે. પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર (Aqueous chamber) કહે છે અને તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. જેને તરલરસ (Aqueous humor) કહે છે. નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે અને આ પારદર્શક પ્રવાહી (gel) દ્વારા ભરાયેલ હોય છે. જેને કાચરસ કહે છે.જવાબ : માનવ શરીરના અંગો / અંગતંત્રોનાં કાર્યોની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. સહનિયમન એક પ્રક્રિયા છે. જેના દ્રારા બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યા કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે વધતી સ્નાયુલ ક્રિયાવિધિને જાળવવા શક્તિની જરૂરિયાત વધે છે. ઑક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં પણ વધારો થાય છે. ઑક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વસનદર, હૃદયના ધબકારા અને રૂધિર વાહિનીઓ દ્વારા રૂધિર પ્રવાહમાં વધારો થાય છે.
જ્યારે શારીરિક કસરત બંધ કરવામાં આવે છે ત્યારે ચેતાઓ, ફેફસાં, હૃદય અને મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેની સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસાં, હૃદય, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોના કાર્યનું સહનિયમન થાય છે. આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સાથે મળીને અંગોની ક્રિયાઓનું સહનિયમન અને સંકલન કરે છે. જેથી તેઓ સંકલિત રૂપમાં કાર્ય કરે છે.
ચેતાતંત્ર એવી આયોજીત વ્યવસ્થા પૂરી પાડે છે, જે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે જોડાયેલ રહે છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે. બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોથી બને છે. જેને ચેતાકોષો (Neurons) કહે છે. જે વિવિધ ઉત્તેજનાને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે છે.જવાબ : કલાકુહરના ગુંચળાદાર ભાગને શંખિકા કહે છે. આ શંખિકાની કલાઓ જેને રેસીનર્સ અને બેસીલર કલાઓ કહે છે. અસ્થિકુહર કે જે બાહ્ય લસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વહેંચે છે. જેવા કે ઉપરનું સ્કેલા વેસ્ટીબ્યુલી અને નીચેનું સ્કેલા ટિમ્પેની.
જવાબ : અગ્રમગજ મુખ્ય ત્રણ ભાગમાં વહેચાયેલુ છે. બૃહદૂ મસ્તિષ્ક (Cerebrum), થેલેમસ અને હાયપોથેલેમસ. બૃહદ્ મસ્તિષ્ક માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. એક ઊંડી ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ રીતે બે અડધા ભાગોમાં વિભાજિત કરે છે. જેને ડાબું અને જમણું બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે.
આ ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલ છે. જેને કેલોસમકાય (Corpus Callosum) કહે છે. મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્યક કહે છે અને તે નિશ્ચિત ગર્તોમાં બદલાય છે. મસ્તિષ્ક બાહ્યકને તેના ભૂખરા દેખાવના સંદર્ભમાં ભૂખરું દ્રવ્ય કહે છે. ચેતાકોષકાયો અહીં સકેન્દ્રિત થઈ રંગ આપે છે. મસ્તિષ્ક બાહ્યક પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોટા વિસ્તારો કે જે કાર્યમાં ના તો સંપૂર્ણ સંવેદી ન તો પ્રેરક હોય છે, તેઓને ધરાવે છે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Association areas) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે આંતર સંવેદી સંગઠનો, યાદશક્તિ અને વાતચીત માટે જવાબદાર છે. આ પથના તંતુઓ મજ્જા આવરણ દ્વારા આવૃત્ત હોય છે, જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ બનાવે છે. તેઓ સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે અને તેથી તેને શ્વેત દ્રવ્ય કહે છે. બૃહદ્ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલેમસ કહે છે. જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. બીજો ખૂબ જ મહત્ત્વનો મગજનો ભાગ જેને હાયપોથેલેમસ કહે છે. જે થેલેમસના તળિયે (પાયાના ભાગે) આવેલો છે. હાયપોથેલેમસ ઘણા કેન્દ્રો ધરાવે છે. જે શરીરનું તાપમાન, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે. તે પણ ઘણા ચેતાસાવી કોષોના જૂથ ધરાવે છે, જે અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. જેને હાયપોથેલેમિક અંતઃસાવો કહે છે. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંકળાયેલ ઊંડી રચનાના સમૂહ જેવા કે બદામ આકારનો ભૂખરા દ્રવ્યનો સમૂહ (Amygdala) અને હિપ્પોકેમ્પસ (Hippocampus) વગેરે જટિલ રચના બનાવે છે. જેને લિંબિક ખંડ અથવા લિંબિક તંત્ર કહે છે. હાયપોથેલેમસની સાથે મળી તે જાતીય વર્તણૂક, લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ (ઉદા., ઉત્તેજના, ખુશી, ગુસ્સો અને ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.જવાબ : ઊર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે તેને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ પડે કે ન પણ પડે.
જવાબ : જ્યારે ચેતાકોષ કોઈ પણ ઊર્મિવેગનું વહન નથી કરતા એટલે કે વિરામ અવસ્થામાં ચેતાક્ષપટલ તુલનાત્મક રીતે પૉટેશિયમ આયન (K⁺) માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન (Na⁺) માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. તેવી જ રીતે ચેતાક્ષરસ(Axoplasm)માં આવેલ ઋણ ભારિત પ્રોટીન્સ માટે પટલ અપ્રવેશશીલ હોય છે.
પરિણામે, ચેતાક્ષમાંનો ચેતાક્ષરસ K⁺ અને ઋણ ભારિત પ્રોટીન્સની ઊંચી સાંદ્રતા અને Na⁺ ઓછી સાંદ્રતા ધરાવે છે. એનાથી વિપરીત ચેતાક્ષની બહારનું પ્રવાહી K⁺ ની ઓછી સાંદ્રતા અને Na⁺ ની વધુ સાંદ્રતા ધરાવે છે. તેથી સાંદ્રતા ઢોળાંશ રચાય છે. આ આયનિક ઢોળાંશ સમગ્ર વિશ્રામી કલામાં સોડિયમ-પોટેશિયમ પંપ દ્વારા આયનોના સક્રિય વહનથી જળવાય છે, જે 3 Na⁺ ને બહારની તરફ અને 2 K⁺ ને કોષમાં વહન કરાવે છે. પરિણામ સ્વરૂપ ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધનભાર ધરાવે છે. જ્યારે તેની અંદરની સપાટી ઋણ ભારિત બને છે અને તેથી તે ધ્રુવીય (ધ્રુવીકૃત) છે.જવાબ : જ્યારે ધ્રુવીય પટલના કોઈ A સ્થાને ઉત્તેજના આપવામાં આવે છે, ત્યારે તે સ્થાને પટલ Na⁺ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. જેના પરિણામે Na⁺તીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય છે. એટલે કે પટલની બાહ્ય સપાટી ઋણ ભારિત બને છે અને અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, પટલના A સ્થાનની ધ્રુવીયતા ઉલટી (વિપરીત) થવાથી વિદ્યુવીકરણ થાય છે. A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે. જેને સાચા અર્થમાં ચેતા ઊર્મિવેગ કહે છે.
જવાબ : A સ્થાનની તરત પછી, ચેતાક્ષપટલ બાહ્ય સપાટી ઉપર ધનભારિત અને અંદરની સપાટીએ ત્ર્કણ ભારિત હોય છે. પરિણામ સ્વરૂપ અંદરની સપાટી ઉપર પ્રવાહ સ્થાન A થી સ્થાન B તરફ વહે છે. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા બાહ્ય સપાટી ઉપર પ્રવાહ સ્થાન B થી સ્થાન A તરફ વહે છે. જેથી ચોક્કસ (સ્થાન-Aની) સ્થાનની ધ્રુવીયતા ઉલટી થાય છે અને સ્થાન B ઉપર સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ, ઊર્મિવેગ (સક્રિય કલાવીજસ્થિતિમાન) સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B એ પહોંચે છે. ચેતાક્ષની લંબાઈને અનુસરી ક્રમિક પુનરાવર્તન થાય છે અને પરિણામ સ્વરૂપ ઊર્મિવેગનું વહન થાય છે.
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ :
જવાબ : ઊર્મિવેગનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં તેમના જોડાણ સ્થાન દ્વારા થાય છે તેને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા અલગ પડે કે ન પણ પડે.
જવાબ : દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણિ દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે. જેથી દંડકોષો અને શંકુકોષોમાં કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગ) ઉત્પન્ન થાય છે. મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો (પ્રકાશ રંગકણો) ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનલ(વિટામિન – A ના આલ્ડિહાઇડ)ના બનેલા છે.
પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પરિણામે, પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંકેતો (સંદેશાઓ) દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આ સક્રિય કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગો) દષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક (Visual Cortex) વિસ્તારમાં મોકલાવાય છે. જ્યાં ચેતા ઊર્મિવેગોનું પૃથક્કરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે.જવાબ : બાહ્ય કર્ણ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલે છે. કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર રૂપ ધ્રૂજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડુ)માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રૂજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે.
આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરીયલ કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંર્તવાહી ચેતાઓમાં ચેતા ઊર્મિવેગ ઉત્પન્ન થાય છે. જે અંર્તવાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે, જ્યાં ઊર્મિવેગનું પૃથક્કરણ થાય છે અને અવાજ ઓળખાય છે.જવાબ : જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને (પોઇન્ટ A) ઉત્તેજના આપવામાં આવે છે. ત્યારે તે સ્થાને પટલ Na⁺ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. જેના પરિણામે Na⁺ તીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય છે. પટલની બાહ્ય સપાટી ઋણ ભારિત બને છે અને અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, પટલના A સ્થાનની ધ્રુવીયતા ઉલટી (વિપરીત) થવાથી વિદ્યુવીકરણ થાય છે. A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન (Action potential) કહે છે.
જવાબ : બાહ્ય કર્ણ અવાજના તરંગોને મેળવી અને તેમને કર્ણપટલ તરફ મોકલે છે. કર્ણપટલ અવાજના તરંગોના પ્રતિચાર રૂપ ધ્રૂજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડુ)માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રૂજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે.
આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરીયલ કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંર્તવાહી ચેતાઓમાં ચેતા ઊર્મિવેગ ઉત્પન્ન થાય છે. જે અંર્તવાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકમાં વહન પામે છે, જ્યાં ઊર્મિવેગનું પૃથક્કરણ થાય છે અને અવાજ ઓળખાય છે.જવાબ : દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણિ દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે. જેથી દંડકોષો અને શંકુકોષોમાં કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગ) ઉત્પન્ન થાય છે. મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો (પ્રકાશ રંગકણો) ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનલ(વિટામિન – A ના આલ્ડિહાઇડ)ના બનેલા છે.
પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પરિણામે, પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંકેતો (સંદેશાઓ) દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આ સક્રિય કલાવીજસ્થિતિમાન (ઊર્મિવેગો) દષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિ બાહ્યક (Visual Cortex) વિસ્તારમાં મોકલાવાય છે. જ્યાં ચેતા ઊર્મિવેગોનું પૃથક્કરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે.જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.